ઉત્તર પ્રદેશમાં એ જ રમત શરૂ થઈ છે જે વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજાં રાજ્યોમાં રમવામાં આવી હતી. વિરોધ પક્ષોના નેતાઓને અને વિધાનસભ્યોને તોડવાના. કાં ખરીદીને અને કાં ડરાવીને. ગયા માર્ચ મહિનામાં આ જ રીત પશ્ચિમ બંગાળમાં અને પોંડીચેરીમાં નેતાઓને અને વિધાનસભ્યોને તોડવામાં આવ્યા હતા. પોંડીચેરીની સરકારને ચૂંટણી પહેલા તોડી નાખવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની સરકારને તોડવી મુશ્કેલ હતી, પરંતુ માહોલ એવો પેદા કરવામાં આવ્યો હતો કે બસ, ચૂંટણી યોજાય એટલી વાર છે, પશ્ચિમ બંગાળ ભા.જ.પ.ની ઝોળીમાં આવી પડવાનું છે.
ઉદ્દેશ છે આ કોલમમાં કેટલીકવાર કહ્યું છે એમ વિરોધ પક્ષોની પોલિટિકલ સ્પેસ આંચકી લેવાની. ધોરણસરનું શાસન કરીને નહીં અને ધોરણસરનું રાજકારણ કરીને પણ નહીં; પરંતુ અનૈતિક તાકાતનો ઉપયોગ કરીને. જે લોકો નરેન્દ્ર મોદીની સરકારનો વિરોધ કરે છે, પ્રશ્નો કરે છે, વિકલ્પનો વિચાર કરે છે તેની પાસે કોઈ વિકલ્પ જ ન બચવો જોઈએ. પૈસાનો તો કોઈ તોટો નથી. ચૂંટણીપંચે હમણાં બે દિવસ પહેલાં બહાર પાડેલા આંકડા મુજબ ૨૦૧૯-૨૦૨૦ના નાણાંકીય વરસમાં બી.જે.પી.ને ૭૮૫ કરોડનું ચૂંટણીભંડોળ મળ્યું હતું. કૉન્ગ્રેસને બી.જે.પી.થી પાંચમાં ભાગનું ૧૩૯ કરોડ રૂપિયાનું ચૂંટણીભંડોળ મળ્યું હતું. બાકીના રાજકીય પક્ષો એક કરોડથી લઈને ૨૦ કરોડ રૂપિયાની વચ્ચે છે.
રમત એવી છે કે જો વિરોધ પક્ષો ખતમ થઈ જાય તો બી.જે.પી.નો વિરોધ કરનારા નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ ન બચે અને પરાજીત પક્ષોને કોઈ પૈસા ન આપે. પશ્ચિમ બંગાળમાં કોર્પોરેટ કંપનીઓ ત્યાં સુધી રાજકીય પક્ષોને પૈસા આપે જ્યાં સુધી તે જે તે રાજ્યમાં શાસન કરતો હોય. જ્યારે કોઈ રાજકીય પક્ષ પાસે સત્તા જ ન હોય તો એ મૂડીપતિઓને શું મદદ કરી શકવાનો હતો અને કોઈ પૈસા આપે શું કામ? પૈસાના અભાવમાં કાર્યકર્તાઓને ટકાવી રાખવા મુશ્કેલ પડે અને ધીરેધીરે પક્ષ સંકેલાઈ જાય. એક દિવસ એવું બને કે દેશમાં એક જ રાજકીય પક્ષ બચે. છેવટે લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીનું કાસળ કાઢી નાખવાનું. દેશમાં અત્યારે આ બની રહ્યું છે. આની વચ્ચે કાળાં વાદળને રૂપેરી કોર જેવી ઘટના એ છે કે પશ્ચિમ બંગાળમાં બી.જે.પી.નું નાક કાપનાર તૃણમૂલ કૉન્ગ્રેસને માત્ર આઠ કરોડનું ભંડોળ મળ્યું હતું અને છતાં વિજય મેળવ્યો હતો. જો તાકાત હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ટાંચા સાધને પણ ચૂંટણી જીતી શકાય છે એનું ઉદાહરણ મમતા બેનર્જીએ બતાવી આપ્યું છે. ભારતના રાજકીય પક્ષોમાં મમતામિજાજની જરૂર છે.
હમણાં કહ્યું એમ પૈસા તો અઢળક છે અને ઉપરથી હાથમાં સત્તા પણ છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં મુશ્કેલી એ છે કે ત્યાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું સાગમટે નાક કપાયું છે. વળી ચૂંટણી નજીક આવી રહી છે. ધોરણસરનું શાસન તો કર્યું જ નથી અને એની કોઈ આવડત કે ઈરાદો પણ નથી. ઊલટું શાસનના અભાવનો લોકોને અનુભવ થયો છે. જેમ પશ્ચિમ બંગાળમાં પૈસો અને ખરીદી કામ ન આવી એમ ઉત્તર પ્રદેશમાં ન આવે તો? પશ્ચિમ બંગાળમાં તો પક્ષ સત્તામાં નહોતો એટલે નિષ્ફળતાઓ માટે કોઈ તેને જવાબદાર ઠેરવવાનું નહોતું, પણ ઉત્તર પ્રદેશમાં શું કરવું? આ ઉત્તર પ્રદેશની ભૂમિમાં તો દેશનું આખા જગતમાં નાક કપાયું છે.

courtesy : Satish Acharya
પહેલા તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને બલીનો બકરો બનાવવાનું વિચારવામાં આવ્યું હતું. ઘણા પ્રયાસ કરી જોયા હતા. પક્ષના નેતાઓ દ્વારા તેમની નિંદા કરતાં નિવેદનો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના નેતાઓને ઉત્તર પ્રદેશમાં મતદાતાઓના મૂડનો ક્યાસ કાઢવા અને યોગીને સમજાવવા લખનૌ મોકલ્યા હતા. એમ કહેવાય છે કે યોગી ટસના મસ નહોતા થયા. વાચકોને કદાચ જાણ હશે કે તેઓ સંઘમાંથી નથી આવતા અને ભૂતકાળમાં ભા.જ.પ.વિરોધી પ્રવૃત્તિ પણ કરી છે. યોગીએ ખુલ્લો બળવો કરવાની ધમકી આપી હતી. દેખીતી રીતે યોગી બળવો કરે એ બી.જે.પી.ને અત્યારની સ્થિતિમાં બિલકુલ ન પોસાય. બધી જ પ્રાકારની તાકાત હોવા છતાં કોરોનાસંકટને હાથ ધરવામાં જે નિષ્ફળતા મળી છે એ જોતા ચૂંટણીપરિણામો વિષે પક્ષ ડરેલો છે.
યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પક્ષના પ્રમુખ જે.પી. નડ્ડાની મુલકાત લીધી હતી. મુલાકાતને અંતે પક્ષના પ્રમુખ નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું હતું; ‘ઉત્તર પ્રદેશ કે યશસ્વી મુખ્ય મંત્રીજી સે મુલાકાત કી.’ યોગી આદિત્યનાથને યશસ્વી તરીકે ઓળખાવવા પડ્યા છે. આનું શું તાત્પર્ય? જો નાગાઈ કરવામાં કોઈ સવાયો હોય તો તેને પડકારવો મુશ્કેલ બને છે.
આમ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ નામનો બી.જે.પી.નો બોજો કાયમ રહેશે એમ લાગે છે. જો અખિલેશ યાદવ મમતા બેનર્જીની માફક કમર કસી શકશે, થાક્યા વિના લડત આપશે અને જરૂરી રાજકીય સમજૂતી થશે તો દેશનું રાજકારણ નવો વળાંક લઈ શકે એમ છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 13 જૂન 2021
![]()


થોડા વખત પહેલાં સુએઝ કેનાલ બ્લોક થઇ ગઇ હતી અને આખી દુનિયામાં દરિયાઇ માર્ગે થતા વ્યાપારની ચર્ચા થઇ. દરિયાઇ માર્ગોની મહત્તાની વાત કરવી હોય તો આપણે યાદ કરવું રહ્યું કે વાસ્કો-ડી-ગામા પણ દરિયાઇ માર્ગે જ ભારત પહોંચ્યો હતો. ઇતિહાસ સાક્ષી છે કે દરિયા પરની સત્તા ભલભલા સામ્રાજ્યોના ઉદય અને અસ્તનું કારણ રહી છે. વિશ્વ આખાના વ્યાપાર અને વાણિજ્યમાં દરિયાઇ માર્ગો પર કોની ઇજારાશાહી છે તે બાબતનો હંમેશાં ઊંડો પ્રભાવ રહ્યો છે. 
ઉત્તર : અમદાવાદમાં મારો જન્મ અને ઉછેર, અને ત્યાં શરૂઆતના પાયાનાં વર્ષોની મારી નિશાળ શારદામંદિર, ત્યાર પછી હાઇ સ્કૂલ માટે હું બેંગ્લોરની વેલી સ્કૂલ, જે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, એમાં ગઈ. ત્યાં મેં ફાઈન આર્ટસ અને હ્યુમેનિટીઝનો અભ્યાસ કર્યો. ઘરનાં વાતાવરણ ઉપરાંત બાળપણમાં ગીત-સંગીત માટેનો પ્રેમ, માતૃભાષા માટેનો પ્રેમ, એ બધાનાં મૂળિયાં શારદા મંદિરમાંથી જ નંખાયાં. અને ૯-૧૦ વર્ષની ઉંમરથી જ મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી. એટલે અમદાવાદ છોડીને દક્ષિણમાં વેલી સ્કૂલમાં જવાનું થયું ત્યાં સુધીમાં કલાઓમાં મારો રસ પાકો થયો હતો અને હ્યુમેનિટીઝ ભણવાનો મારો પાયો નખાઇ ચૂક્યો હતો. પણ વેલી સ્કૂલમાં વિતાવેલો સમય એ મારે માટે મોટા અને મહત્ત્વનાં પરિવર્તનનો સમય હતો. ત્યાં જંગલ, જમીન, પ્રાણીઓ અને પ્રકૃતિની વચ્ચે રહીને શીખવાથી અને ખાસ તો નિશાળની શિક્ષણ પદ્ધતિથી અને એ કલ્ચરે મારું જીવન વિશેનું અને શિક્ષણ વિશેનું દૃષ્ટિબિંદુ બદલી નાખ્યું. શિક્ષણ પ્રત્યેની જીદ્દુ કૃષ્ણમૂર્તિની વિભાવનાથી હું તે વખતે અને પાછળથી મારી અંગત જીવનયાત્રા દરમ્યાન પણ, ખૂબ પ્રભાવિત રહી છું. ત્યાં બહુ જ સુંદર લેન્ડસ્કેપ છે, પ્રકૃતિનું શિક્ષણમાં કેટલું બધું મહત્ત્વ છે એ સભાનતા સાથે બનેલી આ સંસ્થા છે. ત્યાનો પરિસર જ એક બાળક માટે કે એક યુવાન માટે સૌથી મોટો શિક્ષક હતો. ત્યાની પદ્ધતિ સ્લેફ-સ્ટડીના પાયા પર રચાયેલી હતી. સાથે સાથે શાંત રહેવું, મૌન સાધવું, કલાઓનું મહાત્મ્ય, જાત વિશે સજાગતા અને જાત-તપાસ કરતાં રહેવું, જાત સાથેનો રોજબરોજનો જે સંબંધ છે એ વિકસવાનો અવકાશ …. આવું ઘણું બધું મને અહીંથી મળ્યું. એટલે હું બહુ જ ભાગ્યશાળી રહી.
ઉત્તર : કલા અંગે મારી જે સમજ, અભ્યાસ કે જે થોડો-ઘણો અનુભવ છે તે પરથી હું એમ સમજી છું કે કલા એક માર્ગ, એક માધ્યમ, એક વાહન છે જેના થકી અસ્તિત્વ વિશેની સમજ ઘડવાનો એક દૃષ્ટિકોણ કેળવાય. પણ કલાની વ્યાખ્યા કહીને કરવી મને અઘરી લાગે છે. એ વિચારી શકાય, વર્તી શકાય, અનુભવી શકાય, તો એ વધુ સમજી શકાય. પણ એટલું ખરું કે કલાનાં કોઇપણ માધ્યમ પાસે એક વ્યવસ્થા ઊભી કરવાની શક્તિ રહેલી છે. વ્યક્તિને વ્યવસ્થા તરફ લઇ જવાની ક્ષમતા કલામાં છે – એક એવી વ્યવસ્થા જે આપણે પ્રકૃતિમાં, પ્રાણીઓમાં, કે બ્રહ્માંડની ગતિવિધિઓમાં જોઈએ છીએ.
ઉત્તર : હા, ખૂબ જ. રસોડું એ મારા માટે બહુ મહત્ત્વનું છે. રસોઈ કામ એ બધું મને બહુ જ ગમે છે. રસોઈની પ્રક્રિયા ઘણી રીતે કલાસર્જનની પ્રક્રિયા જેવી છે. જેટલું ધ્યાન મારું સંગીતમાં છે એટલું જ ધ્યાન આ બધી પ્રવૃત્તિઓમાં છે. એટલે મારે માટે આ બધું જ જીવન જીવવાની પ્રક્રિયા છે. હું શાકાહારી છું એટલે દેશ-વિદેશની શાકાહારી વાનગીઓ બનાવું છું. હું ઘણાં સલાડ બનાવું છું. એ સિવાય મેં એક શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મેં એ બનાવી છે. એમાં પાંચ વિભાગો છે. એમાં કલાઓ અને સંસ્કૃતિ, ઇતિહાસ, ધર્મ, તત્ત્વજ્ઞાન વગેરે સમાજવિદ્યાઓનું એકીકરણ કરીને એમને જોવાં, અને કલા વિશેના અત્યારે દૃઢ થયેલા છે એની સામે પ્રશ્નો કરવાની નવી રીત, એ પ્રકારનાં શિક્ષણના એકમો મેં તૈયાર કર્યા છે. એટલે હું એમાં પણ કામ કરું છું. એ સિવાય બાગકામ, ખેતીકામ શીખું છું. સ્કેચ બનાવવા, ચિત્રો બનાવવામાં પણ મને પહેલેથી રસ છે. વાંચન-લેખન …. એ બધી મારા દિવસની મુખ્ય પ્રવૃત્તિઓ છે.