Opinion Magazine
Number of visits: 9680528
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Diversity in Nation Building: Contributes or Hinders?

Ram Puniyani|English Bazaar Patrika - OPED|25 October 2020

There is news that in UK, Chancellor Rishi Sunak has unveiled (17/10/2020) 50 Pence 'Diversity coin’ to celebrate Britain’s diverse history and recognise the profound contribution minority communities have made to the shared history of the country. The coin carries the message “Diversity Built Britain”. This is in the backdrop of the campaign led by ‘We too built Britain’ group. The release of the coin is the beginning of the series which will honour the country’s ethnic minorities. There can be a detailed elaboration as to how different ethnic minorities have lived and made Britain their home. A significant number of these are from South Asia, including India.

The real import of this is the backdrop of the thesis of ‘Clash of civilizations’ by Samuel Huntington, as per which the present era is the one where after the collapse of socialist Soviet union, the clash is along the lines of civilizations. Different religions will be in conflict as per this thesis. "It is my hypothesis that the fundamental source of conflict in this new World will not be primarily ideological or primarily economic. The great divisions among humankind and the dominating source of conflict, will be that the cultural. Nation states will remain the most powerful actors in world Affairs, but the principal conflicts of global politics will occur between Nations and groups of different civilizations. The clash of civilizations will dominate global politics. The fault lines between civilizations will be the battle lines of the future."

This theory dominated the global scene particularly in the aftermath of 9/11 attack on World Trade Centre. Osama bin Laden called 9/11 jihad and George Bush launching the attack on Afghanistan used the word Crusade, while Tony Blair, the then UK PM, attributed ‘divine reasons’ for the attacks on the countries of West Asia.

This theory did provide an ideological cover for the attacks on different countries by US and allies. It was primarily driven by lust for control over oil resources. The ‘Clash theory’ provided cover for the violations done by American axis always out to control global resources, earlier in form of direct colonization and now as imperialist forces, influencing global economy with an eye on oil resources. At ideological level the best response to this thesis came from the then President of India, Dr K.R. Narayanan, who stated that ‘civilizations don’t clash, it is barbarisms which clash’.

The United Nation at that time was led by Kofi Annan, who was the General Secretary. He went on to appoint a high level international committee, cutting across different religions and nations to come up with an understanding of the world today and to recommend the measures to restore the amity of civilizations, cultures and people of the of the World. The report (Mid Nov2006) (http://www.unaoc.org/repository/report.htm) is a landmark in more ways than one.This committee came out with a brilliant document, ‘Alliance of Civilizations’.

There is not much awareness about this global study, which aptly describes the role of migrations, building of nations by diverse communities through alliances at multiple levels.

Talking of India, diversity has been the hall mark of this society from long. Christianity entered India, right in first century. Already different religious traditions, Jainism Buddhism were present here. Islam came in 7-8 Century from Malabar Coast through Arab traders and later many of those who were victims of Varna-Caste system embraced Islam through Sufi saints. The Muslim invaders coming from North West were more for reasons related to power and wealth. Buddhism had spread in various South East Asian countries. Indians also migrated to different parts of the World mostly for economic purpose, employment or greener pastures. UK has abundant number of them, Similarly America and Canada, now Australia has lot of migrants from India. Earlier many Indians did migrate to Caribbean’s, Mauritius, and Ceylon among other places.

The migrating communities have no monolithic approach in the countries of their migration. Most of them do maintain their nostalgia for the country of their origin, while relating to the societies of their migration in different ways. Today you will see a large numbers of Indians in West Asia, particularly in Gulf region. Here in India the sectarian elements uphold the Non Resident Indian’s nostalgia for India, they also look down upon minorities (Muslims and Christians) as foreigners. There is an infinite diversity within the Hindu fold itself. Indian culture has been a total mix of diverse sections of society, each contributing in their unique ways. All our Literature, Art, Architecture is a mix of contributions from multiple streams.

India’s diversity has been multi-factorial and at different layers. Different communities have been living and celebrating this diversity. Religious festivals have been one of the strong platforms for community interactions. In the area of religions Bhakti and Sufi traditions have upheld the diversity. While ‘melting pot model’ of cultural integration does apply partly, the main expression of diversity has been a ‘salad bowl’ model where different components are visible and still are thick part of the whole. Our literature for example not only mirrors the reality of society, it also tells us the diversity which has been prevailing here. We can learn this from so many literary giants and see this diversity of our culture. The same diversity formed the base of freedom movement of India, which gave space to each of these components of diversity.

In contrast to those who were part of national movement, the communal streams went for monolithic concepts, like ‘Urdu-Muslim-Pakistan’ and matching ‘Hindi-Hindu-Hindustan’. The leasers of freedom movement went on to uphold this diversity as a strength to coin phrases like ‘Unity in Diversity’. One of the paramount leaders of freedom Movement, Jawaharlal Nehru, went on to express the same as a celebration in his magnum opus, ‘Discovery of India’.

Today we do need to learn from the UK example where role of minorities is recognised, appreciated and upheld. One needs to give the similar acceptance for diversity, to pave the path of peace and progress.

Loading

પહેલો સગો પાડોશી

હરનિશ જાની|Opinion - Opinion|25 October 2020

અમે ન્યુયૉર્ક શહેરમાં ઘર ખરીદ્યું અને ઇન્ડિયન તરીકે સારી છાપ પડે એ હેતુથી, અમે અમારા ઘરની આજુબાજુનાં બે ઘરો અને રસ્તાની સામેનાં બે ઘરોના પાડોશીઓને વાઈન અને ચીઝ માટે આમંત્ર્યા. આપણાં ચા–પાણી જ સમજોને! મારી પત્ની હંસાએ સાથે મોળાં સમોસાં અને પાતરાં પણ રાખ્યાં. તમે માનશો એ ચાર ઘરોના માલિકો વરસોથી ત્યાં રહેતા હતાં; પણ એકમેકના ઘરમાં કદી ગયા નહોતા. તેમને એકમેક સાથે બહારથી જ ‘હાય–હેલો’નો સંબંધ હતો. અમે તેમને એકમેક સાથે બોલતા કર્યા. પરંતુ પાડોશી સાથે બોલવાની ટેવ તો અમદાવાદથી જ ચાલુ થઈ હતી. જ્યારે પાડોશીની વાતો નીકળે છે ત્યારે મને મારા પહેલા પાડોશીઓ અચૂક યાદ આવે છે.

સારા પાડોશી મળવા એ નસીબની વાત છે. સુખી જીવનનો આધાર પાડોશ પર છે. ભલેને લાફીંગ ક્લબમાં જાવ કે યોગના આસનો કરો; પરંતુ પાડોશી જો સારો નહીં હોય તો સુખી થવાના બધા પ્રયત્નો વ્યર્થ જવાના અને એ માનસિક ત્રાસ તમને તંદુરસ્ત નહીં જ થવા દે. બધાને સારા પાડોશી મળે એમ બનતું નથી. એ લગ્ન જેવી વાત છે. લગ્નમાં તો છૂટા થવાય; પરંતુ સસ્તા ભાડાનું ઘર કાંઈ રસ્તામાં નથી પડ્યું. આમ જોઈએ તો પાડોશી તો બધા સારા જ હોય છે. જેવા આપણે તેવા આપણા પાડોશી. પરંતુ એમ ન પણ બને, જો  તમારો પાડોશી, તમારો મકાનમાલિક હોય, તો પછી આવી બન્યું. આવી પરિસ્થિતિમાં તો એકલા તમારે જ તમારા પાડોશીને ખુશ રાખવાની કસરત કરવી પડે. જ્યારે પાડોશીઓ મકાનમાલિક અને ભાડૂતના સંબંધે જોડાય છે, ત્યારે ભાડૂતે બીચારાએ ‘પાડોશીધર્મ’ ભૂલી જઈને ‘ભાડૂતધર્મ’ પાળવાનો.

અમે નવા પરણેલાં હતાં ત્યારે અમદાવાદમાં મણિનગરની એક સોસાયટીમાં પહેલું ઘર માંડ્યું હતું. આ એ જમાનાની વાત છે કે જ્યારે ફ્લેટ બધા મુંબઈમાં હતા અને સોસાયટીઓ બધી અમદાવાદમાં હતી. એક રિટાયર્ડ કાકા અને કાકીના ઘરમાં અમે અમારું નવું ઘર માંડ્યું હતું. એમના બંગલાના પાછળના ભાગમાં એમના એક રૂમમાં અમે દિવસે ‘દીવાનખાનું’ બનાવતા અને તે જ દીવાનખાનાને રાતે અમારો ‘બેડરૂમ’ બનાવતા. કોઈ મહેમાન આવ્યા હોય તો તે નીચે જમીન પરની પથારીમાં સૂએ. એટલે અમારા પલંગ પરથી નીચે જોઈએ તો ‘ગેસ્ટરૂમ’ દેખાય. કાકાના ‘બાથરૂમ’માં, અમે અમારું ‘કિચન’ બનાવ્યું હતું. જ્યારે નહાવું હોય ત્યારે કિચનને, બાથરૂમમાં ફેરવી નાખતા.

હવે આ મગનકાકા અને શાંતાકાકી અમારાં પાડોશી. એ પાછા અમારાં મકાનમાલિક. અમારા આ પાડોશીનાં પરાક્રમ ઓછાં નહોતાં. એમના મકાનમાં રહેવા ગયાને પહેલે જ અઠવાડિયે મેં મારી મિલમાં કામ કરતા એક પેપર વેચતા છોકરા પ્રવીણ પાસે પેપર ચાલુ કરાવ્યું. વહેલી સવારે પ્રવીણ ‘ગુજરાત સમાચાર’ અમારી બારીમાંથી નાખી જાય. સાત વાગ્યે ચા સાથે પેપર વાંચીને હું મિલમાં નોકરી પર જાઉં. આમ થોડો વખત ચાલ્યું. તેમાં એક દિવસે બારીમાંથી પેપર ન પડ્યું. પરંતુ જ્યારે ઊઠીને બહારનું બારણું ખોલ્યું, ત્યારે જોયું તો પેપર ત્યાં પડ્યું હતું. ઉપર પાણીના છાંટા પણ હતા. તે દિવસે તો હશે, કહીને વાત પતાવી. બીજે દિવસે પણ પેપર ત્યાં મળ્યું. તે દિવસે મારે પ્રવીણને કહેવું પડ્યું કે, ‘ભાઈ, પેપર બારીમાંથી નાખ. આવું ચૂંથાયેલું છાપું ન લાવ.’ પ્રવીણ કહે કે, ‘એ તો તમારા મકાનમાલિકે મને કહ્યું છે કે મારે છાપું પહેલાં તેમને ઘેર નાખવું.’ ‘અલ્યા, છાપું મારું અને પાડોશી તને ઓર્ડર કરે?  છાપું તો મારે ત્યાં જ નાખવાનું.’

બીજે દિવસે છાપું બારીમાંથી મારા રૂમમાં પડ્યું. હું એનો આનંદ અનુભવું, તે પહેલાં તો આગલા બારણામાંથી કાકા પ્રવેશ્યા. સાથે હતો પ્રવીણ. હું મારું આશ્ચર્ય વ્યકત કરું તે પહેલાં કાકાએ ચાલુ કર્યું, ‘આ બે પૈસાનો પેપરવાળો, મારે ત્યાં પેપર નાખવાની ના પાડે છે. મેં એને સમજાવ્યું કે હરનિશભાઈ પછી વાંચશે. મને પેપર પહેલાં આપવાનું. કેમ મારી વાત ખરી કે નહીં?’

હવે આ પ્રશ્નના જવાબનો ડાયલોગ જ હું ભૂલી ગયો. કાકાએ મને હુકમ કર્યો : ‘કહી દો આ છોકરાને, કે દલીલો કર્યા સિવાય પેપર મારે ત્યાં નાખે.”

મને ન ગમતું કામ મારી પાસે કાકાએ કરાવ્યું. પ્રવીણ મારી સામે દયા ભાવનાથી જોતો હતો અને દૂર ખૂણામાં પત્નીના મોઢા પર હાસ્ય હતું. પાછળથી મને ખબર પડી કે કાકા ટૉયલેટમાં મારું પેપર વાંચતાં ત્યારે તેમને ખુલાસો થતો. હવે મને પેપર પરના પાણીના છાંટાનું રહસ્ય પણ સમજાયું. થોડો વખત ગાડું બરાબર ચાલ્યું.

એક દિવસે સવારના પહોરમાં મેં બારણાં પાસે ‘ગુજરાત સમાચાર’ને બદલે ‘સંદેશ’ પેપર જોયું. આશ્ચર્ય તો થયું! પરંતુ ચલાવી લીધું. બીજે દિવસે પણ એ જ દશા. તે દિવસે મિલમાં પ્રવીણને મારે પૂછવું પડ્યું કે, ‘ગુજરાત સમાચારનું શું થયું?’

જવાબ મળ્યો. ‘કાકાને એ નથી ગમતું.’ તે દિવસે કાકા જ મારી પાસે આવ્યા. બોલ્યા કે,  ‘તમે બહારગામના, તમને પેપરમાં બહુ સમજ ન પડે. મારું માનો ‘સંદેશ’ રાખો. ‘સંદેશ’ વાંચો. તમને ટેવ પડી જશે.’ કહેવાનું મન તો થયું કે, પાડવી હોય તો કોઈ પણ ટેવ પડે. પણ ન બોલાયું. હવે કાકાની કૃપાથી, હું ‘સંદેશ’ વાંચતો થઈ ગયો.

વાત આટલેથી નહોતી અટકી. અમારી પાસે રેડિયો હતો. અમારા ઘરમાં વાગે તે એમના ઘરમાં સંભળાય. કારણ કે અમારું ‘ઘર’ એટલે એમનો બીજો ‘રૂમ’ હતો. કાકાએ એમના ઘરમાંથી બેઠા બેઠા ફરમાન કર્યું, ‘આ શું? આખો દિવસ સિનેમાના ગાયનો સાંભળો છો! અમદાવાદ– વડોદરા સ્ટેશન પર હસમુખ બારાડીના ન્યુઝ લો.’ ‘ના’ પાડવાની મારી હિંમત નહોતી. ઓછા ભાડાનાં ઘર મળવાં મુશ્કેલ હતાં. પછીથી કાકાના ન્યુઝના સમય પણ મેં સાચવવા માંડ્યા.

હવે આ ન્યુઝની મુસીબત એ હતી કે એ સાંભળવા કાકા અમારા ઘરમાં જ બેસી પડતા. અમારે બે હાથ જોડીને કહેવું પડતું કે અમે નવાં પરણેલાં છીએ. માબાપથી દૂર છીએ. અમારે ‘ભાડૂતી ઘર’ સાથે ‘ભાડૂતી માબાપ’ નથી જોઈતાં.

એક રવિવારે સવારના પહોરમાં કાકા આવ્યા. મને લાગ્યું કે જરૂર રેડિયો સાંભળવા આવ્યા છે. એમણે જ શરૂઆત કરી :

‘આજે શું કરો છો?’

મેં પાણી પહેલાં પાળ બાંધવા માંડી : ‘ઓહ, આજે અમે બહાર જઈએ છીએ.’

‘તો તો બહુ સારું. મારે તો રેડિયો સાંભળવો છે.’

હું કાંઈ બોલું તે પહેલાં કહે, ‘તમે રેડિયો લઈને થોડા જવાના છો? તમે મોટેથી મૂકી દેજો. હું આગલા રૂમમાં સાંભળીશ.’ હવે આ પાડોશીને તે કેમ પહોંચી વળાય?

બીજા પાડોશી તે પાછળના બંગલા માલિક એક કાકી અને તેમની વહુ. ઘરના પુરુષોની તો હાજરી પણ ન દેખાતી. બીચારાં નિરુપદ્રવી હતાં. કાકીને અમે બે વરસમાં ક્યાં ય જતાં નથી જોયાં. આખો દિવસ તેમના બંગલાની પાળી પાસે ઊભા રહીને પીળા દાંત પર છીંકણી ઘસ્યાં કરે અને છીંકણી ન ઘસતાં હોય તોય દાંત પીળા જ લાગે. કહેવાની જરૂર નથી કે છીંકણી ઘસતાં ઘસતાં થુંક્યા કરે. તેટલું ઓછું હોય તેમ છીંકણી ઘસતાં ઘસતાં આપણી સાથે વાતો ચાલુ કરી દેશે. તમારે સાંભળવી હોય કે નહીં. તે અગત્યનું નહોતું.

આ કાકી અમારાં માથાંની દવા હતાં. અમારે કૂતરાની જરૂર નહોતી પડી. અમારે પોપટની જરૂર નથી પડી. અમારા બારણાંથી તેમની પાળી માંડ દશ ફૂટ દૂર હતી. અમે સાંજે બારણું બંધ કરતાં હોય તો પહેલું પૂછે, ‘કેમ, બહાર જાઓ છો?’ આ સવાલ પાછળ એમનો ઉદ્દેશ તો એ હોય કે, તમે ક્યાં જાવ છો? આપણે કહીએ કે, ‘હા, જરા બહાર જઈએ છીએ.’ તો બીજો સવાલ એ આવે કે, ‘સિનેમા જોવા જતા હશો?’ આપણે કહીએ કે, ‘એક જગાએ જઈએ છીએ.’ તો પાછી ઇન્કવાયરી આવે કે, ‘સાસરે જતા હશો.’ તેમને ખબર હતી કે મારું સાસરું અમદાવાદમાં જ હતું. જો આપણે કહીએ કે સિનેમા જોવા જઈએ છીએ તો પછી જાણવા માંગશે કે, ‘કઈ ફિલ્મ જોવા જાવ છો?’

આમ ઓછું હોય તેમ એ સાસુ–વહુ અમારે ત્યાં આવતા–જતાની દેખભાળ રાખે. અમારા મહેમાનને હું આવજો કહેવા બહાર નીકળું અને મહેમાન માંડ પાંચ ડગલાં દૂર જાય કે તો તુરત જ સવાલ આવે કે, ‘તમારાં ભાઈ–ભાભી હતાં?’ આ તો આપણે હેન્ડલ કરી શકીએ. પરંતુ જ્યારે પત્ની ઘેર ન હોય અને કોઈ અમારે ઘેર આવ્યું હોય એનો રિર્પોટ એ માજી મારાં પત્નીને આપે એવો રિપોર્ટ તો કોઈ ‘રાજકારણી’ પણ ન આપી શકે.

‘પેલાં નિશાબહેનનો સ્વભાવ બહુ માયાળુ.”

‘કોણ નિશાબહેન?” પત્ની પૂછશે.

‘પેલાં, ગઈકાલે તમારે ઘરે આવ્યાં હતાં તે.”

‘ઓહ, ગઈ કાલે નિશા મારે ત્યાં આવી હતી?’

‘હા, જ્યારે તમે નહોતાં ત્યારે.’

‘હશે કાંઈ કામ, હરનિશ મને પછી કહેશે.’

હવે આ ડાયલોગ હું અંદરથી સાંભળતો હોઉં. એટલે મારે માજીને કહેવું પડે કે, ‘જ્યારે નિશા અને એનો પતિ હવે પછી અમારે ઘેર આવશે તો તમને પણ ચા પીવા બોલાવીશ.’ આ બધાંનું મૂળ જ ‘બે આંખોનું મિલન’ છે. બહાર જતી વખતે મને ખબર હોય કે કાકી બહાર ઊભાં છે, તો તેમને અવગણીને પત્ની અને હું ખોટી ખોટી ગુસપુસ ચાલુ રાખીને, એમના તરફ જોયા સિવાય નીકળી જઈએ. જેથી ઇન્ક્વાયરીમાંથી બચી જવાય.

નજરની વાત કરીએ તો જગતમાં ‘દરેક વાતની મ્હોંકાણ જ નજર’ છે. નજરની ભાષામાં જ પ્રેમ થયા છે અને પાણીપત પણ થયાં છે.

અતુલ પ્રોડક્ટ્સ(વલસાડ)માં કામ કરતો હતો ત્યારે હું બેચલર હતો. મારા પાડોશી ગુણવંત દેસાઈ. માણસ બહુ મીઠ્ઠા, નિરુપદ્રવી. પરંતુ એ નોકરી પરથી આવતા હોય અને મારા ખુલ્લાં બારણાંમાંથી, મને અંદર ખુરશી પર બેઠેલો જૂએ અને અમારાં નયનો મળે, કે પોતાના ઘરમાં ન જતાં; સીધા મારા ઘરમાં ઘૂસી જાય. પછી કલાક બે કલાક ઇંદિરા ગાંધી અને મોરારજી દેસાઈના પોલિટિક્સની વાત ઉપાડે. અને બે કલાક પછી જમીને જાય. મારે ત્યાં મારો નોકર અંબુ રાંધતો. એમની બેબી બીચારી, બેચાર વાર બોલાવવા આવે. એમને પત્ની નહોતી. મા હતાં. ગુણવંતભાઈએ મારા પર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો એ કે, એમને લીધે હું પોલિટિક્સને ધીક્કારતો થઈ ગયો. આમ, જીવનના કેટલા ય કલાકો નિરર્થક ચર્ચાઓમાંથી બચી ગયા, જે મેં ટેનિસ રમવામાં વાપર્યા. જો ગુણવંતભાઈ આવતા હોય અને એમને પહેલાં જો હું જોઈ જઉં, તો હાથમાં ન્યુઝ પેપર લઈને, ખોલીને, તેમાં મોં છુપાવી દઉં અને અંદરથી જોઉં તો ગુણવંતભાઈ મારા ઘર તરફ પાસે આવી, ઘર તરફ જોઈ સ્હેજ ઊભા રહે અને મારા તરફથી કાંઈ રિસ્પોન્સ ન મળતા ચાલ્યા જાય. પણ આ કાંઈ ઝાઝું ન ચાલ્યું. ગુણવંતભાઈને મારી વિકનેસ ખબર હતી. બપોરે હું નોકરી પર જાઉં, ત્યારે એક કૂતરું ઓટલા પર ચઢી આવે અને ઓટલા પર જ સૂઈ જાય. સાંજે આવું તો એ કૂતરાને પણ માનથી નીચે ઉતરવાનું કહેતો. ગુણવંતભાઈએ મને તેમ કરતાં જોયો હતો. હવે હું મારા પેપરમાંથી માથું ન કાઢું તો ય, ગુણવંતભાઈ સીધા મારા ઘરમાં ધસી આવે.

‘તમારાં ઇંદિરાજી, હવે કાકાને જંપવા દે તો સારું’થી ચાલુ કરી દે. ગુણવંતભાઈ મોરારજીની નાતના હતા. નસીબ જોગે હું ઇંદિરા ગાંધીની નાતનો નહોતો. નહીં તો અમારા મતભેદ રાજકીય બનવાને બદલે સામાજિક બનત. ગુણવંતભાઈ ઘરમાં ભલે ધસી આવે; પરંતુ એમના તરફ ન જોઉં. એમને અવગણું. તોયે એમનું બોલવાનું ચાલુ રાખે. મારી ધીરજની પરીક્ષા કરે. કલાક અડધા કલાકે હું બોલું કે, ‘ઓહ, તમે આવ્યા  છો?’ ઘણી વખતે હું કહું કે, ‘ગુણવંતભાઈ, તમારું ઘર બાજુમાં છે. અહીં નથી.’ આ રોજની રામાયણ થઈ ગઈ. કારણ એક જ હતું કે, અમારા બન્નેના ઘરમાં ‘સ્ત્રી’ નહોતી. એમનાં મા હતાં. પણ મા સ્ત્રી ન ગણાય.

મારા ઘરની બરાબર સામે ગોવિંદભાઈ કોંટ્રાક્ટર રહે. અને ગોવિંદભાઈને મારી દશા પર હસવું આવતું. એ મારો અને ગુણવંતભાઈનો ખેલ જુએ. મારી મશ્કરી કરે, ‘જાની, ગુણવંતભાઈ આવતા દેખાય છે. પેપર વાંચવા માંડો.’ હવે ઘણી વખતે ગુણવંતભાઈની સાથે સાથે ગોવિંદભાઈ પણ ઘરમાં ઘૂસી આવે. ગોવિંદભાઈને ‘દેશ’ના પોલિટિક્સ કરતાં ‘કંપની’ના પોલિટિક્સમાં રસ. ‘કેમ જાની, તમારી લૅબમાં તમારા બોસ, ભટ્ટ સાહેબ શું કરે છે? સાંભળ્યું છે કે કંપની તેમને અમેરિકા મોકલવાની છે?’ એ એમની વાત પૂરી કરે તે પહેલાં ગુણવંતભાઈ બોલે કે, ‘ભટ્ટને મારો ગોલી, મોરારજીકાકા વડાપ્રધાન બનવા જોઈએ.’ આમાં એક ખાનગી વાત એ હતી કે ગોવિંદભાઈને પીવાની આદત હતી. ગુણવંતભાઈને અને મને એ સમજાતું નહોતું કે નાનકડી ‘અતુલ કૉલોનીમાં એમને દારુ ક્યાંથી મળતો હશે!’ જે હોય તે; પણ ગોવિંદભાઈ કાયમ ‘રાજાપાઠ’માં આવી જાય. એટલે ગુણવંતભાઈ એમની સાથે કદી દલીલ ન કરે. તેમાં રાતે તો હું પણ તેમને છંછેડતો નહીં. ગોવિંદભાઈ, પોતાની પત્ની સાથે, આ પીવાની ટેવને કારણે કાયમ ઝઘડતા હોય અને ઘણી વખતે એ ઝઘડી, ઘર  છોડીને નીકળી જતા અને સીધા આવતા મારે ત્યાં. એમની હાલત, એટલી ખરાબ હોય કે સીધું ચલાય પણ નહીં. એ હાલતમાં ચાર કદમ દૂર મારું ઘર નજીક પડતું. સીધા મારા ઘરમાં ઘૂસી આવતા. જેવા ગોવિંદભાઈ મારા ઘરમાં આવે કે ગુણવંતભાઈ પણ ખેલ જોવા પાછળ આવી ચઢે. હવે માણસને જો ચઢી હોય તો ક્યાં તો તે હસે અથવા તો રડે. જો હસે તો ગાયનો ગાવા બેસી જાય અને જો રડે તો તે ફિલોસોફર બની જાય, પોતાની જાતને ધિક્કારે, પત્નીને ધિક્કારે. તે કાળે સામે જે કોઈ બેઠું હોય તો તે એનો મિત્ર બની જાય. તો તેને પોતે ‘હવેથી નહીં પીએ’ એવું વચન આપે. કહેવાય છે કે પીધેલો માણસ હંમેશાં સાચું જ બોલે. જે દિલમાં હોય તે તેની જીભ પર આવી જ જાય. તેમ છતાં  ગોવિંદભાઈના વચનનું, નશો ઉતરતામાં, બાષ્પીભવન થઈ જતું.

અમારો આ શિરસ્તો ચાર વરસ સુધી ચાલ્યો. આ બધાંનું કારણ સ્ત્રી હતી. ગુણવંતભાઈને સ્ત્રી નહોતી, એટલે સમય મારે ત્યાં ગાળતા. ગોવિંદભાઈને ત્યાં સ્ત્રી હતી, તેથી તે સમય મારે ઘેર ગાળતા હતા અને મારા ઘરમાં સ્ત્રી નહોતી એટલે આ બંધુઓ સાથે હું સમય ગાળતો. પાડોશીની વાત જવા દો. પરમાત્માને ભૂલી જાવ. ધ્યાનથી વિચારશો તો લાગશે કે જગત આખાનું નિયંત્રણ સ્ત્રી કરે છે.

•••••••

લંડનસ્થિત વિપુલ કલ્યાણી તે કાળે લંડનથી ‘ઓપિનિયન’ નામનું ગુજરાતી માસિક  પ્રકાશિત કરતા. તે ‘ઓપિનિયન’ના 5મી એપ્રિલ, 2008ના અંકમાં છપાયેલો આ લેખ, સ્વર્ગસ્થ હરનિશ જાનીના અને વિપુલ કલ્યાણીના સૌજન્યથી …  ..ઉ.મ..

(2009માં પ્રકાશિત થયેલા એમના બીજા હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુશીલા’માં આ જ લેખ, ‘મેરે સામનેવાલી ખીડકી મેં ..’ શીર્ષક હેઠળ છપાયો છે.  ..ઉ.મ..)

લેખક હવે સદેહે આપણી વચ્ચે નથી; પણ તેઓ વિપુલ હાસ્યસાહિત્ય સર્જી ગુજરાતી હાસ્યજગતને સમૃદ્ધ કરી ગયા છે.

હાલ સમ્પર્ક : હંસા જાની – 4 Pleasant Drive, YARDVILLE, NJ 08620, U.S.A.

અને છેલ્લી વાત :

એમનો પહેલો હાસ્યવાર્તા સંગ્રહ, ‘સુધન’, હવે ‘ઈ.બુક’ સ્વરૂપે, તમે મફત ડાઉનલોડ કરી તેમનું નિર્મળ હાસ્ય માણી શકો છો. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી ડાઉનલોડ કરો :

https://www.gujaratilexicon.com/ebooks/humour/sudhan/

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 464 – October 25, 2020

Loading

વ્રજભાષા પાઠશાળા – વિદ્યાસંકુલ, ભુજ

કીર્તિ ખત્રી, કીર્તિ ખત્રી|Opinion - Opinion|24 October 2020

ગુજરાતી નહીં, કદાચ કચ્છીઓને પણ ખબર નહીં હોય કે અઢીસો વર્ષ પહેલાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વ્રજભાષા પાઠશાળા નામે એક વિદ્યાસંકુલ ભુજમાં હતું અને તેમાં કવિ બનવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને પિંગળ શાસ્ત્રનું વિધિસરનું શિક્ષણ નિષ્ણાતો દ્વારા અપાતું. એ જમાનામાં જેમ સંસ્કૃત માટે કાશી પ્રખ્યાત હતું તેમ કવિતા માટે કચ્છ જાણીતું હતું. આજ સુધીના ઇતિહાસમાં ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વભરમાં આ પ્રકારની એકમાત્ર કાવ્ય શાળા હતી. તેમાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ હતો અને તેના આધાર પર રાજાશાહી યુગમાં 'રાજકવિ'ની નિમણૂકો થતી. ગુજરાતના કવીશ્વર દલપતરામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કવિ બ્રહ્માનંદ સ્વામી સહિતના સંખ્યાબંધ કવિઓ અહીં કાવ્યશાસ્ત્ર પાઠ શીખ્યા હતા. આઝાદી પછી બંધ થયેલી આ પાઠશાળા અંગે 90ના દાયકામાં હિન્દીના પ્રાધ્યાપિકા નિર્મળા આસનાણીએ શોધનિબંધ લખીને ડોક્ટરેટની પદવી મેળવી હતી. ૧૯૯૬માં પુસ્તક રૂપે પ્રગટ થયા પછી ભાવનગર યુનિવર્સિટીએ તેને અભ્યાસક્રમ સુધ્ધામાં સ્થાન આપ્યું હતું.

આ મહાનિબંધ ઉપરાંત આ પાઠશાળાના છેલ્લા શિક્ષક રાજકવિ શંભુ દાનજી આયાચી અને અન્ય લોકસાહિત્યકારોએ લખેલા લેખોની માહિતીનું સંકલન કરીને ટૂંકમાં એના ઇતિહાસ પર નજર કરીએ તો 18મી સદીમાં વ્રજભાષા કેવળ વ્રજની જ બોલી ન રહેતાં વિશાળ ભૂખંડની કાવ્યભાષા બની ગઈ હતી. તેમાં રહેલા માધુર્યના સહજ ગુણને લીધે લોકોમાં એણે પોતાનું સ્થાન જમાવી લીધુ હતું. એ અરસામાં જ મહારાવ લખપતજી કચ્છની રાજગાદી પર આવ્યા. તેઓ જાતે કલા સાહિત્ય પ્રેમી અને સર્જક હતા. તેમણે છંદશાસ્ત્ર રસશાસ્ત્ર તથા પિંગળનો અભ્યાસ કર્યો હતો એટલે એમના દરબારમાં કોઈ વિખ્યાત રાજકવિઓ અને વિદ્યાગુરુઓ આવતા તે સૌ બહુમાન મેળવતા.

આવા જ એક પિંગળશાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય પૂજ્ય કનક કુશલજી મહારાવને કવિતાનો શોખ છે એ જાણીને ભુજ દરબારમાં આવ્યા. મહારાવને કવિતાથી પ્રસન્ન કર્યા તો લખપતિજીએ 'ભટાર્ક' પદવીથી નવાજ્યા. એ જ વખતે મહારાવે વ્રજભાષા પાઠશાળા ભુજમાં શરૂ કરવાની દરખાસ્ત કરી અને તેના આચાર્ય તરીકે કાર્યભાર સંભાળી લેવા પૂજ્ય કનકકૌશલજી મહારાજને વિનંતી કરી. કવિતા શાળાના આચાર્યની આજીવિકા માટે ભુજથી પાંચ ગાઉ દૂર આવેલું રેહા નામનું ગામ બક્ષીસમાં આપ્યું. આ ગામની આવકમાંથી પાઠશાળાનો નિભાવ ખર્ચ પણ મળી જાય એવી ગોઠવણ થઈ.

આમ ભુજના એક વિશાળ ભવનમાં કાવ્યપાઠશાળા શરૂ થઈ. શરૂઆતમાં તે નાની પોશાળ તરીકે ઓળખાતી. ઇતિહાસ અનુસાર લગભગ સવાસો વર્ષ સુધી જૈનાચાર્યના સંચાલન હેઠળ પાઠશાળા સારી પેઠે ચાલી. તે પછી જૈનેતર આચાર્યો આવ્યા. આ ફેરફાર સાથે પાઠશાળાનું ભવન પણ બદલાયું. ભુજમાં આશાપુરા મંદિરની પાસે બે માળના મકાનમાં શાળાનું સ્થળાંતર થયું. મહારાવ લખપતજીએ શરૂઆતથી જ કાઠિયાવાડ, રાજસ્થાન તેમ જ અન્ય હિન્દીભાષી પ્રદેશોમાં વસતા કવિ હૃદય(ભાટ ચારણો)ને ભુજ આવીને કાવ્યશાસ્ત્રની દિક્ષા પ્રાપ્ત કરવા ઈજન આપ્યું. દેશભરમાંથી એનો પ્રતિભાવ સાંપડ્યો. કવિ બનવાની ઈચ્છા સાથે આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ તેમ જ રહેવા-જમવા સહિતનો તમામ ખર્ચ કચ્છ રાજ્ય ભોગવતું. પાઠશાળામાં ઉચ્ચ કોટિનું સાહિત્ય ભણાવવામાં આવતું. હિન્દી સાહિત્યની તમામ પરંપરાઓ અને સ્વરૂપનો અભ્યાસ વિદ્યાર્થી કરતા. કાવ્યરચનાના દશે-દશ પાસા એટલે કે રસ, છંદ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાયિકાભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ અને શબ્દશક્તિનો ગંભીરતાથી અભ્યાસ કરાવાતો. બીજા અર્થમાં કહીએ તો હિન્દી કાવ્ય સાહિત્યના ઉત્કર્ષમાં પણ કચ્છની પાઠ શાળા એ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

આ પાઠશાળાના માધ્યમથી રાજકવિ બનેલા ૩૫૦ જેટલાના તો નામ સુધ્ધાં ડોક્ટર આસનાણીએ મેળવ્યા હતાં. જે મુજબ કવિપદ પ્રાપ્ત કરનાર કવિઓએ ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના નાના-મોટા રજવાડાઓમાં રાજકવિનું બહુમાન મેળવવાની સાથે સાથે યશ અને ધનપ્રાપ્તિ પણ કરી હતી.

1948માં આ અજોડ પાઠશાળા બંધ કરી દેવાઇ. આઝાદી પછી કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો ત્યારે તેને ભાટચારણોના રાજાશાહી શોખની પાઠશાળા માનીને બંધ કરી દેવાઇ. આ પગલાંનો વિરોધ થયો પણ કંઈ વળ્યું નહીં. કાગળો અને દફ્તરો સળગાવી દેવાયા અને 2001ના ભૂકંપ પછી મકાનનુંયે નામનિશાન રહ્યું નથી.

છેલ્લા આચાર્ય શંભુદાનજી ગઢવી(ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાનજીના પિતા)ની જન્મ શતાબ્દી ૨૦૧૦માં ઉજવાઇ ત્યારે ભુજમાં એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજર રહ્યા હતા. એ વખતે વ્રજભાષા પાઠશાળાને પુનઃજીવિત કરવાનો અનુરોધ જુદા જુદા વક્તાઓ દ્વારા થયો. આખરે ચર્ચા વિચારણાને અંતે 2012માં સરકારની ૨૫ લાખની ગ્રાન્ટ સહાયને સહારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'ઝવેરચંદ મેઘાણી લોકકલા સાહિત્ય કેન્દ્ર'નું મોરારિબાપુના હસ્તે ઉદ્દઘાટન થયું. યુનિવર્સિટીનું કેન્દ્ર ભુજ જેવી કાર્યશાળા નથી. હા, લોકસાહિત્ય અને ચારણીસાહિત્યને પ્રોત્સાહન મળે એ પ્રકારની પ્રવૃત્તિઓ જરૂર કરી છે. સાચું પૂછો તો આજે વ્રજભાષા પાઠશાળા જેવી સંસ્થા કવિઓને આર્થિક ક્ષેત્રે શું અપાવી શકે એ એક મોટો પ્રશ્ન છે. રાજાશાહીના જમાનામાં રાજકવિઓને માન ચાંદ અને ધન પણ મળતું. આજે કવિની પદવી મળ્યા પછી શું?

પ્રગટ : “દિવ્ય ભાસ્કર” દૈનિક, અમદાવાદ.

Loading

...102030...2,1512,1522,1532,154...2,1602,1702,180...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved