Opinion Magazine
Number of visits: 9456089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શારદામંદિરના શિક્ષક વશરામભાઇ બારડ

રીતિ શાહ|Opinion - Opinion|5 September 2025

લગભગ બે દાયકા પછી, ગયા મહિને, ‘દર્શક’ના દેશમાં અણધાર્યા મળી આવેલા શિક્ષક વશરામભાઈ. થોડાં વર્ષો પહેલા તેમના વિષે લખેલ એક નાનકડી પોસ્ટ –

વશરામભાઈ બારડ અને રીતિબહેન શાહ

આજે આમ તો નથી ગુરુપૂર્ણિમા કે નથી શિક્ષકનો જન્મદિવસ પણ જે શિક્ષકે આપણાં ઘડાતા  કિશોર મનને બંધિયાર પાઠ્યપુસ્તકની દુનિયા બહારના વિશાળ જગત વિષે વિચારતું કર્યું હોય તેમની વાત માંડવા શું ગુરુપૂર્ણિમા કે શિક્ષક દિવસની રાહ જોવી પડે? 

સમયના પ્રવાહમા ભૂલાઇ ગયેલા, સુષુપ્ત થઈ ગયેલા, અનેક સંબંધો ફેસબુકે પુન:જીવિત કરી આપ્યા. તેમાંના એક તે મારા શાળા જીવનના શિક્ષક વશરામભાઈ બારડ. આ શિક્ષક સાવ ભૂલાઇ ગયેલા એમ તો કેમ કહેવાય? સાઉથ દેલ્હીમાં જે.એન.યુ.ની પડખે મુનિરકાની અગાશીમાં ઘર માંડ્યું, ત્યારે મનમાં વશરામભાઈ સાથેના સહેજે દસ-બાર વર્ષ પૂર્વે કરેલા કુલુમનાલી પ્રવાસના દિવસો રમતા હતા. માત્ર પ્રવાસમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરવાથી જીવનનો આનંદ-મજા કઇંક નોખો જ અનુભવાય તેવા બીજ તે પ્રવાસે રોપ્યા હતા. 

અમદાવાદની જાણીતી શાળા શારદામંદિરના ગણિત અને વિજ્ઞાનના તે શિક્ષક. વિશાળ વાંચન ધરાવતા સાહેબના મનનો કબજો લીધો હતો.  તે દિવસોમાં લીધો હતો “ઝેર તો પીધા છે જાણી જાણી”ના ગોપાળબાપાએ. તે ભૂગોળ કે ગુજરાતીના શિક્ષક તરીકે પણ ચોક્કસ સફળ થયા હોત તેમ હું ખાતરીપૂર્વક કહી શકું. વિષય તો ગમે તે હોય, સ્થળ પણ ગમે તે હોય, શાળાની  ચાર દીવાલો વચ્ચેનો ઓરડો કે પછી હિમાલયના પહાડો, સારા નાગરિકોનો ફાલ ઉતરે એવી એમની અભિલાષા. તે માટે સતત પ્રયત્નશીલ. ખૂબ ઉત્સાહી શિક્ષક. હિમાલય ટ્રેકિંગ જેટલો જ ઉત્સાહ  વર્ગખંડમાં  પણ છલકાય, ગણિત- વિજ્ઞાનથી ભાગતા વિદ્યાર્થીઓને પણ ઉત્સુક્તાથી વશરામભાઈના તાસની પ્રતિક્ષા કરવી ગમે. એક વખત તેમણે વર્ગમાં ભણાવતી વખતે કહ્યું હતું કે જેને ગણિત આવડે છે તે જીવનમાં ક્યારે ય પાછો પડતો નથી. ગમે તેવી મુશ્કેલીમાથી જીવનમાં રસ્તો કરી લે છે. તે પછી મેં ગણિતમાં વિશેષ રસ લેવાનો શરૂ કરેલો, કોયડા ઉકેલતા આવતા બગાસા ગાયબ થવા લાગેલા અને ગણિતમાં મજા આવવા લાગેલી. આમ  તેમના એ વિધાને તે વર્ષોમાં તો સારી અસર કરેલી, પણ  આજે  જિંદગીના  ચોથા દાયકે  પણ આ  વિધાન સાબિત કરવા અસમર્થ છું. ગણિતના દાખલાથી વિશેષ તો એ ઉગતા વિદ્યાર્થી મનના કોયડા ઉકેલી જાણતા. કિશોર મનની સાયકોલોજી પર જબરી પકડ હતી તેમની. વિદ્યાર્થીઓની નિબંધની નોટો પણ ફ્રી પિરિયડમાં વાંચતાં એવું આછું-આછું યાદ આવે છે.     

1993માં સત્તર-અઢારની ઊગતી ઉમરે, અમે દસ-બાર વિદ્યાર્થીઓએ તેમની અને મંજુબહેન (ગુરુપત્ની) સાથે કુલૂમનાલી ટ્રેકિંગનો આનંદ લીધો હતો. ટ્રેકિંગમાં પણ ટંકે-ટંકે ચટાકેદાર ખાવાની માંગણી કરતાં આગળની બેચના વિદ્યાર્થીઓની વાત કરતા તેમના ચહેરા પર સ્પષ્ટ નારાજગી વંચાતી. ગાડી-બંગલાધારી શેઠિયાઓનાં સંતાનો સાથે તેમની easy going મની મેંટાલિટી અંગે મિત્રવત ચર્ચા કરતાં. દસ-બાર દિવસ તેમની સાથે પહાડોમાં ગાળ્યા પછી ચંડીગઢ-દેલ્હી આવતા અમે મિત્રો એકબીજાને કહેતા થયેલા “પછી અમદાવાદ જઈને છરી-કાંટાથી ખાજે, અત્યારે તો નિરાંતે  હાથથી ઝાપટ”. માત્ર પહાડોમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરીને કેવું સુંદર જીવન માણી શકાય તેવી તેમની ફિલોસોફીએ મારા  કિશોર મન પર તે દિવસોમાં ઠીક-ઠીક અસર જમાવેલી. અમદાવાદ સ્ટેશન આવતાં જ કુલી કરતાં વિદ્યાર્થીઓને તેમણે ટપારેલા. 

ટાપટીપ માટે અતિ સજાગ છોકરીઓને ગુરુપત્ની કહેતાં “સાહેબ (વશરામભાઇ) હંમેશાં કહે છે જે ઓળખે છે એ આપણને ઓળખે છે અને જે નથી ઓળખાતા તે નથી ઓળખાતા. માટે બાહ્ય દેખાવ અંગે બહુ ચિંતા કરવી નહીં.”

બુદ્ધિવિલાસથી પ્રયત્નપૂર્વક  દૂર રહેતા, સાહેબ અર્થપૂર્ણ જીવન જીવાય તે માટે સજાગ છે. ખૂબ ચીવટથી પુસ્તકોની પસંદગી કરતા. સાહેબ અત્યારે નવરાશની પળોમાં  સૂફી, ઝેન, તિબેટિયન સંસ્કૃતિ વિષે વિશેષ જાણવા ઉત્સુક રહે છે. ગતિશીલ છે. એટલે જ કોઈ ફિલોસોફર કે વિચારધારાથી પ્રભાવિત થયા પછી મુક્ત પણ થઈ શકે છે. 

એક સાધારણ શિક્ષક તરીકે પોતાની ઓળખ આપતા વશરામભાઈએ કાચા કિશોર-કિશરોને ઘડવામાં અસાધારણ ભૂમિકા ભજવી એમ કહું તો અતિશયોકિત નહીં  થાય.

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

10 और 5 का शर्मनाक खेल 

कुमार प्रशांत|Opinion - Opinion|5 September 2025

कुमार प्रशांत

कलम में जितनी संभव है शर्म की उतनी स्याही भर कर, अपने देश ने नाम जितने संभव हैं उतने खून के आंसू पी कर, और भारतीय न्यायपालिका की तरफ पछतावे से भरी आंखों से जितना देखना संभव है, उतना देखते  हुए मैं यह लेख लिख रहा हूं. रात के 3 बज रहे हैं लेकिन मैं चाह कर भी आंखें बंद नहीं कर पा रहा हूं, क्योंकि यह सारा माहौल खुली आंखों से जितना सर्द व घुटता हुआ लगता है, बंद आंखों में वह उससे भी भयावह व दमघोटूं बन जाता है. आपने कभी महसूस किया है कि जब अंधकार सामने आ कर आपको घूरने लगता है तब वह कितना अंधेरा होता है ! वह अंधकार से भी अंधेरा हो जाता है, क्योंकि तब वह बोलने भी लगता है.

आज ही दिल्ली हाईकोर्ट ने अपने देश के उन 10 नागरिकों को जमानत देने से मना कर दिया जो पिछले 5 सालों से जेलों में बंद हैं. न्यायमूर्ति नवीन चावला व शालिंदर कौर की बेंच ने जमानत रद्द करते हुए जो कहा उससे मुझे ख्याल आया कि सच, मूर्तियां भी कहीं न्याय करती हैं क्या ! कर सकती हैं क्या ? करें तो वे मूर्तियां न रहें ! कौन हैं ये 10 लोग ? नाम ही काफी है : सरजिल इमाम, उमर ख़ालिद, गुफिशा फातिमा, अख़्तर खान, अब्दुल ख़ालिद सैफी, मुहम्मद सलीम खान, शिफा-उर रहमान, मीरान हैदर और शादाब अहमद. 10वें अपराधी तसलीम अहमद की जमानत रद्द करने का श्रेय न्यायमूर्ति सुब्रमोनियम प्रसाद तथा हरीश वैद्यनाथन शंकर की बेंच को जाता है. इन दसों का अपराध एक ही है कि इन सबने “सोच-समझ कर, बखूबी बनाई योजना के तहत 2020 में राजधानी दिल्ली में दंगों को अंजाम दिया !”

क्या मैं इन दसों को याकि इनमें से किसी एक को भी जानता हूं ? नहीं, हर्गिज नहीं ! लेकिन मैं इनमें से एक-एक को जानता हूं, क्योंकि जीवन के जो 75 से अधिक वसंत मैंने अभी तक बिताए हैं, उनमें ये ही लोग मेरे अग़ल-बगल रहे, बोले, चले, खेले हैं. मैं अगर इन 10 लोगों के नाम आपको फिर से बताऊं तो मेरी बात समझना शायद आसान हो जाए आपके लिए – शिवशंकर प्रसाद, राज कुमार जैन, शरद यादव, मीरा कुमारी, सुब्रमण्यम स्वामी, सदानंद सिंह, कार्तिक उरांव, बिशन सिंह बेदी, कुंती मुर्मू और प्रकाश झा. ये 10 लोग हैं जिन्होंने 75 से ज्यादा सालों से बड़े हो चुके हमारे गणतंत्र की जड़ें खोदने की योजनाबद्ध साजिश की. ये 10 यदि सप्रमाण पकड़े न गए होते तो हमारे सामने हमारा गणतंत्र नहीं, उसका मलबा पड़ा होता आज !

इस सूची को देखते ही मेरी तरह आपके मन में भी तक्षण यह सवाल पैदा होगा कि क्या कभी ऐसा संभव है कि कोई 10 लोग मिल कर, करोड़ों की आबादी वाले इस महान देश की जड़ें खोद दें ? अगर ऐसा कभी हुआ तो मैं कहूंगा कि इसकी जड़ थी ही नहीं ! फिर मेरी तरह आपके जहन में भी ख्याल आएगा कि यदि इतना बड़ा षड्यंत्र रचा गया तो इस बहुधर्मी देश में यह कैसे संभव हुआ कि सिर्फ हिंदू ही इसमें लिप्त थे ? यह बात तो अब तक बड़ी मजबूत लगती आ रही थी, बड़े-बुजुर्गों द्वारा हमें समझाई जा रही थी कि अपराध व अपराधी की जाति-धर्म का ठिकाना नहीं होता है. तो फिर यह कैसे हुआ कि इस मामले में यह ठिकाना पक्का व पुख्ता हो गया ?  लगता है कि कहीं कुछ गड़बड़ है ! कोई उन्मत्त हो कर कहेगा कि ( एक भद्दी-सी गाली देते हुए जैसी ‘गोली मारो …’ का नारा खुलेआम लगाते हुए हमारे एक-दो-तीन-चार ….सत्ताधारी कुंवरों व बादशाह ने दी थी, देते ही रहते हैं ! ) कि सबको फांसी चढ़ा दो ! मैं कहूंगा : क्या बात कही है, एकदम मेरे मन की बात है ! लेकिन आप कहेंगे कि नहीं, नहीं, जरा जांच-परख लो ! फांसी का क्या है, वह तो अपने कानून के हाथ में आज भी है, कल भी रहेगा ! लेकिन संविधान है न हमारा, और उसकी बनाई न्यायपालिका है न, तो उसे अपना काम करने दो; इन सारे अपराधियों पर आज-के-आज मुकदमा चले, इनका अपराध प्रमाण सहित देश जान ले और फिर इनको फांसी दे दी जाए ! मैं कहता हूं कि भाई, क्या बात कही है आपने ! एक सभ्य समाज में, जिसमें इंसान बसते हैं, वहां ऐसा ही होना चाहिए !

आप ऐसा कहेंगे तो इन 10 में से कोई एक ( याकि सभी-के-सभी ! ) कह उठेंगे कि हम तो पिछले 5 सालों से जेल में बंद हैं. न कभी मुकदमा चला है इन सालों में, न हमारी पेशी हुई है, न उधर से कभी वकील खड़ा हुआ है, न इधर से ! हम पर जो भी आरोप हैं, जो पुलिस के कागजात हैं, वे सब हमें दिए जाएं ताकि हम भी और हमारे वकील भी उसे देख कर यह तो समझ सकें कि आरोप क्या हैं, और हमारा जवाब क्या है ? मुकदमा चले और माननीय न्यायमूर्ति उसे सुनें, देश भी जाने, संविधान भी उसे परखे और फिर साबित हो कि फांसी पड़नी चाहिए तो पड़े !! हम जो मांग रहे हैं वह रिहाई नहीं है, जमानत है. आपने ही हमें बताया-सिखाया है कि हमारे लोकतंत्र में जमानत नागरिक का स्वाभाविक अधिकार है, जेल अंतिम अपवाद है ! तो हमारे मामले में यह क्यों नहीं हो रहा है ? संविधान कहता है कि बिना मुकदमा चलाए किसी को जेल में बंद रखना उसके लोकतांत्रिक अधिकारों का हनन है. इस हनन को रोकने के लिए ही तो हमने न्यायपालिका नाम का इतना बड़ा सफेद हाथी पाल रखा है. यह खाता बहुत है, करता क्या है, यह समझना अब भारी हुआ जाता है.

आपको भी लग रहा है न कि इस दूसरी सूची के अपराधियों का यह कहना एकदम खरा है ! आज ही मुकदमा चलाओ और कल फांसी दे दो, कोई एतराज नहीं करेगा ! लेकिन जब हम यही बात दूसरी नहीं, पहली सूची के लिए कहते हैं, सब पलट जाते हैं. तो बात ऐसी बनती है कि अपराध व अपराधी का फैसला हम नाम देख कर करते हैं. यह शर्मनाक है, यह अंधेरा है, यह दमघोंटू है. यह लोकतंत्र की हत्या है.

क्या हमारे न्यायमूर्तियों को कभी इसका अहसास होता है कि जितनी बार वे पहली सूची के लोगों की जमानत रद्द करते हैं, उतनी-उतनी बार न्यायपालक की उनकी छवि धूमिल होती जाती है ? क्या हमारी न्यायपालिका को इसका अहसास है कि भारतीय नागरिक के मन में आज अपने चुनाव आयोग की विश्वसनीयता जिस गतालखाने में चली गई है, न्यायपालिका की विश्वसनीयता उसके आसपास ही है ?

बहुमत के नशे में चूर कोई सरकार ऐसा कानून बना देती है जिसमें व्यवस्था यह बनाई गई है कि यूएपीए के मामले में की गई गिरफ्तारी न्यायपालिका की समीक्षा के भीतर नहीं आएगी; ऐसा चुनाव आयोग बनाया जाता है कि जो हमेशा सरकार की तरफ ही झुका रहेगा; ऐसा कानून बनाया जाता है कि चुनाव आयुक्तों पर कभी, किसी अदालत में मुकदमा नहीं चलाया जा सकता है आदि और हमारी न्यायपालिका देखती रह जाती है, तो वह अपने अस्तित्व का मतलब ही खो देती है.

हम भारत के नागरिकों ने अपने संविधान की संरचना ऐसी बनाई जिसमें हमने अपनी न्यायपालिका में यह आदेश दिया है कि आपको निरंतर चौकन्ना रह कर यह देखना है कि कोई भी विधायिका या कोई भी कार्यपालिका या न्यायतंत्र का कोई भी पुर्जा कहीं से, कभी संविधान पर हाथ न डाल सके ! ऐसा होने से पहले, ऐसा होने के बाद या ऐसी संभावना भांप कर न्यायपालिका को संविधान की तलवार ले कर खड़ा हो जाना है. इसलिए संविधान में हमने एक ही ऐसी संरचना बनाई है, न्यायपालिका जिसे सतत विपक्ष में रहना है यानिकी संविधान के पक्ष में रहना है. हमारा संविधान अलिखित नहीं, लिखित है और उसे सिर्फ वकील साहबान नहीं, हम भी पढ़ पाते हैं. जब आपकी व्याख्याएं बहुत जटिल होती हैं, तब हम आसानी से समझ जाते हैं कि आप संविधान के शब्दों के पीछे छिपी भावना को समझने में चूक रहे हैं या फिर संविधान की अपनी लक्ष्मण-रेखा पर पांव धर रहे हैं. यह वह लोकतांत्रिक अपराध है जिसकी सजा आपकी नहीं, हमारी अदालत में दी जाती है. सरकारों को भले पांच साल में एक बार ( या जब भी चुनाव हो !) हमारी अदालत में आना पड़ता है, आप तो हर रोज हमारी अदालत में होते हैं, यह न हम भूलें, न आप !

2020 का दिल्ली दंगा पूर्वनियोजित था. भारतीय नागरिकों ने उस दौर में अपूर्व एकता व साहस के साथ दिल्ली में ही नहीं, देश भर में अपने संविधान के आईने में अपनी छवि खोजी थी. तब की सरकार को वह बहुत बड़ी व गहरी चुनौती थी कि “ किधर से बर्क चमकती है देखें ऐ वाइज / मैं अपना जाम उठता हूं, तू किताब उठा !” 30 जनवरी 1948 नहीं आई होती और महात्मा गांधी जीवित होते तो वे भी 2020 में अपने युवकों के साथ उसी तरह खड़े होते जिस तरह सन् 42 में हुए थे. लेकिन इतिहास बताता है कि उस दौर में भी लोग भटके थे, गलत रास्तों की ओर गए थे और तब गांधी ने ही अपनी अदालत में उनकी पेशी ली थी. वैसी ही सावधानी आज भी करनी है. इसलिए बगैर पल गंवाए इस लेख की पहली सूची के लोगों पर मुकदमा चलाया जाए व रोज-रोज की सुनवाई के साथ अदालत अपना फैसला सुनाए. फिर संविधान के जाल में फंसता कौन है, किसे फांसी होती है, यह तमाशा हम सब देखेंगे. इसलिए हमारे लोकतंत्र को आज व अभी जमानत चाहिए.

(05.09.2025 ) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

સોનલ પરીખ|Gandhiana, Profile|5 September 2025

બાલવાડીઓ, શાળાઓ, છાત્રાલયો, કૂવા, ખેતી, આડબંધો, ગ્રામસેવા – બે બે પછાત વિસ્તારોને બેઠા કરવાનું ભગીરથ કામ કરનાર ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન વ્યાસનું જીવન એટલે સતત પ્રજ્વલિત કર્મયજ્ઞ. 

‘સ્વતંત્રતા તો મળશે, પણ સ્વતંત્રતાને ધારણ કરી શકે એવાં નાગરિકો કયાંથી કાઢીશું?’ ગાંધીજીના આ શબ્દો સાંભળી ગામડાઓમાં શિક્ષણ અને જાગૃતિની જ્યોત જલાવનાર ગાંધીજનોની એક આખી સેના તૈયાર થઈ હતી. આ લોકોને સ્વતંત્ર ભારતના સેનાનીઓ કહી શકાય. આવા એક સેનાની છે કોકિલાબહેન વ્યાસ. સંખ્યા અને વ્યાપમાં ખૂબ મોટાં કામો એમને નામે બોલે છે. 

એમનો જન્મ 1939માં સુરતના વાલોડ ગામે. બાળપણ, કિશોરાવસ્થા અને યુવાનીનાં વર્ષો ગાંધીપ્રવૃત્તિઓમાં મગ્ન લોકો વચ્ચે વીત્યાં. શિક્ષિકા બનવું, પ્રકૃતિના સાંનિધ્યમાં જીવવું અને સેવા કરવી આ ત્રણ સ્વપ્નો સાથે તેમને સુરત કોલેજમાં જવું હતું. પિતા રજા ન આપે. ભાઈના પ્રયત્નો અને કોકિલાબહેનના સત્યાગ્રહને પરિણામે રજા મળી. ખાદીની સાડી પહેરી કોલેજ કરી. એમ.એ., બી.એડ. થઈ વાલોડની શાળામાં શિક્ષક તરીકે જોડાનાર તેઓ પ્રથમ સ્ત્રી હતાં. 

લગ્ન થયાં; પણ ન ફાવ્યું, ન ગોઠ્યું. સમાજ માટે થઈને બધું સહન કરીને જીવ્યા કરવું એવું કોકિલાબહેનની પ્રકૃતિમાં નહીં. પતિપત્ની સમજપૂર્વક છૂટાં પડ્યાં પણ આખી ઘટનાનો કોકીબહેનને ખૂબ આઘાત લાગ્યો. એવામાં ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વાંચી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ને પત્ર લખ્યો, ‘મારે સ્વસ્થ થવું છે, શું કરું?’ જવાબ મળ્યો, ‘બેટા, લોકભારતી આવી જાઓ.’ એક પુસ્તકના પ્રભાવે જિંદગી બદલાઈ જાય એવાં કેટલાંક દૃષ્ટાંતોમાંનું એક કોકિલાબહેનનું છે. કોકિલાબહેનના જીવન પર ત્રણ વ્યક્તિઓનો ખૂબ પ્રભાવ છે. એક તો એમના પિતા, બીજા મનુદાદા અને ત્રીજા કોકિલાબહેન જેમને ‘બીજા ગાંધી’ કહે છે તે જુગતરામકાકા. 

લોકભારતીનો એ સુવર્ણકાળ. પ્રેમ, સંસ્કાર, સાહિત્ય, સંગીત, ઉત્સવોથી ધબકતા વાતાવરણમાં કોકિલાબહેને બે વર્ષ (1963-64) ભણાવ્યું. ત્યાર પછી બોરખડીના અધ્યાપન મંદિરમાં આચાર્યા તરીકે જોડાયાં અને 30 વર્ષ સુધી એ પદ શોભાવ્યું. વિદ્યાર્થિનીઓને કહેતાં, ‘ઉત્તમ મા બનો, ઉત્તમ શિક્ષક બનો. વાર્તા, ગીતો, રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા શીખવો.’ છોકરીઓ એવી તૈયાર થાય કે જ્યાં કામ કરે ત્યાં નામ કાઢે. પછીના વર્ષે ઉત્તર બુનિયાદી વિદ્યાલય શરૂ થયું, ધીરે ધીરે એ જ કેમ્પસમાં માધ્યમિક શાળા અને આશ્રમશાળા બન્યાં. આ બધાંની જવાબદારી સંભાળી. 

દરમિયાન આખા જિલ્લામાં સેવાકાર્યો કરતા ભીખુભાઈ વ્યાસ સાથે પરિચય થયો અને બંને જોડાયાં. ગરીબ, પછાત આદિવાસી વિસ્તારને બેઠો કરવા પતિપત્ની કામે લાગ્યાં. સ્વીડન અને ઓસ્ટ્રેલિયાના મિત્રોએ ધન પૂરું પાડ્યું. કોકિલાબહેનનાં સૂઝ-સમજ અને શ્રમ, ભીખુભાઈનું વ્યક્તિત્વ અને સંપર્કો અને સ્વીડનની નાણાંકીય મદદ – આમ ત્રેવડી શક્તિથી મોટાં કામો ઉપડ્યાં અને પાર પડ્યાં.

ત્યારે સુરતની શુગર ફેક્ટરીઓમાં કામ કરવા ધરમપુરના ડુંગરાઓમાંથી હજારો મજૂરો આવે અને અસ્થાયી અવ્યવસ્થિત અગવડભર્યા ગંદા પડાવોમાં રહે. માબાપ મજૂરીએ જાય, રોગિષ્ટ-કુપોષિત બાળકો રખડ્યા કરે. સ્વીડનના મિત્રોની પ્રેરણાથી કોકીબહેન થોડી વિદ્યાર્થિનીઓને લઈને ઉપડ્યાં કેમ્પોમાં. કેમ્પો સાફ કર્યાં, બહેનોને બાળઉછેર શીખવ્યો, આરોગ્ય સેવા પહોંચતી કરી. ધીરે ધીરે 65 બાલવાડીઓ ઊભી થઈ. પૌષ્ટિક નાસ્તા, રમતો-ગીતો, વાર્તાઓ. આમ પાંચેક હજાર બાળકો સચવાવા લાગ્યા. મજૂરીનો દર વધારાવ્યો હતો એટલે માબાપો પણ ખુશ હતાં. માલિકો આવીને ધમકાવે, ‘બધું બંધ કરો ને જતા રહો.’ બહેનો ગભરાય નહીં. છેવટે કમિશનર વચ્ચે પડ્યા, ‘સરકારી ભૂમિ પર ચાલતા શિક્ષણને તમે બંધ ન કરાવી શકો.’ 

પણ ખરું કામ તો આ લોકોના વિસ્થાપનને અટકાવવાનું હતું. અને કોકીબહેન ધરમપુર ગયાં. ધરમપુર ડુંગરાળ જંગલવિસ્તાર. ન પાણી, ન વીજળી, ન ખેતી, ન ડૉક્ટર, ન દુકાન. બેત્રણ ધોરણ સુધી ભણાવતી શાળાઓ બંધ પડી હોય. જંગલપેદાશો, હલકાં ધાન્ય, નાનાં પ્રાણીઓના શિકાર અને વાપીવલસાડ જઈ જે મજૂરી મળે એ પર નભતાં 180 ગામડાંના 3 લાખ લોકો. 

આમાં કામ કેવી રીતે કરવું? હિંમત ભેગી કરી કોકીબહેને અધ્યાપન મંદિરની બહેનોને લઈને કામ શરૂ કર્યું, ધીરે ધીરે વધારતાં ગયાં. ઓટલાશાળાઓ, બાલવાડીઓ, રાત્રિશાળાઓ શરૂ કરી. પાણીની ભયંકર મુશ્કેલી જોઈ કૂવા ખોદાવવા માંડ્યા. મજૂરી ગામલોકો કરે, આ લોકો ઈંટ, રેતી અને સિમેન્ટ આપે. એમ કરતાં 150 કૂવા ગળાવ્યા. પ્રશ્ન ખેતીનો પણ હતો. આ વિસ્તારમાં વરસાદ ઘણો. પાંચેક નદીઓ પણ ખરી, પણ પાણી બધું વહી જાય. જમીનો ધોવાઈ જાય. રાજસ્થાનથી જાણકારો લાવી ધોવાણ અટકાવવા ઘણા બધા પાળા બાંધ્યા, પાણીના સંગ્રહ માટે ચારસો આડબંધ કર્યા, ખેતી માટે પાંચથી છ હજાર પાડા લાવ્યાં. આજે અહીં ખૂબ ચોખા અને શાકભાજી પાકે છે. ત્યારે આપેલી આંબાની દોઢેક લાખ કલમો આજે આંબાવાડિયાંઓ બની ઉત્તમ કેરીઓ આપે છે.

શિક્ષણનું કામ પણ ચાલતું જ હતું. ખૂબ દોડધામ કરી કોકીબહેને શાળા માટે માન્યતા મેળવી. પૈસા ઊભા કર્યા. જમીન અને મજૂરી ગામનાં. આમ મકાનો બંધાયાં અને છ પ્રાથમિક અને બે માધ્યમિક શાળા ઊભી થઈ. ધરમપુરના રાજચંદ્ર આશ્રમે છાત્રાલય કર્યું, સ્કૂલ દત્તક લીધી. એમને માટે અગિયાર-બાર સાયન્સ અને પછી સાયન્સ કોલેજ કરી. છોકરાઓ બીજે પણ ભણવા ગયા. ઓનલાઈન ફોર્મ ભરવાના હોય, ફી આપવાની હોય, એડમિશન મળે ત્યાં મૂકવાના હોય કે પછી ગામમાં પાણીની મોટરો મુકાવવાની હોય કે સાધનો જોઈતાં હોય – કોકીબહેનની ટીમ હાજર. પણ એમની એક પદ્ધતિ હતી – અડધું પોતે કરે, અડધાની જવાબદારી ગામ પર મૂકે. ગામલોકો પણ પાછા ન પડે. પ્રામાણિક્તાથી પોતાના હિસ્સાની રકમ કે શ્રમ આપે જ. આરોગ્ય સેવા કરી. અનેક હોદ્દાઓ સંભાળ્યા. કડક હાથે અને સાચી રીતે કામ કર્યું અને કરાવ્યું. આ બધું કરતાં પિયર અને સાસરાના કુટુંબની જવાબદારી પણ નિભાવી. 

છેલ્લું કામ થયું 11-12ની બહેનો માટે છાત્રાલયનું. નાજુક ઉંમરની છોકરીઓને સાચવવી મુશ્કેલ, પણ એ વિસ્તારમાં છોકરીઓનું છાત્રાલય નહીં એટલે દસમા પછી દીકરીઓને માબાપ પરણાવી જ દેતા. 2006માં કરેલું આ છાત્રાલય વાડ કે દીવાલો વગર અને કોઈ પ્રશ્નો વગર આજે પણ ચાલે છે. 

87માં વર્ષે પણ કોકીબહેન સેવાક્ષેત્રે સક્રિય, પ્રસન્ન, રસોઈ-વાંચન-સંગીત-ફૂલોનાં શોખીન, મિત્રો બનાવવામાં નિપુણ, વહાલ વરસાવવામાં ઉદાર, જીવનના અઠંગ પ્રેમી અને પ્રેરણાના અખૂટ સ્રોત સમાં છે. ‘ભગવાને સારા કામમાં અમને નિમિત્ત બનાવ્યાં, તેનો સંતોષ છે.’ કહેતાં કોકીબહેન સેવા કરવા ઇચ્છનારને સલાહ આપે છે, ‘મિશનરી સ્પિરિટ, જે કરવા માગો તેનું જ્ઞાન, દિશા પકડવાની આવડત અને ખૂંપી જવાની તૈયારી – આ બધું હોય તો જ આ ક્ષેત્રમાં પડજો.’ 

સ્વતંત્ર થયેલા દેશને આવા ઘણાં ભીખુભાઈ-કોકીબહેનની જરૂર છે. જરા પગ ઉપાડીશું? 

e.mail : sonalparikh1000@gmail.com

Loading

...10...17181920...304050...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved