Opinion Magazine
Number of visits: 9957604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ અને અયોધ્યા :

કિરણ કાપુરે|Opinion - Opinion|20 January 2024

બી.બી. લાલ અને કે.કે. મોહમ્મદની ભૂમિકા અને મંતવ્ય

બી.બી. લાલ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ના પૂર્વ ડિરેક્ટર જનરલ બ્રજબસી લાલને યાદ કરવા જોઈએ. બ્રજબસી લાલ ‘બી.બી. લાલ’થી ઓળખાતા હતા; અને તેમણે જ પહેલીવાર બાબરી મસ્જિદની સાઇટ પર ઉત્ખનન કર્યું હતું, જેમનું અવસાન ગત વર્ષે થયું હતું. યુનેસ્કોની વિવિધ સમિતિમાં સ્થાન પામનારા બી.બી. લાલનું આર્કિયોલોજિસ્ટ તરીકેની કારકિર્દી આરંભાઈ ત્યારે તેમનું લેખનમાં તટસ્થતા ઝળકતી હતી અને તેમણે ‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ મેગેઝિન ‘એન્સિઅન્ટ ઇન્ડિયા’માં લખેલાં લખાણો તેની સાબિતી છે. પરંતુ 1990 આવતાં સુધીમાં તેઓ ‘ભગવા પુરાતત્વવિદ્’ તરીકે ઓળખાવા લાગ્યા, જેનું એક કારણ અયોધ્યામાં તેમણે કરેલું ઉત્ખનન હતું. 1944ના અરસામાં યુવાન વયે લાલ સ્કૂલ ઑફ આર્કિયોલોજી ખાતે ટ્રેઇન થયા; ત્યારે આ વિભાગ સંભાળનારા ઇંગ્લેન્ડના જાણીતા પુરાતત્વવિદ્ મોર્ટીમર વ્હીલર હતા. મોર્ટીમર વ્હીલરની હાથ નીચે પંજાબ, તક્ષશીલા અને હડપ્પા સાઇટ પર તૈયાર થનારા અનેક વિદ્યાર્થીઓ તે પછી ‘આર્કિયોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’માં ઉચ્ચ પદે બિરાજ્યા, તેમાંના એક બી.બી. લાલ પણ હતા.

બી.બી. લાલે 1990માં ભા.જ.પ. સાથે સંકળાયેલા ‘મંથન’ નામના મેગેઝિનમાં ‘ઓરિજનલ લાઇ’ એટલે ‘અસલ જુઠ્ઠાણું’ એ નામે એક લેખ લખ્યો હતો અને તે લેખથી ખાસ્સો વિવાદ જન્મ્યો હતો. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પરના આ સંબંધિત લેખમાં હુમરા લઇક લખે છે કે, ‘1977 દરમિયાન બાબરી મસ્જિદમાં કરેલા ઉત્ખનનમાં બી.બી. લાલને કોઈ મંદિરના પુરાવા નહોતા મળ્યા, પરંતુ તે પછીના દસ વર્ષ પછી તેઓ તે સ્થળે મંદિરના પિલ્લર હોવાની વાત લઈ આવે છે. ઘણાંનું કહેવું છે કે બી.બી. લાલને 1977 દરમિયાન ‘એ.એસ.આઈ.’ના રિપોર્ટમાં અયોધ્યામાં ઉત્ખનન રસ વિનાનું લાગતું હતું. પરંતુ 1989માં તેમને આ જ સાઇટ પર પિલ્લર દેખાયા અને એક વર્ષમાં જ તેમણે મંદિરના પાયા હોવાનું નિવેદન આપ્યું. અને 2008માં તો તેમણે મંદિરના બાર પિલ્લરની અને સાથે સાથે હિંદુ દેવતાની મૂર્તિની વાત પણ કહી. બી.બી. લાલનું આ કાર્ય કોઈ પણ એકેડેમિક જર્નલે પ્રકાશિત કર્યું નથી. સામાન્ય રીતે આ પ્રકારના જર્નલમાં પુરાવા સાથે વાત રજૂ થાય છે.

બી.બી. લાલની અંતર્ગત કે.કે. મોહમ્મદ આર્કિયોજિસ્ટ તરીકેની ટ્રેનિંગ મેળવી અને તે પછી કે.કે. મોહમ્મદ અયોધ્યામાં ઉત્ખનન કરવા માટેના મહત્ત્વના પદાધિકારી બન્યા. કે.કે. મોહમ્મદનું નામ આજે ભારતીય પુરાતત્વવિદમાં જાણીતું છે અને તેઓ પણ અયોધ્યા સંદર્ભે અનેકવાર ખુલીને બોલ્યા છે. હાલમાં તેમણે ‘લલ્લનટોપ’ ન્યૂઝ પોર્ટલને આપેલી મુલાકાત અયોધ્યા વિશે કહ્યું હતું કે, “અમે 1976-77માં જ્યારે અયોધ્યામાં ઉત્ખનન માટે ગયા ત્યારે અમે ઉત્ખનન કરવા અગાઉ આસપાસ બધું જ તપાસી લઈએ છીએ. અમે પહેલાં આસપાસ જોઈને એવું નક્કી કરીએ છીએ કે આની નીચે કશુંક હોઈ શકે કે નહીં? એ સમયે ટેકનોલોજી વિકસિત નહોતી. અમે એ વખતે મસ્જિદ ગયા તો તે વખતે મસ્જિદ પર તાળું હતું. એક પોલીસ જવાન ત્યાં હતો. ત્યારે આ વિવાદ મોટો નહોતો. અમે સુરક્ષા કરનારા પોલીસને કહ્યું કે અમે વિદ્યાર્થીઓ સંશોધન કરવા આવ્યા છે, તો તેમણે કહ્યું કે તમે અંદર જઈ શકો છો. અમે અંદર જઈને જોયું તો મસ્જિદ પિલ્લર્સ છે, તે જ મંદિરના હતા. તો કોઈને પ્રશ્ન થશે કે આ કેવી રીતે કહી શકો છો કે આ મંદિરના પિલ્લર્સ છે. અમે એના માટે જ ટ્રેઇન થયેલા છીએ. અમે આ પ્રકારના કિસ્સામાં કોઈ વૈજ્ઞાનિક તપાસ વિના બતાવી શકીએ કે સ્થાપત્ય બારમી સદીનું છે કે પંદરમી સદીનું છે, તે અકબર કાળનું છે કે જહાંગીર કાળનું. નિર્માણની શૈલી, ડિઝાઈન અને મટિરિયલના આધારે અમે તે દર્શાવી શકીએ છીએ. અંદર જઈને અમે જોયું તો મંદિરના જે પિલ્લર હતા તેને જ મસ્જિદમાં ફરી ઉપયોગમાં લેવાયા છે.”

કે.કે. મોહમ્મદ આગળ કુતુબમિનાર અને તેની પાસે આવેલી કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદનો ઉલ્લેખ કરીને ત્યાંના લખાણની વાત કરતાં કહે છે કે, “અગિયારમી સદીમાં અહીં 27 મંદિરોને તોડી પાડીને આ મસ્જિદ નિર્માણ કરવામાં આવી હતી. અને તે દરમિયાન દેવતાઓની મૂર્તિ પણ તોડી પાડવામાં આવી હતી. તેમાં આજે પણ ગણેશ અને શિવની મૂર્તિ જોઈ શકાય છે. ઇતિહાસમાં એક વાત આપણે સમજવી જોઈએ કે કેટલીક ભૂલો થઈ ચૂકી છે. મુસ્લિમોએ આ ભૂલને સ્વીકારવી જોઈએ. જો કે હું એમ પણ કહીશ કે વર્તમાન સમયના મુસ્લિમો આ ભૂલ માટે જવાબદાર નથી. પરંતુ આ બાબતને તેઓ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે ત્યારે હું તેમને જવાબદાર ગણીશ. તેઓ બે રીતે આ વાતને યોગ્ય ઠેરવે છે કે, તે વખતના બધા જ હિંદુ મુસ્લિમ થઈ ગયા તો તેમણે પોતાનું જ મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી. આ પ્રથમ તર્ક છે. અને કોમ્યુનિસ્ટ પક્ષકારો બીજો તર્ક એ રીતે મૂકે છે કે, સોના અને ચાંદીનો ભંડાર મંદિરના નીચે હતા અને એટલે જ મંદિરને ટારગેટ બનાવવામાં આવ્યા.”

બી.બી. લાલના આગેવાનીમાં ઉત્ખનન કરનારા કે.કે. મોહમ્મદ આ વાત ખોંખારીને કહે છે અને તેમણે તે સંબંધિત પુસ્તક પણ લખ્યું છે. પરંતુ ‘ધ વાયર’ ન્યૂઝ પોર્ટલ પર બી.બી. લાલની કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ખડા કરે છે. 1950-52માં તેમણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો તેનું નામ હતું ‘આર્કિયોલોજી ઓફ ધ મહાભારત સાઇટ્સ’. આ પ્રોજેક્ટમાં તેમણે બનાવા, પાણીપત, કુરુક્ષેત્ર અને મથુરાના કેટલાંક સ્થળોને મહાભારતના કાળ સાથે જોડી. અને બુદ્ધ પહેલાના સમયના માટીકામ જે મહાભારત સાથે જોડી દીધું હતું. જો કે આ બધું જ લખાણ જ્યારે બી.બી. લાલે કર્યું ત્યારે તેમાં ઠોસ પુરાવાની કમી હતી. એ પ્રમાણે જ તેમણે શિમલા સ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓ એડવાન્સ સ્ટડીઝ’ અને ‘એ.એસ.આઈ.’ સાથે મળીને આર્કિયોલોજીકલ ઓફ ધ રામાયણ સાઇટ્સનું સંશોધન શરૂ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કામ પણ શરૂ થયું, જો કે તે વિશેનો અહેવાલ ક્યારે ય પ્રકાશિત ન થયો.

બી.બી. લાલનું જે મહત્ત્વનું કાર્ય છે તેમાં ચોથી સદીના જૈન સ્થાપત્યો છે અને પહેલી-બીજી સદીના રોમન ઘરેણા છે. તેમના આ કાર્યોમાં અયોધ્યાનો ઉલ્લેખ વેપારી માર્ગ તરીકે થયો છે અને તદ્ઉપરાંત બહુસાંસ્કૃતિક સ્થળ તરીકે. તેમાં ક્યાં ય હિંદુ મંદિરનો ઉલ્લેખ નથી. આ રીતે તેમણે પછી પણ આર્કિયોલોજિલ ક્ષેત્રમાં ભેળસેળ કરી છે અને અંગ્રેજી અખબારોમાં તેમના આ પ્રકારના કાર્ય વિશે ખૂલીને લખાયું પણ છે. તેના બધા જ ઉદાહરણ અહીંયા ટાંકવા સંભવ નથી, પણ બી.બી. લાલે જે કાર્ય કર્યાં છે તેના પર પ્રશ્નો ખડા થયા છે.

બી.બી. લાલના અયોધ્યા સંબંધિત કામ અંગે કે.કે. મોહમ્મદ જણાવે છે કે “1990ના અરસામાં જ્યારે અયોધ્યાનો મુદ્દો વિવાદિત બન્યો ત્યારે તે વખતના સામ્યવાદી વિચારધારા ધરાવનારા ઇરફાન હબીબ સહિતના ઇતિહાસના પ્રોફેસરોએ એ વાત મૂકી કે બી.બી. લાલ અને તેમની ટીમને બાબરી મસ્જિદથી કોઈ પણ મંદિરના પુરાવા મળ્યા નથી. તે વખતે લાલસાહેબને પોતાને ડિફેન્ડ કરવા પડ્યા. અમે ત્યાં ઉત્ખનન કર્યું છે અને ત્યાં મંદિર સંબંધિત ઘણી ચીજવસ્તુઓ મળી છે. અને અમને મંદિરના પિલ્લર્સ પણ મળ્યા છે. તેમનો સપોર્ટ કરનારા કોઈ નહોતા. તે વખતે હું મદ્રાસમાં કામ કરતો હતો. હું એ.એસ.આઈ.માં ડિપ્ટી સુપરિન્ટેન્ડેન્ટ હતો અને ત્યારે મેં એક નિવેદન આપ્યું હતું, જે તે વખતે નહોતું આપવું જોઈએ – બી.બી. લાલને મંદિરના અવશેષ ત્યાં મળ્યા છે. અને તે પૂરા ઉત્ખનનમાં હું માત્ર એક મુસ્લિમ હતો. આ સ્થળ જેમ મુસ્લિમો માટે મક્કા-મદિના છે તેમ હિંદુ માટે છે. તેથી મુસ્લિમોએ આ સ્થળ હિંદુઓને આપી દેવું જોઈએ.

‘આર્કિયોલોજીકલ સરવે ઓફ ઇન્ડિયા’ જેવાં વિભાગોએ ખરેખર તો આવા વિવાદીત મુદ્દામાં લોકોની સમજ સ્પષ્ટ થાય તે રીતે કાર્ય કરવું જોઈએ, પણ અયોધ્યાના કિસ્સામાં તેમ થયું હોય તેવું દેખાતું નથી.

e.mail : kirankapure@gmail.com 

Loading

રામજન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી લાલદાસના અયોધ્યા વિવાદ સંબંધે અનુભવો…

કિરણ કાપુરે|Opinion - Opinion|20 January 2024

અયોધ્યા સંબંધે અત્યારે સર્વત્ર ઊજવણીની સ્ટોરીઝ આવી રહી છે, પણ કેટલીક અગત્યની બાબતો મીડિયામાં દૃશ્યમાન થઈ રહી નથી. અયોધ્યા વિવાદને લઈને જેમની હત્યા થઈ હતી; તે બાબા લાલદાસ પણ ભૂલાઈ ચૂક્યા છે. આમ આ વિવાદમાં અનેક લોકો મૃત્યુ પામ્યા; અને પરિવારો પણ ખુંવાર થયા. પરંતુ આજે તે બધા વતી કોઈ બોલનારું નથી; જ્યારે બાબા લાલદાસે તે વખતે કહેલી કેટલીક દસ્તાવેજિત થઈ છે, જે આજે પણ જોઈ-વાંચી શકાય છે. બાબા લાલદાસ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે તેમણે આનંદ પટવર્ધન દિગ્દર્શિત ‘રામ કે નામ’ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં ઇન્ટરવ્યૂ આપ્યો અને અયોઘ્યા વિવાદ સંદર્ભે રાજકીય પક્ષોને ન ગમે તેવી વાત કરી. 1969થી 1992માં તેમની હત્યા થઈ ત્યાં સુધી તેઓ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા રહ્યા; અને આ વિવાદને રાજકીય રંગ ન આપવા અંગે તેઓ મક્કમ હતા. તેમની હત્યાના થોડા દિવસો પૂર્વે બાબા લાલદાસે ‘માનુષી’ નામના મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂઝની કેટલીક વાતો આંખ ઉઘાડનારી છે.

આ ઇન્ટરવ્યૂ તે પછી ‘રાષ્ટ્રવાદી કી ચકરી મેં ધર્મ એવમ્ અન્ય’ નામના પુસ્તકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. તેમાં શરૂઆતમાં બાબા લાલદાસ કહે છે કે, “મારું નામ લાલદાસ છે. 1983માં ન્યાયાલયે મારી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિમણૂક કરી હતી. મેં આ પદ પર 1 માર્ચ, 1992 સુધી કામ કર્યું. તે અગાઉ હું રામ જન્મભૂમિ સેવા સમિતિનું કાર્ય જોતો હતો. 1969થી 1983 સુધી હું ન્યાયાલયમાં ચાલી રહેલા અયોધ્યાના વિવાદિત કેસમાં સતત હાજર રહેતો. તે પછી મંદિરના મુખ્ય પૂજારી તરીકે મારી નિમણૂંક કરવામાં આવી. કાગળ પર તો આજે પણ હું જ પૂજારી છું. આ નિમણૂંક રિસીવરના પદ પર રહેનારા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હતી. 1992માં ભા.જ.પ. સરકારે મને હટાવીને પોતાના સમર્થકને રામજન્મભૂમિના પૂજારી બનાવી દીધા.”

‘ભા.જ.પે. આવું કેમ કર્યું? તેમને એવું લાગતું હતું કે તમે તેમના હિતમાં કામ નહીં કરો?’ એવું જ્યારે લાલદાસને પૂછવામાં આવ્યું તો તેમણે ઉત્તરમાં કહ્યું : “કોઈના હિતમાં કામ કરવાનો પ્રશ્ન જ નહોતો. હું તેમના આધિન આવતો નહોતો. મારી નિમણૂંક કોર્ટે કરી હતી અને કોર્ટ સામાન્ય રીતે નિષ્પક્ષ વ્યક્તિની જ નિમણૂંક કરે છે. તેઓ મારી પાસેથી જે પણ ઇચ્છતા હતા, તેનું હું પાલન કરી શકું એમ નહોતો – તેમને મારી પાસેથી બે ઉદ્દેશ્ય પાર પાડવાના હતા – પ્રથમ હું મીડિયામાં તેમના પક્ષમાં બોલું; ને બીજું એવું જાહેર કરી દઉં કે રામ જન્મભૂમિના પૂજારીને મળનારી ભેટ પર વિશ્વ હિંદુ પરિષદનો હક છે. તેમનો મુખ્ય રસ પોતાના રાજકીય પ્રચારમાં હતો. તેઓ ઇચ્છતા હતા કે મંદિરમાં આવનારા તમામને અમે કહીએ કે મંદિર વિશ્વ હિંદુ પરિષદનું છે.” અયોઘ્યામાં ખરેખર દખલ ક્યારથી શરૂ થઈ? લાલદાસનો જવાબ : “મંદિરને લઈને રમખાણો 1984માં શરૂ થયા. તે અગાઉ ત્યાં કોઈ વિવાદ કે ગંભીર સંકટ નહોતું. 1959માં એક નાનકડો વિવાદ હતો, જેને લઈને બંને પક્ષ કોર્ટમાં ગયા હતા. તે સમયે ન તો રસ્તા પર નારા લાગ્યા, ન તો કોઈ હિંસા થઈ હતી. આ બધું જ બિહારના સીતમઢીથી શરૂ થયું. ત્યાંથી ‘વી.એચ.પી.’એ રામજન્મભૂમિનું તાળું ખોલવા માટે એક રથયાત્રા કાઢી હતી. આ રથયાત્રામાં તેમને ખૂબ નાણાં મળ્યા અને સમર્થન મળ્યું. પરિણામે જેમ જેમ પૈસા મળતા ગયા તેમ આંદોલન પણ આગળ વધતું ગયું.”

‘રામ કે નામ’ ફિલ્મમાં પણ લાલદાસ ખોંખારીને કહે છે કે, “આજ દિન સુધી પૂરા હિંદુસ્તાનમાં રમખાણો થયા તે માત્ર ખુરશી અને પૈસા માટે હતા. ન કે રામજન્મભૂમિ માટે. બલકે હું તો એમ કહેવા ઇચ્છું છું કે આજ સુધી ‘વિશ્વ હિંદુ પરિષદ’ના લોકોએ મંદિરમાં કોઈ પૂજા નથી કરાવી. અહીંયાના લોકોએ આ વાતનો ક્યારે ય સ્વીકાર કર્યો નથી. પરંતુ અહીંયા ભાડૂતી કેટલાંક સાધુઓ જેમને પૈસા જોઈએ; તેઓ પૈસાથી ખરીદાયા. રામની શિલાઓ સર્વત્ર લઈ જવામાં આવી. તે પછી તેમણે શિલાઓ દ્વારા પોતાના મકાન બનાવ્યા. અને આ રીતે લોકોના પૈસે તેમણે મોટી મોટી ઇમારતો નિર્માણ કરી દીધી. કરોડો રૂપિયા તેમણે એકઠા કર્યા, પોતાના વ્યક્તિગત એકાઉન્ટમાં પણ તે પૈસા નાંખ્યા. લોકોની હત્યા થાય, લોકોને નુકસાન થાય, તેનાથી તેમને કોઈ મતલબ નથી. તેમનો મતલબ માત્ર પૈસા અને ખુરશીથી છે.”

આજે  એકે ય એવો સાધુ નહીં મળે જે આ બાબા લાલદાસની જેમ પોતાની વાત રજૂ કરતા હોય. પણ 1990ના અરસામાં રામમંદિરનું આંદોલન જોરશોરથી ચાલતું હતું અને દેશભરમાં ‘મંદિર વહી બનેગા …’ એવાં નારા લાગી રહ્યા હતા, ત્યારે રાજકીય પક્ષોને કટુ લાગે તેવા નિવેદનો લાલદાસે કર્યા હતા. લાલદાસની આ વાતોમાં સત્ય હતું અને એટલાં માટે જ 16 નવેમ્બર 1993ના રોજ તેમની હત્યા કરવામાં આવી. બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં તેઓ મુખ્ય સાક્ષી હતા અને તેમણે ‘વિશ્વ હિંદુ પરિષદ’ના કેટલાંક આગેવાનો વિરુદ્ધ જુબાની આપી હતી. ‘રામ કે નામ’માં લાલદાસ આગળ કહે છે કે, “અહીંયા જે લોકો હિંદુ રાષ્ટ્રની વાત કરે છે, રામના નામે તનાવ ફેલાવે છે, હિંસા કરે છે, તે બધા જ ઊંચી જ્ઞાતિના ને સુવિધાભોગી છે. તેમનામાં ત્યાગ, તપશ્ચર્યા અને જનમાનસનું હિત જેવી બાબત લેશમાત્ર નથી. તેઓ માત્ર ધાર્મિક ભાવનાઓને ભડકાવીને પોતે સુખસુવિધામાં વિહરે છે. તેઓ જનહિતની કોઈ વાત કરી જ ન શકે. પરંતુ આજે મોટાં મોટાં મઠ છે. તેમાં કરોડો-અરબોની સંપત્તિ છે. અને તેઓ પગપાળા ન જઈને હવાઈ મુસાફરી કરે છે. ફર્સ્ટક્લાસની ટિકિટ પર જાય છે. આજના ધર્માચાર્યોને તમે શું કહેશો? હું તો તેમને ભૌતિકવાદી વ્યવસ્થાનો પોષક ગણું છું. જેમની પાસે સંપત્તિ છે તેઓ એમ કહે છે કે અમે હિંદુ ધર્મની રક્ષા કરીએ છીએ. અને એ વિષય પર હું કહેવા માંગું છું – શું રામનો આ જ આદર્શ છે? કે નેવું ટકા લોકો ભૂખ્યા મરે. આ આપણા દેશની વિષમતા છે, તે આ ધર્માચાર્યોને દેખાવી ન જોઈએ? તમારું કહેલું જો મૂડીપતિઓ કરે છે તો તેમના પૈસો લઈને ગરીબોનું ભલું કરો. જેમ મધર ટેરેસા કરે છે કે અન્ય અનેક ધર્માચાર્યોએ કર્યું છે.”

‘માનુષી’ મેગેઝિનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓ અંતે કહે છે કે, “પહેલાં વિચાર કરનારા લોકો સાધુઓ પાસે આવતા હતા. આ ભૌતિક દુનિયાથી કંટાળેલા સજ્જન લોકો પોતાના વિચારો સાથે સંતો પાસે આવતાં. ત્યારે સાધુઓ ઇર્ષ્યા અને ઘૃણાથી અંતર રાખતા. આજે એ સ્થિતિ આવી ચૂકી છે કે તેઓ રાજકીય પક્ષ ભા.જ.પ.ના સમર્થક થઈ ચૂક્યા છે અને લોહિયાળ સંઘર્ષથી ‘રામરાજ્ય’ લાવવા ઇચ્છે છે. અને બીજી તરફ સાધુ સમાજ છે તે ગુનેગારોનો અખાડો બની રહ્યો છે. જ્યાં સુધી તેમાં યોગ્ય લોકો નહીં આવે ત્યાં સુધી રાજકીય પક્ષો અને મંદિરોની દશા સુધરે તેવી કોઈ આશા નથી. સમાજમાં પરિવર્તન આવે છે ત્યારે જ સંપૂર્ણ ક્રાંતિ થાય છે અને વ્યવસ્થા બદલાય છે ત્યારે લોકોમાં પણ પરિવર્તન આવે છે.”

ધર્મ, સમાજ, એકતા અને સમાધાનની મુદ્દાસર વાત કરનારાં લાલદાસ આજે આપણી વચ્ચે નથી. તેમની હત્યા થઈ તે પછી તેમનો કેસ ક્યારે ય ઉકેલાયો નહીં. તેમની હત્યા જમીન વિવાદમાં થઈ હતી તેવી નોંધ છે, પણ તે ય પુરવાર થયું નથી. લાલદાસને કેટલાંક ‘સામ્યવાદી સાધુ’ કહેતા તો વળી કેટલાંકે તેમને સમાજવાદી પાર્ટીના સમર્થક કહ્યા છે. જો કે તેમણે જે વાતો ઓન કેમેરા કહી છે કે મીડિયામાં તેમણે જે મુદ્દા રજૂ કર્યા છે, તેમાં સામાન્ય લોકોનું હિત અને સત્ય છે.

e.mail : kirankapure@gmail.com

Loading

 यात्राएं, आन्दोलन और प्रजातंत्र की आत्मा  

राम पुनियानी|Opinion - Opinion|19 January 2024

राम पुनियानी

आने वाली 22 जनवरी को अयोध्या में राम मंदिर का उद्घाटन होना है. इसके लिए जिस स्तर पर व्यापक तैयारियां की जा रही हैं और इसमें भागीदारी के लिए जिस बड़ी संख्या में लोगों को लामबंद किया जा रहा है, उसके चलते आज भारत के धर्मनिरपेक्ष और प्रजातांत्रिक मूल्यों पर आत्मचिंतन जरूरी हो गया है.

स्वतंत्रता के तुरंत बाद यह मांग उठी कि गुजरात स्थित सोमनाथ मंदिर, जिसमें 11वीं सदी में महमूद गजनी ने तोड़फोड़ की थी, का पुनर्निर्माण सरकार द्वारा करवाया जाए. जवाहरलाल नेहरू लिखते हैं कि वे और सरदार पटेल महात्मा गांधी से मिले और “इस विषय पर चर्चा की मगर गांधीजी का मत था कि सरकार को मंदिर के पुनर्निर्माण के लिए धन उपलब्ध नहीं करवाना चाहिए और ना ही इस पर होने वाले खर्च में कोई हिस्सेदारी करनी चाहिए”. इसी तर्ज पर नेहरू, जो उस समय देश के प्रधानमंत्री थे, ने तत्कालीन राष्ट्रपति डॉ. राजेन्द्र प्रसाद को सलाह दी कि वे भारत के राष्ट्रपति की हैसियत से पुनर्निर्मित मंदिर का उद्घाटन न करें. और फिर नेहरू ने बांधों, सार्वजनिक क्षेत्र के बड़े उपक्रमों, स्वास्थ्य से जुड़ी संस्थाओं और शैक्षणिक व शोध संस्थानों को आधुनिक भारत के मंदिर निरूपित किया.

“एक व्यक्ति एक वोट” के सिद्धांत ने भी देश में प्रजातंत्र को मजबूती दी. श्रमिकों, किसानों और समाज के अन्य तबकों के सामाजिक आंदोलनों से भी भारतीय प्रजातंत्र मजबूत हुआ. आपातकाल के कुछ सालों को यदि हम छोड़ दें तो हम पाएंगे कि स्वतंत्रता के बाद से भारत में प्रजातंत्र और मजबूत, और गहरा होता गया. यह सिलसिला
राममंदिर आंदोलन शुरू होने तक चला. यह आंदोलन स्वाधीनता संग्राम से उपजे  ‘भारत के विचार’ के खिलाफ था. बाबरी मस्जिद में योजनाबद्ध तरीके से रामलला की मूर्तियां रख दी गईं और फैजाबाद के तत्कालीन कलेक्टर के. के. नैयर ने उन्हें हटवाने से इंकार कर दिया. इससे ही उस मुद्दे की नींव पड़ी जो आगे चलकर भारतीय संविधान के मूल्यों के लिए एक बड़ा खतरा बनने वाला था.

छह दिसंबर 1992 को षड़यंत्रपूर्वक बाबरी मस्जिद को ढहा दिया गया और इससे उस भव्य मंदिर के निर्माण की राह प्रशस्त हुई जिसका इस महीने उद्घाटन होना है. जो राजनैतिक दल इस समय भारत की केन्द्र सरकार पर काबिज है वह न केवल भावनात्मक मुद्दों को अपनी राजनीति के केन्द्र में रखता आया है वरन् उसने भारत में प्रजातंत्र को सीमित और कमजोर भी किया है. लालकृष्ण आडवाणी, जिन्होंने राममंदिर आंदोलन में महत्वपूर्ण भूमिका निभाई थी, वे भी यह कहने पर मजबूर हो गए कि भारत में वर्तमान में अघोषित आपातकाल लागू है. कुल मिलाकर भावनात्मक मुद्दों की रेलमपेल में प्रजातांत्रिक महत्वाकांक्षाओं और बेहतर जीवन स्तर हासिल करने की तमन्नाओं का गला घोंट दिया है. सरकार इन मुद्दों पर ध्यान देने को तैयार नहीं है और बढ़ती कीमतों और जीवनयापन में कठिनाईयों के चलते आम लोगों का जीना दूभर हो गया है.

एक अच्छे कल के सपने हवा हो गए हैं. भगतसिंह, सुभाषचन्द्र बोस, महात्मा गांधी और भारत की आजादी के लिए अपना जीवन बलिदान करने वाले असंख्य नेताओं ने जिस भारत के निर्माण का स्वप्न देखा था, वह भारत कहीं नज़र नहीं आ रहा है.

इसके साथ ही यह भी सच है कि पिछले कुछ सालों में हमने भारतीय प्रजातंत्र की ताकत के कुछ उदाहरण भी देखे. कृषि क्षेत्र में दमनकारी कानून लागू करने के खिलाफ बड़ी संख्या में किसान दिल्ली पहुंचे. महीनों तक चले उनके संघर्ष में 600 किसानों को अपनी जान गंवानी पड़ी. उन्होंने यह साबित किया कि प्रजातांत्रिक आंदोलनों से सरकार को झुकाया जा सकता है. सरकार को कृषि कानून वापस लेने पड़े. उसके बाद सरकार ने एक और कपटपूर्ण चाल चली. मुसलमानों को मताधिकार से वंचित करने के लिए नागरिकता संशोधन कानून (सीएए) बनाया गया एवं राष्ट्रीय नागरिकता पंजी (एनआरसी) पर काम शुरू किया गया. इसकी प्रतिक्रियास्वरूप शाहीनबाग आंदोलन शुरू हुआ जिसने एक बार फिर यह साबित किया कि प्रजातांत्रिक आंदोलनों के जरिए देश का भविष्य गढ़ा जा सकता है.

लगभग एक साल पहले निकाली गई भारत जोड़ो यात्रा ने भी देश के लोगों के दुखों और परेशानियों को सामने लाने का काम किया. इस यात्रा से यह संदेश भी गया कि विभिन्न धर्मों को मानने वाले और विभिन्न जातियों में बंटे भारतीय मूलतः एक हैं. इस यात्रा से वातावरण में घुला अवसाद और निराशा का भाव कम हुआ, लोगों में आशा  का संचार हुआ और देश का ध्यान असली मुद्दों पर गया उन मुद्दों पर जिनका संबंध भूख से, सिर पर छत से और रोजगार से था. इस यात्रा पर जिस तरह की जनप्रतिक्रिया देखने को मिली उससे ऐसा लगा मानो लोग इस तरह के किसी आयोजन की बेसब्री से प्रतीक्षा कर रहे थे. ऐसा लगा मानो वे प्रजातांत्रिक ढंग से अपने दुःखों और वंचनाओं को अभिव्यक्त करने के लिए मौके की तलाश में थे. इस यात्रा ने राष्ट्रीय स्तर पर एक नया संवाद शुरू किया और ऐसी उम्मीद बंधी की हम एक समावेशी समाज का निर्माण कर पाएंगे और अपने लोगों की दुनियावी आवश्यकताओं को पूरा कर सकेंगे.

इन सब चीजों से फर्क तो पड़ा परंतु साम्प्रदायिक ताकतों की मशीनरी इतनी कार्यकुशल, इतनी विशाल और इतनी शक्तिशाली है कि उसने जल्द ही एक बार फिर ऐसे मुद्दों को राष्ट्रीय विमर्श के केन्द्र में ला दिया जो देश को बांटने वाले थे और जिनका लोगों की मूलभूत आवश्यकताओं से कोई लेनादेना नहीं था. राममंदिर के उद्घाटन को बहुत बड़ी घटना बताया जा रहा है. संघ के सभी अनुषांगिक संगठन इस आयोजन के लिए लोगों को गोलबंद करने में दिन-रात जुटे हुए हैं. लोगों को अक्षत बांटकर अयोध्या आने के लिए आमंत्रित किया जा रहा है. अयोध्या जाने के लिए विशेष ट्रेनें और बसें चलाई जानी हैं. देश का पूरा ध्यान राम मंदिर के उद्घाटन पर केद्रित हो गया है.

पूरा देश 22 जनवरी का इंतजार कर रहा है, जिस दिन प्रधानमंत्री नरेन्द्र मोदी अयोध्या में भगवान राम की मूर्ति में प्राण फूंकेगें. इस सबके बीच एक दूसरा आयोजन भी चल रहा है. 14 जनवरी को मणिपुर से भारत जोड़ो न्याय यात्रा शुरू हुई है जो 20 मार्च को मुंबई पहुंचेगी. यह यात्रा हाईब्रिड है, अर्थात कुछ दूरी बस से तय की जाएगी और कुछ पैदल. यह यात्रा मणिपुर से शुरू हुई है, जहां पिछले सात महीने से नस्लीय हिंसा जारी है मगर सरकार उस पर कोई ध्यान नहीं दे रही है. मणिपुर में यात्रा की शुरूआत में उसे लोगों की सकारात्मक प्रतिक्रिया हासिल हुई.

इस यात्रा का फोकस न्याय पर है. हम आज अपने चारों ओर अन्याय देख रहे हैं. यात्रा का फोकस बेरोजगारी, किसानों की समस्याओं, बढ़ती गरीबी और आदिवासियों के हकों और महिलाओं की गरिमा पर बढ़ते हमलों पर है. प्रजातांत्रिक ढंग से आम लोगों की समस्याओं को देश के सामने लाने का शायद यह एक बेहतर तरीका है. मीडिया का एक बड़ा हिस्सा केवल और केवल राम मंदिर के उद्घाटन की चर्चा कर रहा है. ऐसे में इस यात्रा के संदेश को चारों ओर फैलाना जरूरी है. राममंदिर भाजपा-आरएसएस का एजेंडा है और यह साम्प्रदायिक और निरंकुश राजनीति को बढ़ावा देगा. भारत जोड़ो न्याय यात्रा के केन्द्र में संवैधानिक नैतिकता से जुड़े मुद्दे हैं. इस यात्रा को किसी एक पार्टी से नहीं जोड़ा जाना चाहिए. यह समाज के विभिन्न तबकों की आवश्यकताओं और अधिकारों की अभिव्यक्ति है. यह उन लोगों का असली चेहरा दिखाने का प्रयास है जो समाज को साम्प्रदायिक आधार पर ध्रुवीकृत कर देना चाहते हैं और जो समावेशी भारत के स्थान पर हिंदू राष्ट्र का निर्माण करना चाहते हैं.

भारत में अतीत से ही यात्राएं समावेशी मूल्यों को संरक्षण और अपने संदेश के व्यापक प्रसार का माध्यम रही हैं. आज, जब वैचारिक प्रचार-प्रसार और राजनैतिक मूल्यों से संबंधित पूरे तंत्र पर एक पश्यगामी राजनैतिक गठबंधन का नियंत्रण है तब न्याय के लिए यात्रा ताजा हवा के एक झोंके जैसी है. ऐसा लगता है कि कोई एक बार फिर भारतीय राष्ट्रवाद की लौ प्रज्जवलित करना चाहता है.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया;लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...903904905906...910920930...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved