વાત મોડેમોડેથી સમજાય છે
કાળ આવે કાળ પણ બદલાય છે.
ભાગ જ્યાં પણ હાટડી લઈ બેસે ત્યાં
કાણો પૈસો લાખોમાં વેચાય છે.
ભીડ ટાણે ભાગતા ભડવીરની
ખાનદાની ટાકણે પરખાય છે.
પાંખને ગીરે મૂકી પારેવડું
સોને મઢ્યાં પાંજરે પસ્તાય છે
પૂછતા પંડિત થનારા ના રહ્યા
ભોળા થઇ સૌ કામ કાઢી જાય છે
રોજગારીના હુનર બદલી ગયા
બોલવાથી બોર ક્યાં વેચાય છે.
નૃપની નિર્દયતા પૂજાય ત્યાં
પ્રાણવાયુ પ્રાણઘાતક થાય છે.
e.mail : sahilkandoi@yahoo.com
![]()


ઓપિનિયનમાં અભિવ્યક્તિની રૂંધામણ જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે. ભારત સંદર્ભે વાત કરીએ તો, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા થતી અભિવ્યક્તિની રૂંધામણ હવે જગજાહેર છે. ફ્રીડમ હાઉસના અહેવાલ અનુસાર, ભારતમાં પ્રેસ ફ્રીડમ ઉપર સતત આક્રમણ થાય છે. સરકાર આ માટે સંરક્ષણ (securty), બદનક્ષી (defamation), સત્તા સામે વિદ્રોહ (sedition) અને ન્યાયતંત્રનો અનાદાર (contempt of court) જેવા કાયદાઓનો હથિયાર તરકે ઉપયોગ કરે છે. પત્રકારોની કનડગત થાય છે. મોતની ધમકીઓ અપાય છે. એમના પર હુમલા થાય છે. અને ક્યારેક રહેંસી નંખાય છે. 2017માં ચાર અને 2018માં પાંચ પત્રકારોની હત્યા થઈ આને કારણે અહેવાલમાં ભારતને સ્વતંત્ર સમાજોના ક્રમમાં નિમ્ન કક્ષાએ (downgraded) ઉતારાયું, અને આંશિક રીતે સ્વતંત્ર(partly free)નું લેબલ ચોંટાડાયું.