Opinion Magazine
Number of visits: 9457508
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાઝાનાં બાળકોની વેદના થિએટરમાં 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|1 December 2023

Gaza Monologues – ગાઝા મોનોલોગ્સ નામનો એક હૃદયસ્પર્શી કાર્યક્રમ અમદાવાદના ‘સ્ક્રૅપયાર્ડ થિએટર’માં ગઈ કાલ બુધવાર 29 નવેમ્બરની રાત્રે યોજાયો હતો. તેમાં અમદાવાદના યુવાઓ અને સંવેદનશીલ કલાકારોએ એ Monologues એટલે કે એકોક્તિઓનું ભાવવાહી પઠન કર્યું.

કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે વર્ષોથી ચાલી રહેલાં પૅલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષનો ભોગ બનેલાં બાળકોનાં વીતકોને તેમાં વાચા મળી હતી.

આ કાર્યક્રમ આમ તો એક આંતરરાષ્ટ્રીય રંગમંચીય ઉપક્રમનો હિસ્સો હતો. આ ઉપક્રમ પૅલેસ્ટાઇનના વેસ્ટર્ન બૅન્કમાં આવેલાં Ramallah શહેરના Ashtar નામની પ્રગતિશીલ નાટ્યમંડળીના Gaza Monologues Project તરીકે કાર્યરત છે.

તે ગાઝાના 2010ના લોહિયાળ બનાવોનાં પગલે ચાલુ થયો હતો. પ્રોજેક્ટ શરૂ કરનાર રંગકર્મીઓએ હિંસાનો ભોગ બનેલાં કિશોર-કિશોરીઓ સાથે કાર્યશાળા યોજી, જેના ભાગ રૂપે આ એકોક્તિઓ લખાઈ.

આ પ્રોજેક્ટ અંગેની બધી માહિતી, એકોક્તિઓનોના આલેખ (scripts) અને વીડિયો https://www.gazamonologues.com/ પર મળે છે.

પૅલેસ્ટાઇનની અરેબિક ભાષામાં એકોક્તિઓ લખનારાં એવાં એકત્રીસ બાળકો છે કે જેમનો જ્ન્મ 1992થી 1997 દરમિયાનનાં વર્ષોમાં થયો હોય. એટલે 2010ના વર્ષમાં તેઓ કિશોર અને યુવા વયની વચ્ચેનાં છે, જે વ્યક્તિના શારિરીક-માનસિક ઘડતરનો મહત્ત્વનો તબક્કો છે.

જીવનમાં સંક્રમણકાળને ઉંબરેથી થયેલી, સંહારની આંતર્બાહ્ય અભિવ્યક્તિ એકોક્તિઓમાં છે. તે લખનારમાંથી કેટલાંક છે : Amnee, Fatima Abu Hashem, Sujod Abu Hussein, Yasmeen અને Rawand Ja’rour, Muhammad El Ormani, Suha Al Mamlouk, Mahmud Abu Saha, Mahmud Najem, Mahmud Afana, Yasmeen Anu Amer, Ahmad Taha…

બૉમ્બ અને રૉકેટની વર્ષાથી મરતાં માણસો તેમ જ જમીનદોસ્ત થતાં મકાનો, ધડાકા અને સાયરનોની, અછત અને ભૂખની પીડાનાં વર્ણનો છે. હૉસ્પિટલ અને પેટ્રોલપંપ, શાળા અને મેદાન, બદલાતાં રહેઠાણો અને આશરા છે, ઘરના લોકો અને દોસ્તારોથી વિખૂટાપણું છે. ખૂબ ડર, દુ:ખ, સતત ચિંતા છે. એકલતા હતાશા, પ્રતીક્ષા, નિરાશા અને નિર્લેપતા છે. ક્યાંક અસ્પષ્ટ, આદર્શવાદી સપનાં અને સારી દુનિયા માટેની આશાઓ છે.

સ્કૅપયાર્ડના પ્રયોગમાં એકોક્તિઓના 13 વાચકોમાંથી દરેકે બે એકોક્તિઓ લાગણીસભર રીતે અને પૂરી ગંભીરતાથી વાંચી. વળી વાચન પરથી એ જણાયું કે દરેક વાચક પાસે સંઘર્ષરત પરિસ્થિતિનું પોતાની રીતનું આકલન છે.

વાચકો હતાં : સ્વાતિ, ભાર્ગવ, પરીક્ષિત, પલક, અનામિકા. ઉપરાંત, આદિલે તેની એકોક્તિનો એકપાત્રી અભિનય કર્યો. પ્રીતિ દાસે વાચિક અભિનય કર્યો, મહાશ્વેતાએ એકોક્તિઓનો પોતે કરેલા સરસ અનુવાદનું પઠન કર્યું.

ચિરાગે ‘હૉસ્પિટલ’ નામની બળુકા લય અને વ્યંજનાવાળી સ્વરચિત કવિતા રજૂ કરી. મેઘશ્રીએ વિષયોચિત ગીતો ગાયાં – ઝવેરચંદ મેઘાણીનું ‘તારા નામમાં ઓ સ્વતંત્રતા …’ અને મહારાષ્ટ્રના ચિંતક-સમાજસુધારક સાને ગુરુજીનું (નીલાબહેન જોશીએ મરાઠીમાંથી અનુવાદિત કરેલું) ‘ખરો તો એક જ છે ધર્મ જગતને પ્રેમ અર્પણનો …’

કાર્યક્રમનો શિરમોર હિસ્સો એ નેહાએ સૂઝ, મહેનત અને લાગણી સાથે કરેલું સંચાલન હતું. દરેક પઠન પહેલાં એ એકોક્તિની એકાદ વાક્યમાં વાત કરતી હતી. ઉપરાંત, કુલ 31 એકોક્તિઓમાંથી પાઠકોએ પસંદ ન કરી હોય તેવી એકોક્તિના હિસ્સા એ ભાવપૂર્વક વાંચતી હતી, તેની અંદરની અભિનેત્રી સક્રિય બની ગઈ હતી. તે અનેક વાર લાગણીશીલ બની જતી હતી, પ્રેક્ષકોમાંથી કેટલાંની આંખો પણ ભીંજાતી હતી.

નેહાએ બિલકુલ ઉચિત ભૂમિકા આપતાં કહ્યું : ‘ગાઝા મોનોલોગ્સનો આ વાચન કાર્યક્રમ પૅલેસ્ટાઇનના, ખાસ કરીને ગાઝાના યુદ્ધપીડિત લોકો સાથે એકજૂટ solidarity વ્યક્ત કરવા માટે છે. એ લોકો 2010થી સતત યુદ્ધો વેઠી રહ્યાં છે.

‘અત્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ એ 1948થી શરૂ થયેલાં બનાવોનું ભયંકર વિસ્તરણ છે. આપણે પૅલેસ્ટાઇનના લોકોને એ જણાવવા માગીએ છીએ કે અમે ભારતના એવા લોકો છીએ કે જે વિનાશક વસાહતવાદ સામેની અને લોકશાહી માટેની તમારી લડાઈમાં તમારી સાથે છીએ.

‘અહીં અમદાવાદમાં આપણી સામે માત્ર બે જ છેડા રજૂ કરવામાં આવે છે – કાં તો હમાસ, નહીં તો ઇઝરાયલ. પણ પૅલેસ્ટાઈનમાંના સહૃદયો સુધી પહોંચવાનો કોઈ રસ્તો આપણી પાસે ન હતો, અને ત્યાં તો Ashtar Theatreના ગાઝા મોનોલોગ્સ વિશે જાણવા મળ્યું.

‘આ કાર્યક્રમ દેશ અને દુનિયામાં આજના જ દિવસે એટલા માટે કરવામાં આવે છે કે યુનાઈટેડ નેશન્સે 29 નવેમ્બરને International Day of Solidarity with Palestine People તરીકે જાહેર કર્યો છે.

‘મોનોલોગ્સને અત્યાર સુધી દુનિયાના 40 દેશોના 80 શહેરોના 2,000 યુવાનોએ 18 ભાષામાં રજૂ કર્યા છે, અને આજે આ આંકડા બદલાઈ જશે. જો કે લખનારના આંકડા પણ બદલાયા છે.

‘વારંવાર થતી લડાઈમાં મોનોલોગ્સના 31 લખનારાંમાંથી 12 લાપતા છે, એક મોતને ભેટ્યો છે, એક લખનારે એના ચાર પરિવારજનો, અને બે જણે તેમનાં ઘર ગુમાવ્યાં છે.’

અમદાવાદમાં થલતેજના ફૂટલાઈટ્સ થિએટર અને મિર્ઝાપુરના કૉન્ફ્લિક્ટોરિયમમાં પણ થયો જે શહેર માટે ખુશીની વાત ગણાય. મુંબઈ તેમ જ દેશ અને દુનિયામાં પણ ગાઝા માટે પણ રંગભૂમિએ આ રીતે એકજૂટ વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.

આજે સ્ક્રૅપયાર્ડના ‘ચલ મેરે રોબો’ નાટકનો પહેલો પ્રયોગ ‘અભિવ્યક્તિ’ સાંસ્કૃતિક મંચના ઉપક્રમે છે. તેની વ્યસ્તતા વચ્ચે પણ સાવન ઝાલરિયા, કબીર અને સાથીદારોએ ટૂંકા ગાળામાં મોનોલોગ્સનું આયોજન કર્યું હતું.

ગાઝાના કિશોર-કિશોરીઓએ 2010માં લખેલા આ મોનોલોગ્સ જાણે ગયા દોઢ મહિનામાં રોજેરોજ લખાઈ રહ્યા હોય એવું લાગે છે.

સાતમી ઑક્ટોબરથી નવેસરથી શરૂ થયેલી ઇઝરાયલ-હમાસ લડાઈમાં 23 નવેમ્બર સુધીના આંકડા મુજબ 14,300 માણસો મૃત્યુ પામ્યાં છે જેમાં 6,000 થી વધુ બાળકો છે.

આ આંકડો હમાસના સંચાલન હેઠળના ગાઝા સ્વાસ્થ મંત્રાલયનો છે. બાળમૃત્યુની આ સંખ્યા ઇઝરાયલ-હમાસ યુદ્ધને બાળકો માટેનું આ સદીનું સહુથી જીવલેણ યુદ્ધ બનાવે છે.

સ્ક્રૅપયાર્ડ, ફૂટલાઇટ્સ અને કૉન્ફ્લિક્ટોરિયમ ત્રણેય જગ્યાએ ગાઝા મોનોલોગ્સ રજૂ કરનાર સહુને ધન્યવાદ.

▪ Pictures courtesy : Kabir, Neha, Bhargav and others
▪ કોલાજ માટે આભાર : નીતિન કાપૂરે
30 નવેમ્બર 2023
[725 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

आतंकवाद की जडें: धर्म में या राजनीति में?

राम पुनियानी|Opinion - Opinion|1 December 2023

राम पुनियानी

आज से पंद्रह साल पहले, 26 नवम्बर 2008 को मुंबई पर एक भयावह आतंकी हमला हुआ था. हथियारों से लैस दस आतंकी समुद्र के रास्ते मुंबई पहुंचे और उन्होंने बेरहमी से मुंबई के 237 निर्दोष नागरिकों का क़त्ल कर दिया. इस हमले में महाराष्ट्र के आतंकवाद निरोधक दस्ते के मुखिया हेमंत करकरे सहित तीन पुलिस अधिकारी मारे गए. आज जब हम इस हमले, जिसे 26/11 का नाम दिया दिया है, को याद कर रहे हैं, उसी समय हमास के आतंकी हमले और इजराइल के गैर-जिम्मेदाराना जवाबी हमले की चर्चा भी चल रही है. पंद्रह साल पहले मुंबई पर हुए हमले के पीछे पाकिस्तान में अड्डा जमाये लश्कर-ए-तैय्यबा का हाथ था.

उसके बाद से पश्चिम एशिया में तालिबान, आईएसआईएस और आईएस ने कई आतंकी हमले किये. भारत में कश्मीर में भी आतंकी घटनाएं हुईं, जिनकी जड़ में जटिल राजनैतिक कारण हैं.

इनमें से अधिकांश संगठन इस्लामिक पहचान से जुड़े हुए हैं मगर इनके हिंसा का रास्ता अपनाने के पीछे के कारण अलग-अलग हैं. हमास के जन्म के पीछे इजराइल द्वारा फिलिस्तीनियों के साथ किये गए अन्याय हैं. इजराइल ने संयुक्त राष्ट्र संघ के अनेक प्रस्तावों का खुल्लम-खुल्ला उल्लंघन किया. कश्मीर के घटनाक्रम के पीछे भी राजनैतिक कारण हैं, हालाँकि उनकी प्रकृति एकदम अलग है. अल-कायदा और आईएस, अमरीका द्वारा पाकिस्तान में स्थापित किये गए प्रशिक्षण केन्द्रों की उपज हैं. इन अलग-अलग कारकों को नज़रअंदाज़ करते हुए मीडिया का एक हिस्सा और कई राजनैतिक विश्लेषक सभी आतंकी घटनाओं और संगठनों को इस्लामिक कट्टरपंथ से जोड़ रहे हैं.

यह ठीक नहीं है. आतंक की जड़ में इस्लाम नहीं है बल्कि इसकी पीछे जटिल राजनैतिक कारक हैं. इनमें से एक है एक वैश्विक महाशक्ति द्वारा कच्चे तेल के भंडारों पर कब्ज़ा ज़माने का प्रयास. साम्राज्यवादी देश और उनके सहयोगी, तेल सम्पदा पर काबिज होना चाहते हैं. अमरीका ने सीआईए, और अभी हाल तक उसका पिट्ठू रहे पाकिस्तान, के ज़रिये कई इस्लामिक कट्टरपंथी समूहों को पाला-पोसा है. अमरीका तेल का भूखा है और इसलिए पश्चिम एशिया में अपना वर्चस्व कायम करना चाहता है. कई टिप्पणीकारों ने सीआईए के दस्तावेजों के हवाले से यह बताया है कि अमरीकी ख़ुफ़िया एजेंसी ने मुजाहीदीन की ट्रेनिंग के लिए धन उपलब्ध करवाया, जिसके नतीजे में पहले अल कायदा और फिर आईएसआईएस अस्तित्व में आये.

महमूद ममदानी की पुस्तक ‘गुड मुस्लिम – बेड मुस्लिम’ के अनुसार अमरीका ने इस परियोजना पर 800 करोड़ डालर खर्च किए और मुजाहिदीनों को 7,000 टन हथियार उपलब्ध करवाए. हिलेरी क्लिंटन ने बिना किसी लाग-लपेट के यह स्वीकार किया था कि अफगानिस्तान पर सोवियत कब्जे का प्रतिरोध करने के लिए अमरीका ने अल कायदा को खड़ा किया. रूसी सेना की अफगानिस्तान से वापिसी के बाद अमरीका ने अफगानिस्तान को उसके हाल पर छोड़ दिया. मीडिया का एक बड़ा हिस्सा जानबूझकर हमें यह नहीं बताता कि अल कायदा और उसकी तरह के अन्य संगठनों के लड़ाकों का प्रशिक्षण अमरीकी धन से पाकिस्तान में स्थापित किए गए मदरसों में हुआ था और ये लड़ाके बाद में पाकिस्तान के लिए ही भस्मासुर बन गए. इन आतंकी संगठनों के सबसे ज्यादा शिकार मुसलमान ही बनें.

कश्मीर की समस्या के पीछे अलग कारण हैं. 1950 और 1960 के दशक में अनुच्छेद 370 के अंतर्गत कश्मीर को दी गई स्वायत्ता को धीरे-धीरे कम करने की कवायद शुरू हो गई. इससे असंतुष्ट युवाओं की एक नई पीढ़ी तैयार हुई जिसने पाकिस्तान की आईएसआई की मदद से घाटी में हिंसा शुरू कर दी. आईएसआई को अमरीका का समर्थन प्राप्त था. सन् 1990 के दशक में अल कायदा और उसके जैसे अन्य संगठनों ने कश्मीर में घुसपैठ कर ली. इसका नतीजा यह हुआ कि जो प्रतिरोध कश्मीरियत (बौद्ध, वेदांतिक और सूफी परंपराओं का संश्लेषण) पर आधारित था उसने साम्प्रदायिक स्वरूप अख्तियार कर लिया और कश्मीरी पंडितों को निशाना बनाया जाने लगा. कश्मीर में आतंकवाद के पीछे राजनैतिक कारण थे मगर हिंसा करने वालों ने धर्म का लबादा ओढ़ रखा था.

हमास का मामला इन सबसे अलग है. यहूदीवादियों ने पहले फिलिस्तीन की भूमि पर बसना शुरू किया और फिर धीरे-धीरे पूरे देश पर कब्जा करते गए. उन्होंने फिलिस्तीनियों के प्रजातांत्रिक प्रतिरोध का गला घोंट दिया. हालात यह हो गए कि फिलिस्तीन की कुल आबादी का 30 प्रतिशत होते हुए भी यहूदी वहां की 55 प्रतिशत भूमि के मालिक बन गए. इसके बाद दो किश्तों में यहूदियों ने फिलिस्तीन की 90 प्रतिशत जमीन पर कब्जा कर लिया.

यहूदीवादियों ने फिलिस्तीन पर बेजा कब्जा किया है. वे कुछ प्राचीन धार्मिक पुस्तकों के आधार पर यह दावा करते हैं कि वे फिलिस्तीन के हैं और फिलिस्तीन उनका है. वे अपने कब्जे की भूमि का विस्तार करते गए और आज गाजा पट्टी एक खुली जेल बन गई है और पश्चिमी किनारे में रहने वाले अरब लोगों को ढ़ेर सारी मुसीबतों का सामना करना पड़ रहा है.

फिलिस्तीनी समूहों, अल कायदा और तालिबान – तीनों को इस्लामिक आतंकवाद का प्रतीक बताया जाता है. यह एकदम आधारहीन है. इस्लामिक आतंकवाद के नाम पर शोर मचाना अमरीकी मीडिया ने 9/11 के बाद शुरू किया था. इसी दुष्प्रचार के बहाने अमरीका ने अफगानिस्तान पर हमला किया और वहां के 60 हजार लोगों की जान ले ली. कच्चे तेल के भंडारों पर कब्जा करने की अपनी लिप्सा के चलते अमरीका ने ईराक पर हमला किया. बहाना यह बनाया गया महासंहारक अस्त्र बनाए जा रहे हैं, जबकि ऐसा कुछ नहीं था. अमरीका ने दावा किया था कि ईराक के नागरिक उसकी सेना का फूलों और चाकलेटों से स्वागत करेंगे. हुआ यह कि स्थानीय लोगों ने अमरीका का जबरदस्त विरोध किया और इसके नतीजे में इस्लामिक स्टेट अस्तित्व में आया.

26/11 2008, भारत और पाकिस्तान के आपसी बैर का नतीजा था. पाकिस्तान में सेना का वर्चस्व था और वह अमरीका के प्रभाव में था. और इसी के चलते उसने लश्कर-ए-तैयबा जैसे आतंकी समूहों को पनाह दी और इनका इस्तेमाल पाकिस्तान और भारत के बीच की खाई को और चौड़ा करने के लिए किया. जब भी पाकिस्तान की नागरिक सरकार भारत के साथ रिश्ते बेहतर करने का प्रयास करती थी, सेना के जनरल परेशान हो जाते थे. वे नहीं चाहते थे कि सरहद पर अमन हो. इसी के चलते परवेज मुशर्रफ ने कारगिल पर हमला किया और इसी कारण 26/11 हुआ.

26/11 के दौरान महाराष्ट्र के आईपीएस अधिकारी हेमंत करकरे की जान गई. वे मालेगांव से लेकर समझौता एक्सप्रेस तक हुए आतंकी हमलों की जांच कर रहे थे और इस सिलसिले में साध्वी प्रज्ञा सिंह ठाकुर, स्वामी असीमानंद और लेफ्टिनेंट कर्नल श्रीकांत पुरोहित को गिरफ्तार किया गया था. साध्वी अब भी जमानत पर हैं और उनका दावा है कि उन्होंने हेमंत करकरे को श्राप दिया था जिसके कारण वे मारे गए.

26/11 की त्रासदी को याद करते समय हमें यह नहीं भूलना चाहिए कि उसमें हेमंत करकरे सहित तीन पुलिस अधिकारी मारे गए थे. यह सोचना कि इस हमले के पीछे कोई धर्म था, बचकाना होगा.

कुल मिलाकर हर आतंकी हमले और हर आतंकी संगठन के लिए इस्लामिक कट्टरवाद को दोषी ठहराना अमरीका और उसके मित्र देशों के जाल में फंसना होगा. इन देशों ने पश्चिम एशिया को बर्बाद कर दिया है. मीडिया को चाहिए कि वह इन हमलों और इन संगठनों की गहराई से पड़ताल करे. आतंकवाद का धर्म से कोई लेना-देना नहीं है. उसके पीछे राजनैतिक कारण हैं. आईरिश रिपब्लिकन आर्मी से लेकर लिट्टे तक के बारे में यह सही है. 

29/11/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/islam-is-not-the-root-of-terrorism-complex-political-factors-are-behind-it-article-by-ram-puniyani

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૦) : અભિનવગુપ્ત 

સુમન શાહ|Opinion - Opinion|1 December 2023

આજે, અભિનવગુપ્ત વિશે —

સુમન શાહ

એમનો સમય છે, દસમા શતકનો અન્ત અને અગિયારમા શતકનો પ્રારમ્ભ. એમના મુખ્ય ગ્રન્થ બે છે, એક છે, ભરતના “નાટ્યશાસ્ત્ર” પરની ટીકા, “અભિનવભારતી”. બીજો ગ્રન્થ છે, આનન્દવર્ધનના “ધ્વન્યાલોક” પરની ટીકા, “લોચન”. આ બે ગ્રન્થોને કારણે અભિનવગુપ્ત રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો વચ્ચે એક બહુમૂલ્ય સેતુ ભાસે છે. રસ અને ધ્વનિની વાતમાં યથાસ્થાને એમના વિચારો પીરસતો રહીશ.

આ પહેલાના લેખમાં મેં કહ્યું કે હું બીજો ઉત્તર આપીશ. એ કે એ રસસૂત્રમાં મુકાયેલી ‘સંયોગાત્’ સંજ્ઞા સૂચવે છે એ સંયોગના કરનાર સર્જકો હોય છે. સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.

પરન્તુ એ પહેલાં, અભિનવગુપ્તના વિચારો જાણીએ :

હું કહી ગયો છું કે રસસૂત્રમાં છે એ વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવ, સ્થાયી ભાવનાં જ અંગોપાંગ છે. સ્થાયી ભાવ ક્રોધનું દૃષ્ટાન્ત આપીને મેં મારી આ વાતનું સમર્થન કરેલું છે.

અભિનવગુપ્ત એમ કહે છે કે આ વિભાવાદિથી ‘વ્યક્ત’ થયેલો ‘સ્થાયી ભાવ’ જ ‘રસ’ છે. એમના આ વિચારના મમ્મટ આદિ અનુયાયીઓ એમ કહે છે કે આમાં ‘વ્યક્ત’ શબ્દ મહત્ત્વનો છે, એનો અર્થ છે, ‘વ્યંજના’. ‘વ્યક્ત’-થી પ્રતિપાદિત થતો અર્થ વ્યંજના વૃત્તિથી અથવા શબ્દની વ્યંજનાશક્તિથી ગ્રહાતો હોય છે, એ અર્થ વાચ્યાર્થ કે અભિધેયાર્થ નથી, એ વ્યંગ્યાર્થ છે અથવા ધ્વન્યાર્થ છે. સૂચવાય છે એમ કે રસ ધ્વનિત થાય છે. 

આ સંદર્ભમાં, ‘વ્યંજના’-નો અર્થ છે, ‘આવરણરહિત ચૈતન્ય’. ‘નિરાવરણ ચિતિ’ પણ કહેવાય છે. કશાક આવરણથી ઢાંકેલા દીપકનું એ આવરણ લઈ લઈએ તો એથી આજુબાજુના વસ્તુપદાર્થો પ્રકાશિત થાય છે તેમ જ દીપક પોતે પણ પ્રકાશિત થાય છે, દેખાય છે, એ રીતે, વિભાવાદિ-સમ રતિ વગેરેને, આત્મા પ્રકાશિત કરે છે અને પોતે પણ પ્રકાશિત થાય છે. કેમ કે વિભાવાદિના સંયોગથી અજ્ઞાનરૂપી આવરણ હઠી ગયાં હોય છે. રતિ વગેરે સ્થાયી ભાવો અન્ત:કરણના ધર્મ છે, એ આત્મા દ્વારા ભાસિત થતા હોય છે તેથી ‘સાક્ષિભાસ્ય’ કહેવાય છે. સ્વપ્નમાં અશ્વની કે ચમકતા કાચમાં રજતની પ્રતીતિની જેમ આત્મા દ્વારા વિભાવાદિનો સાક્ષિભાસ્ય થઈ જાય છે.

આમ, અનુયાયીઓનો આખો મુદ્દો આધ્યાત્મિકતાનો રંગ પકડે છે : સ્થાયી ભાવો અન્ત:કરણના ધર્મ; વ્યંજના આવરણરહિત ચિતિ; આવરણ અજ્ઞાનનું; અને આવરણરહિત ચૈતન્યયુક્ત સ્થાયી તે રસ. આ સંદર્ભમાં, મારું મન્તવ્ય એ છે કે, ‘સંયોગ’ પરથી આપણું ધ્યાન ખસી જાય છે. 

અભિનવગુપ્તે રસસૂત્રની ચર્ચા વિસ્તારથી કરી છે. પોતાનો મત રજૂ કરતાં એમણે સૂત્રના અન્ય ટીકાકારો ભટ્ટ લોલ્લટ, ભટ્ટ શંકુક અને ભટ્ટ નાયકના મતની સમીક્ષા કરી છે. લોલ્લટનો મત ‘ઉત્પત્તિવાદ’ કહેવાય છે કેમ કે રસનિષ્પત્તિને તેઓ રસઉત્પત્તિ ગણે છે. શંકુકનો મત ‘અનુમિતિવાદ’ કહેવાય છે કેમ કે રસનિષ્પત્તિને તેઓ રસઅનુમિતિ ગણે છે. ભટ્ટ નાયકનો મત ‘ભુક્તિવાદ’ કહેવાય છે કેમ કે તેઓ રસનિષ્પત્તિને રસભુક્તિ કહે છે. પરન્તુ અભિનવગુપ્તનો મત ‘અભિ વ્યંજનાવાદ’ કહેવાય છે કેમ કે તેઓ રસનિષ્પત્તિને અભિ વ્યંજના કહે છે. 

આમ, ચર્ચા રસસૂત્રમાં છેલ્લે જે સંજ્ઞા ‘રસનિષ્પત્તિ’ છે, એ દિશામાં વળી ગઈ છે. 

અભિનવગુપ્તના એ અનુયાયીઓએ અભિનવગુપ્તના ‘વ્યંજના વૃત્તિ’ વિભાવને ધ્યાનમાં લેવો જોઈતો હતો, જેમાં એમણે ધ્વનન વ્યાપારને જ મહિમાવન્ત લેખ્યો છે. કેમ કે એમનું સમગ્ર રસદર્શન આનન્દવર્ધનના ધ્વનિવચારથી સમુચિત રૂપે રંજિત છે.  

“લોચન” ગ્રન્થમાં ‘વ્યંજના વૃત્તિ’-ની એમણે કરેલી ચર્ચાનો સાર આ પ્રમાણે છે : તેઓ અભિધા, (તાત્પર્ય), લક્ષણા અને વ્યંજના એમ ત્રણેય શબ્દશક્તિઓને તેમ જ એ ત્રણેયના વ્યાપારો વિશે કહે છે, એ ખૂબ ધ્યાનાર્હ છે. રોચક વાત એ છે કે દરેક વ્યાપારને તેઓ સંવેદનાનો વિષય ગણે છે – ત્રયો હ્યત્ર વ્યાપારા સંવેદ્યતે. 

Pic Courtesy : Living in Wellbeing

અભિધા-વ્યાપારથી પદોના સામાન્ય અર્થો મળે છે. કેમ કે અભિધાશક્તિ સંકેતને દૃષ્ટિગત રાખીને અર્થની પ્રતીતિ કરાવે છે. હું દાખલો આપું : મારે એક વસ્તુનો સંકેત કરવો છે ને એ માટે હું ‘પતંગ’ પદ (શબ્દ) પ્રયોજું છું. દેખાય છે એ પતંગ છે, એથી વિશેષ કશું સંકેતિત નથી થતું. મારે એક બીજી વસ્તુનો સંકેત કરવો છે ને એ માટે હું ‘છોકરો’ પદ પ્રયોજું છું. દેખાય છે એ છોકરો છે, એથી વિશેષ કશું સંકેતિત નથી થતું. આ શક્તિથી આપણને અભિધેયાર્થ અથવા શબ્દાર્થ અથવા મુખ્યાર્થનું પ્રત્યાયન અથવા અવગમન થાય છે. 

પણ ‘છોકરો પતંગને જોઈ રહ્યો છે’, એમ હું એ બન્ને પદોને જોડીને, અન્વિત કરીને, એ વાક્યમાં પ્રયોજું છું ત્યારે પોતાના સામાન્ય અર્થ આપવા ઉપરાન્ત એ પદો વિશિષ્ટ અર્થ આપે છે. પેલા હતા, અભિધેયાર્થ અથવા શબ્દાર્થ અથવા મુખ્યાર્થ, આ વાક્યાર્થ છે. આ શબ્દશક્તિને અભિનવગુપ્ત તાત્પર્ય શક્તિ કહે છે. આ શક્તિથી આપણને તાત્પર્યાર્થનું પ્રત્યાયન અથવા અવગમન થાય છે. 

આ પછી અભિનવગુપ્ત લક્ષણાવ્યાપાર અને વ્યંજનાવ્યાપાર અથવા ધ્વનનવ્યાપારની વાત કરે છે. અભિધાથી મળતા વાચ્યાર્થનો બાધ, લક્ષણાપ્રયોજન, વગેરે જાણીતી વિભાવનાઓના વિવરણમાં ઊતરવું અત્રે જરૂરી નથી. 

પણ નૉંધપાત્ર વાત એ છે કે અભિનવગુપ્તે એ તમામ વ્યાપારોની તર્કપૂત સમીક્ષા કરીને એમ દર્શાવ્યું છે કે અભિધા, તાત્પર્ય અને લક્ષણા ઉપરાન્તનો એક વ્યાપાર, ધ્વનનવ્યાપાર છે. 

અભિનવગુપ્ત કહે છે, આ ત્રણ શક્તિઓને મૂળ આધાર માનવા છતાં કશાક અન્ય અર્થનો પ્રતિભાસ થાય છે જેના પરિશીલનથી સહૃદયોની પ્રતિભા પવિત્ર થઇ જાય છે. એ અર્થ માટે સહાયક નીવડનારી શક્તિ વ્યંજના અથવા ધ્વનિશક્તિ છે જેના પ્રતાપે પ્રગટે છે ધ્વનનવ્યાપાર. અને એ વ્યાપાર ત્રણેય વ્યાપારોને દબાવી દઈને પ્રધાન થઇને કાવ્યનો આત્મા બની રહે છે. એમના શબ્દો છે – સ ચ પ્રાગ્વૃત્તમ્ વ્યાપારત્રયમ્ ન્યક્કુર્વન્ પ્રધાનભૂત: કાવ્યાત્મેતિ. 

મેં પૂછેલું કે રસસૂત્રમાં મુકાયેલી ‘સંયોગાત્’ સંજ્ઞા સૂચવે છે એ સંયોગના કરનાર કોણ હોય છે. એનો શાસ્ત્રોક્ત ઉત્તર તો મળી ગયો કે એ સંયોગથી સ્થાયી પોતે જ રસરૂપે અનુભવાય છે. પણ એ સવાલ ઊભો રહે છે કે સંયોગનો સંયોજક કોણ. મારો ઉત્તર છે, સર્જક. સર્જકોની સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે. અભિનવગુપ્તના ઉપર્યુક્ત વિચારોમાં જે શબ્દશક્તિઓનો નિર્દેશ છે એનો વ્યાયામ અને યોગપ્રયોગ કરનારા તો સર્જકો છે !  

એક સર્જક તરીકે મારું મન્તવ્ય બંધાયું છે કે સર્જકશબ્દ બધી જ શક્તિઓથી ચાર્જ્ડ હોય છે. એ સત્ય વિશે હવે પછી …

(11/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...745746747748...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved