Opinion Magazine
Number of visits: 9571016
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેલ ઓમવેટ : ભારતીય જાતિવ્યવસ્થાની વાસ્તવિકતા દાખવનારાં મૂળ અમેરિકન!

કિરણ કાપુરે|Opinion - Opinion|28 August 2021

હાલમાં ગેલ ઓમવેટ[Gail Omvedt]નું નિધન થયું. ગુજરાતમાં અજાણ્યું લાગતું આ નામ દેશભરના અભ્યાસી લોકો – સ્કોલર્સ વચ્ચે જાણીતું છે. તેમનાં નિધનની નોંધ રાજ્યસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ડાબેરી નેતા સીતારામ યેચુરી, શરદ પવાર અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધી. રામચંદ્ર ગુહાએ પણ ગેલ ઓમવેટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમના કાર્યને બિરદાવ્યું. ગેલ ઓમવેટ 80 વર્ષના હતાં અને હાલ તેઓ મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલા કાંસેગાવમાં રહેતાં હતાં. મૂળ અમેરિકાનાં ગેલનું યુવાની પછીનું જીવન ભારતમાં જ પસાર થયું. તેમણે પચ્ચીસથી વધુ સંશોધિત પુસ્તક આપ્યાં છે. તેમનાં સંશોધનનો કેન્દ્રિય વિષય દેશની જાતિવ્યવસ્થા, પર્યાવરણ અને મહિલા આંદોલન રહ્યાં છે. આ તો તેમની એકેડેમિક ઓળખ થઈ, પરંતુ આજીવન તેઓ એક્ટિવિસ્ટ તરીકેની ભૂમિકામાં રહ્યાં હતાં. મહિલાઓના અધિકાર, જાતિ-આધારિત અન્યાય અને પર્યાવરણનું નિકંદન નીકળતું હોય ત્યાં તેમણે વિરોધ દર્શાવ્યો.

અમેરિકન હોવું અને ભારતમાં આવીને ગ્રામિણ ક્ષેત્રોમાં વસવું તે પડકારભર્યું છે. મૂળ ભારતીયો અહીંના ગ્રામિણ ક્ષેત્રોમાં વસવાટ અર્થે હજુ હિંમત નથી દાખવી શકતા ત્યાં ગેલ ઓમવેટ 1970માં ભારત આવ્યાં અને ગામડાંઓમાં રહ્યાં. તેઓનાં ઉદ્દેશે તેમને ગ્રામિણ વિસ્તારમાં રહેવાં પ્રેર્યા. જો કે આ પ્રેરણા ઘણી વાર લાંબા સમય સુધી ટકાવી શકતી નથી. ઓમવેટ અહીં રહ્યાં, ઉમદા કાર્ય કર્યું, વિશ્વને ભારતનું વાસ્તવિક ચિત્ર દાખવ્યું, હજારો વિદ્યાર્થીઓને સાચી સમજ આપી અને સ્થાનિક લોકો માટે લડ્યા પણ ખરાં.

1941માં મિનિપોલિસમાં તેમનો જન્મ થયો. 1960માં ઉચ્ચ અભ્યાસ પછી લાંબા રોકાણ માટે ભારત આવ્યાં. પોતાના રોકાણ દરમિયાન તેમણે જોયું કે ભારતમાં જાતિવ્યવસ્થા કેવાં પ્રકારની છે. ઉપરાંત, જાતિવ્યવસ્થાનાં અન્યાયને પણ નિહાળ્યો, વિશેષ કરીને દલિત વર્ગનો. આની અસર તેમનાં પર ઊંડી થઈ. ફરી તેઓ ભારતમાં વધુ અભ્યાસ અર્થે આવ્યાં. જે વિષય પર કાર્ય કર્યું તેનો મુદ્દો હતો : ‘કલ્ચરલ રિવોલ્ટ ઇન અ કોલોનિયલ સોસાયટી : ધ નોન-બ્રાહ્મણ મૂવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા- 1837-1930’. આ વિષયનો અભ્યાસ કરતાં જાણે તેઓ ભારતને સમજવામાં ઓતપ્રોત થઈ ગયાં. અહીં નિવાસ કરવાનું ઠરાવ્યું. ફુલે-આંબેડકરનાં સાહિત્યના પ્રશંસક થયા અને માર્ક્સસીસ્ટ પૂર્વભૂમિકાથી તેઓનાં વિચારો વધુ ઘડાયાં. આ દરમિયાન તેઓ માર્ક્સીસ્ટ, બુદ્ધિસ્ટ અને ફુલેના ચાહક ભારત પાટણકરને મળ્યાં. તેમની સાથે મિત્રતા કેળવાઈ અને તે પછીથી લગ્નમાં પરિણમી. એક દાયકા પછી તો તેમણે જાતે અમેરિકાનું નાગરિકત્વ પણ છોડી દીધું!

ગેલ ઓલવેટની સફરની શરૂઆત આ રીતે થઈ. સામાન્ય રીતે એકેડેમિક રિસર્ચ વ્યક્તિ જે લોકોનો અભ્યાસ કરે છે તેમનાથી જ અંતર રાખે છે. પણ ગેલ ઓમવેટે લોકોના જ બની રહ્યાં. આ યુતિ એટલી મજબૂત થઈ કે છેલ્લા પાંચ દાયકામાં જાતિવિરોધી કે મજૂરોના આંદોલનમાં તેઓ અગ્રગણ્ય રહ્યાં. તેમણે ભરત પાટણકર સાથે રાજકીય-સામાજિક એક પ્લેટફોર્મ નિર્માણ કર્યું, જેનું નામ ‘શ્રમિક મુક્તિ દલ’ છે. આ દલ ખેડૂતોની એકતા, દુષ્કાળ, બંધ-નિર્માણ વેળાએ થતાં સ્થળાંતર અને જાતિ આધારિત અન્યાય સંબંધિત મહારાષ્ટ્રના દસ જિલ્લામાં કાર્યરત છે. આ દલનું ઓર્ગેનાઇઝેશન અને વિચારસેતુ ફુલે-માર્ક્સ-આંબેડકરના વિચારો પર ઘડાયેલાં છે.

મૂવમેન્ટની સાથે સાથે તેમનું સંશોધનનું કાર્ય પણ અવિરત ચાલતું રહ્યું અને તેના પરિણામે તેમનાં પચ્ચીસ જેટલાં સંશોધિત પુસ્તકો આજે ઉપલબ્ધ છે. તે સંશોધનનાં કેટલાંક અતિ ઉપયોગી પુસ્તકોમાં ‘દલિત વિઝન’, ‘વિ શેલ સ્મેશ ધિસ પ્રિઝન – ઇન્ડિયન વુમન ઇન સ્ટ્રગલ’, ‘લેન્ડ, કાસ્ટ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયન સ્ટેટ્સ’, ‘રિઇન્વેન્ટિગ રિવોલ્યુશન – ધ સોશિયલ મૂવમેન્ટ એન્ડ ધ સોશિયાલિસ્ટ ટ્રેડિશન ઇન ઇન્ડિયા’, ‘અ દલિત ઓટોબાયોગ્રાફી’ (વસંત મૂન્સ પુસ્તકનો અનુવાદ), ‘બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા – ચેલેન્જિંગ બ્રામ્હણીઝમ એન્ડ કાસ્ટ’, ‘સિકીંગ બેગમપુરા – ધ સોશિયલ વિઝન એન્ટીકાસ્ટ ઇન્ટેલેક્ચુઅલ’ અને ‘દલિત્સ એન્ડ ધ ડેમોક્રેટીક રિવોલ્યૂશન’ છે.

ગેલ ઓમવેટનું નામ લેવાય ત્યારે અમેરિકાથી આવીને જાતિવ્યવસ્થા પર કાર્ય કરનારાં એલિનોર ઝેલિઓટનું નામ પણ લેવું અનિવાર્ય છે. એલિનોર પ્રથમ અમેરિકન મહિલા હતાં, જેમણે ભારતમાં આવીને જાતિવ્યવસ્થા પર ઊંડું સંશોધન કર્યું હતું. તેમનાં પછી ગેલ ઓમવેટ બીજાં એવાં સ્કોલર છે. ઓમવેટનું આ કાર્ય ભારતની અનેક યુનિવર્સિટીઝ ભણાવામાં આવી રહ્યું છે. પુણેની ‘યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી’માં ફુલે-આમ્બેડકર ચેઇરના તેઓ વડાં હતાં. કોપનહેગનમાં એશિયન સ્ટડીઝમાં પણ તેઓ વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવતાં હતાં.

મહિલા આંદોલનનો પણ તેમનો અભ્યાસ જગવિખ્યાત છે. તેઓ આંબેડકરની જાતિવિરોધી ચળવળને સ્વીકારતાં હતાં; અને તેનો હવાલો આપીને મનુસ્મૃતિને પણ નકારતાં. 2008માં કવયિત્રી-લેખિકા મીના કન્ડાસ્વામીએ તેમની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે આપણા ત્યાં જાતિવ્યવસ્થા શા માટે મજબૂતાઈથી ટકી રહી છે તેના આંબેડકરે આપેલા કારણો ટાંકતા કહ્યું હતું : મહિલાઓની સેક્સુઆલિટી કન્ટ્રોલ કરવાથી જ જાતિ ટકી શકે છે. જાતિની ઓળખ ટકાવી રાખવા જાતિમાં જ લગ્ન કરવાની પ્રથા જન્મી. જેને રોટી-બેટી વ્યવહાર કહેવાય છે. આ રીતે બાળકીઓને ‘સુરક્ષિત’ રાખવાનું અને તે યુવાન થાય તે પહેલાં લગ્નની પ્રથા આવી, જેથી જાતિ સામે કોઈ ખતરો ઊભો ન થાય. આ પૂરી વ્યવસ્થામાં એક માન્યતા એવી પણ છે કે પુરુષ કોઈની પણ સાથે સેક્સ સંબંધ બાંધે તો તે અપવિત્ર નથી થતો જ્યારે સ્ત્રી થાય છે. અને એ જ રીતે મનુ પણ કહે છે કે, મહિલા કુમારીકા હોય ત્યાં સુધી તેના પર પિતાનું નિયંત્રણ હોય, યુવાન થાય તો પતિનું નિયંત્રણ હોય, જ્યારે તેની ઉંમર થાય ત્યારે બાળકોનું નિયંત્રણ હોય, આમ સ્ત્રી ક્યારે ય સ્વતંત્ર ન હોઈ શકે. આ રીતે સ્ત્રી પર નિયંત્રણ રાખવાની અને તેના આધારે જાતિવ્યવસ્થા ટકાવવાની જે વાત મનુસ્મૃતિ કરે છે, તેની સામે સુધારાવાદી ચળવળ ચલાવનારા આંબેડકરના વિચાર ગેલ અનેકવાર પોતાના વક્તવ્યમાં કહેતાં રહ્યાં હતાં.

સિત્તેરના દાયકામાં જ્યારે નર્મદા ડેમ વિરોધી આંદોલન આરંભાયું ત્યારે તેના વિરોધમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના સ્થાનિક ગ્રામવાસીઓ જ એકત્રિત થયા હતા. પછીથી તે આંદોલનની ધુરા મેઘા પાટકરે સંભાળી હતી. આંદોલનની આગેવાની જે લોકો લઈ રહ્યા હતા તે અંગે ગેલ ઓમવેટે નારાજગી વ્યક્ત કરતો પત્ર લેખિકા અરૂંધતી રૉયને લખ્યો હતો. અરૂંધતી મેઘા પાટેકરની આગેવાની હેઠળ ચાલી રહેલાં નર્મદા ડેમ વિરોધી આંદોલનનાં સમર્થક હતાં. આ પત્રમાં તેઓ અરૂંધતીને લખે છે : “મને માફ કરશો આ ટીકાત્મક પત્ર બદલ. મને તમારું પુસ્તક ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્ઝ’ ખૂબ પસંદ છે. પરમાણુ સંબંધિત મુદ્દામાં તમારી દખલની હું પ્રશંસક છું. તમારાં પુસ્તક રૉયલ્ટીઝનો થોડોક હિસ્સો તમે દલિત સાહિત્ય અકાદમીને આપવાના છો તેને હું બિરદાવું છું.” આ મુદ્દા પછી તેઓ તરત નર્મદા બાંધની વાત પર આવે છે ને તેમાં મહારાષ્ટ્રના સ્થાનિકો તરફથી થઈ રહેલાં વિરોધ કાર્યક્રમોની વિગત આપે છે. આ પત્ર ખૂબ લાંબો છે, પણ તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ગેલ અરૂંધતીને લખે છે કે, “તમે સમજી શકશો કે જ્યારે તમને સો ટકા ગ્રામિણ આદિવાસી સાથે કામ કરતાં હોવ ત્યારે તમામ આગેવાન શહેરી ભદ્ર કેવી રીતે હોઈ શકે. અને ગ્રામિણ ગરીબ લોકોને એકજૂથ કરવા માટે તેઓ કંઈ લોકશાહી રીત અપનાવી રહ્યા છે.”

તેમણે પત્રમાં જે રીતે નર્મદા બચાવ આંદોલનના આગેવાનો ‘ટ્રાઇબલ’ શબ્દનો ઉપયોગ કરે છે તેને લઈને સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમના મુજબ ‘ટ્રાઇબલ’ શબ્દ અપમાનજનક છે. અને તેમણે આ શબ્દને સામાજિક-વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ ગેરલાયક ઠેરવ્યો હતો. આ પત્રમાં અરૂંધતી સામે તેમણે નર્મદા વિરોધી આંદોલનમાં ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’નો ઉકેલ મૂક્યો છે. આ ઉકેલ પર તે વખતે મહારાષ્ટ્રમાં ઘણું કામ થયું હતું. ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’માં ડેમની ઊંચાઇ ઘટાડવી, જેઓની જમીન જઈ રહી છે તેમને પૂરતું વળતર અપાવવું અને સાથે સાથે જ્યાં પાણીની અછત છે ત્યાં બંધનું પાણી પહોંચાડવું. તેમણે એમ પણ લખ્યું છે કે ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’ લડત આપનારાઓએ ક્યારે ય ગંભીરતાથી વિચારણા હેઠળ લીધું નહીં. તેના પરિણામ ગુજરાતમાં નર્મદા બંધ નિર્માણ પ્રત્યે લોકોની લાગણી વધુને વધુ દૃઢ બની. બંધની ઊંચાઈ સાથે પણ સમાધાન ન થઈ શક્યું. દમનકારી રાજ્ય તરફથી આ જ અપેક્ષા હોય, પણ જે વિકલ્પ આપવામાં આવ્યા હતા તે નર્મદા બચાવ આંદોલન દ્વારા ક્યારે વિચારણા હેઠળ લેવામાં આવ્યા નહીં.

ગેલ ઓમવેટનું આ પાસું ગુજરાત સાથે સંબંધિત હોવાથી, તે વિસ્તૃત રીતે રજૂ કર્યું છે. આ સિવાય પણ ગેલ ઓમવેટ દ્વારા થયેલાં સંશોધનનો ભારતનું સાચું ચિત્ર જાણવા માટે અભ્યાસ કરવો જોઈએ. તેઓ અમેરિકન હતાં, પણ તેઓ કર્મે તો તેઓ ભારતીય બન્યાં અને રહ્યાં.

e.mail : kirankapure@gmail.com

Loading

ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 August 2021

ગઈ કાલે એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે હવે નહીં થાય ગ્રાન્ટેડ કોલેજોનો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ. એક ચેનલે તો એમ પણ કહી દીધું કે ખાનગી યુનિવર્સિટીમાં હવે પછી કોઈ પણ ગ્રાન્ટેડ કોલેજોનાં જોડાણ થશે નહીં. ચેનલોની વાત સાચી જ હશે, પણ એ જાહેરાત સરકારની નથી તે સમજી લેવાનું રહે. થોડી આડ વાત લાગે તો પણ એ કહેવું છે કે ગુજરાતી ચેનલો સાચું, ખોટું કરીને કહેતી હોય છે ને ખોટું, સાચું હોય તેમ બોલતી રહે છે. કોઇની પણ સામે માઇક ધરીને થતા ઈન્ટરવ્યૂ એટલા અણઘડ હોય છે કે વર્ષો પછી પણ એમાં પરિપક્વતા જણાતી નથી. ઘણી વાર તો સત્ય જાણવું હોય તો કોઈ પણ ગુજરાતી ચેનલ જોવી ને એનાથી ઊલટું શું હોય તે વિચારીએ તો સત્ય લાધે એમ બને. પરીક્ષા બંધ રહેવાની હોય ને જૂનાં  ક્લિપિંગ્સ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેનાં બતાવાય. એવું કેટલી ય વાર બન્યું છે કે રેલનાં દૃશ્યો જૂનાં ઠઠાડી દેવાતાં હોય. એક તાજો દાખલો જોઈએ. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના હાથમાં અણુશસ્ત્રો આવ્યાની વિગતો એક ચેનલે આપી. તાલિબાનોના હાથમાં શસ્ત્રો આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી. ચેનલો બહુ થાય તો એ શસ્ત્રોનો જથ્થો બતાવી શકે, પણ એ ચેનલે તો એટલા વિસ્ફોટો બતાવ્યા કે વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય એવું લાગે. ચેનલોનું ચાલે તો તે આખી દુનિયામાં ભડકા કરી દે. અફઘાનિસ્તાન સાથે હજી તો વેપાર બંધ થયાની વાત જ આવે છે એટલામાં તો ભારતમાં ડ્રાયફ્રૂટ મોંઘાં થવાં લાગે છે. આમ પ્રજાને ભયભીત કરવાનો ગુનો નોંધાતો નથી, બાકી, કાનૂની રાહે જે તે ચેનલ પર કાર્યવાહી થઈ શકે.

ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ ખાનગી યુનિવર્સિટી સાથે નહીં થાય એ ન્યૂઝ, ચેનલોમાં ફ્લેશ જરૂર થયા છે, પણ એ સંપૂર્ણ સત્ય નથી. તે એટલા માટે કે આ લખાય છે ત્યાં સુધીમાં સરકારે એવી જાહેરાત કરી નથી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે નહીં જ જોડાય. એ જે જાહેરાત થઈ છે તે ગુજરાત અધ્યાપક મંડળ દ્વારા થઈ છે. મંડળની જાહેરાતને શંકાથી જોવાનું કોઈ કારણ નથી, પણ આ જાહેરાત સરકાર દ્વારા થઈ નથી તે નોંધવું ઘટે. જે થયું છે તેનો આનંદ જ છે, પણ હજી રાહ જોવાની રહે જ છે.

2009માં પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યો તેમાં 2011 અને 2021માં સુધારાઓ થયા ને ગ્રાન્ટેડને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાની વાત આવી. એ રીતે ગ્રાન્ટેડ કોલેજો જોડાય તો તેનું ફીનું ને પગારનું ધોરણ શું હશે તેની કોઈ સ્પષ્ટતાઓ સરકાર દ્વારા કરવામાં ન આવી ને એવી મૌખિક વાતો આવતી રહી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાય તો વિદ્યાર્થીઓની ફીનું ધોરણ ને અધ્યાપકોનું પગારનું ધોરણ સરકારી જ રહેશે, પણ આજ સુધી સરકારે કાનૂની સુધારો એ બાબતે કર્યો નથી. જે ખાતરી  અપાઈ તે મૌખિક હતી ને મૌખિક પર ભરોસો એટલે થાય એમ નથી કે કશું પુરાવા રૂપે હાથમાં આવ્યું નથી. ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડનું ભારણ ન ઉઠાવવા બાબતે સ્પષ્ટ હતી જ, બીજી તરફ ખાનગી યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ કરવાને મામલે સરકાર પણ મક્કમ હતી. એટલે જ તો સરકારી યુનિવર્સિટી એ ગ્રાન્ટેડ કોલેજોને ખંખેરી મૂકી. એમાં થયું એવું કે ગ્રાન્ટેડ કોલેજો ન ઘરની રહી, ન ઘાટની ને એનો અધ્યાપકોએ, વિદ્યાર્થીઓએ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળોએ વિરોધ કર્યો ને હવે અધ્યાપક મંડળોએ એવી જાહેરાત કરી છે કે ગ્રાન્ટેડનું જોડાણ જે તે યુનિવર્સિટી સાથે પૂર્વવત રહેશે. એ જાહેરાત થઈ ન થઈ ત્યાં તો વીર નર્મદ યુનિવર્સિટીની સિંડિકેટની બેઠક પણ મળી ગઈ ને એમાં એવું પણ ઠરાવી દેવાયું કે ગ્રાન્ટેડ કોલેજોને મામલે સરકાર જે નિર્ણય કરે તેનો અમલ કરાવવાની બધી સત્તા કુલપતિની રહેશે. જો સરકાર ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ વીર નર્મદ સાથે રાખે છે તો સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાઈ જશે, પણ તે પહેલાં અધ્યાપકો ને વિદ્યાર્થીઓ પ્રશ્ન ઊકલી ગયો છે એમ માનીને ઉત્સાહ દાખવી રહ્યા છે એમાં ઉતાવળ થતી હોવાનું લાગે છે.

કુલપતિ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તો આ અંગેનો વટહુકમ બહાર પડશે અને કાયદામાં સુધારો થયા પછી અમલ થશે. એ વટહુકમ ક્યારે બહાર પડશે એ અંગે કોઈ વાત સરકાર તરફથી આવી નથી. એ આવતાં સમય લાગશે, ત્યાં સુધી યુનિવર્સિટી ઈચ્છે તો પણ કોઈ કાર્યવાહી કરી શકે એમ નથી. ધારો કે કોલેજોનું જોડાણ પૂર્વવત થયું છે એમ માનીએ તો પણ, વિદ્યાર્થીઓનો જે તે શાખામાં પ્રવેશ તો લંબાયો જ છે. એની ફી, એની ટર્મ, એની પરીક્ષાઓ વગેરે બાબતો તો ઘોંચમાં પડી જ છે. અધ્યાપકોનો પગાર તો મોડો વહેલોય થશે, પણ જે ટર્મ જૂનમાં ચાલુ થઈ જતી હતી તે સપ્ટેમ્બરમાં પણ શરૂ થશે કે કેમ તે પ્રશ્ન જ છે.

સરકારે ખાનગી યુનિવર્સિટીને લાગતો કાયદો 2009માં કર્યો. તેની કલમ 3 (1) (5)માં – એકસેપ્ટ ધ ગ્રાન્ટ ઇન એડ કોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યૂશન્સ – શબ્દો હતા તે 22/05/21 થી પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેઝેટથી દૂર કરવામાં આવ્યા. 21/05/2021 સુધી જે કોલેજો વીર નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હતી તે ખાનગી યુનિવર્સિટી સાથે જોડી દેવાતાં 22/05/2021થી જોડાણ મુક્ત થઈ અને ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડને લેવા જ માંગતી ન હતી, કારણ સરકારે કોઈ ગ્રાન્ટ ન આપવાની શરતે જ ખાનગી યુનિવર્સિટીઓને અસ્તિત્વ બક્ષ્યું હતું, એટલે ગ્રાન્ટેડ કોલેજો નધણિયાતી થઈ ગઈ. પછી એવી વાત પણ આવી કે ખાનગી સાથે ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવાની આવે કે અધ્યાપકોનું હિત પણ નહીં જોખમાય, એનો ખર્ચ સરકાર ઉઠાવશે.

અહીં સવાલ એ થાય કે જો ગ્રાન્ટેડનો બધો જ બોજ સરકાર ઉઠાવવાની હતી તો તેને સરકારી યુનિવર્સિટીથી જુદી કરવાની જરૂર શી હતી? હતી ત્યાં શું ખોટી હતી? અધ્યાપક મંડળ કહે છે તે સ્વીકારીએ તો ગ્રાન્ટેડ કોલેજો જૈસે થે-ની સ્થિતિમાં આવશે. આ જૈસે થે – સુધી આવતાંમાં ઘણું બગડયું છે. સરકાર હજી પણ જૈસે થે-ની સ્થિતિમાં આવે તે અપેક્ષિત છે, ખબર નહીં, એને માટે એ કેટલો સમય લેશે, પણ તેણે જે સમય લીધો છે તે ગુનાહિત બગાડથી વિશેષ કૈં નથી. સરકારે હજી જેટલા ઠેકડા મારવા હોય એટલા મારી લે, પણ એક વાત સ્પષ્ટ છે કે જો ગ્રાન્ટેડને બંધ કરવાનો ઇરાદો ન હોય તો, તેનો બોજ સરકારે જ ઉપાડવાનો છે, ભલે પછી તે કોલેજોને સરકારી કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડે. 21/05/2021 સુધી ગ્રાન્ટેડ કોલેજોનો કોઈ પ્રશ્ન ન હતો. તે સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. એ જોડાણ ચાલુ રહ્યું હોત તો વિદ્યાર્થી-અધ્યાપકોનો વિરોધ ઊઠ્યો ન હોત. જૂન સુધીમાં કોલેજોમાં પ્રવેશ થઈ શક્યા હોત, નવી ટર્મનું શિક્ષણ કાર્ય શરૂ થઈ શક્યું હોત કે અત્યાર સુધીમાં સામયિક પરીક્ષાઓ શરૂ થઈ શકી હોત, પણ એવું ન થયું. હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અટવાતા રહ્યા. ન તો તેમને સરકારી યુનિવર્સિટી સંઘરતી હતી કે ન તો ખાનગી યુનિવર્સિટી. આ આખું શૂળ પેટ ચોળીને સરકારે ઊભું કર્યું છે.

આ આખા ય વેપલામાં શિક્ષણ વિભાગની એ વિશેષતા બહાર આવી છે કે તેને દૂરનું જોવા-સમજવાની ટેવ નથી. આખો ય કારભાર તુક્કાઓથી ચાલે છે ને એનો ભોગ યુનિવર્સિટીઓ, કોલેજો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ બને છે. શેખચલ્લીને પાછળ મૂકી દે એવી મેધાવી ક્ષમતા શિક્ષણ વિભાગ ધરાવે છે. ખાનગી યુનિવર્સિટી એક્ટ 2009માં આવ્યો પછી એમાં જ 2011માં અને 2021માં સુધારાઓ થયા ને હજી એ અખતરાની સ્થિતિમાં જ છે એના પરથી લાગે છે કે આ વિભાગમાં દૂરંદેશીપણાનો ને સ્વસ્થતાનો અભાવ છે. કોઈ અખતરાખોર પેધો પડી ગયો તો હજી ઘણું ધનોતપનોત નીકળી શકે એમ છે. થોડું પણ દૂરનું વિચારવાનું બને તો પ્રજા અટવાતી બચે. ખાનગી યુનિવર્સિટીનો કોઈને વાંધો નથી ને જે જરૂરતમંદો સ્થિતિ સંપન્ન છે તે પૈસા ખર્ચીને જોઈતું શિક્ષણ મેળવે તેનો ય વાંધો નથી, કારણ સરવાળે તો એનાથી દેશને જ લાભ છે. પણ, બધાં જ એટલું મોંઘું શિક્ષણ ન મેળવી શકે. એવાં મોંઘાં શિક્ષણ માટે લોન મળતી હોય છે. એ લોન લઈને પણ ભણી શકાય, પણ ઘણાં એટલાં સંવેદનશીલ હોય છે કે લોન ન ભરાઈ તો મુશ્કેલીમાં મુકાઇ જાય. એવાઓ સરકારની મદદથી જ ભણવાનું પસંદ કરતા હોય છે. સરકાર લોકોના પૈસામાંથી જ એ મદદ કરે છે ને એનો જરૂરતમંદ લાભ લઈને શિક્ષિત થાય છે. એનાથી પણ દેશને લાભ જ છે. એટલે બે માર્ગો છે. ધનિકો પોતાને ખર્ચે સંતાનો માટે શિક્ષણની સગવડ ઊભી કરે અને સાધારણ સ્થિતિના સરકારી મદદથી ભણે ને ઉત્તમ પરિણામો મેળવે. જો સરકાર ગરીબ કે મધ્યમ વર્ગના પણ શિક્ષણ લે એમ ઇચ્છતી હોય તો તેને ગ્રાન્ટેડથી હાથ ધોઈ નાખવાથી ચાલવાનું નથી.

એટલે બીજા કોઈ પણ ખેલ કરવા કરતાં સરકારે કાયમી ધોરણે ગ્રાન્ટેડને ખાનગી કે સરકારી રાહે મદદ કરવા સક્રિય રહેવાનું જ છે. જો આટલું ગળે ઊતરતું હોય તો સરકારે પૂરી પ્રમાણિક્તા ને નિષ્ઠાથી ગુણવત્તા સભર શિક્ષણની વ્યવસ્થા વિચારવાની રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑગસ્ટ 2021

Loading

क्या भूलूं, क्या याद करूं ?

कुमार प्रशांत|Opinion - Opinion|27 August 2021

मुझे एकदम प्रारंभ में ही कह देना चाहिए कि मैंने इस आलेख का शीर्षक बच्चनजी से नहीं लिया है. मुझे तो याद भी नहीं है कि हरिवंश राय बच्चनजी ने अपनी आत्मकथा के पहले खंड के इस शीर्षक के साथ प्रश्नवाचक चिन्ह लगाया था या नहीं लेकिन मैं जान-बूझकर यह प्रश्नवाचक चिन्ह लगा रहा हूं . मेरे सम्मुख प्रश्न यह है कि किसी भी मुल्क को अपना वर्तमान गढ़ने के लिए अतीत का क्या कुछ याद रखना चाहिए और क्या कुछ भूल जाना चाहिए, भूलते जाना चाहिए ? इतिहास के कूड़ाघर में वक्त ने जितना कुछ फेंक रखा है, वह सब-का-सब संजोने लायक नहीं होता है. जो जाति या मुल्क वह सारा कुछ संजोते हैं, वे इतिहास के सर्जक नहीं, इतिहास के कूड़ाघर बन कर रह जाते हैं.

यह इसलिए कहना पड़ रहा है कि स्वतंत्रता दिवस को लालकिले की प्राचीर से प्रधानमंत्री ने घोषणा की कि राष्ट्र ने तय किया है कि आगे से 14 जनवरी का दिन वह विभाजन विभीषिका स्मृति दिन के रूप में मनाएगा. सुन कर पहली बात तो यही उठी मन में कि किसी प्रधानमंत्री को यह अधिकार कैसे मिल गया कि वह राष्ट्र की तरफ से ऐसी घोषणा कर दे ? प्रधानमंत्री को राष्ट्र ने चुना नहीं है. राष्ट्र ने उन्हें बस एक सांसद चुना है; उन्हें प्रधानमंत्री तो उनकी पार्टी के सांसदों ने चुना है. जैसे राष्ट्र की तरफ से ऐसी घोषणा का अधिकार किसी सांसद का नहीं हो सकता है, वैसे ही प्रधानमंत्री का भी नहीं हो सकता है. यह अधिकार तो केवल, और केवल संसद का है कि वह ऐसे मामलों पर खुला विमर्श करे, देश में जनमत के दूसरे माध्यमों को भी उस पर सोचने-समझने का पूरा मौका दे और फिर आम भावना को ध्यान में रख कर फैसला करे. ऐसे निर्णयों की घोषणा भी संसद में ही होनी चाहिए भले बाद में प्रधानमंत्री लालकिले से उसका जिक्र करें. और यह भी समझने की जरूरत है कि संसद को भी दूसरी संवैधानिक व्यवस्थाओं से बंध कर ही चलना चाहिए. हमारा संविधान स्वयंभू जैसी हैसियत किसी को नहीं देता है. इसलिए भी 15 अगस्त की गई यह अटपटी घोषणा ज्यादा ही अटपटी लगी.

हर आदमी का और हर मुल्क का इतिहास स्याह व सफेद पन्नों के मेल से बना है. दोनों पन्ने सच हैं. फर्क है तो इतना ही कि स्याह पन्नों पर आप न कुछ पढ़ सकते हैं, न दूसरा नया कुछ लिख सकते जबकि सफेद पन्ने आपको पढ़ने और  लिखने का आमंत्रण देते हैं. स्याह पन्नों में छिपाने जैसा कुछ नहीं होता है, क्योंकि आखिर वह सच तो होता ही है. लेकिन उसमें भुलाने जैसा बहुत कुछ होता है, क्योंकि वह सारा अमंगल होता है. जो इतिहासकार हैं वे दोनों पन्नों को संजो कर रखते हैं, क्योंकि उनकी जिम्मेवारी होती है कि वे इतिहास के प्रति सच्चे रहें. सामान्य नागरिक इतिहासकार नहीं होता है. उसकी जिम्मेवारी होती है कि अपना देश ईमानदारी व प्रेम से गढ़े, आगे बढ़े; और इस पुरुषार्थ में इतिहास से जितनी मदद मिलती हो, उतनी मदद ले.

देश का विभाजन हमारे इतिहास का वह स्याह पन्ना है जिस पर हमारी सामूहिक विफलता की कहानी लिखी है. केवल विफलता की नहीं, हमारी पशुता की, दरिंदगी की और मनुष्य के रूप में हमारे अकल्पनीय पतन की. हमारी आजादी के नेतृत्व का कोई भी घटक नहीं है कि जिसके दामन पर इस विभाजन का दाग नहीं है – महात्मा गांधी भी नहीं. दूसरी तरफ वे अनगिनत स्याह सूरतें भी हैं जो हमारी सामूहिक विफलता और पतन का कारण रही हैं. प्रधानमंत्री ने जिसे विभाजन की विभीषिका कहा है, वह प्रकृतिरचित नहीं, मानवरचित थी. कवि ‘अज्ञेय’ ने तो सांप से पूछा है :

“सांप
तुम सभ्य तो हुए नहीं
नगर में बसना भी तुम्हें नहीं आया 
एक बात पूछूं
उत्तर दोगे
फिर कैसे सीखा डंसना
विष कहां पाया ?”

विभाजन के पन्ने पलटें हम तो ‘अज्ञेय’ का यही सवाल हमें इंसानों से पूछना पड़ेगा. और ऐसा भी नहीं है कि इंसानों का ऐसा पतन हमारे इतिहास में ही हुआ है. सारी दुनिया के इतिहासों में ऐसी पतन-गाथा दर्ज है. बहुत गिर-गिर कर उठे हैं हम इंसान और तब यहां तक पहुंचे हैं. पतनशीलता आज भी कई लोगों की जेहनियत में घुल गई है, कई लोगों की जीवन-शैली बन गई है.

तो क्या भूलें, क्या याद करें ? विभाजन क्यों हुआ, यह भूलने जैसा नहीं है. उससे हम सीखेंगे कि आदमी कहां और क्यों इस तरह कमजोर पड़ जाता है कि इतिहास की प्रतिगामी शक्तियां उसे अशक्त  कर, अपना मनमाना करवा लेती हैं? गांधी जैसा दुर्धर्ष व्यक्ति भी पूरी कोशिश कर जिसे रोक नहीं पाया, भारतीय समाज की और मानव-मन की वह कौन-सी कमजोरी थी, इसे गहराई से समझना है और उससे सावधान रहना है. गांधी की विफलता इसी मानी में इतनी उदीप्त और उज्ज्वल है कि वह हमें पतन की तरफ नहीं ले जाती है.  आसमान छूने की कोशिश में विफल होने में और नर्ककुंड रचने में सफल होने में जो फर्क है, वही फर्क है गांधी की विफलता और सांप्रदायिक ताकतों की सफलता में. हिंदू-मुसलमान दोनों के कायर सांप्रदायिक तत्व इसलिए इतिहास के कठघरे में हमेशा मुजरिम की तरह खड़े रहेंगे कि वे गांधी की कोशिशों को विफल करने की अंधी कोशिश करते रहे और अंतत: देश ही नहीं तोड़ बैठे बल्कि सर्वभक्षी घृणा का ऐसा समंदर रच दिया उन्होंने कि आज भी वह ठाठें मारता है. इसलिए यह जरूरी है कि गांधी की कोशिशों को हम हमेशा याद करें, करते रहें क्योंकि आगे का रास्ता वहीं से खुलता है.

हम क्या भूलें ? उस दरिंदगी को भूलें जिसे विभीषिका कहा जा रहा है. वह विभीषिका नहीं थी, क्योंकि वह आसमानी नहीं, इंसानी थी. उसे इतिहास के किसी अंधेरे कोने में दफ्न हो जाने देना चाहिए क्योंकि वह हमें गिराता है, घृणा के जाल में फंसाता है, जोड़ता नहीं, तोड़ता है. दोनों तरफ की सांप्रदायिक मानसिकता के लोग चाहते हैं कि वह याद बनी रहे, बढ़ती रहे, फैलती और घुमड़ती रहे ताकि जो जहर गांधी ने पी लिया था, वह फिर से फूटे और भारत की धरती को अभिशप्त करे; इस महाद्वीप के लोगों को आदमकद नहीं, वामन  बना कर रखे. उनके लिए ऐसा करना जरूरी है क्योंकि वे इसी का रसपान कर जीवित रह सकते हैं. लेकिन कोई मुल्क सभ्यता, संस्कृति और उद्दात्त मानवता की तरफ तभी चल पाता है जब वह अपना कलुष मिटाने व भूलने को तैयार होता है. सभ्यता व संस्कृति की यात्रा एक उर्ध्वगामी यात्रा होती है. वह नीचे नहीं उतरती है, हमें पंजों पर खड़े होकर उसे छूना व पाना होता है. जो ऐसा नहीं कर पाते हैं वे सारे समाज को खींच कर रसातल में ले आते हैं, फिर उनका नाम जिन्ना हो कि सावरकर कि उनके वारिस. इसलिए हम उन सांप्रदायिक ताकतों को याद रखें कि जिनके कारण देश टूटा, अनगिनत जानें गईं, अपरिमित बर्बादी हुई और पीढ़ियों तक रिसने वाला घाव, वैसा घाव जैसा महाभारत युद्ध में अंत में अश्त्थामा को मिला था, इस महाद्वीप के मन-प्राणों पर लगा. जिस मानसिकता के कारण वह घाव लगा, हम उसे न भूलें लेकिन जितनी जल्दी हो सके, उस घाव को भूल जाएं.

याद रखना ही नहीं, भूल जाना भी ईश्वर प्रदत्त आशीर्वाद है. इसलिए 15 अगस्त को अपना स्वतंत्रता दिवस मनाने की उल्लास भरी मानसिकता बनाने के लिए जरूरी लगता हो तो हम 14 अगस्त को प्रायश्चित व संकल्प  दिवस के रूप में मनाएं. प्रायश्चित इसका कि हम इतने कमजोर पड़े कि अपना यह सामूहिक पतन रोक नहीं सके; और संकल्प यह कि आगे कभी अपने मन व समाज में ऐसी कमजोरी को जगह बनाने नहीं देंगे हम. महा संबुद्ध बुद्ध को साक्षी मान कर हम 14 अगस्त को गाएं : ले जा असत्य से सत्य के प्रति/ ले जा तम से ज्योति के प्रति/ मृत्यु से ले जा अमृत के प्रति. विश्वगुरु बनना जुमला नहीं, आस्था हो तो इस देश का मन नया और उद्दात्त बनाना होगा.

(26.08.2021)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

...102030...1,7731,7741,7751,776...1,7801,7901,800...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved