Opinion Magazine
Number of visits: 9665001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

हारते अमरीका की हार 

कुमार प्रशांत|Opinion - Opinion|10 November 2024

कुमार प्रशांत

जोनाथन स्विफ्ट की अमर कृति ‘गुलिवर की यात्राएं’ पढ़ी है आपने ! उसमें गुलिवर घूमते-खोजते एक ऐसे मुल्क में पहुंच जाता है, जहां बौनों का राज है. लगता है, हमारा इतिहास भी घूमते-घूमते ऐसी ही दुनिया में पहुंच गया है जहां सब तरफ बौनों का बोलबाला है भी, होता भी जा रहा है – पुतिन, जिनपिंग, नेतन्याहू,मोदी,मैक्रों, स्टारमर,शोल्ज आदि-आदि. इस सूची के सबसे नये सदस्य हैं डोनल्ड ट्रंप ! वैसे इस अर्थ में ट्रंप नये नहीं हैं कि उनका बौनापन अमरीका भी और दुनिया भी पहले देख व भुगत चुकी है. शोक है तो इस बात का उन्होंने आम अमरीकी को भी अपनी तरह ही बौना बना दिया है. इसमें भी उनकी कोई शिफत नहीं है. इतिहास बताता है कि इंसान व उसका समाज फिसलन की तरफ आसानी से ले जाया जा सकता है, और फिसलन निष्प्रयास नीचे-से-नीचे ही जाती जाती है. ट्रंप फिसलते अमरीका की फिसलन को न केवल तेज करेंगे बल्कि उसे बहुत कुरूप व कर्कश बना देंगे. यह अनुमान नहीं है, अनुभव है. इसलिए मुझे यह लिखना पड़ रहा है कि ट्रंप की यह जीत हारते अमरीका की हार है. किसी व्यक्ति की जीत किसी समाज की हार कैसे बन जाती है, यह अमरीका भी समझेगा और हम भी.

दुनिया में धन और दमन की कलई जैसे-जैसे खुलती जा रही है, अमरीका बौना होता जा रहा है. उसके पास यही दो हथियार रहे हैं जिनसे उसने अपनी पहचान व ताकत बनाई थी. अब दुनिया के बाजार में उसके डॉलर का वह डर नहीं रहा, और यह भी जाहिर होता जा रहा है कि हथियारों की मारक शक्ति से कहीं बड़ी है इंसानों की संकल्प शक्ति ! यह वही बात जिसे महात्मा गांधी ने दुनिया की महाशक्तियों को बताने-समझाने की कोशिश की थी.

गांधी दुनिया के अंगुली भर देशों में भी नहीं गए थे लेकिन दुनिया देखी बहुत थी. इसलिए बहुत कुछ ऐसा कहते-समझाते रहे थे जिसे समझने में हमें सदियां लग गईं.  अभी भी हम उन्हें लेकर भटकते ही रहते हैं. वे कभी अमरीका नहीं गए. कई बार, कई विशिष्ट अमरीकियों ने, जिनमें अलबर्ट आइंस्टाइन भी थे, आग्रह किया था कि वे अमरीका आएं. गांधी ने कभी कुछ कह कर, तो कभी कुछ और कह कर बात टाल दी थी. आइंस्टाइन को लिख दिया कि मैं उस दिन की प्रतीक्षा में हूं कि जब अपने सेवाग्राम आश्रम में मैं आपका स्वागत कर सकूंगा. मतलब यह कि आप यहां आएं, मैं अमरीका आने की नहीं सोचता हूं.

दूसरे गोलमेज सम्मेलन के लिए जब गांधी इंग्लैंड आए तो यह दवाब कई तरफ से बनाया गया कि अब जब आप यहां तक आ ही गए हैं तो अमरीका भी आ जाइए. अमरीका में गांधी के कई चाहक व प्रिय भी थे, तो उनका अमरीका होते आना कतई असंगत नहीं होता. लेकिन गांधी ने कहा तो इतना ही कि मैंने अपने देश में ही कोई सिद्धि हासिल नहीं की है अब तक, तो अमरीका को वहां आ कर क्या दे सकूंगा ! फिर यह भी जोड़ दिया कि जब तक अमरीका दौलत के पीछे की अपनी अंधी दौड़ से बाहर नहीं आता है, मेरे वहां आने का कोई मतलब नहीं होगा.

अमरीका उस अंधी दौड़ से बाहर तो कभी नहीं आया, उसने सारी दुनिया को अपने जैसी ही अंधी दौड़ में दौड़ा दिया. जिन्हें ट्रंप अवैध अप्रवासी कहते हैं, जिन दूसरे मूल के वैध अमरीकियों को श्वेत अमरीकी जलती आंखों से देखते हैं, वे सब इसी अंधी दौड़ के धावक हैं. अमरीका ने सारी दुनिया से साम-दाम-दंड-भेद के बल पर जो दौलत निचोड़ी है, ये सब उसमें हिस्सेदारी मांगते हैं. अगर दौलत लूट लाना वैध है तो उसमें हिस्सेदारी अवैध कैसे है, यह समझना बहुत टेढ़ी खीर तो नहीं है.

इस अंधी दौड़ में दौड़ते-दौड़ते अब अमरीका का भी और दुनिया का भी दम टूट रहा है. यह स्थिति इसलिए भी ज्यादा घातक बन गई है क्योंकि उदार-लोकतांत्रिक ताकतों की अयोग्यता की वजह से हर देश में निराशा व्याप्त है. सामान्य जीवन जीना इतना कठिन व खतरों से भरा बन गया है कि इंसान हर नई आवाज की तरफ लपक रहा है. यदि उदार-लोकतांत्रिक ताकतों ने ईमानदारी से अपने-अपने देशों की वैकल्पिक ताकतों को संयोजित कर वह कुछ हासिल किया होता जिसकी ललक आम आदमी को होती है, तो दक्षिणपंथी-तानाशाही ताकतें इस तरह वापसी नहीं कर पातीं. लेकिन सत्ता को अंतिम प्राप्य मान कर बैठ जाने वाला तथाकथित उदार-लोकतांत्रिक नेतृत्व व्यापक निराशा व असंतोष का जनक बन गया है. बाइडन जैसों को एक दिन के लिए भी राष्ट्रपति क्यों बनना चाहिए था ? कमला हैरिस को हारना ही था क्योंकि वे बाइडन से अलग थी ही नहीं. इसलिए राष्ट्रपति बदलते हैं, अमरीका नहीं बदलता है. बराक ओबामा जैसा आदमी आया तो वह भी कुछ बदल नहीं सका. तो फिर ट्रंप से कैसी शिकायत ! लेकिन शिकायत है – गहरी व तीखी शिकायत है.

कमजोर होने में और कमजोर करने में बहुत बड़ा फर्क है. ट्रंप बिरादरी के बौनों की हकीकत यह है कि उनके पास देने के लिए कुछ भी नहीं है – न दिशा, न साहस, न सपने, न उदारता. उनके पास कहने के लिए भी कुछ उदार, कुछ मानवीय, कुछ उदात्त नहीं है. उनके पास सत्ता का दंभ व मनमानापन है, अकूत सार्वजनिक धन है, असहमति से घृणा है, असहमतों के प्रति क्रूरता है. बौनों की जो सूची मैंने शुरू में दी है, वे सब इन्हीं ताकतों के बल पर टिके हैं.

ट्रंप कमजोर होते अमरीका को जल्दी व ज्यादा कमजोर कर देंगे क्योंकि उनके पास महंगाई, बेरोजगारी को हल करने की कूवत नहीं है. वे अवैध अप्रवासियों का भूत उसी तरह खड़ा कर रहे हैं जिस तरह हमारे यहां अल्पसंख्यकों का भूत खड़ा किया जाता है. इसमें बदला लेने की मनुष्य की हीन भावना को उकसाया जाता है. यह उकसावा आसान भी है तथा यह आपको दूसरी जिम्मेवारियों से बच निकलने की गली भी देता है. अपने पिछले पांच साल के राष्ट्रपति-काल में ट्रंप ने अमरीकी समाज की एक भी मुसीबत का हल नहीं निकाला, अमरीका को हर तरह से उपहास का पात्र जरूर बनाया. उनमें अपनी हार स्वीकार करने की शालीनता भी नहीं रही. उन्होंने अमरीकी समाज के गुंडा-तत्वों को ललकार कर बुनियादी लोकतांत्रिक शील की भी खटिया खड़ी कर दी. वे आगे भी ऐसा ही करेंगे, क्योंकि इसके अलावा वे कुछ जानते नहीं हैं.

हमारा हाल यह है कि हमें प्रिय मित्र ट्रंप’ की जीत ऐसी लग रही है मानो डोनल्ड ट्रंप ने अमरीका के राष्ट्रपति का नहीं, भारत के राष्ट्रपति का चुनाव जीता है. उनके चुनाव जीतने से जितने खुश अमरीकी नहीं हैं, उससे ज्यादा भारत के सत्ताधारी व उस मानसिकता के लोग खुश हैं. अपने यहां के लोकसभा चुनाव में, उनके तईं जो कसर रह गई थी, मानो अमरीका ने ट्रंप जो चुन कर वह कसर पूरी कर दी है. यह भारत के अमरीका बनने का नया अध्याय है. यह हारते अमरीका के हारने के नये अध्याय का प्रारंभ है.

(09.11.2024) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

હિન્દુ દર્શન અને હિન્દુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે

રમેશ ઓઝા|Opinion - Opinion|10 November 2024

રમેશ ઓઝા

હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્ક્યુબેટરમાં છે અને એ ઇન્કયુબેટર બી.જે.પી. સીસ્ટમનું બનેલું છે. અધૂરા મહીને જન્મેલા બાળકને કે બીજાં અશક્ત બાળકોને ઇન્કયુબેટરમાં એટલા માટે રાખવામાં આવે છે કે તે ગર્ભબાહ્ય વાતાવરણમાં જીવવાની ક્ષમતા કેળવે, એ વાતારણ અપનાવતું થાય અને વાતાવરણ પણ એ બાળકને તેની શારીરિક વિશેષતાઓ સાથે સ્વીકારે. જે વિશેષ સુરક્ષા આપવામાં આવે છે એ તો બાળક સ્વતંત્ર રીતે જીવતું થાય એ માટેની હોય છે. કેટલાંક બાળકો સ્વતંત્રપણે જીવવાની ક્ષમતા કેળવી લે છે અને જે નથી કેળવી શકતાં એ મૃત્યુ પામે છે.

૨૦૧૪થી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં છે અને તેમાંથી બહાર કાઢવામાં નથી આવતું, કારણ કે તેમને ભય છે કે જો રાજ્ય નામનાં ઇન્કયુબેટરને હટાવવામાં આવશે તો એ જીવી નહીં શકે. માટે રાજ્ય છીનવાઈ ન જાય એ માટે તેમણે બી.જે.પી. સીસ્ટમ વિકસાવી છે. બી.જે.પી. સિસ્ટમનાં લક્ષણો આ પહેલાના લેખમાં બતાવવામાં આવ્યાં હતાં. પ્રજાને વિકલ્પશૂન્ય કરી નાખવી. હિંદુરાષ્ટ્રનો વિરોધ કરનારા રાજકીય વિકલ્પ જ ન બચે તો રાજ્ય કોણ કબજે કરશે? જ્યાં સુધી સત્તા દ્વારા રાજ્ય પર કબજો છે ત્યાં સુધી હિંદુરાષ્ટ્ર રાજ્ય નામનાં ઇન્કયુબેટરમાં સુરક્ષિત છે.

પણ ક્યાં સુધી? લાખ રૂપિયાનો સવાલ આ છે. બહુમતી પ્રજાની સ્વીકૃતિ વિના અને બહુમતી પ્રજાની ભાગીદારી વિના માત્ર સત્તા દ્વારા રાજ્યનો કબજો કરીને કોઈ કલ્પનાને ક્યાં સુધી જીવાડી શકાય? રાજ્યાશ્રય લોકાશ્રયની જગ્યા લઈ શકે? આવો ઇતિહાસમાં કોઈ દાખલો ઉપલબ્ધ છે? આનો અર્થ એવો નથી કે ભારતીય રાષ્ટ્રની કલ્પના ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતીય રાષ્ટ્રે અપનાવેલી બંધારણીય વ્યવસ્થા ખામીરહિત છે. આનો અર્થ એવો પણ નથી કે ભારતની તમામ પ્રજા ભારતીય રાષ્ટ્રની કલ્પનાની સમર્થક છે અને કોઈ વિરોધ નથી કરતું. કોણ વિરોધ કરે છે અને કઈ વાતે વિરોધ કરે છે એ આ દેશમાં બધા જાણે છે. એમાં સમયે સમયે સુધારા થઈ શકે છે અને અત્યારે ભારતીય રાષ્ટ્રની કલ્પના સામે જે પડકાર પેદા થયો છે એ સુધારા માટેનો છે. સુધારાની ગુહાર દાયકાઓથી લગાવવામાં આવતી હતી, પરંતુ ભારતીય રાષ્ટ્રનો વિરોધ કરનારાઓ અને તેને મિટાવીને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગનારાઓ સત્તાથી જોજન દૂર હતા અને તેઓ ક્યારે ય પોતીકી બહુમતી સાથે સત્તા સુધી નહીં પહોંચી શકે એવી ધારણાથી દોરવાઈને કોઈએ તે ગુહારને ગંભીરતાથી લીધી નહોતી. એટલે સમયસર સુધારા ન થયા પણ હવે કરવા પડે એમ છે. જો વિચાર કે કલ્પના પ્રાસંગિક હોય તો તેની સામે પેદા થતા પડકારો અને સંકટ તેમાં સુધારાના અવસર બનીને આવે છે, તે જીવાદોરી ટૂંકાવતા નથી, પણ લંબાવી આપે છે.

પણ એ કરે કોણ?

રાહુલ ગાંધી

તમે જો ભારતનાં રાજકીય પરિદૃશ્ય પર નજર કરશો તો એક માત્ર રાહુલ ગાંધી છે જેને આ વાત સમજાઈ ગઈ છે. હિંદુરાષ્ટ્ર લોકાશ્રિત નથી, રાજ્યાશ્રિત છે અને જે લોકાશ્રિત ન હોય તેનું લાંબુ ભવિષ્ય ન હોય. એટલે તેઓ શબ્દ ચોર્યા વિના કે હિંદુઓથી ડર્યા વિના સ્પષ્ટ ભાષામાં વિનાયક દામોદર સાવરકર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર સીધા હુમલા કરી રહ્યા છે. તેમણે જે હિંદુ પેદા કર્યા છે એ સાચા હિંદુ નથી. હિંદુ દર્શન અને હિંદુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે. કેટલાક હિંદુઓનાં માનસ પર કબજો કરવામાં તેમને સફળતા મળી છે, પણ બહુમતી હિંદુઓ હિન્દુત્વના પુરસ્કર્તા નથી. એક જમાનામાં જવાહરલાલ નેહરુ આ ભાષામાં બોલતા હતા. એ પછીનાં વર્ષોમાં કાઁગ્રેસના નેતાઓએ હિંદુ મધ્યમવર્ગથી ડરીને બોલવાનું બંધ કરી દીધું હતું. રાહુલ ગાંધીનાં મુખે ફરી એક વાર નેહરુની ભાષા સાંભળવા મળી રહી છે.

બીજી બાજુ ભારતીય રાષ્ટ્ર કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષોએ નિરાશ કર્યા હોવા છતાં લોકાશ્રિત છે. હજુ પણ બહુમતી હિંદુઓ ભારતીય રાષ્ટ્રમાં શ્રદ્ધા ધરાવે છે અને હિંદુરાષ્ટ્રથી ડરેલા છે. એક વાત નક્કી છે કે લોકશાહી વિરોધી બી.જે.પી. સીસ્ટમ ગમે એટલી તાકાત લગાવે અને રાજ્ય પર કબજો કરે, પરંતુ એક દિવસ તેનો અંત આવવાનો છે. રાજ્યાશ્રય ક્યારે ય લોકાશ્રયની જગ્યા ન લઈ શકે. રાહુલ ગાંધીએ એવા હિંદુઓને નોખા તારવાનું શરૂ કર્યું છે જે લોકશાહીમાં, સેકયુલરિઝમમાં, સમાનતામાં, બંધારણીય મૂલ્યોમાં, ઉદારમતવાદી નરવી ભારતીય પરંપરામાં, બ્રાહ્મણ-શ્રમણ દર્શને પોષેલી હિંદુ પરંપરામાં, સંતોએ પ્રબોધેલી માનવતામાં શ્રદ્ધા ધરાવે છે. આવા હિંદુઓની સંખ્યા ઘણી મોટી છે એ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પછી સ્પષ્ટ થઈ ગયું છે.

અને એક વાત હવે એ પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે હિંદુરાષ્ટ્રની એવી કોઈ કલ્પના જ નથી જેને લોકો સ્વીકારે. બહુમતી હિંદુઓ સ્વીકારે. જેમાં લઘુમતી કોમ અભયનો અનુભવ કરે. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર એ જ છે જે અત્યારે જોવા મળી રહ્યું છે, પછી ભલે તેઓ ગમે એવી મોટી વાતો કરે. હિંદુરાષ્ટ્રને ટકાવી રાખવા માટે રાજ્ય પર કબજો કરવો પડે અને રાજ્ય હાથમાંથી સરકી ન જાય એ માટે બી.જે.પી. સીસ્ટમ દાખલ કરવી પડે એનાથી મોટો પરાજય બીજો કયો હોઈ શકે.

રાહુલ ગાંધી આ જાણે છે એટલે તેમણે લોકમાન્ય ભારતીય રાષ્ટ્રને રાજ્યરક્ષિત હિંદુરાષ્ટ્ર સામે મૂકવાનું શરૂ કર્યું છે.

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—262

દીપક મહેતા|Opinion - Opinion|9 November 2024

જમશેદજી તાતા: પાંચગણીની સ્ટ્રોબેરીથી મુંબઈની હોટેલ તાજ મહાલ પેલેસ  

જમશેદજી શેઠ પોતે મોનામાં ચાંદીની ચમચી લઈને જનમિયા હુતા નહિ. જાત મહેનત કીધી હુતી. પોતાના ફરજંદોને ભણવા ગણવામાં કાબિલ બનાવિયા, પન તેમને ક્યારેય તૈયાર ભાને જમવા બેસારિયા નહિ. દીકરા દોરાબજીને શીખવા માટે વિલાયત મોકલીયા. ભણીગણીને પાછા આવિયા તે વારે જમશેદજીની નાગપુરની એમ્પ્રેસ મિલ ધમધોકાર ચાલતી હુતી. દોરાબજી એ મિલમાં ઊંચી પાયરીએ આસાનાથી ગોઠવાઈ સકિયા હોતે. પન નહિ. મુંબઈના ‘બોમ્બે ગેઝેટ’ નામના અખબારમાં એક મામૂલી રિપોર્ટર તરીકે દોરાબજીને નોકરી કરવા મોકલિયા. બે વરસ નોકરી કીધા પછી મોકલીયા પોન્ડીચરી. ત્યાં એક ખાસ કીસમનું ફ્રેંચ કાપડ તૈયાર થતું હુતું તે એમ્પ્રેસ મિલમાં કેમ બનાવવું તે જાણવા માટે. જો કે પછીથી જણાયું કે નાગપુરમાં આય કપરું બનાવવાનું બનશે નહિ. એટલે એ વાત પરતી મૂકી.

મુંબઈની પહેલવહેલી મોટરના માલિક જમશેદજી તાતા

જમશેદજીએ પાંચગણી(પંચગની)માં પુષ્કળ જમીન ખરીદી હુતી. ત્યાં ખેતી કરવાની એવનની મુરાદ હુતી. મુંબઈથી એવન વારંવાર પાંચગણી જતા. એ વખતે મુંબઈથી ત્યાં વેર પોચતા લગભગ ૨૪ કલાક લાગતા. મુંબઈથી પૂનાની ટ્રેન રાતે નવ વાગે પૂના પૂગે. ત્યાંથી બીજી ટ્રેન અને પછી છેવટની મુસાફરી ટાંગામાં. થોરો વખત તો જમશેદજી આય રીતે પાંચગણી ગિયા. પન પછી મુંબઈથી પાંચગણી જવા માટે જ ખાસ મોટર ખરીદી. મુંબઈમાં પોત્તાની મોટર ધરાવનાર જમશેદજી પહેલવહેલા ઇસમ હુતા.

પાંચગણીમાં પહેલાં તો એવાને ઈજિપ્શિયન કોટન ઉગાડવાની જહેમત કીધી. પણ તેમાં બહુ ફાવ્યા નહિ. એટલે ત્યાં સ્ટ્રોબેરી ઉગાડવાનું શુરૂ કીધું. આજે તો ઠંડીની સિઝનમાં પાંચગણી અને મહાબળેશ્વરની સ્ટ્રોબેરી મુંબઈમાં અને બીજે ઢગલાબંધ વેચાય છે. પન આય સ્ટ્રોબેરી પાંચગણીમાં ઉગાડવાની સુરૂઆત કરનાર હુતા જમશેદજી.

એમના જમાનાની સગવડ-અગવડ જોતાં જમશેદજી દેશ-પરદેશમાં ઘન્નું ફરિયા. પણ કેથ્થે બી જાય, માદરે વતન હિન્દુસ્તાન તો છાતીએ વળગેલું જ રહે. એક વાર ગયા ફ્રાંસ. બજારમાં ફરતાં એવનની નજર ફ્રાન્સમાં બનતા એક ખાસ કીસમના રેશમી કાપડ પર પરી. અને જમશેદજીના મનમાં બત્તી થઈ. હિન્દુસ્તાનમાં બેંગલોરની આબોહવા બી અહીંના જેવી જ છે. તો અહીં બને છે તેવું રેશમી કપરું તાં કેમ નહિ બને? પૂછીગાછીને થોડા કોશેટા ખરીદ્યા. લાંબી દરિયાઈ મુસાફરીમાં તેનું જતન કરીને મૈસોર લઇ ગિયા. તાં બી એવનની ઘન્નીબધી જમીન તો હુતી જ. ત્યાં આ કોશેટા ઉછેર્યા. રેશમી કાપર બનાવિયું. લોકોને ઘન્નું પસંદ પરીયું અને ‘મૈસોર સિલ્ક’ તરીકે દેશભરમાં નામીચું થિયું.

૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને ગાંધીજી અને કસ્તૂરબા એપોલો બંદર પર ઊતરિયા ત્યારે ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયા હૂતો જ નહિ. કારણ એનું બાંધકામ પૂરું થિયું છેક ૧૯૨૪માં. પણ એ વખતે એપોલો બંદરને અડીને આવેલી તાજ મહાલ હોટેલ તો ઊભી હુતી. ૧૮૯૬થી ૧૮૯૯ વેરનાં વરસ આય મુંબઈ શેર માટે ઘન્ના કપરા હુતા. શહેરમાં પ્લેગનો રોગ ફેલાયો હૂતો. નહિ નહિ તો ૧૮ હજાર લોકો આય પ્લેગમાં સપરીને ગુજરી ગિયા. પન મુંબઈની એક ખાસિયત છે. ક્યારેય હારતું નથી એવું તો નથી. પણ હારીને તરત બેઠું થાય છે. બેઠું થઈને તરત દોરવા લાગે છે. વીસમી સદીની સુરૂઆતમાં તો મુંબઈ ફરી દોરતું થઈ ગિયું હુતું. એ જમાનામાં સારી ગણાય એવી ફક્ત ત્રણ હોટેલ હુતી મુંબઈમાં. વોટસન હોટેલ, ગ્રેટ વેસ્ટર્ન હોટેલ, અને એપોલો હોટેલ. તનેમાં ફક્ત ગોરાઓ રહી સકે. જમશેદજીને થયું કે મુંબઈમાં એક એવી હોટેલ બાંધવી જોઈએ જેમાં કાલા-ગોરાના ભેદ વગર હર કોઈ દાખલ થઈ સકે. એપોલો બંદર પાસેની જમીન ૯૯ વરસના લીઝ પર લીધી. એ વખતે મુંબઈમાં ઘન્ની મોતી મોતી ઇમારતો બંધાતી હુતી : વિક્ટોરિયા ટર્મિનસ, મ્યુનિસિપાલીટીનું મકાન, બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેના વડા મથકનું મકાન વગેરે. ફ્રેડરિક સ્ટિવન્સ આય બધ્ધા મકાનના આર્ચીતેક્ત. એવનના બે ‘દેસી’ મદદગાર, મરાઠી માણૂસ રાવસાહેબ સીતારામ ખંડેરાવ અને પારસી બાવા ડી.એન. મિર્ઝા. પોતાની હોટેલનું બાંધકામ જમશેદજીએ આ બે ‘દેસી’ઓને સોંપિયું. જમશેદજી મુંબઈમાં એકુ હોટેલ બાંધવાના છે એ વાતની તેમના સિસ્ટરને ખબર પરી. એવન તો થઈ ગિયા રાતાપીલાં. ‘ટુ તો આપરા તાતા ખાનદાનનું નામ બોલવા બેઠો છે. ભઠિયારખાનું સુરુ કરીને આપરા કુટુંબનું નામ બોલવા બેઠો છ. જરાક તો લાજ-સરમ રાખ આપરા નસરવાનજી બાવાની!’ જમશેદજીએ તરત જ કહ્યું : ‘આય કામ માટે આપરા ખાનદાનની એક દમરી બી વાપરસ નહિ. બધ્ધા પૈસા મારી જાતકમાઈની આવકમાંથી ખરચીસ. ૧૮૯૮ના નવેમ્બરની પહેલી તારીખે એક નાલ્લી પૂજા કરીને બાંધકામ સુરુ કીધું. ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે આય હોટેલ, તાજ મહાલ પેલેસ, ખુલ્લી મૂકાઈ. તે વેલા એકુ રૂમનું એકુ દિવસનું ભારું હુતું મોંઘુ દાત, રૂપિયા છ!

૨૧ ઓક્ટોબર ૧૯૦૩ના અખબારમાં પ્રગટ થયેલી પહેલી જાહેર ખબર

પન આય બધાં કામ તો જમશેદજી માટે ડાબા હાથના ખેલ. સ્વામી વિવેકાનંદને લખેલા લેટરમાં જે બીજા સપનાની વાત કીધી હુતી એ હુતું મુંબઈ શેરને ઈલેક્ટ્રીસિટી પૂરી પારવા માટે હાઈડ્રોલિક પાવર સ્ટેશન શુરુ કરવાનું. લોણાવળા પાસેની એકુ જાગા જોઈને જ એવનને થિયું કે અહીં હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઊભું કરી મુંબઈને પાવર પહોંચારી સકાય. પરદેસથી એક્સપર્તોને બોલાવિયા, તેમણે બી કીધું કે હા, આમ જરૂર જ થઈ સકે તેમ છે. પન આ પાવર સ્ટેશન ધમધમતું થિયું તે સર સાહેબ બેહસ્તનશીન થયા પછી. આય તાતા પાવર સ્ટેશન આજે બી મુંબઈ શેરના ઘન્ના ભાગોમાં પાવર પૂરો પાડે છે. અને એ રીતે લોકો આજે બી સર સાહેબને યાદ કરે છે.

તાતા પાવર સ્ટેશન – પહેલું મકાન

જમશેદજી સેઠ બેહસ્તનશીન થિયા પછી એવનને વાસ્તે દલગીરી જાહેર કરવાને આપરા ટાઉન હોલમાં એક મોટ્ટી મિટિંગ ભરાઈ હુતી. તે વેલા જસ્ટીસ નારાયણ ગણેશ ચંદાવરકર શોકના ઠરાવને ટેકો આપવાને ઊભા થિયા ત્યારે બોલ્યા હુતા : ‘કેટલાક લોક કહે ચ કે સર જમશેદજી તાતાના દિમાગમાં રોજ નવા નવા વિચારો આવતા હતા છે. તો ઘન્ના લોક વલી બોલે ચ કે એ હંમેશ બીજાઓને નવાં નવાં કામ કરવા ઇન્સ્પીરેશન આપતા હુતા છે. પન કદાચ વધુ સાચી વાત તો એ છે કે સર જમશેદજી નસરવાનજી તાતા એટલે રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી.’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 09 નવેમ્બર 2024)

Loading

...102030...495496497498...510520530...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved