કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મંદિરે મંદિરે ભટકે છે, ધોતિયું પહેરીને પૂજા-પ્રક્ષાલન કરે છે, કપાળે તિલક લગાવડાવે છે અને કદાચ દક્ષિણા પણ આપતા હશે. આમ કરીને તેઓ એમ બતાવવા માગે છે કે તેઓ ધાર્મિક હિન્દુ છે. એ દ્વારા તેઓ એમ સાબિત કરવા માંગે છે કે તેઓ હિન્દુ ધર્મ વિરોધી નથી. એના દ્વારા તેઓ એમ કહેવા માંગે છે કે કૉન્ગ્રેસ હિન્દુ કે હિન્દુ ધર્મ વિરોધી નથી. આના દ્વારા તેઓ એમ પણ સિદ્ધ કરવા માંગે છે કે કૉન્ગ્રેસ મુસ્લિમ તરફી સેક્યુલર પક્ષ નથી. હા, તેનો અર્થ કોઈ એવો કરે કે કૉન્ગ્રેસ સહેજ હિન્દુ પક્ષપાત ધરાવનાર સેક્યુલર પક્ષ છે તો રાહુલ ગાંધી તેનો સ્વીકાર કે અસ્વીકાર કર્યા વિના મૂંગા રહેવાનું પસંદ કરશે. આ બધું ચૂંટણી ટાણે જોવા મળે છે.
ચૂંટણી ન હોય ત્યારે રાહુલ ગાંધી મંદિરોમાં જાય છે કે નહીં એ આપણે જાણતા નથી. જતા હોય અને મીડિયા તેની નોંધ ન લેતા હોય એવું બને અને કદાચ રાજકીય જરૂરત નહીં રહેતા નહીં પણ જતા હોય. રાહુલ ગાંધી કેટલા ઈશ્વરપરાયણ છે એની પણ આપણને ખબર નથી. રાહુલ ગાંધીએ તેમની અંગત ધાર્મિકતાના સ્વરૂપ વિશે ખુલાસો કર્યો નથી, ત્યાં તેમની ધર્મવિભાવના તો બહુ દૂરની વાત છે.
બીજી બાજુ નરેન્દ્ર મોદી છે જે ભાગ્યે જ મંદિરોમાં જાય છે. આનો અર્થ એવો નથી કે તેઓ નખશીખ સેક્યુલર છે અને ધર્મને રાજકારણથી દૂર રાખે છે. તેમને મંદિરોમાં જઇને પોતાના હિન્દુ હોવાપણાના પ્રમાણપત્રની જરૂર નથી, કારણ કે તેઓ હિન્દુ હિતના અને હિન્દુ ધર્મના ઠેકેદાર છે. ઠેકેદારોની પ્રતિષ્ઠા ઠેકેદારીમાં છે. હું તમારી વતી અને તમારે માટે બોલું છું એટલું પૂરતું છે. એનાથી વધુ કાંઈ પૂરવાર કરવાનું રહેતું નથી. તમે અટલ બિહારી વાજપેયીને, લાલકૃષ્ણ અડવાણીને, મુરલી મનોહર જોશીને, મોહન ભાગવતને, તેમના પુરોગામી સરસંઘચાલકોને મંદિરમાં જતા કેટલી વાર જોયા છે? રાહુલ ગાંધીની માથાં ટેકવતી તસ્વીરો જોવા મળશે એટલી આ બધા લોકોની નહીં જોવા મળે. એકલા રાહુલની સો તસ્વીરો મળશે અને આ બધા લોકોની મળીને સો નહીં મળે. ગેરંટી.
જરૂર શું છે જ્યારે ઠેકેદારી હાથમાં છે? હિન્દુત્વના પુરસ્કર્તા વી.ડી. સાવરકર તો નાસ્તિક હતા અને તેમણે પોતાની નાસ્તિકતા છૂપાવી પણ નહોતી. મહમ્મદ અલી જિન્નાહે જાહેરમાં નાસ્તિકતાનો સ્વીકાર કર્યો નહોતો, પણ આખી દુનિયા જાણે છે કે તેઓ નાસ્તિક નહીં તો પણ અ-ધાર્મિક હતા. હિન્દુ હિતના બીજા એક ઠેકેદાર ડૉ. સુબ્રમણ્યમ સ્વામી પારસીને પરણ્યા છે અને તેમની દીકરી મુસલમાનને પરણી છે. આમ ઠેકેદારોને હિન્દુ હોવાનાં કોઈ પ્રમાણપત્રોની જરૂર નથી હોતી, કારણ કે તેઓ ઠેકેદાર છે.
કોમવાદી રાજકારણનું આ સ્વરૂપ છે. કોમવાદી હોવા માટે ધર્મિક હોવાની જરૂર હોતી નથી. જગતના ૯૯ ટકા કોમવાદીઓ રૂઢ અર્થમાં મંદિરોમાં જનારાં અને ટીલાં-ટપકાં કરનારાં ધાર્મિક નથી હોતા. તેઓ ઈશ્વરપરાયણ નથી હોતાં, ધર્મપરાયણ પણ નથી હોતાં; તેઓ સંખ્યાપરાયણ હોય છે. આપણી આટલી સંખ્યા છે અને છતાં આપણને અન્યાય થઈ રહ્યો છે અથવા આટલો આપણો હક છે જે મળવો જોઈએ કે મળતો નથી, વગેરે. તેમનું રાજકારણ ભયના પાયા પર ઊભેલું હોય છે. અન્યોને લલકારવા અને પોતાનાને હંમેશાં ડરાવીને રાખવા. ‘જો જો હોં, જરાક પણ અસંગઠિત થશો ને તો દુ:શ્મનો આપણને ખતમ કરી નાખશે.’ દુ:શ્મન, દુ:શ્મનનો ભય અને સંગઠિત સંખ્યા તેમના રાજકારણના પદાર્થો છે.
આમ જે મોકળાશ નરેન્દ્ર મોદીને છે એ રાહુલ ગાંધીને નથી. રાહુલ ગાંધીએ હિન્દુ હોવાના પ્રમાણપત્રો ઉઘરાવવા પડે છે, જે મંદિરોમાં મળે છે. રાહુલ ગાંધીને અને કૉન્ગ્રેસના નેતાઓને એક વાત સમજાતી નથી કે જે હિન્દુઓ કોમવાદી માનસ ધરાવે છે એ ઠેકેદારોના બની ચુક્યા છે અને તેઓ નજીકના ભવિષ્યમાં પાછા ફરવાના નથી. ઠેકેદારોનાં પાપ જ્યારે ઠેકેદારી કરતાં વધારે મોટાં નજરે પડશે અને એ છાપરે ચડીને પોકારશે ત્યારે કોમવાદી માનસ ધરાવનારાઓની આંખ ઉઘડશે, જેમ જર્મની અને ઈટાલીમાં બન્યું હતું. ત્યારે તેમને સમજાશે કે આપણને બીવડાવી બીવડાવીને બેવકૂફ બનાવવામાં આવતા હતા. આમ મંદિરોમાં આંટા મારવાથી વાડે બંધાયેલાં ઘેટાં મુક્ત થવાનાં નથી. એટ લીસ્ટ, આવતા થોડાં વર્ષો તો નહીં. લગભગ એક-દોઢ હજાર જેટલા બીવડાવનારાઓની ફોજ તૈયાર કરવામાં આવી છે જે અખબારોની કોલમોમાં અને રાતના પ્રાઈમ ટાઈમમાં ટી.વી.-ચેનલો પર બીવડાવવાનું કામ કરે છે. બીનારાઓને પણ બીવાનો આનંદ આવે છે અને તેઓ પાછા એકબીજાને બીવડાવીને રાહત મેળવે છે.
કેવો યુગ આવ્યો છે નહીં! ડરનું ગૌરવ કરવામાં આવી રહ્યું છે. ડરેલાઓ પોતાને શાણાઓ તો સમજે જ છે, પરંતુ બહાદુર પણ સમજે છે. ડરેલો ને વળી બહાદુર? હા, માનસિક જ્વર જ્યારે સામૂહિક બની જાય ત્યારે આવું પણ જોવા મળે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં બોલતા ગાંધીજીએ કમાન્ડોઝની વચ્ચે ફરતા ભારતમાંના બ્રિટિશ ગવર્નરને કહ્યું હતું કે ભારતમાં રહેવામાં જો ડર લાગતો હોય તો તેમણે વતન પાછા જતા રહેવું જોઈએ, કારણ કે ડરીને રહેવા જેટલું દોજખ બીજું એકે નથી. તેમણે ભારતની પ્રજાને કહ્યું હતું કે જો આપણા કારણે ગવર્નર સાહેબ ડરતા હોય તો આપણે કાયર છીએ. ડર્યા વિના અને દુ:શ્મનને ડરાવ્યા વિના આંખમાં આંખ પરોવીને વાત કરતા આવડવું જોઈએ. ખરી મર્દાનગી આવી હોય છે. ગાંધીજીનું એ કથન સાંભળીને ગુજરાત ક્લબમાં બ્રીજ રમતા વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે દેશમાં મરદનો દીકરો પાક્યો છે જે જરૂર આઝાદી અપાવશે. આજે સરદારના નામના રાસડા લેનારાઓ પોતાનાઓને ડરવાનું કામ કરી રહ્યા છે. ૫૬ ઈંચની છાતી ગાંધીજીની હતી જેણે ભારતની પ્રજાના મનમાંથી ભય દૂર કર્યો હતો. કોઈ બીવડાવે અને પાછા ૫૬ ઈંચની છાતીનો દાવો પણ કરે? આગળ કહ્યું એમ જ્યારે સામૂહિક માનસિક જ્વર પેદા થાય ત્યારે આવું પણ બને.
તો રાહુલ ગાંધીએ શું કરવું જોઈએ? રસ્તો છે પણ એ સાચા મરદનો છે. રાહુલ ગાંધી એ કરી શકાશે? તેની વાત આવતીકાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 નવેમ્બર 2018
![]()




પરિષદે ગુહા વિરુદ્ધ આપેલાં આવેદનપત્રમાં એમ જણાવ્યું છે કે ગુહાનાં ‘પુસ્તકો તેમ જ લેખો ભારતીય હિન્દુ સંસ્કૃિતનું ખંડન કરતાં તેમ જ રાષ્ટ્રનું વિઘટન કરનાર પ્રવૃત્તિઓને પ્રેરણા આપનાર સાબિત થયાં છે’. આવેદનપત્રમાં જે લખાણોનાં અંશો મૂકવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના ગુહાના ‘મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા’ ગ્રંથનાં છે. આવેદનપત્રમાં અવતરણોની બહુ સગવડિયા અને સંકુચિત પસંદગી કરવામાં આવી છે. આ ગ્રંથ યુવાનને છાજે તેવા વધુ ખુલ્લા મનથી, હિન્દુ ધર્મ અને સંસ્કૃિતની સંકુચિત સમજથી બહાર નીકળી વંચાવો જોઈએ. સાડા પાંચસો પાનાંના આ સંપાદન-સંકલનમાં, અત્યારનાં લોકશાહી ભારતનું ઘડતર જેમના થકી થયું છે, તેવા જાહેર જીવનના ઓગણીસ પ્રબુદ્ધજનોનાં જીવનકાર્ય અંગેની સરસ નોંધ અને તેમનાં લખાણોનાં મહત્ત્વનાં અંશો વાંચવા મળે. તેમાં દેશના જાણીતા ઘડવૈયાઓ ઉપરાંત, મુસ્લિમ લીગના મોહમ્મદ અલી જિન્હા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાદેવ સદાશિવ ગોળવલકર પણ છે. તારાબાઈ શિંદે અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય છે, સૈયદ અહમદ ખાન, વેરિયર એલ્વિન અને હમીદ દલવાઈ જેવાં ઓછાં જાણીતાં નામ છે. આ મહાનુભવોને કારણે દેશને સમાનતાવાદી બંધારણ, સ્ત્રી-દલિત-આદિવાસી-લઘુમતીના અધિકાર, સાર્વત્રિક શિક્ષણ અને લોકશાહી વિમર્શ મળ્યાં છે. જો કે શાસક ભા.જ.પ.ને આધુનિક ભારતનું આ જ સંવિત્ત જોઈતું નથી, અને એટલે તેને છિનવવા તે જે અનેક હથિયારોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક વિદ્યાર્થી સંગઠન છે. તેની સામે બૌદ્ધિક, આર્થિક અને વિદ્યાકીય બળ ધરાવતી અમદાવાદ યુનિવર્સિટીએ સીધી જ શરણાગતિ સ્વીકારી. સંગઠને પત્રની નકલ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મોકલી હોવા છતાં, આખા ય પ્રકરણમાં રાજ્યના પેટનું પાણી ય ન હલ્યું.
બીજી બાજુ, દિલ્હીની આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર સંગીતકાર ટી.એમ. કૃષ્ણાના ટેકામાં ઊભી રહી. વાત એમ હતી કે ભા.જ.પ.ના કડક આલોચક અને રૅડિકલ કર્ણાટક સંગીતકાર કૃષ્ણાનો એક કાર્યક્રમ એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ, સ્પિક-મૅકે નામની સંગીત પ્રસાર સંસ્થાના ઉપક્રમે, ગયા શનિવારે યોજ્યો હતો. તેને ઑથોરિટીએ ગુરુવારે એકાએક ‘સમ એક્સિજન્સી’ એટલે કે કોઈક તાકીદની જરૂરિયાત એવું અસ્પષ્ટ કારણ આપીને પડતો મૂક્યો. ખરું કારણ એ હતું કે આ મહેફિલની જાહેરાત થતાં સોશ્યલ મીડિયામાં કટ્ટર હિન્દુત્વવાદી ટ્રોલસેના મેદાને ચડી. તેણે કૃષ્ણા ‘જિસસ અને અલ્લા’નાં ગીતો ગાય છે, એ ‘ઍન્ટિ-નૅશનલ’, ‘કન્વર્ટેડ બાયગૉટ’ એટલે કે વટલાયેલો ધર્મઝનૂની અને ‘અર્બન નક્સલ’ છે એવી બૂમરાણથી જે દબાણ ઊભું કર્યું તેની સામે ઑથોરિટી ઝૂકી ગઈ. પણ દિલ્હીની સરકારે એ જ મહેફિલનું નિયત દિવસે વિના મૂલ્ય સફળ આયોજન કર્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું કે ‘બધા ધર્મ અને બધા વર્ણને સમાવતા વૈવિધ્યસભર સમાવેશક દેશ’ને ટકાવી રાખવા માટે તેમની સરકારે આ પહેલ કરી છે.
વિચાર સ્વાતંત્ર્યના દમનનો તાજેતરમાં બનેલો ત્રીજો કિસ્સો ઓછો જાણીતો કિસ્સો તે દિલ્હી યુનિવર્સિટીમાં કાન્ચા ઇલૈયાનાં પુસ્તકો પરનાં પ્રતિબંધના પ્રયત્નનો છે. ઇલૈયા રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને સબૉલ્ટરન સ્ટડીઝ એટલે કચડાયેલા વર્ગોના અભ્યાસ જેવાં ક્ષેત્રોના વિદ્વાન અધ્યાપક છે, તેમ જ તમિળ અને અંગ્રેજી લેખક છે. તેમનાં ત્રણ પુસ્તકો દિલ્હી યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક સ્તરે ઘણાં વર્ષોથી અભ્યાસક્રમમાં છે. તેમનાં નામ છે : ‘ગૉડ ઍઝ અ પૉલિટિકલ ફિલૉસૉફર : બુદ્ધાઝ ચૅલેન્જ ટુ બ્ર્રાહ્મિનિઝમ’, ‘વ્હાય આઇ ઍમ નૉટ અ હિન્દુ: અ શૂદ્ર ક્રિટિક ઑફ હિન્દુત્વ ફિલૉસૉફી’, અને ‘પોસ્ટ-હિન્દુ ઇન્ડિયા : અ ડિસ્કોર્સ ઑન દલિત બહુજન સોશિયો-સ્પિરિચ્યુઅલ ઍન્ડ સાયન્ટિફિક રેવોલ્યૂશન’. આ પુસ્તકોનાં નામ અને પેટાનામ પણ ઇલૈયાના અભિગમનો અંદાજ આપે છે. યુનિવર્સિટીની સ્ટૅંડિન્ગ કમિટીએ આ પુસ્તકોની ‘વિવાદાસ્પદ સામગ્રી’ને લઈને તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. તેમાં ‘હિન્દુ ધર્મનું અપમાન છે’ એમ પણ કહેવાયું. જો કે રાજ્યશાસ્ત્ર વિભાગે પોતે સ્ટૅન્ડિન્ગ કમિટીના નિર્ણયનો અસ્વીકાર કરીને પુસ્તકો અભ્યાસક્રમમાં ચાલુ રાખવામાં આવશે એમ જણાવ્યું છે. જો કે અંતિમ નિર્ણયની સત્તા ઍકેડેમિક કાઉન્સિલ પાસે રહે છે. બરાબર એક વર્ષ પહેલાં સર્વોચ્ચ અદાલતે ઇલૈયાના એક પુસ્તક પર પ્રતિબંધ મૂકવા માટેની અરજી ફગાવી દીધી હતી.