છંદવિધાનઃ હઝજઃ૨૮ માત્રા
નજર ને આંખની સાથે જુગલબંધી કરી છે મેં.
ખરેલાં પાનની સાથે જુગલબંધી કરી છે મેં.
નિયમ કેવો છે નૈસર્ગિક, પ્રથમ પીડા, પછી સર્જન!
વિરોધાભાસની સાથે જુગલબંધી કરી છે મેં.
નજીક રાખ્યા હતાં દિલની, થયાં અળગાં તમે જાતે,
તો ખાલી જામની સાથે જુગલબંધી કરી છે મેં.
નહિ તો આ રમકડાં સ્ક્રીનનાં ક્યારે હતાં પ્યારાં?
સમયની ચાલની સાથે જુગલબંધી કરી છે મેં.
હતી ઈચ્છા મળીને રૂબરૂ વાતોને વાગોળું.
પરાણે ‘ઝૂમ’ની સાથે જુગલબંધી કરી છે મેં.
e.mail : ddhruva1948@yahoo.com
![]()


દિશા રવિની ધરપકડના સમાચાર આવ્યા ત્યારે એક મિત્રે આ સવાલો પૂછેલા. ભારતભરમાં ઘણાં ઘરોમાં આ સવાલો પુછાયા હશે. પ્રથમ નજરે બૅંગાલુરુની આ યુવાન મહિલાની મનસ્વી ધરપકડ કરી પોલિસ કસ્ટડીમાં લેવી એ તર્ક, વિચારશક્તિ અને સામાન્ય બુદ્ધિની પકડ બહાર લાગતું હતું. કાયદા અને લોકતાંત્રિક સંવિધાન મુજબ ચાલતા કોઈ રાષ્ટ્રએ આવું વર્તન કરવું જોઈએ નહીં. પરંતુ ભારત રાષ્ટ્રએ આમ કર્યું. શા માટે?
આ સાલે 16 ફેબ્રુઆરી એણે વિદાય લીધી.

