Opinion Magazine
Number of visits: 9557341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુ, તમારી આશ્રમ ભજનાવલિની તાતી જરૂર!

વિજય ભટ્ટ|Gandhiana|1 October 2024

પ્રિય બાપુ,

પ્રણામ!

વિજય ભટ્ટ

શ્રાદ્ધ પક્ષ ચાલે છે. કૌટુંબિક પૂર્વજોને અંજલિ આપીએ છીએ. તમારી જન્મ તિથિની આગલી સાંજે દુનિયામાં ત્રણ મોટા ખુલ્લા યુદ્ધો, અને કેટલીયે આંતરિક લડાઈ ચાલે છે. ભારતમાં પણ ધાર્મિક ઝઘડા ચાલ્યા કરે છે.

ભારતના બધા જ નેતાઓ તમારાં પૂતળાને સૂતરનો હાર ચઢાવશે અને ભાષણો કરશે, કેટલાક રેંટિયો સાથે ફોટો પડાવશે, કેટલા યકવિઓ નવી ગાંધી-કવિતા રચશે, કેટલીક શાળાઓનાં પાઠ્યપુસ્તકમાંથી તમારા પાઠ જ કાઢી નાખ્યા છે તો પણ તે શાળાઓમાં ગાંધી જયંતીની રજા પડશે તેનો બાળકોને આનંદ, શિક્ષકો ને છુટ્ટી! એક દિવસ ‘ગાંધી ગાંધી’ના નગારા વાગશે.

પણ … ઑક્ટોબરની ત્રીજી તારીખથી રાબેતા મુજબ ગાંધી મૂલ્યોનો હ્રાસ યથાવત ચાલુ!

તમારી આત્મકથા વાંચવાનો કોઈને સમય નથી. એ તો દંતકથામાં ખપી જાય છે. તમારા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની વાતો કોઈ ને ગળે ઉતરતી નથી, તે સમજાવવી કેવી રીતે?

તો અમારે કરવું શું?

ગોડસેના ચાહકોએ વોટ્સ-એપ, યુ ટબ ને ડિજિટલ માધ્યમો પર કાબૂ કરી તમને બદનામ કરવામાં કશું જ બાકી નથી રાખ્યું. FAKE ન્યૂઝની મદદથી સત્યના સાધકને અસત્યની તલવારથી રોજ રહેંસે છે.
સ્વતંત્રતા તમારા કરેલાં કર્યોથી મળી જ નથી, પરંતુ એ તો બીજાઓને લીધે અને બીજા કારણોથી મળી છે, આમ ખુલ્લેઆમ લોકોને મનાવવામાં આવે છે.

તો અમારે કરવું શું?

ભારતની પ્રજા આજકાલ રામ રાજ્યમાં માને છે. તેથી કહે છે કે જો મોહનદાસ ગાંધી અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય તો કદાચ અમે માનીએ કે એક લાકડી અને પોતડીથી તમે અંગ્રેજોને ભગાડેલા. બાકી તો તમારાં ઉપવાસ, લખાણ, સત્યાગ્રહોની વાતોને લોકો હસી  કાઢે છે.

તો અમારે કરવું શું?

એકાએક મારી નજર બાપુ તમારાં પુસ્તકોના વિભાગમાં સાવનાની પુસ્તિકા, આશ્રમ ભજનાવલિ પર પડી છે.

ચાલો, અજમાવી જોઈએ આ આશ્રમ ભજનાવલિની આધ્યાત્મિક અને માનવતાવાદી તાકાત!

એ એક સાધન રહ્યું છે બાકી, લોકોનાં હૃદય સુધી પહોંચવાનું.

કેટલી મહેનત કરી ને શાસ્ત્રી ખરેએ તૈયાર કરી! કિશોરલાલ મશરૂવાળાએ શ્લોકોનું સંસ્કૃતમાંથી ભાષાંતર કર્યું ! ભજનોમાં પ્રથમ જ – ઈશાવાસ્યમ …… તેન ત્યક્તેન ભુંજીથાથી જે શરૂઆત કરી છે! બધી ભાષા અને બધા ધર્મોનાં ભજન અને પ્રાર્થના છે. સર્વધર્મ સમભાવનું સૌથી સબળ પ્રતીક જો હોય તો બાપુ આ તમારી આશ્રમ ભજનાવલિ.

કદાચ અસર કરે!

વલ્લભ વિદ્યાનગરમાં શાળામાં રોજ સવારે ઘંટ વાગે પછી સમૂહ પ્રાર્થના સભામાં આશ્રમ ભજનાવલિમાંથી એક બે પ્રાર્થના ગાવાનો શિરસ્તો. ખાદીધારી આચાર્યો છોટુભાઈ સુથાર સાહેબ અને પછી પાઠક સાહેબનો ખાસ આગ્રહ કે આશ્રમ ભજનાવલિમાંથી જ. દરરોજ પ્રાર્થના સંગીત સાથે ગાવી. એ જવાબદારી શાળાના બધાં જ વર્ષ દરમ્યાન મને મળી તે મારા જીવનનો એક લ્હાવો હતો!

વળી ખાદીધારી કવિ કરસનદાસ માણેક ખભે થેલો લટકાવીને, ભાઇકાકા અને એચ.એમ. પટેલના આગ્રહથી મહિને એક-બે વાર નિયમત વલ્લભ વિદ્યાનગર આવતા, અને તે પણ સાંજે રામ-કૃષ્ણ મિશનના પ્રાર્થના ખણ્ડમાં આશ્રમ ભજનાવલિનાં ભજન ગાઈ ને સમગ્ર વિદ્યાનગરના વિવિધ વિદ્યાર્થીઓને એક સૂત્રે બાંધતા. તેમાં પણ તેમની સાથે બેસીને ભજન ગાવાનો અને હાર્મોનિયમ પર સાથ આપવાનો લાભ યાદ કરું છું તો આજે પણ રુંવાડા ઊભા થઇ જાય છે.

બાપુ, આશ્રમ ભજનાવલિનું મહત્ત્વ એ છે કે તમને અને સૌ સ્વતંત્ર સેનાનીઓને એ પ્રાર્થનામાંથી અંગ્રેજોને ભગાડવા માટેની નૈતિક તાકાત, એકતા, અને બળ મળેલા. અને એ ક્રમ તમે અંત સુધી ચાલુ જ રાખ્યો હતો.

એ રીતે જોતાં એ એક નીવડેલ સાધન લાગે છે.

જો કદાચ જુઠ્ઠા ડિજિટલ માધ્યમ અભિપ્રાય બદલી શકે, તો ચાલો પ્રયત્ન કરીએ કે આશ્રમ ભજનાવલિનાં ભજનોથી લોકોનાં હૃદયમાં સહિષ્ણુતા ભાવ પ્રગટે – 

સબ કો સંમતિ દે ભગવાન!

લિ. વિજય ભટ્ટના પ્રણામ

****

લોસ એન્જલ્સ, ઓક્ટોબર ૧, ૨૦૨૪, ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા.
e.mail : vijaybhatt01@gmail.com

Loading

વણી લે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|1 October 2024

લોભ પર થોભને ઉતારી વણી લે,

શીખ દેનારની ચતુરી વણી લે.

લોભિયા માણસો જ ચીકાશ કરશે,

આશને મારવા કરારી વણી લે.

 વેદનાને અલગ કરી તારવી લે,

 ફક્ત અસ્તિત્વની મઠારી વણી લે.

મૂલ્ય અંકાય ત્યાં જ સંવેદના છે,

શ્વાસ રુંધાય તો મક્કારી વણી લે.

આત્મને ગ્લાનિ થાય તે સાદ કરશે,

જૂઠના કાટ પર ઉધારી વણી લે.

ડર નહી રોફ છાંટનારા ઘણા છે!

રોફ-રુઆબને લવારી વણી લે.

લેખ પણ હાંસિયા વગરનો ન ચાલે,

તું કહાની લખી કસ્તૂરી વણી લે.

અમદાવાદ
e.mail : addave68@gmail.com

Loading

સમજણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|1 October 2024

‘રેણુકા’.

‘હા …. બા’. 

‘આજે નીલમ આવે છે, અજય તેને તેડવા ગયો છે. પણ, બેટા, ગયા વખતે નીલમ આવી ત્યારે ઘરનું વાતાવરણ તેણે ડહોળી નાખ્યું હતું. તું મનમાં કંઈ ન લાવીશ, એ હૃદયની ચોખ્ખી છે.’ 

ગયા વખતે નીલમ આવી ત્યારે એ આવી હતી તો પૂરું વેકેશન રહેવા માટે પણ નાની નાની બાબતોમાં ચંચુપાત કરવો, ઘરની બાબતોમાં દખલ દેવી અને ખાસ તો રેણુકા સાથેના મોટાપણાથી અભિમાનભર્યો વ્યવહાર કરવો વગેરે બાબતથી ઘરનું વાતાવરણ બગડી જવાથી અઠવાડિયું રહીને જ પાછી જતી રહી હતી.

નીલમનો સ્વભાવ એક જ દીકરી અને ભાઈથી મોટી હોવાથી વધુ પડતા લાડ પ્યારથી આધિપત્યવાળો થઈ ગયો હતો. કોઈ સલાહ શિખામણ આપે તે તેને જરા પણ ગમતું નહોતું. મનસુખભાઈ અને તેનાં ધર્મપત્ની ઘણી વખત સમજાવતાં પણ તે આધિપત્યને પોતાનું સ્વમાન ગણતી અને વાતાવરણને ઉગ્ર કરી નાખતી.

‘બા, તમે જરા પણ ચિંતા ન કરતાં. મારા મનમાં નીલમબહેન માટે કોઈ અભાવો નથી. તેમને મોટા હોવાનું સ્વમાન કે ગુમાન સમય જતાં સમજાશે. મેં આજે તેમને ભાવતી રસોઈ બનાવી છે. હું બધું સંભાળી લઈશ.’

મનસુખભાઈને દીકરો અજય અને દીકરી નીલમ હતી. નીલમ મોટી હતી અને ખૂબ જ લાડકોડમાં ઉછરી હતી. મોટા હોવાના સ્વમાન સાથે થોડું અભિમાન પણ હતું. નીલમના લગ્ન મનસુખભાઈના મિત્ર જયસુખભાઈના દીકરા વિપુલ સાથે થયા હતા.

જયસુખભાઈને વિપુલ મોટો દીકરો અને મીના દીકરી હતી. મીનાના પણ લગ્ન કરી નાખ્યા હતા. વિપુલ મીનાનો મોટો ભાઈ હોવાથી નીલમ સાસરે પણ મોટી હતી એટલે ત્યાં પણ મોટા હોવાનું માન, સ્વમાન મળતું. નીલમનો અહીં પિયર કરતાં જુદો વર્તાવ હતો. પિયરમાં જેવું વર્તન એ રેણુકા સાથે કરતી હતી, એવું જ વર્તન એ સાસરીમાં મીના સાથે કરતી અને માનતી કે અહીં પણ એ મોટી છે એટલે એ એનો હક છે. મીના પણ જ્યારે, જ્યારે પિયર આવતી ત્યારે પાછી નારાજ થઈને જતી. વિપુલ ઘણીવાર સમજાવતો કે તારું, મીના અને રેણુકાભાભી સાથેનું વર્તન યોગ્ય નથી પણ કોઈ ફેરફાર નીલમમાં થતો નહોતો.

ગયા વેકેશનમાં મીના આવી ત્યારે નીલમ અને વિપુલ મીનાને સ્ટેશને તેડવા ગયાં હતાં. મીના નીલમ અને વિપુલને પગે લાગી ત્યારે પણ નીલમે યોગ્ય પ્રતિભાવ નહોતો આપ્યો. મીનાએ વિપુલ સામે જોયું ત્યારે વિપુલે આંખથી પ્રેમ ભર્યા હલકો ઈશારો આપ્યો હતો કે કંઈ વાંધો નહીં! હું તને પ્રેમથી આવકારું છું અને પછી ઘરમાં મીના સાથે નજીવી બાબતોમાં નીલમે ઘર્ષણ ઊભા કર્યાં હતાં. મીના અઠવાડિયામાં જ સાસરે જતી રહી હતી. વિપુલ અને જયસુખભાઈને બહુ દુઃખ થયું હતું. પણ ઘણું વાતાવરણ વધારે ન બગડે કે કલુષિત ન થાય એટલે ચૂપ રહ્યા હતા.

આ વાત મનસુખભાઈ અને જયસુખભાઈ બંને જાણતા હતા. મનસુખભાઈ અને જયસુખભાઈ બંને મિત્રો હોવાની સાથે વેવાઈના સંબંધથી પણ જોડાયેલ હતા. આથી કૌટુંબિક વાત અને ચર્ચા પણ કરતા ત્યારે જયસુખભાઈ કહેતા, મનસુખ તું ચિંતા ન કરતો, સમય આવે નીલમને પણ યોગ્ય બાબત સમજાશે. અને એ માટેનું વાતાવરણ થોડા સમયમાં જ ઊભું થઈ ગયું.

જયસુખભાઈને કામ સબબ અમદાવાદ જવાનું થયું, તેણે મનસુખભાઈને ફોન કર્યો, ‘મનસુખ, હું અમદાવાદ કામ સબબ આવ્યો છું અને કામ પતાવી તને મળવાની ઈચ્છા છે, તારે નવરાશ છે ને?’

મનસુખભાઈએ કહ્યું, ‘હા, તું ચોક્કસ આવ આપણે મળ્યા ને ઘણો સમય થઈ ગયો છે. મને પણ તને મળવાની ઈચ્છા છે.’

મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાનખંડમાં વાતો કરતા બેઠા હતા. મનસુખભાઈએ પૂછ્યું, ‘જયસુખ આ વખતે મીના વેકેશન પૂરું કર્યા પહેલા જ પાછી જતી રહી, બધું બરોબર ચાલે છે ને?’

‘હા, નીલમ અને મીના વચ્ચે જરા માથાકૂટ થઈ હતી. પણ, એવું તો ઘર હોય ત્યાં ચાલ્યા કરે.’

‘તું મને વાત નહીં કરે પણ મને ખબર છે, નીલમનાં ગેરવર્તનનાં લીધે મીના વેકેશન પૂરું કર્યા વગર પાછી જતી રહી હતી.’

“હા, પણ તું આ બાબતે ચિંતા ન કરીશ, સમય આવે નીલમને સાચી સમજણ આવી જશે. તારી દીકરી છે. ડાહી અને સમજુ છે. આ તો મોટી છે એટલે મનમાં મોટાપણા માટેની થોડી ગેરસમજ ઊભી થઈ છે.’

‘તને એક સમાચાર આપવાના છે. મીનાના પતિની બદલી રાજકોટ થઈ છે. મેં વિપુલ સાથે વાત કરી છે કે મીના એક સારું મકાન ભાડેથી પણ આપણાથી દૂરના વિસ્તારમાં રાખે, છોકરાઓને પણ તેમની જિંદગી જીવવા સવલત આપવી પડે.’

‘ના, જયસુખ ખોટી વાત છે. તું નીલમના મીના સાથેના વર્તનથી પરેશાન છો. મીના ગામમાં હોય એટલે વારંવાર મળવાનું થાય, ઘરે રહેવા આવે બરોબરને? તું ભલે ન કહે પણ મને ખબર છે તું અને વિપુલ નીલમના વ્યવહારથી પરેશાન છો. નીલમને કંઈ નહીં કહીને તું આપણી દોસ્તી નિભાવે છે, એ મને પસંદ નથી.’

‘હા, તારી વાત સાચી છે. તું, વિપુલ, મીના, હું આપણે બધા નીલમના સ્વભાવથી ચિંતિત છીએ, તો તેને કેમ નથી સમજાતું કે ઘરમાં મોટા હોવું, વડીલ હોવું, માન, સ્વમાન મળે, બધાં તેનો મત પૂછે એ જ તેનું ખરું સ્વમાન છે. તેને આધિપત્ય કે ગુમાન નથી ગણવાનું પણ નાના પ્રત્યેની ફરજ અદા કરવાની સુવર્ણ તક મળી છે એમ માની પહેલાં ફરજ અદા કરવાની હક તો આપો આપ મળી જશે.’

નીલમ બંને મિત્રો અને વેવાઈ વચ્ચેની વાત સાંભળતી હતી. એ વિચારમાં પડી ગઈ કે આ લોકોની વાત તો સાચી છે. મારી સમજણમાં કંઈક ખૂટે છે. મારે સમજવું પડે કે વડીલ તરીકેની ફરજો, હક કરતાં મહત્ત્વની છે અને હવે હું એમ જ કરીશ. નીલમે એમ મનથી નક્કી કર્યું. અને મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાનખંડમાં બેસતા ત્યાં આવીને કહ્યું.

‘બાપુજી, પપ્પા તમારી વાત મારે ન સાંભળવી જોઈએ, મને માફ કરશો. પણ તમારી વાતનું તાત્પર્ય મને સમજાયું છે. આજે તમારી લાગણીનું મૂલ્ય મને સમજાયું કે વડીલ હોવું એ જેટલું માન, સ્વમાન માટે મૂલ્ય ધરાવે છે એટલું જ કે એથી વિશેષ નાના પ્રત્યેની ફરજનું મૂલ્ય છે. આજની આપની વાતથી મને નવી સમજણ અને નવી રાહ મળી છે.’

‘પપ્પા, મીનાબહેનની બદલી રાજકોટ થઈ છે. ખૂબ સારું થયું. વિપુલની સાથે મને પણ મીનાબહેનની સાથે રહેવાનો લ્હાવો મળશે અને હું આજે જ મીનાબહેનને ફોન કરીને વાત કરીશ કે આપણા ઘરની નજીકમાં સારું મકાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે સાથે જ રહીશુ. અને પપ્પા, અમે તમને છોડીને જુદા રહેવા જવાના નથી. અમારે તમારી સેવા અને આશીર્વાદથી વંચિત નથી રહેવું. તમે હા પાડશો ત્યારે જ મને ખાતરી થશે કે તમે મને માફ કરી દીધી છે.’

‘હા, બેટા આપણે સાથે જ રહીશુ અને તે કંઈ ભૂલ કરી નથી કે માફ કરવાનો સવાલ ઊભો થાય. બસ અમારે તો તારી ગેરસમજણ દૂર કરવી હતી, જે તારી બુદ્ધિમતા અને સમજણથી દૂર થઈ ગઈ.’

મનસુખભાઈએ અને જયસુખભાઈએ એક બીજાની સામે જોયું કે સમય આવે સાચા સંસ્કારોથી સાચી સમજણ આવે જ છે. સવાલ છે ધીરજથી સ્થિતિ સંભાળવાનો. વ્યક્તિને સાંભળવાનો અને પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો.

ભાવનગર….ગુજરાત.
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...502503504505...510520530...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved