આમ તો કાગળ
કોઈકે કમાન કરી
તો ઊડવાનું મન થયું
પણ
એકલો કાગળ તો ઊડે નહીં
કે ન તો એકલી દોરી ચગે
કાગળને કમાન હોય
ને એને દોરી બંધાય તો કદાચ …
શું છે કે કેટલાય કાગળને
કમાન મળે
તો દોરી નથી મળતી
દોરી મળે તો બંધાતી નથી
બંધાય તો કોઈ
ઉઠાવતું નથી
ઉઠાવે તો હવા નથી હોતી
હોય તો એટલી
કે ફસ્કાવાનું જ થાય
ને એ બધું હોય
ને આકાશ જ ન હોય તો …?
કેટલાય કાગળો એટલે
ફડફડીને ઘરમાં જ –
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


મને ડાયાબીટીસ છે એવી પહેલી વાર ખબર પડી, પછી થોડા દિવસે એક મિત્રની પુત્રીનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. તેના ઉદ્ઘાટન પછી આઈસક્રીમ આપવામાં આવતો હતો. મેં ‘ના’ પાડી. બાજુમાં બેઠેલા કવિ લાભશંકર ઠાકર બોલી ઊઠ્યા : ‘આઈસક્રીમની ના પાડો છો?’ મેં કારણ જણાવ્યું. એક વડીલ તરત જ મારે ડાયાબીટીસમાં શું કરવું અને શું ન કરવું એની ઢગલાબંધ સલાહ આપવા લાગ્યા. લાભશંકરભાઈ ગુસ્સે થઈ ગયા. પૂછ્યું: ‘તમને ડાયાબીટીસ છે?’ વડીલે ના પાડી. લાભશંકરે કહ્યું : ‘તો પછી શા માટે વણમાગી સલાહ આપવા બેઠા છો? એણે તમારી સલાહ માગી?’
છાપાળવી ભાષા, પ્રાદેશિક બોલી, ચીલાચાલુ પ્રયોગો, વ્યાકરણના ગ્રાઉન્ડ રૂલ્સનો ભંગ કરતાં લખાણો, ન સમજાય તેવાં વાક્યો, જોડણીને કૂટી મારતા શબ્દો : આ બધાંને ચાતરી જવાની ‘સમકાલીન’ની નેમ છે. કોઈ એક જિલ્લાનું મુખપત્ર બની રહેવાને બદલે બૃહદ્દ ગુજરાતને ‘સમકાલીન’ ધ્યાનમાં રાખશે. ઉમાશંકરની ‘ગુજરાત મોરી મોરી’ને, નર્મદની ‘ગરવી ગુજરાત ’ને અને ગુજરાતનો નાથ આલેખનાર કનૈયાલાલ મુનશીની ‘ગુજરાતની અસ્મિતા’ને ‘સમકાલીન’ સલામ કરે છે. દોહ્યલી ગુજરાતવાળા મહાત્મા ગાંધી, લોખંડી વલ્લભભાઈ પટેલ અને શહીદ બળવંતરાય મહેતાએ ગુજરાતને બક્ષેલા ગૌરવનું ‘સમકાલીન’, પક્ષાપક્ષીથી દૂર રહીને, જતન કરશે.