Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9379688
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૫) 

સુમન શાહ|Opinion - Literature|30 August 2024

(એક અભ્યાસુ મિત્રે પૂછ્યું – આ પુનર્લેખન છે? મેં ખુશ થતાં કહ્યું, હા; સુધારા-વધારા માટે.) 

વર્તુળ : ૧ : જીવન-સ્વીકૃતિ

સુમન શાહ

જીવન-સ્વીકૃતિ સૂચવતી કર્નલ સ્પોટ્સ કે પરાકોટિ-રૂપ રચનાઓ આ છે : ‘વિશ્વશાન્તિ’, ‘નિશીથ’, ‘જઠરાગ્નિ’, ‘બળતાં પાણી’, અને ‘આત્માનાં ખંડેર’. આ વર્તુળમાં, આ કોટિની અહીં ચર્ચી નથી તેવી અનેક રચનાઓનો સમાવેશ આપોઆપ થઇ જાય છે. 

જેમ કે, “પ્રાચીના”, “આતિથ્ય” અને “અભિજ્ઞા”-ની અનેક રચનાઓ — જેમાં વ્યક્ત-સમષ્ટિ વચ્ચેના સમ્બન્ધો જુદા જુદા ભાર, કાકુ, વળાંકો અને છટાઓ સાથે નિરૂપણ પામ્યા છે; ‘અહમ્-ની યાત્રા’ (૩૪૩), ‘આત્મદેવને નિમન્ત્રણ’ (૭૧૪) એનાં હાથવગાં નિદર્શનો છે. 

જેમ કે, ‘ભલે શૃંગો ઊંચાં’ (૫૬૨) ‘ગયાં વર્ષો તેમાં …’ અને ‘રહ્યાં વર્ષો તેમાં …’ (૫૬૪) વગેરે સૉનેટ-રચનાઓમાં મનુષ્ય અને મનુષ્યકૃતિ માટેનો સમજભર્યો પક્ષપાત ફરી ફરીને આવે છે. ટૂંકમાં, ઉક્ત પાંચ કર્નલ સ્પોટ્સની આસપાસ આ વર્તુળની સૃષ્ટિનું વૈવિધ્ય આરામથી અનુભવી શકાય છે. 

‘વિશ્વશાન્તિ’ —

પણ્ડિતયુગના કવિઓ વડે ઊર્મિકવિતા પ્રતિષ્ઠ થઈ ચૂકી હતી, ત્યારે , ૧૯૩૧માં, ઉમાશંકર ‘વિશ્વશાન્તિ’ લઈને પ્રવેશે છે. એ ખણ્ડકાવ્ય છે. એમાં, દૃઢબન્ધ સૉનેટના કાવ્યપ્રકારથી થોડી વધારે મુક્તતા મળી શકે છે, પણ એમાં, અક્ષરમેળ વૃત્તની શિસ્તનો સ્વીકાર છે. વૃ્ત્તોનું વૈવિધ્ય અને ખણ્ડકાવ્યની સર્જકતા છે, તેમછતાં, ‘વિશ્વશાન્તિ’-નું વસ્તુ બહુશ: ચિન્તનોર્મિ કોટિનું છે, અને તેથી, ખણ્ડકાવ્યની કવિ કાન્તથી સમૃદ્ધ છાપને ડુબાડી દે છે — ‘આ ખણ્ડકાવ્ય છે?’ એવો સંદેહ ઊભો કરે છે. ભલે.

‘વિશ્વશાન્તિ’ ખણ્ડકાવ્યના વિષયવસ્તુનું નામ છે, ‘મંગલ શબ્દ’. કાવ્ય એ ‘મંગલ શબ્દ’-નું સ્તોત્ર છે. જો કે, એ શબ્દ પોતે કંઈ કાવ્યશબ્દ નથી, એ તો ચેતનમન્ત્ર છે, ભાવનાપુંજ છે. ગાંધી-વાતાવરણમાં ઉછરતા જુવાન તરીકે, અથવા પોતાના વ્યક્તિત્વના બંધારણે કરીને, ઉમાશંકરની શ્રદ્ધા એ મન્ત્રને વિશે સ્ફુરી છે. ચેતનમન્ત્ર કાવ્યની રચના પૂર્વે હતો, ગાંધીની સન્નિધિથી એનું આકલન થયું હતું, ગાંધીમાં જ એ ભાવનાપુંજનાં દર્શન થયાં હતાં.

કશુંક છે, કશુંક ભાવાત્મક, અસ્તિત્વશીલ, તેને વિશેની શ્રદ્ધા, એટલે કે, તેવા કાવ્યવસ્તુને વિશેની શ્રદ્ધા, અને તે, અહીં કાવ્યરૂપની જનની બની છે. આ ક્રમ-ઉપક્રમ ઉમાશંકરને તેમ જ એમની કાવ્યસૃષ્ટિને સમજવા માટે સદા સ્મરણમાં રાખવો જરૂરી છે. 

એવા ક્રમ-ઉપક્રમે ‘વિશ્વશાન્તિ’ ગાંધી જેવી વિરાટ વિભૂતિને વિશ્વશાન્તિ માટે પ્રાર્થના કરતું કાવ્ય છે. ‘પઢાવો પ્રેમના મન્ત્રો ઘેલી માનવજાતને’ જેવી આર્દ્ર પ્રાર્થના વડે વિભૂતિમત્-ની સ્તુતિ થઈ છે, એને અંજલિ અપાઈ છે. (પૃ.૧૮. અને અહીં આપેલા બધા જ પૃષ્ઠક્રમાંક “સમગ્ર કવિતા”-ના જુલાઇ, ૧૯૮૧-ની પ્રથમ આવૃત્તિ અનુસાર છે, ‘ખાસ સૂચના’-ને અનુસરીને સુધાર્યા પણ નથી.) 

જીવનના વિરાટ કલાધર ગાંધીએ સત્ય, શિવ અને સુન્દરને પ્રકાશિત કર્યું છે એવી દૃઢ પ્રતીતિ સાથે અહીં ઉત્સાહ અને ઉદ્રેકસભર કાવ્યબાનીમાં એક રસિક અભિવ્યક્તિ સિદ્ધ થઇ છે.

જે જે વિભૂતિમત્ છે, જે જે કોઇ સત્ય શિવ અને સુન્દર-ના જીવન-કલાધરો છે, તેની બિરદાવલિની પછી તો “સમગ્ર કવિતા”-માં એક આખી પરમ્પરા સંભવી છે. એ ખરું કે એ કાવ્યત્વ એક સુચારુ અભિવ્યક્તિથી આગળ નથી વધી શક્યું.

એ પરમ્પરાનાં કેટલાંક કાવ્યો છે : ‘યુગદૃષ્ટા’ (૫૭), ‘બાણપથારી’ (૯૬), ‘સંગીતકારને’ (૧૬૬), ‘કલિકાલસર્વજ્ઞ હે’ (૩૫૨), ‘સત્તાવનમે વર્ષે’ (૩૫૩), ‘તમે સ્વજન’ (૩૫૩), ‘વિદાય દુનિયા’ (૩૫૪), ‘મુખર મૌનનો ઝરો’ (૩૫૪), ‘બાલાશંકરને સ્વાગત’ (૩૫૬), ‘કાલિદાસ’ (૫૫૫), ‘કવીન્દ્ર હે’ (૫૫૫), ‘મહાકવિ દાન્તે’ (૬૮૧), ‘શેક્સપીયર’ (૬૮૧), તો લિન્કન, તૉલ્સ્તોય, રવીન્દ્રનાથ, નર્મદ, આઈન્સ્ટાઇન, જવાહર વગેરે વિશેનાં “અભિજ્ઞા”-માંનાં કાવ્યો આ જ દૃષ્ટિદોર અનુસારનાં, પણ આ જ પરમ્પરાનાં કાવ્યો છે. અનેક કલાધરોને વિશેનો ઉમાશંકરનો આ જીવનરાગ એટલા માટે મહત્ત્વનો ઠરે છે કે એઓ પોતે પણ જીવન-કલાધરના એ જ પુરુષાર્થને વરેલા જીવ હતા.

વિભૂતિમત્-ને અંજલિ આપતા કવિમાં માનવને વિશેની કરુણા સારુ જીવનરાગ પ્રગટ્યો છે, અને વિભૂતિના સત્યને એમણે વિશ્વશાન્તિ કે વસુધૈવ કુટુમ્બકમ્ જેવી મહાન ભાવનાઓ સારું ગાયું છે. એમનામાંનો કવિ વૈતાલિક બન્યો છે, જરૂર, પણ સત્યની પ્રતીતિથી દૃઢ ભૂમિ પર ઊભો છે. એ અર્થે પ્રગટેલી કાવ્યબાનીમાં અભિવ્યક્તિસૌન્દર્ય છે, પણ ભાવનાલોકનું શિવંકર સૌન્દર્ય પણ છે. ‘વિશ્વશાન્તિ’ કાવ્ય પદ્યદેહી સંસ્કૃતિગાથા માત્ર ન બની રહે એ માટે એમાં છ જેટલા ખણ્ડનું આયોજન છે, વૃત્તોનું વૈવિધ્ય પણ છે.

નિશીથ એટલે, સામાન્યપણે, મધ્યરાત્રિ -Midnight.

‘નિશીથ’ —

આ કોઈ સાદું પ્રકૃતિકાવ્ય નથી. નિશીથ પ્રકૃતિનું ઊર્જિત સ્વરૂપ છે. નિશીથ અહીં ‘માનવોની મનોમૃત્તિકામાં સ્વપ્નો કેરાં વાવતો બી અનેરાં’ – એવા મનુષ્યજીવનના રહસ્ય લેખે, ઋત રૂપે, એની બધી જ છટાઓમાં આલેખાયો છે. સૃષ્ટિપાટ પરનો એ નટરાજ અહીં ભૂગોલાર્ધ, બ્રહ્માણ્ડગોલ, નિહારિકા, વ્યોમ, વ્યોમાન્ત, તારાગણ વગેરેની સંવેદ્ય સન્નિધિ સાથે આપણી સમક્ષ થાય છે. 

એ દ્યૌનટના ‘શિવરુદ્ર’ રૂપની પડછે કવિએ એનું ‘શાન્તમના તપસ્વી’ રૂપ રચ્યું છે. એમાં યુગસ્પન્દનનો તેમ જ સમયરંગનો પૂરો ધક્કો હતો. પદ જેનો વસુંધરા પર હોય તેવા જ વિરાટને ઉમાશંકર સ્તવી શકે એ ત્યારે અકારણ ન્હૉતું. આપણે નૉંધવું જોઈશે કે “વિશ્વશાન્તિ”-કાળથી કશીક ઉષાની જે ચિર પ્રતીક્ષા ઉદ્ભવેલી, જે માટે ગાંધીને પ્રાર્થ્યા હતા, તે પછી જ, ઉમાશંકર આમ નિશીથ સમા અન્યને પ્રાર્થી શક્યા છે. પ્રાર્થનામાં ‘ન આટલું તુંથી થશે? કહે, કહે’ એમ અધીરાઇ પણ ડોકાઈ છે. ‘નિશીથ’-ની રચનાસાલ ૧૯૩૮ છે, હજી દેશ આઝાદ નથી થયો, અને દુનિયાએ બીજા વિશ્વયુદ્ધની તૈયારી પૂરી કરી છે. 

(ક્રમશ:)
(29 Aug 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 August 2024 સુમન શાહ
← વ્યથિત થવા કરતાં વ્યવસ્થિત થવાની જરૂર વધારે છે…
હિંદુત્વ એટલે શું ? ઇતિહાસની કેટલીક નકકર હકીકતો →

Search by

Opinion

  • PMનો ગ્લાબલ સાઉથનો પ્રવાસ : દક્ષિણ દેશો સાથેની કૂટનીતિ પ્રભાવી રહેશે કે સાંકેતિક
  • સવાલ બે છે; એક તિબેટના ભવિષ્ય વિષે અને બીજો તિબેટને લઈને ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષે
  • ચલ મન મુંબઈ નગરી—297
  • ખૂન ખૂન હોતા હૈ પાની નહીં … વિશ્વ રક્તદાન દિવસ 
  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!

Poetry

  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved