સંસારની બધી લડાઈઓથી થાકીહારી ગયા હોઈએ; ઘા રુઝાતા ન હોય, દૂઝતા રહેતા હોય; અરે, મુક્તિ પછી પણ કરાર ન વળતો હોય, એવી સર્વહારા બરબાદીનો ઉપાય બતાવે છે, રુમિ —અને તે છે, નાચ.
નૃત્ય ભારતીય સભ્યતામાં જીવનસાધનાનો જ સંવિભાગ છે.
દેશમાં નૃત્યના કેટલા બધા આવિષ્કારો, પ્રકારો છે, શૈલીઓ છે.
મીરાં કહે છે :
“મેં તો હરિગુણ ગાવત નાચુંગી.
નાચુંગી મેં તો નાચુંગી, મેં તો હરિગુણ ગાવત નાછુંગી. મેં તો૦
અપને મહલમેં બેઠબેઠ કર, ગીતા ભાગવત વાંચુંગી. મેં તો૦
જ્ઞાન ધ્યાનકી ગઠરી બાંધકર, હ્રદયકમલમેં રાચુંગી. મેં તો૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સદા પ્રેમરસ ચાખુંગી. મેં તો૦”
== મારામાં છેલ્લી બે પંક્તિ જ બેસે છે, ગમે છે…
++
આ સંદર્ભમાં રુમિનું એક સુન્દર કાવ્ય છે :
“સાવ ભાંગી પડાયું છે, તો નાચ !
ઘા પરનો પાટો ઉખાડી નાખ્યો છે, તો નાચ !
લડાઇ ચાલુ છે, નાચ !
તારા લોહીમાં ઝબોળાઈને નાચ…
બિલકુલ મુક્ત છો, તો નાચ ને !”
== ભાવાનુવાદ : સુ૦
++
સૂફીયાના અંદાજમાં નાચી લેવાય, તો ભયો ભયો…
રુમિને પૂરા અર્થમાં પામવા એનાં કાવ્યોની દિશાનાં નૃત્ય માણવાં બહુ જરૂરી છે.
કંઈ નહીં તો, એ નૃત્યોનાં ચિત્રો વિેશે જોઈ-વિચારી શકાય.
++
દરેકે જાતને પૂછી લેવા જેવા બે સવાલ : હું નાચી શકું છું, કેમ? મારાથી નથી નાચી શકાતું, કેમ?
= = =
(July 21, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર