મૂળ કૃતિનાં કવયિત્રી : હિન્દી : શહનાઝ શેખ : મરાઠી : ગીતા મહાજન
એમ કાગરમાં લખ
ઉં તો હારી છું, ગભરાતો નોખે!
આમ કાગળમાં લખ.
કોણે મૂઈએ તને લઈખું કે
મે જાણે ઘરની બા’ર નીકરેલી?
જો તને મારા પર વે’મ ઓય તો મેં બા’ર ની જવા ..
પણ પાણી ભરવા જાઉં કે ની’?
એમ કાગળમાં પૂછ –
હો દોકડાનો તું ઈસાબ (હિસાબ) માંગે
તે મે હું લેઈ ખાધું?
લાઈટબીલના વીહ,
પાણીવેરાના તીહ,
પચ્ચીનું રેસન,
પચ્ચી દૂધવારાના,
થીયા કે’ની હો પૂરા?
પોયરાને તાવ આવ્યો,
તે ખાનગી દવાખાને લેઈ ગેઈ,
હો દોકડા ઈન્જેક્સન ને દવાદારૂના થીયા,
ફેર તો કાંઈ પડ્યો ની’ –
ઉં સરકારોમાં જાઉં કે ની’?
એમ કાગરમાં લખ –
પે’લી વાર આવેલો તો કાંઈ લાવેલો ની’
અવે આવે ત્યારે ટેપ (આઈપેડ) લાવજે.
હાંભર, અવે આપણી પોરી મોટી થેઈ ગયેલી છે,
એમ એને લખ.
અસ્તિત્વ છે મઈલામંડર (મહિલા મંડળ),
જતી છું એ લોકોની સભામાં,
તારી બેનને એનો વર જ્યારે મારે
ત્યારે બધાંની હાથે (સાથે) એને ધમકાવવાં જાઉં કે ની’?
એમ કાગરમાં લખ.
પોરીને નિહાર ભણવા મૂકેલી છે.
બો’ હારું ભણતી છે.
બાઈ માણહે ભણવું જ જોઈએ
એમ મંડરવારા કે’ઈ ત્યારે
મેં હો ભણવા જાઉં કે ની’?
મોંઘવારી કેટલી! કામ ની મલે –
તારા જેવા તો જાય દુબઈ ને આહાંપોર,
ઘરનાં ઘર ભાંગી ચાઈલા તે તો જો!
ઉં તો આમને આમ પીલાઈ ચાલી,
તું હાથે ઓતે તો? કેવું હારું થતે!
એમ એને લખ.
સાઉદી જાય કે દુબઈ, કેમ કરીને ટકાહે ?
આ સમાજે બદલાવું પડે –
આપણાં જણતરને હારું,
આવું બધાંને હમજાવવાં જાઉં કે ની’?
એમ કાગરમાં પૂછ –
ધરમનાં નામે કેવા ટંટાફિસાદ?
સુખેથી રે’તા ઓય તો?
ગામલોકને હમજાવવાં જાઉં કે ની’?
એમ કાગરમાં પૂછ –
કોણે મૂઆએ તને લખેલું કે મે જાણે રસ્તાપર ઉતરી પડેલી?
સભાસરઘસમાં ગેઈલી!
ભાસણ કરવા હો જતી છું!
જે બેચારને અસર થાય તે!
એ તું બી હાથે ઓય તો કેવું હારું –
એમ કાગરમાં લખ.
![]()



કૃષ્ણાનું લાડનું નામ કિશા. એમને ફોટામાં જુઓ તો પ્રભાવશાળી, જાજરમાન લાગે. પ્રથમ છાપ જ એવી પડે કે બાંધો મજબૂત હશે. ચહેરા પર નિર્ભીકતા એકદમ બોલકી. સહજ સ્મિતમઢી મોંકળા અને માયાળુ નજર ધ્યાનાકર્ષક. એની સામે નારાયણ સુર્વે ફોટામાંથી ય થોડા અકળ, બીડાયેલા હોઠોના કારણે મક્કમ નિર્ણયશક્તિ ધરાવનાર નિજાનંદી લાગે. એ બન્નેની સામ્યતા એ કે બાળપણથી જ એમણે માતાપિતાની છત્રછાયા ગુમાવેલી. નારાયણ તો કચરાપેટી આગળથી એમના પાલકપિતાને મળેલા. તેથી એમને ઓળખ મળી નારાયણ ગંગારામ સુર્વે તરીકે. બન્ને સાખપાડોશી. દાદીએ કિશાને ભરપૂર પ્રેમથી સાચવ્યાં અને ઉછેર્યાં. ભરચક સંયુક્ત પરિવારમાં કેળવ્યાં પણ ખરાં. ભણ્યાં નહીં છતાં કોઠાસૂઝ અને ડહાપણ તો મળ્યું. પોતાનાં બાળપણ, દાદી અને નાની, ફોઈ અને કાકાઓ, પિતરાઈઓ અને એમની સાથેની જીવનચર્યા વિશે એ પારદર્શક, નિર્ભેળ, સહજ વર્ણન કરી શકે છે. પારકાં-પોતાનાંનાં ભેદ, માણસોની વર્તનવ્યવહારની રીત વિશે સ્પષ્ટ સમજ એમને છે. પ્રેમ, આકર્ષણ, સંબંધનું મૂલ્ય અને ગરિમા વિશે પણ અત્યંત સ્પષ્ટ વલણ એમને સહજ સાધ્ય લાગે. આજથી પચ્ચોતેર એંસી વર્ષ પહેલાંનાં મુંબઈની મિલોના શ્રમિકોની પારિવરિક જિંદગીની વાતો કિશા સરળતાથી પોતાની અભિવ્યક્તિમાં વણી લે છે.
વર્ષા અડાલજા લિખિત પ્રલંબ મહાગાથા ૧ સપ્ટેમ્બર ૧૯૨૩ થી (સ્વતંત્ર ભારતના પ્રથમ પારડી અન્ન ખેડ સત્યાગ્રહના ૩૦ વર્ષ પહેલાં) એક ઐતહાસિક સમયખંડનાં પડ ઉકેલવાનું શરૂ કરે છે, જે આઝાદી આંદોલનના સશસ્ત્ર ક્રાંતિકારી માનસથી લઈ ગાંધીમૂલ્યોમાં પરિવર્તિત એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રી કેન્દ્રિત કથાઓને ઉજાગર કરે છે. તે સમયનો રૂઢિચુસ્ત સમાજ, યુવાન માનસની ઘટમાં ઘોડા થનગને, અદીઠી ભોંય પર યૌવન માંડે આંખની (મેઘાણી પરિકલ્પના) માનસિકતા, લખતર, નવસારી વાયા કલકત્તા, મુંબઈ, અમદાવાદ, અમેરિકા ને લખતરનું વર્તુળ પૂરું કરી એ પલટાતાં યુગકર્મ ને ક્રમની ઝાંખી કરાવે છે.