Opinion Magazine
Number of visits: 9457957
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

बहुसंख्यकवादी राजनैतिक एजेंडा और भारतीय मुसलमान

राम पुनियानी|Opinion - Opinion|4 August 2023

राम पुनियानी

भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा ने पार्टी की जो नयी राष्ट्रीय कार्यकारणी घोषित की है, उसमें एक जानेमाने पसमांदा मुसलमान, अलीगढ़ मुस्लिम विश्वविद्यालय (एएमयू) के पूर्व कुलपति तारिक मंसूर को तेरह उपाध्यक्षों में से एक नियुक्त किया गया है. भाजपा की केरल इकाई के एक नेता पी. अब्दुलकुट्टी, जो पिछली कार्यकारिणी के सदस्य थे, को भी पुनार्निर्युक्ति दी गयी है. इस समय भाजपा का फोकस राष्ट्रीय स्तर पर पसमांदा मुसलमानों को महत्व देने पर है. पसमांदा सबसे पिछड़े मुसलमान है, जिनमें से अधिकांश दलित या ओबीसी हैं. वे समाज और मुस्लिम समुदाय में सामाजिक-आर्थिक दृष्टि से सबसे निचले पायदान पर हैं.

भाजपा अलग-अलग दौर में मुसलमानों के विशिष्ट तबकों में अपनी पैठ बनाने का प्रयास करती रही है. इस समय, पार्टी का एक भी सांसद मुसलमान नहीं है परन्तु पूर्व में उसने मुसलमानों को राज्यपाल (सिकंदर बख्त) और केंद्रीय मंत्री (शाहनवाज हुसैन और मुख़्तार अब्बास नकवी) नियुक्त किया है. मोदी हाल में एक बोहरा मस्जिद में पहुंचे जहाँ उन्होंने घोषणा की कि बोहरा उनकी परिवार का हिस्सा हैं. वे समय-समय पर अजमेर में ख्वाजा मोईनुद्दीन चिश्ती की दरगाह पर चादर भी चढ़ाते रहे हैं.

पिछले कुछ समय से भाजपा पसमांदा मुसलमानों को लुभाने में लगी हुई है. इस साल, उत्तर प्रदेश में स्थानीय संस्थाओं के चुनाव में उसने कुछ पसमांदा मुसलमानों को अपना प्रत्याशी बनाया था और उनमें से कुछ चुनाव जीते भी हैं. सन 2022 की जुलाई में भाजपा की एक अहम बैठक हैदराबाद में हुई थी. उसमें मोदी ने भाजपा कार्यकर्ताओं से कहा था कि वे पसमांदा मुसलमानों में अपनी पैठ बनाएं. उन्होंने यह भी कहा था कि मुस्लिम समुदाय एकसार नहीं है और पसमांदा, मुसलमानों का पिछड़ा तबका है. तभी से पसमांदा मुसलमानों को पार्टी की छतरी तले लाने के प्रयास चल रहे हैं.

भाजपा इस समुदाय को लुभाने के लिए यह कह रही है कि मोदी की नीतियां किसी धर्म के लोगों के साथ भेदभाव नहीं करतीं और पसमांदा मुसलमान भी मोदी सरकार की ‘विकास योजनाओं’ के उतने ही ‘लाभार्थी’ हैं जितने अन्य समुदाय. इस बीच कई जानेमाने मुसलमानों, जिनमें पूर्व उप-राज्यपाल नजीब जंग, पूर्व मुख्य चुनाव आयुक्त एस.वाई. कुरैशी, जनरल ज़मीरुद्दीन शाह, शाहिद सिद्दीकी और सईद शेरवानी शामिल थे, ने आरएसएस मुखिया मोहन भागवत को एक चिट्ठी लिखकर उनसे ‘मेलमिलाप संवाद’ के लिए समय माँगा. एक महीने के इंतजार के बाद उन्हें संघ प्रमुख के दरबार में आने की इज़ाज़त मिली.

इन प्रमुख मुसलमानों ने भागवत से ‘मुस्लिम समुदाय के प्रति बढ़ती नफरत’ और उनके साथ ‘बुलडोज़र न्याय’ पर बात की. यह भी कहा कि मुसलमानों को जिहादी और पाकिस्तानी कहा जाता है. भागवत का जवाब था कि हिन्दू भी गौहत्या और उन्हें काफिर कहे जाने से आहत महसूस करते हैं. इस ‘संवाद’ के बाद, आरएसएस के प्रमुख नेताओं, जिनमें मुस्लिम राष्ट्रीय मंच के मुखिया इन्द्रेश कुमार, कृष्ण गोपाल और राम लाल शामिल थे, ने 22 सितम्बर 2022 को आल इंडिया इमाम आर्गेनाइजेशन के मुख्य इमाम उमर अहमद इल्यासी से मुलाकात की. इल्यासी ने उम्मीद जाहिर की कि इस बातचीत से सांप्रदायिक सौहार्द में वृद्धि होगी.

इन संवादों का भारतीय राजनीति पर क्या असर पड़ा है? यह महत्वपूर्ण है क्योंकि भारतीय राजनीति की दशा और दिशा मुस्लिम अल्पसंख्यकों को प्रभावित करती है. संघ परिवार के कई लेखक जिनमें राम माधव और पूर्व भाजपा नेता सुधीन्द्र कुलकर्णी शामिल है, ने सितम्बर 2018 में दिल्ली के विज्ञान भवन में भागवत के तीन व्याख्यानों के बाद तर्क दिया था कि आरएसएस बदल रहा है. भागवत ने कहा था कि हिन्दुओं और मुसलमानों का डीएनए एक ही है, मुसलमानों के बिना हिंदुत्व अधूरा है आदि, आदि.

सच क्या है? सच यह है कि किसी भी राजनैतिक संगठन, भले ही वह खुद को सांस्कृतिक संगठन बताता हो, के दावे का सच इससे जाहिर होता कि वह और उसके साथी संगठन किस तरह की राजनीति करते हैं और कौनसे मुद्दे उठाते हैं. भागवत स्वयं भी गौमांस और गौमाता का मसला उठाते रहे हैं. पिछले कुछ दशकों में यह एक भावनात्मक मुद्दा बन गया और इसके चलते न केवल मुसलमानों को अत्याचार और दमन का शिकार होना पड़ रहा है वरन ग्रामीण अर्थव्यवस्था भी पटरी से उतर गयी है. ऐसा क्यों है कि बीफ को हिंदी पट्टी में तो मुद्दा बनाया जा रहा है पर केरल, पूर्वोत्तर और गोवा में नहीं? ऐसा क्यों है कि किरण रिजुजू जैसे नेता खुलकर कहते हैं कि बीफ उनके खानपान का हिस्सा है? और ऐसा क्यों है कि अटलबिहारी वाजपेयी जैसे शीर्ष नेता बीफ खा सकते हैं?

सच यह है कि नफरत की राजनीति के सबसे बड़े शिकार पसमांदा ही हैं. अल्पसंख्यकों, विशेषकर मुसलमानों के खिलाफ नफरत संघ की शाखाओं और शिशुमंदिरों और भाजपा के आईटी सेल द्वारा फैलाई जा रही है. नफरत से हिंसा फैलती है, हिंसा से ध्रुवीकरण होता है और ध्रुवीकरण के कारण मुसलमान अपने-अपने मोहल्लों में सिमटते जा रहे हैं. पसमांदा मुसलमान साम्प्रदायिक हिंसा से सबसे अधिक पीड़ित हैं.

पिछले कुछ समय से बुलडोजर भी न्याय करने लगे हैं. संघ और भाजपा के प्रवक्ता कहते हैं कि जो कुछ हो रहा है वह कानून के मुताबिक है. जाहिर है कि यह सच नहीं है. इसके अलावा संध का शीर्षतम नेतृत्व यह प्रचार कर रहा है कि मुसलमान बहुसंख्यक बन जाएंगे. हम सबको याद है कि कुरैशी ने अपनी पुस्तक ‘पापुलेशन मिथ’ मोहन भागवत को भेंट की थी. इसमें इस मिथक को तर्कसंगत ढंग से गलत सिद्ध किया गया. कुछ समय पहले भागवत ने भी अपरोक्ष रूप से यह कहा था कि देश की मुस्लिम आबादी अन्य समुदायों की तुलना में तेजी से बढ रही है.

नफरत फैलाने के नए-नए तरीके ढूंढ़े जा रहे हैं. कोरोना जेहाद की बातें हुई हैं और अब टमाटर की कीमतों में बढ़ोत्तरी के लिए भी मुसलमानों को दोषी ठहराया जा रहा है. कुछ समय पहले हमें बताया गया कि मुस्लिम महिलाओं के साथ न्याय करने के लिए यूसीसी लागू की जाएगी. मजे की बात यह है कि यूसीसी का पहला मसविदा भी तैयार नहीं है. इसके पहले एनआरसी और सीएए के नाम पर मुसलमानों को मताधिकार से वंचित करने के प्रयास हुए थे. इसके विरोध में मुस्लिम महिलाएं सड़कों पर उतर आईं थीं और शाहीन बाग पर ऐतिहासिक विरोध प्रदर्शन आयोजित किया गया था.

इस बीच हिन्दुओं और मुसलमानों के बीच की खाई को गहरा करने वाली कई फिल्में रिलीज हुई हैं जिनमें कश्मीर फाईल्स, केरेला स्टोरी और 72 हूरें शामिल हैं. सरसंघचालक से लेकर प्रधानमंत्री तक ने इन फिल्मों की तारीफ की और भाजपा नेताओं ने थोक में इनके टिकट खरीदकर लोगों को दिखाईं ताकि नफरत के जहर को ज्यादा से ज्यादा फैलाया जा सके.

कुल मिलाकर संघ का मूल चरित्र वही है जो पिछले सौ सालों से रहा है. भाषा और शब्द बदल गए हैं परंतु हिन्दू राज का एजेंडा वही है. पसमांदा मुसलमानों को केवल चुनावों में लाभ के लिए इस्तेमाल किया जा रहा है. यह मुसलमानों को बांटने की रणनीति का हिस्सा भी है. सच यह है कि चाहे पसमांदा हो या अशरफ – सभी मुसलमान संघ और भाजपा की नीतियों के शिकार बन रहे हैं. पसमांदा मुसलमानों के प्रति सहानुभूति का प्रदर्शन एक नए प्रहसन से ज्यादा कुछ नहीं है. 

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
02/08/2023
https://www.navjivanindia.com/opinion/be-it-pasmanda-or-ashraf-all-muslims-on-the-target-of-the-agenda-of-rss-and-bjp-article-by-ram-puniyani

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૩) 

સુમન શાહ|Opinion - Literature|4 August 2023

સુમન શાહ

આજે, આચાર્ય વામન વિશે —

એમનો સમય છે, આશરે ૮-મી સદી. એમના ગ્રન્થનું શીર્ષક છે, “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ”.

પોતાના ગ્રન્થનો તેમ જ કાવ્યપદાર્થનો મહિમા કરતાં વામન કહે છે કે – મારો ગ્રન્થ “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ” અલંકારયુક્ત કાવ્યનું ફળ છે !

કવિયશ કે કવિને પ્રાપ્ત થનારી કીર્તિને વિશેની વામનની માન્યતા રસિક છે : તેઓ કહે છે કે એક સુન્દર કાવ્ય કવિ અને પાઠકને પ્રીતિ તેમ જ કીર્તિના હેતુસર દૃષ્ટ – ઐહિક – અને અદૃષ્ટ – મામુષ્મિક – બન્ને પ્રકારનાં ફળ આપે છે. આ વિષયમાં સંગ્રહરૂપ સ્વલિખિત શ્લોકો નીચે મુજબ છે એવી ઘોષણા સાથે વામને ગ્રન્થનો શુભારમ્ભ કર્યો છે.

એમની દૃષ્ટિએ કાવ્યરચનાની સુ-પ્રતિષ્ઠા જ યશપ્રાપ્તિનો માર્ગ છે. ઉમેરે છે કે, તેથી, અકીર્તિનો માર્ગ કુકવિત્વ છે. એટલે લગી કહે છે કે વિદ્વાનો કવિકીર્તિને યાવચ્ચન્દ્રદિવાકરૌ અને અકીર્તિને આલોકહીન અન્ધકારમય નર્કસ્થાનની દૂતી ગણે છે. એટલે, કીર્તિની પ્રાપ્તિ માટે અને અકીર્તિના નાશ માટે શ્રેષ્ઠ કવિઓએ મારા આ ગ્રન્થ “કાવ્યાલંકારસૂત્રવૃત્તિ”-નું અધ્યયન કરીને તેને હૃદયંગમ કરવું જોઈશે. સમગ્ર ગ્રન્થમાં આવું એમનું એક શક્તિશાળી કાવ્યમીમાંસક તરીકેનું આવકાર્ય ઍટિટ્યૂડ જોવા મળે છે.

કહે છે, સંસારમાં કવિઓ બે પ્રકારના છે : અરોચકી એટલે કે વિવેકી. અને, સતૃણાભ્યવહારી એટલે કે અવિવેકી. વામન પ્રશ્નોત્તરની રીતે શાસ્ત્રાર્થ કરે છે. વિવેકી-અવિવેકી એટલે શું? વિવક્ષિત શું છે? તો ઉત્તર આપે છે કે ‘અરોચકી’-થી ‘વિવેકિત્વ’ સમજવાનું અને ‘સતૃણાભ્યવહારી’-થી ‘અવિવેકિત્વ. અરોચકી વિવેકી અને વિવેચનાશીલ હોય છે તેથી કાવ્યશિક્ષા પામવાની પાત્રતા ધરાવે છે અને સતૃણાભ્યવહારી અવિવેકી છે અને વિવેચનાશીલ નથી હોતા તેથી કાવ્યશિક્ષાને પાત્ર નથી.

પરન્તુ જો તમારું શાસ્ત્ર ભણવાથી એની અવિવેકશીલતા દૂર થઈ જાય તો એને પણ કાવ્યશિક્ષા આપવી જોઈએ ને? ગ્રન્થકાર રૂપે વામન કહે છે કે – એ ખરું પણ એનો સ્વભાવ એ-નો-એ જ રહેશે. જો એમ હોય તો એમ ન કહેવાય કે તમારું શાસ્ત્ર સર્વનું અનુગ્રાહક નથી? વામન કહે છે, કોણ એમ માને છે? હું નથી માનતો, એ સર્વનું અનુગ્રાહક નથી જ. એ માત્ર વિવેકશીલ અધિકારી વ્યક્તિઓ માટે છે. સૂત્રમાં કહું કે ‘નન્વેવમ્ ન શાસ્ત્રમ્ સર્વત્રાનુગ્રાહિ સ્યાત્’. ઉમેરે છે, આ વિષયમાં ઉદાહરણ આપું : નિર્મલી (એક વિશિષ્ટ વૃક્ષનું ફળ) જળને સ્વચ્છ કરી દે પણ કીચડને નહીં – ન કતકમ્ પંકપ્રસાદનાય. 

સામાન્યપણે કાવ્યહેતુ ‘વ્યુત્પત્તિ’ ગણાય છે એને વામન ‘કાવ્યાંગ’ કહે છે. કાવ્યનાં અંગો એટલે કે સાધનો.

વામન ‘લોક’-ને પહેલું અંગ ગણે છે. મતલબ એ કે કવિને સ્થાવર-જંગમ લોકવ્યવહારોનું જ્ઞાન હોવું જોઈએ. તેઓ એને કાવ્યસર્જનના કૌશલ માટે જરૂરી લેખે છે.

હું દાખલા તરીકે કહું કે સ્થાવરનું જ્ઞાન એટલે કે કવિને ખબર હોવી જોઈએ કે પૃથ્વી સૂર્ય ચન્દ્ર કે પૃથ્વી પરના ઉપખણ્ડો શું છે; બ્રાઝિલ ક્યાં છે; નાયગરા શું છે કે શ્રીલંકાની રાજધાની શું છે કે મધ્યપૂર્વના દેશો કોને કહેવાય. જંગમ્-નું જ્ઞાન એટલે એ દરેકમાં જિવાતા માનવજીવનની, રીતરસમોની પણ એને આછીપાતળી પણ સાચી જાણ હોવી જોઈએ. બને કે એવી જાણ અનુભવજન્ય ન હોય પણ કવિની વિદ્વત્તાને પ્રતાપે હોય. સામ્પ્રત ગુજરાતી કવિતામાં આ ‘લોક’-જ્ઞાન કેટલું એ પ્રશ્ન છે !

વામન ‘વિદ્યા’-ને બીજું અંગ કહે છે અને એને કાવ્યસર્જનના કૌશલ માટે જરૂરી લેખે છે. વિદ્યામાં ૧૪ વિદ્યાઓ અને ૧૮ ભેદો સહિતની બધી જ વિદ્યાઓ સમજવાની. ‘શબ્દસ્મૃતિ’ એટલે કે વ્યાકરણ, ‘અભિજ્ઞાનકોશ’ એટલે કે કોશ, ‘છન્દોવિચિતિ’ એટલે કે પિગંળ, અને ૬૪ કલાઓ અને ૧૪ ઉપકલાઓના કલાશાસ્ત્રનો તથા વાત્સાયન વગેરે વિદ્વાનોથી પ્રણીત કામશાસ્ત્રનો ઉમેરો કરીને વામને ‘વિદ્યા’ સંકેતને વધુ સ્પષ્ટ કર્યો છે.

વધુ સમજીએ, શબ્દસ્મૃતિ : કવિઓએ શબ્દના વ્યાકરણસંગત સાધુત્વનો નિશ્ચય કરવો જોઈએ, એટલે કે વ્યાકરણની ભૂલ વગરના શબ્દો પ્રયોજીને એ પ્રકારની શુદ્ધિ કરવી જોઈએ.

વધુ સમજીએ, અભિજ્ઞાનકોશ : વાક્યમાં પ્રયોજાયેલા શબ્દને ‘પદ’ કહેવાય. કોશનું જ્ઞાન ન હોય તો આ લઉં કે ન લઉં એવો પદ બાબતે સંદેહ થવાનો. કોશથી કવિઓએ પદનો યથાયોગ્ય નિર્ણય કરીને એવા સંદેહનું નિવારણ કરવું જોઈએ. આજના આપણા કવિઓને આ સંદેહ થાય છે ખરો? થતો હોય તો તેનું નિવારણ કરે છે ખરા? શેનાથી?

વધુ સમજીએ, છન્દોવિચિતિ : છન્દના જ્ઞાનથી આ છન્દ પ્રયોજું કે ન પ્રયોજું એવા છન્દપરક સંશયનું નિવારણ થાય છે. આમ તો, વામન કહે છે, કાવ્યસર્જનના અભ્યાસથી છન્દોનો પરિચય થઈ જાય છે, તેમછતાં, માત્રિક છન્દો પ્રયોજવાના હોય ત્યારે સંશય થઈ શકે છે, માટે, છન્દોવિચિતિ જરૂરી છે. આજના આપણા કવિઓએ છન્દ છોડી દીધા છે, ભલે, પણ એમને છન્દોવિચિતિના આ બધા લાભથી વંચિત હોવાનું દુ:ખ છે ખરું?

વધુ સમજીએ, કલાશાસ્ત્ર : ચિત્ર નૃત્ય ગાયન વગેરેના જ્ઞાનનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રને કલાશાસ્ત્ર કહેવાય છે. આજે આપણે એને લલિત કલાઓ અને તેના જ્ઞાનને કલાશાસ્ત્ર અથવા સામાન્યપણે ઍસ્ટેથિક્સ કહીએ છીએ. એ જ્ઞાનને કાવ્યસર્જન માટે જરૂરી ગણનાર વામન સરસ કહે છે કે એ જ્ઞાન વડે કવિઓએ કલાતત્ત્વને સમજવું જોઈશે. એના અભાવમાં સરખું સર્જન અસંભવ છે. આપણે પણ કહીએ જ છીએ ને કે કલા શું છે એ જાણ્યા વિના લખાપટ્ટી કર્યા કરવાનો કોઈ અર્થ નથી !

વધુ સમજીએ, કામશાસ્ત્ર : વામન નિખાલસતાથી જણાવે છે કે કાવ્યના વિષયવસ્તુમાં કામોપચારનું બાહુલ્ય હોય છે. સાચું છે, પણ સામ્પ્રત ગુજરાતી કવિતમાં ભાગ્યે જ કામોપચારની લીટી પણ જોવા મળે ! કામોપચાર એટલે કામપરક વ્યવહારો. હવે, એનું નિરૂપણ જો વાત્સ્યાયન-પ્રણીત ‘કામસૂત્ર’ આદિ શાસ્ત્રીય ગ્રન્થોના જ્ઞાન વિના થાય, તો કેવું થાય? શાસ્ત્રનો નિર્દેશ કરીને વામન કદાચ એ નિરૂપણોને સમુચિત રાખવા કહે છે – એટલે કે એમાં શાસ્ત્રબોધ પણ હોય અને એમાં કામપરક વિશુદ્ધ ઊંચાઈ પણ હોય.

આ વાતો પછી મારે સવિશેષે એ કહેવું છે કે આચાર્ય વામન રીતિ-સમ્પ્રદાયના પુરસ્કર્તા છે. ભરત મુનિ, અભિનવગુપ્ત કે આનન્દવર્ધન રસાનુભૂતિને લક્ષ્ય કરનારા અનુભવવાદી છે; ભામહ, દણ્ડી કે કુન્તક અલંકાર કે વક્રોક્તિને લક્ષ્ય કરનારા માધ્યમ કહેતાં ભાષાવાદી છે, રાજશેખર રસાનુભૂતિ પામનારી ભાવયિત્રી પ્રતિભાનો પરામર્શ કરીને કાવ્યમીમાંસામાં ભાવકની મહત્તા સ્થાપનારા છે, તો વામન કાવ્યસર્જનની રીતિને લક્ષ્ય કરનારા, ફૉર્મને લક્ષ્ય કરનારા, રીતિવાદી છે.

એમની દૃષ્ટિએ રીતિ કાવ્યનો આત્મા છે – રીતિરાત્મા કાવ્યસ્ય. વિશિષ્ટ પ્રકારની પદરચના રીતિ છે -વિશિષ્ટા પદરચના રીતિ: અને, એ વિશેષ શું? તો કહે છે -વિશેષો ગુણાત્મા. એ પછી એમણે ગુણોનું વર્ણન કર્યું છે.

= = =

(08/03/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નકામો

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|4 August 2023

લાગણી વગરનો માણસ નકામો.

તાવણી વગરનો માસ્તર નકામો.

ગમે તેટલાં વસાણા ઉમેર્યાં હોય,

તાંસળી વગરનો દૂધપાક નકામો.

ભલેને અદ્યતન પદ્ધતિ જાણતો,

વાવણી વગરનો કૃષિકાર નકામો.

હોય છોને મોંઘોને રત્નજડિત એ,

માપણી વગરનો પહેરવેશ નકામો.

છોને સંમુખ ” માગ માગ ” કહેતો એ,

માગણી વગરનો દાતાર નકામો.

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

...102030...904905906907...910920930...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved