Opinion Magazine
Number of visits: 9953528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

बन गया विश्वगुरू क्लब !

कुमार प्रशांत|Opinion - Opinion|1 March 2025

कुमार प्रशांत

अमरीकी राष्ट्रपति डोनल्ड ट्रंप ओर भारतीय प्रधानमंत्री नरेंद्र मोदी के बीच कोई इस तरह आ खड़ा होगा, न हमने सोचा था, न इन दोनों ने. लेकिन फ्रांस के राष्ट्रपति इमैनुएल जं–मीशेल फ्रेडरिक मैक्रों ने ऐसा ही किया. इसलिए मैं चाहता हूं कि भारत की तरफ से उन्हें महावीर चक्र प्रदान किया जाना चाहिए. मैं नहीं कह रहा हूं “ भारत सरकार की तरफ़ से”, क्योंकि मैं जानता हूं कि भारत सरकार में ऐसी कूवत नहीं है. देश व सरकार में फर्क होता है; है. 

राष्ट्रपति बनते ही अंतरराष्ट्रीय राजनीति में जैसी बेसिर–पैर की आंधी बहा रहे हैं डोनल्ड ट्रंप, उसकी हवा जिस तरह मैक्रों ने निकाली है वैसी न किसी ने अब तक निकाली है, न ट्रंप ने कभी ऐसा सोचा ही होगा. उस दिन व्हाइट हाउस में, दोनों राष्ट्रपति साथ बैठ कर प्रेस को संबोधित कर रहे थे आौर ट्रंप बगैर हिचक के वह सब अनाप–शनाप कहे जा रहे थे जैसा उनके अलावा दूसरा कोई बोल नहीं सकता है. वेकह रहे थे कि यूक्रेन की जैसी सहायता अमरीका ने की है, वैसी यूरोप ने नहीं की. यूरोप ने तो इधर–उधर कुछ दिया भर ! वे अपनी सनक में आौर  कुछ बोलते कि उनकी बगल में बैठे मैक्रों ने उनके कंधे पर हाथ रख कर उन्हें रोका: ‘ आपके पास गलत जानकारी है. मैं सही जानकारी देता हूं. अमरीका ने यूक्रेन को जो भी सहायता दी है वह सब शर्तों से बंधी, सौदे व कर्जे के रूप में है. यूरोप ने पिछले दो वर्षों में  यूक्रेन की हर संभव मदद बेशर्त की है, और आज भी हम यूक्रेन के प्रति प्रतिबद्ध हैं !’ सारी दुनिया ने यह सुना, सारी दुनिया ने यह देखा. हतप्रभ ट्रंप बगलें झांकने लगे. 

ट्रंप ने जब कहा कि युद्ध के खर्च की भरपाई यूक्रेनको करनी होगी, तो मैक्रों ने फिर दखल दी और कहा: ‘ हमलावर तो रूस है. भरपाई उसे करनी होगी.’ यूक्रेन का क्या होगा, ट्रंप उसे कहां तकनिचोड़ेंगे, यह सब वक्त ही बताएगा लेकिन मैक्रों ने व्हाइट हाउस में, ट्रंप के बगल में बैठ कर उनकी पोल जिस तरह खोली, उसके लिए उन्हें महावीर चक्र मिलना ही चाहिए. 

अमरीका इन दिनों सब दूर छाया हुआ है. यही तो ट्रंप का वादा भी था. कोई जादूगर जैसे हैट से खरगोश निकाल देता है; और यह जानते हुए भी कि यह खरगोश हैट से नहीं, हैट के पीछे छिपे हाथ की सफ़ाई से निकला है, हम हैरान रह जाते हैं; ठीक वैसे ही ट्रंप के खरगोश लगातार बाहर आ रहे हैं और उनकी सच्चाई जानते हुए भी कभी हम, तो कभी वो हैरान रह जाते हैं. मुझे पता नहीं है कि ट्रंप साहब नेयह कला ‘अपने दोस्त’ से सीखी है या दोस्त ने उनसे लेकिन जुगलबंदी ऐसी गजब की है कि दोनों गुरूभाई मालूम देते हैं. विश्वगुरू ने विश्वदादा को सिखलाया है कि विश्वदादा ने विश्वगुरू को, यह पहेली हैजिसे वक्त ही सुलझाएगा.

ट्रंपसाहबनेअचानकयहशिगूफाउड़ायाकिउनसेपहलेजोवहांराष्ट्रपतिथे, उन बाइडन साहब ने कोशिश की थी कि भारत नरेंद्र मोदी को नहीं, किसी दूसरे को प्रधानमंत्री चुने. भारतीय राजनीति मेंविदेशी हाथ !! एकदम सनसनीखेज खबर एकदम शीर्ष से आई, तो भक्तों को उसे हाथोहाथ लेना ही था. ट्रंप साहब ने यह कहा ही नहीं, इसका ठोस प्रमाण भी दिया कि यूएसएड नामक संस्थान ने 21 मीलियन डॉलर की रकम भारत में झोंकी थी ताकि चुनाव में अधिकाधिक मतदाता मतदान केंद्रों तक लाए जा सकें. अमरीकी राज्य मियामी की एक सभा में बोलते हुए उन्होंने कहा : “ आख़िर हमें क्या पड़ीहै कि हम भारत में मतदाताआों की संख्या बढ़ाने के लिए 21 मीलियन डॉलर खर्च करें ? बाप रे, 21 मीलियन डॉलर !! मेरा अनुमान है कि वे कोई ऐसा झोल करने में लगे थे कि भारत में कोई दूसरा आदमी चुना जाए.” 

आप ध्यान दें कि विश्वगुरू व विश्वदादा जब भी ऐसी कोई युग परिवर्तनकारी घोषणा करते हैं तब मंच सार्वजनिक सभा का होता है, और मुद्रा उस अनाड़ी शिकारी की होती है जो यहां–वहां, इधर–उधर, दाएं–बाएं तीर चलाता जाता है कि कोई तो, कहीं तो निशाने पर लगेगा ! ट्रंप साहब के इस वक्तव्य में कितने तीर, कितनी दिशाआों में फेंके जरा इसका अंदाजा कीजिए : बात इस तरह कही गई कि ऐसालगा कि उनके प्रतिद्वंद्वी जो बाइडन साहब ने यूसएसएड नाम का कोई निजी संस्थान बना रखा था ( पीएम केयर फंड !) जिससे पैसे फेंक कर वे दुनिया की राजनीति को मुट्ठी में करना चाहते थे. तो पहलानिशाना यह कि जो बाइडन अपने देश को, अपने कानूनी प्रावधानों को धोखा देने वाले घटिया आदमी थे; दूसरा यह कि वे इन पैसों के बल पर दूसरे देशों के चुनावों में टांग अड़ाते थे; तीसरा यह कि वे भारतमें नरेंद्र मोदी की जगह कोई दूसरा आदमी आगे लाना चाहते थे – “ लेकिन देखो भाइयो, मैंने बाइडन का वह सारा खेल मटियामेट कर दिया ! नरेंद्र मोदी, समझ लो, मैंने, डोनल्ड ट्रंप ने तुमको ऐसे षड्यंत्र काजाल काट कर, फिर से गद्दी पर बिठाया है ! 

यहसफेदझूठहै. वह आदमी यह कह रहा है जिसे मालूम है कि यूएसएड संस्थान बाइडन के राष्ट्रपति बनने से बहुत पहले से बना व चल रहा वह संस्थान है जो दुनिया भर में, दुनिया भर के दान–धंधेकरता है. 1961 में राष्ट्रपति केनेडी ने फॉरेन असिस्टेंस एक्ट पारित किया था जिसमें से यूनाइटेड स्टेट्स एजेंसी फॉर इंटरनेशनल डेवलपमेंट ( यूएसएड) बना. ट्रंप को भी आौर हमें भी मालूम है कि अमरीकाकी सरकारें, आौर दुनिया की सरकारें ऐसे सारे धर्मादा कार्य अपने संकीर्ण राजनीतिक ध्येय हासिल करने के लिए करती हैं. उसमें ‘धर्म’ कम–से–कम, ‘मर्म’अधिक–से–अधिक होता है. ट्रंप साहब को ज़रूरबताया गया होगा कि 1954 में भारत के साथ अमरीका का पीएल 480 का समझौता हुआ था जिसे ‘फूड फॉर पीस’ कहा गया था. इस समझौते के तहत भूख की बंदूक में अनाज की गोली भरी गई थी. लंबे समय तक वह गोली खाते–खाते हम यह समझ सके थे कि कैसे अनाज के माध्यम से अमरीका ने हमारी स्वायत्तता पर हाथ डाला है. तब प्रधानमंत्री लालबहादुर शास्त्री ने ‘भूखे रहेंगे पर पीएल480 काअनाज नहीं खाएंगे’ जैसा राष्ट्र–संकल्प घोषित किया था. 

1950 में इसी अमरीका की पहल पर एक सांस्कृतिक मंच बना था जिसका नाम था कांग्रेस फॉर कल्चरल फ़्रीडम. यह मंच बना आौर देखते–देखते दुनिया के कोई 40 देशों में काम भी करने लगा. सांस्कृतिक स्वतंत्रता के संवाहक व संरक्षक का मुखौटा लगाए इस मंच से, उस दौर की, दुनिया की तमाम विशिष्ठ हस्तियां जुड़ गई थीं. हमारे जयप्रकाश नारायण इसकी भारतीय शाखा ने मानद अध्यक्ष थे. फिर पर्दाफाश हुआ कि यह साम्यवादी प्रभाव को काटने के लिए, अमरीकी गुप्तचर एजेंसी सीआईए के धन तंत्र से संचालित वह उपक्रम है जो अमरीकी हितों के संरक्षण के लिए काम करता है. यह पर्दाफाशहुआ तो जयप्रकाश समेत सारे नामी–गरामी लोगों ने इस संस्थान से इस्तीफा दे दिया. तो बात फिर खुली कि अमरीका अपने धनबल से अपना राजनीतिक हित छीनने–खरीदने का काम करता आया है. लेकिन यहां जिस 21 मीलियन डॉलर की बात ट्रंप ने की आौर भक्तों ने जिसे कांग्रेस से जोड़ दिया दरअसल वह रकम बांग्लादेश में चुनावी प्रक्रिया को लोकप्रिय बनाने के लिए भेजी गई थी. भारत का या कांग्रेसका उससे कोई नाता नहीं था. यह बात ट्रंप को भी पता थी लेकिन ऐसे जुमले भारत में ही नहीं, अमरीका में भी राजनीतिक काम करने के काम आते हैं. इसलिए ट्रंप ने झूठ की गोली दाग दी. भूख, बीमारी, अशांति, युद्ध, प्राकृतिक आपदा, विशेष अध्ययन व शोध जैसे शीर्षकों की आड़ में अधिकांशत: ऐसे अधार्मिक धार्मिक कार्य किए जाते हैं. इसलिए ट्रंप जो कह रहे हैं, वह उन जैसे दादा देशों की पोल खोलता है, शिकार देशों की नहीं. 

लेकिन यहां कमाल यह है कि यह बात वह आदमी कह रहा है जो खुद पिछले राष्ट्रपति चुनाव में अपना पलड़ा भारी करने के लिए नरेंद्र मोदी को मोहरा बना कर अमरी का ले गया था. अमरीका में बसे सुविधा परस्त व सांप्रदायिक भारतीयों को सम्मोहित कर, उनका वोट हासिल करने का यह शर्मनाक आयोजन था. मोदी भी वहां सहर्ष गए तथा भारतीय प्रधानमंत्री ने अमरीकी चुनाव में खुलेआम दखलंदाजीकी. इससे पहले किसी भारतीय प्रधानमंत्री ने ऐसा करने की कल्पना भी नहीं की थी. उस अमरीकी चुनाव में मोदी व ट्रंप दोनों हारे. इस हार से ही ट्रंप समझ गए मोदी–ढोल की पोल ! इसलिए इस बार उन्होंनेचुनाव में न मोदी को बुलाया, न शपथ ग्रहण में पूछा, न किसी तरह अमरीका पहुंचे मोदी का किसी अलग उत्साह से स्वागत ही किया. अंतरराष्ट्रीय राजनीति में सब कुछ ऐसा ही वक्ती होता है. 

अब ट्रंप रूस को साथ लेकर चीन को अमरीकी हितों के अनुकूल बनाने का समीकरण साधने में लगे हैं. आंतरिक मामलों के लिए उन्होंने बेलगाम मस्क को लगाम थमा दी है. अब भारत को भीअमरीका की अनदेखी न करते हुए, अपने नये समीकरण बनाने हैं जो ट्रंप–पक्षधरता की अपनी छवि के कारण भारत के लिए आसान नहीं होगा. मतलब, विश्वगुरू आौर विश्वदादा के आपसी रिश्ते में कोईविषम कोण बन सकता है. हम उस विषम कोण के लाचार शिकार बनेंगे.

(28.02.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

દલિત અસ્મિતાનો મિજાજ નારણ વોરા

સંગીતા પટેલ|Opinion - Opinion|1 March 2025

નારણ વોરા

1961ના ગુજરાત સ્થાપના દિને, અમદાવાદના સેંકડો શ્રમિકો, વાદળી ટોપી પહેરી વાદળી વાવટો પકડી, સવારથી જ ઉમટેલા વિધાનસભા ધેરવા. તત્કાલીન વિધાનસભા અમદાવાદની મધ્યે હાલની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હતી. ઘેરાવા પાછળ કારણ દલિતોએ છેડેલું જમીન આંદોલન હતું. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા(RPI)એ 1956માં શરૂ કરેલું જમીન આંદોલન 1966 સુધી તબક્કાવાર ચાલેલું. ડો. બાબાસાહેબ આંબેડકરે તેમના ગ્રંથ “રાજ્ય અને લધુમતીઓ”માં જમીનોના રાષ્ટ્રીયકરણનો મુદ્દો ઉઠાવેલો અને એમાંથી પ્રેરણા લઇને જમીન સત્યાગ્રહ શરૂ થયેલો. મેધાવી આંબેડકરવાદી આનંદ તેલતુંબડે તેમના પુસ્તક “Dalits …. Past, Present and Future”માં નોંધે છે કે, 1938માં ઔદ્યોગિક કામદારોની હડતાળ પછી, પહેલી વાર 1959માં સામ્યવાદનો લાલ અને આંબેડકરવાદનો વાદળી એમ બેઉ ઝંડા એક સાથે લહેરાતા જોવા મળેલા. મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાથી શરૂ થયેલું આ આંદોલન રાષ્ટ્રવ્યાપી બનેલું. મહારાષ્ટ્રની ઘણીબધી અસરો ઝીલતા ગુજરાતના દલિતોએ આ આંદોલનમાં જરા ય પાછી પાની કરી ન હતી. આ જુવાળ વચ્ચે નેપાળી જેવી ઝીણી આંખો, વાન ઉજળો અને કદકાઠીએ બિલકુલ પહેલનવાનની યાદ અપાવે તેવું એક વ્યક્તિત્વ હતું, નારણ વોરા. 

બાબસાહેબના ભગીરથ પ્રયત્નોથી અસ્પૃશ્યતાની નાગચુડમાંથી માંડમાંડ બહાર નીકળેલા દલિત સમાજ માટે આંબેડકર પારસમણિ જેવા હતા. એટલે જ તેમની વિચારધારાને વરેલા પક્ષ RPIમાં દલિતોએ પૂરેપૂરો વિશ્વાસ મૂકેલો. એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં  RPIના 6 કોર્પોરેટર ચુંટાઇ આવેલા. તેમાંના એક મોહનલાલ આંબેડકરવાદી તો અમારા ગામ દરિયાપુરના હતા. કામદારોએ આ વાતાવરણની ખરી અસર ઝીલેલી. કાપડ મિલના કામદારો ખાસ તો અમદાવાદના આંદોલનોની તાકાત હતા. નારણ વોરા આવા કામદારોનો બળૂકો અવાજ હતા. 1959થી 1966 સુધી ચાલેલા જમીન આંદોલનમાં આખા દેશમાંથી હજારો લોકોએ ગિરફ્તારી વહોરેલી. એની ચરમસીમા તો એ હતી કે સ્ત્રીઓએ ય તેમનાં બાળકો સાથે જેલની હવા ખાધેલી. નારણ વોરા ય આવા જેલવાસીઓમાંના એક હતા. 

નારણભાઈના મોટા ભાઈ ડાહ્યાભાઈ યુવાન વયે જ અમદાવાદ છોડીને દિલ્હીમાં ફીટર માસ્ટર તરીકે સ્થાયી થયેલા. ફીટર માસ્ટરના કૌશલ પર જ તેમણે એક દીકરીને દિલ્હીમાં ડોક્ટર બનાવી અને બીજી દીકરી હાલ અમદાવાદના જાહેર જીવનમાં વ્યસ્ત છે. ડાહ્યાભાઈ ઘણીવાર નાનાભાઈ નારણને દિલ્હી સ્થાયી થવાની સલાહ આપતા. પણ ગુજરાતમાં વાદળી ઝંડો પકડીને બેઠેલા નારણભાઈ એમની વાત સાંભળી ન સાંભળી કરી દેતા.  

1970 થતાં થતાં RPIના વળતાં પાણી થયાં. આવા શૂન્યાવકાશમાં અમરિકામાં વર્ગભેદ સામે સંઘર્ષ કરતા માર્કસવાદી લેનિનવાદી સંગઠન “બ્લેક પેંથરના” ઉદયનો પડઘો ભારતમાં સંભળાયો અને મહારાષ્ટ્રમાં “દલિત પેંથરની” સ્થાપના થઈ. મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગુજરાતના દલિતો ય આમાં સાથો સાથ જ રહ્યા અને ગુજરાતમાં “દલિત પેંથરના” મંડાણ થયા. વાલજીભાઈ પટેલ, નગીનભાઈ પરમાર, બકુલ વકીલ અને RPIથી વિખૂટા પડેલા બંધુઓ રમેશચંદ્ર પરમાર અને નારણ વોરાથી ગુજરાતમાં “દલિત પેંથર્સનું” અવતરણ થયું. દસકોઇ તાલુકાના જેતલપુર ગામે શકરા નામના યુવાનને ગામપંચાયતની કચેરીમાં જીવતો સળગાવી દેવાનો બનાવ દલિત પેંથર્સને એવો દઝાડી ગયેલો કે તેમણે રાતદિવસ એક કરી ગુજરાતનો સુષુપ્ત લાવા સક્રિય કરેલો. ગુજરાત ભરના લોકોને જેતલપુર ગામની ભાગોળે ભેગા કરીને પ્રચંડ દલિતશક્તિનું પ્રદર્શન કર્યું અને ગામના ઉજળિયાતોની ઊંઘ હરામ કરેલી. વાલજીભાઈ પટેલ લેખિત “જલતું જેતલપુર”માં આખી ઘટના બયાન છે.

વાલજીભાઈ પટેલ અને નારણ વોરા

ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચાર સામે પેંથરોએ ધરાર યુદ્ધ છેડેલું. મિલ મજૂર કે કડિયાકામ કરતા કોન્ટ્રાક્ટરથી માંડી સરકારી કર્મચારીઓ, શિક્ષકો આ યુદ્ધના સેનાનીઓ હતા. પત્રિકા, સામયિક, જાહેરસભા, દેખાવો તેમના હથિયાર હતાં. નોકરી છોડી આંદોલન કરવું આ યોદ્ધાઓને પાલવે તેમ ન હતું. તેમ છતાં, નોકરીની પરવા કર્યા વગર પ્રસ્થાપિત વ્યવસ્થા સામે સરકારી કર્મચારીઓ ય ઝંપલાવેલું. શાહપુરના ગણપતભાઈ રાઠોડ પેંથર મિત્રોથી રાત્રે 12 વાગ્યે છૂટા પડી સાયકલ પર સવાર થઈ મિલની છેલ્લી પાળી ભરવા જતા એ મને યાદ છે. ગામડાઓમાં દલિત સ્ત્રીઓ પર થતા બળાત્કારની વાત ઘણી સલૂકાઇથી સ્ત્રી ગરિમા સચવાય તે રીતે કરતા નારણભાઈને મેં સાંભળ્યા છે. બુલંદ અવાજે વાત કરતા આ મેદાની વક્તાએ સામાન્ય માણસને ગળે ઉતરે તેવા શબ્દો શોધવા પડ્યા ન હતા. 

અમારા ઘરના એક ઓરડામાં દરરોજ ભરાતી મિટિંગ પૂરી કરી ઘરે જતી વખતે નારણભાઈ એક વાક્ય અચૂક બોલતા, “સંગીતા, અમારાં પગલાં સાફ કરી નાખજે હવે.” ઘરને સ્વચ્છ રાખવાની મારી ટેવ હતી. અમદુપુરા વિસ્તારની રાયચંદ મેઘરજની ચાલીનું તેમનું ઘર ય તેઓ પરિવારજનો પાસે સુઘડ રખાવતા. નોકરી પૂરી કરી મિલ છોડતાં પહેલા પગની એડી પત્થર સાથે ઘસી ચોખ્ખી કરવાનું તેઓ ચૂકતા નહિ. એકદમ સુઘડ દેખાતા એ મિલમજૂર દલિત પોતે સ્વચ્છતા ઝુંબેશનું પ્રતીક હતા. આખો દિવસ પહેરણ અને ચડ્ડી પહેરી મિલની થ્રાસલ ખાતાની નોકરી કરતા પણ, સાંજ પડ્યે ખાદીના ઇસ્ત્રીબંધ સફેદ કપડાં પહેરી પેંથર્સ સભાઓ ગજવતા નારણભાઈને આંદોલનની ચિંતા હૈયે હતી. 

1981ના અનામત વિરોધી આંદોલનથી દલિત સમાજ બહાવરો બની ગયેલો તે વખતે પણ નારણભાઈએ ગિરફ્તારી વહોરેલી. તેમના પરિવારમાં આજદિન સુધી કોઇએ  અનામતના ફળ ચાખ્યા નથી, પણ તેનો જરા ય રંજ રાખ્યા વગર દલિત આંદોલનના આ કડખેદેએ પાછું વાળી જોયું ન હતું. તેમના મિલમજૂર બનેવી પણ આ રમખાણમાં પોલીસ ગોળીબારનો ભોગ બન્યા હતા. એમની ખાંભીઓ હજી ડૂસકાં ભરે છે. 

એક સંસદસભ્યએ પપ્પાને ઘણીવાર કહેલું “વાલજીભાઈ, અમને નારણ વોરા આપી દો.” નારણભાઈ આવા પ્રલોભન સામે ડગે એવા ન હતા. એકવાર રાજ્ય કક્ષાના તત્કાલીન ગૃહ મંત્રી યોગેન્દ્ર મકવાણા તેમને મળવા મિલમાં ગયેલા મોટી ગાડી લઇને. મિલ માલિકને કૌતુક થયેલું આ નારણ વોરા કોણ છે જેને, મળવા આટલા મોટા માણસ આવ્યા છે? આવા દબદબાથી ચલિત થાય તેવા તેઓ નહતા. 

નારણભાઈ કબડ્ડીના ય પાકા ખેલાડી હતા. વાલ્મિકી સમાજનો કબડ્ડીનો એક ખેલાડી મૃત્યુ પામ્યો. આકાશવાણીએ તેના મૃત્યુની નોંધ લેતા સમાચારમાં જણાવેલું કે, “મૃતક ખેલાડી બીજો નારણ વોરા હતો.” આ સમાચાર વાયુ વેગે જરા જુદી રીતે ગયા. લોકોએ એવું અર્થઘટન કર્યું કે નારણ વોરા મૃત્યુ પામ્યા. અને પછી તો સવારથી લોકોની ફોજ એમના ઘર આંગણે ઊભરાતી ગઈ. પરિવાર આભું બની ગયેલું. નારણભાઈનો ફોન આવતા પપ્પા તરત પહોંચી ગયેલા. બંને પેંથરો માટે એ આખો દિવસ લોક મેળા જેવો રહ્યો. નારણભાઈએ તેમનો પોતાનો સાક્ષાત્કાર તો કરાવ્યો જ, સાથોસાથ જીવતા જીવ હિતેચ્છુઓની હમદર્દીનો લ્હાવો પણ લીધો . 

મહારાષ્ટ્રની મરાઠાવાડા યુનિવર્સિટીનું “ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી” નામાભિધાન તો છેક 1994માં થયું પણ તેના નામાન્તરનું આંદોલન શરૂ થયેલું 1974માં. મહારાષ્ટ્રમાં દલિત વિદ્યાર્થીઓ પર પેંથર્સની અસર મોટી હતી. તે વખતે દલિતોની પહેલી-બીજી પેઢી કોલેજ સુધી પહોંચેલી. કટોકટીની જાહેરાત, જયપ્રકાશ નારાયણનો સંપૂર્ણ ક્રાન્તિનો નારો, વિનોબા ભાવેનું ભૂદાન આંદોલન, નક્સલવાદનો પ્રારંભ આવા તમામ પરિબળો વચ્ચે મરાઠાવાડા આંદોલન વેગે ચડેલું. સેંકડો સ્ત્રી પુરુષોનાં લોહી રેડાયાં. આ હવાની લહેર ગુજરાત આવી. ગુજરાત દલિત પેંથર્સે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી શરદ પવારનું પૂતળું બાળી દેખાવો કરવાનો કાર્યક્રમ ઘડેલો. પોલીસને તેની જાણ થતા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો. તે વખતે અમદાવાદના શાહપુર વિસ્તારમા રહેતા ડાહ્યાભાઈ શિકારી આબેહૂબ પૂતળા બનાવતા. પોલીસ તેમના ઘરે પણ ગોઠવાઇ ગઈ. ડાહ્યાભાઈએ ખાનગી રાહે પૂતળું બનાવી તો દીધું પણ, ત્યાંથી તેને ખસેડવાનું કામ ભગીરથ હતું. નારણભાઈની ચાલીના નાકે દૂધની દુકાન હતી. આ દુકાને દૂધની હેરફેર કરતી ટ્રક આ પેંથરોને હાથવગી હતી. દૂધના કેન ભરેલી આ ટ્રક શાહપુર લઇ ગયા અને પોલીસની આંખમાં ધૂળ નાખી પૂતળું ટ્રકમાં સંતાડીને જાહેર સ્થળે લઇ ગયા અને કાર્યક્રમને ધાર્યો અંજામ આપી સરકારને ચોંકાવી દીધી. 

સૌરાષ્ટ્ર વિસ્તારના હળવદ તાલુકાના રણમલપુરા ગામે ઉજળિયાતોએ દલિત મહિલા જેઠીબહેનની જીભ કાપી નાખેલી. ગુજરાતના અખબારોનું મીંઢું મૌન હતું. દલિત પેંથર્સે અખબારની ભૂમિકા ભજવવાની હતી. આ જ દિવસોમાં સમાજ કલ્યાણ મંત્રી ભીમાભાઈ રાઠોડ સરસપુર, અમદાવાદના આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. સરકારની સામે પડેલા પેંથરોની આવા કાર્યક્રમોમાં અવરજવર સરળ ન હતી.  ચોકીદારની મદદથી કાર્યક્રમના આગલા દિવસે નારણભાઈ હોલના મેકઅપ રૂમમાં જતા રહ્યા. રાત આખી મેકઅપ રૂમમાં જાગતા જ પસાર કરેલી. બીજા દિવસે ભીમાભાઈએ સ્ટેજ પર આવીને પ્રવચન શરૂ કર્યું, ત્યાં જ નારણભાઈએ સ્ટેજ પર જઇ તરાપ મારી ભીમાભાઈના હાથમાંથી માઇક છીનવી લીધું. હોલમાં હાજર દલિત યુવાનોએ સૂત્રોચ્ચાર કરી ભીમાભાઈ  પર જૂતાનો વરસાદ વરસાવેલો. આવી તો ઘણી તવારીખ મૂકતા ગયા નારણભાઈ. આંગળીના ટેરવે ચાલતા એ આંદોલન ન હતા. છાપા તો તેની નોંધ જ લેતા ન હતા. સમાજને ય તેના હિતની પ્રતીતિ કરાવવાની હતી. પ્રસ્થાપિત વ્યવસ્થાઓ સામે બાથ ભીડવાની હતી. આ બધું જરા ય સરળ ન હતું. કોઇપણ સંસાધનો વગર, માત્ર પ્રતિબદ્ધતાના જોરે સંઘર્ષ જ કરવાનો હતો.     

1981થી ગુજરાતના કાપડ ઉદ્યોગના માન્‌ચેસ્ટર કહેવાતા અમદાવાદની મિલો ટપોટપ બંધ પડવા માંડી. મિલમજૂરો બેકાર થવા માંડ્યા. તેમાં આ પેંથર યોદ્ધો ય પિસાયો. તેમની દીકરીઓ કરુણા અને ભારતીને પરણાવી દઇ ચૂલાચોકાની કહેવાતી સુરક્ષિત જિંદગીની વ્યવસ્થા કરી દીધી પણ, દીકરાઓ અર્ધ બેરોજગારીમાં મુકાઇ ગયેલા. આર્થિક કારમી પરિસ્થિતિ સામે ઝીંક ઝીલવી તેમના માટે અઘરી બની. 50 વર્ષની ઉંમરે હ્રદય રોગના પહેલા હુમલામાં જ ચિર નિંદ્રામાં પોઢી ગયા. તેમના પત્ની સેમીબહેનની જેમ જ તેમની પુત્રવધૂઓ પણ ભર યુવાનીમાં વિધવા થઇ. છેલ્લી અવસ્થામાં જોયેલા સેમીબહેનની ઉદાસ આંખો જિંદગી પૂરી કરવાની રાહ જોતી હતી. 

અમદુપુરા રોડ પર યોજાયેલી નારણભાઈની શોકસભામાં આખો રોડ દલિતો વંચિતોથી ઉભરાયેલો. આકાશવાણીમાં ફરજ બજાવતા ભરત ચૌહાણે નારણભાઈને શોકાંજલિ આપતા “નવ કરશો કોઇ શોક રસિકડાં” ગીત રજૂ કરાવેલું. જાહેર રોડ પર હકડેઠઠ ભરાયેલા લોકોના ઉદાસ વદને શાંતિથી એ ગીત સાંભળેલું. વાતાવરણ એટલું ગમગીન થઇ ગયેલું કે નર્મદે એ ગીત નારણભાઈ માટે જ લખ્યું હોય એવું લાગેલું. ચંદુ મહેરિયાએ “આપણા દુ:ખનું કેટલું જોર” શીર્ષક હેઠળ શ્રદ્ધાંજલિ આપેલી. ‘નયામાર્ગ’ સામયિકમાં એ છપાયેલી. એ વાતને આજે સાડત્રીસ વર્ષ થઇ ગયાં. તદ્દન ભ્રામક સમરસતા પાછળ લોકો ગાંડાતૂર છે તેવા સંજોગોમાં આપણા દુ:ખનું જોર માપવું વિકટ છે ત્યારે, મિલમજૂર નારણભાઈ દલિત આંદોલનકારીઓની એક મિસાલ છે.         

e.mail : rsolanki0@gmail.com

Loading

‘નારી શક્તિ’ના લોભામણાં બિરુદ પાછળ સંતાતી વાસ્તવિકતા

નેહા શાહ|Opinion - Opinion|1 March 2025

નેહા શાહ

સોશ્યલ મીડિયા પર રીના નામની કોન્સ્ટેબલનો ફોટો જોયો? હાથમાં દંડો અને આગળ છાતી પાસે નાનું બાળક રાખીને રેલવે કોન્સ્ટેબલની ફરજ નિભાવતી રીનાનો ફોટો અને વીડિયો ઠીક ઠીક વાયરલ થયો છે. રેલવે પોલીસ ફોર્સના (આર.પી.એફ.) અધિકૃત એક્સ (ટ્વીટર) એકાઉન્ટ પર પણ એ પોસ્ટ થયા છે. એની નીચે કામ અને કુટુંબ વચ્ચે સંતુલન જાળવતી મહિલા કર્મચારીને ‘નારી શક્તિ’નું પ્રતિક ગણાવતા એનું મહીમા મંડન કરતા શબ્દો … “તેણી નોકરીની ફરજ પણ બજાવે છે … પાલન પોષણ પણ કરે  છે… એ બધું કરે છે! એ એક માતા છે, એક યોદ્ધા છે જે ટટ્ટાર ઊભી છે. કોન્સ્ટેબલ રીના જે અગણિત માતાઓમાંથી એક છે જે ફરજ અને માતૃત્વ વચ્ચે સંતુલન જાળવી રહી છે”. રેલવે મંત્રી અશ્વિની કુમારે પણ રીના રૂપી ‘નારી શક્તિ’ને બિરદાવી! આ સાથે ફરી એકવાર શરૂ થઇ ગઈ ચર્ચા. શું રીના જે પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહી હતી તે મહિમા ગાવા યોગ્ય હતું? અહીંથી ચર્ચા બે ભાગમાં વહેંચાવી જોઈએ – એક, વ્યક્તિગત પરિસ્થિતિ અને એમાં વ્યક્તિનું વર્તન. બે, સમાજે ઊભું કરેલું સંસ્થાકીય માળખું.  

વ્યક્તિગત રીતે તો રીના એ બતાવેલી ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા સરાહનીય જ છે. એની ગેરહાજરીમાં બાળકની સંભાળ લેનાર ઘરે અન્ય કુટુંબીજન નહિ હોય તો એ તેના કામનું મહત્ત્વ સમજી એ બાળક સાથે ફરજ પર મોજૂદ થઇ ગઈ. એણે પોતાની નોકરી અને બાળક બંને પ્રત્યેની ફરજ નિભાવી. એની ફરજ નિષ્ઠાને સલામ. પણ, શું આ પરિસ્થિતિ ઇચ્છનીય છે? રીનાનો આ ફોટો દિલ્હી સ્ટેશન પર થયેલ ભાગદોડનાં ચોવીસ કલાક પછીનો જ છે. રીનાનું કામ પણ ભીડ ભેગી ના થાય એ જોવાનું હતું. પણ, જરા વિચારો જ્યારે કુંભમાં જનાર લોકોનો ધસારો જ્યારે ચાલુ હોય, જ્યારે લાખોની સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન પર આવતા હોય ત્યારે જો અનાયાસે ભીડ બેકાબૂ થઇ ગઈ તો રીના તો છોડો, એની સાથેના નવજાત બાળકનું શું થાય? વિચાર આવતા જ કમકમા આવે છે! રીના જેવી લાખો માતા પેટિયું રળવા કામ કરે છે. અર્થ તંત્રના પૈંડા દોડતા રાખવા માટે એમનાં કામનું ઘણું મહત્ત્વ છે. ખૂબ ઓછી મહિલા એવી હશે કે જે પોતાની રીતે, ખાનગી ધોરણે બાળ સંભાળ માટે સહાયક રાખવા પાછળ પૈસા ખર્ચી શકતી હશે. સવારથી રાત સુધી ફેરી કરતી બહેનો, કે દિવસ-રાત મજૂરી કરતી, ખેતરમાં કામ કરતી બહેનો એટલી આવક ક્યાંથી લાવે કે જેમાંથી એને સહાયક રાખવું પોસાય? પીઠ પર બાળકને બાંધી કામ કરતી કે પછી સાડીની ઝોળી બનાવી બાળકને સુવડાવી કામ કરતી મહિલાઓ તો ગામડાં અને શહેરો બધે દેખાશે. એરકંડિશન્ડ ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતી બહેનોનાં હાથમાં પણ એટલો પગાર નથી આવતો કે એ યોગ્ય સહાયક રાખી શકે. જો કુટુંબમાં કોઈ બાળકને સંભાળનાર હોય તો એનું નસીબ સારું, બાકી ક્યાં તો એણે કામ છોડી ઘરે રહેવું પડે અથવા રીના જેવો સંઘર્ષ સતત કરવો પડે. આવક ઓછી હોય ત્યાં મહિલા પાસે નોકરી છોડવાનો વૈભવ પણ નથી હોતો, કારણ કે એની આવક ઘર ટકાવી રાખવા જરૂરી હોય છે. ટૂંકમાં, મોટા ભાગના કિસ્સામાં નોકરી અને ઘર પ્રત્યેની ફરજનું સંતુલન રાખવું એ મહિલાઓ માટે મજબૂરી વધારે હોય છે. ઘર અને બહાર બંને જવાબદારીના બોજ તળે આ મહિલાઓ પિલાતી જ હોય છે, ભલે તાકાતભેર એ પરિસ્થિતિ નિભાવી જતી હોય! 

રીના જેવા કિસ્સાને ‘નારી શક્તિ’ના પ્રતીક તરીકે વધાવવાની જરૂર નથી, પણ તેમને આ પરિસ્થિતિમાં ન મુકાવું પડે એ માટેના રસ્તા શોધવાની જરૂર છે. જ્યાં સમાજે સંસ્થાકીય માળખું ઊભું કરવું પડે. આ કોઈ નવો વિચાર પણ નથી. દરેક સ્ત્રીને યોગ્ય પ્રસૂતિ અને બાળ ઉછેરની રજા મળે તેમ જ કામના સ્થળે સ્વચ્છ-સુરક્ષિત ઘોડિયા ઘર મળે એ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર તો વર્ષોથી જણાઈ છે. વિશ્વભરનાં મહિલા સંગઠનો આ માટે માંગ પણ કરતા રહ્યા છે. વિશ્વ શ્રમ સંગઠન (આઈ.એલ.ઓ) અને યુ.એન. – વિમેન જેવી વૈશ્વિક સંસ્થાઓ પણ વારંવાર સભ્ય દેશોને આ અંગે ભલામણ કરતી રહી છે. ભારતમાં પ્રસૂતિની રજા માટે કાયદા બન્યા છે પણ એનો અમલ મુખ્યત્વે સરકારી અને અર્ધસરકારી ક્ષેત્રમાં જ થાય છે. ઘોડિયા ઘરની વ્યવસ્થા માટેની કાયદાકીય જોગવાઈ મોટે ભાગે કાગળ પર જ રહી છે. એમાં આમે ય અસંગઠિત ક્ષેત્ર માટેની જોગવાઈ નથી, જ્યાં મોટાભાગનો રોજગાર ઊભો થઇ રહ્યો છે. 

સારસંભાળનું એક અર્થતંત્ર છે. જ્યાં સુધી એનો મુખ્ય ધારામાં સ્વીકાર નહિ થાય ત્યાં સુધી રીના મહિલાઓના ભાગે બેવડી જવાબદારી વચ્ચે પીસાતા રહેવાનું જ આવશે. સ્વચ્છ અને સુરક્ષિત ઘોડિયા ઘર પૂરા પાડવા એ દરેક નોકરી આપનારની જવાબદારી છે. દુર્ભાગ્યે બાળ ઉછેરની જવાબદારી એટલી હદે માતાના ખભા પર છે કે વ્યાવસાયિક તાલીમ પામેલી વ્યક્તિઓને બાળ ઉછેર સાથે જોડવાનું કોઈ મોડેલ ઊભું થઇ જ નથી રહ્યું. બાળ ઉછેરનો આર્થિક, શારીરિક અને ભાવનાત્મક બોજ માતાના ભાગે આવે છે જેને ‘નારી શક્તિ’ જેવા લોભામણા વિશેષણો પાછળ આપણે છુપાવતા રહીએ છીએ.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...448449450451...460470480...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved