Opinion Magazine
Number of visits: 10081238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેટલા બેંક પેન્શનર્સ ગુજરી ગયા પછી પેન્શન અપડેટ થશે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 October 2025

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ ભારત સ્વતંત્ર થયાને 75થી વધુ વર્ષ થવા છતાં દેશમાં આભડછેટ, અસ્પૃશ્યતા, ભેદભાવનો છેડો નથી આવતો. આ અસ્પૃશ્યતા હવે જાતિ-જ્ઞાતિ પૂરતી સીમિત નથી, તેનું નોખું-અનોખું સ્વરૂપ સામે આવ્યું છે અને તે છે શિક્ષિત આભડછેટ કે શિક્ષિત અસ્પૃશ્યતા કે શિક્ષિત ભેદભાવ ! આ વરદાન શિક્ષિતોએ આપેલું છે. સાચું તો એ છે કે આ દેશને શિક્ષિતોએ કર્યું છે, એટલું નુકસાન અભણોએ નથી કર્યું. આ ચલણ ને વલણ સરકારથી માંડીને સરકારી કે અર્ધ સરકારી કે સરકારી ગ્રામીણ સંસ્થાઓ સુધી વિસ્તરેલું ને વકરેલું છે, તેમાં ય નિવૃત્ત કર્મચારીઓ માટે તો વધુ ભેદભાવ જોવા મળે છે. આમ નિવૃત્તોને માન-સન્માન આપવાની ઉપલક વાતો તો ઘણી થાય છે, પણ મોટે ભાગના નિવૃત્તો તરફ ઘરમાં કે બહાર અમુક પ્રકારની સૂગ ફેલાયેલી જોવા મળે છે. આ સૂગ સરકારથી માંડીને જાહેર સંસ્થાઓ સુધી વ્યાપેલી છે.

આમ તો હેલ્થ ઇન્સ્યોરન્સ પર જી.એસ.ટી. પહેલેથી જ ખોટો હતો, પણ સરકારે વર્ષો સુધી જી.એસ.ટી. લૂંટ્યા પછી તાજેતરમાં તે નાબૂદ કર્યો. આ ઉપકાર પછી પણ પેન્શનર્સને જી.એસ.ટી.માંથી મુક્તિ નથી મળી. સાધારણ રીતે તો પેન્શનર્સનો વીમો ઉતારવા કોઈ તૈયાર થતું નથી, એટલે તેણે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં જવું પડે એ લાચારી છે. એની ખૂબી એ છે કે આ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ દર વર્ષે વધતું જ આવે છે ને લગભગ દોઢ કે બે મહિનાનું પેન્શન, પેન્શનરે એમાં હોમી દેવાનું થાય છે. નામ પૂરતું તો પેન્શન બાર મહિનાનું જમા થાય છે, પણ દોઢથી બે મહિનાનું પેન્શન પ્રીમિયમમાં નીકળી જાય છે ને બાકીનું પેન્શન જ ભાગે આવે છે. ઓક્ટોબર-નવેમ્બરના મહિનાઓ તહેવારોના ખર્ચાળ મહિનાઓ છે ને ઉપરથી દોઢ-બે મહિનાનું પેન્શન હેલ્થ ઇન્સ્યોરન્સમાં જી.એસ.ટી. સાથે નીકળી જતાં હાલત એવી થાય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે. ઘણાં તે લે છે. આ સ્થિતિ પડતાં પર પાટું પડવા જેવી જ છે.

વારુ, જે કલેઈમ કરે છે, તેને તો પ્રીમિયમ ભરવાનો કૈંકે લાભ થતો હશે, પણ જે કલેઈમ નથી કરતા તેમને તો વર્ષોવર્ષ દોઢ બે મહિનાનું પેન્શન એમ જ જા ખાતે આપવાનું થાય છે. એવા ઘણાં હશે, જેમણે વર્ષો સુધી રૂપિયો ય કલેઈમ કર્યા વિના લાખો રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીને ખટાવ્યા હશે. કંપનીએ એવા વીમેદારને કન્સેશન આપવું જોઈએ કે તેણે ઈમાનદારીથી કલેઈમ નથી કર્યો, પણ બધા જ નફો રળતા હોય તો વીમા કંપની પણ એટલી રાહત આપવા શું કામ તૈયાર થશે, એ પ્રશ્ન જ છે.

એમાં વળી હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જી.એસ.ટી. નીકળી જતાં એમ લાગ્યું કે થોડી રાહત થશે, પણ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમના આંકડા આવ્યા તો એમાં આઘાતજનક રીતે 18 ટકા જી.એસ.ટી. લાગેલો જ હતો. આવું કેમ, તેનો જવાબ એવો આવ્યો કે જી.એસ.ટી. વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જ ગયો છે, ગ્રૂપ ઇન્સ્યોરન્સ પર તે લાગુ જ છે. પેન્શનર્સને આ ભારોભાર અન્યાય છે ! એક જ હેલ્થ ઇન્સ્યોરન્સ વ્યક્તિગત ધોરણે લેવાય તો જી.એસ.ટી. માફ ને એ જ હેલ્થ ઇન્સ્યોરન્સ ગ્રૂપમાં લેવાય તો 18 ટકા જી.એસ.ટી. લાગે. આનો સખત વિરોધ થવો જ જોઈએ. ગમ્મત તો એ છે કે ગ્રૂપમાં લેવાતા ઇન્સ્યોરન્સમાં પણ પ્રીમિયમ તો વ્યક્તિગત રીતે જ જે તે ખાતામાંથી કપાય છે, છતાં 18 ટકા જી.એસ.ટી. બીજા કોઈને નહીં, પણ વૃદ્ધોને લાગે છે, એ શરમજનક છે.

ઓલ ઇન્ડિયા બેંક પેન્શનર્સ એન્ડ રિટાયરિઝ કોન્ફેડરેશન (AIBPARC) તરફથી 8 ઓક્ટોબર, 2025ને રોજ 93-25 નંબરનો સર્ક્યુલર આવ્યો છે, જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી જી.એસ.ટી. બાદ કરવાનો ઇસ્યુ કેરાલા હાઈકોર્ટની જ્યુડિશિયલ સ્ક્રુટિનીમાં પહોંચ્યાની વાત છે. તે યુનિટ પૂરતો સ્ટે આવ્યો પણ છે, તો તમામ યુનિટોને અસર કરે તે રીતના પ્રયત્નો તમામ યુનિયનોએ કરવા જોઈએ. જો કે, ઓલ ઇન્ડિયા બેંક રિટાયરિઝ ફેડરેશન (AIBRF) પણ બધી બેંકો વતી પિટિશન ફાઈલ કરશે એમ લાગે છે. સૌથી દુખદ વાત તો એ છે કે દેખીતા અન્યાય બાબતે પણ કોર્ટ સુધી જવું પડે ને સ્ટે મેળવવો પડે છે. પેન્શનર્સને બને ત્યાં સુધી સરકાર લેખામાં જ લેતી નથી. એવું ન હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી નાબૂદ થયેલો જી.એસ.ટી. વૃદ્ધોને જ કરમે શું કામ ચોંટે?

વર્ષે લગભગ દશેક મહિના જેટલું જ પેન્શન મળતું હોય એવા પેન્શનર્સનું પેન્શન પણ ત્રીસેક વર્ષથી, એટલે કે શરૂઆતથી જ અપડેટ નથી થયું. પેન્શનર્સનું જે બેઝિક પેન્શન ત્રીસેક વર્ષ પર નક્કી થયેલું, તેના પર જ મોંઘવારી ભથ્થું (ડી.એ.) વધઘટ સાથે લાગુ કરીને દર મહિને પેન્શન જમા થતું રહે છે. અન્ય સ્ટાફના પગાર, એલાઉન્સિસમાં અમુક વર્ષે નવું પગાર ધોરણ લાગુ થાય છે, પણ પેન્શનર્સનું પેન્શન વર્ષોથી અપડેટ થતું નથી, થયું નથી, તે એટલે કે પેન્શનર્સ બીજી કોઈ રીતે ઉપયોગી નથી, તેમની પાસેથી કંઇ લેવાનું નથી, એટલે સરકાર તેમની ચિંતા શું કામ કરે? એ કમનસીબી છે કે દેશના લાખો બેંક પેન્શનર્સનું પેન્શન અપડેટ નથી થયું. નથી જ થયું –

આમાં પણ બેંકો-બેંકો વચ્ચે ભેદભાવ છે. સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ પેન્શનર્સનું પેન્શન આપોઅપ અપડેટ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેન્શનર્સને એકથી વધુ વખત પેન્શન અપડેશનનો લાભ મળી ચૂક્યો છે, પણ બીજી બેન્કોને રિવિઝનનો લાભ, કારણ ગમે તે હોય, પણ વર્ષોથી અપાયો નથી. રિઝર્વ બેંકની ગાઈડલાઈન્સ પ્રમાણે બધી બેંકો રિઝર્વ બેંક સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલી છે, પણ પગાર અને પેન્શનને મામલે રિઝર્વ બેંક અને અન્ય રાષ્ટ્રીય બેંકો વચ્ચે એકસૂત્રતા નથી. આવો ભેદભાવ રાખીને સરકાર લાખો પેન્શનર્સને અન્યાય કરે છે. આ બધા ભણેલા-ગણેલા છે, પણ એકને ગોળ ને એકને ખોળ-ની નીતિ અહીં પૂરી બેશરમીથી ચાલે છે. બેન્કોની નીતિઓમાં ભેદભાવ રાજરોગની હદે સક્રિય છે.

એવું નથી કે ફંડ નથી. બેંક કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ જમા થતું હતું ને એના પર જે વ્યાજ મળ્યું, એને લીધે લગભગ સાડાચાર લાખ કરોડ જેટલું ફંડ ઓલરેડી જમા છે. એમાંથી સરળતાથી પેન્શન અપડેશન શક્ય છે, પણ 1994-‘95થી પેન્શન રેગ્યુલેશન લાગુ થયું, ત્યારથી એક પણ વખત પેન્શન રિવિઝનનો લાભ રિટાયરિઝને મળ્યો નથી તે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે રિટાયરમેન્ટની તારીખના આધાર પર પેન્શનરો વચ્ચે ભેદભાવ ઠીક નથી. એ તો ઠીક, મોંઘવારી રાહત (DR) આપવામાં પણ એકરૂપતા નથી. યુનિયનોએ કેટલીક માંગ પણ ઘણાં વખતથી મૂકી છે. જેમ કે, રિઝર્વ બેંકના સ્તર પર બીજી બેન્કોનાં પેન્શનર્સનું પેન્શન અપડેટ થાય. બીજું, યુનિફોર્મ ડીઅરનેસ એલાઉન્સ (DA) લાગુ કરવામાં આવે. ત્રીજી માંગ છે એક કોમ્પ્રિહેન્સિવ ગુડ હેલ્થ પોલિસીની. કેટલાંક મોટાં સંગઠનોએ વિરોધની જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે, કારણ પ્રખર વિરોધ વગર તો સરકાર વાજબી માંગ પણ સ્વીકારતી નથી. તો, સરકારને સોંસરું પૂછવાનું થાય કે કેટલા પેન્શનર્સ ગુજરી જશે, પછી સરકાર પેન્શન અપડેશન તરફ જશે?

પેન્શન અપડેશન એ ભીખ નથી કે નથી કોઈ દાન ! એ દરેક પેન્શનરનો કાનૂની અધિકાર છે. બેન્કોમાં પેન્શનરોએ પોતાની જિંદગીનાં મહત્ત્વનાં વર્ષો બેન્કની સેવામાં અર્પિત કર્યાં છે. બેંકો પોતે અનેક ક્ષેત્રોમાં વિકસી છે. મોંઘવારી ત્રીસ વર્ષ પહેલાંની નથી, તો પેન્શનરનું પેન્શન 30 વર્ષ જૂનું કઈ રીતે હોય? બધું જ અપડેટ થાય છે, સિવાય બેંક પેન્શનરોનું પેન્શન ! એમાં પણ રિઝર્વ બેંક બે વખત પેન્શન અપડેટ કરી ચૂકી છે, તો એ જ રીતે અન્ય બેંક પેન્શનર્સનું પેન્શન માનવતાને ધોરણે અપડેટ કેમ ન થાય? બધી જ બેન્કોના કર્મચારીઓએ બેન્કોના વિકાસમાં સરખી રીતે યોગદાન આપ્યું હોય ને એ આધારે બેન્કોએ પ્રગતિ કરી હોય તો રિઝર્વ બેંક અને અન્ય બેંકો વચ્ચે પગાર અને પેન્શન વચ્ચે અસમાન ધારાધોરણો લાગુ કરવા પાછળ કયો તર્ક કામ કરે છે તેનો ખુલાસો થવો જોઈએ. કંઇ નહીં તો બેંક પેન્શનર્સ નિવૃત્તિ કાળમાં સ્વમાન અને સન્માનપૂર્વક જીવી શકે ને એને માટે કાયદેસર મળવા પાત્ર લાભોથી વંચિત ન રહે એટલું તો થવું જ જોઈએ. એને માટે તેમણે જતી ઉંમરે સંઘર્ષ કરવો પડે તે ઠીક નથી. આશા રાખીએ કે સરકાર ઘટતું કરે અને ઝડપથી કરે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑક્ટોબર 2025

Loading

ધ લંચ બોક્સ: કભી કભી ગલત ટિફિન ભી સહી જગહ પહોંચ જાતા હૈ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 October 2025

રાજ ગોસ્વામી

“કભી કભી ગલત ટ્રેન ભી સહી જગહ પહોંચા દેતી હૈ.” નવાસવા ફિલ્મ નિર્દેશક બનેલા રિતેશ બત્રાની 2013માં આવેલી ડેબ્યુ ફિલ્મ ‘ધ લંચ બોક્સ’નો સાર આ એક ડાયલોગમાં આવી જાય છે. ફિલ્મમાં, એકાઉન્ટન્ટની નોકરીમાંથી નિવૃત્ત થવાની અણી પર સાજન ફર્નાન્ડીઝ(ઈરફાન ખાન)ને, તેનો ટ્રેઈની અને મુંબઈની ટ્રેનમાં હમસફર અસલમ શેખ (નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે આ વાક્ય કહે છે છે ત્યારે, સાજન માર્મિક રીતે તેની સામે જુવે છે. તેને લાગતું હોય છે કે આ વાત કેટલી સૂચક છે! તેના જીવનમાં ટ્રેનની નહીં, લંચ બોક્સની અદલાબદલી થઇ ગયેલી છે.

સાજનની ઓફિસમાં તેના ટેબલ પર રોજ એક ‘ગલત’ ટિફિન આવે છે. ઇલા (નિમ્રત કૌર) નામની એક ગૃહિણીએ તેના પતિ માટે ટિફિન બનાવ્યું હોય છે, પણ ડબ્બાવાળાની ભૂલના કારણે તે સાજન પાસે પહોંચી જાય છે. બંનેને ‘ગલતી’નો અહેસાસ છે, છતાં તેમને એમાં મજા આવવા લાગે છે, અને ટિફિનની દોસ્તીને આગળ ધપાવે છે. સતત કામમાં વ્યસ્ત મુંબઈ શહેરમાં બે એકલવાયા જીવ ‘ગલત’ ટિફિનના કારણે એકબીજાના ‘લોંગ ડિસ્ટન્સ’ દોસ્ત બને છે.

‘ધ લંચ બોક્સ’ પ્રેમ અને સંબંધો દ્વારા જીવનને સમૃદ્ધ બનાવવાની વાર્તા છે. તે સાજન અને ઇલાને બે એવા લોકો તરીકે રજૂ કરે છે, જેમને માનવીય હૂંફની જરૂર હોય છે, અને જેની તેમના જીવનમાં અનુપસ્થિતિ છે. બંને અકસ્માતે એકબીજાના પરિચયમાં આવે છે અને સન્મુખ મળ્યા વગર ચિઠ્ઠીઓ મારફતે એકબીજાના જીવનને ઊંડાણપૂર્વક સ્પર્શે છે અને પ્રભાવિત કરે છે. તેઓ બંને એકબીજાને જીવનમાં ફેરફાર કરવા માટે પણ પ્રેરિત કરે છે- સાજન તેની નોકરી છોડી દે છે અને ઇલા તેના પતિને.

આ ફિલ્મ એ વાતને સમજાવે છે કે પ્રેમ એકબીજાને મળીએ તો જ થાય તે જરૂરી નથી. કદાચ આ પહેલી હિન્દી ફિલ્મ છે જેમાં ‘પ્રેમી-પ્રેમિકા’ને એકબીજાનું મોઢું પણ ખબર નથી અને ફિલ્મના અંતે પણ ‘ખાધું, પીધું ને રાજ કર્યું’ના બદલે, ‘ફરી ક્યારેક મળીશું’ના આશાવાદ સાથે બંને પોતપોતાના અલગ રસ્તા પર વળી જાય છે.

સાજન અને ઇલા વચ્ચે જે સંપર્ક થયો હતો તે મળ્યા વગર અને કોઈ ફોન કોલ વગર હતો. સાજનની પત્નીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. તેની રોજિંદી દિનચર્યામાં લોકલ ટ્રેન અને બસમાં ઓફિસ જવાનું, કંટાળાજનક કામ કરવાનું અને ઘરે પરત ફર્યા બાદ પત્નીને યાદ કરવાનું છે. તેનું જીવન એક સીધી લીટીમાં ચાલતું રહે છે. 

ઇલાનું જીવન પણ રૂટિંન છે. ઘરકામથી દિવસ શરૂ થાય છે અને ઘરકામમાં પૂરો થાય છે. પતિને તેનામાં રસ નથી. ઇલા પતિમાં રસ પેદા કરવા ટિફિનમાં રસ નાખે છે. ઇલા મધ્યમ વર્ગીય પરિવારની સ્ત્રી છે એટલે ખાસ બોલતી નથી અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે ભોજનનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, ગુસ્સામાં હોય તો મરચું વધારે નાખી દેતી, તનાવમાં હોય તો મીઠું. બદનસીબે કે સદનસીબે, તેનું ટિફિન પતિના બદલે સાજનના ટેબલ પર પહોંચી જાય છે. સાજન ભોજન મારફતે તેની લાગણીઓને પારખે છે.

ટિફિનની અદલાબદલીથી પરેશાન ઇલાને તેના ઘરમાં ઉપલા માળે રહેતી આંટી (ભારતી આચરેકર) એક આઈડિયા આપે છે; ખાવાની સાથે એક ચિઠ્ઠી મૂક કે ભૂલ થઇ ગઈ છે! સાજન ટિફિન ખાય છે’ વળતો જવાબ લખે છે. બીજા દિવસે આ ક્રિયા દોહરાવામાં આવે છે. અને એ રીતે તેમની વચ્ચે ‘લંચ બોક્સ’ પ્રેમાલાપ ચાલુ થાય છે.

ઇલા તેના શુષ્ક જીવનની વાતો કહેતી એક ચિઠ્ઠીને ટિફિનમાં મુકતી હતી અને સાજન તેના જવાબમાં તેના એકલવાયા ક્લાર્કગીરીવાળા જીવનની. બંને લંચ બોક્સ દ્વારા તેમની ખુશી અને દુઃખ વ્યક્ત કરે છે. એ રીતે બંને એકબીજાની લાગણીઓને સમજવા લાગે છે. તેમની વચ્ચેનું આ વિશેષ બંધન માત્ર એક લંચ બોક્સ અને તેની અંદરની ચિઠ્ઠીઓથી બનેલું છે. કદાચ તેમના માટે તે પ્રેમ કરતાં પણ અધિક હતું.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મના કોઈ પણ પાત્રો ફોન પર વાત કરતાં જોવા નથી મળતાં. નિર્દેશક રિતેશ બત્રાએ જાણીજોઇને મોબાઈલ ફોનને દૂર રાખ્યો હતો. તે તેમના કિરદારોને સ્વાદિષ્ટ ટિફિન સાથે જોડવા માંગતા હતા. ટિફિન ભૂખનું, સ્વાદનું પ્રતિક છે. બંનેના જીવનમાં તેનો અભાવ છે. ટિફિન મુંબઈની વિશેષતા છે. તે કામ કરતા પતિની વ્યસ્તતા અને મજબૂરીનું પ્રતિક છે. ઇલાના પતિ ઇલામાં ઓછો અને કામમાં વધુ રસ છે. 

મુંબઈ શહેર અનેક યુગલો સાથે આવી ક્રુરતા આચરતું હોય છે. આ ફિલ્મમાં મુંબઈ પણ એક કિરદારના રૂપમાં છે. અટવાયેલો ટ્રાફિક, લોકલ ટ્રેનો અને બસોમાં હકડેઠઠ ભીડ, લાંબી રાહ જોતા લોકો એક પ્રકારનો તનાવ અને થાક પેદા કરે છે. ફિલ્મમાં પાત્રોની સાથે દર્શક તરીકે આપણે પણ મુંબઈની આ ક્રુરતાને અનુભવીએ છીએ.

એ જ ટિફિન ઇલા અને સાજનના સંબંધને મીઠો પણ બનાવે છે. ફોન વગર પણ તેમનો લગાવ ઘનિષ્ઠ બને છે. સાજન અને ઇલાને એકબીજા સાથે વાત કરવા માટે વોટ્સએપ મેસેજ અથવા ફોન કોલ્સની જરૂર નહોતી, તેમનો સંબંધ કંઈક અલગ અને સુંદર હતો, જે પરંપરાગત પત્ર લેખન મારફતે નીખર્યો હતો.

જો કે ઇલા આખરે માણસ છે. જેમ જેમ તેમનો સંબંધ ગાઢ થતો જાય છે, ઇલામાં એ ઇચ્છા બળવત્તર બનતી જાય છે કે તે એકવાર તેના અજાણ્યા હમસફરને મળે. સાજનની મુશ્કેલી અલગ જ છે. તે નિવૃત્ત થઇ રહ્યો છે, તેની ઉંમર થઇ ગઈ રહી છે, વાળોમાં સફેદી આવી રહી છે, ચહેરા પર કરચલીઓ વળી રહી છે. ઇલા તેને જોઇને ડરી જશે અથવા નિરાશા થઇ જશે તો? 

પત્રો દ્વારા, સાજન ઇલાને જણાવે પણ છે કે તે તેના કરતાં ઘણો મોટો છે, પરંતુ ઇલાને તેનાથી કોઈ ફરક પડતો નથી. હકીકતમાં, તેમનો સુંદર સંબંધ શરીર અને વયની સીમાઓથી આગળ છે. નિર્દેશક રિતેશ બત્રા આ સંબંધને ખૂબ જ સુંદર રીતે પડદા પર લાવ્યા છે. સાજનને ઇલાની જવાનીનો ડર લાગે છે. સાજન કાયમ અદૃશ્ય રહ્યો છે, અને હવે ઇલાને સામે આવીને ખુદને ‘જોવા’થી ડરે છે. 

બંને એક રેસ્ટોરન્ટમાં મળવાનું ગોઠવે પણ છે, પરંતુ સાજન ઇલાની સન્મુખ નથી થતો. પાછળથી ઇલાને અસલમ શેખ પાસેથી ખબર પડે છે કે તેનો ‘ભોજનકર્તા’ નિવૃત્ત થઈને નાસિક જવા નીકળી ગયો છે. ઇલા તેને નામે વિદાઈ સંદેશો લખે છે કે તેણે તેના પતિ રાજીવને છોડી દઈને તેની દીકરી યશ્વી સાથે ભૂતાન જતા રહેવાનું નક્કી કર્યું છે.

ટ્રેનમાં નાસિક જઈ રહેલો સાજન અચાનક મન બદલી નાખે છે અન પાછો મુંબઈ તરફ વળે છે. ફિલ્મમાં અંતે, ઇલા તેની દીકરી સ્કૂલેથી પાછી આવે તેની રાહ જોતી હોય છે, અને સાજન ટિફિનની અદલાબદલી કરનારા ડબ્બાવાળા સાથે ઇલાના ઘર તરફ ચાલતો જાય છે. બંનેને ભેગા થતા નથી બતાવાયા, પણ વાર્તાનો અંત સૂચવે છે કે બંનેના રસ્તા પાછા ભેગા થઇ રહ્યા છે. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 08 ઑક્ટોબર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

एक जूते से जो बात शुरू हुई …

कुमार प्रशांत|Opinion - Opinion|8 October 2025

कुमार प्रशांत

जूता चलाने वाले ने जब अपना काम कर दिया तब, जिन पर जूता फेंका गया था उन्होंने जूते को जूते की जगह दिखा कर, अपूर्व संयम दिखाते हुए अपना सामान्य काम शुरू कर दिया. हमारे सर्वोच्च न्यायाधीश भूषण रामकृष्ण गवई ने ऐसा करके हम सबका सर गर्व से ऊंचा कर दिया. हमारे देश की बड़ी कुर्सियों पर आज जैसी क्षुद्रता से भरे लोग बैठे हैं, उसमें गवई साहब का यह स्थिरचित्त व्यवहार स्वप्नवत् लगता है.

गुलीवर को लिलिपुट में भी ऐसे ‘छोटे’ लोग नहीं मिले होंगे, जैसे हमें मिले हैं. छोटा या नाटा होने में और ‘क्षुद्र’ होने में बहुत बड़ा फर्क है जिस फर्क को इन दिनों जुमलेबाजी से ढकने की चातुरी दिखाई जा रही है. लेकिन क्षद्म भी इतना चरित्रशून्य नहीं होता है कि बहुत वक्त तक क्षद्म चलने दे. देखिए न, आज एक जूते ने उसे तार-तार कर दिया है. अब जो नंग सामने आई है उसे प्रधानमंत्री का मौका देख कर, बड़ी देरी से ‘एक्स’ पर जारी किया बयान भी नहीं ढक पा रहा है. वह जूता और प्रधानमंत्री का यह बयान कि “ यह हर हाल में निंदनीय है और इससे हर भारतीय क्रुद्ध हो उठा है और ऐसे काम की कोई जगह नहीं है” एक सा-ही दिखाई देता है. आज से आधी शति पहले, 1973 में लोकनायक जयप्रकाश ने जो कहा था वह आज की सरकार से ऐसे चिपकता है जैसे इनके लिए, कल ही कहा गया हो : “ देश के राजनीतिक नेतृत्व की नैतिक हैसियत जब एकदम से बिखर जाती है तब सभी स्तरों पर अनगिनत बीमारियां पैदा हो जाती हैं.”

इसलिए ही सारे देश को क्षुद्रता का डेंगू हुआ है. क्यों ? देश के आज के राजनीतिक नेतृत्व की नैतिक हैसियत एकदम बिखर गई है याकि देश के आज के राजनीतिक नेतृत्व ने नैतिकता को जूता समझ कर किसी पर फेंक दिया है. अब उसके पास न नैतिकता बची है, न जूता ! वह नंगे सर व नंगे पांव सारे देश में, सभी स्तरों पर अनगिनत बीमारियां फैलाने में जुटा है. यह जूता किसी दलित पर नहीं फेंका गया है. जिस पर फेंका गया वह संयोग से दलित है. सच यह है कि यह असहमति पर फेंका गया वह जूता है जो इस सरकार व इस पार्टी के सभी लोग देश पर लगातार फेंकते आ रहे हैं. घृणा इनके दर्शन की संजीवनी बूटी है. इनकी रोज-रोज की जुमलेबाजी देश को मूर्ख बनाने की बाजीगरी है.

गवई साहब हमारे सर्वोच्च न्यायाधीश हैं. सभी कह रहे हैं, लिख रहे हैं कि वे दलित हैं. कोई यह क्यों नहीं कह रहा है कि न न्याय की कोई जाति होती है, न न्यायाधीश की ? जब दिल व दिमाग से जाति-धर्म-संप्रदाय-लिंग-भाषा-प्रांत की लकीरें मिट जाती है तब न्याय का ककहरा लिखने की शुरुआत होती है. इसलिए हमें कहना चाहिए कि हमारे गवई साहब न दलित हैं, न सवर्ण हैं. वे हमारी न्यायपालिका के सर्वोच्च न्यायमूर्ति हैं. हम इतना ही जानते हैं और उनकी योग्यता का मान करते हैं. हम संपूर्ण न्यायपालिका को भी ऐसे ही देखना चाहते हैं. हमारी चाह आप जानना चाहें तो वह यह है कि सारा देश, संसार के सारे इंसान ऐसे ही हों; न हों तो ऐसे ही बनें, और उन्हें ऐसा बनाने में हम सब अपने मन-प्राणों का पूरा बल लगाएं.

हमें गहरा खेद है कि जिसका जूता था उन वकील राकेश किशोर के पास अब वह जूता भी नहीं रहा. एक वही जूताग्रस्त मानसिकता तो थी उन जैसों के पास ! पिछले 10-12 सालों में इस सरकार ने देश के हर नागरिक के हाथ में यही मानसिकता तो थमाई है कि अपना जूता दूसरों पर फेंको ! प्रधानमंत्री से ले कर उनका पूरा मंत्रिमंडल यही करता है; उनकी पार्टी का अध्यक्ष अपनी पूरी पार्टी को साथ ले कर यही करता है. अपना-अपना स्वार्थ साधने के लिए दूसरे कई छुटभैय्ये भी हैं जो इनके साथ हो लिए हैं. बात पुरानी है लेकिन एकदम खरी है कि तुम वही होते हो जिनके साथ तुम रहते हो.

यह गवई साहब पर भी उतना ही लागू होता है जितना चंद्रचूड़ साहब पर होता था.  चंद्रचूड़ साहब ने प्रधानमंत्री के साथ मिल कर गणपति वंदना करना जरूरी समझा तो गणपति ने उन्हें ‘मूषक’ बना दिया. अब वे यहां-वहां, हर जगह यह बताते-कहते घूम रहे हैं कि मैं ‘मूषक’ नहीं बना था. लेकिन सौ-सौ चूहे वाली बिल्ली हमने-आपने भी देखी तो होगी ! सो चंद्रचूड़ साहब कहते कुछ हैं, हमें सुनाई कुछ दूसरा ही देता है, दिखाई कुछ तीसरा देता है.

गवई साहब ने मुख्य न्यायाधीश बनते ही कहा था कि वे आंबेडकर को माथे पर धर कर चलते हैं. हमने कोई एतराज नहीं किया, हालांकि होना तो यह चाहिए कि उनके व दूसरे किसी भी न्यायमूर्ति के माथे पर संविधान ही हो- न गांधी हों, न आंबेडकर ! लेकिन अब हमें दिखाई कुछ और भी देता है. गवई साहब सरकारी ‘मूषकों’ के साथ, उनके उड़नखटोले में या उनकी गाड़ी में यहां-वहां बेज़रूरत घूमते हैं; सरकारी होने का कोई भी फायदा वे छोड़ते नहीं हैं. न्यायमूर्ति की सबसे ऊंची कुर्सी से वे भी वैसी ही गोलमोल बातें करते हैं जैसी बातें उस कुर्सी से हम अक्सर ही सुनते रहे हैं. किसी भी मुकदमे के दौरान फैसलों से इतर न्यायाधीश जो टिप्पणियां करते हैं, वे बहुत मतलब की नहीं होती हैं. विष्णु की मूर्ति के संदर्भ में गवई साहब की वह टिप्पणी भी न जरूरी थी, न निर्दोष थी.

हमारी न्यायपालिका आज भी ऐसे ही चल रही है जैसे देश में कुछ भी असामान्य नहीं है. जिस संविधान व लोकतंत्र की वजह से ही न्यायपालिका का अस्तित्व है, उस पर रोज-रोज हमले हो रहे हैं, यह हमें दिखाई देता है, अदालतों को नहीं. अदालतों के पास समय बहुत थोड़ा है और हमारा लोकतंत्र बहुत नाज़ुक दौर से गुजर रहा है. वह गुजर ही न जाए, इसकी तत्परता गवई साहब की न्यायपालिका के व्यवहार व आचार में दिखाई नहीं देती है.

संवैधानिक महत्व के मुद्दों को, नागरिक स्वतंत्रता के सवालों को प्राथमिकता के आधार पर सुना जाए और न्यायपालिका को जो भी कहना हो, वह स्पष्ट शब्दों में कहा जाए, ऐसा नहीं हो रहा है. ऐसा रवैया संविधान को मजबूत नहीं बनाता है, आंबेडकर को जिंदा नहीं करता है. बिहार में केंद्र सरकार के इशारे पर चुनाव आयोग ने ‘सर’ का जो ढकोसला खड़ा किया था, उसने चुनावी न्याय को सर के बल खड़ा कर दिया है. उसे न्यायपालिका की सीधी फटकार क्यों नहीं मिली ? ऐसा लगता है कि चुनाव आयोग व सर्वोच्च न्यायालय के बीच चूहे-बिल्ली का खेल चल रहा है. आधार कार्ड को मतदाता का न्यायसम्मत प्रमाण मानने की बात को जिस कठोरता से अंतिम तौर पर कह देने की जरूरत थी, गवई साहब की अदालत वैसा नहीं कह सकी. इसलिए आयोग रह-रह कर आधार कार्ड का माखौल उड़ता है और कहता है कि आप आधार दो या न दो, हमारे बताए दस्तावेज तो देने ही होंगे ! यह मतदाता का अपमान है, न्यायपालिका की खुली अवमानना है.

अब चुनाव आयोग ने न्यायालय को नया ‘शह’ दिया है. उसने  बिहार के मतदाताओं की अंतिम सूची प्रकाशित कर, चुनाव की तारीखें घोषित कर दी है. यह अदालत को उसकी औकात बताने की कोशिश है. हम सभी जानते हैं कि ज्ञानेश कुमार के ‘ज्ञान’ के पीछे सरकार अभय-मुद्रा में खड़ी है. यह एक चीफ की, दूसरे चीफ को सीधी चुनौती है. आयोग ने यह भी घोषित कर दिया है कि बिहार को निबटा कर हम देश को भी इसी तरह ठिकाने लगाएंगे. देश के मतदाताओं के सर पर ‘सर’ की तलवार लटकी हुईं है. चुनाव आयोग ‘चंद्रचूड़’ बना हुआ है. वह बात का भात पका भी रहा है व खिला भी रहा है.

जूते की बात छोड़िए, लोकतंत्र पर सीधा हमला खरीदे व जुटाए जिस बहुमत की आड़ में हो रहा है, वह बहुमत है ही नहीं. इसके जितने प्रमाण कोई नागरिक जुटा सकता है, उतने प्रमाण सामने रख दिए गए हैं. अब जो काम बचा है वह न्यायपालिका का है, क्योंकि संविधान ने उसे ही यह जिम्मेवारी दी है तथा यही उसके होने की सार्थकता भी है कि वह लोकतंत्र के साथ खड़ा रहे. आज के दौर में यह सबसे आसान काम है. आसान इसलिए है कि आपके पास एक किताब है जिसे आंबेडकर का लिखा संविधान कहते हैं. बस उस किताब को खोलिए और उसके आधार पर सही या गलत का फैसला कीजिए. न एक शब्द बदलना है आपको, न कुछ अलग या नया लिखना है.

आप वह मत करिए जो आपके कमजोर प्रतिनिधियों ने पहले किया है. संविधान ने नहीं कहा है कि आपको संतुलन साधना है, कि आपको बीच का रास्ता निकालना है. सत्य या न्याय संतुलन से नहीं, संविधान के पालन से सिद्ध होता है. चंद्रचूड़ साहब ने अपनी असलियत ढकने के लिए एक बौद्धिक तीर चलाया कि हमारा संविधान नहीं कहता है कि हमारे जजों की निजी आस्थाएं नहीं होनी चाहिए. हां, हमारे संविधान ने ऐसा नहीं कहा है लेकिन चंद्रचूड़ साहब बड़ी चतुराई से यह छिपा गए कि संविधान ने साफ शब्दों में कहा है कि आपकी निजी आस्थाओं की छाया भी आपके फैसलों पर नहीं पड़नी चाहिए. यह आसान नहीं है, तो जज बनाना इतना आसान कहां है ! जिस तरह सड़क पर चलता हर ऐरा-गैरा जज नहीं बन सकता, ठीक उसी तरह बड़ी शिक्षा पा कर या विदेशों से डिग्री ला कर या किसी पूर्व जज का परिजन होने से कोईं जज नहीं बन जाता. जज की कुर्सी पर बैठने से भी लोग जज नहीं बन जाते. यह योग्यता व पात्रता संविधान के साथ खड़े होने की आपकी हिम्मत से आती है. चंद्रचूड़ साहब याद करें तो उन्हें याद आएगा कि आपातकाल में उनके पिता समेट 5 जज थे जिनमें से 4 ने संविधान को रद्दी की टोकरी में फेंक कर, सरकार की खैरख्वाही की थी. भारतीय न्यायपालिका का मुंह उस दिन जो काला हुआ, वह दाग आज तक नहीं धुला है. चन्द्रचूड़ों ने उसे और भी कला कर दिया है. किसी सरकार के पक्ष या विपक्ष में फैसला देने की बात नहीं है, जो लिखा हुआ संविधान देश की जनता ने आपको सौंपा है, उसका पालन करने की बात है.

जूता चला यह बहुत बुरा हुआ. लेकिन यही जूता वरदान बन जाएगा यदि इसने हमारी न्यायपालिका को नींद से जगा दिया. जूता चलाने की असहिष्णुता जिसने समाज का स्वभाव बना दिया है, वह अपराधी पकड़ा जाए, इसके लिए सन्नद्ध व प्रतिबद्ध न्यायपालिका अपनी कमर सीधी कर खड़ी हो, तो जूते का क्या, वह फिर से पांव में पहुंच जाएगा. 

(08.10.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...226227228229...240250260...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved