Opinion Magazine
Number of visits: 9457073
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્ષા કેરા વધામણે, નિખરશે પ્રકૃતિ હવે,

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|13 July 2024

ઋતુઓ ન હોત તો માનવજીવન કેટલું યંત્રવત અને કંટાળાજનક બની જાત ખરું કે નહીં! ઋતુઓને કારણે જ સૃષ્ટિની સાથે સાથે માનવ પણ સમયાંતરે નવપલ્લવિત થતો રહે છે અને નિત નવા સંચાર, ઉત્સાહ અને આશા સાથે પોતાનું જીવન આગળ ધપાવ્યે જાય છે. એમાં ય વર્ષાઋતુનું નિર્માણ કરીને સર્જનહારે સૃષ્ટિ પર બહુ મોટો ઉપકાર કર્યો છે. વર્ષાઋતુ ન હોત તો એ કલ્પના પણ કંપારી છૂટાવે એવી છે.

પ્રકૃતિના સોહામણા રૂપોમાં એક અનન્ય રૂપ એટલે વર્ષાઋતુ. વર્ષાઋતુ એટલે ઋતુઓની મહારાણી. જગત સમસ્તની સઘળી સજીવસૃષ્ટિનો આધાર વર્ષાઋતુ પર છે એમ કહેવામાં અતિશયોક્તિ દોષ લાગતો નથી. ચૈત્ર-વૈશાખના બળબળતા આકરા તડકા, ત્વચાને દઝાડી દેતા વાયરા અને લૂ પછી જેઠ મહિનાના લગભગ બીજા પખવાડિયાથી તો વર્ષાઋતુના આગમનની ઘડીઓ ગણાવાનું શરૂ થઈ જાય છે. કોઈક કોઈક જગ્યાએ તો વળી વર્ષાનું આગમન થઈ પણ જતું હોય છે.

વર્ષાના વધામણાની વાત કરીએ તો સૌ પહેલા યાદ આવે વૈશાખના બળબળતા તાપમાં તપી સૂકીભઠ્ઠ થઈ ગયેલ માટીમાં વરસાદના પહેલાં અમી-છાંટણા પછીની ભીની-ભીની પ્રાકૃતિક મહેક. આ મહેકની તોલે જગતની બધી મહેક જાણે કે ફિક્કી લાગે. વરસાદી જળના પ્રથમ અમી છાંટણાથી ઉપરભલ્લી ભીંજાતી આ માટીમાંથી જે મહેક આવે છે એની તુલનાએ જગતની કોઈ મહેક આવી શકે નહીં. આમ તો મહેક, સુગંધ, સુવાસ, ખુશબૂ, ફોરમ વગેરે એકબીજાના પર્યાયો છે પણ આ બધામાં “મહેક” શબ્દનું પ્રયોજન ફક્ત પહેલા વરસાદ પછી આવતી માટીની મહેક માટે જ અનામત રાખવામાં આવ્યું હોય એમ લાગે છે, કારણ કે બીજી બધી મહેકમાં ક્યાંક ને ક્યાંક કૃત્રિમ સુવાસ સમાયેલ છે. તેમાં પ્રાકૃતિક તત્ત્વનો અભાવ રહેલો હોય છે એટલે ભીની માટી સિવાયની મહેકને આપણે મહેક કહીશું તો ભીની માટીની મહેકને કદાચ અન્યાય થઈ રહ્યો હોય એમ લાગે.

જેઠના એ પાછતરા દિવસોમાં આકાશમાં ગોરંભાયેલ એ ઘટાટોપ વાદળો અને મેઘાડંબર પછીના શરૂઆતી અમીછાંટણાને પગલે માટીમાંથી જે મહેક આવતી હોય છે એને નાસિકાઓમાં ભરતા જ ભૂતકાળનાં સંસ્મરણો અને પહેલાનું અલગારી બાળપણ યાદ ન આવે તો જ નવાઈ. ઘડીભર માટે તો બાળપણના એ દિવસોના સોનેરી ઇતિહાસ સમા ભવ્ય ભૂતકાળમાં સરી પડાય છે અને પછી એક ગમતી પણ ન સમજાય એવી એક અકથ્ય અને આછેરી વેદના દિલમાં સ્પંદિત થવા લાગે છે. સાચે જ બાળપણ તો બાળપણ છે એની તોલે દુનિયાની કોઈ સાહ્યબી આવી શકે નહીં. એમાં ય બાળપણ અને વરસાદ વચ્ચે એક અતૂટ નાતો છે. તેની યાદ માત્રથી મન જૂના ખટમીઠાં સંભારણાઓથી તરબતર થઈ જાય છે.

