Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9292833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—262

દીપક મહેતા|Opinion - Opinion|9 November 2024

જમશેદજી તાતા: પાંચગણીની સ્ટ્રોબેરીથી મુંબઈની હોટેલ તાજ મહાલ પેલેસ  

જમશેદજી શેઠ પોતે મોનામાં ચાંદીની ચમચી લઈને જનમિયા હુતા નહિ. જાત મહેનત કીધી હુતી. પોતાના ફરજંદોને ભણવા ગણવામાં કાબિલ બનાવિયા, પન તેમને ક્યારેય તૈયાર ભાને જમવા બેસારિયા નહિ. દીકરા દોરાબજીને શીખવા માટે વિલાયત મોકલીયા. ભણીગણીને પાછા આવિયા તે વારે જમશેદજીની નાગપુરની એમ્પ્રેસ મિલ ધમધોકાર ચાલતી હુતી. દોરાબજી એ મિલમાં ઊંચી પાયરીએ આસાનાથી ગોઠવાઈ સકિયા હોતે. પન નહિ. મુંબઈના ‘બોમ્બે ગેઝેટ’ નામના અખબારમાં એક મામૂલી રિપોર્ટર તરીકે દોરાબજીને નોકરી કરવા મોકલિયા. બે વરસ નોકરી કીધા પછી મોકલીયા પોન્ડીચરી. ત્યાં એક ખાસ કીસમનું ફ્રેંચ કાપડ તૈયાર થતું હુતું તે એમ્પ્રેસ મિલમાં કેમ બનાવવું તે જાણવા માટે. જો કે પછીથી જણાયું કે નાગપુરમાં આય કપરું બનાવવાનું બનશે નહિ. એટલે એ વાત પરતી મૂકી.

મુંબઈની પહેલવહેલી મોટરના માલિક જમશેદજી તાતા

જમશેદજીએ પાંચગણી(પંચગની)માં પુષ્કળ જમીન ખરીદી હુતી. ત્યાં ખેતી કરવાની એવનની મુરાદ હુતી. મુંબઈથી એવન વારંવાર પાંચગણી જતા. એ વખતે મુંબઈથી ત્યાં વેર પોચતા લગભગ ૨૪ કલાક લાગતા. મુંબઈથી પૂનાની ટ્રેન રાતે નવ વાગે પૂના પૂગે. ત્યાંથી બીજી ટ્રેન અને પછી છેવટની મુસાફરી ટાંગામાં. થોરો વખત તો જમશેદજી આય રીતે પાંચગણી ગિયા. પન પછી મુંબઈથી પાંચગણી જવા માટે જ ખાસ મોટર ખરીદી. મુંબઈમાં પોત્તાની મોટર ધરાવનાર જમશેદજી પહેલવહેલા ઇસમ હુતા.

પાંચગણીમાં પહેલાં તો એવાને ઈજિપ્શિયન કોટન ઉગાડવાની જહેમત કીધી. પણ તેમાં બહુ ફાવ્યા નહિ. એટલે ત્યાં સ્ટ્રોબેરી ઉગાડવાનું શુરૂ કીધું. આજે તો ઠંડીની સિઝનમાં પાંચગણી અને મહાબળેશ્વરની સ્ટ્રોબેરી મુંબઈમાં અને બીજે ઢગલાબંધ વેચાય છે. પન આય સ્ટ્રોબેરી પાંચગણીમાં ઉગાડવાની સુરૂઆત કરનાર હુતા જમશેદજી.

એમના જમાનાની સગવડ-અગવડ જોતાં જમશેદજી દેશ-પરદેશમાં ઘન્નું ફરિયા. પણ કેથ્થે બી જાય, માદરે વતન હિન્દુસ્તાન તો છાતીએ વળગેલું જ રહે. એક વાર ગયા ફ્રાંસ. બજારમાં ફરતાં એવનની નજર ફ્રાન્સમાં બનતા એક ખાસ કીસમના રેશમી કાપડ પર પરી. અને જમશેદજીના મનમાં બત્તી થઈ. હિન્દુસ્તાનમાં બેંગલોરની આબોહવા બી અહીંના જેવી જ છે. તો અહીં બને છે તેવું રેશમી કપરું તાં કેમ નહિ બને? પૂછીગાછીને થોડા કોશેટા ખરીદ્યા. લાંબી દરિયાઈ મુસાફરીમાં તેનું જતન કરીને મૈસોર લઇ ગિયા. તાં બી એવનની ઘન્નીબધી જમીન તો હુતી જ. ત્યાં આ કોશેટા ઉછેર્યા. રેશમી કાપર બનાવિયું. લોકોને ઘન્નું પસંદ પરીયું અને ‘મૈસોર સિલ્ક’ તરીકે દેશભરમાં નામીચું થિયું.

૧૯૧૫ના જાન્યુઆરીની નવમી તારીખે દક્ષિણ આફ્રિકાથી પાછા આવીને ગાંધીજી અને કસ્તૂરબા એપોલો બંદર પર ઊતરિયા ત્યારે ત્યાં ગેટવે ઓફ ઇન્ડિયા હૂતો જ નહિ. કારણ એનું બાંધકામ પૂરું થિયું છેક ૧૯૨૪માં. પણ એ વખતે એપોલો બંદરને અડીને આવેલી તાજ મહાલ હોટેલ તો ઊભી હુતી. ૧૮૯૬થી ૧૮૯૯ વેરનાં વરસ આય મુંબઈ શેર માટે ઘન્ના કપરા હુતા. શહેરમાં પ્લેગનો રોગ ફેલાયો હૂતો. નહિ નહિ તો ૧૮ હજાર લોકો આય પ્લેગમાં સપરીને ગુજરી ગિયા. પન મુંબઈની એક ખાસિયત છે. ક્યારેય હારતું નથી એવું તો નથી. પણ હારીને તરત બેઠું થાય છે. બેઠું થઈને તરત દોરવા લાગે છે. વીસમી સદીની સુરૂઆતમાં તો મુંબઈ ફરી દોરતું થઈ ગિયું હુતું. એ જમાનામાં સારી ગણાય એવી ફક્ત ત્રણ હોટેલ હુતી મુંબઈમાં. વોટસન હોટેલ, ગ્રેટ વેસ્ટર્ન હોટેલ, અને એપોલો હોટેલ. તનેમાં ફક્ત ગોરાઓ રહી સકે. જમશેદજીને થયું કે મુંબઈમાં એક એવી હોટેલ બાંધવી જોઈએ જેમાં કાલા-ગોરાના ભેદ વગર હર કોઈ દાખલ થઈ સકે. એપોલો બંદર પાસેની જમીન ૯૯ વરસના લીઝ પર લીધી. એ વખતે મુંબઈમાં ઘન્ની મોતી મોતી ઇમારતો બંધાતી હુતી : વિક્ટોરિયા ટર્મિનસ, મ્યુનિસિપાલીટીનું મકાન, બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેના વડા મથકનું મકાન વગેરે. ફ્રેડરિક સ્ટિવન્સ આય બધ્ધા મકાનના આર્ચીતેક્ત. એવનના બે ‘દેસી’ મદદગાર, મરાઠી માણૂસ રાવસાહેબ સીતારામ ખંડેરાવ અને પારસી બાવા ડી.એન. મિર્ઝા. પોતાની હોટેલનું બાંધકામ જમશેદજીએ આ બે ‘દેસી’ઓને સોંપિયું. જમશેદજી મુંબઈમાં એકુ હોટેલ બાંધવાના છે એ વાતની તેમના સિસ્ટરને ખબર પરી. એવન તો થઈ ગિયા રાતાપીલાં. ‘ટુ તો આપરા તાતા ખાનદાનનું નામ બોલવા બેઠો છે. ભઠિયારખાનું સુરુ કરીને આપરા કુટુંબનું નામ બોલવા બેઠો છ. જરાક તો લાજ-સરમ રાખ આપરા નસરવાનજી બાવાની!’ જમશેદજીએ તરત જ કહ્યું : ‘આય કામ માટે આપરા ખાનદાનની એક દમરી બી વાપરસ નહિ. બધ્ધા પૈસા મારી જાતકમાઈની આવકમાંથી ખરચીસ. ૧૮૯૮ના નવેમ્બરની પહેલી તારીખે એક નાલ્લી પૂજા કરીને બાંધકામ સુરુ કીધું. ૧૯૦૩ના ડિસેમ્બરની ૧૬મી તારીખે આય હોટેલ, તાજ મહાલ પેલેસ, ખુલ્લી મૂકાઈ. તે વેલા એકુ રૂમનું એકુ દિવસનું ભારું હુતું મોંઘુ દાત, રૂપિયા છ!

૨૧ ઓક્ટોબર ૧૯૦૩ના અખબારમાં પ્રગટ થયેલી પહેલી જાહેર ખબર

પન આય બધાં કામ તો જમશેદજી માટે ડાબા હાથના ખેલ. સ્વામી વિવેકાનંદને લખેલા લેટરમાં જે બીજા સપનાની વાત કીધી હુતી એ હુતું મુંબઈ શેરને ઈલેક્ટ્રીસિટી પૂરી પારવા માટે હાઈડ્રોલિક પાવર સ્ટેશન શુરુ કરવાનું. લોણાવળા પાસેની એકુ જાગા જોઈને જ એવનને થિયું કે અહીં હાઈડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન ઊભું કરી મુંબઈને પાવર પહોંચારી સકાય. પરદેસથી એક્સપર્તોને બોલાવિયા, તેમણે બી કીધું કે હા, આમ જરૂર જ થઈ સકે તેમ છે. પન આ પાવર સ્ટેશન ધમધમતું થિયું તે સર સાહેબ બેહસ્તનશીન થયા પછી. આય તાતા પાવર સ્ટેશન આજે બી મુંબઈ શેરના ઘન્ના ભાગોમાં પાવર પૂરો પાડે છે. અને એ રીતે લોકો આજે બી સર સાહેબને યાદ કરે છે.

તાતા પાવર સ્ટેશન – પહેલું મકાન

જમશેદજી સેઠ બેહસ્તનશીન થિયા પછી એવનને વાસ્તે દલગીરી જાહેર કરવાને આપરા ટાઉન હોલમાં એક મોટ્ટી મિટિંગ ભરાઈ હુતી. તે વેલા જસ્ટીસ નારાયણ ગણેશ ચંદાવરકર શોકના ઠરાવને ટેકો આપવાને ઊભા થિયા ત્યારે બોલ્યા હુતા : ‘કેટલાક લોક કહે ચ કે સર જમશેદજી તાતાના દિમાગમાં રોજ નવા નવા વિચારો આવતા હતા છે. તો ઘન્ના લોક વલી બોલે ચ કે એ હંમેશ બીજાઓને નવાં નવાં કામ કરવા ઇન્સ્પીરેશન આપતા હુતા છે. પન કદાચ વધુ સાચી વાત તો એ છે કે સર જમશેદજી નસરવાનજી તાતા એટલે રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી.’

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 09 નવેમ્બર 2024)

Loading

9 November 2024 દીપક મહેતા
← પરમાણુ શસ્ત્ર સામેના અભિયાનને નોબલ શાંતિ પુરસ્કાર
હિન્દુ દર્શન અને હિન્દુ પરંપરા જે સમજ્યા હોય એ ઝેરી માનસ ન ધરાવે →

Search by

Opinion

  • ‘ગુજરાત સમાચાર’ : હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!
  • મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 
  • ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  
  • વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો
  • પાયમાલ થઇ ગઇ… 

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved