Opinion Magazine
Number of visits: 9685297
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વરાજ્ય ? ક્યાં છે સ્વરાજ ??

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|9 April 2019

પાંચાભાઈ દાજીભાઈ પટેલ ઊર્ફે પાંચાકાકાનું નામ, ભલા, આજે કેટલાંને સાંભરે ?

અને આ કોઈ લોકવારતાનું પાત્ર લગીર નથી. મારા સાહેબ, પાંચમાં પૂછાય તેવું એમનું કામ અને સ્થાન છે. સને ૧૮૭૬માં જન્મેલા, પાંચાકાકાએ ૧૯૩૭, ૧૯૪૬, ૧૯૪૭માં એમણે જ ખુદ મહાત્મા ગાંધીને પૂછેલું : તમે ઈચ્છ્યું છે તેવી પૂર્ણ સ્વરાજવાળી આઝાદી મળી છે કે ? … માનશો ? તે દહાડે ય ગાંધીજી એમની સાથે જ સહમત હતા.

અમદાવાદથી પ્રકાશિત “ગુજરાત સમાચાર”માંની પોતાની તત્કાલીન કોલમમાં, આપણા એક વરિષ્ટ વિચારશીલ અને કર્મશીલ પત્રકાર દિવંગત નીરુભાઈ દેસાઈએ ‘દેશના અદ્વિતીય સત્યાગ્રહી’ નામે એક લેખ કર્યો હતો. તેમાંનો આ ફકરો આની સાહેદી પૂરશે :

‘પણ પાંચા પટેલના જીવનની સુવાસ એ તેમની ટેકને લીધે છે. ઇ.સ. ૧૯૨૧માં સ્વરાજ માટેની લડત ગાંધીજી બારડોલીથી શરૂ કરવાના હતા. તેમાં જમીન મહેસૂલ ન ભરવાનો પણ એક કાર્યક્રમ હતો. પાંચા પટેલે સ્વરાજ ન મળે ત્યાં સુધી જમીન મહેસૂલ ન ભરવાની તે વેળા પ્રતિજ્ઞા લીધી હતી. ચૌરીચૌરાના હત્યાકાંડથી ગાંધીજીએ એ લડત મોકૂફ રાખી, પણ પાંચા પટેલે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મહેસૂલ ન ભર્યું. લડત શરૂ થઈ ન હોવાથી કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તેમને મહેસૂલ ભરી દેવાની સલાહ આપી. પણ એમની સલાહથી પાંચા પટેલના મનનું સમાધાન ન થયું. તેથી સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સલાહ લેવા ગયા. વાતચીત દરમિયાન ગાંધીજીએ તેમને પૂછ્યું, ‘તમે કોની સલાહથી પ્રતિજ્ઞા લીધી ?’

પાંચા પટેલ − ‘તમે જ “નવજીવન”માં લખ્યું હતું કે અન્યાય સામે જે કાયદાનો વ્યક્તિગત સવિનય ભંગ કરે છે, તેને જગતમાં કોઈ દબાવી શકે શકે નહીં. એ વાંચીને મેં મારી જાતે જ નિર્ણય કરી લીધો.’

ગાંધીજી – ‘તમારી સાથે કોઈ ન હોય તોયે તમે લડત ચાલુ રાખશો ?’

પાંચા પટેલ – ‘હા.’

ગાંધીજી – ‘પણ એકલા પડી જશો એવો ડર ન લાગે ?’

ટાગોરના ‘એકલો જાને’ ગીતનો ઉલ્લેખ કરી તે બોલ્યા કે, ‘હું એકલો લડીશ.’

ગાંધીજીએ હસીને તેમને શાબાશી આપી અને બોલ્યા કે, ‘મારા તમને આશીર્વાદ છે; તમે મહેસૂલ નહીં ભરતા.’

ઇ.સ. ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મી તારીખે હિંદને સ્વરાજ મળ્યું પછી પાંચા પટેલને જમીનનો કબજો લેવાની વિનંતી કરવામાં આવી. જેમ હિંદના રાજકારણમાં સ્વરાજનો અર્થ ક્રમે ક્રમે વિકસતો ગયો, તેમ પાંચા પટેલની સ્વરાજની કલ્પના પણ વિકસતી ગઈ. તેમણે જણાવ્યું કે, ‘જ્યાં સુધી દેશમાં લશ્કરની મદદથી રાજ ચાલે છે ત્યાં સુધી તે સાચું સ્વરાજ નથી. મારું સ્વરાજ હજી આવ્યું નથી. માટે હું મહેસૂલ નહીં ભરું અને એ જમીન પણ મારે ન જોઈએ.’ ગાંધીજીએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે લખ્યું કે, ‘પાંચા પટેલની ટેક અદ્વિતીય જ રહેશે.’

•

આ લેખના પ્રત્યુત્તરમાં, કાંઠા વિસ્તારના એક મુઠ્ઠી ઊંચેરા કર્મશીલ દિવંગત દિલખુશ દિવાનજીએ, વિશેષ વિગત પૂરી, લખેલું :

૧૯૩૭-૩૮માં દેશભરમાં પ્રાંતોમાં કૉંગ્રેસ સરકારો સ્થપાઈ. મુંબઈ સરકારના મહેસૂલ પ્રધાન મોરારજીભાઈ (દેસાઈ) હતા. જે જમીનો જપ્ત થયેલી તે બધી જ સત્યાગ્રહી ખેડૂતોને પાછી આપી. તલાટી અને ગામના અગ્રણી પાંચાકાકાના ઝૂંપડામાં પહોંચ્યા. પાંચાકાકાએ સ્પષ્ટ જણાવી દીધું. મારી પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તલાટી ગામનેતાઓ મૂંઝાયા. છેવટે એમના ભત્રીજા વાલજીભાઈને નામે એ જમીન નોંધાઈ. ભત્રીજાએ પણ એ જમીનનું મહેસૂલ ન ભરવાનો નિર્ણય તલાટીને જણાવી દીધો. મામલો હરિપુરા કૉંગ્રેસમાં આવેલા ગાંધીજી પાસે ગયો. પાંચાકાકા એ અધિવેશનમાં સફાઈ સેવક તરીકે પહોંચી ગયા હતા. બાપુએ એમને સમજ આપી કે કૉંગ્રેસ સરકારને જમીન મહેસૂલ આપવું જોઈએ.

અભણ ગણાતા પાંચાકાકાએ બાપુને સમજ આપી કે એ પ્રાંતીય સ્વરાજ્ય તો રમકડા જેવું સ્વરાજ્ય છે. બાપુએ જણાવ્યું – ‘તમારી વાત સો ટકા સાચી.’

મોરારજીભાઈ તે વખતે હાજર હતા. બધા મૂંઝાયા. બાપુ કંઈ પ્રતિજ્ઞાભંગની સલાહ ન જ આપે. પ્રતિજ્ઞા તો સંપૂર્ણ સ્વરાજ્યની હતી.

બાપુ તો સત્યના શોધક અને ઉપાસક. એમને સૂઝી ગયું. ‘દિલખુશભાઈ તમારે ત્યાં ખાદીનું કામ કરે છે. સંપૂર્ણ સ્વરાજ્ય મળે ત્યાં સુધી મહેસૂલ એ ભરશે. તમારી જમીન એમને ખાદીકાર્ય માટે આપી દો.’

પાંચાકાકાની પણ મૂંઝવણ હતી. ગાંધીકુટિરને તે વાપરવા આપી. અમે ત્યાં બાવળનાં ઝાડ કપાવી દઈ જમીન ચોખ્ખી કરી. પાંચાકાકાને કહ્યું કે લાકડા લઈ જાઓ. એમનો જવાબ હતો કે ‘સત્યાગ્રહીને જમીનનું તણખલું પણ ન ખપે.’

૧૯૪૨ની લડત આવી. એમાં પણ પાંચાકાકાએ શિક્ષાત્મક દંડ ન ભર્યો. કોઈકે ભરી દીધો. સત્યાગ્રહી પાંચાકાકાને સરકારે કશી શિક્ષા કરવી ન હતી એટલે બીજા પાસે દંડ ભરાવી દીધો.

પાંચાકાકા ભલે અભણ ગામડિયા, પણ એમનામાં સ્વતંત્ર ભારતને શોભે એવું ખમીર હતું. જમીન ન જ લીધી.

મેં ફરી સમજ આપી. ‘પાંચાકાકા, મારી કે તમારી હયાતીમાં એવું સ્વરાજ્ય નહીં મળે.’

‘તે હું જાણું છું, તેથી કંઈ મારી હયાતીમાં જમીન ખેડવી નથી.’

બાપુને મેં પત્ર લખી જણાવ્યું કે પાંચાકાકા હજી અણનમ છે. રામરાજ્ય સ્થપાય તો જ જમીન મહેસૂલ ભરે.

બાપુએ “હરિજનબંધુ”માં નોંધ લખી : ‘હિન્દુસ્તાનભરમાં પાંચાકાકાની ટેક અદ્વિતીય જ રહેશે.’

ચાર માસ પછી એમના ભત્રીજા વણાટ શીખવતાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા.

બાપુએ “હરિજનબંધુ”માં અંજલિ આપી કે ‘પવિત્ર કામ કરતાં ચાલ્યા ગયા તો ધન્ય મૃત્યુ છે.’

માંડ માંડ સમજાવી શક્યા કે તમારી આવી મુશ્કેલીમાં અમે તમારા મિત્રો અનાજ કપડાંની મદદ કરીએ તો સ્વીકારો.

‘તું શું કામ ચિંતા કરે છે ? વાલજી વર્ષો સુધી કાંતેલા સૂતરની ખાદી વણી ગયા છે તે ચાલશે. અનાજ માટે મારું ફોડી લઈશ.’

પરંતુ આખરે એટલી સંમતિ આપી કે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લઈ આવશે. તેનું બિલ ખાદીકેન્દ્રે ચૂકવવું.

થોડાં વર્ષો બાદ (૧૫ ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ) પાંચાકાકા અવસાન પામ્યા.

આવા હતા કરાડીના અણનમ સત્યાગ્રહી પાંચાકાકા.

•

‘કેળવણીનો કીમિયો’, પુસ્તકના ‘વડ તેવા ટેટા’ પ્રકરણમાં (પાનું ૮૫-૮૬), ઉમાશંકર જોશીએ નોંધ્યું છે તે ય રસ પડે તેવું છે :

‘બપોરે અમે કરાડી-મટવાડની શહીદભૂમિ તરફ જવા નીકળ્યા. વચ્ચે પાંચાકાકાનું ઘર આવતું હતું, એમના દર્શને ગયા. સરકાર સામે અણનમ રહી ઝૂઝનાર વૃદ્ધ પાંચાકાકાનું દર્શન પાવનકારી હતું. સરળ ઉમળકાથી એમણે અમને આવકાર્યા. મજામાં તો છો ને ? એ બાજુ વરસાદ બધે કેવોક છે ? − એમ કુશળ સમાચાર પૂછ્યા. વરસાદ બધે જ નથી એ ઉપરથી દેશની સ્થિતિ પર વાત ચાલી : જુઓને, લોક પૈસો પૈસો કરે છે, કાળાંબજાર કરે છે. બાપુજીની વાત આપણે માની નહિ. ગાંધીજી માટેની એમની ભક્તિ શ્વાસે શ્વાસે વરતાતી હતી, ઓશરીને છેડે ગાંધીજીની છબી હતી. ત્યાં ગાંધીજીની ૭૮મી વરસગાંઠ પછી રોજ સવારસાંજ દીવો થાય છે. ધર્મની વાત પાંચાકાકા નરી સ્વાભાવિકતાથી કરતા હતા, વચ્ચે એકબે કડી સંતવાણી ગાઈ સંભળાવે. ‘દીનદયા ઔર આતમપૂજા, એ સિવાય ધરમ નહીં દૂજા’ − એટલું આપણે તો જાણીએ છીએ એમ કહી એમને દેખાતું નથી તે વાતે વળ્યા. એમને બંને આંખે મોતિયા વળ્યા છે. એટલામાં બીજી મંડળી પાંચાકાકાને મળવા આવી પહોંચી. એ વખતે પાંચાકાકાનો સાચો પરિચય તો થયો. એ અકળાઈ ઊઠ્યા. કપાળે બેત્રણ વાર હાથ અડાડી કહે : મને આંધળાપણું શીદ આવ્યું ? હું શાળા ઉપર નહિ જાત ! આ સૌને અહીં શું કરવા આવવાની તસ્દી લેવી પડે ? અંદરના મોટા પડાળિયામાંથી કેડથી વાંકાં વળી ગયેલાં ડોશી બહાર આવ્યાં અને સૌને બેસાડવાની વ્યવસ્થા કરવા લાગ્યાં. નવા આવેલાઓની સાથે પાંચાકાકા વાતે લાગ્યા. અમે વિદાય લીધી. એક વીર પુરુષની સ્વાભાવિક કોમળતાનું દર્શન કરી અમે આગળ ચાલ્યા.’

•

એક વાર સરદાર વલ્લભભાઈ પટેલને પાંચાકાકાએ કહેલું, ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજ્ય સ્થાપજો.’ સ્વરાજ્યની તેમની કલ્પના કેટલી ઉદ્દાત ભાવનાથી રંગાયેલી હતી, તેનો ખ્યાલ તેમના આ વાક્ય પરથી આવશે. ૧૯૪૬માં આરઝી હકૂમત સ્થપાઈ. જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ દિલ્હીના પ્રધાનમંડળમાં ગયા. એ પ્રસંગે ય જમીન પાછી લેવાની પાંચાકાકાને વિનંતી થઈ. ૧૯૪૭માં આઝાદી આવી. ફરી તે જ વિનંતી. એમણે ના પાડી અને સામે કહ્યું : ‘જ્યારે પોલીસ – લશ્કરની મદદ વિના પ્રજા રહેતાં શીખશે ત્યારે જ સ્વરાજ્યની મારી ટેક પૂરી થશે. બાપુ ક્યાં સાબરમતી પાછા ગયા છે ? બાપુ સાબરમતી જશે ત્યારે જમીન ખેડીશ અને મહેસૂલ ભરીશ.’

આખરે બાપુ પણ ગયા. પાંચાકાકાએ પોતાની સંપૂર્ણ સ્વરાજ્યની જ્વલંત ટેક છેવટ સુધી – મરણ પર્યન્ત – જાળવી. જમીન ન જ ખેડી અને મહેસૂલ ન જ ભર્યું.

આજે, આટઆટલાં વર્ષે, આ પાંચાકાકાવાળો તે મહાભારત સવાલ તેમનો તેમ ઊભો છે – નિરુત્તર. ક્યાં ય ‘સ્વરાજ્ય’ની ભાળ મળે છે ખરી કે ? − શું ભારતમાં, શું અમેરિકામાં કે શું વિલાયત સમેતના યુરોપમાં. સઘળે આમ આદમીને કેન્દ્રમાં રખાયો હોય તેમ અનુભવવા મળતું નથી. હા, લોકશાહી છે, અને તેની રસમમાં મતવાળી કરવાની છે, માટે ‘લોક’ની વાત કરવી સહજ હોય છે. પરંતુ તે લોક, તે આમ આદમી, તે છેવાડાનો માણસ, તે દરિદ્રનારાયણ, ભલા, છે ક્યાં ? બોલબાલા તો રાજકારણીઓની, વેપારવણજના લોકોની, ધરમકરમના ધણીધોરીઓની અને દાણચોરોની – રુશવતખોરોની – આતંકવાદીઓની જોવા મળે છે ! ક્યાં ય ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજય’ દેખવા મળે છે કે ?

માનવ ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે સમજાય છે કે સમય સમયે અનેક સ્વપ્નસેવીઓ આવ્યા છે અને તે દરેકે ચેતનાનો સંચાર કર્યો છે. તે દરેકે બોલવાનું રાખ્યું છે, લખવાનું રાખ્યું છે અને કહેવાનું રાખ્યું છે. અને તેમ છતાં, પછી, તેની અસર કેમ ઓસરતી ભાળીએ છીએ ?

સ્વરાજ્યની લડત વેળા, દાદાભાઈ નવરોજીના ગાળાથી, કે પછી તે પહેલાંના વારાથી પણ, એકમેકથી ચડિયાતા સ્વપ્નસેવીઓ હિંદે દીઠા છે. મહાત્મા ગાંધીના સમયગાળામાં, વળી, સમાજને દરેક સ્તરે આવા આગેવાનોની મોટીમસ્સ ફોજ કામ કરતી હતી. ગુજરાતમાં હમણાં હમણાં સુધી આવા અનેક તપેશરીઓનું તપ આપણને ઉજાગર કરતું હતું. અને છતાં આવું કેમ ?

નેવુંના દાયકાથી નવ્ય ધનવાનોનો એક વર્ગ અહીંતહીં ચોમેર ઊભો થયો છે. પશ્ચિમના દેશો સહિતના દુનિયાના સમૂળા પટમાં, તેમના ધંધાધાપાની સ્વાભાવિક બોલબાલા છે. દૂંદાળા કોરપોરેટ સેક્ટરની તાકાત વિસ્તરતી ચાલી જ છે. આપણે અચરજે આ જોયા જ કરીએ છીએ. તેમાં ખેડૂતો, નાના વેપારીઓ, નાના અમથા કલકારખાનેદારો, અનેક પ્રકારના કામદારો ડૂબી રહ્યા છે. ગરીબો વધુ ગરીબ બનતા ચાલ્યા છે, ધનવાનો વિશેષ ધનવાન. અને આ બધું, મારા મહેરબાન, વિકાસને નામે પારાયણ ચાલે છે !

આપણામાંનાં પાંચાકાકાને, હવે, પરિણામે, જગવવાની તાતી જરૂરત છે. આપણે ય ખુદ સવાલ ઊભા કરવા છે અને જવાબ ખોળવા કર્મશીલ બનવાનું હવે ટાણું જગવવા જેવું છે.

પાનબીડું :

वन्दे मातरम् । 

आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
 
यह झण्डा न इसका होगा न उसका कहलायेगा
जिसको भी है प्यार वतन से वही इसे उठायेगा
दुश्मन पर टूटेगा तो यह बिजली बनकर कड़केगा
अपनों पर छायेगा तो सुख का बादल बन जायेगा
आओ वक़्त गँवाओ ना आपस के रोने धोने में
 
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
                                                        ~ प्रेम धवन

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

(સંવર્ધિત)

હેરૉ, 07 ઍપ્રિલ 2019

Loading

What has religion to do with Terrorist Violence?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|8 April 2019

After the ghastly tragedy of 9/11 2001, in which nearly three thousand innocent people died, American media coined a new phrase ‘Islamic Terrorism’. This was the first time the terrorist act and terrorists got the prefix of religion. The global media picked it up and some communal elements pushed it forward with great amount of gusto. This phrase added to the negative perceptions about Muslims and laid the foundation of global Islamophobia. The latest impact of this was seen in the New Zealand tragedy in which nearly 50 Muslims lost their life, shot mercilessly by a White nationalist gunman.

In India this label played havoc as already the negative perceptions about Muslims were the major propaganda tools in the hands of communal politics. The medieval Muslims kings were paraded as temple destroyers and those converting through the sword. The perceptions so dominated the scene that these perceptions came in the way of professional handling of crimes and many a times innocent Muslim youth were incarcerated for the acts of terror not committed by them particularly in the cases of Mecca Masjid, Malegaon blasts. The report of people’s tribunal ‘Scapegoats and Holy Cows’ held in Hyderabad showed as to how in a series of blasts the likes of Pragya Singh Thakur to Swami Aseemanand were involved, while hoards of Muslim youth were arrested for these acts. It is around this time that the popular perception ‘All terrorists are Muslims’ was guiding the investigating authorities. With investigations conducted by Maharashtra ATC, Hemant Karkare, many of those belonging to associates of ideology of Hindu nationalism were put behind the bars.

With change in the Government at center in 2014, the direction of investigation took a turn and now most of these have been either granted bail or acquitted. On one such acquittal two major reactions came. The judge acquitting Swami Assemanand, Jagdeep Singh said  had to “… conclude this judgment with deep pain and anguish as a dastardly act of violence remained unpunished for want of credible and admissible evidence. There are gaping holes in the prosecution evidence and an act of terrorism has remained unsolved.”

On the other side Mr. Jaitley the Union finance minister tried to target the ruling Congress, that time UPA II was in power, for trying to implicate the likes of Pragya Thakur and Aseemanand, as if Congress leaders hold Hindus as terrorists. This was a deliberate and gross generalization, when the religion of the terrorism is being put at the center of the phenomenon. Aggravating this in his usual hyperbole style Prime Minister Narendra Modi stated that Congress targeted Hindu in acts of terror for vote bank politics and that "Hindus are known for peace and brotherhood. Nowhere in history will you find they're involved in such terrorist activities…” As is his wont he tried to communalize it by saying that since Swami Aseemamand is acquitted now Rahul Gandhi realizes that Hindus hate him and so he is choosing to contest from Wayanad where Hindu are a minority. As such his total statement is based on false hood.

Somehow twitter world with all its unusual sanity buzzed and critiqued statement by Modi. A typical response was “Terror has no religion. But since you asked, prime minister, do not forget the most heinous terrorist in independent India”: ‘The Telegraph’ reminds @narendramodi of Nathuram Godse after PM asks: “Is there a single incident in history of Hindus engaging in terrorism?” @ttindia”

Telegraph the major newspaper from Kolkata came forward to remind the Prime minster that the most heinous act of terror in independent India was done by ex RSS pracharak and Hindu Mahasabha Worker Nathuram Godse. So obsessed was Modi by this word Hindu terror that he used it 13 times in his speech in Wardha.

The ilk of Modi and Jaitley are trying to take advantage of acquittal of Aseemanand by the Court. They see the things in partial manner as the same judge delivering the verdict pulls up the NIA for not investigating the case properly, for the sloppy investigation. One can say that the judgments are not based only on the rules and the attitude of judges, one of the major determinants of the outcome is the administrative part, which has to put the evidence in order and put it for consideration by the judge. So here is a case where judge is pulling up the administrative part for its failure to properly investigate the matter, which has led to the acquittal of Aseemanand.

Loading

યુદ્ધઃ એક અવિરત ઘટના?

દીપક સોલિયા|Opinion - Opinion|7 April 2019

જેમના ખયાલાત મિલતા-ઝૂલતા હોય તેવા લોકો ભેગા થાય તો તેને સંઘ કહી શકાય. જેમ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. એ જ રીતે, ચર્ચાવિચારણા માટે વિધિસર મળતી પ્રતિનિધિઓની સભા માટેનો અંગ્રેજી શબ્દ છે, કૉન્ગ્રેસ.

આપણે ત્યાં સંઘ પણ છે અને કૉન્ગ્રેસ પણ છે. પરંતુ આ બે ઉપરાંત કેટલીક સેનાઓ પણ છે. એમાંની અમુક રાજકીય સેના છે અને કેટલીક તો જ્ઞાતિની સેનાઓ છે. કમ ઓન. સંઘ, કૉન્ગ્રેસ, સંગઠન, પાર્ટી, સભા, મંડળ … જોઈએ તેટલા શબ્દો છે, જૂથ માટે. તો પછી પોતાની સંસ્થા માટે એક્સ.વાય.ઝેડ. સેના જેવાં નામો શા માટે? સેના-સૈન્ય-લશ્કર-ફૌજ, તેની આગળ એક જ શબ્દ શોભે એવો છે. તે છે, ભારતીય. દેશની સેના એક જ હોઈ શકે, ભારતીય સેના. અને સેનાનું લક્ષ્ય એક જ હોઈ શકે, ભારત દેશનું હિત. હાલમાં યોગી આદિત્યનાથે મોદી જી કી સેના એવો શબ્દપ્રયોગ ઉચ્ચાર્યો તેનો હોબાળો થયો. ચૂંટણીપ્રચારના જોશમાં યોગીજીએ ભલે જે કહ્યું તે, બાકી સમગ્ર રાષ્ટ્ર જાણે જ છે અને સમજે જ છે કે સેના એ કોઈ રાજ્યની, રાજકીય પક્ષની, જૂથની, જ્ઞાતિની, મંડળની ન હોઈ શકે.

પણ એક વાત બહુ ઓછા લોકો સમજે છે. અને તે એ છે કે સેના કોઈ રીતે મારી-તમારી તો ન જ હોઈ શકે. તમને થશે, આમાં તમે અને હું ક્યાંથી આવી ગયા? પણ સહેજ શાંતિથી વિચારતાં સમજાશે કે સેનાનું અવમૂલ્યન કરવામાં સૌથી મોટી ભૂમિકા નાગરિકો ભજવતા હોય છે.

સાદો દાખલો લઈએ. માની લો કે મને પાકિસ્તાન પ્રત્યે દાઝ છે અને હું પાકિસ્તાનના દાંત ખાટા કરવા માગું છું, પણ હું સરહદે લડવા જઈ શકું તેમ નથી. એટલે હું ઇચ્છું છું કે મારા વતી સેના પાકિસ્તાનના દાંત ખાટા કરે. એ હિસાબે, ભારતીય સેના અંગત રીતે “મારી સેના” બની જાય છે અને એ મારી ઇચ્છાની પૂર્તિ કરનારું હથિયાર બની રહે છે. મારા રોષ-દ્વેષ-ઇગો વ્યક્ત કરવાના કામનું હું આઉટસોર્સિંગ કરું છું … મારું કામ સેના કરી આપે … એ મારો હાથો બને … એ મારી ઇચ્છાપૂર્તિ કરે.

સોરી, સેના એના માટે નથી. સેના મારા-તમારા અંગત ઉદ્વેગોને અનુસરતી નથી. સેના અત્યંત જવાબદાર સંસ્થા છે. સેના અને યુદ્ધ એ અંતિમ ઉપાય છે. બે દેશો વચ્ચે વિખવાદ થાય અને રાજકીય રીતે તેનો ઉકેલ લાવવાના સઘળા પ્રયત્નો નિષ્ફ્ળ જાય ત્યાર પછી સેના મેદાનમાં આવે છે. એને બદલે, રાજકીય બાબતો, લશ્કરી વ્યૂહ વગેરે કશાનો લાંબો વિચાર કર્યા વિના હું જો એવું કહ્યા કરું કે સેનાએ તૂટી પડવું જોઈએ, સેનાને છૂટ્ટો દોર આપી દેવો જોઈએ … ત્યારે મારે એ સમજવું રહ્યું કે સેનાને હું દેશની નહીં, મારી સેના ગણવા લાગ્યો છું, સેનાએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો ઉપદેશ આપવા લાગ્યો છું.

આ વૃત્તિથી બચવા જેવું છે.

અને બીજી વાત. સરહદોને સુરક્ષિત રાખતી અને દેશ ખાતર લડતી સેના પૂરતી છે, એમાં ઉમેરો કરવા જેવો નથી. આ મુદ્દો હાલના ચૂંટણીના માહોલમાં ખાસ મહત્ત્વનો બની રહે છે. આ વખતની ચૂંટણી જરા વધારે ઉગ્ર છે એ હકીકત નાનું બાળક પણ જાણે છે. આવામાં, પોતાના પ્રિય પક્ષ-નેતા-વિચારધારાના બચાવમાં અને સામેવાળા પક્ષ-નેતા-વિચારધારાને તોડી પાડવામાં એક સૈનિકની જેમ લડવું એ રાષ્ટ્રહિતમાં નથી. એને માટે ભલે રાષ્ટ્રદ્રોહ જેવો મોટો શબ્દ ભલે ન વાપરીએ, પરંતુ પોતાના જ દેશના લોકો જાણે પરાયા દેશના દુશ્મનો હોય એમ તેની સાથે લડવું-ઝઘડવું એ દેશને સબળો નહીં, નબળો પાડનારી બાબત છે.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચૂંટણી જાણે રાજકીય પક્ષો વચ્ચે નહીં, બલ્કે કોઈ બે સૈન્યો વચ્ચે કે કટ્ટર સંપ્રદાયો વચ્ચે લડાઈ રહી હોય. ચોરે ને ચૌટે, ટી.વી.ની ડિબેટોમાં, પાનના ગલ્લે તથા સોશિયલ મીડિયાના તખ્તે રાજકીય ચર્ચાના નામે ધબાધબી ચાલી રહી છે.

નો ડાઉટ, આપણી ચોઈસ હોવાની, આપણી વિચારધારા હોવાની, આપણા ગમા-અણગમા હોવાના, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે આપણા જેવા લોકોની જાણે સેના બનાવી લઈએ અને આપણે એ સેનાના સૈનિક બનીને લડીએ. આ વૃત્તિ ચૂંટણી વખતે તો ઊડીને આંખે વળગે જ છે, પરંતુ એ સિવાયના સમયે પણ આપણામાંના મોટા ભાગના લોકો સતત લડવાના મૂડમાં હોય છે. આ ફ્ક્ત ભારતની જ વાત નથી. વિશ્વભરમાં સ્થિતિ એવી છે કે બે દેશો વચ્ચે ભલે નહીં, પરંતુ દેશોની અંદર પણ બીજી અનેક રીતે યુદ્ધો ચાલતાં જ હોય છે. નવા યુગના ધારદાર વિચારક નસીમ તાલેબનું એક ચોટદાર વિધાન છેઃ “યુદ્ધમાં લોકો બીજાને મારે છે અને શાંતિકાળમાં પોતાને.” મતલબ કે યુદ્ધ તો સતત ચાલતું જ રહે છે.

યુદ્ધ આપણો શોખ હોય, યુદ્ધસ્ય કથા આપણને રમ્ય લાગતી હોય તો પણ, બે વાત યાદ રાખવી. ૧) દેશની સેના દેશની હોય છે, મારી કે તમારી નહીં. ૨) સરહદે યુદ્ધ ન ચાલતું હોય ત્યારે મિત્રો-સ્વજનો-પરિચિતો સાથે અભિપ્રાય-ભેદને લીધે મોરચા ન માંડવાના હોય. ભવિષ્યમાં ક્યારેક માંદા પડીએ ત્યારે આપણને ટેકો આપીને બાથરૂમ સુધી પહોંચવા માટે આ જ સ્વજનો-મિત્રોની આપણે મદદ લેવી પડશે. એવી મુશ્કેલીમાં કોઈ રાજકીય પક્ષ કે નેતા કે વિચારધારા મદદ કરવા માટે આવી શકતાં નથી. માટે, દેશમાં ને ગામમાં ને સોશિયલ મીડિયામાં ને ઘરમાં અભિપ્રાયોની તલવારો સતત વીંઝવી નહીં, પરપેચ્યુઅલ વોરિયર (અવિરત યોદ્ધા) બનવું નહીં.

લડવાનું કામ સેનાનું છે. તે કામ એને જ કરવા દો. જય હિંદ કી સેના.

જય હિંદ.

facebook .com / dipaksoliyal

સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8642,8652,8662,867...2,8702,8802,890...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved