લખું છું ત્યારે બેફામ લખું છું,
કલમ ન થાકે ત્યાં સુધી લખું છું.
વ્યથા લખું છું, કથા લખું છું,
મારી તમારી વાતો લખું છું. – લખું છું ત્યારે …
કોડભરી કન્યાની વાતો લખું છું,
વસમી વિદાયની વ્યથા લખું છું,
વેદનાની કથાને શબ્દોથી મઢું છું,
સિતમના ચિત્કારની કથા લખું છું. – લખું છું ત્યારે …
લખું છું ત્યારે બસ લખ્યા જ કરું છું,
થોકબંધ ઠોસ વાતો લખું છું,
દહેજના ખપ્પરમાં હોમાતી અબળાઓની
કથાને આક્રોશયુક્ત વાણીમાં ઢાળું છું. – લખું છું ત્યારે …
તૂટેલાં ઝૂંપડાની વાતો લખું છું,
તો ક્યારેક લખું છું ખાલીખમ ઠામની વાતો,
ચિત્કારની કથાઓને શબ્દોમાં રચું છું,
પ્રસંગોને પડકારતી વાતો લખું છું. – લખું છું ત્યારે …
જીવતા માણસની લાશો વિશે લખું છું,
તો ક્યારેક લખું છું ખાલી પેટની વાતો,
માણસના ચહેરામાં છુપાયેલા શયતાનની વાતો લખું છું,
ક્યારેક થાકીને આકરી વાતો લખું છું. – લખું છું ત્યારે…
બળબળતા બપોરની વાતો લખું છું,
ખુલ્લે પગે ભટકતા ઇન્સાનની વાતો લખું છું,
ક્યારેક લખું છું દિલોજાન દોસ્તોની વાતો,
તો ક્યારેક લખું છું મહેનતકશ ઇન્સાનની વાતો. – લખું છું ત્યારે …
સવારથી સાંજ સુધી બસ લખ્યા જ કરું છું,
જન્મથી મરણ સુધીની વાતો લખું છું,
લખું છું નક્કર વાતો લખું છું,
ચિનગારી ફૂટે ત્યાં સુધી લખું છું. – લખું છું ત્યારે …
તા. 4-12-2000
e.mail : koza7024@gmail.com
![]()


દુનિયાભરના મહેનતકશો પહેલી મેના દિવસે મજૂર દિન મનાવે છે, પરંતુ અમદાવાદની કાપડમિલોના મજૂરો વરસોથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ મનાવતા હતા. આજે તો અમદાવાદમાં મોટા ભાગની કાપડ મિલો બંધ થઈ ગઈ છે, પરંતુ એક જમાનામાં ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં બહુ ઉમંગથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ ઉજવાતો હતો. દુનિયાના કામદારો કરતાં અમદાવાદના મિલ કામદારોના નોખા મજૂર દિવસનો પણ અનોખો ઇતિહાસ છે. અમદાવાદમાં પહેલી કાપડ મિલ તો ઈ.સ. ૧૮૬૧માં શરૂ થઈ હતી. કામના અમર્યાદિત કલાકો અને ઓછા વેતનની કામદારોની નિયતિ અને તે સામેનો તેમનો વિરોધ અને હડતાળો પણ પડી હતી. પરંતુ ૧૯૧૭ની ચોથી ડિસેમ્બરે પડેલી હડતાળ ઇતિહાસના પાને કાયમ અંકિત થઈ ગઈ છે.
૧૯૧૭ અને ૧૯૧૮ની સફળ હડતાળોથી કામદારોમાં નવાં જાગૃતિ અને જોમ આવ્યાં. અનસૂયાબહેન પ્રત્યેની તેમની આસ્થા અને વિશ્વાસ મજબૂત થયાં. સંઘર્ષ નહીં પણ સદ્દભાવ અને સમાધાનથી કામદારોના પ્રશ્નો ઉકેલવાની ગાંધીજીની રસમથી આગળ વધવા ગાંધીવાદી મજૂર સંગઠન ‘મજૂર મહાજન સંઘ’ની ૨૫મી ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ સ્થાપના થઈ. આ વરસે જેની સ્થાપનાનું શતાબ્દી વરસ છે તે ‘મજૂર મહાજન સંઘ’ના અનસૂયાબહેન સ્થાપક અને આજીવન પ્રમુખ હતાં. ‘મજૂર મહાજન સંઘ’ મારફતે તેમણે કામના કલાકોમાં ઘટાડો, કામના સ્થળે સલામતી, વેતન વધારો અને બોનસ જેવી માંગણીઓ તો સ્વીકારાવી સાથે સાથે કામદાર કલ્યાણનાં અનેક કામો કર્યાં. મજૂરોનાં જીવન ધોરણમાં સુધારો આણવા તેમણે પ્રયત્નો કર્યાં હતાં. મિલોમાં કામ કરતી મહિલાઓ માટે ઘોડિયાઘર અને સમાન વેતન અપાવ્યાં હતાં. મહિલા મંડળો,છાત્રાલય, કન્યાગૃહ, વ્યાયામ શાળા, વાચનાલય અને કામદાર કલ્યાણ કેન્દ્રો શરૂ કર્યાં હતાં.
એકબીજાની વિરોધી તેમ જ વિરોધાભાસી હકીકતોનો ખડકલો થઈ રહ્યો છે. સત્યની શોધ ન કરવી, મિથ્યા પુરવાર થશે.