પહેલાના એ દિવસો યાદ કરીએ તો એ ય ને નગ્ન કે અર્ધનગ્ન (એટલે કે નાગાપૂંગા) સ્થિતિમાં નાના ભૂલકાઓનું વરસતા વરસાદમાં ભીંજાવું, વરસાદી પાણીથી ભરાયેલ નાના-નાના ખાબોચિયામાંથી જઈ કૂદકા મારવા, વરસાદમાં નીકળી પડતા નાનકડા મખમલી જીવડા (જેને પહેલા લોકો મે’ નો મામો કહેતા) પકડીને તેના પર હાથ પસવારવો, વરસાદથી ભરાયેલ પાણીના નાના-નાના સરોવરમાં કાગળની હોડકીઓ બનાવી તરતી મૂકવી, આછેરા તડકામાં વરસતો વરસાદ જેને આપણે નાગો વરસાદ કહેતા, અને એ વરસાદ પછી શરીરે પીળચટ્ટો રંગ ધારણ કરી આપણા આંગણામાં કૂદકા મારતી આવતી એ ચકલીઓને જોઈને મન કેટલું રોમાંચિત થઈ જતું નહિ, …, અને આવી તો કંઈ કેટલી ય બાળ-સહજ ચેષ્ટાઓમાંથી જે આનંદ મળતો હતો તે હવે એક ભૂતકાળ બનીને રહી ગયો છે. ભૌતિક સુખ-સંપત્તિની દોટમાં આ બધું ક્યાં ખોવાઈ ગયું તે વિશે વિચાર કરવા જેટલો સમય પણ હવે આપણી પાસે નથી. બાળકો પ્રકૃતિ કે કુદરત સાથે બહુ સહજતાથી તાદાત્મ્યતા કેળવી લેતા હોય છે જે સામાન્ય વ્યક્તિ માટે બહું અઘરું હોય છે. જે માટીમાંથી જન્મ્યા અને છેવટે તો એ જ માટીમાં આપણે સૌએ ભળી જવાનું છે એ જાણવા છતાં પ્રકૃતિથી આપણે કેટલા બધા વિમુખ થઈ રહ્યાં છીએ ખરું કે નહીં!

વરસાદની હેલી લઈને આવતી ઋતુ વર્ષારાણીનું આગમન એક એવું આગમન છે જે સમગ્ર સજીવ સૃષ્ટિના અણુંએ અણુંને નવપલ્લવિત કરી દે છે. માનવ, પશુ-પ્રાણી-પંખી, વૃક્ષ-વેલ-લતા-વનરાજિ, ધરા, પહાડો-પર્વત, નદી-નાળા એમ સમગ્ર જડ અને ચેતન પદાર્થોમાં જાણે કે તે એક નવો પ્રાણવાયું ફૂંકે છે. મેઘાને આવકારવા પ્રાણી જગતમાં સૌથી વધુ જો કોઈ આતુર હોય તો એ છે પાંખો ફેલાવીને મનમોહક નૃત્ય કરતા રૂપાળાં મોરલા અને તેની આસપાસ મલપતી-મંડરાતી ઢેલ. આ મયૂર પોતાના સુકોમળ, સોનેરી અને નીલી ઝાંયવાળા અત્યંત મનોહર ગ્રીવાના છેક તળિયેથી ગેહુક…ગેહુક….ગેહુક…ના નાદો વાતાવરણમાં પ્રસરાવીને સૃષ્ટિને જાણે વર્ષાઋતુના આગમનનો આગવો સંકેત આપી દે છે. આકાશમાં ગોરંભાયેલા એ ઘટાટોપ વાદળોની નીચે ખંતીલા ખેડૂતોએ વાવણી માટે તૈયાર કરેલા ખેતરોમાં અને તેની આસપાસનાં વૃક્ષોમાં મોર અને ઢેલનો એ ગહેકાટ અને વર્ષાના આગમન ટાણે અત્યંત ભાવવિભોર બની ખેતરોમાં કરવામાં આવતા મોરના એ નૃત્યો અને એ દૃશ્યો સ્વર્ગની સુંદરતાને પણ કોરાણે મૂકી દે છે. આપણી અત્યંત વ્યસ્ત જીવનશૈલિ અને ભાગદોડમાંથી થોડી નવરાશની પળો કાઢી આ અલભ્ય નજારો એક વાર માણવા જેવો તો ખરો જ! એ આહ્લાદક પ્રાકૃતિક દૃશ્યોમાં કદાચ સાક્ષાત ઈશ્વરના દર્શન થઈ જાય તો નવાઈ નહીં, પણ આપણને ક્યાં એવો ટાઈમ છે!

વરસાદ આવે ત્યારે સૌથી વધુ ભાવવિભોર થતો જો કોઈ માનવી હોય તો એ છે જગતનો તાત – ખેડૂત. ખેડૂત શબ્દ કાને પડતા જ એક એવી વ્યક્તિ નજર સમક્ષ તરી આવે જે સમગ્ર જગતનો પાલક હોવા છતાં પણ કોઈ જાતના અહંકાર વિના બહુ સાદગીથી પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે. નાની-નાની મુશ્કેલીઓ અને માગણીઓ માટે છાશવારે હડતાલ પાડતા સરકારી કર્મચારીઓ, બેન્કર્સ કે ડોક્ટરોએ એક વાત પર બહુ ગંભીરતાથી વિચાર કરવા જેવો છે કે અનેક મુસીબતો, વિટંબણાઓ, આર્થિક ખુવારી, પરેશાનીઓ અને હાડમારીઓ વચ્ચે પણ જગતનું પાલન-પોષણ કરતા આ જગતના તાત ખેડૂતે હજી ક્યારે ય કોઈ વર્ષ પોતાની ખેતીનું કામ બંધ રાખી હડતાળ પાડવાનો વિચાર કર્યો નથી. એક ક્ષણ માટે આપણે સૌ એવી કલ્પના કરી લઈએ કે જગતનો તાત એક વર્ષ હડતાળ પાડી કોઈપણ પાક કે શાકભાજી, કઠોળ વગેરે કાંઈ વાવે જ નહિ તો આપણી બધાની કેવી હાલત થાય એ કલ્પના માત્રથી પણ આપણને કંપારી છૂટી જાય છે. જો કે ખેડૂત એ જગતનો તાત છે, જગતના પાલન-પોષણની જવાબદારી એના શિરે છે તેથી એ એવું નહિ કરે કારણ કે ખેડૂત એ સીધો પ્રકૃતિ સાથે જોડાયેલો છે. તેના વાણી-વર્તનમાં કેટલીક સચ્ચાઈ રહેલી હોય છે તેથી તેનામાં એવી આત્મશ્લાઘા કદાપિ નહિ આવે કે હું જગતનો પાલનહાર છું. પોતે પ્રકૃતિનો એક ભાગ છે એમ માની ગમે તેટલી મુશ્કેલીઓ છતાં પોતાના ગુજરાન ચલાવવા સિવાયની વિશેષ અપેક્ષાઓ વિના પોતાનું કાર્ય નિસ્પૃહ ભાવે કર્યે જાય છે. જો સહેજ ઊંડો વિચાર કરવામાં આવે તો સમજાશે કે આપણે સૌ ખેડૂતના કાયમી ઋણી છીએ, કારણ કે ખેડૂત અને ખેતી ટકી રહેશે તો જ સૃષ્ટિ ટકી રહેશે એ એક નિર્વિવાદ સત્ય છે.

ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આપણાં ગામડાં-ગામમાં હજુ આજે પણ વરસાદની પધરામણી થતા જ ખેડૂતોને ઘેર લાપશીના આંધણ મૂકાય છે, બળદોને ગળે ઘુઘરા બંધાય છે અને વાવણી માટે ગાડાઓ તૈયાર થાય છે. વર્ષાનું આગમન થતા જ જગતનો તાત હરખઘેલો થઈ જાય છે. વર્ષાઋતુનું આગમન ખેડૂતને મન કોઈ રૂડા-રૂપાળાં અવસરથી કમ નથી. શહેરોમાં પૈસા પાછળની આંધળી દોટમાં આપણે પ્રકૃતિના વિવિધ રૂપો સાથેનો આપણો નાતો હવે સાવ તૂટી ગયો છે. ગામડાઓમાં તો હજુ પણ કોઈ કારણ વિનાની અલગારી રખડપટ્ટીનો આનંદ બાળકો માણતા હોય છે અને તેથી જ તો ગામડાંનું બાળક પ્રકૃતિથી વધુ નજીક છે. શહેરમાં વરસાદના બે છાંટા પડે તો મમ્મીઓ પોતાના ભૂલકાંઓને ચાલ હવે ઘરમાં આવતો રહે કપડાં ગંદા થઈ જશે એમ કહી તરત ઘરમાં બોલાવી લે છે. શહેરોમાં વરસાદ આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં સહેજ પણ ખલેલ પહોંચાડે એ આપણને ગમતું નથી. શહેરોમાં વસતી હાલની પેઢી કદાચ એ વાતે બહુ કમનસીબ છે કે તેમને વરસાદી ઋતુમાં પ્રકૃતિની ગોદમાં પલળીને રમવાનું અહોભાગ્ય પ્રાપ્ય નથી. શહેરોમાં પહેલો વરસાદ એટલે ગરમાગરમ દાળવડા કે મકાઈ ડોડા બસ પત્યું, એનાથી આગળનું આપણે વિચારતા જ નથી. કદાચ એનાથી આગળ આપણે વિચારી શકતા નથી અથવા તો  એ વિચારવા માટે આપણને હવે સમય નથી. વરસતા વરસાદમાં હાઈવે પર આપણે જતા હોઈએ અને રસ્તામાં લારી પર ગરમાગરમ દાળવડા કે મકાઈ ડોડા જોઈને એ ખાવા આપણે તરત ઊભા રહી જતા હોઈએ છીએ અને મકાઈની લારી પર હોંશે હોંશે ગરમ-ગરમ મકાઈ પર લીંબુ-મસાલો ભભરાવીને આપણે પ્રેમથી આરોગતા હોઈએ છીએ, પરંતુ વરસતા વરસાદમાં પણ ગમે તેમ સાંધા-મેળ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા મથતા એ સ્વાવલંબી ગ્રામીણો પર તથા વરસાદમાં ભીંજાયેલા મેલા-ઘેલાં અને અસ્ત-વ્યસ્ત કપડાંમાં પણ આપણને ગરમ-ગરમ મકાઈ ખવડાવતા એ ગ્રામીણ પતિ-પત્નીના વિટંબણાઓથી ભરપૂર જીવન સામે પણ બાથ ભીડી જીવન સામેના અબોલ અને અવિરત સંઘર્ષની મથામણ સામે એક નજર સુદ્ધા કરવાનું આપણને ક્યારે ય સૂઝતું નથી. આપણે એવી રીતે જીવવા ટેવાતા જઈએ છીએ કે માનવ-સહજ સંવેદનાઓથી તો જાણે આપણે જોજનો છેટું પડી ગયું છે!

વર્ષાઋતુ એ માત્ર ઋતુ જ નથી પણ ઘણા બધા લોકો માટે તે રોજગારીનું દ્વાર ખોલી આપે છે. વર્ષાઋતુ એ સમગ્ર સૃષ્ટિના ટકી રહેવા માટે સર્વે જીવોના આહાર અને પોષણ માટે ઈશ્વર દ્વારા કરવામાં આવતું આગોતરું આયોજન છે. જગતના તમામ દેશોના બાકીના બધા આયોજનોનો આધાર ઈશ્વરના વર્ષાઋતુના આયોજન પર આધારિત છે. જો જગન્નિયંતા એક વર્ષ પૃથ્વી પર પાણી ન વરસાવવાનું આયોજન કરે તો જગતના તાકાતવર દેશોના આયોજનોને પણ તે પળભરમાં બગાડી નાખે છે. વર્ષ દરમિયાન આપણે જે કાંઈ પણ આરોગીએ છીએ તે બધાને ઉગાડવા માટેનું પાણી આપણને વર્ષાઋતુમાં જ મળે છે એવો વિચાર આપણે ક્યારે ય કર્યો છે ખરો! વર્ષા એ જળનો મૂળભૂત, કુદરતી અને અવિરત સ્રોત છે. જળ વિના જીવન શક્ય નથી. માણસ અને વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે તેમ છતાં પાણી વિના કોઈને ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી. સામાન્ય કહેવાતું પાણી અને પાણીનું સંચાલન એ ભલભલી સરકારોનું પણ પાણી માપી લે છે. જળનું મૂલ્ય સમજીએ અને તે પ્રમાણે તેને આદર અને મહત્તા આપી આપણું જીવન જીવીએ એમાં જ આપણી સૌની ભલાઈ છે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (6) 

દીપક મહેતા|Opinion - Opinion|12 July 2024

૬

પોતે ગુજરાતનો જે ઇતિહાસ લખવા માગે છે તે અંગેની પૂરતી સામગ્રી એકઠી થઇ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું. પણ સરકારી નોકરીનું કામકાજ કરતાં કરતાં આવું પુસ્તક લખવાનું મુશ્કેલ છે એ પણ તેઓ જાણતા હતા. આથી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું તેમણે નક્કી કર્યું. દલપતરામની ઈચ્છા સાહેબ સાથે ઇન્ગ્લન્ડ જવાની હતી. પણ એ વખતના જ્ઞાતિઓના વિધિ નિષેધોથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે તેમણે દલપતરામને કહ્યું કે ત્યાં પરદેશમાં તમે તમારો ધરમ નહિ સાચવી શકો. રોજેરોજ નળનું પાણી પીવું પડશે. પરિણામે પાછા આવ્યા પછી તમને ન્યાત બહાર મૂકવામાં આવશે. માટે તમે મારી સાથે ન આવશો. અત્યાર સુધી દલપતરામ ફાર્બસની અંગત નોકરીમાં હતા, અને પોતે સ્વદેશ પાછા જાય તે પછી દલપતરામ નોકરી વગરના થઇ જશે એ વાતનો પણ ફાર્બસને પૂરો ખ્યાલ હતો. આથી તેમણે મહીકાંઠાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં દલપતરામને નોકરી અપાવી. પછી ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઇ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ લખવાની શરૂઆત કરી. એ વખતે દર બે-ત્રણ મહીને ફાર્બસ દલપતરામને કાગળ લખતા. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયું તે પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા. ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે તેઓ સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની જવાબદારીઓ સંભાળી. ભરૂચમાં ૧૮૫૭ના મે મહિનામાં મુસ્લિમ-પારસી રમખાણો ફાટી નીકળ્યાં. આતશબહેરામમાં બંદગી કરી રહેલા બે પારસીઓને મુસ્લિમોના એક ટોળાએ મારી નાખ્યા. મરનારમાંથી એક તો મોબેદ (ધર્મગુરુ) હતો. એક મુસ્લિમ અધિકારી હેઠળની સ્થાનિક પોલીસે આ બનાવ અંગે કોઈ અસરકારક પગલાં લીધાં નહિ. એટલે ૧૮૫૭ના જૂનની ૧૩મી તારીખે સરકારે સુરતથી મિસ્ટર એલેક્ઝાન્ડર રોજર્સને ભરૂચ મોકલ્યા. રમખાણો અંગે વિગતવાર અહેવાલ સરકારને તાબડતોબ મોકલવા તેમને જણાવાયું હતું. આ અધિકારીએ કરેલી તપાસને પરિણામે કેટલાક આરોપીઓને સેશન્સ કોર્ટમાં ઊભા કરવામાં આવ્યા હતા. ઓગસ્ટની ૨૩મી તારીખે સેશન્સ જજ તરીકે ફાર્બસે આ ખટલાનો ચુકાદો આપ્યો જેમાં તેમણે ૪૭ જણાને ગુનેગાર ઠરાવ્યા હતા. તેમાંના બેને ફાંસીની સજા ફરમાવી હતી. બીજા અગિયારને આજીવન કાળાં પાણીની સજા કરી હતી. બાકીનાને વધતી ઓછી મુદ્દતની જેલની સજા કરી હતી. ઝડપી અને વ્યાજબી ચુકાદા માટે ફાર્બસની પ્રશંસા થઇ.

૧૮૫૮ના માર્ચની ૨૪મી તારીખે ફાર્બસની બદલી ખાનદેશના જજ તરીકે થઇ. આ બદલીથી ફાર્બસ નાખુશ થયા હતા, કારણ પોતાના પ્રિય ગુજરાતથી તેમને દૂર જવું પડે તેમ હતું. હજી કાઠિયાવાડના ઇતિહાસ અને સંસ્કૃતિ વિષે ઘણું જાણવાનું બાકી છે એમ તેઓ માનતા હતા, અને એટલે કેટલોક વખત ત્યાં ગાળવા ઇચ્છતા હતા. આથી કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જગ્યાએ પોતાની બદલી કરવામાં આવે એવી તેમણે સરકારને વિનંતી કરી. એ વખતે પોલિટિકલ એજન્ટને જજ કરતાં ઓછો પગાર મળતો હતો તે જાણવા છતાં ફાર્બસે ગુજરાત પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને આ અરજી કરી હતી. પણ સરકારે તેમની આ વિનંતી તે વખતે તો સ્વીકારી નહિ. પણ થોડા વખત પછી એવા સંજોગો ઊભા થયા કે ફાર્બસને કાઠિયાવાડ મોકલવાનું સરકાર માટે જરૂરી બન્યું. પૂનાથી ગવર્નર લોર્ડ એલ્ફિન્સ્ટને ધૂળિયા તાર મોકલ્યો જેમાં લખ્યું હતું કે તમારી સાથે અગાઉથી વાત કર્યા વગર તમને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવાનું મારે માટે અનિવાર્ય બન્યું છે. તમે આ જવાબદારી વહેલામાં વહેલી તકે ઉપાડી લો એ ખૂબ જ મહત્ત્વનું છે. આ તાર મળ્યેથી મુંબઈ જવા તરત રવાના થજો. વધુ વિગતો ટપાલથી જણાવું છું. ૧૮૫૯ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ફાર્બસે કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટની જવાબદારી સંભાળી લીધી. ફાર્બસને આ રીતે તાબડતોબ કાઠિયાવાડ મોકલવાનું કારણ હતું ઓખામંડળના વાઘેરોએ કરેલો બળવો. ગાયકવાડ સરકાર સામે બગાવત કરીને આ વાઘેરોએ બરવાળા, દ્વારકા, અને બેટ કબજે કરી લીધા હતા. તેની આસપાસના પ્રદેશો પર પણ તેમની નજર હતી. તેમની સામે લડવા માટે બ્રિટિશ લશ્કરને મેદાનમાં ઉતારવાને બદલે ફાર્બસે કૂનેહપૂર્વક જૂનાગઢના નવાબની ફોજને એ જવાબદારી સોંપી. બંને વચ્ચે મોટું ધીંગાણ થયું અને છેવટે વાઘેરો હાર્યા. ત્યાર બાદ એ પ્રદેશમાં વ્યવસ્થા સ્થપાઈ અને સરકારે દ્વારકામાં એક પોલિટિકલ ઓફિસરની નિમણૂક કરી. આજીવિકા માટે ચોરી ને લૂંટફાટ કરવાને બદલે વાઘેરોને ખેતી કરવા સમજાવ્યા. સાથોસાથ લશ્કરમાં એક વાઘેર બટાલિયન બનાવી જેથી વધુ લડાયક મિજાજવાળા વાઘેરો તેમાં જોડાઈ શકે. જૂનાગઢના નવાબે પોતાની અલગ ફોજ ઊભી કરી તે અંગે અગાઉ બ્રિટિશ સરકાર નારાજ હતી. પણ ફાર્બસે સરકારને જણાવ્યું કે વાઘેરોનો સામનો કરવામાં એ ફોજ ખૂબ ઉપયોગી થઇ છે અને નવાબનો ઈરાદો ક્યારે ય એ ફોજને બ્રિટિશ લશ્કર સામે ઊભી કરવાનો છે જ નહિ. બલકે, આ કિસ્સામાં બન્યું હતું તેમ સરકાર પોતાના લશ્કરને બદલે નવાબની ફોજનો ઉપયોગ ભવિષ્યમાં પણ કરી શકે છે. વાઘેરોનો આખો મામલો ફાર્બસે જે રીતે સંભાળી લીધો તે અંગે સરકારે તેમનો આભાર માનતો પત્ર લખ્યો. ૧૮૬૦ના ફેબ્રુઆરીની ૨૪મીએ લખેલા પત્રમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાએ લખ્યું : “જૂનાગઢને લગતી બાબતો અંગે અને એ રાજ્યના ભવિષ્યના શાસન અંગે એક્ટિંગ પોલિટિકલ એજન્ટે તેમના અહેવાલમાં જે લખી જણાવ્યું છે તે જોતાં જણાય છે કે ફાર્બસ જેવા કુશળ અને વિવેકબુદ્ધિ ધરાવતા અફસરને આ કામ સોંપતી વખતે સરકારે જે આશા રાખી હતી તે પૂરેપૂરી યોગ્ય હતી.”૮   

આ કામગીરી પૂરી થયા પછી ફાર્બસ ફરી પાછા સુરત ગયા અને ૧૮૬૦ના માર્ચની ૨૫મી તારીખથી એક્ટિંગ જજ તરીકેની કામગીરી સંભાળી લીધી. ૧૮૬૧ના માર્ચમાં હેન્રી એન્ડરસન લાંબી રજા પર જતાં સરકારે ફાર્બસની નિમણૂક એક્ટિંગ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ તરીકે કરી. ત્યાર પછી થોડા જ વખતમાં તેમને મુંબઈની સદર અદાલતના એક્ટિંગ જજની જગ્યા ઓફર કરવામાં આવી. (આ સદર અદાલત તે હાલની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી અદાલત હતી.) ૧૮૬૧ના ડિસેમ્બરની ૧૩મી તારીખે ગવર્નર જ્યોર્જ રસેલ કલાર્કે લખ્યું :

“તમને સદર અદાલતમાં કામ કરવું ગમશે? જો ગમે તેમ હોય તો મારે તમારી નિમણૂક સદર અદાલતમાં કરવી જોઈએ. અલબત્ત, એમ કરતાં જ્યુડીશિયલ એન્ડ પોલિટિકલ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ તરીકેનો તમારો લાભ મને મળતો બંધ થશે.”૯ 

૧૮૬૧ના નવેમ્બરની ૨૩મીથી ફાર્બસે મુંબઈમાં આ હોદ્દો સંભાળી લીધો. પણ એ વખતે આ અદાલતના  છેલ્લા દિવસો ગણાતા હતા. કારણ ૧૮૬૧ના ઓગસ્ટની ૬ઠ્ઠી તારીખે બ્રિટિશ પાર્લામેન્ટે ‘ઇન્ડિયન હાઈ કોર્ટ એક્ટ’ પસાર કરી દીધો હતો. આ કાયદા હેઠળ કલકત્તા, મદ્રાસ અને બોમ્બે ખાતે હાઈ કોર્ટની સ્થાપના કરવા માટેનું હુકમનામું જારી કરવાની સત્તા બ્રિટનનાં મહારાણીને આપવામાં આવી હતી. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ કાયદા દ્વારા આ ત્રણ અદાલતો સ્થપાઈ નહોતી, પણ કાયદા દ્વારા એમ કરવાની સત્તા મહારાણીને આપવામાં આવી હતી. એટલે ૧૮૬૨ના જૂન મહિનાની ૨૪મી તારીખે બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતું હુકમનામું મહારાણીએ બહાર પાડ્યું હતું. તેમાં બોમ્બે હાઈ કોર્ટમાં કુલ છ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. આ છમાંના એક હતા એલેક્ઝાન્ડર ફાર્બસ. આમ તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા છ ન્યાયાધીશોમાંના એક બન્યા. બોમ્બે હાઈ કોર્ટની સત્તાવાર વેબ સાઈટ પર લખવામાં આવ્યું છે : 

“મિસ્ટર જસ્ટિસ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ આઈ.સી.એસ. હિન્દુસ્તાનની સનદી સેવાના સભ્ય હતા અને ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઇ ત્યારે જે પહેલા છ ન્યાયાધીશોની નિમણૂક થઇ તેમાંના તેઓ એક હતા. તેઓ પોતાના જમાનાના એક ઉમદા ન્યાયાધીશ હતા. આ દેશ વિષે તેઓની ઊંડી જાણકારી, હિન્દુસ્તાનની ભાષાઓ, તેના રીતરિવાજો પશ્ચિમ ભારતનું લોકસાહિત્યની જાણકારી વગેરેને લીધે તેઓ હિન્દુસ્તાનીઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના સ્વભાવમાં એક ‘સંતનાં લક્ષણો’ જોવા મળતાં હતાં. યુનિવર્સિટી ઓફ બોમ્બેની એલએલ. બી.ની પરીક્ષામાં અપાતા ગોલ્ડ મેડલ દ્વારા તેમની સ્મૃતિ કાયમ કરવામાં આવી છે.”૧૦

(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com

Loading

राहुल गाँधी का हिन्दू धर्म बनाम आरएसएस का हिंदुत्व

राम पुनियानी|Opinion - Opinion|12 July 2024

राम पुनियानी

लोकसभा के हालिया (2024) चुनावों के परिणामों ने संसद को बहस और चर्चा का सार्थक मंच बना दिया है. वहां अब प्रतिपक्ष की आवाज़ भी सुनाई देती है. राष्ट्रपति के अभिभाषण पर धन्यवाद ज्ञापन पर हुई चर्चा के दौरान विपक्ष के नेता राहुल गाँधी ने अपने भाषण में देश के समक्ष प्रस्तुत विभिन्न चुनौतियों और समस्यायों पर चर्चा की. उनके भाषण के एक हिस्से में उन्होंने हिन्दू धर्म की प्रकृति और चरित्र पर भी बात की. उनके भाषण का यह हिस्सा शायद सदन की कार्यवाही से विलोपित कर दिया गया है. राहुल गाँधी ने कहा कि हिन्दू धर्म सत्य और अहिंसा पर आधारित है. “भारत, अहिंसा का देश है, भय का नहीं. हमारे सभी महापुरुषों ने अहिंसा का आचरण करने और भय पर विजय प्राप्त करने की बात कही है.” फिर, भाजपा सदस्यों की ओर इशारा करने हुए उन्होंने कहा, “जो लोग स्वयं को हिन्दू कहते हैं, वे दिन-रात हिंसा और नफरत की बात करते हैं और असत्य बोलते हैं.”

उसके बाद से राहुल के कथन के खिलाफ साधुओं ने कई विरोध प्रदर्शन किए और अहमदाबाद में कांग्रेस के कार्यालय पर हमला हुआ. संघ परिवार यह झूठ फैला रहा है कि राहुल ने सभी हिन्दुओं को हिंसक कहा है. राहुल ने इसके उलट यह साफ़ किया है कि उनकी दृष्टि में हिन्दू धर्म सत्य, अहिंसा और प्रेम पर आधारित है. संघ के नेता कह रहे हैं कि नेहरु से लेकर राहुल गाँधी तक सभी की विचारधारा का ज़मीनी यथार्थ से कोई लेनादेना नहीं रहा है. उनके अनुसार, नेहरु-गाँधी परिवार के सभी नेता केवल अपना वोट बैंक बचाने की जुगत में अल्पसंख्यकों से जुड़े मसले उठाते रहे हैं.

इंडिया गठबंधन के कई नेताओं ने हिन्दू धर्म को मानवतावाद से जोड़ने के राहुल गाँधी के प्रयास का समर्थन किया है. कई सालों से देश में हिन्दू धर्म और हिंदुत्व ये दोनों शब्द इस्तेमाल किये जा रहे हैं. उद्धव ठाकरे ने कहा कि राहुल गाँधी का हिन्दू धर्म ही उनका हिंदुत्व है. आरएसएस ने कर्ताधर्ता नेहरु की इसलिए भी आलोचना करते हैं क्योंकि उनके द्वारा शुरू किये गए साम्प्रदायिकता विरोधी अभियान के निशाने पर आरएसएस था. वे नेहरु के इसलिए भी खिलाफ हैं क्योंकि उन्होंने राष्ट्रपति राजेन्द्र प्रसाद के हाथों सोमनाथ मंदिर के उद्घाटन का विरोध किया है. संघ कहता है कि उसका हिंदुत्व, दयानंद सरस्वती, स्वामी विवेकानंद, बंकिमचन्द्र चट्टोपाध्याय एवं श्यामाप्रसाद मुख़र्जी के विचारों पर आधारित है. सच यह है कि संघ की विचारधारा का दयानंद सरस्वती और स्वामी विवेकानंद के विचारों से कोई लेनादेना नहीं हैं. संघ केवल उन दोनों के नामों का इस्तेमाल लर अपनी विचारधारा को स्वीकार्य बनाने की कोशिश कर रहा है.

हिन्दू धर्म किसी पैगम्बर पर आधारित नहीं है और इसलिए उसकी अलग-अलग ढंग से व्याख्याएं की जाती रही हैं. हिन्दू धर्म के पवित्र ग्रंथों में ‘हिन्दू’ नहीं है. वेदों, उपनिषदों, गीता और मनुस्मृति में कहीं भी यह शब्द नहीं है. इस शब्द का इस्तेमाल सिन्धु नदी के पश्चिम में रहने वाले इस विशाल नदी के पूर्व में रहने वालों के लिए प्रयुक्त करते थे. चूँकि वे ‘स’ का उच्चारण ‘ह’ करते थे इसलिए सिन्धु शब्द हिन्दू बन गया. अतः हिन्दू शब्द का मूल अर्थ था सिन्धु नदी से लेकर समुद्र तक की भूमि पर रहने वाले सभी लोग. इस विशाल भूभाग में मुख्यतः वैदिक धर्म (जिसे हम ब्राह्मणवाद भी कह सकते हैं), आजीवक, तंत्र, नाथ, शैव, बौद्ध व जैन परम्पराएं प्रचलित थीं.

बाद में जैन व बौद्ध धर्मों को छोड़कर, इन सभी परम्पराओं का मिश्रण हिन्दू धर्म कहलाने लगा. ब्राह्मणवाद के अलावा अन्य सभी परम्पराएं ‘श्रमण’ कहलाती थीं. ब्राह्मणवाद और श्रमणवाद में मुख्य अंतर यही था कि ब्राह्मणवाद में जाति प्रथा थी जबकि श्रमणवाद में नहीं थी. हिन्दू धर्म शब्द के उदय के बारे में इतिहासविद डी.एन. झा ने भारतीय इतिहास कांग्रेस, 2006, में अपने अध्यक्षीय संबोधन में कहा था कि, “यह बिलकुल सही है कि यह शब्द (हिन्दू), पूर्व-औपनिवेशिक भारत में प्रचलित था. मगर ब्रिटिश अध्येताओं ने 18वीं सदी के अंत या 19वीं सदी की शुरुआत में इस शब्द का उपयोग करना शुरू किया और धीरे-धीरे यह व्यापक रूप से प्रयुक्त होने लगा. हिन्दू शब्द भारतीय उपमहाद्वीप के उन सभी रहवासियों के लिए प्रयुक्त किया जाता था जो मुसलमान, ईसाई, सिक्ख या जैन नहीं थे.

चूँकि हिन्दू धर्म के कोई निश्चित ग्रन्थ और सिद्धांत नहीं थे इसलिए ब्राह्मणवादियों ने वेदों और मनुस्मृति को पवित्र ग्रन्थ घोषित कर दिया. हिन्दू धर्म की समझ में भी अंतर हैं. अम्बेडकर के दृष्टि में ब्राह्मणवाद और जाति प्रथा ने हिन्दू धर्म को जकड रखा है. यही कारण है कि उन्होंने मनुस्मृति का दहन किया. दूसरी ओर महात्मा गाँधी स्वयं को सनातनी हिन्दू कहते थे. उन्होंने ‘यंग इंडिया’ के 6 अक्टूबर 1921 के अंक में लिखा, “हिन्दू धर्म सभी से कहता है कि वे अपनी-अपनी आस्था और धर्म के आधार पर ईश्वर की आराधना करें और इस प्रकार वह अन्य धर्मों के साथ शांतिपूर्ण सहअस्तित्व बनाये रख पाया है.” यही तो बहुवाद है. यही तो अंतर्धार्मिक रिश्तों की बुनियाद होनी चाहिए. और अब राहुल गाँधी ने कहा है कि सत्य, प्रेम और अहिंसा हिन्दू धर्म का मूल आधार हैं.

हिंदुत्व शब्द को 1892 में चंद्रकांत बसु ने गढ़ा था और इसे आध्यात्मिक ऊंचाईयां अर्जित करने के आदर्शवादी लक्ष्य से जोड़ा था. राजनीति के सन्दर्भ में हिंदुत्व शब्द के इस्तेमाल की शुरुआत सावरकर ने अपनी पुस्तक ‘एस्सेनशियल्स ऑफ़ हिंदूइस्म” (1923) में इसे परिभाषित कर की थी. सावरकर का हिंदुत्व आर्य नस्ल, सिन्धु से समुद्र तक की पवित्र भूमि एवं ब्राह्मणवादी संस्कृति तक सीमित है. सावरकर, बौद्ध धर्म के अहिंसा के सिद्धांत के कड़े आलोचक थे और मानते थे कि बुद्ध द्वारा अहिंसा का प्रचार करने से ही भारत कमज़ोर बना. यह कहना इतिहास की गलत समझ पर आधारित है. उस समय आधुनिक अर्थ में भारत जैसा कोई राष्ट्र नहीं था. और अगर हम राजाओं के साम्राज्यों को राष्ट्र मानें तो हमें यह याद रखना चाहिए कि सम्राट अशोक, जिन्होंने बौद्ध धर्म अपना लिया था, का साम्राज्य प्राचीन भारत का सबसे बड़ा साम्राज्य था. सावरकर के अनुसार हिन्दू केवल वही है जिसकी पितृभूमि और पवित्रभूमि दोनों भारत में हैं.

सावरकर से सीख लेकर आरएसएस इस्लाम और ईसाईयत को विदेशी धर्म मानता है और प्राचीन धर्मग्रंथों (मनुस्मृति आदि) का अनुमोदन करते हैं. संघ ने हिंसा को अपनी विचारधारा का हिस्सा बना लिया है और नागपुर स्थित उसके मुख्यालय में तरह-तरह के हथियारों का संकलन हैं, जिनकी दशहरा के दिन पूजा की जाती है. आरएसएस की शाखाओं में मुस्लिम शासकों जैसे बाबर और औरंगजेब का दानवीकरण कर और हिन्दू राजाओं जैसे राणाप्रताप, शिवाजी और पृथ्वीराज चौहान का महिमामंडन कर नफरत फैलाई जाती है. आरएसएस राष्ट्रीय स्वाधीनता आन्दोलन को भी पसंद नहीं करता क्योंकि उसमें सभी धर्मों के लोगों ने भाग लिया था.

संघ का दावा है कि वह हिन्दुओं का प्रतिनिधि है और वह मंदिरों के विध्वंस, बीफ और जबरिया धर्मपरिवर्तन जैसे भावनात्मक मसले उठाता रहता है. संघ नफरत फैलता है, यह बात सरदार वल्लभभाई पटेल ने 1948 में संघ पर प्रतिबन्ध लगाने के बाद कही थी. उन्होंने कहा था, “उनके सभी भाषण, सांप्रदायिक जहर से भरे रहते थे जिसके अंतिम नतीजे में देश को गांधीजी के बेशकीमती जीवन के बलिदान की पीड़ा से गुजरना पड़ा.”

जहाँ महात्मा गाँधी और राहुल गाँधी जैसे नेता हिन्दू धर्म के मानवीय पक्ष पर जोर देते हैं वही सावरकर से प्रेरित आरएसएस नफरत और हिंसा की राह पर चलते रहे हैं. अम्बेडकर ने भी हिन्दू धर्म पर ब्राह्मणवादियों के वर्चस्व की खिलाफत की थी. राहुल गाँधी, हिन्दू धर्म को समावेशी और अहिंसक चरित्र देने का प्रयास कर रहे हैं.

10 जुलाई 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...503504505506...510520530...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved