Opinion Magazine
Number of visits: 9576539
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 September 2019

હૈયાને દરબાર

પ્રથમ નમુ ગિરિજાસુત ગણપતિ
પ્રાત: સમય ઊઠ કર મૈં ધ્યાઉં
સુમિરત નામ તિહારો તિહારો
એક દંત ગજકર્ણ કહાવે
રિદ્ધિ સિદ્ધિ કે દાતા હોવે
વંદન તુઝ કો હે પરમેશ્વર
પૂરણ કામ હમારો હમારો
સબ દેવો મેં પહેલે પૂજા
મહાદેવ ભી આયે દૂજા
લંબોદર હાથ મેં મોદક
મૂષક પર પધારો પધારો

•  ગીતકાર-સંગીતકાર : આશિત દેસાઈ •  ગાયક કલાકાર : આશિત દેસાઈ-હેમા દેસાઈ

——————–

જગતમાં વિદાય હંમેશાં વસમી જ હોય, ચાહે એ કન્યા વિદાય હોય, મૃત્યુની વિદાય હોય, ઘર- વતન છોડવાની વિદાય હોય કે પછી શાળા-કોલેજની વિદાય વેળા હોય, લાગણીના તાણાવાણા એવી રીતે જોડાયેલા હોય છે કે વિદાય હંમેશાં આપણું હૈયું ભીંજવી જાય. આ બધી સંયોગાત્મક વિદાય છે છતાં આપણે વ્યથિત થઈએ છીએ તો આજે તો આપણા વહાલા દેવ ગણપતિને વિદાય આપવાનો દિવસ છે.

દસ દિવસ ભરપૂર લાડ લડાવ્યા પછી એમને પૂઢચ્યા વર્ષી લવકર યા … કહીને આજે દરિયામાં વહાવી દેવાના છે, ત્યારે વિદાય દિને ગણેશવંદના જ કરી લઈએ ને! હેમંત મટ્ટાણી, સોના-રૂપા નિર્મિત ‘જય ગણેશ’ સિરીઝમાં આશિત-હેમા દેસાઈને કંઠે સાંભળેલી રચના, પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ … મારી પ્રિય ગણેશ સ્તુતિ છે. અત્યંત મધુર રાગ યમન કલ્યાણ પર આધારિત આ વંદનાની મ્યુઝિક અરેન્જમેન્ટ, ગાયન, વાદન ખૂબ સરસ છે. સાંભળીને પવિત્ર વાતાવરણ બંધાઈ જાય. ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં પ્રચલિત આ સ્તુતિ આશિતભાઈએ પોતે લખી છે.

ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર ગણી પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા કહેવાય છે. કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમને એક બાજુ રિદ્ધિ-સિદ્ધિના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમાઓ અચૂક જોવા મળે.

દરેક મંગલ કાર્યમાં ગણેશજીને સૌથી પહેલાં પૂજવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્ત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશચતુર્થીથી સતત દસ દિવસ સુધી મહાભારત કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવી ને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શું પ્રભાવ પડી રહ્યો છે. મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત ૧૦ દિવસ સુધી કથા સાંભળતાં સાંભળતાં ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. તેમને પુષ્કળ તાવ આવી ગયો હતો. તેથી મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડૂબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનું તાપમાન ઓછું થયું.

એવું પણ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશચતુર્થીથી અનંતચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છાપૂર્તિ કરવા ઇચ્છે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. ગણેશ સ્થાપના પછી ૧૦ દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંતચતુર્દશીના દિવસે વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. આ બધી છેવટે તો લોકવાયકા છે, પરંતુ જે રીતે એમને વિસર્જિત કરવામાં આવે છે એ ઘણીવાર બહુ દુ:ખદાયી છે. તાજેતરમાં જ એક વીડિયો જોયો, એમાં સાત દિવસના વિસર્જન પછી ગણપતિની ખંડિત મૂર્તિઓ રસ્તે રઝળતી હતી. કંઈક આવું જ દૃશ્ય આજે સાંજ પછી જોવા મળે તો નવાઈ નહીં! ઉત્સવની ઉમંગભેર ઉજવણી ભલે કરીએ, પણ ઘોંઘાટનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને ફટાકડા ફોડીને વાયુ પ્રદૂષણ ફેલાવવાનો અધિકાર આપણને ગણપતિ બાપ્પાએ નથી આપ્યો. એમને તો એવી રીતે વિદાય આપવાની કે આવતે વર્ષે ફરીથી એમને આવવાનું મન થાય. ડૉ. સ્મિતા ખંભાતીએ વિસર્જનની સ્તુતિ બહુ સુંદર રચી છે :

જાઓગે જબ દૂર નઝર સે
હૃદય સે જા નહીં પાઓગે
રહ ન સકોગે હમ બિન બાપ્પા
વાપસ લૌટ કે આઓગે
ચૌથ કે દિન જબ ઘર આઓગે
પ્રેમ સે તુમ્હેં સજાયેંગે
જો હમ ખાયેં વો હી ખિલાયેં
અપના તુમ્હેં બનાયેંગે
અપના બન કે રહો જહાં પે
ઉસ ઘર સે કૈસે જાઓગે …
અનંત ચૌદસ કે મંગલ દિન
ઐસી ધૂમ મચાયેંગે
ગુલાલ કી હોલી બરસા કે નાચેંગે
શ્રદ્ધા ભક્તિ દેખ હમારી
જા કે ભી તુમ પછતાઓગે …!

વિદાય એવી આપવાની કે બાપ્પાને ફરી ફરી આવવાનું મન થાય. સોલી કાપડિયાએ થોડાં વર્ષો પૂર્વે ‘ગણેશ ઉત્સવ’ નામે આલ્બમ તૈયાર કર્યું હતું. વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. સ્મિતા ખંભાતી રચિત સુંદર ગણેશ સ્તુતિઓને સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી અને સોલી-નિશાના કંઠે એ આલ્બમ રજૂ થયું હતું. ‘ગણેશ ઉત્સવ’ આલ્બમમાં વિસર્જનનું આ ગીત સોલી કાપડિયાએ ગાયું અને સ્વરબદ્ધ કર્યું છે.

નારાયણ સ્વામીએ ગાયેલી અન્ય એક ગણેશ સ્તુતિ પણ સરસ છે :

સરસ્વતી સ્વર દીજિયે
ગણપતિ દીજિયે જ્ઞાન
બજરંગજી બલ દીજિયે
સદ્ગુરુ દીજિયે સાન
પ્રથમ પહેલાં પૂજા તમારી
મંગળ મૂર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારાં
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાળુ દયાવાળા
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભય ભંજન રખવાળા
સર્વ સફળતા તમ થકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળાં

ગણેશોત્સવ આપણે ત્યાં બહુ મોટો ઉત્સવ છે. વિઘ્નહર્તા ગજાનન ગણેશના ઉત્સવમાં લોકો ભક્તિથી તરબોળ બની ગયા હોય છે. ગણેશચતુર્થીએ લાડુનો પ્રસાદ તો હોય જ. નાનાં બાળકો ગણેશજીને ભરપૂર લાડ લડાવે, આરતી ઊતારે, ફૂલ ચડાવે ને પ્રશસ્તિ ગાન કરે. દસ દિવસ ગણરાયાને લાડ-પ્યાર કર્યા પછી વિસર્જન વખતે વિદાય આપવાનું આકરું લાગે પણ એ જ આપણી રીત અને એ જ આપણી પરંપરા.

દસ દસ દિવસથી ભગવાનની પૂજા-અર્ચના-આરતી સાથે બાપ્પાની વિદાયનો સમય આવી ગયો છે. દસ દિવસથી ગણેશમય બની ગયેલાં ભક્તોને આજનો દિવસ કપરો લાગશે. દરરોજ ઢોલ-નગારા સાથે બાપ્પાની આરતીઓ કરવી, ડીજેના તાલમાં ગણેશ પંડાલ ગજવવા, બાપ્પાના સાંનિધ્યમાં ગરબાનો રંગ જમાવવો વગેરે સાથે ગણેશનો પાવન તહેવાર પૂરો થશે, ગણેશમય માહોલ દૂર થઇ જશે અને નવરાત્રિની તૈયારી પૂરજોશમાં ચાલશે.

નવરાત્રિના આગમનને ગણતરીના દિવસો બાકી છે અને ગણેશોત્સવ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે નિનુ મઝુમદાર રચિત ખૂબ વખણાયેલો ચોપાટનો ગરબો યાદ આવે છે જેમાં એમણે માતાજીની સાથે ગજાનન તથા ભગવાન શંકરનું આખું કુટુંબ ચોપાટ રમતું હોય એવી સુંદર કલ્પના છે. જેના શબ્દો છે :

સર્વારંભે પરથમ નમીએ, રિદ્ધિ-સિદ્ધિ સ્વામી ગણપતિ,
સાથે મળીને ચોપાટ ખેલે, ઈશ્વર ને સતી પારવતી …!

પાસાં પાડે મંગલ રીતે, પહેલો દાવ ગજાનન જીતે
સાવ સોનાની સોગઠી પીળી, બાજીએ નીસરતી રમતી

બીજો દાવ તો રિદ્ધિ સિદ્ધિનો, પૂર્ણ રચાવે ખેલ વિધિનો
ભક્તિનું મહોરું લીલું સદાનું, ઊતરે અંતર આરતી

ત્રીજે ભુવન માતાજી બિરાજે, જય જય નાદે ત્રિભુવન
ચુંદડી રંગી સોગઠી રાતી, ગોળ ઘૂમે ગરબે રમતી

ચોથા પદનું તત્ત્વ વિચારી, રમતને નીલકંઠે ધારી
અનંત ભાસે અગમ રંગે, વિશ્વ રમાડે વિશ્વપતિ …!

એનો અર્થ એ છે કે ભગવાન શંકરે રમતમાં ભાગ લીધો છે પણ એ દાવ રમતા નથી, પરંતુ વિશ્વ આખાને રમાડે છે. કેવી સરસ કલ્પના છે! એ વખતનાં ગરબા ક્વીન વીણા મહેતાએ આ ગરબો નિનુભાઈ પાસે ખાસ લખાવ્યો હતો અને એમના ગરબા ગ્રુપે એ રજૂ કર્યો હતો.

અનંત ચૌદશે આજે વિઘ્નહર્તા ગજાનનને અશ્રુભીની આંખે વિદાય આપી પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આપણા સૌને માટે, સમાજ તથા દેશને માટે નિર્વિઘ્ને પસાર થાય. હવે મા અંબેના આગમનને વધાવવા તૈયાર થઈ જઈએ ને?

ગણપતિ બપ્પા મોરયા
પુઢ્ચ્યા વર્ષી લવકર યા!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 સપ્ટેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=577852

Loading

છત્તીસગઢના આદિવાસીઓની અહિંસક લડત – 21 વર્ષે અણનમ રહેલ પ્રજા

આશા બૂચ|Opinion - Opinion|12 September 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 10

અહિંસક લડાઈના એક અસરકારક સાધન તરીકે અસહકાર અને સવિનય કાનૂનભંગ ભારતની આઝાદી જંગનું જ એક માત્ર શસ્ત્ર નહોતું. ત્યાર પહેલાં ભારતમાં અને વિશ્વમાં અનેક સ્થળોએ આ યુક્તિનો ઓછી વધતી સફળતા સાથે ઉપયોગ થઇ ચુકેલો એ આપણે જાણીએ છીએ. 

આપણે આજે વાત કરીએ એકવીસમી સદીના એક એવા જનસમુદાયની સંઘર્ષ-કથાની, જે સારી એવી ખ્યાતિ પામી ચૂકી છે.

છત્તીસગઢના ગારે પેલમા કોલસાની ખાણમાં કામ કરતાં આદિવાસીઓ છેલ્લાં એકવીસ વર્ષથી પોતાની જ જમીન પર પોતાના કાયદેસરના અધિકારની સુરક્ષા અને કોલસાનું ખનન, તેના પર થતી પ્રક્રિયાઓ અને બળતણ તરીકે થતા તેના ઉપયોગના અનુસંધાને પર્યાવરણની સુરક્ષા વિષે ચાલતા વિવાદનો નિવેડો લાવવા શાંતિમય ઉપાયો અજમાવી રહ્યાં છે.

રાયગઢ જિલ્લાની કોલસાની આ ખાણ છ ગામડાંઓને આવરી લે અને કુલ 965 હેકટર્સ જમીન રોકે તેવડી વિશાળ છે, જેમાં 247 ટન જેટલો કોલસાનો જથ્થો જમા છે. આ ખાણની માલિકી ભારતની જિંદાલ સ્ટીલ અને પાવર લિમિટેડની છે. 

નાના મોટા ઉદ્યોગો અને આધુનિક જીવન પદ્ધતિને નિભાવવા મશીનો અને વાહનોના સંચાલન અને વીજળીના ઉત્પાદન અર્થે કોલસા, અને તે પણ પ્રચૂર માત્રામાં હોવા અનિવાર્ય છે. ઉપર ઉલ્લેખ કર્યો તેવી મોટી કોલસાની ખાણો કાળું સોનુ પૂરું પાડે, તેની સાથે બીજા પ્રશ્નો પણ સર્જે. પર્યાવરણની જાળવણી અને તેને સંબંધિત ન્યાય મેળવવાના મુદ્દાને લઈને કામ કરતાં જય ચેતના મંચ અને આદિવાસી કિસાન એકતા સંઘ જેવાં સંગઠનો ગારે પેલમાના પરિસરમાં વસતાં આદિવાસીઓની આ ચળવળમાં જોડાયેલા છે જેમના વિષે વધુ માહિતી તેમની વેબસાઈટ પરથી મળી રહે છે. 

આ મુદ્દો બૃહદ્દ અંશે ખાણમાં કામ કરનારા મઝદૂર અને તેની આસપાસના આદિવાસી સમૂહોને જ સ્પર્શતો હોય તેમ માનવાનું મન થાય, પરંતુ કોઈ પણ વિસ્તારમાં માત્ર એક વ્યવસાય કરનારી પ્રજા નથી વસતી હોતી. આથી જ તો કોસંપલીની આ ચળવળે આસપાસ વસતા ખેડૂતો, મૂળ વતની આદિવાસીઓ, ભૂમિહીન કિસાનો, સ્થાનિક સરકારી નોકરો, પાડોશી ગામ/કસબાના નાગરિકો, મજદૂર અને વેપારી સંગઠનના સભ્યો, મહિલાઓ, જાતિ અને કોમના ભેદભાવથી અસર પામેલા લોકો એમ અનેક સમુદાયોને પોતાના અધિકારો માટે જાગૃત કરીને ગતિશીલ બનાવી દીધા છે.

સામાન્ય રીતે જ્યાં અસમાનતા અને અન્યાય પ્રવર્તતો હોય, ત્યાં હિંસા થવાની વધુ શક્યતા હોય. પરંતુ કોસંપલી ચળવળના હથિયારો છેઃ ધરણા, નાકાબંધી, બહિષ્કાર, અસહકાર, સહકારી ધોરણે વિકાસનું આયોજન અને તેનો અમલ, દેશના અને વિદેશના બિન સરકારી સંગઠનોની સામેલગીરી, કોર્ટનો આશ્રય લઈને કાયદાઓ પસાર કરાવવા, પત્રો અને સામૂહિક અરજીઓ દ્વારા વિનંતી કરવી, દેખાવો અને યાત્રાઓ યોજવી, હડતાલ તેમ જ ભૂખ હડતાળ પર જવું. અહીં નોંધવા યોગ્ય હકીકત એ છે કે બંનેમાંથી એક પણ પક્ષે જોર-જુલમ કે ભાંગ-ફોડ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો થયેલ નથી.

ખાણ ઉદ્યોગને કારણે થતી અસરોમાં મુખ્યત્વે પર્યાવરણ પર થતી અસરો જોઈએ તો હવા, અવાજ અને પાણી પ્રદૂષિત થવા, જંગલો અને તેના આધારે જીવતી જીવસૃષ્ટિનો નાશ થવો, વૈશ્વિક તાપમાનનું ઊંચું જવું, જમીન અને માટી પ્રદૂષિત થવાં, પાણીનાં તળ નીચે જવાં વગેરે અસરો બહોળા જનજીવનને સ્પર્શે છે. તો સ્વાસ્થ્ય પરની અસરો જુઓ તો માનવ હત્યા અને ખૂનના કિસ્સાઓમાં વધારો, બળત્કાર, હિંસા અને આત્મહત્યાનો ઊંચો આંક વગેરે સ્થાનિક સમાજને ડહોળી રહ્યા છે.

મોટા ઉદ્યોગો રોજગારીની તકો પૂરી પાડે અને કહેવાતો વિકાસ સંભવ બનાવે તેથી જ તેને ઉદ્યોગોના માલિકો અને તેને આધારે જીવતી પ્રજા હોંશે હોંશે સ્વીકારી લે છે. પરંતુ તેની આડ અસર રૂપે થતી નકારાત્મક આર્થિક-સામાજિક અસરોની યાદી પણ નાની સૂની નથી જેમ કે લાંચ-રૂશ્વતનો પ્રસાર, સ્થાનિક લોકોનું વિસ્થાપન, હિંસા અને ગુનાઓમાં વધારો, રોજગારીની તકોની અસુરક્ષા, બેકારીમાં વધારો, પારંપરિક જ્ઞાન, સંસ્કૃતિ અને કલાનો નાશ, જે તે વિસ્તારનું લશ્કરીકરણ, માનવ અધિકારનો ભંગ અને ભૂમિહીન પ્રજાની સંખ્યામાં વધારો. શું આર્થિક ‘વિકાસ’ અને માનવ અધિકારની સુરક્ષા એકબીજાથી વિમુખ જ હોવી જરૂરી છે?

સવાલ જરૂર થાય, બબ્બે દાયકાઓથી ચાલી આવતી અહિંસક ચળવળનું પરિણામ શું આવ્યું? સારું અને માઠું પરિણામ આવ્યું. લાંચ લેવા-દેવાના બનાવો વધ્યા, કર્મશીલોને ગુનેગાર ઠેરવવા એ રોજનું થયું એ ઘણું અનિચ્છનીય પરિણામ. કોર્ટનો નિર્ણય આદિવાસીઓની તરફેણમાં આવ્યો, પર્યાવરણના મુદ્દે ઉઠાવેલ પ્રશ્નમાં વિજય થયો તે ઇચ્છનીય પરિણામ, તો બીજી બાજુ દેખાવકારોનું દમન વધ્યું, ચળવળમાં ભાગ લેનારાઓની શક્તિ વધુ મક્કમ બની એટલે કર્મશીલો પર હિંસક હુમલામાં વધારો થયો એટલું જ નહીં હાલ પૂરતો આ પ્રકલ્પ મુલતવી પણ રાખવો પડ્યો.

પર્યાવરણની અને સ્થાનિક આદિવાસી પ્રજાના રોજગારની સુરક્ષા માટે ન્યાય મેળવવા થયેલ આ ચળવળમાં થોડી ઘણી સફળતા પણ મળી છે. કોર્ટે એક ખાસ સમિતિ નિમવાનો આદેશ આપ્યો જે પર્યાવરણની સુરક્ષા અંગેના કાયદાઓનો ભંગ કરનાર પર ચાંપતી નજર રાખે. વળી, ખાણને કારણે અસરગ્રસ્ત લોકોને કાઉન્સિલ અને જિંદાલ તરફથી વ્યક્તિદીઠ પાંચ કરોડ રૂપિયા બોન્ડ રૂપે વળતર તરીકે ચુકવવામાં આવ્યા એ લાંબી ચાલેલી ચળવળની સફળતા ગણાવી શકાય. બીજી બાજુ આ ખાણ વિષે ભવિષ્યમાં શી યોજના છે તે સ્પષ્ટ નથી કહેવાયું.

ખાણ ઉદ્યોગના ખાતાની નીતિ હતી : divide and mine –  જમીનના ભાગલા પાડો અને ખાણ ચાલુ રાખો. જ્યાંથી કોલસો મળી આવવાની સંભાવના હોય તેવી જમીનને નાના ટુકડાઓમાં વિભાજીત કરી વેંચી શકાય તેવી યોજના હતી એ. કેટલાક લોકોના ઘર તો કોલસા બાળવામાં આવતા હતા કે જમીનમાં સ્ફોટક પદાર્થ ફોડવામાં આવતો હતો ત્યાંથી માત્ર 80 કે 160 મીટરની દૂરી પર જ હતાં. તો શું એ પ્રજાને સુરક્ષિત રહેવાનો અધિકાર કોલસાની પ્રાપ્તિમાં બળીને ભસ્મ થઇ જાય? એ પ્રજાની માંગણી સરળ હતી – વધુ ખનન કરવાનું બંધ કરો અને ખોદાયેલ જમીનને સમથળ કરો. આપેલાં વચનો નિભાવો, જેમ કે જો કોઈ ખેડૂતની જમીન ખાણ ઉદ્યોગ માટે જપ્ત કરવામાં આવી હોય તો તેને પૂરતું વળતર આપો અને ત્વરિત ગતિથી તેમને નવો રોજગાર પૂરો પાડો. આદિવાસી લોકોના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કહ્યું, “અમે તમને નવી ખાણ શરૂ કરવા પરવાનગી નથી આપતા.” આ ચળવળના નેતા ભગવતી ભગતે કહ્યું, “જિંદાલ સાથેના મામલામાં અમે ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરેલો, હવે ફરી ફરી એ સ્થિતિમાંથી પસાર નથી થવું.” 

ઉદ્યોગ અને વ્યાપાર પ્રધાન મૂડીવાદી અર્થકારણ અપનાવી લીધેલ હોવાને કારણે મોટા ઉદ્યોગો અને ખાનગી વ્યાપારી કંપનીઓ સ્થાપી તે હવે કાયમ રહેવાની, પરંતુ તેમને જો હવે ટકવું હોય તો પ્રજાહિતના ભોગે નહિ બને એ હવે સ્પષ્ટ છે.

અહીં સો એક વર્ષ પહેલાં ચંપારણના ગલીના ખેડૂતોએ કરેલી માગણીઓનું સ્મરણ થયા વિના ન રહે. કદાચ એ અહિંસક ચળવળની ચિનગારી હજુ ઢબુરાઇને પડી હશે તે ફરી પ્રજ્વલિત થઇ ઊઠી.

1998થી આ ખાણના પ્રવેશદ્વાર પાસે નાકાબંધી શરૂ થઇ. નીચેની તસ્વીરમાં આદિવાસી મહિલાઓ ખાણના પ્રવેશદ્વાર પાસે બાંધેલ તંબુમાં પોતાની મુસીબતોનું બયાન કરવાં એકઠાં મળેલ દર્શાવાયાં છે. મહિલાઓ અને બાળકો ખનન કરેલ કોલસાની રજ અને તેમાંથી ઊડતી રાખને કારણે ભોગવવા પડતાં સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોથી પીડાઈ રહ્યાં છે તે વિષે વાત કરવા શાંતિમય માર્ગ લઇ રહ્યાં છે.

જેને આપણે ‘અશિક્ષિત’ અને ‘પછાત’ કહીને નવાજીએ છીએ તેવા પોતાની સમસ્યાઓ વિષે ઊંડી સમજ ધરાવનાર યુવાનો અને મહિલાઓની ફૌજ સતત લડતી રહી છે. જમણી બાજુ પર કન્હાઇ પટેલ છે જેઓ ભૂખ હડતાળ પર ઉતરેલા નીચેની તસ્વીરમાં દેખાય છે.

તો અહીં જુઓ કોસંપલિ ગામડાનાં બાળકો ખાણમાં વિસ્ફોટ થશે તેવી ચેતવણી પાસેથી પસાર થઇ રહ્યાં છે.

આ વિસ્તારમાં આદિવાસીઓની માલિકીની જમીન ખાનગી ઉદ્યોગપતિઓને વેંચવા પર પ્રતિબંધ છે – બંધારણમાં તેમને રક્ષણ અપાયું છે એટલે હવે તે પ્રજા સુરક્ષિત છે તેમ માની શકાય. પરંતુ અવકાશ વિજ્ઞાન દુર્ભાગ્યે હજુ આ લડત ચાલુ જ છે કેમ કે સાંપ્રત સરકારના વહીવટી અમલદારો સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને પણ ખાનગી કંપનીને ખાણનું લીલામ કરવા તૈયાર થઇ રહ્યા છે. સરકાર અને મોટા ઉદ્યોપતિઓની સાંઠગાંઠ સામાન્ય પ્રજા, કે જે જળ, જમીન અને જંગલના ખરા માલિક છે, તેમની ન્યાયી માંગણીને સદંતર અવગણીને સ્વાર્થ સાધવા બેઠા છે. 

‘સત્યમેવ જયતે’ એ સૂત્ર પર છત્તીસગઢમાં વસતી નિઃશસ્ત્ર પ્રજા, કે જેણે બબ્બે દાયકાઓથી સંપૂર્ણ શાંતિમય ઉપાયો અજમાવીને પોતાના હકની જમીન સાચવવા અને ગુમાવેલી જમીનને પાછી મેળવવા અને સાથે સાથે પર્યાવરણને સુરક્ષિત કરવા પારાવાર કષ્ટ સહ્યાં તેમને કોણ સહાય કરશે? શું G-7 સમિટમાં ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં જનાર આપણા વરિષ્ઠ પદાધિકારીઓ આ અને આવા અસંખ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવશે? 

(મુખ્ય સ્રોત : આદિવાસી કર્મશીલો માટેની વેબસાઈટ તથા અખબારો)

e.mail : 71abuch@gmail.com

Loading

Abolition of Article 370: Propaganda versus Truth

Ram Puniyani|English Bazaar Patrika - OPED|11 September 2019

The abolition of Article 370 and Article 35 A has been accompanied by propaganda to justify these drastic steps taken by the BJP Government. As such this abolition of Article 370 has been on the agenda of RSS all through and is part of the triad of Hindutva agenda, along with Ram Temple and Uniform Civil Code. The argument being put forward is that due to this special provision for the state, the state has remained undeveloped, as the outside industrialists could not buy land there and bring in Vikas (development). Also it has been alleged that this clause promoted separatism in the region and has been the cause of turmoil in the region.

All this forms the part of propaganda blitz launched by BJP. As a part of mass contact program, the Party Working President J.P. Nadda released a video on 4th September 2019, justifying the abolition of the special provisions for the state and bifurcation of the state into two Union Territories. The eleven minute video concludes with the speech of Prime Minster Modi saying that Nehru committed historic blunder on Kashmir; to which Ambedkar and Patel had strong opposition.

On Article 370, the video says that Sardar Patel successfully merged 562 Princely states into India but Nehru decided to handle Kashmir himself and created the blunder of giving special status to the state leading to all the problems. Most of the part of BJP’s statement is far from truth; they pick up one small part of the truth and give it a twist to suit their ultra nationalist agenda.

To begin with, why Nehru had to handle Kashmir issue himself? Patel handled all other Princely states as those states were within the geographical boundaries of India; none of them was attacked by any other foreign power, i.e. Pakistan. Since Kashmir has boundaries common with India and Pakistan, Nehru as Prime Minster and Foreign Minister was duty bound to take responsibility of the issues related to Kashmir. India was forced to intervene into Kashmir affairs as it was attacked from the Pakistan side and Kashmir’s King Harisingh urged upon India to send the army to quell Pakistani attack. In none of the other princely states Pakistan could play such military role which created such a situation in Kashmir. In matters of Kashmir, Pakistan was also trying to follow ‘Two Nation theory’, as Kashmir had Muslim majority. As far as Nehru and Patel are concerned, on the handling of Kashmir, i.e. accession treaty, article 370, declaration of cease fire and taking the matter to United Nations is concerned; they were on the same page as revealed by the ‘Ten volume Correspondence of Sardar Patel’, meticulously edited by the renowned journalist Durga Das.

On nature of intervention in Kashmir, Sardar Patel said at a public meeting in Bombay on October 30, 1948: “Some people consider that a Muslim majority area must necessarily belong to Pakistan. They wonder why we are in Kashmir. The answer is plain and simple. We are in Kashmir because the people of Kashmir want us to be there. The moment we realize that the people of Kashmir do not want us to be there, we shall not be there even for a minute… We shall not let the Kashmir down”. (Hindustan Times October 31, 1948) Quoting from Patel’s correspondence A. G. Noorani points out that in matters of ceasefire Patel not being taken into confidence, as alleged by RSS stable is wrong. Noorani says “Volume one of Patel’s correspondence belies the charge that Patel was not taken into confidence. In that event, he was man enough to resign from the cabinet.”

Article 370 did not drop from the heaven. It was the outcome of serious deliberations in the Constituent Assembly (CA). For the explicit purpose of drafting this Article Sheikh Abdullah and Mirza Afzal Baig were made part of the CA. It was primarily Patel, Ambedkar, Sheikh and Mirza Baig who contributed to the formulation of this provision. Now to say that Ambedkar opposed it or Patel did not approve it is height of false hood. Noorani also points out that it was Patel who moved the resolution of the article 370 in the CA, as Nehru was away to US on an official trip. Patel’s letter to Nehru on date 25th February 1950 shows that they both had similar opinion on taking the matter to United Nations, and they both held that the international body should take a call on that.

As far Ambedkar is concerned our Vice President Venkaiyah Naidu and Central Minster Arjun Ram Meghwal in their articles have given a quote in the name of Ambedkar. Their quote says that in a conversation with Sheikh, Ambedkar said, ““you want India to defend Kashmir, feed its people, and give Kashmiris equal rights all over India. But you want to deny India all rights in Kashmir…” This quote is not part of any official record. It was part of speech of Balraj Madhok of Bharatiya Jansangh (predecessor of BJP), which was picked up by RSS paper Tarun Bharat and Organizer. As such Ambedkar had also opined that Muslim majority part of Kashmir should go to Pakistan. Ambedkar was a strong supporter of plebiscite and Patel himself had gone for the same in Junagadh.

As far as development of Kashmir is concerned, the first point we should note that Kashmir is much ahead of national averages as far as social indices of development are concerned. The Article 370 in no way stood in the path of development in that sense. Incidentally while Article 370 has being targeted, Article 371 with similar provisions in North Eastern states is promised to be retained as it is, as per the latest statement by Amit Shah.

BJP’s present propaganda, distorting contemporary history is also trying to defame Nehru. Nehru is their prime target as the ‘Architect of Modern India’, Nehru, laid the foundations of pluralism and scientific temper, the values which RSS-BJP wants to do away with. 

Loading

...102030...2,6892,6902,6912,692...2,7002,7102,720...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved