Opinion Magazine
Number of visits: 9552231
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા મિત્રો

દીપક બારડોલીકર|Poetry|25 November 2015

સ્નેહઝરમર કરે છે નિ:સંકોચ

મુજને અંતરમાં સ્થાન આપે છે

ના ખરીદી શકે કોઈ સમ્રાટ

મારા મિત્રો તે માન આપે છે

•


અવળુંસવળું હું બોલતો રહું છું


એનો રસપ્રદ જવાબ આપે છે

પાંદડાની કરું અગર ઈચ્છા

મારા મિત્રો ગુલાબ આપે છે

•

છે મિસાલી આ કાર્ય મિત્રોનું


કે છે દીપકની વાટ સંકોરી

સ્નેહે સીંચ્યો છે હોસલો રગ રગ

બેઠો કીધો છે મુજને ઢંઢોળી

•



ખેત – વાડીને આપે વરસાદો

ને પહાડોને રાખે છે મક્કમ


મારો અલ્લાહ, મારા મિત્રોને


આપે અરબી સમુદ્રનો દમખમ


Loading

નેવુંમે વર્ષે

દીપક બારડોલીકર|Poetry|25 November 2015

નેવું થયાં

હા, નેવું થયાં છે.

 

અને

જીવનસેતુ તળેથી

વહી ગયાં છે પુષ્કળ પાણી !

ઊછળતાં પાણી

કિનારા ફલંગતાં પાણી !

પાણીને મેં જાણ્યાં છે

ચાલ્યાં છે, માણ્યાં છે

 

પાણી શક્તિ

લૌકિક, અલૌકિક દૃષ્ટિ !

 

પાણી બગીચા,

મખમલિયા ગાલીચા.

પાણી રંગ-સુગંધ

પાણી અંતરનો મોરચંગ

 

પાણી મોતી

અદ્દભુત જ્યોતિ !

પાણી બુંદ, પાણી સમદર
પાણી સૌ પ્રશ્નોનો ઉત્તર

પાણીના સહયોગે માણસ
બની જતો ઝળહળતું ફાનસ !
ચઢે હિમાલય, ખેડે સાહસ
બની જતો એ દરિયાલાલ
ખોલે નવ્ય જગતનાં દ્વાર

પાણીનો સહયોગ હતો કે
આ બંદાએ કરી કવિતા
છલકાવી છે શબ્દસરિતા
ઊથલપાથલ પણ કરી છે
સિંહો-શી આફતની સાથે બાથ ભરી છે !

પણ હવે થયાં છે નેવું

ને કહ્યું છે આવું કોકે
કે નેવામાં પાણી ચડે નહીં મોભે

તો વળી ભીતર
બોલે છે કોઈક આમ
હામ પકડ, હામ
કે પાણી તો ઊડે

આકાશે ચઢે, પડે, સયલાબ બને !
પાતાળેય પૂગે !
પાણી રોકાતાં નથી
પાણી ખોવાતાં નથી
પછી ભલે ને −
એ નેવું થાય કે નવ્વાણું !
પડઘે છે પાણીનું ગાણું
હું તો બસ આટલું જાણું !

Loading

વિપુલ કલ્યાણીની વિચારસૃષ્ટિ

રઘુવીર ચૌધરી|Diaspora - Reviews|23 November 2015

વિપુલભાઈના નિબંધોની ખાસિયત એ છે કે એ લલિત નિબંધની માયામાં ફસાયા નથી. એ વિચારપ્રધાન નિબંધમાં ‘માઇલસ્ટોન’ – માર્ગસૂચક સ્તંભ બની શકે એમ છે

વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધોનું બળવંત જાનીએ કરેલું સંપાદન વાચતાં પ્રશ્ન થાય. વિપુલભાઈ ડાયસ્પોરા લેખનની સીમિત વ્યાખ્યામાં બંધાય એવા છે ખરા? નિરંજન ભગત તો ડાયસ્પોરાને વિસ્થાપિતોનું લેખન કહે છે, જ્યારે બળવંત જાની નોંધે છે. ‘દેશ’ સાથે જેમનો ગહન સંબંધ છે, ‘પરદેશ’ જેમની નિયતિ છે એવો વૈશ્વિક પટ પર પથરાયેલો પ્રજાસમૂહ ‘ડાયસ્પોરા’ની ઓળખ પામ્યો છે. ‘ડાયસ્પોરા’ હકીકતે તો બે પ્રક્રિયા સૂચવે છે. એક વિખૂટા પડવાની વ્યથાની અનુભૂતિનો વિસ્તાર અને બીજું સ્થાયી થવાની જીવનરીતિ (પૃ. 17, વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો)

મારી છાપ એવી છે કે વિપુલભાઈ વિસ્થાપિત મનોદશાના કે ઘર ઝુરાપાના માણસ નથી. એ આયોજન અને સંગઠનના માણસ છે. ‘અમે વિશ્વના ગુજરાતી, આપણો એક થવાનો યોગ’ નામના નિબંધમાં એ સ્વામી સચ્ચિદાનંદનું અવતરણ ટાંકે છે. આપણી પાસે સંખ્યા છે, પણ સરવાળો નથી, જ્ઞાન છે પણ દૃષ્ટિ નથી, પૈસો છે પણ આયોજન નથી. એટલે છતી શક્તિએ શૂન્ય છીએ.’ ગાંધી વિચારની ગળથૂથી પામેલા આ પત્રકાર બ્રિટનની ગુજરાતી લિટરરી એકેડેમીના કર્મઠ અગ્રણી તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓને દિશાનિર્દેશ કરતા પત્રકાર છે. અમેરિકાવાસી મધુસૂદન કાપડિયા જેમ ગુજરાતીના ઉત્તમ વિવેચક છે તેમ વિપુલ કલ્યાણી બ્રિટનમાં રહીને ભાષાસાહિત્યની પ્રવૃત્તિઓ વિકસાવતા અને હવે ટકાવી રાખતા કર્મશીલ સારસ્વત છે.

સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન કરનાર બે જ વ્યક્તિઓનાં નામ યાદ કરવાં હોય તો એક છે અમેરિકાના ગુર્જરી ડાયજેસ્ટના સંપાદક કિશોર દેસાઈ અને બીજા આ વિપુલ કલ્યાણી. અશોક મેઘાણી ગુજરાતી કૃતિઓના અંગ્રેજી અનુવાદ માટે ખ્યાતિ પામ્યા એ ખરું, પણ રામ ગઢવીના પ્રમુખસ્થાને ચાલતી ત્યાંની અકાદમીના વાર્ષિક મુખપત્રને ઘાટ આપવામાં અશોકભાઈનો નોંધપાત્ર ફાળો છે. ગુજરાતીના લાડીલા સર્જક મધુરાય ત્યાં બેઠા છે. ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીનો તરવરાટ છેક સુધી અનુભવાતો. અમેરિકામાં ગુજરાતી ભાષા શિક્ષણનું કામ અક્ષર પુરુષોત્તમ સંસ્થા કરે છે તો બ્રિટનમાં વિપુલભાઈના નેજા નીચે ડો. જગદીશ દવેના સંચાલનમાં ગુજરાતી ભાષાશિક્ષણ અને પરીક્ષણનું વ્યવસ્થિત કામ ઘણાંએ જોયું છે. બ્રિટનમાં લેખન અને વાચનને પોષતાં ગ્રંથાલયો પણ છે. સરકાર બિનશરતી મદદ કરે છે.

ભાષા, સાહિત્ય, સંસ્કૃિત અને ગાંધી મૂલ્યોના આધારે વૈશ્વિક કક્ષાએ લોકશાહી પરિબળોનો અભ્યાસ એ આ નિબંધોની સામગ્રી છે. વિપુલભાઈએ પોતાના વિચારપત્રનું નામ ‘ઓપિનિયન’ રાખ્યું, અેમ કરવાનો એમને હક હતો, આફ્રિકાનું ટાન્ઝાનિયા એમનું જન્મસ્થાન (1940) ત્યાં અને જામનગર-મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ભારત અને બ્રિટનમાં કામ કર્યું. ઘર જેટલું પોતાના માટે એથી વધુ મહેમાનો માટે, કુંજબહેનનો એમાં સવાયો સાથ. ઘસાઈને ઊજળો થયેલો આ પરિવાર ક્યાં ય કશું ય અઘટિત લાગે તો ઊછળી પડે. વિવાદમાં ઉગ્રતા, સંબંધમાં પ્રેમ, ગુજરાતના બધા અગ્રણી લેખકોનું આતિથ્ય કર્યું છે અને ‘દર્શકે’ તો એમનું આતિથ્ય માણવા બીજો અવતાર લેવાનો સંકલ્પ કર્યો હોય તો નવાઈ નહીં.

વિપુલભાઈના નિબંધોની ખાસિયત એ છે કે વિશ્વના ચિંતકોનાં અવતરણ આપીને એ પોતાના મુદ્દાનું સમર્થન કરે છે. એ લલિત નિબંધની માયામાં ફસાયા નથી. એ વિચારપ્રધાન નિબંધમાં ‘માઇલસ્ટોન’ – માર્ગસૂચક સ્તંભ બની શકે એમ છે. ‘મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી’ એ નિબંધના સમાપનમાં એમણે આપેલાં અવતરણો આજેય લાલબત્તી ધરે છે: સને 1921માં ગાંધીજીએ નવજીવનમાં લખેલું:

‘મારું ઘર બધી બાજુએ ઊભી દીવાલોથી ઢંકાયેલું રહે અને એની બારીઓ અને બાકોરાં બંધ કરી દેવામાં આવે એ હું નથી ઇચ્છતો. મારા ઘરની આસપાસ દેશ દેશાવરની સંસ્કૃિતનો પવન સુસવાતો રહે એમ જ હું ઇચ્છું છું, પણ તે પવનથી મારી ધરતી ઉપરથી મારા પગ ફગી જાય અને હું ઊથલી પડું એ હું નથી ઇચ્છતો.’ (પૃ. 68)

સૌજન્ય : ‘સાહિત્ય વિશેષ’, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 22 નવેમ્બર 2015

http://www.divyabhaskar.co.in/news/MAG-sahitya-visesh-by-raghuvir-chaudhri-in-sunday-bhaskar-5175140-NOR.html

Loading

...102030...3,6533,6543,6553,656...3,6603,6703,680...

Search by

Opinion

  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318
  • બાલદિને જાગતો સવાલ : ગિજુભાઈનું ‘દિવાસ્વપ્ન’ સાકાર થશે? 
  • વૈશ્વિક સ્તરે નારી-હત્યા નાં ચોંકાવનારા આંકડા

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved