સ્નેહઝરમર કરે છે નિ:સંકોચ
મુજને અંતરમાં સ્થાન આપે છે
ના ખરીદી શકે કોઈ સમ્રાટ
મારા મિત્રો તે માન આપે છે
•
અવળુંસવળું હું બોલતો રહું છું
એનો રસપ્રદ જવાબ આપે છે
પાંદડાની કરું અગર ઈચ્છા
મારા મિત્રો ગુલાબ આપે છે
•
છે મિસાલી આ કાર્ય મિત્રોનું
કે છે દીપકની વાટ સંકોરી
સ્નેહે સીંચ્યો છે હોસલો રગ રગ
બેઠો કીધો છે મુજને ઢંઢોળી
•
ખેત – વાડીને આપે વરસાદો
ને પહાડોને રાખે છે મક્કમ
મારો અલ્લાહ, મારા મિત્રોને
આપે અરબી સમુદ્રનો દમખમ
![]()


વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધોનું બળવંત જાનીએ કરેલું સંપાદન વાચતાં પ્રશ્ન થાય. વિપુલભાઈ ડાયસ્પોરા લેખનની સીમિત વ્યાખ્યામાં બંધાય એવા છે ખરા? નિરંજન ભગત તો ડાયસ્પોરાને વિસ્થાપિતોનું લેખન કહે છે, જ્યારે બળવંત જાની નોંધે છે. ‘દેશ’ સાથે જેમનો ગહન સંબંધ છે, ‘પરદેશ’ જેમની નિયતિ છે એવો વૈશ્વિક પટ પર પથરાયેલો પ્રજાસમૂહ ‘ડાયસ્પોરા’ની ઓળખ પામ્યો છે. ‘ડાયસ્પોરા’ હકીકતે તો બે પ્રક્રિયા સૂચવે છે. એક વિખૂટા પડવાની વ્યથાની અનુભૂતિનો વિસ્તાર અને બીજું સ્થાયી થવાની જીવનરીતિ (પૃ. 17, વિપુલ કલ્યાણીના ડાયસ્પોરા નિબંધો)