Opinion Magazine
Number of visits: 9666997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના પાડોશી દેશઃ કાં તો શત્રુ કાં તો બહુ મજબૂત નહીં એવા સાથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 October 2023

બાંગ્લાદેશ અને પાકિસ્તાન તો ભારતનો જ હિસ્સો હતા, પણ બન્ને સાથેના સંબંધોમાં આસમાન જમીનનો ફેર છે. શ્રીલંકા જે ભારતને સાથી માને છે તે અરાજકતામાંથી હમણાં જ બેઠો થયો છે અને ચીન સાથે તો ભારતના સંબંધો બહુ જટિલ છે

ચિરંતના ભટ્ટ

ભારતની વિદેશ નીતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી (ખાસ કરીને ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા પર આવ્યા પછી) વૈશ્વિક રાજકારણમાં એ નિર્ણયાત્મક રાષ્ટ્ર તરીકે ભારતની ગણતરી થાય એ દિશામાં આગળ વધી છે. આ કેન્દ્ર સરકારનો જ દાવો છે અને તેમના મતે છેલ્લાં નવ વર્ષમાં આ રીતે કામ થતું આવ્યું છે. ભા.જ.પ.નો બહુમત મજબૂત હોવાથી વિદેશી નીતિ ઘડવામાં મોદી સરકારનું વજન પહેલાંની ગઠબંધનની સરકાર કરતાં પણ વધુ હોય તે સ્વાભાવિક છે.

ભારત યુ.એસ.એ. કે યુરોપ સાથેનાં સમીકરણોમાં જે પગલાં લે તેનો પ્રભાવ તો ખરો જ પણ ભારતના પાડોશી દેશો સાથે જે વહેવાર કે વાટાઘાટો ચાલે તેની અસરોની ગણતરી કરવી પણ જરૂરી. ભારતની સરહદો તો સાત દેશો જોડે જોડાયેલી છે, પણ બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને ચીન – આ ચાર દેશોમાં જે પણ થાય અથવા તો આ ચાર દેશ જે પણ પગલાં લે તે અંગે ભારતે સતર્કતા સાથે પ્રતિભાવ આપવાની તૈયારી પણ રાખવી જ પડે કારણ કે તેનો આધાર વિશ્વના બીજા શક્તિશાળી રાષ્ટ્રો સાથેના સંબંધો અને રાજકીય-ભૌગોલિક પર પડવાનો જ છે.

બાંગ્લાદેશ અને પાકિસ્તાનની વાત કરીએ તો આ બન્ને દેશો એક સમયે ભારતનો જ હિસ્સો હતા. એમાંથી એકને ભારત સાથે સતત હુંસાતુંસી રહે છે તો બીજાએ 52 વર્ષથી ભારત સાથેના રાજદ્વારી-વ્યાપારી સંબંધોને બહેતર બનાવવાની કોશિશ કરી છે. 1971માં જ્યારે બાંગ્લાદેશે સ્વતંત્રતા માટે યુદ્ધ છેડ્યું ત્યારે ભારતે તેને સૌથી વધુ સહકાર આપ્યો. 1975 પછી ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ બગડ્યા કારણ કે ત્યાં વિદેશનીતિ બદલવામાં આવી પણ જ્યારે 2008માં બાંગ્લાદેશમાં પ્રમુખ તરીકે શેખ હસીના ચૂંટાયાં 2015માં ભૂમિ સીમા સમજૂતિ કરારને પગલે બન્ને દેશો વચ્ચેના સંબંધો સંબંધો બહેતર થવા લાગ્યા. આજે ભારતની દક્ષિણ એશિયા માટેની ‘નેબરહૂડ ફર્સ્ટ પૉલિસી’માં પણ તે સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશ ત્રણ તરફથી ભારતની સરહદ સાથે જોડાયેલો હોવાથી રાજકીય દૃષ્ટિએ બાંગ્લાદેશમાં કોની સત્તા આવે છે તેમાં ભારતને હંમેશાં રસ હોય. વળી ભારતે બાંગ્લાદેશ ઉપરાંત મૉલદિવ્ઝ, મ્યાનમાર, નેપાળ અને શ્રીલંકા જેવા દેશો માટે કૂલ એનર્જી અને ઇન્ફ્ર્રા સ્ટ્રક્ચર માટે 37 ક્રેડિટ લાઇન્સ આપી છે.  સલામતી અને આતંકવાદ આ બે મામલે ભારતને બાંગ્લાદેશ તરફથી ચિંતા તો રહે જ છે અને માટે જ ત્યાં સત્તા પર બેઠેલાઓ સાથે સારાસારી રાખવી અનિવાર્ય થઇ પડે છે. બાંગ્લાદેશમાં થનારી ચૂંટણીમાં ભારતની સક્રિયતા પર ઘણી ચર્ચા થઈ ચૂકી છે, અને એવું માનવામાં આવે છે કે ભારતે અવામી લીગની સરકારને એકતરફી ટેકો આપ્યો હોવાથી 2014 અને 2018ની ચૂંટણીમાં બાંગ્લાદેશમાં તેની જ સત્તા આવી હતી. અત્યારે બાંગ્લાદેશમાં થનારી ચૂંટણીઓ અંગે અમેરિકા અને રશિયા વચ્ચે પણ વિરોધી અભિપ્રાય છતા થઈ ચૂક્યા છે પણ આ બન્ને રાષ્ટ્રોને ભારત સાથે બને છે. ચીનની દાદાગીરી સામે ભારત અને અમેરિકા ભેગા છે ખરા પણ બાંગ્લાદેશને મામલે બન્ને દેશો એક મત પર નથી. અમેરિકાએ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને અસ્થિર કરવાનાં પગલાં લીધાં છે જેને કારણે ભારતની જ નહીં પણ આખા દક્ષિણ એશિયાની સલામતી પર જોખમ છે. જો બાંગ્લાદેશમાં અસ્થિરતા થાય, કટ્ટરવાદીઓની (જમાત-એ-ઇસ્લામીઓ જેને અમેરિકા રક્ષણ પુરું પાડે તો) સત્તા આવે તો તેનો સીધો પ્રભાવ ભારતની સુરક્ષા પર પડે તે નક્કી છે અને પછી બાંગ્લાદેશમાં ચીનનો પ્રભાવ પણ ખાસ્સો વધી જશે, એ તો અમેરિકાને પણ પોસાય એમ નથી. ભારત બાંગ્લાદેશના આંતરિક પ્રશ્નોમાં માથું  ન મારે એવુ કહેનારા રાષ્ટ્રો પણ છે. હવે આ સાથે જ ભારતના બીજા પાડોશી દેશ એટલે કે પાકિસ્તાનની વાત પણ છેડવી પડે કારણકે ભારતનું માનવું છે કે જમાત-એ-ઇસ્લામીની પાછળ પાકિસ્તાનનો હાથ છે.

પાકિસ્તાન અને ભારતના રાજદ્વારી, આર્થિક, સાંસ્કૃતિક બધા જ સંબંધોમાં નકરો તણાવ જ છે. એમાં પાછું કેનેડા અને ભારત ખાલિસ્તાનને મામલે સબંધો વણસ્યા છે ત્યારે એવી વાતો બહાર આવી કે આવું થાય એમાં પાકિસ્તાનને પૂરો રસ હતો અને પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIએ નિજ્જરની હત્યા કરાવી. ISI જ કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓને ફંડ પૂરું પાડે છે એવું એક યા બીજી રીતે જાહેર થયું છે. બીજી તરફ કાશ્મીરને મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષનો કોઇ અંત નથી. આને સમાંતર એક બીજી વાસ્તવિકતા એ છે કે રાજકીય અને આર્થિક સ્તરે પાકિસ્તાનની હાલત ખરાબ છે અને ભારત આ મામલે ચૂપકીદી સેવી છે જે બહુ મુત્સદ્દી ભર્યું પગલું છે. જો ભારત કંઇ કહે તો પાકિસ્તાન એનો ય મુદ્દો બનાવીને ઉછાળે અને કેન્દ્ર સરકારને ખ્યાલ છે કે ભારત પ્રત્યે પાકિસ્તાનનું વલણ બદલાવાનું નથી અને જ્યાં સુધી સરહદ પાર કરીને ત્યાંના કંકાસની અસર અહીં ન વર્તાવા માંડે ત્યાં સુધી ચૂપ રહેવામાં જ સાર છે. વળી દિલ્હી બેઠી સરકારનું પૂરું ધ્યાન ચીન અને ઇન્ડિયન ઓશ્યન રિજ્યન પર હોવાથી પાકિસ્તાનને મામલે સરહદ પર કોઇ તણાવ ન થાય અને ‘જૈસે થે’ની સ્થિતિ રહે એ વધારે ફાયદાકારક છે. ભારત કંઇ કહે અને વગર કારણ પાકિસ્તાન આર્મી એ વાત ઝડપી લઈને સુરક્ષાને મામલે કાંકરી ચાળા કરે એ પોસાય તેમ નથી.

ચીનની વાત કરીએ તો તાજેતરમાં જ વિદેશ મંત્રી જયશંકરે નિવેદન આપ્યું કે ચીન સાથે ભારતના સંબંધો ક્યારે ય સરળ નથી રહ્યા. અક્સાઈ ચીન અને અરુણાચલ પ્રદેશને પોતાના નકશામા ગણાવીને ચીને ભારતનો વધુ રોષ વહોર્યો. ચીન અને ભારત બન્ને વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય સત્તાને મામલે રેસમાં છે. ઉત્પાદન ક્ષમતા અને વસ્તીને મામલે બન્ને પોતાનું જોર બતાડવામાં ક્યાં ય પાછા નથી પડતા. ચીને સરહદ પર ગલવાન ઘાટીમાં જે કર્યું તે પછી ભારત અને ચીન વચ્ચે કંઇ બરાબર નથી. ચીને હાંગઝોઉ એશિયન ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓને વીઝા આપવાની પણ ના પાડી દીધી હતી. G-20 માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપંગ ભારત ન આવ્યા. ચીન અને ભારત વચ્ચેની રસાકસીમાં એશિયામાં જે બીજા નાના રાષ્ટ્રો છે જ્યાં અરાજકતા નથી તેમણે પોતાના લાભ માટે કોને ટેકો આપવો એ પ્રશ્ન પણ રહેવાનો જ છે. ચીને શ્રલંકાના હમ્બનટોટા બંદર અને પોર્ટ સિટી કોલંબો, ટ્રાન્સ હિમાલયન કોરિડોર અને ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને ભંડોળ પૂરું પાડ્યું છે તો અફઘાનિસ્તાન સાથે ઑઇલ એક્સ્ટ્રેક્શનનો સોદો કરીને મેલ સાથે ફ્રી ટ્રેડનો કરાર કર્યો છે. બેઇજિંગે ભારત અને ચીન વચ્ચેની – એક્ચુઅલ લાઇન ઑફ કન્ટ્રોલ પર ગામડાં અને હાઇવે વિકસાવ્યાં છે. આ કારણે ભારતે પણ આ વિસ્તારમાં પોતાના માળખાંકીય પ્રોજેક્ટ્સને વેગ આપવો પડ્યો છે.

હવે દક્ષિણે આવેલા પાડોશી દેશ શ્રીલંકાની વાત પણ છેડવી રહી. શ્રીલંકાની સરકાર અને ત્યાંના લોકો ચીને તાઇવાન પર જે દબાણ કરે છે તે જુએ છે અને ભારત ચાહે તો આવું કંઇપણ કરી શકત. પરંતુ કટોકટીના સમયે ભારતની મદદ મળી હોવથી શ્રીલંકા ઉપકાર હેઠળ જ રહેવાનો છે. શ્રીલંકાએ તો ચીનને જણાવી પણ દીધું છે કે પોતાને માટે ભારત વધુ અગત્યનો પાડોશી દેશ છે. કેનેડાને મામલે પણ શ્રીલંકાએ ભારતને પોતાનો ટેકો આપ્યો છે અને કેનેડાને વખોડ્યો છે. વળી શ્રીલંકાએ ચીનના નેવીના જહાજને પોતાના બંદરે નાંગરવાની પરવાનગી ન આપીને પોતાની ભારત સાથેની દોસ્તીનો પુરાવો આપી દીધો છે.

ભારત દક્ષિણ એશિયામાં સૌથી મોટો અને મહત્ત્વનો દેશ છે. સાત દેશો સાથે જમીની સરહદ અને દરિયાઈ સરહદ શ્રીલંકા સાથે વહેંચનારા ભારત સંતુલનનો ખેલ બરાબર જાળવવો પડે એમ છે. પોતાનો અભિગમ, વળી પોતાના વલણ પ્રત્યે અન્ય રાષ્ટ્રોનો અભિગમ બધું જ ગણતરીમાં લેવું પડે તેમ છે.

બાય ધી વેઃ

બાંગ્લાદેશ અને પાકિસ્તાન તો ભારતનો જ હિસ્સો હતા, પણ બન્ને સાથેના સંબંધોમાં આસમાન જમીનનો ફેર છે. શ્રીલંકા જે ભારતને સાથી માને છે તે અરાજકતામાંથી હમણાં જ બેઠો થયો છે અને ચીન સાથે તો ભારતના સંબંધો બહુ જટિલ છે. આવામાં અમેરિકાને વાકું ન પડે અને જે નવા સાથીઓની સાથે હાથ મેળવ્યો છે તે પકડ ઢીલી ન પડે એ રીતે કામ કરવા સિવાય ભારતને કોઈ છૂટકો નથી. પાકિસ્તાન અને ચીનના કાંકરીચાળામાં હવે કેનેડાની આડોડાઈ ઉમેરાઈ છે ત્યારે ત્રણની લડાઈમાં ચોથો ફાવે વાળું ન થાય અને અમેરિકા પોતાની રીતે પાકિસ્તાન, ચીન સાથે ગોઠવણ કરીને ભારતની વિટંબણાઓનો લાભ ન ખાટી જાય તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑક્ટોબર 2023

Loading

‘હિન્દુની માણસાઈ હિન્દુની કમજોરી છે’ – સાવરકર

રમેશ ઓઝા|Gandhiana, Opinion - Opinion|1 October 2023

રમેશ ઓઝા

ભારતનાં વિભાજન માટે ગાંધીજી જવાબદાર હતા એવી એક માન્યતા રૂઢ કરવામાં આવી છે અને હવે તો તમે પણ આમ માનતા હશો. કુપ્રચાર કરનારાઓને એક વાતની જાણ છે કે સામાન્ય લોકો ખાતરી કરવાની તસ્દી લેતા નથી અને જો અનેક મોઢેથી એકની એક વાત અલગ અલગ રીતે અને સતત કહેવામાં આવે તો સામાન્ય માણસને ખરાખોટાની ખાતરી કરવાની જરૂર લાગતી પણ નથી. આ તરકીબ વાપરીને હિટલરે અને હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સે જર્મનીને પહેલા વિશ્વયુદ્ધ પછી ફરી બેઠા થવાના વિકાસના પાટા પરથી ઉતારીને બરબાદ કરી નાખ્યું હતું.

પણ શું ભારતનું વિભાજન ગાંધીજીએ થવા દીધું હતું અને રોકવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો અથવા તેઓ મુસ્લિમ તરફી હતા એટલે અલગતાવાદી મુસલમાનોને પાકિસ્તાન આપ્યું હતું? શું ગાંધીજીએ કાઁગ્રેસના નેતાઓને પાકિસ્તાનનો સ્વીકાર કરવા મજબૂર કર્યા હતા? સત્ય શું છે?

આનો જવાબ ખુદ સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી જ મળે છે. આજકાલ સરદાર હિન્દુત્વવાદીઓના લાડકા છે, પણ અહીં એક યાદ અપાવી દઉં કે નાથુરામ ગોડસે પૂનાથી ‘અગ્રણી’ નામનું એક મરાઠી સામયિક કાઢતો હતો જેમાં ૧૯૪૫નાં એક અંકમાં મુખપૃષ્ઠ પર એક કાર્ટૂન છપાયું હતું. એ કાર્ટૂનમાં હિન્દુત્વવાદીઓના આરાધ્યદેવ વિનાયક દામોદર સાવરકર અને હિંદુ મહાસભાના એ સમયના અધ્યક્ષ શ્યામા પ્રસાદ મુખર્જી દસ માથા વાળા રાવણ(ગાંધીજી)નો વધ કરે છે. એ દસ માથામાં ગાંધી, નેહરુ, મૌલાના આઝાદ, આચાર્ય કૃપાલાની, રાજાજી વગેરે તો છે જ, પણ સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ પણ છે. ગાંધીનો વધ કરવાનું આ કાર્ટૂન ૧૯૪૫નું છે, જ્યારે પાકિસ્તાનની માગણી તો કરવામાં આવી હતી, પણ પાકિસ્તાન હજુ ઘણું દૂર હતું. અને બીજું ૧૯૪૦માં મુસ્લિમ લીગે ભારતના વિભાજનની માગણી કરી એના ત્રણ વરસ પહેલાં ખુદ સાવરકરે હિંદુ મહાસભાના અમદાવાદ અધિવેશનમાં વિભાજનની માગણી કરી હતી. અને થોભો, હિંદુ મહાસભાના સ્થાપક લાલા લાજપત રાયે મુસ્લિમ લીગે વિભાજનની માગણી કરી એનાં ૧૬ વરસ પહેલાં ૧૯૨૪માં ભારતનાં કોમી વિભાજનની માગણી કરી હતી. પણ લોકો ખરાખોટાની ખાતરી કરતા નથી જેનો ખોટો પ્રચાર કરનારાઓ લોકો લાભ લે છે.

તો સરદાર પટેલ ૧૯૪૫માં ગાંધીજીની સાથે વધ કરવાને લાયક હતા, પણ અત્યારે આરાધ્યદેવ છે. વર્તમાનમાં હિન્દુત્વવાદીઓના આરાધ્યદેવ સરદાર પટેલને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ૨૫મી નવેમ્બર ૧૯૪૮નાં રોજ પદવીદાન સમારંભમાં બોલાવવામાં આવે છે. એમાં પોતાનું વક્તવ્ય આપતાં સરદાર કહે છે: “… હું બીજા લાખો લોકોની જેમ ગાંધીજીનો એક વફાદાર સિપાહી માત્ર છું, જેણે ગાંધીજીનો પડ્યો બોલ જીત્યો છે. એવો એક સમય હતો જ્યારે દરેક લોકો મને ગાંધીજીના આંધળા અનુયાયી તરીકે ઓળખાવતા હતા, પણ હું અને ગાંધીજી બન્ને જાણતા હતા કે અમારી વચ્ચેની સંમતિ વિચારપૂર્વકની હતી. …. ઘણાં વર્ષો સુધી ગાંધીજી અને મારા વિચાર સંપૂર્ણપણે મળતા હતા અને તેમાં એક પ્રકારની સહજતા હતી. પણ જ્યારે ભારતની આઝાદી વિશેનો મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો, ત્યારે અમારી વચ્ચે મતભેદ થયા. મને એમ લાગતું હતું કે આપણે અત્યારે ને અત્યારે આઝાદી મેળવી લેવી જોઈએ, પછી ભલે દેશનું વિભાજન કબૂલ કરવું પડે. હું ભારે મનોમંથન અને ઊંડા દુ:ખ સાથે આવા તારણ પર આવ્યો હતો. જો વિભાજન કબૂલ કરવામાં ન આવે તો દેશના હજુ વધુ ટૂકડા થઈ શકે છે એમ મને લાગતું હતું. … પણ ગાંધીજી મારા અભિપ્રાય સાથે સંમત નહોતા. પરંતુ તેમણે મને એમ કહ્યું હતું કે જો તમારો અંતરાત્મા તમારા તારણને પુષ્ટિ આપતો હોય તો તમે તમારા માર્ગે આગળ વધી શકો છો. ગાંધીજીએ જેમને પોતાના વારસદાર અને ઉત્તરાધિકારી જાહેર કર્યા છે એ આપણા નેતા (જવાહરલાલ નેહરુ) પણ મારી સાથે સંમત હતા. ગાંધીજીએ અમારો (સરદાર અને નેહરુ)  વિરોધ નહોતો કર્યો અને સંમતિ પણ નહોતી આપી. આજે હું પાછા વળીને જોઉં છું તો મને મારો નિર્ણય ખોટો હતો એમ લાગતું નથી.

“એમાં કોઈ શંકા નથી કે અમે ઘણી ભૂલો કરી છે. … પરંતુ વિભાજન વિશેનો અમારો નિર્ણય ખોટો નહોતો. લોકો જાણતા નથી કે વિભાજન જો કબૂલ ન રાખ્યું હોત તો તેનું શું પરિણામ આવત. એ સાથે અમે એમ પણ માનતા થયા હતા કે જો વિદેશી શક્તિથી છૂટકારો મળતો હોય તો વિભાજન બહુ મોટી કીમત નથી. માટે અમે શરત મૂકી હતી કે જો અંગ્રેજો છથી આઠ અઠવાડિયામાં ભારત છોડે તો અમે વિભાજન સ્વીકારવા તૈયાર છીએ” (Sardar Patel—In Tune With The Millions – 1. પૃષ્ઠ; ૨૭૭-૭૮ તેમનું આખું ભાષણ શબ્દશઃ અહીં વાંચવા મળશે.)

આમ કોણ કહે છે? હિન્દુત્વવાદીઓના વર્તમાનમાં આરાધ્યદેવ સરદાર પટેલ. ક્યારે કહે છે? ૧૯૪૮ના નવેમ્બર મહિનામાં જ્યારે વિભાજનનું થરથરી જવાય એવું બર્બર પરિણામ સામે હતું અને છતાં ય સરદાર કહે છે મને મારો નિર્ણય ખોટો લાગતો નથી. અને ભારતનાં વિભાજનની બાબતે ગાંધીજી સાથે મતભેદ થયા તો એ કઈ બાબતે થયા હતા? એ મતભેદનું કારણ ગાંધીજીની અંગ્રેજમુક્ત ભૂમિકા હતી. ગાંધીજીનું કહેવાનું એમ હતું કે સાથે રહેવું કે અલગ થવું એ ભારતની પ્રજાનો પ્રશ્ન છે અને તેનો નિર્ણય પ્રજા લેશે, અંગ્રેજો શા માટે લે? પહેલાં અંગ્રેજો વિદાય લે પછી અમે અમારું ફોડી લેશું. સાચી આઝાદી આ છે. કોઈ ત્રીજો પક્ષ અને એ પણ વિદેશી તમારું ભાગ્ય નક્કી કરે એને આઝાદી ન કહેવાય. પણ સરદાર અને નેહરુ સહિત મોટાભાગના કાઁગ્રેસીઓને વિભાજનના ભોગે પણ આઝાદી જોઈતી હતી. ભલે અંગ્રેજો અમારું વિભાજન કરીને જાય. સરદારે પોતે કહ્યું છે : “અમે એમ પણ માનતા થયા હતા કે જો વિદેશી શક્તિથી છૂટકારો મળતો હોય તો વિભાજન બહુ મોટી કીમત નથી.”

એ તો જાણીતી ઘટના છે કે વિભાજનનો નિર્ણય લીધા પછી કાઁગ્રેસ કારોબારીમાં મહાત્મા ગાંધીને બોલાવવામાં આવ્યા હતા અને તેમને નિર્ણયની જાણ કરવામાં આવી હતી. અને પછી કહેવામાં આવ્યું હતું કે આપને આરામની જરૂર છે, આપ આરામ કરવા જઈ શકો છો અને એ રીતે બેઠકમાંથી વિદાય આપવામાં આવી હતી. પણ મોટાભાગના લોકો આ બધું જાણતા હોતા નથી અને જાણવાની તસ્દી લેતા નથી એટલે જૂઠાણા ફેલાવનારા લોકો તેનો લાભ લે છે. અનેકવાર બોલો, અનેક રીતે બોલો અને અને અનેક મોઢે બોલો અને પછી જુઓ, સામાન્ય માણસ ડબ્બામાં આવી જશે.

અને છેલ્લી વાત. ગાંધીજીની હત્યા શું વિભાજન માટે કરવામાં આવી હતી? નહીં. તેમને ખબર હતી કે ગાંધીજી વિભાજનનો વિરોધ કરતા હતા. જો વિભાજનના ગુના માટે હત્યા કરવી જ હોત તો તેઓ મહમ્મદ અલી ઝીણાની કરત, પણ તેમનો તો કોઈ દેશભક્ત રાષ્ટ્રવાદી હિંદુએ વાળ પણ વાંકો નહોતો કર્યો. તેઓ જેટલી ગાંધીજીને ગાળો આપે છે અને બદનામ કરે છે એટલા ઝીણાને નથી કરતા. દુ:શ્મની ગાંધીજી સાથે છે, ઝીણા સાથે નથી. આ સિવાય ઝીણાએ વિભાજનની માંગણી કરી એ પહેલા લાલા લાજપત રાય અને સાવરકરે માગણી કરી હતી. આનો અર્થ એ થયો કે તેઓ ઝીણા અને સાવરકર એક સ્થાને ઊભા હતા.

તો પછી ગાંધીજીની હત્યા અને હત્યા પહેલાં હત્યાના પ્રયાસ શા માટે કરવામાં આવ્યા? ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ ૧૯૩૪ની સાલમાં પૂનામાં કરવામાં આવ્યો હતો જ્યારે પાકિસ્તાન કોઈનાં સપનાંમાં પણ નહોતું. એ પછી બીજા ચાર પ્રયાસ કરવામાં આવ્યા અને છેવટે હત્યા કરવામાં આવી. આમ એક વાત નક્કી છે કે ગાંધીજીની હત્યા અને હત્યાના પ્રયાસનું કારણ ભારતનું વિભાજન નહોતું. હત્યા કરવા માટે બીજાં બે કારણ હતાં અને એ બન્ને કારણ હિંદુઓનાં પોતાનાં હતાં. એક કારણ હતું ગાંધીજીનો અસ્પૃશ્યતા નિવારણનો આગ્રહ અને તેનો ચાતુરવર્ણ્યમાં માનનારા સનાતની હિંદુઓ વિરોધ. ૧૯૩૪માં ગાંધીજીનો હત્યાનો પ્રયાસ સનાતની હિન્દુઓએ કર્યો હતો. હત્યાનું બીજું અને વધારે મહત્ત્વનું કારણ હતું જાહેરજીવનમાં માણસાઈને તેની ટોચે લઈ જવાનો ગાંધીજીનો પ્રયાસ. હિંદુ જો માણસાઈના મેરુ પર્વતના શિખરે હોય તો મુસલમાનને પાઠ કેવી રીતે ભણાવવો? જ્યાં સુધી ગાંધી સદેહે જીવે છે ત્યાં સુધી હિંદુને માણસાઈના શિખરેથી નીચે ઉતારવો મુશ્કેલ છે. માટે તેમની હત્યા કરવામાં આવી હતી. અને જ્યાં સુધી ગાંધીનું તપ અને ગાંધીના વિચારોનો પ્રભાવ રહેશે ત્યાં સુધી હિન્દુને માણસાઈના મેરુ પર્વતનાં શિખરેથી નીચે ઉતારવો મુશ્કેલ છે માટે ગાંધીજીની હત્યા કર્યા પછી તેમને બદનામ કરવામાં આવે છે.

આખો ખેલ હિંદુને માણસાઈના મેરુ પર્વત પરથી નીચે ખાઈમાં ધકેલવાનો છે જે વિવિધ ઓળખો આધારિત વિદ્વેષ, વેરઝેર, ડંખ, પ્રતિશોધથી ખદબદે છે. હિંદુ માણસાઈના મેરુ પર્વત પર રહેશે તો વિધર્મીઓનું વેર કેમ વાળશે! સાવરકર પોતે કહીને ગયા છે કે હિન્દુની માણસાઈ હિન્દુની કમજોરી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ઑક્ટોબર 2023

Loading

ये नफरत हमें कहाँ ले जाएगी?

राम पुनियानी|Opinion - Opinion|30 September 2023

अल्पसंख्यकों को डराने-धमकाने की बढ़ती घटनाएं

राम पुनियानी

पिछले कुछ महीनों में देश में कई ऐसी घिनौनी घटनाएं हुईं हैं जिनसे यह पता चलता है कि हमारे समाज में नफरत का ज़हर किस हद तक घुल चुका है और यह भी कि यह नफरत दिन-दोगुनी रात-चौगुनी गति से बढ़ती जा रही है. उत्तरप्रदेश में कंडक्टर मोहित यादव ने बस थोड़ी देर के लिए रुकवा दी क्योंकि कुछ लोग लघुशंका निवारण करते चाहते थे और कुछ नमाज़ पढना चाहते थे. नमाज़ पढ़ते हुए यात्रियों का वीडियो बना लिया गया. यादव और बस के ड्राईवर के खिलाफ शिकायत हुई और दोनों को निलंबित कर दिया गया. कुछ दिन बाद यादव ने आत्महत्या कर ली.

उत्तरप्रदेश में ही एक प्राइमरी स्कूल की अध्यापिका तृप्त त्यागी ने होमवर्क न करने के कारण एक मुस्लिम बच्चे को क्लास में खड़ा किया और फिर दूसरे बच्चों से कहा कि वे सब उसे एक-एक तमाचा मारें. अध्यापिका ने यह भी कहा कि मुस्लिम लड़कों को स्कूल छोड़ देना चाहिए. एक अन्य अध्यापिका मंजुला देवी ने दो मुस्लिम विद्यार्थियों, जो आपस में लड़ रहे थे, से कहा कि यह उनका देश नहीं है. कुछ स्कूलों से ऐसी खबरें मिलीं हैं कि हिन्दू बच्चे अपने मुस्लिम सहपाठियों को अपने साथ नहीं खिलाते.

‘प्रजातंत्र की जननी’ भारत की संसद में हाल में इससे भी ज्यादा घृणास्पद घटनाक्रम हुआ. भाजपा सांसद रमेश बिधूड़ी ने बसपा सदस्य दानिश अली को मुल्ला, आतंकवादी, राष्ट्रद्रोही, दलाल और कटुआ कहा. इस मुद्दे पर भाजपा ने केवल अनमने भाव से खेद जताया है और लोकसभा अध्यक्ष ओम बिरला ने बिधूड़ी को चेतावनी दी है कि अगर उन्होंने इस तरह की हेट स्पीच फिर दी तो उनके खिलाफ कार्यवाही की जाएगी. दानिश अली ने लोकसभा अध्यक्ष को पत्र लिखकर हेट स्पीच देने और उन्हें अपमानित करने के लिए बिधूड़ी के खिलाफ कार्यवाही की मांग की. वहीं कई भाजपा सांसद और नेता अपने साथी के बचाव में आगे आए हैं और उन्होंने दानिश अली पर बिधूड़ी को भड़काने का आरोप लगाया है. मुख़्तार अब्बास नकवी ने कहा कि दानिश अली ने कांग्रेस में शामिल होने के लिए यह सारा नाटक किया है. यह महत्वपूर्ण है कि जिस समय बिधूड़ी अपना ज़हरबुझा भाषण दे रहे थे, उस समय दो पूर्व केन्द्रीय मंत्री डॉ हर्षवर्धन और रविशंकर प्रसाद हंस रहे थे.

संसद में जो हुआ वह नफरत की राजनीति का चरमोत्कर्ष था. इस प्रकृति की जितनी घटनाएँ हो रही हैं, उनमें से बहुत कम सामने आ रही हैं. कोई भी संवेदनशील नज़र आसानी से पढ़ सकती हैं कि मुस्लिम समुदाय में किस कदर डर, असुरक्षा और रोष का भाव व्याप्त है. मुसलमान हाशिये पर ढकेल दिए गए हैं और वे कुंठित और असहाय महसूस कर रहे हैं. दलितों, महिलाओं और आदिवासियों की आर्थिक बदहाली, उनका दमन और अपमान और उनके खिलाफ हिंसा भी उतनी ही डरावनी है. और यह सब बहुसंख्यकवादी राजनीति के परवान चढ़ने का नतीजा है.

क्या नफरत हमारे समाज के लिए नई चीज़ है? बिलकुल नहीं. मुस्लिम  और हिन्दू सांप्रदायिक धाराएं अपने जन्म के बाद से ही ‘दूसरे’ समुदाय के खिलाफ नफरत को हवा देती आईं हैं. इसी से देश में सांप्रदायिक हिंसा शुरू हुई. औपनिवेशिक काल में जिस तरह की सांप्रदायिक हिंसा हुई, वह उसके पहले राजे-रजवाड़ों की काल में होनी वाली शिया-सुन्नी या शैव-वैष्णव पंथिक हिंसा से बहुत अलग थी. आज जहाँ पाकिस्तान, हिन्दुओं और ईसाईयों के खिलाफ सांप्रदायिक नफरत से उबल रहा है वहीं भारत में मुसलमानों और ईसाईयों के खिलाफ नफरत बढ़ रही है.

धार्मिक अल्पसंख्यकों के खिलाफ नफरत का आख्यान, सांप्रदायिक संगठनों ने गढ़ा और मीडिया ने उसे गहराई और व्यापकता दी. हमारे नेताओं को मीडिया की इस भूमिका का काफी पहले से अहसास था. स्वामी श्रद्धानन्द की अब्दुल रशीद द्वारा हत्या की खुलकर निंदा करते हुए महात्मा गाँधी ने अपने पाठकों का ध्यान अख़बारों की भूमिका की ओर दिलाया. ‘यंग इंडिया’ के 30 दिसंबर 1926 के अंक में “श्रद्धानंदजी – द मारटेयर” शीर्षक से प्रकाशित अपने लेख में उन्होंने सांप्रदायिक सौहार्द को बिगाड़ने और समाज में नफरत और हिंसा का प्रसार करने में अख़बारों की भूमिका के बारे में लिखा.

हिंसा का ज़हर फैलाने में प्रमुख सांप्रदायिक संगठन आरएसएस की भूमिका का खुलासा करते हुए तत्कालीन केन्द्रीय गृहमंत्री सरदार वल्लभभाई पटेल ने आरएसएस के मुखिया गोलवलकर को लिखी एक चिट्ठी में कहा था: “उनके (आरएसएस) सभी भाषण सांप्रदायिक ज़हर से भरे रहते थे. हिन्दुओं को उत्साहित करने के लिए या उन्हें उनकी सुरक्षा के लिए संगठित करने के लिए, यह ज़हर फैलाने की ज़रुरत नहीं थी. इसी ज़हर के अंतिम नतीजे में देश को गांधीजी की अमूल्य ज़िन्दगी का बलिदान देखना पड़ा.”

आज भी नफरत का स्त्रोत वही संगठन है जिसकी सरदार पटेल बात कर रहे हैं. इस नफरत को आरएसएस के विभिन्न अनुषांगिक संगठन बढ़ा रहे हैं. इस काम में कॉर्पोरेट-नियंत्रित गोदी मीडिया की भूमिका कम नहीं है. गोदी मीडिया सरकार के आगे नतमस्तक है और विपक्ष और सत्ताधारी दल के आलोचकों पर हमलावर है. सभी प्रमुख टीवी नेटवर्क कॉर्पोरेट घरानों ने खरीद लिए हैं और ये घराने सत्ताधारी दल के नज़दीक हैं. हिन्दू राष्ट्र की स्थापना के लक्ष्य को लेकर चल रही भाजपा ने एक सोशल मीडिया सेल खोला है और नफरत के अपने सन्देश को फैलाने के लिए लाखों व्हाट्सएप ग्रुप बनाये हैं.

आश्चर्य नहीं कि इन हालातों में इंडिया गठबंधन को मजबूर होकर यह निर्णय लेना पड़ा कि उसके प्रवक्ता अलग-अलग चैनलों के 14 एंकरों की मेजबानी वाले टॉक शो में हिस्सा नहीं लेंगे. अपने आकाओं को खुश करने की होड़ में ये एंकर विपक्षी पार्टियों और अल्पसंख्यक समुदायों पर कीचड़ उछालने का कोई मौका हाथ से नहीं जाने देते. वे पत्रकारिता की इस मूल सिद्धांत को भूल चुके हैं कि पत्रकारों को निष्पक्ष होना चाहिए और उनमें यह साहस होना चाहिए कि वे शक्तिशाली सत्ताधारियों के मुंह पर बेबाकी से सच बोल सकें.

हमारा गणतंत्र एक गंभीर संकट के दौर से गुज़र रहा है. प्रजातंत्र की उच्चतम संस्था से नफरत फैलाई जा रही है. इसका हमारे सामाजिक जीवन, हमारे संवैधानिक मूल्यों और देश के लोगों के बीच भाईचारे पर क्या असर पड़ेगा? जिस बेशर्मी से रमेश बिधूड़ी का बचाव किया जा रहा है उससे साफ़ है कि उन्हें उनके शीर्ष नेताओं का वरदहस्त हासिल है. हेट स्पीच को रोकने का कोई प्रयास नहीं हो रहा है और ना ही नफरत फैलाने वालों के खिलाफ कोई कार्यवाही हो रही है. धर्मसंसदों के आयोजक और यति नरसिंहानंद  जैसे लोग नफरत की दुकानें चला रहे हैं.

नरसंहार से जुड़े मसलों के अध्येता प्रोफेसर ग्रेगोरी स्टेंटन ने रवांडा के रेडियो के प्रसारणों को सुन कर यह भविष्यवाणी की थी कि वहां नरसंहार होगा. और 1994 में वही हुआ. उनके अनुसार, भारत में नरसंहार होने की सम्भावना एक से दस के स्केल पर आठ है. देश में जिस तरह की भयावह घटनाएं हो रहीं हैं, क्या उनकी निंदा करना, उन पर टिपण्णी करना ही पर्याप्त है? क्या हम मूक दर्शक बने रह सकते हैं? क्या संपूर्ण विपक्ष एक स्वर में हेट स्पीच की खिलाफत नहीं कर सकता? क्या भारत के संविधान के मूल्यों में यकीन रखने वाले राजनैतिक दल, सामाजिक संगठन और मानवाधिकार समूह, देश में भाईचारे को बढ़ावा देने के लिए कुछ नहीं कर सकते? यह सब जल्द से जल्द होना चाहिए. पहले ही बहुत देर हो चुकी है.

27/09/2023
(अंग्रेजी से रूपांतरणअमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/the-fire-of-hate-speech-reached-parliament-where-will-this-hatred-take-us-article-by-ram-puniyani

Loading

...102030...967968969970...9809901,000...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved