ધૂઆંધાર અમેરિકન લેખક અર્નેસ્ટ હેમિંગ્વે(The Sun Also Rises, A Farewell to Arms, For Whom the Bell Tolls, The Old Man and the Sea)નો આ ઇન્ટરવ્યૂ, પેરિસ રિવ્યુ સામાયિકમાં, ૧૯૫૮માં આવ્યો હતો. નવોદિત લેખકોને ગમશે :
સવાલ: તમે ક્યારે લખો છો? તમારું કોઈ નિશ્ચિત શેડ્યુલ ખરું?
હેમિંગ્વે: હું કોઈ પુસ્તક કે વાર્તા પર કામ કરતો હોઉં, તો સૂરજનું પહેલું કિરણ ફૂટે ત્યારે લખું છું. ત્યારે કોઈ ડિસ્ટર્બ ના કરે. લખેલું ફરીથી વાંચવાનો પણ સમય રહે. બપોર સુધી લખું.
સવાલ: તમે ચાલુમાં જ રિ-રાઈટિંગ કરો કે બધું લખાઈ જાય પછી?
હેમિંગ્વે: હું એ જ દિવસે રિ-રાઈટ કરું છું. પૂરું થઇ ગયા પછી ફરી એકવાર જોઈ લેવાય. પ્રૂફમાં પણ એક ચાન્સ રહે. આ બધા ચાન્સ બહુ ઉપકારક છે.
સવાલ: રિ-રાઈટિંગ કેટલુંક હોય?
હેમિંગ્વે: ડિપેન્ડ્સ. 'ફેરવેલ ટુ આર્મ્સ'નો અંત, એ છેલ્લો પેરેગ્રાફ, મેં ઓગણચાલીસ વખત લખ્યો હતો.
સવાલ: લખવાના ટેકનિકલ પ્રોબ્લેમમાં અટવાયા હતા?
હેમિંગ્વે: શબ્દો બરાબર સૂઝતા ન હતા.
સવાલ: કઈ જગ્યાએ લખવાનું સારું ફાવે? અમ્બોસ મુન્ડોસ હોટેલ તમને બહુ ફાવે છે.(હવાના-ક્યુબાની આ હોટેલમાં હેમિંગ્વે સાત વર્ષ રહ્યા હતા.)
હેમિંગ્વે: અમ્બોસ મુન્ડોસ તો બેસ્ટ છે. આ ખેતર ( હેમિંગ્વે, ઇન્ટરવ્યુ વખતે, સ્પેનમાં હતા) પણ સરસ છે. પણ મેં બધે જ લખ્યું છે. મેં જાતભાતની પરિસ્થિતિમાં લખ્યું છે. બસ આ એક ટેલિફોન અને મુલાકાતીઓ હેરાન કરે.
સવાલ: લખવા માટે ઈમોશનલ સ્ટેિબલિટી જરૂરી છે? તમે એકવાર મને કહ્યું હતું કે તમે પ્રેમમાં હો ત્યારે જ ઉત્તમ લખી શકો છો. આ સમજાવશો?
હેમિંગ્વે: શું સવાલ છે. આ પૂછવા માટે પૂરા માર્ક્સ. લોકો તમને એકલા છોડી દે અને ખલેલ ના પાડે, તો લખી શકાય. અથવા તમે જાડી ચામડીના હો તો લખી શકો. પણ સૌથી શ્રેષ્ઠ તો પ્રેમમાં હો ત્યારે જ આવે. મારે ઝાઝું નથી કહેવું.
સવાલ: તમે હવે બીજા લેખકોની કંપનીમાં બહુ હોતા નથી.
હેમિંગ્વે: આ જરા ગુંચવાડાવાળું છે. લખવામાં તમે ઊંડા ઊતરો પછી એકલતા જોઈએ. ઉત્તમ અને જૂના દોસ્તો મરી ગયા છે. અમુક દૂર થઇ ગયા છે. લખવામાં જ સમય એટલો જાય છે કે હળવું-મળવું પાપ લાગે.
સવાલ: તમારા ગમતા લેખક ક્યા? તમે જેમનામાંથી શીખ્યા હો.
હેમિંગ્વે: માર્ક ટ્વેઇન, સ્ટેન્ધાલ, બાચ, તુર્ગનેવ, તોલ્સતોય, દોસ્તોયેવેસ્કી, ચેખોવ, એન્ડ્રુ માર્વેલ, જોન ડોન્ને, મોપાસાં, કિપલિંગ, થોરો, કેપ્ટન મર્યત, શેક્સપિયર, મોઝાર્ટ, ક્વેવેડો, દાંતે, વર્જીલ, ટીંટોરેટ્ટો, હીરોનીમસ બોસ, બૃઘેટ, પટનીર, ગોયા, જીઓટ્ટો, ઝાનેન, વાન ઘોઘ, ગૌગીન, સાન જુઅન દે લા ક્રુઝ, ગોન્ગોરા–બધાને યાદ કરીશ તો આખો દિવસ જશે.
સવાલ: તમારા મનમાં આખી વાર્તા પહેલેથી નક્કી હોય?
હેમિંગ્વે: ક્યારેક હોય, અને કયારેક લખતા જાવ તેમ બનતી જાય, બદલાતી જાય.
સવાલ: નવલકથામાં પણ એવું જ હોય? કે પછી આખો પ્લાન નક્કી જ હોય?
હેમિંગ્વે: 'હુમ ધ બેલ ટોલ્સ'માં રોજ મુસીબત રહેતી હતી. મેં નક્કી કર્યું હોય કે હવે પછી શું થશે, પણ લખવા બેસું અને નવું કૈંક આવી જાય.
સવાલ: તમે એક પુસ્તક પરથી બીજાં પુસ્તક પર સરળતાથી શિફ્ટ થઇ જાવ કે પછી એક પૂરું કરો પછી બીજું શરૂ કરો?
હેમિંગ્વે: તમારા આ સવાલોના જવાબ આપવા મેં મારા સિરીયસ કામમાં ખલેલ પાડી છે એ બતાવે છે કે હું સ્ટુપીડ નથી. હું એક કામ સાથે બીજું કામ કરી શકું છું. ડોન્ટ વરી.
https://www.facebook.com/raj.goswami.31