Opinion Magazine
Number of visits: 9552659
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !

રમેશ સવાણી|Opinion - Opinion|1 November 2025

રમેશ સવાણી

WHO-વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ગાઢ સંકલનમાં કામ કરતી અને આબોહવા પરિવર્તનના વિકસતા આરોગ્ય પ્રોફાઇલ પર દેખરેખ રાખવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય “ધ લેન્સેટ કાઉન્ટડાઉન ઓન હેલ્થ એન્ડ ક્લાઇમેટ ચેન્જ”, દ્વારા 29 ઓક્ટોબર 2025ના રોજ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. 71 શૈક્ષણિક સંસ્થાઓ અને UN એજન્સીઓના 128 નિષ્ણાતો દ્વારા આ રિપોર્ટ તૈયાર કરાયેલ છે. 

આ અહેવાલ કહે છે કે “2022માં ભારતમાં વાયુ પ્રદૂષણના કારણે 1.718 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા, જે 2010ની તુલનામાં 38% વધુ છે. 2022માં બહારના વાયુ પ્રદૂષણને કારણે અકાળ મૃત્યુથી ભારતને $ 339.4 બિલિયન(આશરે 30 લાખ કરોડ રૂપિયા)નું આર્થિક નુકસાન થયું હતું, જે દેશના GDPના 9.5 % છે. ભારતમાં સરેરાશ દરરોજ 4,700થી વધુ લોકો શ્વાસ લેવાથી મૃત્યુ પામે છે. દિલ્હીની હવા શ્વાસમાં લેવી એ દરરોજ 10 સિગારેટ પીવા જેટલું જોખમી બની ગયું છે. આ 17.18 લાખ મૃત્યુમાંથી 7.52 લાખ (44%) સીધા અશ્મિભૂત ઇંધણ(કોલસો અને લિક્વિફાઇડ ગેસ)ના દહનને કારણે થયા હતા.”

30 ઓક્ટોબર, 2025ની સવારે, દિલ્હી NCR-National Capital Region(જેમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પડોશી રાજ્યોના નજીકના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા અને ફરીદાબાદનો સમાવેશ થાય છે)ના રહેવાસીઓ ફરી એકવાર ગાઢ ધુમ્મસથી જાગી ગયા. CPCB-સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, આનંદ વિહારમાં AQI 409 પર પહોંચ્યો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. લોધી રોડ અને ઇન્ડિયા ગેટ પર અનુક્રમે 325 અને 319 AQI નોંધાયા. 21 ઓક્ટોબરના રોજ, ઘણા સ્ટેશનો પર AQI 900ને વટાવી ગયો. આનંદ વિહારમાં, તે 627(રાત્રે 11 વાગ્યા)થી વધીને 656 (સવારે 4 વાગ્યા) થયો. અશોક વિહારમાં, તે 892, આયા નગરમાં 964 અને મથુરા રોડ પર 959 પર પહોંચ્યો – આ બધું ‘ખતરનાક’ શ્રેણીમાં છે.

AQI-Air Quality Index સ્કેલ સમજીએ. 0-50ને સારું, 51-100 સંતોષકારક, 101-200 મધ્યમ, 201-300 નબળું, 301-400 ખૂબ નબળું અને 401-500 ગંભીર માનવામાં આવે છે. 409 એટલે કે સ્વસ્થ લોકો માટે પણ હવા જોખમી છે.

લેન્સેટ રિપોર્ટ 2022ના ડેટા પર આધારિત છે, જેમાં 2025માં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

PM2.5 (particulate matter with a diameter of 2.5 micrometers or less-2.5 માઇક્રોમીટર વ્યાસ કરતાં નાના કણો) પ્રદૂષણે ભારતમાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આ કણો એટલા નાના છે કે તે ફેફસાંમાં પ્રવેશ કરે છે અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે, જેના કારણે હૃદય રોગ, ફેફસાંનું કેન્સર, ડાયાબિટીસ અને ડિમેન્શિયા જેવા રોગો થાય છે.

જુલાઈ 2024માં, પર્યાવરણ મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે “હવા પ્રદૂષણ મૃત્યુનું સીધું કારણ છે તે સાબિત કરવા માટે કોઈ નક્કર ડેટા ઉપલબ્ધ નથી.” આવા અભ્યાસોમાંથી આપણી સરકાર બોધપાઠ લઈ અટકાતી પગલાં લેવાને બદલે અહેવાલને રદિયો આપે છે. મોદી-ભક્તો અવતારી સરકારને બદનામ કરવાનું કાવતરું કહે છે !

5 જૂન, 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીજીએ’માતાના નામે એક વૃક્ષ’ ઝૂંબેશ શરૂ કરી હતી. ‘અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ’નો ઉદ્દેશ્ય ગુજરાત / રાજસ્થાન / હરિયાણા / દિલ્હીમાં પથરાયેલ 700 કિલોમીટર લાંબી અરાવલી પર્વતમાળાને ફરીથી લીલીછમ કરવાનો છે. પરંતુ ‘અરાવલી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ પણ અન્ય પ્રોજેક્ટની માફક માત્ર પ્રચારનો રહી ગયો છે. 2001 અને 2023 વચ્ચે, ભારતમાં કુલ 2.33 મિલિયન હેક્ટર વૃક્ષ આવરણ ગુમાવ્યું હતું, જેમાંથી 1,43,000 વૃક્ષો ફક્ત 2023માં જ ગુમાવ્યા હતા. જો કે ‘climate change’ અંગે મોદીજીનું જ્ઞાન જ અદ્દભુત છે. 5 સપ્ટેમ્બર 2014ના રોજ શાળાના બાળકોને સંબોધન કરતા કહ્યું હતું : “ક્લાયમેટ ચેન્જ નહીં હુઆ હૈ, હમ ચેન્જ હો ગયે હૈ !”

WHO-વિશ્વ આરોગ્ય સંગઠને વ્યક્તિગત સ્તરે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે 7 સરળ રીતોની ભલામણ કરી છે :

[1] ચાલો કે સાયકલ ચલાવો : વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે પેટ્રોલ વાહનોનો ઉપયોગ કરવાને બદલે ચાલો કે સાયકલ ચલાવો એ શ્રેષ્ઠ રસ્તો છે. દર વખતે જ્યારે તમે પેટ્રોલ કાર કે વાહનો છોડી દો ત્યારે તમે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને વાયુ પ્રદૂષણમાં ફાળો આપતા કણો જેવા હાનિકારક પ્રદૂષકોનું ઉત્સર્જન ઘટાડી શકો છો. ઉપરાંત, ચાલવાથી / સાયકલ ચલાવવાથી તમારાં સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

[2] ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરો : LED બલ્બ અને ઉર્જા-કાર્યક્ષમ ઉપકરણો પસંદ કરો. રૂમની બહાર નીકળતી વખતે લાઇટ બંધ કરો. ઉપરાંત, તે બિલ બચાવે છે ! કારણ કે વીજળી ઉત્પન્ન અશ્મિભૂત ઇંધણને બાળી નાખે છે. તમારા ઘર અથવા ઓફિસમાં બધા વિદ્યુત ઉપકરણોની નિયમિત તપાસ કરાવો.

[3] કચરાનો જવાબદારીપૂર્વક નિકાલ કરો : પ્લાસ્ટિક અને કૃત્રિમ વસ્તુઓનો ઉપયોગ બંધ કરો. રિસાયક્લિંગ અને પુનઃઉપયોગનો અભ્યાસ કરો. ખુલ્લી જગ્યામાં કચરો બાળવાનું ટાળો, કારણ કે તે ઝેરી ધુમાડો છોડે છે જે પર્યાવરણ પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પર્યાવરણને સ્વચ્છ અને સલામત રાખવા માટે કચરાનું વિભાજન, રિસાયક્લિંગ અને ખાતર બનાવવું એ મહત્ત્વપૂર્ણ રીતો છે જેના દ્વારા કચરાનો નિકાલ કરી શકાય છે.

[4] Renewable energy-નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરો : સૌર અથવા પવન ઉર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરવાથી તમારા વાયુ પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. કોલસો અને તેલ જેવા ઉર્જા સ્રોતો વાતાવરણમાં મોટી માત્રામાં કણો, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ છોડે છે. જે ઘટાડી શકાય.

[5] સ્વચ્છ રસોઈ પદ્ધતિઓ અપનાવો : લાકડું, કોલસો અને કેરોસીન જેવા પરંપરાગત બાયોમાસ ઇંધણને બદલે એલ.પી.જી., બાયોગેસ અને સૌર જેવા સ્વચ્છ રસોઈ વિકલ્પો વાપરવાથી એકંદર વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય છે.

[6] વૃક્ષો વાવો : વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો અને છોડ કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, ધૂળ અને પ્રદૂષકોને અટકાવે છે અને સ્વચ્છ ઓક્સિજન છોડે છે. ઉપરાંત, હરિયાળી પૃથ્વી હંમેશાં તમારી ઇન્દ્રિયોને વધુ શાંત રાખશે.

[7] જાહેર પરિવહન અથવા ઇલેક્ટ્રિક વાહનો પસંદ કરો : જેટલા વધુ લોકો ઇલેક્ટ્રિક બસો અથવા વાહનોનો ઉપયોગ કરવાનું પસંદ કરે તેટલું જ નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને particulate matter-કણો (PM2.5)નું ઉત્સર્જન, જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે, તે આપમેળે ઘટે છે. 

31 ઓક્ટોબર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા

નેહા શાહ|Opinion - Opinion|1 November 2025

નેહા શાહ

સંસાધનો મર્યાદિત હોવાને કારણે એને ક્યાં અને કેવી રીતે વાપરવા એ આર્થિક નીતિ ઘડતી વખતે હંમેશાં એક પેચીદો પ્રશ્ન બની રહે છે. એ સંજોગોમાં નાણાંની ફાળવણી નિર્ણયકર્તાની સમજ અને હેતુ અગ્રતા પર રહે છે. આઝાદી પછી દેશના મોટા ભાગના રાજ્યોએ જ્યારે ઔદ્યોગિક વિકાસને પ્રાધાન્ય આપી એમાં રોકાણ કર્યું, ત્યારે કેરાલા માનવ સંસાધાનમાં રોકાણ કરવાની નીતિને વળગી રહ્યું. પરિણામે માનવ વિકાસના સૂચકાંકમાં કેરાલાની પ્રગતિ હંમેશાંથી સૌથી સારી રહી છે. શિક્ષણ, આરોગ્ય, અને આયુષ્ય જેવાં સૂચકાંકમાં વર્ષોથી એ મોખરે જ રહ્યું છે. અને આજે અતિશય ગરીબીને નાબૂદ કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. પહેલી નવેમ્બરે – કેરાલા દિનના દિવસે એની સત્તાવાર જાહેરાત સાથે ઉજવણી થશે. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય અને ચીન પછી વિશ્વનું બીજું ક્ષેત્ર બનશે.

અતિશય ગરીબી એટલે શું? ગરીબીની વ્યાખ્યા માત્ર આવક સાથે જ સંકળાયેલી નથી. સંયુક્ત રાષ્ટ્રએ કરેલી પરિભાષા પ્રમાણે ખોરાક, પીવા લાયક પાણી, આરોગ્યની સુવિધા, સ્વચ્છતાની સુવિધા, ઘર, શિક્ષણ અને માહિતી જેવી મૂળભૂત માનવ જરૂરિયાતોનો ગંભીર અભાવની પરીસ્થિતિ એટલે અતિશય ગરીબી. વૈશ્વિક માપદંડ પ્રમાણે માથાદીઠ ૧૮૦ રૂપિયાથી ઓછી દૈનિક આવક સાથે જીવતી વ્યક્તિ અતિશય ગરીબ ગણી શકાય. ભારતમાં એનું પ્રમાણ સરેરાશ ૧૧.૨ ટકા છે. કેરાલામાં ગરીબીનું પ્રમાણ આમ પણ નીચું જ છે – કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા અને ડાબેરી વિચારસરણીના પ્રભુત્વની અસરનું પરિણામ છે. નીતિ આયોગનાં આંકડા પ્રમાણે ૨૦૨૩માં કેરાલામાં માત્ર ૦.૫૫ ટકા લોકો અતિશય ગરીબ હતા, જે દેશના બધા રાજ્યો કરતાં સૌથી ઓછા છે. આ પ્રમાણને શૂન્ય સુધી લઇ આવવા માટે કેરલા સરકારે ૨૦૨૧માં અત્યંત ગરીબી નાબૂદી પ્રોજેક્ટ શરૂ કર્યો. ચાર વર્ષના અંતે લક્ષ્યાંક હાંસલ થયાનો દાવો કેરાલા સરકાર કરી રહી છે. 

ચાર વર્ષની પ્રક્રિયા ખૂબ રસપ્રદ છે – જે સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને જમીન પર કામ કરતા કાર્યકરો વચ્ચેના સંકલિત પ્રયાસ બતાવે છે. અતિશય ગરીબ લોકો સુધી પહોંચવા માટે સૌથી પહેલા તો એમને ઓળખવા જરૂરી છે. તેઓ દેખીતી રીતે સરકારી કલ્યાણકારી યોજનાઓની સુરક્ષા જાળની બહાર રહી ગયા હતા એટલે સરકારી રેકોર્ડ માંથી અદૃશ્ય હતા. સૌથી પહેલા અતિશય ગરીબ વ્યક્તિઓ અને પરિવારોને ઓળખવામાં આવ્યા. એ માટે પંચાયતોની મદદ લેવામાં આવી. આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, કુદુમ્બશ્રી (મહિલા નેટવર્ક) કાર્યકર્તા જૂથોના સભ્યો અને રહેણાંક સંગઠનો જેવાં જમીની સ્તરે કામ કરતાં આશરે 14 લાખ લોકોનાં પ્રયત્નોથી ડેટા સંકલિત કરવાનું કામ થયું. ગ્રામ અને વોર્ડ સભામાં સખત ફિલ્ડ વેલિડેશન, સુપર ચેક અને અંતિમ પુષ્ટિ પછી, 64,006 પરિવારોના કુલ 1,03,099 વ્યક્તિઓને અતિશય ગરીબીમાં જીવતાં લોકો તરીકે ઓળખવામાં આવ્યા. પ્રારંભિક તબક્કામાં, રાજ્યએ દરેક ઓળખ કરાયેલા પરિવારને ખોરાક અને આરોગ્ય સંભાળ પૂરી પાડવાની પ્રાથમિકતા આપી. તેમને આરોગ્ય વીમો અને સામાજિક સુરક્ષા પેન્શનની પહોંચ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે યુ.ડી.આઇ.ડી. કાર્ડ જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો આપવામાં આવ્યા. દરેક પરિવાર માટે કસ્ટમાઇઝ્ડ માઇક્રો-પ્લાન (સૂક્ષ્મ યોજના) બનાવાઈ – એટલે કે જેને જે જરૂર હતી એ સગવડ પૂરી પાડવા તેમને પંચાયતની પેટા યોજના સાથે સંકલિત કરવામાં આવ્યા. આશરે ૩,૯૦૦ ઘર વિહોણા પરિવારોને સરકારી યોજના અંતર્ગત ઘર આપવામાં આવ્યા, આરોગ્યની સમસ્યાવાળા લોકોને સીધી તબીબી સુવિધા અપાઈ, જો બાળક શાળાએ ન જતું હોય તો એમનો શાળા પ્રવેશ કરાવાયો, બેરોજગાર લોકોને તાલીમ આપી આજીવિકાના સાધનો ઊભા કરાયા. તમામ સૂક્ષ્મ યોજનાઓ ડિજિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ પર અપલોડ કરવામાં આવી હતી, જેથી દરેક સેવા યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એની પર નજર રાખી શકાય. સંબંધિત વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા દરેક પરિવારની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કરતી હતી.

આ આખી વાત પ્રભાવશાળી લાગતી હોય તો પણ જ્યાં રાજકીય દાવા હોય ત્યાં દૂરથી દેખાતી બધી વાત હરિયાળી નથી હોતી. વાયનાડ જિલ્લાના આદિવાસીઓ સુધી જરૂરી અન્ન, રહેઠાણ કે પ્રાથમિક તબીબી સવલતો પહોંચતી નથી, એવી ટીકા ત્યાંના આદિવાસી નેતાઓ અને આશા કાર્યકરોએ કરી છે. આ ઉપરાંત એ પણ સમજવું જરૂરી છે કે ગરીબીની રેખા કોઈ જાદુઈ રેખા નથી. એની ઉપર ઉઠેલા લોકોનાં જીવન કોઈ નાટ્યાત્મક રીતે બદલાઈ નથી જતા. ખરી કસોટી તો તેમને ગરીબીની રેખા ઉપર ટકાવી રાખવામાં છે. એક માંદગી કે એક પૂરમાં તણાઈ જતા ઘરને કારણે એક કુટુંબ ક્ષણભરમાં પાછું ગરીબી તરફ ધકેલાઈ શકે છે. આ પરિવારો ફરીથી અતિશય ગરીબીમાં ન જાય તે સુનિશ્ચિત કરવા માટે કલ્યાણ, આજીવિકાની યોજનાઓ અને સામાજિક સુરક્ષાની સતત દેખરેખની જરૂર પડશે. પણ, કેરાલા એના લક્ષ્યાંકની નજીક છે અને એના મોડેલે એટલું તો સાબિત કર્યું કે જો સરકારી તંત્ર યોજનાઓનું યોગ્ય સંકલન કરે, અને યોજનાના અમલીકરણમાં લોકોને ભાગીદાર બનાવાય જેમ કુટુમ્બશ્રીની બહેનો જોડાઈ તો અઘરા લાગતા ઘણાં લક્ષ્યાંકો પાર પાડી શકાય છે. જરૂર હોય છે રાજકીય ઈચ્છા શક્તિની.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|1 November 2025

કાજુ વત્તા બદામ બોલો હા,
બાકી સઘળું હરામ બોલો હા.

દોસ્ત માથું ચઢી ગયું છે તો,
ચોપડી ઝંડુ બામ બોલો હા.

ઉંબરે સોનમૃગ આવ્યાં છે,
તીર તાકી તમામ બોલો હા.

હણહણે છે વિચાર કોનો આ,
થઈ ગયા બે-લગામ બોલો હા.

આ કથા લાંબુ ચાલશે નિર્મન,
લઈ લઈએ વિરામ બોલો હા.

વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ .કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

...102030...43444546...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved