એક સમય હતો જ્યારે સ્ત્રીને આઠ પુત્રોની માતા થવાના આશીર્વાદ વડીલો આપતા હતા, પણ કોઈને પણ આઠ પુત્રીની માતા થવાના આશીર્વાદ અપાયા નથી. એ જ સૂચવે છે કે પરાપૂર્વથી પુત્રી ઇચ્છનીય નથી. એ વિધિની વક્રતા છે કે પુત્રને જન્મ તો સ્ત્રી આપે છે, પણ સ્ત્રીનું સ્થાન સમાજમાં ખાસ માન ભર્યું નથી જ. સ્ત્રીને દેવી તરીકે પૂજનીય ગણાવાઈ છે. તે ઇચ્છિત વરને સ્વયંવરમાં વરી શકતી હતી, શાસ્ત્રાર્થ કરી શકતી હતી, તો પણ પુત્રીનું વરણ ન તો પુરુષ માટે કે ન તો સ્ત્રી માટે ઇચ્છનીય ગણાયું છે. સાદી વાત એટલી છે કે બાળકીનો જન્મ આજે પણ અપવાદ રૂપે જ સભ્ય સમાજમાં આવકાર્ય રહ્યો છે.
આવું કેમ?
બન્યું એવું કે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને ઘર સંભાળવાની જવાબદારી આવી ને ઘર માટે કમાવાની જવાબદારી પુરુષે ઉપાડી. ઘરમાં રસોઈ કરતી સ્ત્રીને રૂપિયો મળતો ન હતો, એ જ રસોઈ બહાર કરવાના પુરુષને પૈસા મળતા હતા. સ્ત્રીને ઘરમાં કપડાં ધોવાનું કૈં મળતું ન હતું, જ્યારે પુરુષ ધોબી તરીકે રૂપિયા ગાંઠે બાંધતો હતો. એવું જ બધાં કામોનું હતું. પુરુષ કમાતો હતો ને એ જ કામ ઘરમાં કરવાને લીધે સ્ત્રીને કૈં મળતું ન હતું, એ તો ઠીક, પણ કામ કરવા છતાં સ્ત્રીને અપજશ મળતો હતો. એટલે વ્યવસ્થા એવી થઈ આવી કે જેની પાસે આર્થિક કમાણી છે તે જ સત્તા પણ ભોગવે ને જ્યાં સત્તા હાથમાં આવી ત્યાં શોષણ પણ શરૂ થયું.
જ્યાં સત્તા સ્ત્રીના હાથમાં આવી ત્યાં તેણે પણ પુરુષોનું શોષણ કરવામાં કૈં બાકી રાખ્યું નથી. જ્યાં પણ રાજકારણમાં ને ઓફિસોમાં સ્ત્રી ઉચ્ચ સ્થાનો પર રહી છે ત્યાં તે પુરુષની જેમ જ શોષણખોર રહી છે. આમ છતાં સ્ત્રીઓનાં શોષણની ટકાવારી, પુરુષે કરેલાં શોષણની ટકાવારી કરતાં વધારે જ છે તે સ્વીકાર્યે જ છૂટકો છે.
એક સમય એવો હતો કે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, વિજ્ઞાન એટલું વિકસ્યું ન હતું, એટલે ઘરમાં અવતરતું બાળક છોકરો છે કે છોકરી, તે જન્મ પછી જ જાણી શકાતું ને જન્મનાર છોકરી હોય તો પણ તેનો ઈલાજ નથી એમ માની મન મનાવી લેવાતું તો કેટલાક કિસ્સાઓમાં બાળકીને દૂધપીતી પણ કરાતી. એ પછી શિક્ષણ વધ્યું, વિજ્ઞાન વિકસ્યું ને એવો “વિકાસ” થયો કે ગર્ભમાં જ બાળકની જાતિની ખબર પડવા માંડી ને આમ પણ બાળકી ઇચ્છનીય ન હતી એટલે જેમને જોઈતી ન હતી તેમણે ગર્ભમાં જ તેને મારી નાખવા માંડી ને એમ સ્ત્રીના જન્મનો દર ઘટવા લાગ્યો. 1951માં દર હજાર પુરુષે સ્ત્રીઓનુ પ્રમાણ 946 હતું તે 2001માં 933 થયું. ગુજરાતમાં એ પ્રમાણ 920નું છે. સ્ત્રીભ્રૂણ હત્યા ગુનો છે, છતાં તેનું પ્રમાણ વધતું આવે છે તે સૂચક છે. કોઈ પશુ, પંખીમાં પણ જન્મ પહેલાં માદાને અકુદરતી મૃત્યુ મળતું નથી, એમાં જગત આખામાં સ્ત્રી જ અપવાદ છે, તેને મૃત્યુ જન્મ પહેલાં પણ મળે છે.
આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, બાળકીનો જન્મ હવે વધાવાય પણ છે, છતાં સ્ત્રીઓ સંદર્ભે થતા ગુનાઓનું પ્રમાણ વધતું જ આવે છે. બળાત્કારીઓને કેટલાક કિસ્સાઓમાં ફાંસીની સજા થઈ છે, છતાં બળાત્કારનું પ્રમાણ ઘટતું નથી. સજાનો ખોફ પણ બળાત્કારીઓને રોકી શકતો નથી તે હકીકત છે. દહેજ દૂષણ છે, તે સજાપાત્ર ગુનો છે, તેમ છતાં તે નાબૂદ થતું નથી તે પણ એટલું જ સાચું છે. શિક્ષણ વધ્યું, સમજ વધી તે સાથે શોષણ પણ વધુ સૂક્ષ્મ થતું આવ્યું છે. દહેજ માંગવાની રીતો બદલાઈ છે, પણ તે માંગવાનુ બંધ થયું નથી. હવે શોષણ સહાનૂભૂતિની આડમાં એવી રીતે થાય છે કે એકાએક ખ્યાલ ન આવે. બળાત્કાર કરવાને બદલે સ્ત્રીને જ એટલી લાચાર કરવામાં આવે કે તે સામે ચાલીને સમર્પિત થાય. ઓફિસોમાં કે ફિલ્મ જગતમાં પ્રમોશન કે કામ આપવાને બહાને સ્ત્રીઓને એટલી મજબૂર કરાય છે કે બળાત્કાર થાય ખરો, પણ ગુનો ન બને.
દલિત કે પછાત જાતિની સ્ત્રીઓનું બેવડું શોષણ થાય છે. ઘરમાં તો તે શોષણનો ભોગ બને જ છે તે સાથે જ, બહાર પણ તે અમુક તમુક જાતિની હોવાને કારણે શારીરિક ને અન્ય પ્રકારનાં શોષણનો ભોગ બને છે. આ શોષણ, સ્ત્રી, સવર્ણ હોવાને નાતે ઘરમાં ને બહાર ન જ થાય એવું નથી. એનું પ્રમાણ ઓછું હશે, પણ તે નથી એવું નથી. ટૂંકમાં, સ્ત્રીનું હોવું જ પૂરતું છે, બાકી, તેનું શોષણ થયા વિના ભાગ્યે જ રહે છે.
સ્ત્રી બહાર સલામત નથી એ જ રીતે તે ઘરમાં પણ સુરક્ષિત નથી તે તાજેતરના આંકડાઓએ પુરવાર કર્યું છે. શોષણનો કોઈ માર્ગ એવો નથી જે પુરુષે ન અજમાવ્યો હોય. આ ન ગમે એવી વરવી વાસ્તવિક્તા છે.
2020નાં માર્ચની 24મીથી દેશ આખામાં લોકડાઉન લાગુ થયું. શરૂઆતમાં તો બધું ઠીક ચાલ્યું. પ્રદૂષણ ઘટ્યું, ઓઝોનનું ગાબડું પૂરાયું, હવાપાણી ચોખ્ખા થયાં એવો રાજીપો પણ વ્યક્ત કરાયો, પણ પછી જે આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ તેણે ઘરની શાંતિને જોખમમાં મૂકી. પુરુષો ઘરકામ કરતા થયા એ દરમિયાન જ સ્ત્રીઓ ઘરકામ કેવી રીતે કરે છે એનો ખ્યાલ પણ એમને આવ્યો, પણ આવક ઘટી તે સાથે ખર્ચ તો ચાલુ જ હતો ને એ ખર્ચને પહોંચી વળવાનું મુશ્કેલ થવા લાગ્યું. ચાપાણી વધ્યાં, ખોરાક વધ્યો ને નવરાશ પણ વધી. તેણે અનેક પ્રશ્નો ઊભા કર્યા. જે સ્ત્રીઓ, બહાર કામ કે નોકરી કરતી હતી એની નોકરી કે કામ છૂટ્યાં. એથી પણ આવકમાં ઘટાડો જ થયો, એનું પરિણામ એ આવ્યું કે પુરુષ ને સ્ત્રી નાની નાની વાતોમાં ઉશ્કેરાવા લાગ્યાં. બીજી તરફ સ્ત્રીનું કામ ઘરમાં વધ્યું. કચરાપોતાં કામવાળી કરતી હતી તે આવતી બંધ થઈ, રસોઈવાળી બાઈ આવતી હતી તે બંધ થઈ એટલે તે કામ પણ વધ્યું. જે ઘરમાં બધાં કુટુંબો સહવાસનો આનંદ માણી રહ્યાં હતાં તે સૌ એકબીજાથી કંટાળવા લાગ્યાં. નાનીનાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. એમાં સૌથી વધુ અપમાનિત ઘરની છોકરીઓ, વહુઓ, નણંદો, દેરાણીઓ થવાં લાગી. એમાં જ કંકાસ વધ્યો, મારપીટ વધી ને અપમાન પણ વધ્યું.
આમ તો આ બધું આડે દિવસે પણ થતું જ રહેતું હતું, પણ ઘરેલુ હિંસાની ટકાવારી લોકડાઉનમાં 24થી 26 ટકાની હતી તે વધીને 42થી 44 ટકા પર પહોંચી. “અભયમ હેલ્પલાઇન”નો નંબર 181 ઘરેલુ હિંસા વધી છે એની સાક્ષી પૂરતો રહ્યો. લોકડાઉનમાં શારીરિક, આર્થિક, માનસિક, જાતીય સતામણીના કિસ્સાઓ વધ્યા છે. એમાં સોશિયલ મીડિયા દ્વારા થતી સતામણીનો ઉમેરો થયો છે ને સ્ત્રી સાથેના દુર્વ્યવહારો અનેક પ્રકારે વધ્યાં છે. એમ લાગે છે કે શિક્ષણ હવે નવા ગુનાઓ કરવામાં અને કર્યા પછી તેમાંથી છટકવામાં વધારે ઉપયોગી થતું આવ્યું છે. તે વગર હેલ્પલાઇનની સંખ્યાઓ વધે?
સુરત શહેર-જિલ્લાની જ વાત કરીએ તો 2020માં ઘરેલુ હિંસાના 3,480, પડોશી સાથેના ઝઘડાના 511, મોબાઈલ દ્વારા હેરાન ગતિના 251, વ્યસનીઓ દ્વારા હિંસાના-કનડગતના 521, બાળલગ્ન સંદર્ભે 3 મળીને કુલ 4,766 કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષનો 181 હેલ્પલાઇન નંબરનો આંકડો સ્વીકારીએ તો આ પ્રકારની હિંસાના 26,000થી વધુ બનાવો બન્યા છે તે નોંધવું ઘટે. આ માત્ર સુરતના આંકડાઓ છે. એ પરથી દેશના આંકડાઓની સંખ્યાઓ કેટલી મોટી હશે એનો અંદાજ લગાવવાનો રહે.
એ પણ સાચું છે કે પત્ની પીડિત પતિઓની સંખ્યા વધતી આવે છે, દહેજની માંગણી કરી છે – એવી ખોટી ફરિયાદો નોંધાવીને સ્ત્રીઓએ સાસુ, સસરાને કે પતિને જેલના સળિયા પણ ગણાવ્યા છે, છતાં સ્ત્રીઓનું અનેક પ્રકારે શોષણ થતું જ રહે છે તેની ના પાડી શકશે નહીં. શિક્ષણ, સમજ ને સમાજ વિક્સ્યાં છે, છતાં સ્ત્રીઓનું શોષણ અટકતું નથી એ બતાવે છે કે શિક્ષણ, શોષણના નવા પ્રકારો અજમાવવા જ કદાચ ખપનું રહ્યું છે. એનું કારણ એ પણ છે કે આજે પણ ઘણુંખરું સત્તા ને સંપત્તિ પુરુષના હાથમાં જ છે. આમાં ઘણું સમજથી ને સમાજથી ઉકેલાઈ શકે, પણ એ સ્થિતિ હાલ તુરત તો દૂર જ લાગે છે. જે દેશની અડધી વસતિ શોષિત હોય એ દેશ અડધો ગુલામ જ ગણાય. સદભાવ, સ્નેહ ને સમજદારી જ આનો ઉકેલ આપી શકે. એ દાખવવામાં નહીં આવે તો આ દેશનું એ મોટું દુર્ભાગ્ય ગણાય, વધારે શું કહેવું?
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જાન્યુઆરી 2021
![]()




ક્વાઝુલુ નાતાલના વડા પ્રધાન સિલિ ઝીકલાલાએ [Sihle Zikalala] ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ એનાયત થયાની જાહેરાતના મહત્ત્વ વિષે વાત કરી. ગાંધીની 151મી જન્મતિથિ ઉજવાય છે, તે ટાણે તેમણે ભારતીય મઝદૂરો 160 વર્ષ પહેલાં (ઈ.સ. 1860માં) દક્ષિણ આફ્રિકાને કિનારે ઊતરેલા તેની યાદ અપાવી. ત્યારથી માંડીને નેલ્સન મંડેલાની મુક્તિ સુધીનાં વર્ષો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં અતિ મહત્ત્વના રહ્યાં છે. આ જાહેરાત દેશના લોકો અને સરકાર માટે અતિ મહત્ત્વની છે, એવું તેમણે પ્રતિપાદિત કર્યું. દેશમાં પર્યાવરણની જાળવણી હેતુ સુરક્ષિત જાહેર કરાયેલા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં સ્થળોને પર્યટકોને આકર્ષવા માટે રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરવામાં આવે છે, તે સર્વસાધારણ બીના છે. ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર સ્મારકનું પદ મળ્યાનું મહત્ત્વ દક્ષિણ આફ્રિકાની મુક્તિ અને શાંતિ માટેની લડતના પ્રતીક તરીકે છે. એ ક્રાંતિનું પ્રતીક છે ખરું, પણ સાથે સાથે શાંતિનું પણ પ્રતીક છે. જે પ્રદેશમાં હિંસા વ્યાપકપણે ફેલાયેલી હતી, ત્યાં આજે રંગભેદના અભાવવાળી લોકશાહી પ્રવર્તે છે, જ્યાં અલગ અલગ કોમના લોકો સહજીવન જીવી શકે છે. પ્રવાસન, કે જે દેશની જી.ડી.પી.ના 10% જેટલો હિસ્સો છે, તેને પણ આ હેરિટેજ સાઈટથી બઢાવો મળશે. સ્થાનિક પ્રજા અને વિદેશી મુલાકાતીઓ માટે આ સ્થળ સમાધાન દ્વારા શાંતિ સ્થાપવા અને ટકાવવા માટેના પ્રયાસો માટે દીવાદાંડી બની રહેશે. ફિનિકસ સેટલમેન્ટને યુ.એન.ની માન્યતા મળવાના ઘણા ફાયદા પ્રજાને થશે, જેમાંનો એક છે, સમાધાન વૃત્તિથી બધા એકસૂત્રે જોડાઈને અમનથી જીવી શકશે.
આવાં લોકોનાં નિસ્વાર્થ પ્રદાનને માન આપવું જોઈએ. વધુમાં ઝ્વેલી મ્ખીજેએ કહ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ સહિયારો છે. બંને દેશ રંગભેદ નાબૂદી અને સંસ્થાનના દમનકારી શાસનથી મુક્તિ મેળવવા માટે લડ્યા. એ લડત રંગભેદ નાબૂદી, ન્યાય મેળવવાની, કોમી એકતા લાવવાની અને શાંતિ સ્થાપવાની એક લાંબી મજલ હતી. એ હજુ પણ એક ય બીજી રીતે ચાલુ રહી છે. રંગ, ધર્મ અને જાતિને ન ઓળખનાર આ કોરોના મહામારીમાં આપણે બધાએ એક બીજાનો હાથ પકડીને સાથે મળી, સહકાર આપીને ઝઝૂમવાનું છે.
ભારતના ઉચ્ચ આયુક્ત જયદીપ સરકારે મનનીય પ્રવચન આપતાં કહ્યું, ફિનિક્સ સેટલમેન્ટને રાષ્ટ્રીય ધરોહર તરીકે મળેલ માન્યતા એ ગાંધીના જન્મની 150મી વર્ષગાંઠ માટે તદ્દન બંધબેસતી ચેષ્ટા છે. આથી વીસમી સદીના સહુથી વધુ પ્રભાવક નેતાના કામનું ગૌરવ તો થયું જ છે, પરંતુ તેની ઐતિહાસિક દેણગીનું પણ બહુમાન થયું છે. એ માટે દક્ષિણ આફ્રિકાની સરકારનો આભાર. આ સ્થળ ગાંધીના રાજકીય અને સામાજિક પરિવર્તનની ભૂમિ. પણ આ જગ્યા માત્રની જાળવણી ભલે ઘણી મહત્ત્વની છે છતાં પૂરતી નથી. ગાંધીજી અહીં શું શીખ્યા એ જાણીને, સમજીને તેને હાલના સંયોગોમાં અમલમાં મૂકવું રહ્યું. એમણે ફિનિક્સ નામ સહેતુક પસંદ કરેલું. એમના સાદું જીવન અને ઊંચી વિચારધારાના મૂલ્યોને આપણે જાળવવા રહ્યા. શ્રમ પ્રતિષ્ઠા, કોમી એખલાસ, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીના વિચારો આજે પણ અપનાવવા જરૂરી છે. એમ કરવા માટે બહોળા સમાજનો ટેકો અને સક્રિય ભાગીદારી અંકે કરવી જોઈશે. ગાંધીજી અને ‘આફ્રિકન નેશનલ કાઁગ્રેસ’ [ANC]ના પહેલા પ્રેસિડન્ટ જ્હોન ડૂબે ઈનાન્ડા[Inanda]માં પાડોશી હતા. ગાંધીજી ફિનિક્સમાં પોતાના કાર્યક્ષેત્રમાં વ્યસ્ત હતા, તો ડૂબે એષલેન્ડામાં પાયાનું કામ કરતા હતા. આમ એકબીજા સાથેના સંપર્કથી આઝાદીની ચળવળ કેવી રીતે ચલાવવી તેનો ખ્યાલ આવ્યો. બંને કર્મશીલોને માત્ર પોતાની કોમ માટે નહીં, બહોળા સમુદાયની સ્થિતિ અને સમસ્યાઓ અને તેના હિતનો ખ્યાલ આવ્યો.
નેશનલ એસોસિએશન ઓફ આફ્રિકન અમેરિકન સ્ટડીઝના ડાયરેક્ટરે દ’ લેમ્યુઅલ બેરી[De Lemuel Berry]એ ફિનિક્સ સેટલમેન્ટને આ માનભર્યું પદ કઈ રીતે મળ્યું તેનો ઇતિહાસ કહેતા કહ્યું, 2017માં યોજાનારી ઇન્ટરનેશનલ કોલેજ કોન્ફેરેન્સ માટે સ્થળની પસંદગી કરવા 2016માં ડર્બન જવાનું થયું. તે વખતે ફિનિક્સ જવાનું આમંત્રણ મળ્યું. ઇલા ગાંધીએ સેટલમેન્ટની સ્થાપનાનો ઇતિહાસ, તે સમયે થયેલા પ્રયોગો, તે વખતનું જીવન અને પ્રવૃત્તિઓ અને હાલનાં તેના કાર્ય વિષે વિગતે માહિતી આપી. તેનાથી આ મુલાકાતીઓને ઘણી જાણકારી મળી. આવાં સ્થળોની મુલાકાત ભાગ્યે જ આ પદાધિકારીઓએ લીધી હશે. આ મુલાકાત બાદ ડૉ. બેરીને કેટલીક વિનંતીઓ મળી. તેને પરિણામે એક પ્રશ્ન ઊઠ્યો, આ કેન્દ્રને વર્લ્ડ હેરિટેજ સાઇટનું પદ કેમ નથી મળ્યું? યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ માટેના નિર્ણાયકે નિયમો વાંચી જવા ડૉ. બેરીએ તૈયારી બતાવી. તેઓને જાણ થઇ કે આ બાબત અંગે પહેલા કશી કાર્યવાહી નથી કરવામાં આવી. તરત જ પ્રોવોન્શિયલ, નેશનલ અને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્થાન મળે તે માટેની પ્રકિયા શરૂ થઇ. 2017માં ઇલાબહેન ગાંધી સાથે પીટર મેરિત્ઝબર્ગ જઈને નોમિનેશન દર્જ કરાવ્યું.
પ્રો. ઉમા મિસ્ત્રી [Uma Misthrie], કે જેઓ ગાંધીજીનાં પ્રપૌત્રી છે, તેઓ હાલ ફિનિક્સ સેટલમેન્ટનો 1904થી 2020 સુધીનો – 116 વર્ષનો ઇતિહાસ લખે છે. સેટલમેન્ટમાં સ્થાપનાકાળમાં રહેતા એ લોકોની જીવની લખાઈ રહી છે. તેની સ્થાપનામાં ગાંધીજી અત્યંત મહત્ત્વના હતા, પરંતુ હરેક દાયકે એ મૂલ્યોને જીવિત અને કાર્યાન્વિત રાખવામાં કોનો કોનો ફાળો હતો, એ પણ અતિ મહત્ત્વનું છે, જે ઉમાબહેનના પુસ્તક પરથી જાણવા મળશે. ગાંધીજીના ભારત પરત ફર્યા બાદ તેમના પુત્ર મણિલાલ ગાંધીએ ફિનિક્સને સાંભળ્યું ન હોત, તો આજે તેનું અસ્તિત્વ અને આટલું મહત્ત્વનું પ્રદાન રહ્યું ન હોત. મણિલાલના અવસાન બાદ તેમનાં પત્ની સુશીલાબહેને એ મશાલ સળગતી રાખી. સેટલમેન્ટની યાત્રામાં રામ ગોવિંદ અને ઈલાબહેનનાં કાર્યને કેમ ભુલાય?
યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર (રાજદૂત) અને સાંસ્કૃતિક બાબતોના આંતરરાષ્ટ્રીય સબંધો જાળવનાર દૂત તરીકે ખ્યાતનામ બનેલ હીવા સર[Hedva Ser]નું પણ આ વેબિનારમાં પ્રદાન રહ્યું. તેઓ શાંતિ, બંધુત્વ અને સહિષ્ણુતા જેવા ઉમદા માનવીય ગુણોને કળા દ્વારા રજૂ કરે છે અને વિશ્વભરમાં તેમની ગણના એક ઉત્તમોત્તમ માનવતાવાદી કલાકાર તરીકે થાય છે. યુનેસ્કોના પારિતોષિકો મેળવનાર આ સન્નારીનું કહેવું છે કે તેમનાં મોટા ભાગના શિલ્પો અને કલાકૃતિઓની પ્રેરણા તેમને ગાંધીના જીવન અને કાર્યમાંથી સાંપડી છે. સહઅસ્તિત્વ, બધા ધર્મો પ્રત્યે પરસ્પર માનની લાગણી, પ્રકૃતિ માટે આદરભાવ વગેરે જેવા ખ્યાલોને તેમણે કલામાં મૂર્તિમંત કર્યા છે. યુનેસ્કોનું પ્રતીક Tree of Peace એ હીવા સરની જ કૃતિ છે. તેઓ એ શિલ્પ દ્વારા યુવા પેઢીને શાંતિનો સંદેશ અને શિક્ષણ આપવા ચાહે છે. યુનેસ્કોના આંતરદેશીય વાટાઘાટો દ્વારા સંઘર્ષ નિવારણના આદર્શોને પોતાની કલામાં મૂર્તિમંત કરવાનો તેમનો પ્રયાસ છે તેમ કહ્યું. દુનિયામાં હરેક ક્ષેત્રે સ્થિરતા આવે અને રાજકીય પક્ષો વચ્ચે સંવાદિતા કેળવાય તે માટે સંઘર્ષ વાળા વિસ્તારોમાંથી આવતા ઊગતા કલાકારોને કેળવવા તેઓ સતત કાર્યરત રહે છે. “હું ગાંધીની દેણગી દુનિયા પાસે મુકવા માંગુ છું.” હીવા સરના આ વિધાનને સમજવા તેમની કૃતિઓ જોવી રહી. ફિનિક્સ સેટલમેન્ટ માટે A Road of Peace – શાંતિ પથ બનાવવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો.
વિકટર સાબેક યુગોસ્લાવિયામાં જન્મેલા, જે બંને વિશ્વયુદ્ધોમાં ખેદાનમેદાન થઇ ગયેલું, એટલે તેમને શાંતિમય સમાધાનનું મહત્ત્વ બરાબર સમજાય. તેમના પિતાનો પરિવાર જર્મનીના કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદ થયેલો અને માતાનું કુટુંબ સ્વાતંત્ર્યની લડાઈમાં જોડાયેલું. તેમનાં માતા હિટલરના પ્રોગ્રમમાંથી નાસી છુટેલાં. પોતાના માતૃ અને પિતૃ પક્ષે બધા જાતિગત સમાનતા માટે લડેલા અને એટલે જ તો કદાચ વિક્ટર સાબાકે લિબિયા, સીરિયા અને યમનમાં યુદ્ધ પીડિત લોકોનાં કલ્યાણ માટે કામ કર્યું છે. એ બધા દેશો યુદ્ધ અને સંઘર્ષમાં ધરાશાયી થઇ ગયા, એ તેમણે નજરોનજર જોયું. પશ્ચિમી જગતમાં લાંબામાં લાંબો સંઘર્ષ કોલંબિયામાં 50 વર્ષથી ચાલ્યો આવે છે, હાલમાં વિકટર સાબેક ત્યાં કામ કરે છે. આથી જ ગાંધીના શાંતિમય સમાધાનના સિદ્ધાંતો કેટલા આજે પણ અને આજે તો વધુ પ્રસ્તુત છે એનો તેમને જાત અનુભવ છે. તેઓને લાગે છે કે સંસ્થાનવાદનું પ્રચલિત રૂપ હવે ખતમ થયું ગણાય, પરંતુ બીજા અનેક પ્રકારના સંસ્થાનવાદનો પ્રસાર, ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધવાને કારણે સંઘર્ષો નિવારવા અને તેના નિરાકરણ માટે શાંતિમય ઉપાયો યોજવા અનિવાર્ય થઇ પડ્યા છે. 


