હેં! કોરોના! કોવીડ-૧૯!
એ વળી કઈ બલાનું નામ છે?
વાયરસ છે. અત્યંત ચેપી. જીવલેણ.
ગરીબ, અમીર, અબાલ, વૃદ્ધ;
ઊંચ, નીચ, કોઈ ભેદ ના કરે.
ત્રાટક્યો! અચાનક! આશ્ચર્ય.
મટશે? કયો ઉપચાર? પ્રશ્ન.
મને, એમને, દીકરાને, અલ્પ વિરામ.
૭૬ દિવસે ગુજરી ગયા. પૂર્ણ વિરામ.
ઊંઘતા ઝડપ્યાં!
ક્યારે વિદાય લેશે?
નચિંત થયાં ત્યાં તો,
પુનઃઆગમન થઈ ગયું છે.
~
e.mail: rupaleeburke@yahoo.co.in
![]()


ગુજરાતમાં માંસાહાર વેચતી લારીઓને લઈને હમણાં ઘણી ચર્ચા થઇ. એક પછી એક ચાર શહેરોમાં કેવી રીતે તેનાં વેચાણ પર પ્રતિબંધ મુકાયા અને કેવી રીતે મુખ્ય મંત્રીએ આખી વાતને ફેરવી તોળી એ તો ખેર એક જુદો જ વિષય છે, પણ એમાંથી જન્મેલો પ્રશ્ન એ છે કે એક રાષ્ટ્ર તરીકે, આપણે કેટલા શાકાહારી અને માંસાહારી છીએ? તે પહેલાં ગુજરાતની વાત.
બીજા પ્રકારના મીડિયા પ્રિન્ટ મીડિયા છે. તેમાં ભાટાઈ પ્રમાણમાં ઓછી જોવા મળશે. એટલા માટે નહીં કે તે બહુ જવાબદાર છે, પણ એટલા માટે કે તેમની મજબૂરી છે. ધૂણાવવાનું કામ જેટલું અસરકારક ટી.વી. ચેનલો કરે છે, એટલું અસરકારક છાપેલો શબ્દ નથી કરી શકતો. આને કારણે જેનાં હિત ખાતર ભક્તોને ધૂણાવવામાં આવે છે, એ હિત ધરાવનારાઓ ગોદી ચેનલોને પોષે છે, પ્રિન્ટ મીડિયાને નથી પોષતા. જો હાથમાં જોઈએ એટલું કાંઈ ન આવતું હોય તો ભૂંડા શા માટે થવું? સંયમનું પહેલું કારણ આ છે.