Opinion Magazine
Number of visits: 9457398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૨) : ‘સંયોગાત્’ 

સુમન શાહ|Opinion - Opinion|23 December 2023

સુમન શાહ

‘સંયોગ’-ને વિશેનો બીજો મહત્ત્વનો ફલિતાર્થ એ છે કે ‘સંયોગ’ કદી એના સિદ્ધ રૂપમાં હોતો નથી. સર્જકે કૃતિના પાઠ રૂપે લખેલો ‘સંયોગ’ પણ પૂરો સિદ્ધ એટલા માટે નથી કે તેનો ભોક્તા પેલો ભાવક હજી પધાર્યો નથી હોતો. દેખીતું છે કે ‘સંયોગ’ ભાવક વડે ઉદ્ભાવિત થાય ત્યારે જ પૂર્ણ રૂપેણ સિદ્ધ થયો ગણાય. 

જે કાળે કવિ વડે મુખેથી બોલાઇને કાવ્યપઠન થતું હશે તે કાળે તત્ક્ષણે ભાવકની શક્તિમતિ અનુસાર ‘સંયોગ’ સિદ્ધ થતો હશે એમ માનવું સદોષ નથી. પણ ‘સંયોગ’-ની અનિવાર્યતા ભાવક છે, એ સત્ય છે. આપણા જમાનામાં કૃતિ ‘ડેડ પ્રિન્ટ’ રૂપે મળે છે, ત્યારે તો એ સત્ય સવાયું સત્ય પુરવાર થાય છે.

ટૂંકમાં, મારું મન્તવ્ય છે કે ભરતવ્યાખ્યાયિત ‘સંયોગાત્’-માં સમગ્ર સાહિત્યતન્ત્ર – ટોટલ લિટરરી સિસ્ટમ – આવી જાય છે : એક તરફથી, એ કવિકર્મ છે તો બીજી તરફથી, ભાવકકર્મ છે. પહેલી વાર જોતાં લાગે કે ‘સંયોગ’ વડે સાહિત્યકૃતિ રચાઈ, પરન્તુ બીજી વાર જોતાં લાગે કે એ જ ‘સંયોગ’ વડે ભાવક માટે રસાનુભવ સંભવ્યો.  

‘સંયોગાત્’-ની આ સમાન્તરે પ્રભવતી ગુણધર્મિતા – પૅરેલલ ફન્કશન – તરફ આપણા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું.

એક બીજો પ્રશ્ન પણ વિચારણીય છે : ‘સંયોગાત્’-નું અસ્તિત્વ કેવાક રૂપમાં છે? એટલે કે, એનું ‘ઑન્ટોલૉજિકલ સ્ટેટસ’ શું છે? 

સંયોગ રાસાયણિક – કૅમિકલ – પ્રકારના હોય છે, જેમાં સંયોજ્ય ઘટકો પોતાના ગુણધર્મો ગુમાવે છે અને કોઈ નવ્ય રૂપમાં જુદી જ ગુણધર્મિતા માટે હમ્મેશને માટે બદલાઈ જાય છે. કામચલાઉ દાખલો, દૂધ અને મેળવણથી બનતું દહીં. 

બીજું, સંયોગ યાન્ત્રિક – મિકેનિકલ – પ્રકારના હોય છે, જેમાં સંયોજ્ય ઘટકો પોતાના ગુણધર્મો ગુમાવ્યા વિના, સ્વ રૂપે ટકીને, બદલાયા વિના, જુદી જ ગુણધર્મિતા ધારણ કરે છે. કામચલાઉ દાખલો, બારસાખ અને બારણાં. બન્ને બદલાયા વિના બંધ-ઉઘાડપરક ધર્મ બજાવે છે.

જાણવું જરૂરી એ છે કે સાહિત્યકૃતિમાં વિભાવાદિનો આવો રાસાયણિક સંયોગ હોય છે કે યાન્ત્રિક? હું ઉત્તર આપવાની કોશિશ કરું : 

ભાષા બોલાય છે, સાંભળીને ગ્રહાય છે, એનો અર્થ એ કે ભાષા સામયિક છે – ટૅમ્પોરલ. પણ ભાષા લખાય છે, વાંચીને ગ્રહાય છે, એનો અર્થ એ કે ભાષા અવકાશપરક અથવા સ્થળપરક પણ છે – સ્પાસિયલ. 

એટલે ભાષાના દ્રવ્યથી રચાયેલો વિભાવાદિનો સંયોગ પણ સામયિક તેમ જ સ્થળપરક, બન્ને છે. 

રંગમંચ, સન્નિવેશ, અને તે પર અભિનય કરતો નટચમૂ એમ દર્શાવે છે કે સંયોગ સ્થળપરક છે.  

વિભાવાદિ સામયિક છે કેમ કે પોતાના મૂળ ગુણધર્મો ગુમાવતા નથી પણ રસપ્રક્રિયા ખાતર તેને જતા કરે છે. 

એટલે જ દુષ્યન્ત-શકુન્તલા હૂબહૂ દેખાય છે પણ પળ-બેપળ પછી તેઓ કાન્ત-કાન્તા અનુભવાય છે. એટલું જ નહીં, કાન્ત-કાન્તા વચ્ચે પ્રણયની ચાટૂક્તિઓ જે સ્થળે જે સમયે થઈ તેનું તેમ જ ચાટૂક્તિઓની ભાષાનું પણ તિરોધાન થઇ જાય છે. 

જે કંઇ વિશિષ્ટ લેખન કે નાટ્ય હતું – પર્ટિક્યુલર, એ સર્વસાધારણ – જનરલ કે યુનિવર્સલ રૂપ પામે છે, જેને માટે આપણે કહેતા હોઈએ છીએ કે કલાનો આવિષ્કાર થયો. 

કલાનો આવિષ્કાર દૃશ્ય નથી હોતો, પણ કલા હમેશાં વ્યંજિત થતી હોય છે. કલાના એવા વ્યંજક આવિષ્કારની સત્તાએ કરીને સ્તો જર્મન કવિ ગ્યુઇથે “શાકુન્તલ”-ને માથે મૂકીને નાચી શકેલા. દર્શન કે વાચન પછી કોઈપણ અધિકારી આમ નાચી ઊઠતો હોય છે; એની ગ્યુઇથેની બની એવી વારતા નથી બનતી, એટલું જ ! 

જુઓ ને, આધુનિક નાટકોમાં તો વિભાવાદિને વિશેનું દૃષ્ટિબિન્દુ જ બદલાઈ ગયેલું. રતિ સ્થાયીભાવનાં આલમ્બન દુષ્યન્ત-શકુન્તલા હૂબહૂ હોવાં જ જોઈએ એ વાત પર ચૅંકડી મુકાઈ ગયેલી. તેઓ સારા અનુભાવક હોય, વ્યભિચારી ભાવો વ્યક્ત કરી શકે, એટલે કે એવા સમર્થ અભિનયકાર હોય, તો બસ છે. ઉદ્દીપન વિભાવની જરૂરત પર પણ ચૅંકડી મુકાઈ ગયેલી. કાલિદાસે વર્ણવ્યા મુજબનો લતામણ્ડપ ઊભો કરવો અનિવાર્ય નથી. 

તાત્પર્ય એ કે કૃતિ યુનિવર્સાલિટી હાંસલ કરે ને કલા રૂપે અનુભવની વસ્તુ રૂપે સંસારમાં પ્રસરે એ જ કલાસર્જનનું ધ્યેય હોય છે. 

મારા આ ઉત્તરના અંકે કરવાજોગ સાર બે છે : ૧ : ‘સંયોગાત્’ રસનિષ્પત્તિપ્રક્રિયા તો છે જ પણ કલાનુભવની જનક એ એક પૂર્વપ્રક્રિયા પણ છે : ૨ : રસ માત્ર અનુભાવ્ય છે અને હમેશાં વ્યંજિત અથવા ધ્વનિત થાય છે. 

એને તેથી, આનન્દવર્ધનપ્રણીત ધ્વનિસમ્પ્રદાયને રસસમ્પ્રદાયની અનિવાર્ય પૂર્તિ રૂપે જોવાની જરૂરત છે. અભિનવગુપ્ત બન્નેના અધ્યેતા રહ્યા હતા તે કેટલું સૂચક અને પ્રેરણદાયી છે ! 

હું એમ પણ કહેવા માગું છું કે ‘સંયોગ’-ના આ સ્વરૂપ અને કાર્યનો વિચાર રસસૂત્રના એ પ્રાચીન ટીકાકારોને પણ આવેલો છે, અલબત્ત, એમની પોતાની રીતભાતમાં. એક અછડતી નજરે એમની જ રીતેભાતે જોઈ લઈએ :   

અભિનવગુપ્તે લોલ્લટ, શંકુક અને ભટ્ટનાયકનાં મન્તવ્યો રજૂ કરીને વિશદ સમીક્ષા કરી છે. એમાં વીગતે ઊતરવાની અત્રે જરૂરત નથી; માત્ર સાર ગ્રહણ કરીએ : 

લોલ્લટ વિભાવાદિને સ્થાયી સાથે જોડે છે, તેને સ્થાયી ચિત્તવૃત્તિનું કારણ ગણે છે, અને  અનુભાવોને કાર્યરૂપ ગણે છે. પરન્તુ અનુભાવ જો કાર્યરૂપ હોય તો એને રસના કારણોમાં કેવી રીતે ગણાવાય? મારા મતે સ્પષ્ટ એ થાય છે કે લોલ્લટે સ્થૂળ કાર્યકારણ ભાવ કલ્પીને વિભાવાદિના જોડાણને ‘યાન્ત્રિક’ ગણી લીધું છે. 

શંકુકે લોલ્લટના અર્થઘટન સામે વાંધો ઉઠાવતાં કહ્યું છે કે ઉપચિત એટલે કે એકત્ર કરેલા સ્થાયીને રસ ન કહેવાય. કેમ કે એવું કરવા જતાં, ભાવોને અભિધેય, એટલે કે કહેવા યોગ્ય, ગણવા પડે, અને તેને દોષ કહેવાય. કેમ કે, ચોખ્ખું છે કે એમ કરવાથી રસન કે આસ્વાદન થઇ જ ન શકે. હું દાખલો આપું કે ‘આ સાંજ કેવી સુન્દર છે’ એ વાક્યનો અર્થબોધ થાય, પણ એથી કરીને રસાનુભવ થોડો થાય? 

શંકુક ઉમેરે છે કે ઉપચિત સ્થાયીને રસ માનીએ તો પણ કશો ઉપકાર નહીં થાય; અને એમ પણ કહે છે કે ઉપચયમાં પણ મન્દ, મન્દતર, મન્દતમ એમ કોટિઓ હોય છે. જેમ કે, શોક પ્રારમ્ભે તીવ્ર હોય છે, પણ પછી એમાં તનુતા અને મન્દતા આવે છે અને ભાવોનો અપચય થાય છે. ક્રોધ, ઉત્સાહ, અને રતિ સ્થાયીભાવોની અનુક્રમે અમર્ષ, દૃઢતા, અને સેવન વગેરે પોષક સામગ્રીનો જો વિપર્યય કરવામાં આવે તો એ ભાવોનો હ્રાસ થાય છે. શંકુકના આ વિચારો એમ સૂચવે છે કે ‘સંયોગ’-ને તેઓ ‘સામયિક’ અથવા ‘અવકાશપરક’ ગણીને ચાલ્યા છે. પણ વિભાવોને કારણ, અનુભાવને કાર્ય, અને વ્યભિચારીને સહચારી લેખે છે. મતલબ, તેઓ ‘સંયોગ’-ને ‘યાન્ત્રિક’ ગણીને પણ ચાલ્યા છે. 

ભટ્ટનાયકનું મન્તવ્ય છે કે રસ નથી તો પ્રતીત થતો, નથી ઉત્પન્ન થતો, કે નથી એની અભિવ્યક્તિ થતી – રસો ન પ્રતીયતે નોત્પદ્યતે નાભિવ્યજ્યતે. 

ભાવકને રસની પ્રતીતિ બે પ્રકારે જ થઈ શકે છે, પરગત કે સ્વગત. પરગત તે દુષ્યન્ત વગેરે; પાત્રગત અથવા દુષ્યન્તનો અભિનય કરનાર, નટગત. પરગત માની લઈએ, તો એ ભાવ સાથે ભાવકને શી લેવાદેવા? એ બાપડો ઉદાસીન થઈ જશે. એથી જુદું એ કે પ્રતીતિને સ્વગત માની લઈએ, તો કરુણ રસમાં ભાવકને દુ:ખનો જ અનુભવ થશે. ભટ્ટનાયક ઉમેરે છે કે રસપ્રતીતિવિષયક આ દોષ રસઉત્પત્તિ (રસને વિશેનો લોલ્લટનો ઉત્પત્તિવાદ) વિશે પણ એટલા જ સંભવિત છે. પરન્તુ રસ અભિવ્યક્ત થાય છે, એમ પણ ન કહેવાય કેમ કે અભિવ્યક્તિ એની થઈ શકે જેનો પહેલાં અનુભવ થયો હોય. રસપ્રતીતિ અને રસઉત્પત્તિના દોષ રસઅભિવ્યક્તિ વિશે પણ એટલા જ સંભવિત છે.

ભટ્ટનાયક રસાનુભવના ત્રણ તબક્કા કલ્પે છે : અભિધાવ્યાપાર, ભાવકત્વવ્યાપાર અને ભોગીકૃતિ. તેઓ એમ પણ કહે છે કે આ ત્રણ વૃત્તિઓ છે. શબ્દની અભિધાશક્તિથી ભાવકને દુષ્યન્ત શકુન્તલા લતામણ્ડપ વગરેનો અર્થબોધ થાય છે. ભાવકત્વવ્યાપારથી રસ ભાવિત થાય છે – કાવ્યનો પ્રસંગ હોય ત્યારે, રચના દોષરહિત અને ગુણાલંકારયુક્ત હોય છે તેથી; અને નાટકનો પ્રસંગ હોય ત્યારે, ચાર પ્રકારના અભિનયથી. આ એક સ્વરૂપનો સાધારણીકરણ-વ્યાપાર છે. એથી ભાવકના મોહ રૂપી અજ્ઞાનનું નિવારણ થઈ જાય છે અને વિભાવાદિનું સાધારણીકરણ થઈ જાય છે. એ રસ ભોગવાય છે, તેથી ભોગીકૃતિ; એ ત્રીજી વૃત્તિ છે. એથી સત્ત્વગુણનો ઉદ્રેક થાય છે. અને સ્વપ્રકાશાનન્દ ચિન્મય સંભવે છે, સ્વસંવેદનાની વિશ્રાન્તિ અનુભવાય છે, અને એનો આસ્વાદ બ્રહ્માનન્દ સમકક્ષ હોય છે. 

અભિનવગુપ્ત કહે છે, પોતે ભટ્ટનાયકના તેમ જ ભટ્ટ લોલ્લટના મતને નથી સ્વીકારી શકતા. શંકુક વિશે કહે છે કે – અમે એ નથી જાણતા કે પ્રતીતિ ઇત્યાદિથી ભિન્ન ભોગ તે વળી શું. વિષયની પ્રતીતિને જ ભોગ કહેવાય. એમના મતે રસની પ્રતીતિ જ નથી થતી, તો એનો ભોગ તો થાય જ શી રીતે? અને જો કહો કે રસન અથવા આસ્વાદન થાય છે, તો એ પણ પ્રતીતિ જ છે ને ! અભિનવગુપ્તે આ વિષયને વિસ્તારથી ચર્ચ્યો છે. પણ પૂછે છે આટલું કે – તો રસનું પરિશુદ્ધ તત્ત્વ કયું? કહે છે, મુનિએ દર્શાવ્યું છે એથી કોઈ નવી વાત નથી કરવી – કાવ્યાર્થોને ભાવિત કરવા છે. કાવ્યાર્થ જ રસ છે – કાવ્યાર્થાન્ ભાવયન્તિ ઇતિ I તત્કાવ્યાર્થોરસ: I 

[મારો એક બીજો લેખ, “મુનિ ભરતના ‘રસસૂત્ર’-ના અધ્યયન-અધ્યાપનકારો જોગ”, મારા “સિદ્ધાન્તે કિમ્” (૨૦૦૯) પુસ્તકમાં છે, જોવા વિનન્તી.] 

= = =

(12/22/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ત્રણ રચના

Tran Rachana, દેવિકા ધ્રુવ|Poetry|23 December 2023

૧. 

દોસ્ત

તારી સાથે ચાલી નીકળવાની
ન તો કોઈ ઉતાવળ છે;
ન કોઈ અધીરાઈ.
ગમે ત્યારે આવજે ને?
ટાઢ, તાપ કે વરસાદ,
સાંજ, સવાર કે રાત,
ગમે ત્યારે, ગમે ત્યાં,
તું આવીશ ત્યારે તૈયાર રહીશ.
કશી આનાકાની નહિ કરું.
તું ચોક્કસ આવીશ,
એની તો ખાત્રી છે જ!
વિધાન પાળવામાં,
તારી તોલે કોઈ ન આવે.
કદાચ એટલે જ તો,
તારું માન છે, સ્વીકાર છે.
ફરી કહું છું,
ગમે તેવાં અધૂરાં કામો
પડતાં મૂકીને પણ આવીશ.
અરે, ઘોડે ચડીને આવવાની
તને છૂટ છે, જા !
પણ દોસ્ત,
એક વિનંતિ કરું ?
ભવ્યતાથી આવજે હોં !
મને અને સૌને ગમે
તે રીતે આવજે.
યાદગાર રીતે આવજે.
કોઈ નિશ્ચિત તો નહિ,
પણ થોડી આગાહી આપજે.
જેથી સજધજ થઈ,
તારી રાહ જોવાય.
આરતી ઉતારી, તારું
સન્માન થાય, જન્મની જેમ જ;
દોસ્ત, યમરાજ !

(૨)

વંટોળ

 છંદઃ શિખરિણીઃ સોનેટ

ફરે, ઘૂમે,ઊડે, સતત મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ થઈ ખૂબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.
અને ઘેરે શબ્દે, નીરવ રજનીનાં વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,
ઊંચે નીચે થાતું, સઘળું વલવાતું હૃદયનું.

પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
ભળે એવું ધીમે જલકમલ જેવું સ્થિર કશું
કહું, પૂછું ત્યાં તો પરવશપણે ખેંચતું બધું.
મિટાવી ચિંતાઓ, કરકમલ લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.

કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું,
અહો, કેવી લીલા કવનકણથી એ શમવતું..

 (૩)  

અતિનાજુક

નાજુકમાં નાજુક,

અતિ નાજુક સંવેદના.

ગર્ભાય છે મનના ઉદરમાં!

ત્યાં જ એનો આકાર બંધાય છે.

સતત શ્વસે છે એ.

એના હવા, પાણી ને પ્રકાશ

પીડા, વેદના ને યાતના!

એક જોરદાર ધક્કો

ને પછી પ્રસવે છે,

એક બળૂકી કવિતા.

ઊછરે છે, મોટી થાય છે,

ને પછી ફેંકાય છે પ્રકાશનના બજારમાં!

એના અડ્ડાઓમાં અટવાય છે.

સોનાની એ સંવેદનાઓ

તરાશે છે ને તલાશે છે .. એક ખરા ઝવેરીને.

દિવસ ને રાત .. અહર્નિશ..

ને … ફરીથી એ જ સિલસિલો..

એ જ હવા .. પાણી .. પ્રકાશ…

પીડા, વેદના, યાતના..

ને એ જ કવિતા.

પ્રગટ : ’સાહિત્યિક સંરસન -૩’
e.mail : ddhruva1948@yahoo.com

Loading

बेरोज़गारी और भगतसिंह

राम पुनियानी|Opinion - Opinion|23 December 2023

राम पुनियानी

गत 13 दिसंबर 2023 को दो युवक संसद भवन की सुरक्षा व्यवस्था को चकमा देते हुए दर्शक दीर्घा से सदन के अंदर कूद गए, जहां उन्होंने पीले रंग की एक गैस हवा में छोड़ी. इससे सदन में हंगामा मच गया. पूरी योजना चार युवाओं द्वारा बनाई गई थी जो बेरोजगारी की ओर देश का ध्यान आकर्षित करना चाहते थे. इन युवाओं में से एक आटो रिक्शा चालक और एक किसान था, एक सरकारी नौकरी हासिल करने के लिए परीक्षाओं की तैयारी कर रहा था और एक दैनिक वेतनभोगी कर्मचारी था. इन सभी को कर्नाटक से निर्वाचित सांसद प्रताप सिम्हा द्वारा दर्शक दीर्घा के पास उपलब्ध करवाए गए थे. इनमें से दो, जो भवन के अंदर घुसे थे, ने अपने जूतों में गैस के कैन छुपाए हुए थे. सन् 2001 में इसी दिन (13 दिसंबर) संसद पर आतंकी हमला हुआ था और युवाओं के सदन में कूदने से पहले सांसदों ने उस हमले में शहीद हुए लोगों को श्रद्धांजलि दी थी.

युवाओं के जिस समूह ने इस घटना की योजना बनाई थी, उसमें स्नातकोत्तर डिग्री प्राप्त 42 वर्ष की नीलम आजाद और 22 वर्ष के सागर शिंदे शामिल थे. जिस समय उनके दो साथी सदन के अंदर गैस छोड़ रहे थे उस समय ये लोग संसद भवन के प्रांगण में यही कर रहे थे. नीलम आजाद हरियाणा के जींद से हैं. उनके पास एमए एमएड और एमफिल की डिग्रियां हैं. इसके अतिरिक्त वे नेशनल एलीजिबिलिटी टेस्ट (नेट) भी उत्तीर्ण कर चुकी हैं. वे अब भी बेरोजगार हैं. युवाओं ने अंदर जो नारे लगाए उनमें शामिल थे ‘तानाशाही खत्म करो’, ‘संविधान की रक्षा करो’, ‘जय हिन्द’ और ‘वंदे मातरम’. उनका उद्धेश्य बेरोजगारी के गंभीर संकट की ओर देश का ध्यान खींचना भी था.

ये सभी लोग भगतसिंह फैन्स क्लब नामक एक सोशल मीडिया ग्रुप के सदस्य हैं. वे एक सोशल मीडिया प्लेटफार्म के जरिए एक-दूसरे के संपर्क में आए थे. उनका प्रेरणास्त्रोत था भगतसिंह की ठीक इसी तरह की कार्यवाही. सन् 1929 में भगतसिंह और उनके मित्र बटुकेश्वर दत्त ने सेन्ट्रल असेम्बली की दर्शक दीर्घा से एक बम सदन में फेंका था. उन्होंने बम फेंकने के पहले यह सुनिश्चित किया कि उससे किसी को चोट न पहुंचे. दोनों क्रांतिकारियों ने ब्रिटिश औैपनिवेशिक शासन के विरोध में पर्चे भी सदन में फेंके थे.

इन युवाओं, जिन्हें अवैध गतिविधियां निरोधक अधिनियम (यूएपीए) के अंतर्गत गिरफ्तार किया गया है, ने बढ़ती हुई बेरेजगारी के मुद्दे को राष्ट्रीय विमर्श के केन्द्र में लाने का अत्यंत प्रभावी प्रयास किया है. भगतसिंह और उनके कामरेडों ने बम फेंकने का निर्णय इसलिए लिया था क्योंकि उन्हें अच्छी तरह पता था कि समाचारपत्रों में उनके विचारों को कोई स्थान नहीं मिलेगा. इस समय भी स्थिति ठीक यही है. मुख्यधारा का मीडिया, जिसे ‘गोदी मीडिया’ का अत्यंत उपयुक्त नाम दिया गया है, का आम लोगों के सरोकारों और परेशानियों के प्रति पूर्णतः उपेक्षापूर्ण रवैया है. बढ़ती मंहगाई, हंगर इडेक्स में भारत की गिरती स्थिति और बेरोजगारों की दिन-ब-दिन बड़ी होती फौज मीडिया को न तो नजर आ रही है और ना ही उसे इनसे कोई मतलब है.

मोदी ने 2014 के आम चुनाव के लिए प्रचार के दौरान वायदा किया था कि सत्ता में आने के बाद भाजपा की सरकार हर वर्ष रोजगार के दो करोड़ अवसर निर्मित करेगी. असल में हुआ इसके उलट. नोटबंदी के कारण लघु उद्योगों और गांवों और छोटे शहरों में करोड़ों लोगों ने अपनी नौकरियां और काम-धंधे खो दिए. यह सरकार बड़े कारपोरेट घरानों के पूर्ण नियंत्रण में है और रोजगार के अवसरों के सृजन के बारे में सोच भी नहीं रही है. उल्टे कुछ कुबेरपति (नारायण मूर्ति) लोगों से हफ्ते में 70 घंटे काम करने के लिए कह रहे हैं. असंगठित क्षेत्र में प्रति कार्यदिवस काम के घंटे पहले ही 8 से बढ़कर 12 हो चुके हैं.

‘द इकानामिक टाईम्स’ में प्रकाशित एक खबर कहती है कि “सेंटर फॉर मानिटरिंग इंडियन इकोनामी” के आंकड़ों के अनुसार बेरोजगारी की सकल दर, जो सितंबर में 7.09 प्रतिशत थी, पिछले माह बढ़कर 10.05 प्रतिशत हो गई. यह  मई 2012 के बाद से अब तक की उच्चतम दर है. इसी अवधि में ग्रामीण बेरोजगारी की दर 6.2 प्रतिशत से बढ़कर 10.82 प्रतिशत हो गई. शहरी बेरोजगारी में मामूली गिरावट आई और यह 8.44 प्रतिशत रही. इसी समाचारपत्र ने 1 नवंबर 2023 को प्रकाशित एक खबर में लिखा, “पिछले महीने इंफोसिस लिमिटेड व विप्रो लिमिटेड सहित कई ऐसी भारतीय कंपनियों, जो तकनीकी सेवाओं की आउटसोर्सिंग करती हैं, ने घोषणा की है कि वे नए स्नातकों को काम देने की अपनी योजनाओं को विराम दे रही हैं. इसका मतलब यह है कि कालेजों से निकलने वाले हजारों इंजीनियरिंग डिग्रीधारी बेरोजगार रहेंगे”. इस सबके बीच प्रजातांत्रिक विरोध के लिए स्थान और अवसर सिकुड़ते जा रहे हैं. विश्वविद्यालयों में विद्यार्थी यूनियनों के चुनाव नहीं होने दिए जा रहे हैं और ऐसे सेमिनारों का आयोजन भी बाधित किया जा रहा है जिनमें सरकार की आलोचना की आशंका हो.

संसद में जो हुआ वह स्पष्टतः कुंठित विद्यार्थियों और युवाओं द्वारा अपनी पीड़ा को अभिव्यक्त करने का प्रयास था. इसमें कोई संदेह नहीं कि जो तरीका इन युवाओं ने अपनाया वह सही नहीं था. मगर क्या इन युवाओं के खिलाफ यूएपीए जैसे कड़े और भयावह कानून के अंतर्गत मामला दर्ज करना उचित है? राहुल गांधी ने बढ़ती बेरोजगारी और मंहगाई  को इस घटना के लिए जिम्मेदार बताया है. मगर विपक्ष की मांग के बावजूद गृह मंत्री इस घटना पर संसद में वक्तव्य देने से बचते रहे हैं. जो स्पष्ट दिख रहा है उसे देखने और समझने की बजाए प्रधानमंत्री नरेन्द्र मोदी कह रहे हैं कि यह संसद की सुरक्षा व्यवस्था को भेदने का गंभीर मामला है और इसके पीछे कौनसे तत्व हैं इसका पता लगाया जाना जरूरी है. यह सही है कि इस घटना ने संसद की सुरक्षा व्यवस्था की पोल खोल दी है. चार साधारण युवा ‘अभेद्य सुरक्षा’ को बहुत आसानी से भेदने में सफल रहे हैं. मगर इसे कोई गंभीर  षड़यंत्र बताकर मूल मुद्दे से ध्यान हटाने की बजाए सरकार को बेरोजगारी की समस्या के सुलझाव की दिशा में काम करना चाहिए.

यह साफ है कि ये युवा किसी आतंकी या अतिवादी समूह या संगठन से जु़ड़े हुए नहीं हैं. यह भी अच्छा है कि इनमें से कोई मुसलमान नहीं है. वर्ना इस घटना का इस्तेमाल भी इस्लामोफोबिया को और हवा देने के लिए किया जाता.

इन युवाओं ने यह बता दिया है कि भगतसिंह को केवल शाब्दिक श्रद्धांजलि देने से काम नहीं चलने वाला है. हमें उनके दिखाए रास्ते पर चलना होगा. भगतसिंह जनांदोलनों के हामी थे. अपने जीवन की शुरूआत में वे हिंसा के समर्थक थे परंतु बाद में उन्होंने हिंसा का रास्ता त्याग दिया था. वे इस निष्कर्ष पर पहुंचे थे कि केवल आम लोगों की गोलबंदी के बल पर ही हम आजादी हासिल कर सकते हैं. उन्होंने सेन्ट्रल असेंबली में किसी को मारने के लिए नहीं बल्कि ‘बेहरों को सुनाने के लिए’ बम फेंका था. यह अत्यंत गर्व और प्रसन्नता की बात है कि मुसीबतों के भंवर में फंसे हमारे युवा भगतसिंह को अपने मार्गदर्शक के रूप में देख रहे हैं.

पूरे घटनाक्रम को उसके सही संदर्भ में समझा और देखा जाना चाहिए. गोदी मीडिया की तर्ज पर इसके पीछे कोई खतरनाक षड़यंत्र ढूंढ़ने का प्रयास नहीं होना चाहिए. युवाओं का उद्धेश्य एकदम साफ है और यह भी साफ है कि वे किसी भी किस्म की आतंकी विचारधारा से प्रेरित नहीं हैं और उनके एकमात्र प्रेरक और मार्गदर्शक हमारे स्वाधीनता संग्राम के महानतम क्रांतिकारी भगतसिंह हैं.

यह तो कोई नहीं कह सकता कि अपनी बात रखने के लिए इन युवाओं ने जो तरीका अपनाया वह ठीक था. मगर उन्हें खलनायक के रूप में प्रस्तुत करने या उनके पीछे किसी बड़ी शक्ति को ढूंढ़ने की कोशिश करने की बजाए उनके दर्द, उनके सरोकार और उनके संदेश को समझने की कोशिश होनी चाहिए. यही हमारे देश के प्रजातांत्रिक होने का सुबूत है.

20/12/2023
(अंग्रेजी से रूपांतरण अमरीशहरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/breach-in-the-security-of-parliament-commotion-unemployment-and-history-of-bhagat-singh-article-by-ram-puniyani

Loading

...102030...718719720721...730740750...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved