Opinion Magazine
Number of visits: 9458068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાલમ સાંભરે

ચૈતન્ય જોષી 'દીપક'|Opinion - Opinion|1 July 2023

વરસે વાદલડી ઝરમર, સખી મને વાલમ સાંભરે.

યાદે જીવ થાય અધ્ધર, સખી મને વાલમ સાંભરે.

કરી મેઘગર્જનાને કડાકાભડાકા સંભળાતા કેવા !

જાણે એના ક્રોધની અસર, સખી મને વાલમ સાંભરે.

મીઠી માદક ધરાની માટીની સુગંધ મનમોહક કેટલી!

રખે વાલમના અંગે અત્તર, સખી મને વાલમ સાંભરે.

ચમકે દામિની ઉજાસ કેટકેટલો ફેલાવતી નભમાં,

રખે અંધકારમાં થયો હાજર, સખી મને વાલમ સાંભરે.

વહેતાં વારિ ખળખળ ધરાની શોભાને વધારનારાં,

મળી મુખ મુસ્કાની ખબર, સખી મને વાલમ સાંભરે.

વિરમતાં વર્ષા રવિ ઉદયે વ્યોમે ઈન્દ્રધનુ સંમુખ હો,

સપ્તરંગી હોય હેતનું નગર, સખી મને વાલમ સાંભરે.

મેડકરવ નિશાસંગે કર્કશ કરી કાનાફૂસી રખે કરતાં,

શકે હશે એ પ્રેમપંથનો કર, સખી મને વાલમ સાંભરે.

પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com

Loading

बड़ा अमरीका : छोटा अमरीका

कुमार प्रशांत|Opinion - Opinion|30 June 2023

कुमार प्रशांत

अब जब ‘भारत’ अमरीका से लौट आया है अौर ‘अमरीका’ में भारत सरकार द्वारा प्रायोजित ज्वार भाटे में बदल चुका है, हम प्रधानमंत्री मोदी की ऐतिहासिक अमरीका यात्रा का विश्लेषण करें, तो इसे राष्ट्रद्रोह नहीं माना जाना चाहिए.

2014 से आज तक के बीच प्रधानमंत्री कई बार अमरीका गए और हर बार कहा गया कि अमरीका पलक-पांवड़े बिछाए जिस यात्रा का इंतजार कर रहा था, उसके साकार होने के बाद सारा अमरीका एक पांव पर खड़ा तालियां बजा रहा है. यह भी कहा गया कि किसी दूसरे भारतीय प्रधानमंत्री का अमरीका ने कभी ऐसा इस्तकबाल नहीं किया था ! इतनी यात्राओं और उनके इतने प्रचार के बाद भी यह तथ्य छुपाया नहीं जा सका कि 9 सालों में प्रधानमंत्री की यह पहली आधिकारिक अमरीका यात्रा थी जो बार-बार के कूटनीतिक दवाब के बाद, मांग-मांग कर आयोजित करवाई गई थी. इस प्रायोजित यात्रा का एक सिरा 2024 के आसन्न आम चुनाव से जुड़ता है तो दूसरा सिरा प्रधानमंत्री की गिरती निजी छवि से. इसके अलावा इस यात्रा का कोई उद्देश्य नहीं था. यह पूर्णत: दिशाहीन यात्रा थी.

प्रयास, प्रचार और प्रायोजन की थिगली इस यात्रा के हर चरण पर चिपकी हुई थी. कुछ भी स्वाभाविक नहीं था. सब कुछ नकली, प्रायोजित व बैसाखी पर खड़ा था. प्रधानमंत्री की हर विदेश-यात्रा में वहां के प्रवासी भारतीयों का जिस तरह इस्तेमाल किया जाता है, वह भारत की और भारतीयों की छवि को कैसे व कितना कलंकित करता है, इसका आकलन कोई नहीं करता है क्योंकि सरकार द्वारा उपकृत एजेंसियों, तथाकथित मीडिया व रीढ़विहीन धनकुबेरों की जमात के अलावा कोई है नहीं जिसे कहीं सुनाया, दिखाया या बताया जाता हो. सब ओर सरकार प्रायोजित ऐसा शोर सुनाई व दिखाई देता है कि आप बिदक कर आंख व कान बंद कर लें.

70 से अधिक अमरीकी सांसदों ने प्रधानमंत्री के संसद संबोधन का लिखित बहिष्कार किया और अपने राष्ट्रपति से आग्रह किया कि ‘इस मेहमान’ की नंगा-झोरी करें. आगमन से विदाई तक हर अवसर पर सड़कों पर उतर कर लोगों ने, जिनमें भारतीय भी बड़ी संख्या में शामिल थे, उनका सार्वजनिक निषेध किया . यह सब कुछ छुपाया तो गया, छिप नहीं सका, यह बात दीगर है. संसद में जो तालियां पिटवाई गईं वे सब उसी तरह प्रायोजित थीं जिस तरह भारतीय संसद में बजने वाली तालियां होती हैं. तालियों के पीछे छिपी विवशता व कृत्रिमता सुनाई भी देती थी, दिखाई भी देती थी. और वैसे भी संसद में बहुमत भेड़ों का ही होता है – फिर संसद भारत की हो या किसी दूसरे देश की. गांधी की याद कीजिए जिन्होंने संसद को ‘बांझ व वेश्या’ जैसा तीखा नाम दिया था.

तालियों के पीछे का सच बराक ओबामा के बयान में प्रकट हुआ. अमरीका में सामान्यत: ऐसा होता नहीं है कि पूर्व राष्ट्रपति किसी विवादास्पद मसले से खुद को जोड़ें. मोदी के ‘बराक’ ने यह किया तो बराक ओबामा की पीड़ा समझी जा सकती है. मोदी-ब्रिगेड ने उन्हें जब ‘बराक हुसैन ओबामा’ कह कर अपमानित करने की कोशिश तो उससे मोदी को कोई पीड़ा हुई कि नहीं, पता नहीं चला.

सबरीना सिद्दिकी ने प्रेस वार्ता के दौरान वह पूछा कि जिसके डर से डरे मोदी प्रेस से बात करने के बजाय किसी अक्षय-अरनब कुमारों से बात करते हैं. सबरीना ने अल्पसंख्यकों की बात ही नहीं की, नागरिक स्वातंत्र्य की बात भी की. इसके बाद प्रेस को भारतीय प्रधानमंत्री व अमरीकी राष्ट्रपति की जैसी मक्कारी झेलनी पड़ी, उसका वर्णन भी संभव नहीं है. वह अर्थहीन शब्दों का अनियंत्रित वमन था. फिर भारतीय सत्ता प्रतिष्ठान के लोग जिस तरह बराक-सबरीना पर टूट पड़े उसने इस अनकही कहानी को ज्यादा ही बयां कर दिया.

यह बात बिल्कुल सही है कि अमरीका और भारत के बीच मैत्री व भरोसे के अच्छे सबंध हों तो संसार का दिल व दिमाग बदल सकता है. लेकिन सवाल है कि कौन-सा अमरीका और कौन-सा भारत ? नहीं, आज के अमरीका व भारत नजदीक आ कर भी वैसा असर पैदा नहीं कर सकते कि जिससे विश्व का मन-मिजाज बदले. अमरीका की वैश्विक राजनीति धन व धमकी के बल पर चलती आई है जिसका असर उसके समाज पर भी गहरा है. इस बल पर दोनों ने ऐसे-ऐसे अपराध किए हैं कि उन्हें किसी सभ्य बिरादरी में खड़े होने की जगह भी नहीं मिल सकती है. इसलिए स्वतंत्र भारत की विदेश-नीति की प्रारंभिक टेक रही कि भारतीय व एशियाई मामलों में अमरीका व यूरोप की कैसी भी पैठ बनने न दी जाए.

जवाहरलाल ने चीन के साथ रिश्तों की गांठ खोलने की जैसी साहसपूर्ण कोशिश की थी, उसके पीछे भी और तटस्थ राष्ट्रों का तीसरा खेमा तैयार करने के पीछे भी यही टेक थी. जवाहरलाल की कमजोरी यह थी कि वे नीतियां तो बना लेते थे, उन पर टिक व डट नहीं पाते थे. फिर भी सारे धनकुबेर राष्ट्र जानते थे कि जवाहरलाल को धन व धमकी से न झुकाया जा सकता है, न साथ लिया जा सकता है. आज का भारत ऐसा नहीं है. वह धन व धमकी की ताकत के पीछे अंधा हुआ भाग रहा है और इसलिए वह दोनों के आगे झुकता भी है, छिपता भी है. वह विकास को अरबों-अरब डॉलर के अर्थतंत्र से नापता है. यह अकारण नहीं था कि प्रधानमंत्री के कुनबे में जो लोग अमरीका में थे वे अधिकांशत: धनपति थे, हिंदुत्व के सफरमैना थे. प्रधानमंत्री ने अमरीकी धनपतियों के साथ सबसे अधिक समय बिताया तथा जो समझौते-करार आदि हुए वे सब अधिकांशत: व्यापारिक थे. ऐसा भारत अमरीका को भाता है क्योंकि अमरीकासमेत यूरोप को आज किसी पाकिस्तान की सख्त जरूरत है. जो था पाकिस्तान उसे कब्रिस्तान में बदल देने के बाद अब उन्हें ‘नया पाकिस्तान’ चाहिए.

अमरीका देख व तौल रहा है कि यह जो ‘नया भारत’ बनाया जा रहा है, क्या यह उसकी जरूरत पूरी कर सकता है ? अमरीका जानता है कि व्यापार में धन, धमकी, झाड़ पर चढ़ाना, यशोगान, फूल-फल, तालियां-भोज आदि सब जायज होते हैं यदि अंतत: वे लाभ पहुंचाते हों. इसलिए अमरीका आज के भारत से कभी सामाजिक मूल्यों की, लोकतांत्रिक शील की, नागरिक स्वातंत्र्य की बात नहीं करता है. ओबामा ने भी राष्ट्रपति रहते कभी ऐसे सवालों की टेक नहीं रखी. व्यापारी जानता है कि ग्राहक से कब, कैसी बात करनी चाहिए.

अंतरराष्ट्रीय जगत में अमरीका की साख गिरी है, गिरती जा रही है. धन पर उसका वैसा एकाधिकार अब नहीं रहा; धमकी वाली शैली की पोल जगह-जगह खुल रही है. इसलिए वह चाहता है एक ‘भारत’ जो बड़े अमरीका का छोटा भाई बनने को तैयार हो. आज का भारत उसके लिए तैयार बैठा है. मोदी-बाइडन जिसे रिश्तों की नई ऊंचाई कह रहे हैं, उसमें ऊंचाई का माद्दा है ही नहीं. यह तो सिर्फ़ ‘बड़ा अमरीका’ और ‘छोटा अमरीका’ बनने की बात है. यह वह राजनीतिक प्रहसन है जिसका खोखलापन जल्दी ही उभर आएगा. वह भारत हमारे अलावा किसी को क्यों चाहिए होगा कि जिसकी आर्थिक नैतिकता हो, जिसकी लोकतांत्रिक निष्ठा हो, जिसमें नागरिकता का नि:शर्त सम्मान हो, जो अपनी संस्कृति की गहरी समझ ही न रखता हो बल्कि जो सांस्कृतिक समरसता को तत्परता से कबूल करता हो, जिसके पांव अपनी सांस्कृतिक जमीन पर गहरे धंसे हों तथा जिसकी सर मानवता की साझी विरासत के आसमान को छूता हो. ऐसा भारत सिर्फ हमें चाहिए अौर ऐसा भारत बनाने का माद्दा हममें होना चाहिए.

ऐसा भारत जब अमरीका से सम्यक रिश्ता बनाएगा तो उससे अमरीका समेत सारे विश्व का मन व मत प्रभावित होगा.

(29.06.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૨) 

Opinion - Literature|30 June 2023

આજે, દણ્ડી વિશે —

એમનો સમય છે, સાતમા શતકનો ઉત્તરાર્ધ. એમના ગ્રન્થનું શીર્ષક છે, ‘કાવ્યાદર્શ’.

સુમન શાહ

રાજશેખર ‘કાવ્યનિર્માણ’ સંજ્ઞા પ્રયોજીને એમ સૂચવે છે કે સર્જકે કાવ્યનું નિર્માણ કરવાનું છે. કુન્તક ‘કાવ્યબન્ધ’ સંજ્ઞા પ્રયોજીને એમ સૂચવે છે કે સર્જકે કાવ્યનો બન્ધ બાંધવાનો છે. બન્ને કાવ્યાચાર્યોનું ધ્યાન ભાષા વડે રચાતા કાવ્યના શરીરને વિશે છે.

દણ્ડી તો સ્પષ્ટપણે ‘શરીર’ શબ્દ પ્રયોજે છે અને જણાવે છે કે પ્રાચીન આચાર્યોએ કાવ્યોનાં શરીર અને તેના અલંકારોનું દર્શન કરાવ્યું છે —‘તૈ: શરીરમ્ ચ કાવ્યાનામલંકારાશ્ચ દર્શિતા:’ દણ્ડી કહે છે, ‘શરીરમ્ તાવદિષ્ટાર્થવ્યવચ્છિન્ના પદાવલી – ઇષ્ટ અર્થથી વ્યવચ્છિન્ન, એટલે કે શોભિતી પદાવલી જ કાવ્યનું શરીર છે.

અલંકાર સમ્પ્રદાયમાં દણ્ડીનું નામ પહેલું લેવાય છે. અતિશયોક્તિ અલંકારને એમણે બધા જ અલંકારોમાં ઉત્તમ ગણ્યો છે, એટલું જ નહીં, ઉમેર્યું છે કે વાચસ્પતિઓ એને પૂજે છે, અને તેથી કવિઓ અતિશયોક્તિને બીજા બધા જ અલંકારોનો આશ્રય ગણે છે – વાગીશમહિતામુક્તિમિમામતિશયાહ્વયામ્…

કાવ્યશરીરના સૌન્દર્યના કારક ધર્મો કયા? એટલે કે, વિશિષ્ટ ગુણ કયા? તો દણ્ડી કહે છે, અલંકારો – કાવ્યશોભાકરાન્ ધરમાનલઙ્કારાન્ પ્રચક્ષતે. પછી, તરત ઉમેરે છે કે – આજ દિન સુધી કવિઓ અલંકારોની એટલી બધી વિવિધ કલ્પનાઓ રચી રહ્યા છે કે તેનું પૂર્ણતયા વર્ણન તો કોણ કરી શકવાનો’તો? – તે ચાદ્યાપિ વિકલ્પ્યન્તે કસ્તાન્ કાર્ત્સ્યેન વક્ષ્યતિ.

અલંકારોના એક વર્ગને તેઓ પ્રેયસ્ કહે છે. એટલે કે, ઉક્તિ અથવા કથનમાં અત્યન્ત પ્રીતિકર ભાવ હોય, તે પ્રેયસ્. બીજો વર્ગ છે, રસવત્ અલંકારોનો. એટલે કે, ઉક્તિ અથવા કથનમાં રસ વડે ઉત્પન્ન આનન્દદાયી ભાવ હોય, તે રસવત્. અલંકારોના ત્રીજા વર્ગને તેઓ ઉર્જસ્વિ કહે છે. એટલે કે, ઉક્તિ અથવા કથનમાં ગર્વ કે અહંકારની સ્પષ્ટ અભિવ્યક્તિ થઈ હોય, તે ઉર્જસ્વિ. વગેરે.

દણ્ડી ઉમેરે છે કે પ્રાચીન આચાર્યોએ કાવ્યશરીરના પદ્ય, ગદ્ય, અને પદ્યગદ્ય એવા ત્રણ વિભાગ દર્શાવ્યા છે. એમનું એ કથન પણ શરીરપરક જ છે – એમ કે કાવ્યશરીર પદ્યનું બનેલું હોય, ગદ્યનું બનેલું હોય, અને પદ્ય-ગદ્યના મિશ્રણથી પણ હોય.

કુન્તક જેમ પદ-થી પ્રબન્ધ સુધીના કાવ્યકૃતિના સાવયવ અખિલ દેહને જુએ-તપાસે છે છે તેમ દણ્ડી ગદ્ય, પદ્ય અને તેના મિશ્રણ સુધીની અખિલ કાવ્યસૃષ્ટિને, સમગ્ર વાઙ્મયને, જુએ-તપાસે છે.

દણ્ડીનું આ શરીરપરક દૃષ્ટિબિન્દુ પદ્યને છન્દોબદ્ધ, ગદ્યને છન્દરહિત, અને પદ્યગદ્યના મિશ્રણને ચમ્પૂ કહે છે.

પદ્ય :

પદ્યના ચાર ચરણ દર્શાવે છે અને તેના બે વર્ગ દર્શાવે છે : જાતિવૃત્ત અને વૃત્ત. કહે છે કે “છન્દોવિચિતિ” ગ્રન્થમાં પદ્યની અન્તર્ગત આવનારા જાતિવૃત્ત છન્દોનું વિસ્તૃત વર્ણન મળે છે – છન્દોવિચિત્યામ્ સકલસ્તત્પ્રપંચો નિદર્શિતમ્.

આ છન્દવિદ્યા ગમ્ભીર કાવ્યસાગરમાં તરવાની ઇચ્છા રાખનાર માટે નાવ સમાન છે – સા વિદ્યા નૌર્વિવિક્ષૂણામ્ ગમ્ભીરમ્ કાવ્યસાગરમ્.

મુક્તક, કુલક, કોશ, સંઘાત વગેરે સર્ગબન્ધ મહાકાવ્યના અવયવો છે, તેથી, સ્વાભાવિક છે કે દણ્ડી તેનો પદ્યવિસ્તાર કરવાની જરૂરત નથી જોતા.

દણ્ડી ચરણરહિતપદસમૂહને ગદ્ય કહે છે. આપણે જેને ‘પ્રોઝ પોએમ’ કહીએ છીએ તે કાવ્ય જ છે, કેમ કે બહુશ: તે ચરણસહિત હોય છે.

A man with a boat thinking to sail in a sea …

ગદ્ય :

એમણે ગદ્યને બે વિભાગમાં જોયું છે : આખ્યાયિકા અને કથા. 

દણ્ડી આખ્યાયિકાની વ્યાખ્યા આપે છે : કેવળ નાયક દ્વારા વર્ણવાયેલું ગદ્ય આખ્યાયિકા છે. જ્યારે, કથા તો નાયક અથવા કોઈ બીજા પાત્ર દ્વારા કહેવાતી હોય છે.

હું દણ્ડીની આ વાતથી પ્રસન્ન થઈને એમ માનવા લાગ્યો છું કે આખ્યાયિકાનો નાયક, વર્ણવે ત્યારે ‘થર્ડ પર્સન નૅરેટર’-ની રીતે કરતો હશે. અને કથાનો નાયક કે પાત્ર, કથે ત્યારે કથા ‘ફર્સ્ટ પર્સન નૅરેટર’-ની રીતે રજૂ થતી હશે.

કન્યાનું અપહરણ, યુદ્ધ, વિયોગજન્ય રતિ, વગેરેને દણ્ડી આખ્યાયિકાનાં લક્ષણો કહે છે, પણ તેનો ઝાઝો વિસ્તાર નથી કરતા કેમ કે એ લક્ષણો વિશિષ્ટ નથી, મહાકાવ્યોમાં હોય છે, એ જ છે.

કથાનાં એમણે આપેલાં લક્ષણોમાં એક નૉંધપાત્ર છે – કવિભાવકૃતમ્ ચિહ્નમન્યત્રાપિ ન દુષ્યતિ. એટલે કે, કથામાં કવિ પોતાને અભિપ્રેત અર્થભાવ સિદ્ધ કરવા કશું પણ ચિહ્નિત કરે અને તે માટે કોઇપણ ઘટનાનો આશ્રય કરે તો દોષ નથી થતો. આ લક્ષણમાં મને વરતાય છે કે કવિની સર્જકતાનો અબાધ સ્વીકાર થયો છે. જેમકે, દુર્યોધનને સુયોધન રૂપે ચીતરી શકાય તો પણ તેમાં કશો દોષ નથી થતો.

ગદ્યપદ્ય મિશ્રિત ચમ્પૂ :

ગદ્યપદ્ય મિશ્રિત રચનાઓ નાટક વગેરે દૃશ્ય કાવ્યોમાં તેમ જ શ્રાવ્ય કાવ્યોમાં સ્પષ્ટપણે હોય છે. જેમ કે, ન્હાનાલાલનું અપદ્યાગદ્ય એવું જ મિશ્રણ છે. આપણી અછાન્દસ રચનાઓ પણ ગદ્યપદ્યમિશ્રિત છે.

સમગ્ર વાઙ્મય :

દણ્ડી જણાવે છે કે પદ્ય, ગદ્ય અને ચમ્પૂથી સમગ્ર વાઙ્મય રચાયું છે.

કહે છે, વિદ્વાનોએ તેના વિવિધ ભાષાયુક્ત ચાર વિભાગ દર્શાવ્યા છે : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અને મિશ્રિત.

સર્ગબદ્ધ મહાકાવ્યો વગેરે કૃતિઓ સંસ્કૃતમાં, સ્કન્ધ વગેરેમાં રચાયેલી કૃતિઓ પ્રાકૃતમાં, ઓસર વગેરેમાં રચાયેલી કૃતિઓ અપભ્રંશમાં, અને આ સૌ મિશ્ર ભાષાઓમાં નાટક વગેરે કૃતિઓ જોવા મળે છે.

= = =

(06/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...954955956957...960970980...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved