જપાની કવિ શોતેત્સુ (1318-1459)ના બે કાવ્યનો અનુવાદ પ્રસ્તુત કરું છું.
•
અંધારી રાત્રિમાં વીજળી
મારું હૈયું
સદાની માફક
અંધારું જ છે;
મારા માટે નથી
કોઈ અન્ય માટે છે
આ રાતની વીજળી.
•
વીજ
રાત્રિના અંધકારમાં
કોને કહીશ હું
મારા મનમાં જે છે તે?
અચાનક વાદળમાં હલચલ-
શરદ ઋતુનો વીજઝબકાર.
•
સૌજન્ય નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


ફેસબૂક પર પ્રીતમ લખલાણીની કલમથી વધારે પરિચિત થવાયું. રસવંતી, જોબનવંતી, નિર્ભીક અને બે રેખાની વચ્ચે સ્પષ્ટ થઈ જે કહેવું હોય તેવી સહજ લેખિની. ત્રેવીસ પ્રકરણોમાં એકવીસ વ્યક્તિઓ-સાહિત્યકારોની નિકટતા કેળવીને જે લખાયું તેને સરળ, શબ્દોમાં સહજતાથી એમણે એકસો છપ્પન પાનાંઓનાં ફલક પર વિસ્તાર્યું છે. આમ પણ આજકાલ મારો રસ મૂળ ભારતીય પરંતુ પરદેશ-ખાસ કરીને અમેરિકા સ્થિત લેખકો, મિત્રો, સ્વજનો એમનાં ૪૦-૫૦-૬૦ વર્ષોની અનુભવકથાને કઈ રીતે જુએ છે, મૂલવે છે તેમાં વધ્યો છે. આજ સુધી તો રંગૂન (બર્મા), આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જઈને વસેલાં લોકો માટે મનોમન પ્રભાવિત થવાનો જ સીલસીલો રહેલો. છેલ્લા બે-પાંચ વર્ષથી એનો ‘મોહભંગ’ થયો છે, છતાં હાલમાં જ વાંચેલાં સુચિબહેનનાં ‘આવો આવો’, અનિતા અને રમેશ તન્ના સંપાદિત ‘માતૃભાષા મોરી મોરી