અંતરમાં ચેતન-ફૂટ અનંતનાં શ્રુતિ નાદ.
ૐ ૐ ૐ કેરા ઉચ્ચારે નાદ,
ને ભીતરથી કરે કોઈ સાદ.
મનડાનાં આભલાં આતમનાં અસવાર
અર્થમાં જેમ જેમ પ્રગટે જ્યોતિ,
ને ભીતરથી કરે કોઈ સાદ.
ધજા નીત તારી જ્યાં જ્યાં ફરફરે,
પરિબ્રહ્મ કેરી પરિક્રમા વરસોથી વિખ્યાત,
ને ભીતરથી કરે કોઈ સાદ.
જળમાં મંદિર કેરા વર્તુળ છે દોરાય,
અંતરના જલધિના ઘેરા ઘુઘવાટ,
કે ભીતરથી કરે કોઈ સાદ.
એ મન કાયાના પીંજર છે બહુ કૂડા,
આખું બ્રહ્માંડ છે જેની ઓથમાં,
ને ભીતરથી કરે કોઈ સાદ.
અંતરની વાતુંથી ચૌદલોક ધબકે,
રણકે મુજ હૈયાનાં ઘેરાં વિતાન,
કે ભીતરથી કરે કોઈ સાદ.
ૐકાર શ્રીકાર અખીલેશ્વર અલ્લખ ધણી,
દિવ્ય ચક્ષુવિણ દેખાય નહિ,
કે ભીતરથી કરે કોઈ સાદ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com