Opinion Magazine
Number of visits: 9573174
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાર્શનિક ચિંતન પ્રણાલીઓઃ આધ્યાત્મવાદી અને પાર્થિવવાદી

જયંતી પટેલ|Opinion - Opinion|4 December 2020

આ વિશ્વના ઉદ્ભવ, વિકાસ, સંચાલન, જીવો અને માનવીનું સર્જન, તેમના અસ્તિત્વનું કારણ અને હેતુ વિષે માનવીનું કુતૂહલ સ્વાભાવિક હતું. આ પ્રશ્નો વિષે તે કલ્પના કરતો, વિચારતો, વિવાદ કરતો સંશોધન કરતો અને પ્રાપ્ત જ્ઞાનના આધારે તર્ક કરતો, વિવેચન કરતો તારણ કાઢતો તથા તેમાં સુધારા-વધારા કરતો રહ્યો છે. પ્રાથમિક અવસ્થાના સમયથી બુદ્ધિસંપન્ન માનવી એટલું તો સમજી ચુક્યો હતો કે દરેક ઘટના પાછળ તેના કર્તારૂપ કારણ હોય છે. પરિણામે, વિશ્વના સર્જનથી માંડી તેની આસપાસની ઘટનાઓ માટે તે કર્તા કે કારણ વિષે કલ્પના કરતો કે વાસ્તવિક કારણ ખોજતો રહ્યો છે.

બુદ્ધિ સાથે સંકળાયેલા તર્ક અને તેના ફલસ્વરૂપ વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી કરી તારણ પર આવવાની તથા વધુ જ્ઞાન મળતાં તેમાં સુધારા-વધારા કરતા જવાની તેની કાર્યપદ્ધતિના કારણે દાર્શનિક ચિંતન અને તેની પ્રણાલીઓ, તેમના સંયોજન અને સમજની ક્ષિતિજોનું વિસ્તરણ અને પરિશુદ્ધિ થતાં રહ્યાં છે. પ્રારંભિક અવસ્થાના કોરા કલ્પનાવિહારથી આગળ વધી તે રેશનલ ઢબે, વૈજ્ઞાનિક પદ્ધતિના સહારે, નિષ્કર્ષ પર  આવવા લાગ્યો છે. દાર્શનિક ચિંતન પ્રણાલીના આ બે પ્રવાહો, કલ્પના આધારિત (સ્પેક્યુલેટિવ, આધ્યાત્મિક), અને રેશનલ-વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ), વચ્ચેના વિવાદની ખાઈ ધીરેધીરે ઘટવા લાગી છે અને, વિશ્વસનીયતાની દૃષ્ટિએ, રેશનલ-વૈજ્ઞાનિક (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ) પ્રવાહનું મહત્ત્વ સ્વીકાર પામવા લાગ્યું છે.

માનવીનું જ્યાં જ્યાં અવતરણ થયું હતું ત્યાં બધે માનવી ઉપરોક્ત પ્રશ્નો વિષે વિચારતો હતો. પરંતુ, ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો વ્યવસ્થિત દાર્શનિક ચિંતન પ્રણાલીના પ્રારંભનો યશ ભારત, ચીન, ગ્રીકના ચિંતકોને ફાળે જાય છે. આ પ્રદેશોના વિવિધ ચિંતકો અને તેમના વૈવિધ્યપૂર્ણ ચિંતને આપણા વૈચારિક વારસાની ઈમારતનો પાયો નાંખ્યો છે. તેમનાં ચિંતનમાં પણ આ બંને પ્રવાહોના અંશો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવે છે (દા.ત. ચાર્વાક, ભારતની સાંખ્યાદિ પ્રણાલી, એપિક્યુરિયસ, કન્ફ્યુસિયસ વગેરેમાં ભૌતિકવાદ-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ). અલબત્ત, આવા અપવાદોને બાદ કરતાં, આ સમયગાળાનું ચિંતન મહદંશે કલ્પનાપ્રધાન-સ્પેક્યુલેટિવ-ઈશ્વરવાદી-પરલોકવાદી, આધ્યાત્મવાદી કહી શકાય તેવું હતું.

આધ્યત્મવાદઃ

આધ્યાત્મવાદી પ્રણાલીમાં, વિશ્વના સર્જન તથા સંચાલક તરીકે કોઈ વ્યક્તિ કે માનવેતર શક્તિ અને તેની ઈચ્છા, મૃત્યુ પછીના જીવન, પરલોકવાદ જેવી બાબતો હોવાથી ઈશ્વરનો ખ્યાલ, તેની પાઠપૂજા કે ભક્તિ દ્વારા લાભની હિમાયત કરતા અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મસ્થાનો અને તેના સંચાલકો (પૂજારી, બાવા, સાધુ, સંત, ધર્મગુરુ, મૌલવી, પાદરી ઇત્યાદિ.) સર્જાયા, પરલોકમાં સુખ-સગવડોની પ્રાપ્તિના નામે સ્વર્ગ, જન્નત, મોક્ષ, નિર્વાણ તથા તે પામવા માટેનાં વિધિ-વિધાનો અને માર્ગદર્શકોની માયાજાળ રચાઈ. આ જગતને મિથ્યા, ક્ષણિક, ગણી તેમાં માનવીને સુખ શોધવા કે પામવાને બદલે પરલોકનાં મૃગજળ પાછળ જવા પ્રેરવામાં આવ્યો અને, આ જગતમાં પ્રવર્તતા અન્યાય, દરિદ્રતા, શોષણ, ભેદભાવ, તકલીફોની નાબૂદી માટે મથવાને બદલે, ઈશ્વર, તેની ઈચ્છા, પરલોકમાં કે આગળના જન્મમાં તેનાં ફળ મળવાની ભ્રામક વાતો, દ્વારા પલાયનવાદી વલણને પોષવામાં આવ્યું. (એ લક્ષમાં રાખવા જેવું છે કે, બૌદ્ધ, જૈન જેવા નિરીશ્વરવાદી ધર્મોમાં પણ, અવતારવાદ, પાઠપૂજા, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, પરલોક, કર્મનો સિદ્ધાત, તથા આ જગતને મિથ્યા ગણવાની માન્યતા વગેરેનું ચલણ છે.).

તદુપરાંત, અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, તેમનાં વિધિ-વિધોનો, ગ્રંથો, તેનું અર્થઘટન કરનારા સંતો, સમર્થકો પેદા થયા. તેઓ પોતાનો ધર્મ જ સાચો છે અને અન્ય ધર્મીઓ ગેરમાર્ગે છે, તેમણે આમારો ધર્મ સ્વીકારવો જોઈએ અથવા તેમનો નાશ કરવો જોઈએ, તેવા આગ્રહો પણ વ્યક્ત થવા લાગ્યા. આ પ્રકારની ધર્માંધતા તથા ધર્મઝનૂનથી પ્રેરાયોલા જૂથોએ પોતાના ધર્મના ફેલાવા માટે બળપ્રયોગનો પણ સહારો લીધો અને ધર્મ સાથે ભૂમિવિસ્તારની લાલસા અને રાજસત્તાના પ્રસારનું ગઠબંધન થયું. ધર્માંધતા વધી અને અન્ય ધર્મ કે માન્યતા ધરાવનારાની હત્યા, તેમની સંપત્તિની લૂંટફાટ, સ્ત્રીઓ-બાળકોનું અપહરણ, જેવા અત્યાચારોનો સિલસિલો વ્યાપક બન્યો. અન્ય વાણી, વિચાર, માન્યતા કે મંતવ્યની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઝુંટવાઈ ગઈ.

પાર્થિવવાદી પરિવર્તનઃ

અનેક ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, ધાર્મિક ઝનૂનના પ્રભાવ, ઈશ્વર અને પરલોકવાદના ખ્યાલોથી માનવીનું વિચારજગત અને વ્યવહારો ગ્રસ્ત જણાતા હતા. આમ છતાં, માનવીના મગજને વિચારો કરતાં, તર્ક કરતાં, પ્રશ્નો કરતાં, સત્યની ખોજ કરતાં, હકીકતની ચકાસણી કરતાં રોકી શકાતું નથી.

ઉપરાંત, રેશનલ વિચારણા અને પાર્થિવવાદી વિચારધારાનો પ્રવાહ સાવ લુપ્ત થયો ન હતો. ગ્રીક અને ભારતીય ચિંતનની પાર્થિવવાદી જ્યોત બુઝાઈ નહોતી. આ વિશ્વની પ્રકૃતિ અને પ્રક્રિયાઓનાં નિરીક્ષણ, તેની પાછળ રહેલાં કાર્ય-કારણ સંબંધો વિષે વધતી સમજ, જિજીવિષાની વૃત્તિથી પ્રેરાઈ આદરાયેલી સલામતી તથા સવલતો માટેનીની ખોજ વગેરે વિષયો માનવીના મગજમાં કાર્યરત હતા.

આસપાસના જગતના વ્યાપારોના નિરીક્ષણ, કાર્ય-કારણ સંબંધની સાંકળની સમજ, તારણોની ચકાસણી, પ્રયોગશીલતા દ્વારા માનવી જોઈ શક્યો કે આ વિશ્વના વ્યવહારો અમુક ચોક્કસ નિયમો અનુસાર ચાલે છે, તે કોઈ મનસ્વી વ્યક્તિની મુનસૂફી પ્રમાણે ચાલતા નથી. સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત, ઋતુચક્ર, જન્મ-મરણ, વનસ્પતિનું ઊગવું, વિકસવું અને વિલાવવું વગેરે ઘટનાઓ નિયમબદ્ધ છે. આ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ અને દૃષ્ટિકોણથી જગતને તથા તેના વ્યાપારોને સમજવાની, તેનો પોતાના હેતુઓ માટે ઉપયોગ કરવાની સૂઝ વિકસી તેમ જ, માનવીને જણાયું કે આ વિશ્વના વ્યવહારોના સર્જન કે સંચાલન માટે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિ જરૂરી નથી. માનવી પોતે પણ ઘણી ઘટનાઓને આકાર આપી શકે છે. આથી, માનવી તરીકેની આત્મશ્રદ્ધા વિકસી તથા આસપાસના જગતના ઘડતર તથા નિર્માણ માટે તેણે મથામણ આદરી.

આ સાથે, ઈશ્વર તથા પરલોકની હ્યાતિ, ધર્મપ્રવર્તકોના આદેશો, ધર્મગુરુઓ અને ધર્મગ્રંથોનાં વિધાનો, પરંપરાગત માન્યતાઓ અને વિધિ-વિધાનોને નિર્વિવાદ માની લેવાના બદલે તે વિષે પ્રશ્નો કરવાનું, શંકા ઊઠાવવાનું, તેની ટીકા તથા વિવેચન કરવાનું, હકીકતોના આધારે ભિન્ન મત વ્યક્ત કરવાનું વલણ વિકાસ પામ્યું. વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટેનો આગ્રહ સર્જાયો તથા તે માટે ઘણાએ શહાદત અને અત્યાચારો પણ સહ્યા.

રસપ્રદ અને નોંધપાત્ર હકીકત તો એ છે કે સનાતની-અસહિષ્ણુ-કટ્ટરવાદી ધર્મોનો પ્રભાવ હતો ત્યાં એવા વિદ્રોહી ચિંતકો પ્રગટ થયા જેમણે પાર્થિવવાદી-રેશનલ-વૈજ્ઞાનિક વિચારોનો વારસા ઉપરની ધૂળ ખંખેરી, તેને જાળવ્યો, સંમાર્જિત કર્યો અને પ્રચારિત કર્યો. આ સમયગાળામાં અનેક વિદ્યાપીઠો સ્થપાઈ, ગ્રંથાલયો રચાયાં, વિજ્ઞાન, ગણિતનાં વિષયોનું ખેડાણ થયું. આ સમય નવજાગરણ (રેનેસાંસ) અને પ્રબોધન (એનલાઈટનમેન્ટ) યુગનો પૂર્વસૂરી બની રહ્યો.

આ વૈચારિક પરિવર્તનના અનુસંધાનમાં, પ્રવર્તમાન સામાજિક-રાજકીય અને, સમય જતાં, આર્થિક વ્યવસ્થામાં પ્રવર્તતા ભેદભાવ, અન્યાય, દમન, શોષણ વગેરે સામે પણ વિરોધનો સૂર આકાર પામવા લાગ્યો.

નિંદનીય પાસુઃ

દરેક જીવ પોતાની તથા પોતાના કુટુંબ-સમાજની અસ્તિ ટકાવી રાખવા, સલામતી મેળવવા સુખ-સગવડ જાળવવા ઉપરાંત તેમાં વૃદ્ધિ કરવાની પણ અપેક્ષા રાખે છે. આ વલણ ભોગવાદનો અતિરેક, વધુ અને વધુ મેળવવાની લાલસા તથા સંગ્રહવૃત્તિ પ્રેરે છે. માનવીએ વિકસાવેલી ખોજવૃત્તિ તથા પ્રયોગશીલતાને કારણે આવિષ્કાર પામેલી યાંત્રિક અને તાંત્રિક (વ્યવસ્થાલક્ષી) ક્ષમતાઓને કારણે તેની શક્તિઓમાં અદ્વિતીય વૃદ્ધિ થઈ હતી. આશાઓના આધારે તે પ્રકૃતિ, અન્ય જીવજગત, અન્ય માનવસમૂહો ઉપર કાબૂ જમાવી, આધિપત્ય સ્થાપી, પોતાની સુખ-સમુદ્ધિમાં અનર્ગળ વધારો કરવા લાગ્યો. આ પ્રકારની પ્રવૃત્તિનાં પરિણામે રાજાશાહી, સામંતશાહી, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, ગુલામીપ્રથા, વર્ણવ્યવસ્થા જેવી શોષણખોર અને અન્યાયી વ્યવસ્થાઓ રચાઈ. તદુપરાંત, પર્યાવરણનો નાશ તથા પ્રદૂષણમાં વૃદ્ધિની સમસ્યાઓ પણ સર્જાઈ છે.

આવકારદાયક પાસુઃ

માનવીની વિશિષ્ઠતા એ છે કે તે પોતાનાં વર્તનને કારણે સર્જાયેલી હાનિકારક પરિસ્થિતિ સમજી શકે છે તથા તેનાં નિવારણ માટેનાં પગલાં લેવાની ક્ષમતા પણ ધરાવે છે. વધુમાં, સમાજિક વ્યવસ્થાના ભાગરૂપે તેણે વિકસાવેલાં નૈતિક વ્યવહારનાં ધારાધોરણો તથા ન્યાયબુદ્ધિ પણ માનવીય સમાજરચના માટેની માંગને સંકોરતી રહે છે. આ સાથે, માનવીમાં રહેલી સહાનુભૂતિ અને હમદર્દીની લાગણી પણ તેને ન્યાયી અને માનવીય વ્યવહારોનો આગ્રહ સેવવા પ્રેરે છે. આથી, માનવ ઇતિહાસમાં આપખુદશાહી, પરાધીનતા, અન્યાય, ભેદભાવ, અત્યાચારો, શોષણ વગેરે સામે ઝૂંબેશ ચાલતી રહી છે, વિદ્રોહ અને ક્રાંતિઓનો સિલસિલો ચાલતો રહ્યો છે. પરિણામે, માનવજીવનને સુખમય, તેની સર્વ પ્રતિભાઓના વિકાસની મોકળાશ આપતી, વ્યવસ્થા માટેની માંગ તથા તે માટે જરૂરી સત્યની ખોજ માટેના વૈચારિક અને અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્ય, સ્વાધીનતા, લોકશાહી, સામાજિક અને આર્થિક સમાનતા, માનવ અધિકારો જેવી બાબતોનો આગ્રહ વ્યાપક બન્યો છે. 

પૂર્વમાં અવળી ગંગાઃ

દાર્શનિક ચિંતનના વિકાસની એ ઐતિહાસિક વિચિત્રતા છે કે બુદ્ધિપ્રધાન વિચારણા, વિશ્લેષ્ણ અને વિવેચનનો ઉષઃકાળ ધરાવતા ગ્રીક અને પૌર્વાત્ય ચિંતનમાંથી પ્રેરણા મેળવીને પશ્ચિમનું ચિંતન આગળ વધી રહ્યું હતું ત્યારે તેનાં જન્મસ્થાનમાં પ્રત્યાઘાતી પરલોકવાદી, વહેમ-અંધશ્રદ્ધા, ધર્માંધતા, ભક્તિવાદી અને પલાયનવાદી વિચારણાનો પ્રભાવ વધી રહ્યો હતો. આપખુદ રાજ્યસત્તા, સામાજિક ભેદભાવ અને આર્થિક અસમાનતાનો વ્યાપ વધતો જતો હતો. પરિણામે, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચારણા વિકસી નહીં, માનવીની સુખ-સગવડ અને સલામતીમાં વૃદ્ધિ કરતાં ઉપકરણો સુલભ ના બન્યા, રાજકીય-સામાજિક-આર્થિક વ્યવસ્થા પરંપરાવાદી અને કાલગ્રસ્ત રહી. અલબત્ત, વર્તમાનકાળમાં, છેલ્લી બેએક સદીના વૈચારિક પરિવર્તન પછી પણ, આ પ્રત્યાઘાતી વલણો સામેનો સંઘર્ષ હજી ચાલી રહ્યો છે. આ સંઘર્ષની ફલશ્રુતિનાં મીઠાં ફળ ક્યારેક તો જરૂર પાકશે તેવી આશા રાખીયે.

—

e.mail : jaykepatel@gmail.com

Loading

સિદ્ધાન્તવિવેચક સુરેશ જોષી વિશે બે વાત

સુમન શાહ|Opinion - Literature|4 December 2020

= = = = ગુજરાતી સાહિત્યકલાસર્જનની સમગ્ર પરિસ્થતિને જોઈ-ઓળખીને આપણા સર્જકોને અને વિવેચકોને ઉપકારક મદદો કરનાર વીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજદિન સુધીમાં સુરેશ જોષી પછી કોઈ સંભવ્યો નથી. જે થોડા છે તે એમના જ વિચારોના વિસ્તરણકારો છે = = = =

‘સુજોસાફો’ આયોજિત સુરેશ જોષી જન્મશતાબ્દી ઉત્સવના, સિદ્ધાન્તવિવેચન વિશેના 9-મા ઍપિસોડમાં આપેલું વક્તવ્ય :

એ સાચું છે કે આ ઍપિસોડ વિવેચક સુરેશ જોષી વિશે છે, એમણે ચર્ચેલા સિદ્ધાન્તો વિશે છે. પણ મારે ઉમેરવું છે કે સૌ પહેલાં સુરેશ જોષી કલામર્મજ્ઞ છે, connoisseur. મર્મજ્ઞનો અર્થ એ કે કલાનાં શાસ્ત્રોને કે સિદ્ધાન્તોને જાણે જરૂર, પણ છેવટે તો તેમાં છુપાયેલા મર્મને પકડે. કલાના આત્માને જાણે. એટલે, જુઓ કે સાહિત્યકલાના વિકાસ માટે હંમેશાં એમણે ચિત્ર વગેરે લલિત કલાઓની હિમાયત કરી છે. ‘ક્ષિતિજ’ વગેરે સામયિકોની સામગ્રી તપાસીશું તો આ વાતની ખાતરી થશે.

બીજું એ કે વિવેચક સુરેશ જોષી મૂળે તો સહૃદયોત્તમ ભાવક છે. ગુજરાતી, ભારતીય અને વૈશ્વિક સાહિત્યના એમના અંગત રસાનુભવો એમના વિવેચનલેખનોનો પાયો છે, નહીં કે માત્ર કોઈ કાવ્યશાસ્ત્ર, નહીં કે માત્ર કોઈ કલામીમાંસા.

ભરત મુનિના મહાન અધ્યેતા કાવ્યશાસ્ત્રી અભિનવગુપ્તને એમના કોઈ સમકાલીને પૂછેલું કે તમે કયા પરિશુદ્ધ તત્ત્વની વાત કરો છો, તે કહો. તો અભિનવગુપ્તે કહેલું કે ‘ન તુ અપૂર્વ કિંચિત્’ – કશું અપૂર્વ નથી. સુરેશભાઈ પોતાના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત્’-ના નિવેદનમાં અભિનવના આ ઉત્તરને યાદ કરીને પોતે પણ એ જ કહે છે કે અહીં એવું કશું અપૂર્વ નથી, જે ‘મુનિ’ઓએ કહ્યું ન હોય, પૂર્વસૂરિઓએ કહ્યું ન હોય.

પરન્તુ આપણે જોયું છે કે સુરેશભાઈના સાહિત્યવિચારમાં પૂર્વ અને પશ્ચિમની પ્રાચીન, અર્વાચીન કે આધુનિક વિચારધારાઓનું એક અનુપમ સાયુજ્ય રચાયું છે, અને તે એમની પોતાની રીતે રચાયું છે. સુરેશભાઈ વિશે અપૂર્વ તો એમની એ લાક્ષણિક રીતિ છે.

મને આ ક્ષણે એમને વિશેના મારા શોધગ્રન્થ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ના ઉપસંહારનું છેલ્લું પાનું દેખાય છે. ત્યાં મેં આ જ જણાવ્યું છે કે ‘કિંચિત્’-માં અને અન્યત્ર જે કંઈ કહેવાયું છે, તે, તેની રીતિને વિશે અપૂર્વ છે. મેં જણાવ્યું છે કે ભારતીય કાવ્યશાસ્ત્ર, પશ્ચિમના ઍરિસ્ટોટલ આદિ પ્રાચીન મર્મજ્ઞો, ૨૦મી સદીનો મહાન વિવેચનાત્મક આવિર્ભાવ ‘ન્યૂ ક્રિટિસિઝમ’, આધુનિક લલિત કલાઓ, વગેરે, દેશકાળથી નિરપેક્ષ એવી સાહિત્યકલા-વિચારધારાઓનું એમનામાં એક અપૂર્વ રસાયન સિદ્ધ થયું છે. સંસ્કૃત કવિઓ, નાટ્યકારો, રવીન્દ્રનાથ, ઑર્તેગા, રિલ્કે, નિત્શે, કિર્કેગાર્દ, હ્યુસેર્લ, મર્લો પૉન્તિ, હાઇડેગર, વાલેરી, બૉદ્લેર, કામૂ, કાફ્કા, સાર્ત્ર, દૉસ્તોએવસ્કી, પ્રૂસ્ત, પિરાન્દેલો, આયોનેસ્કો કે બૅકેટ જેવા અનેકોનાં સુરેશભાઈએ પરિશીલનો કરેલાં અને એમાંથી એમને કલાતત્ત્વનો જે બોધ થયેલો, તેને પરિણામે પેલું રસાયન હંમેશાં સમૃદ્ધ થતું આવતું’તું.

મને એમ સમજાય છે કે સુરેશભાઈ સાહિત્યસિદ્ધાન્તનું પડીકું વાળી આપવામાં નથી માનતા. એટલે જ કદાચ એમણે પોતાની માન્યતાઓ અને સૂઝબૂઝ અનુસારનો સળંગ સિદ્ધાન્તગ્રન્થ નથી આપ્યો. એ વિશે ફરિયાદ કરી શકાય. મેં એ ફરિયાદ એમની પૂર્વેના વિદ્વાનો વિશે પણ કરી  છે. પણ સુરેશભાઈ કહી શકે કે – મારાં તમામ વિવેચનલેખનો એકઠાં કરી લો, સળંગ ગ્રન્થ મળી જશે.

સંવત ૨૦૧૬ના આષાઢસ્ય પ્રથમ દિવસે પ્રકાશિત ‘કિંચિત્’ સંદર્ભે એમણે લખ્યું કે ‘અહીં ઉઠાવેલા, કાવ્યાસ્વાદ પરત્વેના, એક બે મુદ્દાઓ જો કોઈને કઠે, ખૂંચે ને કંઈક કરી નાખવા ઉશ્કેરે તો બસ’.

સુરેશભાઈએ ઉઠાવેલા અનેક મુદ્દાઓ બલકે સમગ્ર સુરેશ જોષી ત્યારથી આજ સુધી કેટલાકોને કઠ્યા છે, ખૂંચ્યા છે. એથી કેટલાક મહારથીઓ ઉશ્કેરાયેલા, પણ હવે જંપી ગયા છે. પણ એથી ઉશ્કેરાઈને કેટલાકોએ પોતાની ગતિવિધિ પકડી લીધી ને તેઓ આજે પણ ગતિશીલ છે.

સાહિત્યપદાર્થ એવું દ્રવ્ય છે જેને એકમાં બાંધી નહીં શકાય. એની નિરન્તર સમીક્ષા થવી જોઈશે, એ એવી ચીજ છે જેની હંમેશાં ટીકાટિપ્પણી થવી જોઇશે. એ નિવેદનમાં એમણે કહ્યું જ છે, ’કાવ્યમીમાંસાના પ્રશ્નો સદા ચર્ચાતા રહેવા જોઈએ, એનો પ્રવાહ કદી સ્થગિત નહીં થવો જોઈએ …વાદવિવાદ થવા જોઈએ, સમસ્યાઓ ઊભી કર્યા કરવી જોઈએ તો જ બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનું શક્ય બને’.

મારું મન્તવ્ય છે કે સુરેશભાઈ ખુદ વિવાદ અને વિદ્રોહની મૂર્તિ હતા ને એ સ્વરૂપે આજસુધી મનભાવન રહ્યા છે.

એ નિવેદનની નીચે સુરેશભાઈએ બર્ટ્રામ હિગિન્સનું એક વિધાન ટાંક્યું છે : A good critic is one who helps the creative situation : સારો વિવેચક એ છે જે સર્જનાત્મક પરિસ્થિતિને મદદ કરે છે. આપણા સૌના જાતઅનુભવની વાત છે કે એક સમર્થ વિવેચક તરીકે સુરેશભાઈએ સર્જકતાને વિધ વિધે ઓળખાવી છે, સર્જનાત્મક આબોહવા પ્રગટાવી છે, અનેક નવોન્મેષો સરજ્યા છે. સાહિત્યનું માધ્યમ ભાષા છે, એમણે ભાષાને વિશેની સભાનતા કેળવવા કહ્યું. પ્રશંસા અને ઇનામ ઍવૉર્ડ પછી ઠરીઠામ ન થઈ જવાય, લખી લખીને રીઢા ન થઈ જવાય, એ માટે એમણે પ્રયોગશીલતાનો મહિમા કર્યો. આપણા અનેક સર્જકોને એમણે પ્રેર્યા છે.

ગુજરાતી સાહિત્યકલાસર્જનની સમગ્ર પરિસ્થતિને જોઈ-ઓળખીને આપણા સર્જકો અને વિવેચકોને ઉપકારક મદદો કરનાર વીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજદિન સુધીમાં સુરેશ જોષી પછી કોઈ સંભવ્યો નથી. જે થોડા છે તે એમના જ વિચારોના વિસ્તરણકારો છે. અસ્તુ.

(December 3, 2020: USA)

Loading

Promoting Amity in times of ‘Hate’: Arrest of Faisal Khan

Ram Puniyani|English Bazaar Patrika - OPED|3 December 2020

In the process of formation of the nation one of the major pillars is the concept of Fraternity. The words, Liberty, Equality, and Fraternity are flagship of French revolution, the revolution which overturned the feudal system, the kingdom and heralded the coming in of Modern Nation state, the concept of democracy. The path of these values has not been easy in India, where the process of ‘India as a nation in the making’ begins in the colonial period, running parallel to development of values of a modern state. As an aside since Fraternity, the classical part of triad, is male oriented so we should use ‘National community’, with all its inherent diversity in place.

This process of formation of national community in India ran along with the anti colonial movement and came as an overarching Indian identity above the identities of religion, caste, region, ethnicity and language. The national movement integrated all these sections as Indians. History does not run in a smooth line, as National movement led by Gandhi united the people, there were communal elements, Muslim League, Hindu Mahasabha and RSS which focussed on religion based identity. These tendencies were at the root of sectarian politics, which acted as a counter to the uniting influence of the national movement.

Nearly seven decades after Independence we are facing a situation which is very close to when Gandhi made all efforts to unite the people cutting across the lines of religion. The rise of communal politics during last three decades has widened the gulf between the religious communities, particularly Hindus on one side and Muslims and Christians on the other. Those wanting to uphold the values of Freedom movement and values of Indian Constitution have been scratching their heads as to how to cultivate and restore the bonding which made India, a nation. One effort has been to try to make bridges among different communities through respecting the traditions and faith of ‘others’. These efforts have also talked in the language of religion; have attempted to follow the moral values of religion. Moral values of religion were the core of teachings of Bhakti-Sufi saints. These also formed the base of Gandhi’s practice of Hinduism, which was inclusive and attracted the people of diverse religions.

In contemporary times there are activists who are endeavouring to walk this path. It may sound innocuous few decades ago, but not any longer. Now we see the case of arrest of Faisal Khan, who has tried to revive Khudai Khidmatgar, the organization floated by Khan Abdul Gaffar Khan, Seemant Gandhi. Gaffer Khan was ardent supporter of the path of non violence. He stood for respecting all religions and was totally opposed to the partition of the country, for which he had to spend years in the jails of British rulers and later in the ‘Muslim Nation’ Pakistan.

Faisal Khan, yearning for amity love and peace began his journey for communal amity with other peace workers. He decided to revive Khudai Khidmatgar to pursue the path to strengthen the spirit of Indian Community and on these lines has been trying one after the other move to bring the religious communities together.

He set up Apna Ghar for people of all religious communities to share and enhance the intercommunity bandings while celebrating festivals of all religions. He is also a trustee of Sarva Dharma Sadbhava Kendra Trust located in Ram Janaki Mandir Sarju Kunj, Ayodhya. There is a plan to develop an all-faith communal harmony centre in this Temple. Faisal Khan has offered Namaz several times in this temple. People of all faith and caste including Dalits are welcome in this temple. At another level he is part of organizations for Human rights like NAPM and at global level with Hindus for Human rights in US.

Recently he undertook a five day peace yatra in Brij region in UP along with four of his friends. This peace yatra was '84 Kos Parikrama' of Braj in Mathura during which they paid a visit to Nand Baba Mandir. As Faisal visited the temple he received prasad from temple priest and recited verses from Ramcharitmanas to the priest. The priest happily allowed him to offer namaz inside the premises on October 29, 2020. The petition that has been launched on Change.org, says, “When it was time for the midday namaz (Muslim prayer), Faisal was going to pray outside, but the priest invited him to pray right there in the temple. Faisal and one of his associates, Chand Mohammed, prayed in the temple compound.”

He has been arrested on charges which are related to inciting intercommunity tensions and is in jail for last few weeks. When we are talking of promoting intercommunity amity such an act is what gives the signal of intercommunity harmony. The state is duty bound to promote fraternity, the sense of Indian community, which Faisal Khan and his friends were trying give a message of. Many people accuse that secular forces have failed to address the people as they have been talking in a language which is away from the language of people, people who are steeped in the religiosity. Faisal Khan is doing precisely what many sympathetic critics are alleging is the failure of secular forces.

Gandhi and Khan Abdul Gaffar Khan saw religion as a moral force, as a spiritual path. They succeed to a large extent. After their passing away from scene, communal forces have overshadowed the moral ethical component of religion and presented religion as pure identity, and have used it as divisive force.

Today we are in a strange situation. The religious gulfs are rising and those trying to bridge it are accused precisely of things which they are fighting against. Society needs to introspect and take the path of Gandhi and Khan Saheb, to cement to gulfs which have crept in due to the divisive politics of sectarian nationalism. People like Faisal Khan need to be understood and respected for the path they are pursuing to promote the idea of inclusive India.

Loading

...102030...2,0682,0692,0702,071...2,0802,0902,100...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved