Opinion Magazine
Number of visits: 9696885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંતિ એક ડાયમેન્શન છે / એક દિવસ અચાનક

સંસ્કૃિતરાણી દેસાઈ|Poetry|29 March 2014

શાંતિ એક ડાયમેન્શન છે                 

શાંતિ એક ડાયમેન્શન છે ઘનાકૃતિની
ને સામેની બાજુ છે યુદ્ધ
બીજી ડાયમેન્શન છે પ્રેમ, ઉદ્યોગ, કલા, અાશા અને હતાશા.
ડાયમેન્શનો વધારે છે, કદાચ
એટલે અા ઘનાકૃતિ નથી
છે, કદાચ અાઠ સપાટી કે વધારે સપાટીવાળી ઘન વસ્તુ,
અંદર વહે છે એક સરખું પ્રવાહી
પણ ડાયમેન્શન તરફ કેન્દ્રિત થાય છે એક લાગણી.
અભિવ્યક્ત થાય છે એ રીતે એક બાજુએ
એક સપાટી તરફ અાશા તો સામેની સપાટી તરફ હતાશા.
સપાટીઅો ન હોય તો સારું
માત્ર હોય અવકાશ, વહેતી હોય અાનંદધારા
સરહદો નહીં, સીમાઅો નહીં, સપાટીઅો નહીં
પત્તર રગડી નાખી છે અાકારોએ અાવીને.
સીમિત કરે છે અવકાશને, બાંધી દે છે વાડ
કાંટાળી.
બંધિયાર પાણી … ને મચ્છરો જન્મે …
ફાયદા કરતાં, થયું લાગે છે નુકસાન વધારે
અાકારથી.
ચાલો, પંચકોણની દાંડી તોડી ફેંકી દઈએ ખીણમાં
વાડ નહીં, સરહદ નહીં, સીમા નહીં
પૃથ્વી નહીં, ગૃહો નહીં
માત્ર બ્રહ્માંડ.

•••••••••

એક દિવસ અચાનક                   

એક દિવસ અચાનક સૂર્યના એકાએક અાવવાથી
છળી ઊઠ્યો માણસ અને
બની ગયો પડછાયો.
નવા બનેલા પડછાયાને બહુ ખોટું લાગતું …
માણસ હતો અને છેક પડછાયો થઈ ગયો !
તીવ્ર ઇચ્છાને લીધે જન્મ્યો એને એક માણસ
માણસે એ પડછાયાને રહેવા દીધો પોતાની સાથે
કારણ અામ તો તે તેનાથી જ જન્મ્યો હતો ને !
ભાડવાત તો પોતે હતો
ઘરધણી હતો પડછાયો જ
પણ દિવસ દરમ્યાન કોઈકવાર લાંબા થવું તો કોઈકવાર ટૂંકા
તો કોઈકવાર બિલકુલ એ જ માપના !
ને ચાલ્યા કરવું માણસને ચોંટીને …
કંટાળાજનક, મનને થકવનારા નિત્યક્રમ અને ગુલામી જેવું …
નહોતું ગમતું એ પડછાયાને.
એટલે બીજા બે પડછાયાને રાખી દીધા પોતાની સાથે
જુદા જુદા કદના.
રખડતા હતા નવા ભાડવાતે કાઢી મૂકેલા એટલે
ત્રણેને અલગ અલગ ‘બર્થ’ કરી અાપી છે માણસમાં
કે અલગ અલગ રૂમ અાપ્યા છે
એ ખબર પડી નથી હજી
પણ પોતાનો સમય થાય છે એટલે ત્રણે કદના પડછાયા
એક પછી એક ફરજ બજાવે છે પોતાની
ને કર્તવ્ય પૂરું કરી પોતાનું
અાવી પહોંચે છે પાછા માણસની અંદર

ફરી માણસ થઈ જવું છે પેલા પડછાયાને …
વસ્તીની અાટલી જટિલ સમસ્યામાં
જ્યારે હિતાવહ છે કે માણસ પડછાયો બને
ત્યારે શું થશે ?
જો બધા જ પડછાયા પાછા માણસ બની જાય !

2/C Nanik Nivas, Warden Road, Mumbai – 400 026

e.mail : sanskritidesai@yahoo.com

Loading

જોબનિયા કોન વાટે ગયા

કાજી મામદશા|Poetry|29 March 2014

જોબનિયા કોન વાટે ગયા             

જોબનિયા કોન વાટે ગયા દેખોને રે પગી પગા
                  જોબનિયા કોન વાટે ગયા − ટેક

હાથ પગ એના ધ્રુજન લાગ્યા ચાલત હૈ વો ડગંડગા
નૈનન મેં સે તેજ ગયા ને દેખ હૈ વો ટગંટગા
                              − જોબનિયા કોન વાટે ગયા

જોબન ઐસા કૈસા રંગીલા જૈસે કસુંબી રંગ ચડા
જોબનિયા જો ફિર મિલ જાયે રાખું ઉસકો ગલે લગા
                             − જોબનિયા કોન વાટે ગયા

કાળી ભ્રમર તો ઉડન લાગી બેઠન લાગી ધોળી બગા
મુખ મેં સે સબ દાંત ગયા ને બોલત હૈ વો ફગંફગા
                               − જોબનિયા કોન વાટે ગયા

જોબના તેં તો ભારે કીધી દે ગયો તૂ હમકો દગા
કાજી મામદશાની વિનંતી સુન લિજીએ મેરે ખુદા
                              − જોબનિયા કોન વાટે ગયા

(સૌજન્ય : “બિરાદર”, ફેબ્રુઅારી 2014, પાન 13)

Loading

લોકશાહીમાં નેતા રાજા નહિ, પણ સેવક છે

નિહાર મેઘાણી|Samantar Gujarat - Samantar|27 March 2014

માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી,

હું ગુજરાતમાં રહેતો દેશનો નાગરિક છું અને થોડા સમય પહેલાં સુધી હું આપનો સુપર-ફેન રહી ચુક્યો છું. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં મેં ભા.જ.પ.ને જ મત આપેલા છે અને તે પણ માત્ર અને માત્ર આપશ્રીને મુખ્યમંત્રી બનાવવા ખાતર. અરવિંદ કેજરીવાલે મારું માઈન્ડવોશ કરી નાખ્યું છે. આપશ્રી કેજરીવાલના સવાલો ઇગ્નોર કરો એ આપની મરજી છે, પણ એના સવાલોએ મને બેચેન કરી નાખ્યો છે, અને વધારે બેચેન એ માટે કે આપ આવા ગંભીર આક્ષેપોને આસાનીથી ટાળી દો છો.

આપશ્રીને ગુજરાત આખું રાજાની જેમ વધાવે છે અને નવાઈ એ વાતની લાગે છે કે આપશ્રી આવા વધામણા હોંશે હોંશે સ્વીકારી લો છો. આપશ્રી તો જાણો જ છો કે લોકશાહીમાં નેતા રાજા નહિ, પણ સેવક છે. હું થોડાં વર્ષો ઈંગ્લેન્ડમાં રહ્યો છું. આપશ્રી જે ગુજરાત મોડેલની વાત કરો છો એનાથી સામાન્ય રીતે દેશ બહાર એવો સંદેશ મળે છે કે ગુજરાત હવે દુબઈ કે સિંગાપોર જેવું થઈ ગયું હશે. અને દેશના બિનગુજરાતી લોકોને પણ આવી જ કોઈ કલ્પના થતી હોય તો નવાઈ નહિ. શું આપશ્રી પોતે કોઈ વિકસિત દેશમાં જઈને ત્યાં રહ્યા છો? હું એવુ તો હરગીઝ ન કહી શકું કે વિકાસ થયો જ નથી. પણ જે રીતે વિકાસને પ્રોજેક્ટ કરી ભા.જ.પ. ઢંઢેરો પીટે છે એમાં વિવેક તો છે જ નહિ પણ વિકાસ વિષેનું પાર્ટીનું અજ્ઞાન છતું થતું દેખાય છે. છેલ્લાં દસ વરસમાં વિકાસ માત્ર ગુજરાતમાં નહિ પણ આખી દુનિયામાં થયો છે. આપશ્રી આપનાં ભાષણોમાં જે વિકાસને લગતા આંકડાઓ બોલો છો એનો રેફરન્સ પણ સાથે આપો (એ આંકડાઓને કોણે ઓથોરાઇઝ્ડ કરેલા છે તે) તો ભણેલી-ગણેલી પ્રજાને જરા સંતોષ થાય, અભણ અને ઘેલા લોકોની વાત અલગ છે.

ચાલો અરવિંદને તમે જવાબ ન આપો તો એવું સમજીએ કે એ આપનો પોલિટીકલ ઓપોનન્ટ છે અને તેનું કદ હજુ ખૂબ નાનું છે તો એ બક્યા કરે, એમ કંઈ જવાબ અપાતા ન ફરાય. (કેજરીવાલ અંગત રીતે કેવો માણસ છે અથવા દિલ્હીમાં એણે શું કર્યું કે ન કર્યું એ વાતમાં મને કોઈ જ રસ નથી. મને બેચેની માત્ર એણે આપને પૂછેલા સવાલોથી છે, જે ઘણા ગંભીર છે) મત આપને આપ્યા પછી મારો પ્રાથમિક અધિકાર વાપરવાની ગુસ્તાખી કરી આપશ્રીને અરવિંદે પૂછેલા ૧૭ પ્રશ્નો ઉપર સીધા જવાબ આપવાની વિનંતીની કરું છું.

(આપના સામાન્ય જ્ઞાનમાં જો હું વધારો કરી શકું તો ધન્યતા અનુભવીશ : POK અથવા પાકિસ્તાન ઓક્યુપાઇડ કશ્મીર એ વિવાદિત વિસ્તાર છે જે હાલ પાકિસ્તાનનાં કબજામાં છે, અને ત્યાં પાકિસ્તાનીઓ ઘર બાંધીને રહે છે. આપણે એ ભાગને આપણા નકશામાં બતાવીએ એ કદાચ આપણી દેશપ્રેમી તરીકેની એક હઠ છે, પણ યુ.એન. ઉપરાંત આખી દુનિયા એ પ્રાંતને પાકિસ્તાનમાં અથવા અલગ ટેરેટરી તરીકે નકશામાં બતાવે છે. એનું કારણ એટલું જ કે ત્યાં ભારતીયોને પ્રવેશ નિષેધ છે અને એ ભાગનો કબજો હાલના તબક્કે પાકિસ્તાન જ ભોગવે છે.)

આપનો વિશ્વાસુ,


નિહાર મેઘાણી

૨૭ માર્ચ ૨૦૧૪

સૌજન્ય : https://www.facebook.com/nihar.meghani

Loading

...102030...4,0274,0284,0294,030...4,0404,0504,060...

Search by

Opinion

  • ખોરાક બાબતે આપણે બેદરકાર, તો કંપનીઓ છેતરવા બેકરાર …
  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved