Opinion Magazine
Number of visits: 9456145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું !

રમેશ સવાણી|Opinion - Opinion|5 August 2025

રમેશ સવાણી

લોકશાહી દેશોમાં બેવકૂફ અને અસંસ્કારી આદમીને સર્વોચ્ચ સ્થાને બેસાડો તો દેશની શું હાલત થાય, એનો અનુભવ આજકાલ જગતના લોકશાહી દેશોને થઈ રહ્યો છે અને એમાં અમેરિકા અગ્ર સ્થાને છે. જગતના સર્વોચ્ચ શક્તિશાળી દેશને સર્વોચ્ચ બેવકૂફ શાસક મળ્યો છે. યથા પ્રજા તથા રાજા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 31 જુલાઈ  2025ના રોજ જાહેરાત કરી કે પહેલી ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. શા માટે? તો કહે, “ભારત અમેરિકન માલની આયાત પર એટલી બધી કસ્ટમ ડ્યુટી લગાડે છે કે અમેરિકનો ભારતમાં નિકાસ કરી શકતા નથી. ભારત-અમેરિકા વેપાર એકપક્ષીય છે જેમાં અમેરિકાને નુકસાન થાય છે. જો ભારત હેવી ટેરિફ લાદીને અમેરિકન આયાતને રોકતું હોય તો અમેરિકા શા માટે ન કરે?”

અમેરિકાને આવો અધિકાર નથી. વિશ્વ વાણિજ્ય સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)ની બહુરાષ્ટ્રીય સમજૂતી મુજબ કોઈ દેશ બારોબાર ટેરિફ કે વાણિજ્યની અન્ય શરતો બદલી શકે નહીં. 1991થી ‘95નાં વર્ષોમાં અમેરિકા વિશ્વ વાણિજ્ય સમજૂતી પર બધા દેશો સહી કરે એ માટે આતુર હતું અને વિકાસશીલ દેશો પર દબાણ કરતું હતું. સોવિયેત રશિયાનું પતન થયું હતું, જગતભરમાં સામ્યવાદનો લગભગ અસ્ત થયો હતો, ચીન હજુ પહોંચી વળી શકાય એવી અવસ્થામાં હતું અને શીતયુદ્ધનો અંત આવ્યો હતો. અમેરિકાને અને જગતના સમૃદ્ધ મૂડીવાદી દેશોને એમ લાગતું હતું કે સમાજવાદી અંકુશો રહિત મુક્ત વ્યાપારના યુગમાં ગરીબ અને વિકાસશીલ દેશોના માર્કેટ પર અને તેનાં સંસાધનો પર કબજો કરવાનો અવસર આવ્યો છે અને વિશ્વ વ્યાપાર સમજૂતી તે માટેનું માધ્યમ હતું. 

ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે આ સમજૂતી સમજૂતી કરાવનારાઓને જ મોંઘી પડી શકે છે. એમાં અમેરિકા તો ક્લીન ડેવલપમેન્ટમાં માનનારો દેશ એટલે પોતાની ભૂમિ અને પર્યાવરણ બગાડે એવા ઉદ્યોગોમાં તેને રસ નહોતો. ડોલરનો સોના સાથેના આર્થિક સંતુલનનો સંબંધ તોડી નાખ્યો હતો એટલે જરૂર પડ્યે ડોલર છાપી લેવાના અને વર્ચસ જાળવી રાખવાનું. ઘણા લોકોને એવો ભ્રમ હોય છે કે સમય હંમેશાં સાથ આપવાનો છે અને એમાં તેઓ તુમાખી પર ઉતરી આવે છે. અમેરિકન તુમાખી વિશ્વપ્રસિદ્ધ છે. ડાહ્યા માણસોને જ્યારે વરવી વાસ્તવિકતા સમજાય ત્યારે તેઓ તુમાખી અને દાદાગીરી છોડીને હવામાં ઉડવાની જગ્યાએ જમીન પર ચાલવાનું શરૂ કરે છે. અમેરિકાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું બરાક ઓબામાં. સામ્યવાદી રશિયાને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું મિખાઈલ ગોર્બાચેવ. સામ્યવાદી ચીનને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું દેંગ ઝિયાઓપીંગ. ભારતને આવો એક માણસ મળ્યો હતો જેનું નામ હતું પી.વી. નરસિંહરાવ. આવા માણસો સમય વરતીને દિશાપરિવર્તન કરવાનું કામ કરતા હોય છે. આમાં નવી દિશાને પડકી રાખવામાં અને હજુ વધુ આગળ જવામાં એક માત્ર ચીન સફળ નીવડ્યું, બાકીના દેશો એ ન કરી શક્યા કારણ કે અનુવર્તી શાસકોમાં કેટલાકની સમજ ઓછી હતી, કેટલાક સડેલી વ્યવસ્થાના શિકાર હતા (જેમ કે ડૉ મનમોહન સિંહ), કેટલાક માટે રાષ્ટ્રીય કરતાં પક્ષીય એજન્ડા સર્વોપરી હતા, કેટલાકને ઇતિહાસના હિસાબ-કિતાબમાં રસ હતો અને છે અને કેટલાક સ્વકેન્દ્રીય બેવકૂફ હતા કે છે. ચીનનો આજે જગતમાં દબદબો છે એનું કારણ એણે 1979થી કૃતસંકલ્પ સાથે પકડી રાખેલી દિશા છે. ભારત તક ગુમાવી દીધેલો કમનસીબ દેશ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું વર્તન આનું પ્રમાણ છે. ચીનને છેડ્યા પછી ચીને એવો કચકચાવીને તમાચો માર્યો કે હવે ટ્રમ્પ સીધી ચીનના નેતા સાથે વાતચીત કરી રહ્યા છે અને ભારતને અને ભારતના મહાન પ્રતાપી વડા પ્રધાનને સતાવી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ બારોબાર વૈશ્વિક સંધિ તોડી શકે નહીં, પણ આ તો ટ્રમ્પ છે જેની પાસે રહીસહી તાકાત વાપરીને દાદાગીરી કરવા સિવાય બીજી કોઈ આવડત નથી. તેમણે સંધિ તોડીને ભારત પર 25 ટકા ટેરિફ લાગુ કર્યો. પણ સવાલ એ છે કે અત્યારે કેમ જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વાણિજ્ય સમજૂતી અંગે વાટાઘાટો ચાલી રહી છે? આ રહસ્ય છે. પણ વધારે મોટું રહસ્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવાના ગુના માટે ભારત પર પેનલ્ટી લગાડી છે. કોણે અધિકાર આપ્યો ટ્રમ્પને ભારત વિષે નિર્ણય લેવાનો? ભારત ગમે તેની સાથે ધંધો કરે તો એ તેનો અધિકાર છે. રશિયા સાથે બીજા દેશો પણ ધંધો કરે છે, ઉર્જાના ક્ષેત્રમાં પણ ધંધો કરે છે પણ એમાંના કોઈને નહીં ને ભારતને જ કેમ દંડે છે? શું ભારત અમેરિકાની જાગીર છે?

ભારત તરફથી તીવ્ર પ્રતિક્રિયા કેમ અપાતી નથી? શેનો ડર છે? અને આવું પહેલીવાર નથી બન્યું. એકધારું બની રહ્યું છે. અમેરિકામાં ગેરકાયદે વસેલા નાગરિકોને હાથકડી જ નહીં, પગમાં બેડી પહેરાવીને વીડિયો લેવામાં આવે અને રિલીઝ કરવામાં આવે. મેક્સિકો અને બ્રાઝિલના નાગરિકો સાથે આવો વર્તાવ કરવામાં નહોતો આવ્યો. મેક્સિકોએ તો સંભળાવી દીધું હતું કે અમારા નાગરિકોને લઈને તમારું વિમાન અમારી ધરતી પર નહીં ઉતરે અમારું વિમાન આવીને અમારા નાગરિકોને સ્વમાનભેર લઈ જશે. બીજી બાજુ આપણા વિદેશ પ્રધાને અમેરિકાનો બચાવ કરતા કહ્યું હતું કે “ગુનો કરે એને હાથકડી પહેરાવવામાં આવે એમાં ખોટું શું છે?” એલા ભાઈ, માત્ર હાથકડી નહોતી, પગમાં બેડી પણ હતી  જે ગંભીર ગુનાઓમાં પહેરાવવામાં આવે છે ! જયશંકર ભારતના વિદેશ પ્રધાન છે કે અમેરિકાના? ઓપરેશન સિંદુર વખતે યુદ્ધવિરામની જાહેરાત ટ્રમ્પે કરી હતી. ‘મેં યુદ્ધ રોકાવ્યું’ એવું તેમણે એક વાર નહીં અંદાજે વીસ વાર કહ્યું છે. ‘મેં બન્ને દેશોને કહ્યું હતું જો તેઓ યુદ્ધ બંધ નહીં કરે તો અમેરિકા બન્ને દેશોને વાણિજ્યકીય રીતે દંડશે અને જો યુદ્ધ બંધ કરશે તો અમેરિકા વાણિજ્યકીય મદદ કરશે.’ આ અમેરિકામાં નહીં બીજા દેશમાં સાઉદી અરેબિયામાં કહ્યું હતું. 25 ટકા ટેરિફ અને દંડ એ મદદ છે? ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાને ભારતનાં પાંચ વિમાનો તોડી નાખ્યાં હતાં.” ટ્રમ્પે પ્રોટોકોલ બાજુએ મૂકીને પાકિસ્તાનના લશ્કરી વડાને વ્હાઈટ હાઉસમાં ભોજન પર બોલાવ્યા હતા અને તેના બેમોઢે વખાણ કર્યા હતા ! દેશના વડાને નહીં, લશ્કરી વડાને ! પણ આપણા પ્રતાપી વડા પ્રધાન અને તેમની સરકાર ચૂપ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તો લોકસભામાં પડકાર ફેંક્યો હતો કે ‘ટ્રમ્પનું નામ લઈને કહેવામાં આવે કે ટ્રમ્પનો દાવો ખોટો છે.’ વડા પ્રધાન બોલતા નથી. 

ટ્રમ્પે રશિયા સાથે ઉર્જા વેપાર કરવા માટે માત્ર પેનલ્ટી નથી જાહેર કરી, ભારતના અર્થતંત્રને ‘મરેલાં અર્થતંત્ર’ તરીકે ઓળખાવ્યું છે. “ભાડમાં જાય ભારતનું મૃતપ્રાય અર્થતંત્ર. તે હજુ વધુ મરે તો મને કોઈ ફરક નથી પડતો.” આ ટ્રમ્પના શબ્દો છે. ટ્રમ્પે કહ્યું છે કે “પાકિસ્તાનના ખનીજ તેલના જથ્થાને રિફાઇન્ડ કરવાની સમજૂતી થઈ ગઈ છે અને એક વખત એવો આવશે કે ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે.” જેનાં ઓવારણાં લેતા નરેન્દ્ર મોદી થાકતા નહોતા એ ટ્રમ્પ આવી ભાષા વાપરે છે અને વહેવાર કરે છે અને એ પણ વારંવાર ! હદ તો ત્યારે થઈ કે ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા આપણા સાહેબે સીધો પ્રચાર કર્યો. જગતના ઇતિહાસમાં આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. 

શા માટે? લાખ રૂપિયાનો સવાલ આ છે. શા માટે  ટ્રમ્પ નરેન્દ્ર મોદીને વારંવાર નીચા દેખાડે છે? કદાચ કશુક અંગત છે. કદાચ નરેન્દ્ર મોદીનો ઈગો ટ્રમ્પના ઈગોને મેનેજ કરી શકતો નથી. જાગતિક સંબંધોમાં સોડમાં ઘૂસવામાં જોખમ હોય છે એમ મુત્સદીઓ કહેતા ગયા છે. 

ખેર, આપણે ઈચ્છીએ કે નરેન્દ્ર મોદી ટટ્ટાર ઊભા રહે. અમેરિકા સામે, ચીન સામે, ન્યુક્લિયર પાકિસ્તાન સામે, તુર્કી સામે. દેશના ગરીબ મુસલમાનો સામે નહીં ! વિપક્ષો સામે નહીં !

તાકાત નબળાને રંજાડવામાં નથી બળિયાને પડકારવામાં છે, પણ ક્યારે? તાકાત રળીને. અને તાકાત રળવા માટે રાષ્ટ્રીય એકતા જોઈએ, જમીન પર પગ જોઈએ, સાચો નક્કર દેશપ્રેમ જોઈએ, સાચી નિસ્બત જોઈએ, ટેલેન્ટની કદર કરતા આવડવું જોઈએ વગેરે. યાદી લાંબી છે અને તમે એ જાણો છો. મહાનતાના દાવા કરવાથી મહાન નથી બનાતું ! 

[સૌજન્ય : રમેશ ઓઝા, 3 ઓગસ્ટ 2025. 

કાર્ટૂન સૌજન્ય સંદર્ભ : તમિલ મેગેઝિન, ‘Vikatan-વિકાટન’માં 10 ફેબ્રુઆરી 2025ના રોજ આ કાર્ટૂન પ્રકાશિત થયેલું. 

અમેરિકાએ, ભારતના ‘ગેરકાયદેસર’ નાગરિકો સાથે અમાનવીય વર્તન કરેલું અને મોદીજી ચૂપ રહેલા તેથી તેમને સાંકળમાં બાંધેલી સ્થિતિમાં દર્શાવવેલા. તેથી મોદીજીને માઠું લાગી ગયું હતું. 15 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્ર સરકારે વિકાટનની વેબસાઇટ બ્લોક કરી દીધી હતી !]

04 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સ્મૃતિમાં  છલકાયું

મનીષી જાની|Opinion - Opinion|4 August 2025

દેશ-દુનિયાના મિત્રો જેમને અચ્યુત યાજ્ઞિક તરીકે ઓળખે છે તે અમારા પરિવારના જયેન્દ્રભાઈ. 4થી ઓગસ્ટે તેમની વિદાયને બે વર્ષ થયાં. ઘણું ઘણું યાદ આવે છે. છેલ્લે મારે 2જી ઓગસ્ટે (2023) વાત થઈ હતી. મારી તબિયતના સમાચાર પૂછવા મને ફોન કર્યો હતો.

અમને સૌ પરિવારજનોને માહિતી અને જ્ઞાનનાં બારી-બારણાં ઉઘાડવામાં વિશેષ આપ્યું છે.

પણ તે ઉપરાંત આજે યાદ કરવા બેસું છું તો કેટકેટલી વ્યક્તિઓનાં જીવનને સમૃદ્ધ કરવા તેમણે ઉદ્દિપક જેવું કામ કર્યું છે તે નજર સામે દેખાવા માંડે છે ….

કંઈ કેટલા ય પત્રકારો, અમદાવાદના તો ખરા જ પણ દેશ વિદેશના ‘સેતુ’ની ઓફિસમાં તેમની કેબિનમાં અડ્ડો જમાવીને બેસતાં અને ગુજરાતના સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક પ્રવાહો વિશેની ચર્ચા-વિમર્શ કરી કશુંક મેળવતા.

વ્યક્તિઓની વાત કરીએ તો પ્રા. શાલિની રાંદેરિયાની.એચ.ડી. કરતાં ત્યારથી જાણે કે સેતુ એમનું અમદાવાદમાં બીજું ઘર હતું … સાબરકાંઠામાં તેમણે ઘનિષ્ઠ સંશોધનકાર્ય કર્યું. આજે જીનીવા યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરના હોદ્દા સુધી પહોંચ્યાં. પ્રા. સુજાતા પટેલે પણ અમદાવાદમાં સેતુમાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ-કામદારો વિશે નોંધપાત્ર સંશોધનકાર્ય કર્યું. બેલા ભાટિયા … આજે જાનના જોખમે દેશના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ સાથે એકાકાર થઈ રહેતાં અને તેમનાં અધિકારો માટે સતત સંઘર્ષશીલ, ટીસમાં તેજસ્વી વિદ્યાર્થી રહેલાં સૌથી પહેલાં સેતુમાં રહી સાબરકાંઠાની બહેનો સાથે ઘણું બધું જાગૃતિનું કાર્ય કર્યું હતું. દેશ પરદેશમાં રહી પી.એચ.ડી કરતાં કે રિસર્ચ કરતા અને અચ્યુતભાઈ સાથે માર્ગદર્શન મેળવતાઓની યાદી ઘણી લાંબી છે …. ગુજરાતનાં આંદોલનો વિશે પુસ્તક લખનાર ડો. વર્ષા ભગત ગાંગુલીએ પણ વર્ષો લગી કામ કર્યું.

ખાસ વાત એ છે કે અચ્યુતભાઈના મહારાષ્ટ્રના સમાજવાદી મિત્ર માધવ સાઠેને કારણે મેધા પાટકર અમદાવાદમાં સેતુમાં સામાજિકકાર્ય કરવા જોડાયાં … અને અમારા પરિવારના સદસ્ય જેવાં બની રહ્યાં. 1981 પછી અમારા જેવા મિત્રો નર્મદા ડેમને કારણે વિસ્થાપિત થનારા આદિવાસીઓની જમીનના બદલામાં જમીન લડત જે આર્ચ વાહિની સંગઠને કર્મશીલ ફાધર જોસેફની સાથે રહી શરૂ કરી હતી તેમાં જોડાયા … એ પછી સેતુ સંસ્થાએ પણ 1984માં નક્કી કર્યું કે આ લડત મહારાષ્ટ્રમાં પણ શરૂ કરવી જોઈએ અને સેતુમાંથી એ કામ મેધાને સોંપાયું.

નર્મદાની પેલે પાર મેધા ગામડાં ખૂંદતા રહ્યાં … લોકોને સંગઠિત કર્યાં .. અને નર્મદા બચાવો આંદોલનનો એક ઇતિહાસ રચ્યો, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ ….

અચ્યુતભાઈ 1981પૂર્વે પત્રકાર હતા ને પ્રેસ કામદારોના યુનિયનના સક્રિય આગેવાન તરીકે ય ઘણા બધાને મદદરૂપ બનતા રહ્યા હતા. મને યાદ છે 1975 બાદ તેમના યુવાસાથી પત્રકાર ધીરેન અવાશિયાએ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું ત્યારે દિલ્હીના તેમના જૂના મિત્ર અને ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ(પીજ ટી.વી.)ના કાર્યક્રમ નિર્માતાની મદદથી કાર્યક્રમ સહાયક તરીકેની કામગીરી અપાવડાવી અને પ્રિન્ટ માધ્યમમાંથી ધીરેનભાઈ ટી.વી. માધ્યમમાં પહોંચ્યા .. ને આગળ જતા તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનનો અનુસ્નાતક કક્ષાનો મહત્ત્વનો કોર્સ ઊભો કરવામાં પાયાનું કામ કર્યું.

આ જ કોર્સમાં અભ્યાસ અને અચ્યુતભાઈના માર્ગદર્શન માં સંશોધનકાર્ય પૂર્ણ કરનારા ધીમંત પુરોહિતનું નામ ‘આજ તક’ ટી.વી. ચેનલ આરંભ કરનાર તેમના પરમમિત્ર એસ.પી. સીંગને સૂચવ્યું હતું એ પણ મને યાદ આવે છે …

પરિવારજનો વચ્ચે અચ્યુતભાઈ .. જૂન 2023 .. તસવીર સૌજન્ય : સમીર પાઠક

સૌથી મહત્ત્વની વાત એ છે કે અચ્યુતભાઈ જે માનતા એવું જ જીવતા .. કોઈ પણ સંસ્થાના ટ્રસ્ટમાં પરિવાદવાદ નહીં જ ચાલવો જોઈએ, એવું તેઓ દૃઢ પણે માનતા … સેતુ સંસ્થામાં ક્યારે ય કોઈ ટ્રસ્ટીના દીકરા, દીકરી કે ભાઈ ભત્રીજાઓને રખાયાં નથી. સેતુ સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે દલિત પેન્થર્સના અધ્યક્ષ ડો. રમેશચંન્દ્ર પરમાર અને આદિવાસી એકતા પરિષદના અશોક ચૌધરી રહી ચૂક્યા છે …

અને સૌથી ગૌરવની વાત એ છે કે એસ.એ.સી. પાસ કરીને ભિલોડાથી આચાર્ય ભાનુભાઇ અધ્વર્યુની આંગળી પકડીને અમદાવાદ આવેલા અશોક શ્રીમાળી વર્ષોથી સેતુમાં કાર્યરત છે … અને સેતુનો તમામ ભાર સંસ્થાના મંત્રી તરીકે ઘણાં વર્ષોથી તેમણે ઉપાડી લીધો છે … દેશ વિદેશમાં અનેકાનેક પ્રવૃત્તિઓ, સેમિનારોમાં ભાગ લઈ સાવ છેવાડાના લોકોનું જીવન કેવી રીતે બહેતર બને અને તેમના અધિકારો માટેના સંઘર્ષો માં મદદરૂપ બનવાની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે … અચ્યુતભાઈએ ઊભી કરેલી પરંપરાઓને આગળ ધપાવી રહ્યા છે એ વિશેષ આનંદની વાત છે …

આ ક્ષણે જેટલું સ્મૃતિમાં  છલકાયું એ અહીં નોંધ્યું છે … લખવાનું તો ઘણું બધું …!

અચ્યુતભાઈને સ્મૃતિ સલામ!

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

इस चुनाव में आप हिस्सा क्यों ले रहे हैं श्रीमान ! 

कुमार प्रशांत|Opinion - Opinion|4 August 2025

कुमार प्रशांत

बिहार के बहाने जो चुनाव आयोग सारे देश को धमका रहा है, हमारा सर्वोच्च न्यायालय उसे गुदगुदा रहा है; और हमारे राजनीतिक दल चुटकुले सुना रहे हैं. यह बड़ी पतित घड़ी है.

बिहार में चुनाव आयोग की सक्रियता ऐसी है कि वह किसी भी राजनीतिक दल को शर्मिंदा कर दे; किसी भी सरकारी विभाग को ईर्ष्या से भर दे. सरकारी अधिकारी ऐसी ताबड़तोड़ गति से काम करते या तो नोटबंदी के वक्त मिले थे या अब वोटबंदी का काम करते मिल रहे हैं. होगा क्या, कोई नहीं जानता लेकिन सब ऐसी मुद्रा धारे हैं मानो सारे ही डोनल्ड ट्रंप से ट्यूशन ले कर आए हैं.

चुनाव की गंध हवा में घुली नहीं कि राजनीतिक दलों के मुंह में लार घुलने लगती है. चुनाव की यही गली तो है जो सत्ता तक अथवा सत्ता पाने के ख्याली सुख तक उन्हें ले जाती है. पक्ष-विपक्ष का विभाजन एक अलग स्तर पर है लेकिन सत्ता व सत्ताकांक्षी के बीच खास बड़ा कोई विभाजन नहीं है. मिला-जुला मामला है. बकौल दुष्यंत कुमार :

पक्ष औ’  प्रतिपक्ष संसद में मुखर हैं 

बात इतनी है कि कोई पुल बना है 

यही पुल है जिससे ये राजनीतिक लोग इधर-से-उधर या उधर-से-इधर आते-जाते हैं और ऐसे आराम से कि पुल पर आत्मा का कोई भार भी नहीं पड़ता ! जब इधर थे तब जो बोलते थे उसका कोई नैतिक मूल्य नहीं था, अब उधर से जो बोलते हैं उसकी कोई नैतिक भित्ति नहीं है. फिर बोलने वाला कोई श्रीमंत सिंधिया हो कि कोई निशिकांत दुबे. इसलिए मतदाता यदि इनको अलग-अलग पहचानने से मना कर देता है तो वह उसके अज्ञान का नहीं, उसकी अदृश्य समझदारी की गवाही है.

चुनाव के नाम से ही जो लार इन सबके मुंह में घुलने लगती है, वह धीमे-धीमे जहर की तरह जनता -मतदाता- की रगों में उतरने लगती है. जहर फैलता जाता है. तब पुल पर आवाजाही करते पक्ष-विपक्ष के ये ही लोग, मौका व अपनी स्थिति देख कर समवेत हुआं-हुआं करने लगते हैं कि समाज अनैतिक हो गया है, उसे लोकतंत्र, संविधान, सांप्रदायिक सद्भाव आदि से कोई मतलब नहीं रह गया है. अब यह भी कहा जा रहा है कि लोगों पर हिंदू वर्चस्व का नशा ऐसा चढ़ा है कि वे दूसरा सब कुछ भूल बैठे हैं. बार-बार संविधान की कसमें उठाने व शोर मचाने वाले कौन हैं ये लोग ? जो अभी तक विपक्षी दलों में हैं और नरेंद्र मोदी व भारतीय जनता पार्टी का मुकाबला करने में जिनका दम फूला जा रहा है, वे सबसे मुखर हैं. फिर वे भी हैं जो जनता से एकदम कटे, तथाकथित बुद्धिवादी गिरोह के सदस्य हैं. इनका पिछला इतिहास देखेंगे आप तो पाएंगे कि राजनीतिक-सामाजिक नैतिकता, समता-समानता के संघर्ष, लोकतंत्र, संविधान, सांप्रदायिक सद्भाव आदि के प्रयासों से इन सबका दूर का नाता भी नहीं रहा है.

लोकविहीन लोकतंत्र की यह त्रासदी सारी दुनिया में एक-सी है. कहीं यूक्रेन में, कहीं गजा में, कहीं कंबोडिया में, कहीं भारत-पाक के बीच में, कहीं ईरान में यानी ग्लोब में जहां-जहां आज गहरे जख्म नजर आ रहे हैं, उन सबके पीछे लोकविहीन लोकतंत्र का दानव अट्टहास कर रहा है. लेकिन अभी मैं बात तो बिहार में मतदाता परीक्षण के बहाने नागरिकता की की जा रही गहरी पड़ताल की कर रहा हूं . यह संविधान को एकदम उलट देने वाली बात है. संविधान कहता है कि नागरिक अपनी सरकार का चुनाव करेंगे; चुनाव आयोग कह रहा है कि सरकार अपने नागरिक का चुनाव करेगी और चुनाव आयोग इस पुनीत कार्य में सरकार का एजेंट बनेगा.

दो सवाल हैं : मतदाता सूची में यदि अपात्र घुस गए हैं तो जवाबदेह कौन है ? मतदाता सूची बनाने, सुधारने, संवारने का काम हमारे संविधान ने सिर्फ चुनाव आयोग को दे रखा है. जो आपका एकाधिकार है, उसे पूरा करने में आप विफल रहे हैं, तो उसकी सजा सामूहिक तौर पर मतदाताओं को कैसे देंगे आप ? सजा तो आपको -चुनाव आयोग को – मिलनी चाहिए – तुरंत व आज ही मिलनी चाहिए. मतदाता सूची को अद्यतन व पात्रसम्मत बनाए रखने की संवैधानिक जिम्मेवारी के निर्वाह में आप विफल हुए हैं, तो पद से हटिए. नये चुनाव आयोग का गठन होना चाहिए. ऐसा करने के बजाए आप मतदाता को उसके अधिकार से वंचित कैसे कर सकते हैं ? वह संविधान का जनक भी है और हमारे चुनावी तंत्र का आधार भी. उसे खारिज कौन कर सकता है ? आप ? आपकी औकात इस मतदाता की वजह से ही है, यह भी भूल गए आप ?

अदालत ने कहा: आप बड़े पैमाने पर नाम काटेंगे तो हम दखल देंगे. अरे भाई अदालत, एक का नाम भी कटा तो लोकतंत्र कटा न ! क्या अदालत यह कहना चाहती है कि एक के साथ अन्याय हो तो वह मुंह फेर लेगी ? फिर तो वह अदालत नहीं, सरकारी महकमा हो जाएगा. संविधान ने अदालत को निर्देश दे रखा है कि एक-एक मतदाता के मतदान के अधिकार के संरक्षण की पहरेदारी आपको करनी है. मी लॉर्ड, यह मतदाता आपके जीवन-यापन का बोझ इसी कारण ढोता रहता है.

दूसरा सवाल यह है कि यह मतदाता पैदा कहां से होता है ? क्या कोई सरकार मतदाता पैदा करती है ? नहीं, मतदाता की हमारी यह हैसियत संविधानप्रदत्त है. भारत में जनमा हर व्यक्ति वयस्क होते ही भारत का मतदाता बन जाता है. आवेदन भी नहीं करना पड़ता है. किन कारणों से ऐसी स्वाभाविक नागरिकता संभव नहीं है, यह भी संविधान ने बता रखा है. संविधान ने यह भी बता रखा है कि जो भारत में नहीं जनमा है, विदेशी है, यदि वह चाहे तो वह भी भारत की नागरिकता के लिए आवेदन कर सकता है. उसकी नागरिकता की अर्जी को सरकार मनमाना खारिज नहीं कर सकती है. उसे इंकार के कारण बताने होंगे. मतलब सीधा व साफ है कि हमारी नागरिकता का कोई नाता सरकार से नहीं है. लेकिन आप सरकार में हैं,  इसका सीधा नाता मतदाता से है. वह जब चाहे आपको वहां से हटा सकता है. न हटाए तो भी आपकी अधिक-से-अधिक वैधानिक उम्र 5 साल की ही है. आगे के लिए आपकी अर्जी वह खारिज करे कि कबूल, यह मतदाता पर है. ऐसी मजबूत संवैधानिक हैसियत जिस मतदाता की है, उसकी नागरिकता की जांच आप करेंगे ! नागरिकता हमारा अधिकार है, आपकी अनुकंपा नहीं.

सर्वोच्च न्यायालय इस अयोग्य व अक्षम चुनाव आयोग को बर्खास्त करे ( मैं राहुल गांधी की तरह इसे ‘वोट-चोर’ अभी नहीं कह रहा हूं ) तथा नये चुनाव आयोग की चयन की प्रक्रिया घोषित करे. उस आधार पर नया चुनाव आयोग गठित हो जो अदालत के सामने वे सारे तथ्य रखे कि जिस आधार पर वह मतदाता सूची की गहन समीक्षा करना चाहता है. उसका कैलेंडर बने जो किसी चुनाव से टकराता न हो. तब जा कर यह कसरत शुरू होनी चाहिए.

सरकार ने हमारे अरबों रुपये फूंक कर, हमें मजबूर कर, आधार कार्ड बनवाया. नंदन नीलकेणी क्यों चूहे-से अब किसी बिल में छिपे बैठे हैं जबकि वे इसे ‘क्रांतिकारी अक्षय कार्ड’ कहते थे और हमें समझाते थे कि यह एक कार्ड  भारतीय नागरिक की तमाम पहचान का प्रमाण होगा ? चुनाव आयोग कह रहा है कि यह रद्दी कार्ड है. तो नंदन नीलकेणी बाहर आकर हमारे साथ खड़े हों और हमारी आवाज में आवाज मिला कर पूछें कि हमारे अरबों रुपये कौन वापस करेगा ? कार्ड बनवाने के लिए हमें जबरन जिस जहालत में डाला गया, उसका जिम्मेवार कौन है ? हमारे करोड़ों रुपये खर्च कर चुनाव आयोग के तब के आका शेषण साहब ने मतदाता कार्ड बनवाया था. अगर वह भी रद्दी का टुकड़ा है तो हमारे वे पैसे भी वापस करें आप ! सरकार को या चुनाव आयोग को यह अधिकार किसने दिया कि आप हमारे ही पैसों से मनमानी करें और हमें ही कठघरे में खड़ा करें ? जाति प्रमाण-पत्र, मनरेगा प्रमाण-पत्र आदि सब आपके ही सरकारी कागजात हैं. इन सबकी कोई वकत नहीं ? वैसे यह बात तो है ही कि जब आपके नोट की कोई वकत नहीं तो कार्ड की क्या होगी! याद है न कि यह अदालत भी नोटबंदी के सवाल पर मुंह बंद कर बैठ गई थी ? अचानक नहीं, गिराते-गिराते आपने हमारे लोकतंत्र इस मुकाम पर पहुंचाया है.

ऐसे में सरकारों को भी, चुनाव आयोग को भी, अदालतों को भी तथा इन तमाम छुटभैय्यों को भी यह अहसास कराने की जरूरत है कि मतदाता आपके खिलाफ सत्याग्रह पर उतरने को तैयार हो रहा है. यह सच है कि मतदाता संगठित नहीं है. वह परेशान होता है लेकिन एक आवाज में बोल नहीं पाता है, सामूहिक कार्रवाई नहीं कर पाता है. वह मतदान कर अपना फैसला देता है लेकिन उसके मतों का ऐसा विभाजन हो जाता है कि वह उसकी सामूहिक अभिव्यक्ति का प्रमाण नहीं बन पाता है. गांधी से ले कर जयप्रकाश तक लोकतंत्र में मतदाता की स्थायी संगठित उपस्थिति का रास्ता खोजते व सुझाते रहे लेकिन वह अभिक्रम अभी अधूरा है.

लेकिन मैं समझ नहीं पा रहा हूं कि गरीब-कमजोर, अनपढ़ या निरक्षर लाखों-लाख मतदाताओं को चुनाव आयोग ने बिहार में जैसी परेशानी में डाल रखा है, उन्हें अपमानित कर रहा है, जिस तरह उसने मतदाताओं की तरफ से अपने आंख-कान-नाक सब बंद के लिए हैं, उसके बाद भी हमारा विपक्ष चुनाव लड़ने पर इस तरह आमादा क्यों है ? वह बिहार के नागरिकों की मदद करेगा, बिहार के बाद जिन राज्यों की तरफ सरकार की कुदृष्टि है, उन राज्यों के नागरिकों की मदद करेगा, वह अदालत की मदद करेगा यदि वह आज की स्थिति में चुनाव लड़ने से मना कर देगा.

हमारे विपक्ष की लज्जाजनक स्थिति यह है कि वह शासकों की रद्दी कार्बन कॉपी बन कर रह गया है. वह अपना कोई अलग चरित्र न बना पा रहा है, न दिखा पा रहा है. वह जनता की बनाईं खिंचड़ी खाना तो खूब चाहता है, अपनी खिंचड़ी बनाने का अभिक्रम नहीं करना चाहता है. मुझे याद आता है कि संपूर्ण क्रांति के अपने आंदोलन में हमने जब बिहार की विधानसभा को भंग करने की मांग की थी तब कांग्रेस व सीपीआई को छोड़ कर सारा विपक्ष हमारे साथ आ खड़ा हुआ था लेकिन जैसे ही लोकनायक जयप्रकाश ने विपक्ष के विधायकों से विधायकी छोड़ने का आह्वान किया, सबको सांप सूंघ गया था. बमुश्किल दो-ढाई दर्जन विधायकों ने इस्तीफा दिया था. इस सवाल पर सारे दलों में विभाजन हो गया था. विपक्ष खुद को कसौटी पर चढ़ाने से बचता है. वह चाहता है कि मतदाता उसके हिस्से की लड़ाई लड़ें, उसके लिए प्रचार की मार-काट करें, उसके लिए वोट डालें और वह तभी बाहर निकले जब उसके गले में जीत का जयमाल हो.

नहीं, अब देश का लोकतंत्र उस मुकाम पर खड़ा है कि विपक्ष को हिम्मत के साथ अपने मतदाता के साथ खड़ा होना होगा. विपक्ष को यह घोषणा करनी चाहिए कि मतदाता सूची का यह परीक्षण जारी रहा तो वह चुनाव में शरीक नहीं होगा. अदालत अपनी कार्रवाई करे इससे पहले उसके सामने यह नई स्थिति भी खड़ी कर देनी चाहिए कि बिहार का सारा विपक्ष चुनाव में हिस्सा नहीं लेने का निर्णय किए बैठा है. यदि न्यायपालिका विपक्षविहीन चुनाव की तरफदारी करना चाहे तो करे, यह वोट-सत्याग्रह वापस नहीं लिया जाएगा. अब फैसला न्यायपालिका को करना है.

संविधान भले न कहता हो कि विपक्षविहीन चुनाव की स्थिति में क्या करना चाहिए, नैतिकता कहती है कि ऐसा चुनाव अर्थहीन हो जाएगा. इसलिए जिस परिस्थिति की कल्पना संविधान ने नहीं की, सुप्रीम कोर्ट को उस बारे में निर्देश देना है. यही वह काम है जो सुप्रीम कोर्ट ने राष्ट्रपति-राज्यपाल द्वारा अनिश्चित काल के लिए राज्य सरकारों के विधयकों को रोकने के संदर्भ में किया है. इस बारे में संविधान में लिखा कुछ नहीं है लेकिन संविधान बोलता स्पष्ट है. संविधान की उस आवाज़ को सुप्रीम कोर्ट ने साफ किया है. इसके लिए ही तो हमने सुप्रीम कोर्ट बना रखा है. इसलिए अदालत भी कसौटी पर है, चुनाव आयोग भी, सरकार भी और विपक्ष भी. आज बिहार में चुनाव आयोग जो कर रहा है उस खेल में जो भी शामिल होगा, वह जीत कर भी वैसे ही हार जाएगा जैसे महाभारत में सब हारे थे. यह याद रखने की जरूरत हैं कि नैतिक हथियार कभी खाली नहीं जाता है. 

(03.08.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...53545556...607080...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved