બલરાજ મધોક : ૧૯૨૦-૨૦૧૬ – મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક નહોતા આવ્યા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે
નવી પેઢીના વાચકોએ કદાચ પ્રોફેસર બલરાજ મધોકનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટીઓનાં આ લક્ષણો છે. એક વાર કોઈ નેતાને ધકેલી દેવામાં આવે તો એ પછી એ નેતાનો અરણ્યવાસ આજીવન હોય છે. ભારત અને વિશ્વભરમાં સામ્યવાદી પક્ષોમાં આવાં સેંકડો ઉદાહરણ મળી આવશે. ભારતમાં સામ્યવાદી પક્ષની સ્થાપના કરનારાઓમાંના એક શ્રીપાદ અમૃત ડાંગેને પક્ષે બરતરફ કર્યા એ પછી સામ્યવાદીઓ તેમની સાથે એવી રીતે વર્તતા હતા કે જાણે તેઓ આ ધરતી પર હયાતી જ નથી ધરાવતા. જો કે ડાંગે મરાઠી શબ્દ વાપરીએ તો અક્ટપેલુ વ્યક્તિત્વ (બહુમુખી પ્રતિભા) ધરાવતા હતા એટલે અનેક જગ્યાએ તેમની ઉપસ્થિતિ નજરે પડતી હતી, પરંતુ બિરાદર ડાંગેને તો સાવ વિસરી જવાયા હતા.
ભારતીય જનસંઘમાં અને એ પછી BJPમાં ૧૯૭૩થી બલરાજ મધોકની સ્થિતિ આવી જ હતી. બરાબર ૪૩ વરસનો વનવાસ ભોગવીને બલરાજ મધોક ૯૬ વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન પામ્યા ત્યારે મધોક વિશે જાણનારા લોકોને જાણકારી મળી હશે કે તેઓ હજી હયાત હતા. સામ્યવાદી પક્ષોની જેમ જનસંઘ/BJP પણ ક્લોઝ્ડ કૅડરબેઝ્ડ પાર્ટી છે એટલે ઉપરથી જ્યારે નિર્ણય લેવાય ત્યારે માણસને જીવતેજીવત ભુલાવી દેવામાં આવે છે. છેલ્લાં વર્ષોમાં ખબર નહીં કયા ગુના માટે પણ સુંદર સિંહ ભંડારીની પણ આવી હાલત કરવામાં આવી હતી. સુંદર સિંહ ભંડારીએ પોતે આવો બળાપો કાઢ્યો હતો. અત્યારે BJPના ભૂતપૂવર્ અધ્યક્ષ બંગારુ લક્ષ્મણ ર્દીઘ અરણ્યવાસ ભોગવી રહ્યા છે. બંગારુ લક્ષ્મણ કરતાં અનેકગણો મોટો ભ્રષ્ટાચાર કરનાર યેદિયુરપ્પાની એક વાર નહીં બે વાર પુન: સ્થાપના કરવામાં આવી છે, પરંતુ બંગારુ લક્ષ્મણની કરવામાં નથી આવતી.
મૂળમાં RSSનો રાજકીય પક્ષ સ્થાપવાનો કોઈ ઇરાદો નહોતો. રાજકીય પક્ષ હિન્દુઓમાં સાવર્ત્રિક માન્યતા અપાવવામાં અવરોધરૂપ નીવડશે એવી તેમની ધારણા હતી અને એ સાચી પણ હતી. પક્ષ હોય તો પક્ષવિરોધી હિન્દુઓ હિન્દુ હોવા છતાં પણ સાથે ન આવે એવું બને. એટલે તો મહાત્મા ગાંધીની હત્યા પહેલાં અનેક કૉન્ગ્રેસીઓ કૉન્ગ્રેસી હોવા છતાં RSS માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને મદદ કરતા હતા. બિનરાજકીય ચહેરો ધારણ કરીને રાજકીય પ્રવૃત્તિ કરવામાં જેટલો ફાયદો અને સલામતી છે એટલો ફાયદો પક્ષની સ્થાપના કરવામાં નથી એ સંઘના નેતાઓ જાણતા હતા. સંઘના સ્વયંસેવક રહી ચૂકેલા નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી અને સંઘ પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો ત્યારે સંઘના નેતાઓને લાગ્યું હતું કે સંકટની ઘડીએ દિલ્હીમાં સંઘનો અવાજ બને એવા રાજકીય પક્ષની જરૂર છે.
સંઘે ઘણાં વરસો સુધી દૂધ-દહીંમાં પગ રાખવાનો પ્રયાસ કર્યો હતો કે સંઘ સાંસ્કૃિતક સંગઠન છે, જનસંઘ/BJP સાથે એનો સીધો કોઈ સંબંધ નથી વગેરે જેથી BJPનો વિરોધ કરનારા હિન્દુઓનું સમર્થન ગુમાવવું ન પડે. હવે મોહન ભાગવત સરસંઘચાલક બન્યા પછી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી બે મોટાં પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. કેન્દ્ર સરકારે દોણી સંતાડ્યા વિના હિન્દુ કોમવાદી એજન્ડા અપનાવી લીધો છે અને સંઘે દોણી સંતાડ્યા વિના BJP સાથેના સીધા સંબંધનો સ્વીકાર કરી લીધો છે. મોહન ભાગવત નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ સત્તાકીય વગ ધરાવે છે અને તેમના પુરોગામીઓથી ઊલટું તેઓ એનો આનંદ પણ ભોગવી રહ્યા છે.
જો કે એવો એક સમય હતો જ્યારે સંઘે રાજકીય પક્ષની રચના કરવી પડી હતી અને સંઘ બને ત્યાં સુધી રાજકીય બાબતોમાં મોખરે ન આવવું પડે એનું ધ્યાન રાખતો હતો. સમસ્યા હતી નેતૃત્વની. સંઘ પાસે એવો કોઈ નેતા નહોતો જે રાજકીય પક્ષનું નેતૃત્વ કરી શકે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી ઉંમરમાં અને હેસિયતમાં હજી નાના હતા. તેઓ સંઘ વતી પક્ષમાં પાછળથી દોરીસંચાર કરવા જેટલા સક્ષમ હતા, પરંતુ નેતૃત્વ કરી શકે એટલી તેમની ક્ષમતા નહોતી. ભારતીય જનસંઘના પહેલા બે દાયકા ઉધારના નેતૃત્વના હતા અને એમાં બલરાજ મધોક છેલ્લા હતા. જનસંઘના સ્થાપક-પ્રમુખ શ્યામ પ્રસાદ મુખરજીનું અકાળે અવસાન થયું એ પછી મૌલી ચન્દ્ર શર્મા જેવા સંઘ સાથે સીધો સંબંધ ન હોય એવા માણસોને અધ્યક્ષપદે બેસાડવામાં આવતા હતા. નેતા ગમે તે હોય, સંઘ પાછળથી દોરીસંચાર કરતો હતો. સંઘ સાથે સીધો સંબંધ તો શ્યામ પ્રસાદ મુખરજીનો પણ નહોતો એટલે તેઓ જો લાંબું જીવ્યા હોત તો તેમના હાલ પણ સંભવત: બીજા બહારના ઉધારના નેતાઓના થયા હતા એવા જ થયા હોત.
બલરાજ મધોક સંઘના નેતાઓને પણ ઝાંખા પાડે એવા કટ્ટર હિન્દુત્વવાદી હતા, પરંતુ હતા મૂળમાં આર્ય સમાજી. બલરાજ મધોકનો ૧૯૩૮થી RSS સાથે સંબંધ હતો. સ્વયંસેવક હતા, સક્રિય હતા; પણ તેમના આર્ય સમાજી સંસ્કાર પ્રબળ હતા. સરેરાશ આર્ય સમાજી સ્પષ્ટ વક્તવ્ય માટે અભિમાન ધરાવનારો અને પોતાને બીજા કરતાં અદકેરો માને છે. આ બાજુ સંઘના સંસ્કાર અનેક મોઢે બોલવાના છે અને નીતિ દહીં-દૂધમાં પગ રાખવાની છે. આર્ય સમાજી સ્પષ્ટવક્તા બલરાજ મધોક સવાયા હિન્દુત્વવાદી હોવા છતાં અને સંઘની સરેરાશ બૌદ્ધિક ક્ષમતા કરતાં વધારે બુદ્ધિશાળી હોવા છતાં સંઘને તેઓ માફક આવ્યા નહોતા. જો સહઅસ્તિત્વ માથે મારવામાં આવે તો સંઘીઓ કૉન્ગ્રેસીઓ સાથે જીવી શકે, અરે સામ્યવાદીઓને પણ ખમી શકે; પરંતુ પોતાના જ જાતભાઈ હિન્દુ મહાસભાવાળાઓને અને આર્ય સમાજીઓને ન ખમી શકે. આનું કારણ એ છે કે જાતભાઈઓ દરેક પ્રસંગે સાચી જાત બતાવવા લલકારતા રહે છે.
બલરાજ મધોક જનસંઘને સાચો હિન્દુત્વવાદી પક્ષ બનાવવા માગતા હતા, પરંતુ સંઘ માટે જનસંઘ જો તક મળે તો સત્તા માટેની નિસરણી હતો અને નહીં તો સંઘના હિતનું રક્ષણ કરનાર દિલ્હીમાંનો રખોપિયો હતો. બલરાજ મધોક આ વાત ક્યારે ય સમજી શક્યા નહોતા. દરમ્યાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી બૅકસીટ-ડ્રાઇવિંગ કરવાની જગ્યાએ પોતે જ ડ્રાઇવ કરી શકે એટલા તૈયાર થઈ ગયા હતા. આ ચારે ય નેતાઓને સંઘના સંસ્કાર ગળથૂથીમાં મળ્યા હતા અને એ સાથે જનસંઘનું નેતૃત્વ સીધું સંઘ પાસે આવી ગયું હતું.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 મે 2016
http://www.gujaratimidday.com/features/columns/balraj-madhok-wanted-to-create-a-true-hindu-jan-sangh-party-but-for-rss-jan-sangh-just-a-ladder-to-get-power-2
![]()



મખનસિંહનો જન્મ પંજાબના ઘરજખ નામનાં ગામડામાં 27 ડિસેમ્બર 1913માં થયો હતો. તેઓના પિતા સુઘસિંહ સુથાર હતા. 1920માં સુઘસિંહ કેન્યા આવ્યા અને રેલવેની નોકરી કરી. 1927માં મખન સિંહ અને તેઓનાં માતા ઈશર કૌર કેન્યા આવ્યાં.
1939ની સંઘની સભામાં મખન સિંહ સાથે જેસી કર્યુકી અને જ્યોર્જ ડેગવા પણ સંઘની સમિતિમાં ચૂંટાયા. આ સભામાં આફ્રિકી અને કેન્યાવાસી ભારતીય મજૂરોએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો. સભામાં ભાષણો કિસ્વાહીલી, હિંદુસ્તાની અને અંગ્રેજીમાં કરવામાં આવેલા.
પીઓ ગામમાં પીંટોનો જન્મ નાઇરોબીમાં 31 માર્ચ 1927માં થયો હતો. નાની ઉંમરમાં જ પિતાએ તેઓને ભારત ભણતર માટે મોકલ્યા હતા. ભણતર પૂરું કર્યા પછી થોડો વખત મુંબઈની પોસ્ટ એન્ડ ટેલિકોમ્યુિનકેશન કંપનીમાં કામ કર્યું. ત્યાં મજૂર સંઘના કામમાં ભાગ લઈ અને મજૂરોના હકો માટે હડતાલમાં ભાગ લીધો.
નાઇરોબીમાં પાછા આવ્યા પછી પીંટોએ કારકૂનનું કામ કર્યું પણ અંગ્રેજી સામ્રાજ્યશાહી નીચે દેશની ખરાબ હાલત જોતા સ્વતંત્રતાની લડત તરફ ખેંચાયા. 1951માં ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન કોંગ્રેસની કચેરી કે જે દેસાઈ મેમોરિયલ બિલ્ડિંગમાં હતી ત્યાં કામે લાગ્યા. તેઓએ આફ્રિકી આઝાદી સંઘ, કેન્યા આફ્રિકન યુનિયન, તેમ્ જ મજૂર સંઘોના સભ્યો અને નેતાઓ સાથે સંપર્ક સાધ્યો અને આફ્રિકી-એશિયન એકતા માટે કામ કર્યું. 1950માં જ્યારે મજૂરોના નેતા ચેંગે કિબાશ્યા, મખનસિંહ અને ફ્રેડ કુબાઈની ધરપકડ કરવામાં આવી ત્યારે પીંટો એ મજૂરો સાથે મળી, સંઘનું કામ ચાલુ રાખવામાં મદદ કરી.
જે લડવૈયાઓને અદાલતમાં લઈ જવામાં આવ્યા તેઓ માટે વકીલો શોધવાનું કામ પણ પીંટોએ કર્યું. સરકાર સામે લડી આઝાદીના સૈનિકોનો બચાવ કરવા માટે ઘણા દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓ આગળ આવ્યા. દા.ત. એફ. આર. ડીસુઝા, જે. એમ. નાઝારેથ, ઈ. કે. નવરોજી, એ. આર. કપીલા, એસ. એમ. અક્રમ, એ. એચ. મલીક, શેખ અમીન, કે. ડી. ત્રવાડી, અરવિંદ જમીનદાર વગેરે.
આ વખત દરમ્યાન સામ્રાજ્યશાહીઓની કોશિશ હતી કે મજૂર સંઘના નેતાઓ ગદ્દારીના રસ્તા ઉપર ચડી જાય અને મજૂરોના હિત માટેની લડત છોડી દે. તેઓને એમ પણ જોઈતું હતું કે કેન્યાના સંઘો આફ્રિકી ખંડના બીજા સંઘો સાથે ભળીને સામ્રાજ્યશાહીને પડકાર ના કરે. બીજા મજૂરના નેતા જેવા કે ડેનીસ અક્રમુ સાથે મળી પીંટોએ આનો સામનો કર્યો. એટલું જ નહિ પણ ‘ઓલ આફ્રિકા ટ્રેડ યુનિયન ફેડરેશન’ કે જેનું મથક ધાનામાં હતું તેની સાથે સંપર્ક સાધ્યો અને આફ્રિકી એકતા આગળ વધારી.
મણિલાલ એ. દેસાઈનો જન્મ 1878માં સુરતમાં થયો હતો. ભારતમાં નિશાળ પતાવી તેઓએ વકીલાતનો અભ્યાસ શરૂ કર્યો અને ત્યાં નોકરી કરી. 1915માં તેઓ કેન્યા આવ્યા અને એક વકીલોની અંગ્રેજી પેઢીમાં કામ શરૂ કર્યું. જેમ દેશભરમાં અંગ્રેજ સામ્રાજ્ય સરકારે જાતિય ભેદભાવ સ્થાપિત કરેલ તેમ આ વકીલોની કચેરીમાં પણ આવા ભેદભાવનો અનુભવ દેસાઈને થયો. આવી વર્તણુકને તેઓ સહન ન કરી શક્યા અને કામમાંથી રાજીનામું આપી દીધું.
1952માં શરૂ થયેલ કેન્યાની આઝાદીની સશસ્ત્ર લડતમાં જે ફાળો દેશપ્રેમી એશિયન કેન્યાવાસીઓએ કરેલ છે, તેનો ઇતિહાસ આજ સુધી ઘણો ખરો અનલિખિત છે. ત્રીસ વર્ષનો ગાળો વીતી જવાથી આ અહેવાલ હવે તો ભૂલાવા પણ મંડાયો છે. આપણી ફરજ છે કે કોઈ પણ કિસ્સાઓ વિશે આપણી પાસે માહિતી હોય, તેને આપણે પ્રસિદ્ધ કરી, આપણા આ દેશમાંના ઇતિહાસની જાણ વધારીએ.