Opinion Magazine
Number of visits: 9572133
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્યારે લખીશું શું?

શિલ્પા ભટ્ટ દેસાઈ|Opinion - Opinion|16 April 2021

હળવે હલેસે

“ભટ્ટજી, વાર્તા બહુ મોટી છે. કાપવી પડશે.”

“એમ? મને ય એવું લાગ્યું હતું, પણ પછી થયું કે ચાલી જાય તો ચલાવી દઈએ.”

“નથી ચાલે એવું. હવે આપણી પાસે ડેડ લાઈન પૂરી થવામાં છે. તો તમે વેળાસર ઍડિટ કરી આપશો કે અહીં કોઈ કાપે?”

“ના ભઈઈઈ … જોજો હોં … અમે હમણાં જ મોકલીએ છીએ. એક કામ કરીએ ? નવી જ વાર્તા કે લેખ આપીએ તો કેમ રહેશે? તમે કઈં ના કાપતા.” ગભરાઈને અમે બોલવામાં ગરબડ કરી નાંખી. ને સામેવાળાએ તો “હા, એ વધુ સારું.” કહીને ફોન મૂકી દીધો.

પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થામાંથી લખવાનું આમંત્રણ મળ્યું એના અતિ ઉત્સાહમાં શબ્દમર્યાદા કરતાં લગભગ ત્રણગણું લખાણ લખાઈ ગયું. મૌલિક લખવું અને તે ય શબ્દમર્યાદામાં બંધાઈને એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. મોટા ભાગે શબ્દમર્યાદા જેટલા શબ્દો પૂરા કરતાં ય ભલભલા ચમરબંધી ફાટી પડે છે. ત્રણ ગણું વધુ લખાઈ જવા છતાં ય અમારા મનમાં અહંકાર સગીરે પ્રવેશ્યો નહીં એ ય પોતાની એક સિદ્ધિ જ કહેવાય, વળી!

ખેર, અમારે લખવા માટેની સામગ્રી તો લાવવાની નહોતી. હવે ‘લખીશું શું’નો વિચાર કરતાં કરતાં અમે ખાસ લેખ લખવા જ આણેલાં રાઇટિંગ પૅડ, પેન ખાનામાંથી બહાર કાઢયાં. રફ ડ્રાફ્ટ લખવા માટે ૨૦૧૬ની જૂની ડાયરી કાઢી. સારાં પાનાં હોવાથી લખવાની મજા આવશે એમ વિચારીને અમે મમતાથી પાનાં પર હાથ ફેરવ્યો. જાણે એ પાનું પણ અમને લખવા માટે નિમંત્રી રહ્યું હોય એમ લાગ્યું. આની પહેલાંની વાર્તા એક પ્રેમકથા હતી. વળી પેલો જાદુઈ ઇસ્કોતરો ખોલ્યો, જેમાં અમે વિષયવાર કટિંગ સાચવી રાખેલાં. આજે એ કામ લાગી જશે એવી કોને ખબર હતી!

ઓહો, આ તો કવિતા જેવું કંઈક રચાઈ જશે કે શું અમારાથી? ફરીથી થોડો વિચાર કર્યો અને ડાયરી ખોલી. ખાલી ડાયરીમાં સ્વસ્તિકનું શુભ ચિહ્‌ન દોરીને શરૂઆત કરેલી તો એમાં કોઈ જ સમસ્યા સર્જાઈ ન હતી એ અમને બરાબર યાદ હતું. આમ તો અમે એવા બધાં શુકન-અપશુકનમાં માનતા નથી, પણ આ કેસમાં અમે હવે કોઈ ચાન્સ લેવા માંગતા ન હતા, યુ સી. લાલ રંગની સ્કૅચપેન શોધી એમાં થોડું મોડું થયું. પણ જેમ થતું હોય એમ જ થાય. કોઈ જગ્યાએ ભૂરા રંગનો સ્વસ્તિક ચીતરેલો જોયો નથી. રસોઈ, બાળઉછેર, ઘરશણગાર, પર્સનાલિટી ડેવલોપમેન્ટ વગેરે વગેરે જેવા વિષયો અમારે મન ચૅલેન્જિંગ નથી. રસોઈમાં એક-બે ગરબડ થાય પછી ઑટોમૅટિક આવડી જ જાય, તેનું કંઈ રૉકેટ સાયન્સ નથી. બાળકો ય કંઈ આખી જિંદગી બાળક રહેવાનાં નથી. ઘરશણગારમાં આર્ટિફિશિયલ કે સાચા ફૂલનાં બેચાર કૂંડાં આમતેમ ગોઠવી દઈએ કે વાત પૂરી. પર્સનાલિટી તો આંતરિક બાબત છે. જેટલું અંતરમન સ્વચ્છ એટલી જ બાહ્ય છબી ચમકદાર! એમાં કંઈ ધાડ મારવાની નથી. આ ચાર ટૉપિક ઊંચા મૂકયા એટલે વિચારવાના રહ્યા આર્થિક અને સાહિત્યિક મુદ્દા!

હજુ હમણાં જ બજેટ રજૂ થયું છે. એટલે બૅક ઑફ માઇન્ડમાં દેશની નાણાકીય હાલત વિશે તરોતાજા ખયાલો ભરેલા જ છે. તેમ છતાં ય રેફરન્સ માટે પેલાં સંકટ સમયની સાંકળ સમાં કટિંગ્સ ઉથલાવ્યાં. આર્થિક બાબત આવે એટલે અખબારોમાં ગુલાબી ગુલાબી રંગ થઈ જાય. પિંક ફૉર ગર્લ ને બ્લુ ફૉર બૉય, એવું અંગ્રેજીમાં કંઈક કહેવાય છે, પણ આ આર્થિક બાબતો જેવા કઠોર મુદ્દાઓમાં કોમળ ગુલાબી રંગની હાજરી શું કરે છે એ હજી અમને સમજાયું નથી. ઍની વે, આર્થિક બાબતો અમારા માટે ખાસ માયને નહીં રખતી, ક્યોંકિ મુન્નાભાઈ કે રેડિયો-ટી.વી. સિવાય ચણા, જીરું જેવી કૉમૉડિટીમાં ય સર્કિટ આવે એ જ્ઞાન અમને માફક આવ્યું નથી.

કવિતા કરવાનો વિચાર પણ ઝબકી ગયો, પણ વરસાદી ફુદાં જેવો આ વિચાર અલ્પાયુષી નીકળ્યો. ગાંધીજી ભલે ખરાબ અક્ષરને અધૂરી કેળવણી માનતા, પણ કવિતામાં છંદ ન આવડતા હોય તો અમારા નમ્ર મતે એ પણ અધૂરી કેળવણીની નિશાની જ છે. એક વાર જાણીતા કવિ શ્રી સુરેશ દલાલને એમનાં કોઈ પ્રશંસક બહેને સારી કવિતામાં શું હોવું જોઈએ એ વિશે વિસ્તારથી સમજાવવા કહેલું. જવાબમાં સુરેશ દલાલે લાક્ષણિક શૈલીમાં કહેલુંઃ “બહેન, મારું નામ સુરેશ દલાલ છે. તરલા દલાલ નહીં કે હું તમને કવિતાનાં ઇન્ગ્રેડિયન્ટ્‌સ કહી શકું.” ખેર, સાદા વાક્યમાં ક્રિયાપદ છેલ્લે લખવાને બદલે વચ્ચે ક્યાંક ગોઠવી દેવાથી એ કવિતાની પંક્તિ કહેવાય છે. પછી તો છેલ્લાં શબ્દમાં પ્રાસ બેસાડતા જવાથી એ કવિતા બને એવી સમજ પડી … પણ છંદ અને અલંકાર તો ન આવડયા તે ન જ આવડયા. એટલે બહુજનહિતાય વિચારીને કવિતા ય બાજુ પર હડસેલી.

ગંભીર પ્રકારના લેખો કે બહુ વિચારવું પડે એવું લખવાથી ભાષાભંડોળ સારું હોવાની છાપ પડે છે એટલું જ. બાકી આપણો માંહ્યલો તો આપણી ગત જાણતો જ હોય છે. જેમ જેમ સમય પસાર થતો જતો હતો, એમ એમ અમારા લેખનના વિષયો ખૂટતા જતા હતા. અચાનક પુસ્તકનો રિવ્યુ લખવાનો વિચાર આવ્યો. આફરીન આફરીન … બધાં કટિંગ્સ પાછાં યથાસ્થાને મૂકયાં. પુસ્તક શોધવાની શરૂઆત કરી. નાનું પુસ્તક લેવાથી ઓછા સમયમાં વંચાઈ જશે અને પછી એ બીજા કોઈને વાંચવા પણ આપી દેવાશે. આમ, ‘વાંચે ગુજરાત’ અને ‘તરતાં પુસ્તક’ યોજનામાં અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી સમ ફાળો આપ્યો ગણાશે. દેશદાઝ હોય ત્યારે માણસ કેવાં કેવાં સાહસો કરતો હોય છે! તો આપણાથી આ એક નાનકડું કામ નહીં થઈ શકે? અમને આમ તો અભિમાન નથી હોતું, પણ આ વાતે અમને કહેવા દો કે અમે પોરસાયાં છીએ. અમારું ૫૦ ટકા જેટલું કામ તો થઈ ગયું. શું લખવું છે એ નક્કી થઈ ગયું એટલે બેડો પાર. હવે પુસ્તક મળે અને અમે લખીએ એટલે પૂરું. આપેલો સમય સચવાઈ જશે એ નક્કી.

(આ જ શીર્ષકના નવજીવન સામ્પ્રત પ્રકાશનમાંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 16

Loading

पीछे की ओर यात्राः ज्ञानवापी मस्जिद

राम पुनियानी|Opinion - Opinion|16 April 2021

वाराणसी की जिला अदालत ने भारतीय पुरातत्व सर्वेक्षण (एएसआई) को ज्ञानवापी मस्जिद के अतीत की पड़ताल करने का निर्देश दिया है. उपासना स्थल (विशेष उपबंध) अधिनियम 1991 के अनुसार, सभी आराधना स्थलों में वही यथास्थिति रहेगी जो स्वाधीनता के समय थी. ऐसी खबर है कि उच्चतम न्यायालय इस अधिनियम का पुनरावलोकन करने वाला है.

जिस समय बाबरी मस्जिद को ढ़हाने का भीषण अपराध किया जा रहा था उसी समय यह नारा भी लग रहा था "ये तो केवल झांकी है, काशी-मथुरा बाकी है". बाबरी मस्जिद अभियान काफी लंबे समय तक चला था. इस दौरान रथयात्राएं निकलीं, खून-खराबा हुआ, एक समुदाय विशेष के खिलाफ नफरत फैलाई गई और पूरे देश को धर्म के आधार पर बांट दिया गया.

ऐसा दावा किया गया था कि जिस स्थान पर बाबरी मस्जिद है, ठीक उसी स्थान पर भगवान राम का जन्म हुआ था और यह भी कि वहां एक मंदिर था जिसे गिराकर मुगल बादशाह बाबर ने मस्जिद का निर्माण करवाया था. न तो कभी यह साबित हुआ कि राम का जन्म इसी स्थान पर हुआ था और ना ही यह कि बाबरी मस्जिद को किसी मंदिर को गिराकर बनाया गया था. ज्ञानवापी मस्जिद के मामले में तो यह स्पष्ट है कि उसे मंदिर के स्थान पर ही बनाया गया है. इस मामले में एएसआई के पास अध्ययन करने के लिए कुछ विशेष है नहीं.

कुछ साल पहले तक निशाने पर बाबर था ("बाबर की औलाद, जाओ पाकिस्तान या कब्रिस्तान" आदि). इन दिनों बाबर से कुछ पीढ़ियां बाद भारत का बादशाह बना औरंगजेब निशाने पर है. उसे सबसे दुष्ट और पतित हिन्दू विरोधी मुगल बादशाह बताया जा रहा है जिसने न जाने कितने मंदिर तोड़े और न जाने कितने हिन्दुओें को तलवार की नोंक पर मुसलमान बनाया. इस प्रचार में जुटे लोगों को न तो हिन्दुओं से प्रेम है और ना मंदिरों से. वे तो सिर्फ वोट कबाड़ना चाहते हैं. वे नहीं चाहते कि लोग यह याद रखें कि जिस स्थान पर औरंगजेब ने मस्जिद बनवाई थी उससे कुछ दूरी पर वह स्थल था जहां उस्ताद बिसमिल्ला खां हिन्दू देवी-देवताओं की शान में शहनाई बजाते थे.

जिस तरह पांचों उंगलियां एक सी नहीं होतीं उसी तरह राजा-महाराजा भी एक से नहीं थे. न तो सारे हिन्दू राजा साधु थे और ना ही सभी मुस्लिम राजा दुष्ट. मुस्लिम राजाओं में अकबर जैसे लोग भी थे जिन्होंने सुलह-ए-कुल (विभिन्न धर्मों के बीच एकता) की बात की और एक नए धर्म, दीन-ए-इलाही, का प्रस्ताव किया जिसमें सभी धर्मों की अच्छी बातों का समावेश था. औरंगजेब का भाई दारा शिकोह संस्कृत का विद्वान था और उसने उपनिषदों का फारसी भाषा में अनुवाद करवाया था. उसकी पुस्तक मजबा-उल-बहरीन में भारत की तुलना एक ऐसे महासागर से की गई है जो हिन्दू धर्म और इस्लाम रूपी समुद्रों के मिलन से बना है.

औरंगजेब धार्मिक मामलों में अपेक्षाकृत अधिक कट्टर था और उलेमा के अधिक नजदीक था. परंतु अकारण हिन्दू मंदिरों को नष्ट करना उसकी नीति नहीं थी. बनारस और वृंदावन के पंडितों को जारी फरमान में औरंगजेब ने पुराने मंदिरों की मरम्मत करने की इजाजत दी थी. उसकी यह नीति थी कि देश में नए मंदिर नहीं बनने चाहिए. उसके शासनकाल में कुछ मंदिरों को नष्ट भी किया गया था. कई बार मंदिर विजित राजा को अपमानित करने के लिए ढ़हाए जाते थे और कई बार इसलिए क्योंकि उनमें अनैतिक अथवा राज्य-विरोधी गतिविधियां होतीं थीं. आंड्रे ट्रश्के के अनुसार सन् 1669 में काशी के विश्वनाथ मंदिर और मथुरा के केशवदेव मंदिर को इसलिए ढ़हाया गया था क्योंकि मंदिर से जुड़े हुए लोगों ने बादशाह के खिलाफ कोई राजनैतिक कदम उठाए थे. साकी मुस्तैद खान ने मआसिर-ए-आलमगीरी शीर्षक से औरंगजेब का जीवन वृत्त लिखा है. इस पुस्तक में कहा गया है कि विश्वनाथ मंदिर का ढ़हाया जाना एक अपवादात्मक घटना थी. औरंगजेब ने ऐसा कोई फरमान जारी नहीं किया था कि देश में सभी हिन्दू मंदिरों को ढ़हा दिया जाए.

दूसरी ओर औरंगजेब के ऐसे फरमान उपलब्ध हैं जिनमें उसने हिन्दू मंदिरों, ब्राम्हणों और मठों, जिनमें देहरादून का गुरू रामदास मंदिर और वृंदावन का वैष्णव मंदिर शामिल है, को सरकार की तरफ से अनुदान दिए जाने के आदेश दिए थे. नागौर के नाथपंथी जोगियों को औरंगजेब ने दान दिया था और राजस्थान के सीवान परगना के पंथ भारती को सौ बीघा जमीन दी थी. औरंगजेब द्वारा जारी ऐसे फरमान भी उपलब्ध हैं जिनमें बादशाह ने अपने अधिकारियों से कहा है कि वे मंदिरों के मामलों में अनावश्यक हस्तक्षेप न करें. आसाम के उमानंद मंदिर को भी औरंगजेब ने शाही खजाने से अनुदान दिया और भगवत गौसाईं नामक एक हिन्दू साधु को जमीन दी. इन सबके दस्तावेजी प्रमाण उपलब्ध हैं. औरंगजेब ने चित्रकूट में बालाजी मंदिर की मदद करने के लिए महंत बालकदास को जमीन का एक बड़ा टुकड़ा दान में दिया था. वाराणसी में जंगमबाड़ी नामक एक स्थान है जहां शैव रहते हैं. इस स्थान पर मुगल राजाओं की विशेष कृपा थी और औरंगजेब ने इस परंपरा को जारी रखा.

पुरातत्वविद् रिचर्ड ईटन के अनुसार देश भर में दसियों हजार हिन्दू और जैन मंदिर थे, जिनमें से कुल 10-15 को औरंगजेब के शासनकाल में तोड़ा गया होगा. राजाओं के शासन चलाने के अपने तरीके हुआ करते थे. वे अपनी प्रजा को साथ लेकर भी चलना चाहते थे और वही प्रजा उनकी आय का स्त्रोत भी हुआ करती थी. अन्य मुगल बादशाहों की तुलना में औरंगजेब निश्चित तौर पर अधिक कट्टरपंथी था. साथ ही यह भी सही है कि उसकी हर कार्यवाही और निर्णय को साम्प्रदायिक चश्मे से देखा जाता है. औरंगजेब ने कुछ मंदिरों को दान दिया तो कुछ को ढ़हाया. दोनों के पीछे अलग-अलग कारण थे. हमें यह भी नहीं भूलना चाहिए कि मुगल बादशाहों में औरंगजेब का साम्राज्य सबसे बड़ा था और वह 49 साल तक हिन्दुस्तान का बादशाह था.

साम्प्रदायिक राजनीति करने वालों ने अयोध्या मुद्दे का खूब फायदा उठाया और अब बारी काशी की है. आखिर कब तक हम इतिहास का प्रयोग समाज को बांटने के लिए करते रहेंगे? हाल में अयोध्या में राम मंदिर के निर्माण के लिए जमीन का समतलीकरण करते समय कुछ पुरातात्विक अवशेष मिले. पहले उन्हें शिवलिंग बताया गया परंतु गहन जांच करने पर यह सामने आया कि वे बौद्ध अवशेष थे जिन पर अजंता-एलोरा की गुफाओं की तरह चित्र उत्कीर्ण हैं. ब्रिटिश पुरातत्ववेत्ता पैट्रिक कारनेजी के अनुसार बाबरी मस्जिद के निर्माण में जिन कसौटी स्तंभों का प्रयोग किया गया है वे वाराणसी और अन्य स्थानों में मिले बौद्ध स्तंभों जैसे हैं.

सवाल यह है कि हमें आगे जाना है या पीछे. हमें अपने गरीबों और वंचितों की देखभाल करनी है, हमें यह सुनिश्चित करना है कि भारतीय संविधान का पूर्णतः पालन हो, हमारे देश की एकता और अखंडता कायम रहे, हमारे नागरिकों के मानवाधिकार सुनिश्चित हों और उनकी भौतिक समृद्धि उनके नागरिक अधिकारों की कीमत पर न हो.

गड़े मुद्दे उखाड़ने से कुछ मिलने वाला नहीं है. अगर देश में मंदिरों को गिराकर मस्जिदें बनाई गईं थीं तो बौद्ध विहारों को ढ़हाकर मंदिर भी बनाए गए थे. हम आखिर कितने पीछे जाएंगे? क्या हमारा आराधना स्थल वह होगा जो आज से 200 साल पहले हमारा था, या 500 साल पहले, या 1000 साल पहले या 5000 साल पहले और बीच के सैकड़ों या हजार साल तक किसी अन्य धर्म का आराधना स्थल रहा? क्या हमारे वास्तविक आराधना स्थल वे नहीं हैं जहां बीमारों को इलाज मिलता है और निरक्षरों को शिक्षा. हमें 1991 के अधिनियम को गंभीरता से लेना होगा.

(अंग्रेजी से हिन्दी रूपांतरण अमरीश हरदेनिया)

Loading

સમસ્યાનું સરળીકરણ કરનારી સરકારના કહ્યે ભ્રામક સુખમાં રાચનારાઓને શું કહેવું હવે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 April 2021

સમસ્યા જ્યારે વિકટ અને જટિલ હોય અને ઉપાય જ્યારે દૃષ્ટિ, મહેનત અને ધીરજ માગી લેનાર હોય ત્યારે તેનું સરળીકરણ કરવામાં આવે છે. જેમ કે કોઈ શારીરિક વ્યાધિ હોય અને ધોરણસરના વૈદકશાસ્ત્રનો કોઈ ઉપાય કારગર ન નીવડતો હોય ત્યારે બાવાઓ, બાપુઓ, તાંત્રિકો, ઊંટવૈદો વગેરે તેનો લાભ લેતા હોય છે. જો કોઈ પેચીદી આર્થિક મુશ્કેલી હોય ત્યારે પણ ધુતારાઓ તેનો લાભ લેતા હોય છે. બાપુઓના માંડવામાં આળોટવાથી શાંતિ મળે પણ સમસ્યા ન ઉકલે એટલે ઘેર આવે ત્યારે હતા ત્યાંને ત્યાં. આવું ક્યારેક રાષ્ટ્રજીવનમાં પણ બનતું હોય છે અને વૈશ્વીકરણના જમાનામાં વૈશ્વિક સ્તરે પણ બનતું હોય છે, બની રહ્યું છે.

૨૦૦૮ પછી વિકાસનો વૈશ્વિક રથ અટકી પડ્યો છે, કહો કે ફસાઈ પડ્યો છે. વિશ્વના અલગ અલગ દેશો આમ તો એક સરખી પણ પોતાના રાષ્ટ્રના સંદર્ભે અલગ અલગ સમસ્યામાં ફસાઈ પડ્યા છે. ભારતના ઉંબરે સંકટ આવ્યું ત્યારે ભારતના વડા પ્રધાન વિશ્વ જેને સાંભળતું હતું એવા બાહોશ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ હતા. તેઓ કોઈ ઉપાય અજમાવી ન શક્યા. કાં તો તેમની પાસે કોઈ ઉપાય નહોતો અને કાં તેમના ઉપાયને અજમાવવા દેવાની અનુકૂળતા નહોતી. સાચી વાત શું છે એ આપણે જાણતા નથી. કોઈ બાહોશ ડોક્ટર જવાબ આપી દે અને એ પછી ઊંટવૈદો પ્રવેશ કરે એમ જ ભારતમાં પણ બન્યું. ડૉ. મનમોહન સિંહ ઘૂંટણીએ પડતાની સાથે જ કેટલાક લોકો મેદાનમાં આવી ગયા.

અરવિંદ કેજરીવાલ અને તેમના મિત્રો અન્ના હજારેને આગળ રાખીને દિલ્હીમાં જન્તરમન્તર રોડ ઉપર બેસી ગયા અને સમસ્યાનું સરળીકરણ કરતાં કહ્યું કે ભારતની સમસ્યાનું એક માત્ર કારણ ભ્રષ્ટાચાર છે. અમે કહીએ એવું જનલોકપાલ બીલ દાખલ કરો અને એક ચપટી વગાડતા ભારતમાં રામરાજ્ય સ્થાપિત થઈ જશે. કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના, પણ જોતજોતામાં એવો માહોલ બન્યો કે જનલોકપાલ જ જાણે કે જડીબુટ્ટી હોય. એ જોઇને કેટલાક લોકોને સમજાઈ ગયું કે ભારતની પ્રજા ધારવા કરતાં વધારે હતાશ છે અને વિકલ્પની ખોજમાં છે. પ્રજા એટલી હતાશ છે અને વિકલ્પ માટે એટલી ઉતાવળી છે કે તેને જે પકડાવી દઈશું એ પકડી લેશે.

૨૦૧૧ના એપ્રિલ મહિનાના જન્તરમન્તરના પ્રયોગ પછી માદળિયાં વેચનારા નજુમીઓ વચ્ચે હરીફાઇ શરૂ થઈ. એ પહેલાં તેઓ બધા દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થા વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતા હતા અને રણનીતિ બનાવતા હતા. દરેકને એક બીજાના સહારાની જરૂર હતી. સંઘ પાસે સ્વયંસેવકોની ફોજ હતી, બાબા રામદેવ પાસે ભગવાં વસ્ત્રો હતાં, અરવિંદ કેજરીવાલ પાસે બોલવાની અને અવસર પારખવાની આવડત હતી અને અન્ના હજારે પાસે ત્યાગ અને પ્રામાણિકતાની મૂડી હતી. બધાએ પડદા પાછળ રહીને અન્નાની મૂડીનું રોકાણ કરવાનું નક્કી કર્યું. પણ અન્ના સહિત બધાના આશ્ચર્ય વચ્ચે જન્તરમન્તરમાં એ ટૂંકી મૂડી નરસિંહ મહેતાની હૂંડી સાબિત થઈ. અન્નાનો એક રૂપિયો એક અબજનો સાબિત થયો.

ના, આ ન ચલાવી લેવાય. અન્નાની મૂડી વટાવીને અરવિંદ કેજરીવાલ આગળ નીકળી જશે, માટે કોઈ ઉપાય કરવો જોઈએ. વળી પ્રજા એટલી હતાશ અને વિકલ્પ માટે તલસે છે કે અન્ના શું, આપણે પણ પ્રજાને ઉપાયનું માદળિયું પહેરાવી શકીએ એમ છીએ. બાબા રામદેવે અલગ પડીને પહેલો કૂદકો માર્યો, પણ તેમને કૂદકો મોંઘો પડ્યો. ૨૦૧૧ના જૂન મહિનામાં બાબા રામદેવ દિલ્હીમાં રામલીલા મેદાનમાં ઉપવાસ કરવા બેઠા હતા. સરકારે રાતે બાબાની ધરપકડ કરવા પોલીસ મોકલી તો ડરી ગયેલા બાબા મંચ પરથી કૂદકો મારીને ભાગી ગયા. પછીથી કોઈક જગ્યાએ સંતાઈને તેમણે સ્ત્રીનાં કપડાં પહેર્યાં અને દિલ્હીની બહાર ભાગવાની કોશિશ કરી. તેઓ સ્ત્રીનાં વેશમાં પકડાયા હતા એ યાદ હશે. આમ બાબા રામદેવે ઉપાય અને ઈજ્જત બન્ને ગુમાવી દીધાં અને ભારતની પ્રજાને માદળિયું પહેરાવવાની હરીફાઇમાંથી કાયમ માટે ફેંકાઈ ગયા.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોયું કે પ્રજા વિકલ્પ માટે અધીરી છે અને જો અત્યારે મેદાનમાં વિકલ્પ લઈને નહીં આવીએ તો અન્ના હજારેને વેચીને અરવિંદ કેજરીવાલ બાજી મારી જશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ આવો જ મત હતો એટલે વિવેકાનંદ ફાઉન્ડેશનમાં મળતી બેઠકો બંધ થઈ ગઈ. હવે નજૂમીઓ હરીફાઇમાં ઉતર્યા હતા અને એકબીજાના પ્રતિદ્વંદ્વી હતા. એમાં નરેન્દ્ર મોદી બાજી મારી ગયા. બીજા લોકો તો ઉપાય બતાવતા હતા કે જુઓ આ માદળિયું પહેરશો તો લાભ થશે, વગેરે. એની વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાને તો ગુજરાતીને જ દેશની સમક્ષ ઊભો રાખીને કહ્યું કે જોઈ લો, તમારી સગી આંખે જોઈ લો આ મારા ગુજરાતીને! છે ને સુખી, તંદુરસ્ત અને પ્રસન્ન? આ આપણા કારણે.

અને એ પછી ચારે ય બાજુ સુખી, તંદુરસ્ત અને પ્રસન્ન ગુજરાતીને પ્રોજેક્ટ કરવામાં આવ્યો તે ત્યાં સુધી કે માંદા અને દુઃખી ગુજરાતીને પણ એમ લાગવા માંડ્યું કે તે ખરેખર જગતમાં સૌથી સુખી, તંદુરસ્ત ને પ્રસન્ન છે. એટલું જ નહીં, જે કોઈ ગુજરાત અને ગુજરાતીને જુએ એને તેના પર આભામંડળ દેખાય અને એ જોઇને ગદગદ થઈ જાય, પછી વાસ્તવિકતા ભલે તેનાથી જુદી હોય. સમસ્યાનું સરળીકરણ કરનારાઓ નરેન્દ્ર મોદીના સુખમાં હિલોળા લેતા ગુજરાતી સામે પરાજીત થયા. સાક્ષાત્‌ દૃષ્ટાંત હતું. આવા બનવું છે તો આવો મારી સાથે.

આજે? સમસ્યા વધુ વકરી છે. કોઈ પાસે ઉપાય તો હતો જ નહીં, સરળીકરણ જ હતું. ૨૦૧૧માં જે લોકો વિકલ્પ માટે અધીરા હતા એ બે ભાગમાં વહેંચાઇ ગયા છે. હિંદુ કોમવાદીઓને હવે  વિકલ્પની તલાશ કરવામાં રસ નથી. તેઓ વિકાસના ગુજરાત મોડેલને ભૂલી ગયા છે. ગુજરાત બી.જે.પી.ના અધ્યક્ષ પાસેથી પાંચ હજારની સંખ્યામાં કોરોનાની બીમારીમાં ઉપયોગી એવા રેમેડીસીવરના ઇન્જેક્શન મળે તો પણ કોઈ શરમ અનુભવતા નથી. ભક્તો તો કહેશે કે એ ગરીબોને વહેંચવા માટે ભેગાં કરવામાં આવ્યાં હતાં. તમે પૂછશો કે પાંચ હજારની સંખ્યાનો પુરવઠો ભેગો થાય એ પછી જ ગરીબોને જીવતા રાખી શકાય એવું હતું તો મૂંગા થઈ જશે. 

અને બાકીના લોકો છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 ઍપ્રિલ 2021

Loading

...102030...1,9321,9331,9341,935...1,9401,9501,960...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved