Opinion Magazine
Number of visits: 9666245
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ये दुनिया अगर मिल भी जाए तो क्या है 

कुमार प्रशांत|Opinion - Opinion|16 October 2023

कुमार प्रशांत

सालभरसेज्यादाहुए. मन बेतरह घायल है.  कान युक्रेन की चीख से गूंजते रहते हैं. अपनी असहायता का तीखा बोध लगातार चुभता रहता है… यह शर्म भी कम नहीं चुभती है कि हमारा देश भी नागरिकों की इस जघन्य हत्या में भागीदार है, औरयुक्रेन व रूस में बहते खून में से तेल छान कर जमा करने में लगा है… यह सब था कि तभी 7 अक्तूबर 2023 आया. फलिस्तीनी हमास ने इसरायल पर ऐसा पाशविक हमला कर दिया कि जिसने शर्म से झुके माथे पर टनों बोझ लाद दिया. शर्म से झुका वहसर लगातार झुकता ही जा रहा है क्योंकि यह गुस्सा नहीं, आत्मग्लानि का बोझ है. असहमति, विवाद, गुस्सा, प्रतिद्वंद्विता, बदला, घृणा, कायरता व क्रूरता सबकी अपनी जगह है लेकिन इंसानियत की भी तो जगह है न ! सिकुड़ते–सिकुड़ते वह जगह अबसांस लेने लायक भी नहीं बची है.

सारीदुनियामेंप्रकृतिफुफकाररहीहै. बाढ़, आग, भूकंप से ले कर तरह–तरह के भूचालों से दुनिया घिरती जा रही है. ऐसा लगता है कि प्रकृति अपने साथ हुए दुर्व्यवहार का एक–एक कर जवाब दे रही है. वह अब रोके नहीं रुकेगी. बची–खुची कमीनेता बन बैठे लोग पूरी किए दे रहे हैं.  सारी दुनिया में नागरिक पिस रहा है. सारी दुनिया में सत्ता आदमखोर बनी हुई है. यह हमारी सभ्यता की सबसे अंधी व अंधेरी गुफा है. इसे हम कैसे और कब पार कर  सकेंगे ? जवाब देने के लिए भी सर उठता नहीं है.

फिलिस्तीन–इसरायल समस्या का इतिहास बहुत लंबा व पुराना है – उतना ही पुराना जितना मानव जाति की मूढ़ता का इतिहास है.  यहां उसे दोहराने का अवकाश नहीं है. आंकड़ों और तारीखों का अब कोई संदर्भ भी नहीं रह गया है. कोरोना के आंकड़ों की तरह ही ये आंकड़े भी सच को बताते कम, छिपाते अधिक हैं. हमास ने जिस तरह इसरायल पर हमला किया वह उसकी मूढ़ता, ह्रदयहीनता व अदूरदर्शिता का प्रमाण है. हमास के शीर्ष राजनीतिक नेता खालिद मशाल ने कहा कि हम ऐसी चोट मारना चाहते थे कि इसरायल बिलबिला कर रह जाए; और वही हुआ. लेकिन ख़ालिद को अब यह नहीं दीख रहा है क्या कि दोनों तरफ के सामान्य निर्दोष नागरिक बिलबिला रहे हैं ? आज उनके साथ कोई नहीं है सिवा विनाश व मौत के ! एक बात यह भी कही जा रही है कि इसरायल व अरब देशों में जैसी आर्थिक नजदीकियां बढ़ रही थीं, उसे तोड़ने के लिए फलीस्तीन ने हमास द्वारा यह आत्मघाती कदम उठाया. अब अरबों के लिए इसरायल की तरफ हाथ बढ़ाना संभव नहीं रह जाएगा. यह सच हो तो यह कूटनीति भी कितनी अमानवीय है !

भारत के प्रधानमंत्री ने तुरंत बयान दे डाला कि भारत इसरायल के साथ खड़ा है. ऐसा कहने का अधिकार उन्हें कैसे मिला ? वे जिस संसद की कृपा से प्रधानमंत्री हैं क्या उस संसद में ऐसा कोई प्रस्ताव पारित हुआ ? क्या इस बारे में संसद में कोई विमर्श हुआ ? क्या कुर्सी पर बैठा एक आदमी देश होता है ? आजादी से पहले से इस विवाद के संदर्भ में भारत की भूमिका स्पष्ट रही है. महात्मा गांधी ने स्वंय इस मामले में हमारी विदेश-नीति की बुनियाद बना दी थी. उसे बदलने का अधिकार केवल भारत की जनता का है. किसी भी सरकार को अधिकार नहीं है कि वह अपने खोखले बहुमत के घमंड में राष्ट्रीय नीतियों से खिलवाड़ करे. प्रधानमंत्री ने जो कह दिया, अब जा कर विदेश मंत्रालय ने दबी-ढकी जुबान में उस पर लिपापोती कर रहा है. उसने बयान दिया है कि भारत हमास की हिंसा का निषेध करता है लेकिन फलिस्तीनों की आजादी पर किसी भी तरह के हमले को समर्थन नहीं देता है. प्रधानमंत्री और उनके विदेश-मंत्रालय के बीच की ऐसी खाई कैसे बनी ? इसलिए बनी कि प्रधानमंत्री सोचते कम और बोलते अधिक हैं; किसी कि सुनते नहीं हैं, बस अपनी सुनाते हैं – मन की बात !

इधर देखिए कि सारा अमरीकी खेमा, पश्चिम के आका मुल्क इसरायल के समर्थन में खड़े हो गए हैं जैसे हमें पता ही नहीं है कि यही वह खेमा है जिसने फलीस्तीन के सीने पर खंजर की नोक से इसरायल लिखा था. महात्मा गांधी ने तब भी कहा था कि हमें एक-एक यहूदी अपनी जान से भी ज्यादा प्यारा है लेकिन पश्चिमी शैतानी का सहारा ले कर वे फलिस्तीनी घर में घुस जाएं, इसका हम समर्थन नहीं कर सकते. 1938 में उन्होंने एक विस्तृत आलेख में भारत का रुख साफ कर दिया था : “ “ मेरी सारी सहानुभूति यहूदियों के साथ है. मैं दक्षिण अफ्रीका के दिनों से उनको करीब से जानता हूं. उनमें से कुछ के साथ मेरी ताउम्र की दोस्ती है और उनके ही माध्यम से मैंने उनकी साथ हुई ज्यादतियों की बावत जाना है. ये लोग ईसाइयत के अछूत बना दिए गये हैं. अगर तुलना ही करनी हो तो मैं कहूंगा कि यहूदियों के साथ ईसाइयों ने जैसा व्यवहार किया है वह हिंदुओं ने अछूतों के साथ जैसा व्यवहार किया है, उसके करीब पहुंचता है. दोनों के साथ हुए अमानवीय व्यवहारों के संदर्भ में धार्मिक आधारों की बात की जाती है. निजी मित्रता के अलावा भी यहूदियों से मेरी सहानुभूति के व्यापक आधार हैं. लेकिन उनसे मेरी गहरी मित्रता भी मुझे न्याय का पक्ष देखने से रोक नहीं सकती है, और इसलिए यहूदियों की ‘अपना राष्ट्रीय घर’ की मांग मुझे जंचती नहीं है. इसके लिए बाइबल का आधार ढूंढा जा रहा है और फिर उसके आधार पर फलीस्तीन लौटने की बात उठाई जा रही है. लेकिन जैसे संसार में सभी लोग करते हैं वैसा ही यहूदी भी क्यों नहीं कर सकते कि वे जहां जनमे हैं और जहां से अपनी रोजी-रोटी कमाते हैं, उसे ही अपना घर मानें ?

“फलीस्तीन उसी तरह अरबों का है जिस तरह इंग्लैंड अंग्रेजों का है याकि फ्रांस फ्रांसीसियों का है. यह गलत भी होगा और अमानवीय भी कि यहूदियों को अरबों पर जबरन थोप दिया जाए. आज फलीस्तीन में जो हो रहा है उसका कई नैतिक आधार नहीं है. पिछले महायुद्ध के अलावा उसका कोई औचित्य नहीं है. गर्वीले अरबों को सिर्फ इसलिए दबा दिया जाए ताकि पूरा या अधूरा फलीस्तीन यहूदियों को दिया जा सके, तो यह एकदम अमानवीय कदम होगा.

“उचित तो यह होगा कि यहूदी जहां भी जनमे हैं और कमा-खा रहे हैं वहां उनके साथ बराबरी का सम्मानपूर्ण व्यवहार हो. जैसे फ्रांस में जनमे ईसाई को हम फ्रांसीसी मानते हैं वैसे ही फ्रांस में जनमे यहूदी को भी फ्रांसीसी माना जाए; और अगर यहूदियों को फलीस्तीन ही चाहिए तो क्या उन्हें यह अच्छा लगेगा कि उन्हें दुनिया की उन सभी जगहों से जबरन हटाया जाए जहां वे आज हैं ? याकि वे अपने मनमौज के लिए अपना दो घर चाहते हैं ? ‘अपने लिए एक राष्ट्रीय घर’ के उनके इस शोर को बड़ी आसानी से यह रंग दिया जा सकता है कि इसी कारण उन्हें जर्मनी से निकाला जा रहा था.” 

आजादी के बाद से कमोबेश हमारी विदेश-नीति की यही दिशा रही है. प्रधानमंत्री ने सांप्रदायिकता से दूषित नजर से इसे देखा और कच्ची गोली खेल दी जिसे विदेश मंत्रालय संभालने की कोशिश कर रहा है.

अमरीकी व पश्चिमी खेमे की कुल कोशिश यही है कि युद्ध भी हमारी ही मुट्ठी में रहे, विराम भी हमारी ही मुट्ठी में रहे! हमने देखा है कि दोनों ही कमाई के अंतहीन अवसर देते हैं. भ्रष्टाचार के आरोपों में घिरे इसरायल के विफल प्रधानमंत्री नेतन्याहू ने मौके का फायदा उठा कर इसरायल के राजनीतिक नेतृत्व को अपने साथ ले लिया है. यह घटिया अवसरवादिता है. जब पूरा इसराइल उनके ख़िलाफ़ खड़ा था और वे न्यायपालिका को अपनी मुट्ठी में करने का भद्दा खेल खेल रहे थे, तब उनके हाथ ऐसे अवसर आ गया जिसने उन्हें नई बेईमानी का मौक़ा दे दिया है. यह पूरी कहानी बेईमानी से ही शुरू हुई थी और बेईमानी से ही आज तक जारी है. यह नया भारत है जो इस बेईमानी में साझेदारी कर रहा है.

रास्ता क्या है? यह इतना आसान है कि बहुत कठिन लगता है. 5 मई 1947 को ‘रायटर’ के दिल्ली स्थित संवाददाता डून कैंपबेल ने गांधी का ध्यान फिर से इस तरफ खींचा : “ फिलीस्तीनी समस्या का आप क्या उपाय देखते हैं ?”

गांधी : “ यह ऐसी समस्या बन गया है कि जिसका करीब-करीब कोई हल नहीं है. अगर मैं यहूदी होता तो मैं उनसे कहता : ‘ऐसी मूर्खता मत करना कि इसके लिए तुम आतंकी रास्ता अख्तियार कर लो. ऐसा कर के तुम अपने ही मामले को बिगाड़ लोगे जो वैसे न्याय का एक मामला भर है… अगर यह मात्र राजनीतिक खींचतान है तब तो मैं कहूंगा कि यह सब व्यर्थ हो रहा है. आखिर यहूदियों को फिलीस्तीन के पीछे इस तरह क्यों पड़ जाना चाहिए ? यह महान जाति है. इसके पास महान विरासतें हैं. मैं दक्षिण अफ्रीका में बरसों इनके साथ रहा हूं. अगर इसके पीछे उनकी कोई धार्मिक प्यास है तब तो निश्चित ही इस मामले में आतंक की कोई जगह नहीं होनी चाहिए… यहूदियों को आगे बढ़ कर अरबों से दोस्ती करनी चाहिए और ब्रिटिश हो कि अमरीकी हो, किसी की भी सहायता के बिना, यहोवा के उत्तराधिकारियों को उनसे मिली सीख और उनकी ही विरासत संभालनी चाहिए.”

लेकिन किसी को, किसी की विरासत तो संभालनी नहीं है . सबको संभालनी है गद्दी ! गांधी सत्ता की यह भूख पहचान रहे थे और इसलिए कैंपबेल से कहते-कहते कह गए : “ यह एक ऐसी समस्या बन गया है कि जिसका करीब-करीब कोई हल नहीं है.” गांधी ने जो आशंका प्रकट की थी, उसके करीब 76 साल पूरे होने को हैं लेकिन युद्ध व विराम के बीच पिसते फलस्तीनी-इस्रायली किसी हल के करीब नहीं पहुंचे हैं. विश्व की महाशक्तियां व दोनों पक्षों के सत्ताधीश पीछे हट जाएं तो येरूशलम की संतानें अपना रास्ता खुद खोज लेंगी. लेकिन सत्य, प्रेम, करुणा के ऐसे रास्ते पर उन्हें कौन चलने देगा ?

(15.10.2023)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

‘જેમ છે.’ – ‘What is.’નું જ દર્શન

Poetry|16 October 2023

નયન દેસાઈ

 

 

 

 

 

 

 

અડધા હાથે લકવો –  ગઝલાવલોકન

સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને;
નામ અમારું એવું પાડ્યું : નહીં માતર કે કાનો જોને!

સડી ગયેલાં શ્વાસો વચ્ચે આવે-જાય અભરખા જોને;
લાશ બળે કે લાઈટર સળગે : બંને દૃશ્યો સરખા જોને!

ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને?
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!

અમે કાચની પૂતળીને પહેરાવ્યા એવા વાઘા જોને;
સાવ અજાણ્યા થઈને ફરીએ અમે પંડથી આઘા જોને!

અમે નથી ને નામ અમારે આવે રોજ ચબરખી જોને;
હૈયું તૂટી પડે કે જમ્બો બન્ને ઘટના સરખી જોને!

અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જોને !
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
છબી બનેલી મા ક્યાંથી બોલાવે ઘોઘર બાવા જોને?

જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!

મળીએ શ્વાસે શ્વાસે નયનભાઈ! છૂટા પડીએ ક્ષણક્ષણ જોને!
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

                                                                                        – નયન દેસાઈ

તેમનો પરિચય અહીં

૧૦, ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સુરત ખાતે અવસાન પામેલા નયન દેસાઈની આ રચના, પોતાની છેલ્લી ઉમરમાં પોતાની હાલતનું વર્ણન તો છે જ, પણ તેમની લાક્ષણિક શૈલીનો સરસ પડઘો પણ પાડે છે. એમની રચનાઓનો ચાહક આ અવલોનકાર પણ છે જ.

ખેર, હવે આ ગઝલ વિશે –

મોટી ઉંમરે ઉજાગર થતી નિરાશા એકેએક શેરમાં અહીં પડઘાતી જોઈ, આપણને પણ કદાચ સ્મશાન વૈરાગ્ય આવી જાય. જીવનની રોજિંદી દરેક ક્રિયામાં શારીરિક અશક્તિ અને મનની શક્તિઓનાં ધોવાણનું આબેહૂબ વર્ણન નયનભાઈએ કર્યું છે. કવિતા વાંચતાં આપણને આરજૂ રહે કે, છેવટે કશોક ઉજાસ કવિ પ્રગટાવશે. પણ આપણી એ આશા પણ ઠગારી નીવડે છે.

શ્વાસે શ્વાસે મળવાની અને છૂટા પડવાની વાત બીજી કોઈક વ્યક્તિ કે અસ્તિત્વ તરફ અંગુલિનિર્દેશ જરૂર કરે છે. ‘ક્ષણે ક્ષણ’ શબ્દ પણ વર્તમાનમાં જીવનની વાત કદાચ હશે. પણ અડધા હાથે લકવો એ વિચારને અતિક્રમી જાય છે ! અને એ જ હતાશા આખી રચનામાં વારંવાર પુનરાવર્તિત થયા કરે છે. સમાજ અને દેશમાં ઘટતી અત્યંત કરુણ ઘટનાઓ પણ પોતીકી સમસ્યાઓનું જ સ્મરણ કરાવી અટકી જાય છે.

વાત તો સાચી જ છે કે, એ વ્યથા તો જેણે ભોગવી હોય, તે જ સમજી શકે. નયનભાઈ પણ કદાચ કશુંક વિશેષ કહેવા પણ નથી માંગતા. માત્ર ‘જેમ છે.’ તેનો જ આ તાદૃશ્ય ચિતાર આપણને પણ નિસાસાના નિબીડ અંધકારમાં હડસેલી દે છે.

અને કદાચ આ જ એમના કવિકર્મનો પડઘો છે.

‘જેમ છે.’
‘What is.’નું જ દર્શન.

Just to be !

e.mail : surpad2017@gmail.com

Loading

નયન હ. દેસાઈ એટલે નયન હ. દેસાઈ જ !

Opinion - Literature, Opinion - Opinion|16 October 2023

રવીન્દ્ર પારેખ

હા, નયન એક અને એક જ છે. ગઝલ ગુજરાતી થઈ એમાં ઘણા ગઝલકારોનો ફાળો છે, પણ ગઝલને તળપદો સંસ્પર્શ તો નયને જ આપ્યો. એ રજૂઆતનો રાજા હતો. કદ નીચું, પણ કવિતા ઊંચી. જીવનના ખૂણે ખૂણે એ એવી ફેરવી લાવ્યો કે ગઝલને રળિયાત થયા સિવાય છૂટકો જ ન થયો. એ મારા કરતાં થોડો વહેલો ગઝલમાં પ્રવેશેલો. ‘રાનેરી બોર’ કરીને એણે કદાચ પહેલી વાર્તા લખેલી અને એ, તે વખતના શ્રેષ્ઠ વાર્તામાસિક ‘આરામ’માં પ્રગટ થયેલી. એ પછી તો ‘ઈશાની દલાલ’ના નામથી ‘ગુજરાતમિત્ર’માં ઢગલો છાપાળવી વાર્તાઓ પણ લખી. નાટકો લખ્યાં. એમાં બહુ ફાવ્યો નહીં, પણ ગઝલમાં નાટક એણે સફળતાપૂર્વક ઉતાર્યું. નાટકમાં આવતી સૂચનાઓ ને ક્રિયાઓ એણે કૌંસમાં, ગઝલને અકબંધ રાખીને ઉતારી.

આમ તો એ શીર્ષકોનો કવિ રહ્યો છે. ‘એબસર્ડ ગઝલ’, ’એક ભૌમિતિક ગઝલ’, ‘સંભોગ-સિમ્ફની ગઝલ’ જેવી અરૂઢ શીર્ષકોની ગઝલથી અટકી ન જતાં, ‘ઊર્ફે’, ‘નયન દેસાઈ એસ.એસ.સી’, ’ચાલ, નયન એક ચા મંગાવ’, ‘લ્યો, ટેબલને તાળું મારો’ જેવી અરૂઢ રદીફો તેણે ગઝલ લખવા માટે પસંદ કરી અને તેને તંતોતંત નિભાવી. ગઝલનાં શીર્ષકો કેટલાંક આગંતુક હશે, પણ રદીફ-કાફિયા નયને એટલા સહજ રીતે નિભાવ્યા છે કે ગઝલ પાળેલી હોય તેમ તેને વશ વર્તતી. કવિ સંમેલનો કે મુશાયરાઓમાં તે સંચાલન કરતો હોય કે ગઝલ રજૂ કરતો હોય તો આખાય મંચને તે સંમોહિત કરી શકતો. તેની અભિવ્યક્તિ સહજ હોવા ઉપરાંત નાટ્યાત્મક પણ રહેતી. ગુજરાતના નામી ગઝલકારોની હરોળમાં તે રજૂઆતને જોરે સાધિકાર પોતાનું સ્થાન જમાવીને ઢગલો દાદ મેળવી શકતો.

નયન હ. દેસાઈ

ભગવતીકુમાર શર્માને અને મનહરલાલ ચોક્સીને તે પોતાનાં ગુરુ ગણતો, પણ ગઝલ શીખવાની શરૂઆત તેણે ડૉ. રફઅત કાવીવાળા નામના ગુજરાતી-ઉર્દૂ શાયર પાસેથી કરી હતી. કાવીવાળા હોમિયોપેથ ડૉક્ટર હતા એટલે મીઠી ગોળીઓ સાથે ગઝલનો ઈલાજ પણ કરતા. પછી તો એ બધા ગુરુઓથી સવાયો થયો. ભગવતીભાઈને હું ઓળખતો ખરો, પણ એમની નજીક જવાનું બહુ બન્યું ન હતું. એવામાં 1974માં મારા ભાઈ દિનકરના લગ્ન લેવાયાં. મારી ઈચ્છા મનહરભાઈ, ભગવતીભાઈ, દિલીપ મોદી જેવા થોડા કવિઓને લગ્નમાં બોલાવવાની હતી, પણ પરિચય ઓછો, એટલે મેં નયનને કહ્યું. અમે ભગવતીભાઈને ત્યાં ઉપડ્યા. નયને મારી ઈચ્છા ભગવતીભાઈને જણાવી. એ ને અન્ય કવિ મિત્રો પ્રેમથી આવ્યા અને લગ્નનાં મરાઠી ભોજનથી બહુ પ્રસન્ન થયા. એ પછી થોડા જ મહિનામાં અમારું ટોળું હજીરા ફરવા ગયું, ત્યાં રાત્રે મીનાકુમારીની ગઝલો સાંભળી, જોક્સ કહ્યા, ગરબા કર્યા ને એમ બધા એટલા નજીક આવ્યા કે અમે કુટુંબ જ થઈ ગયાં. પછી તો અમે ‘રવિમિલન’ નામક એક સંસ્થા અનૌપચારિક રીતે શરૂ કરી. મનહરલાલ ચોક્સીનાં મધુવન સોસાયટીનાં ઘરે દર રવિવારે ભગવતીભાઈ, મનહરભાઈ, નયન, બકુલેશ અને હું એટલા નિયમિત મળતાં. એમાં ગઝલ ઉપરાંત ગીત, વાર્તા વગેરે સ્વરચિત વંચાતાં. ક્યારેક હિન્દી, અંગ્રેજી સાહિત્યની નીવડેલી કૃતિઓ પણ વંચાતી ને ચર્ચા થતી. એ સાથે જ ફિલબદી ગઝલો પણ લખાતી. અમારામાંથી કોઈ ગઝલની પંક્તિ કાઢતું ને પંદરેક મિનિટમાં જ ગઝલ લખાતી ને વંચાતી. સંગ્રહ થાય એટલી ગઝલો તો ફિલબદીમાં જ થઈ હશે.

એક વાર નયન તેનાં ગામ શિકેર માંદો હોવાની વાત આવી. મનહરભાઈ-મનુબહેન, ભગવતીભાઈ-જ્યોતિબહેન, હું એમ ‘રવિમિલન’ શિકેર ઉપડ્યું. ત્યાં નયનનાં માતા ઇંદુમતીબહેન-પિતા હર્ષદરાયને મળવાનું બન્યું. એમણે અમને મન મૂકીને જમાડ્યાં. નયને ગામ બતાવ્યું. પછી બપોરે નયને જ રદીફ આપી, ‘ગામ આવી ગયું’. અમે બધાએ ગઝલ લખી ને બધાની જ ગઝલ નોંધપાત્ર સામયિકોમાં પ્રગટ થઈ.

1975માં અમે ગુજરાતી સાહિત્ય પરિષદનું પોરબંદરમાં ભરાયેલું અધિવેશન એટેન્ડ કરેલું. મારું, નયનનું અને મનહરભાઈનું એ પહેલું અધિવેશન. ગુજરાતનાં નામી સર્જકો સામે પહેલીવાર અમને કવિતા રજૂ કરવાની તક મળેલી. એ અધિવેશનની સાથે જ અમે દ્વારકા, જૂનાગઢ, ગિરનાર, સોમનાથ, ચોરવાડનો પ્રવાસ પણ કરેલો. નયન સ્વભાવે વિચિત્ર પણ ખરો. અમે લડતાં-ઝઘડતાં પણ સાથે રહેતાં. બહારગામ કવિસંમેલનોમાં સાથે જ જતા. સાથે જ જ્યોતિભાભી, મનુબહેન હોય. એ અમારા કાયમી શ્રોતા. ‘75ની આસપાસ જ મઢીમાં એક કવિસંમેલન હતું. બકુલેશ ત્યાંથી અમારી સાથે જોડાયેલો ને પછી સાથે જ રહ્યો. મઢીમાં અમને એક ડૉક્ટરને ત્યાં નાસ્તા માટે જવાનું થયું. નયન ત્યારે ત્રીસેકનો, પણ કદ-કાઠી નાનાં. મનહરભાઈ ત્યારે પણ શ્વેતકેશી. એમની બાજુમાં નયન બેઠેલો. ડૉક્ટર પત્ની નાસ્તો આપતાં આપતાં મનહરભાઈ પાસે આવ્યાં ને એમની બાજુમાં બેઠેલા નયન સંદર્ભે પૂછ્યું, ‘બાબાને થોડું કૈં મૂકું?’ અમે ત્યારે તો કૈં ન બોલ્યા, પણ એ વાતને લઈને પછી અમે નયનને ખૂબ ઉડાવેલો ને એ પણ પછી હસવામાં જોડાયેલો.

‘નયન દેસાઈ એસ.એસ.સી.’ થયો. બહુ ભણ્યો નહીં, પણ ગણ્યો ઘણું. તેને સંઘાડિયાવાડનાં તેનાં જ ઘરમાં હીરાની ઘંટી પર હીરા ઘસતા મેં જોયો છે. તે ઘસતો તો હીરા, પણ પહેલ ગઝલ પર પડતા. ઓછી આવકે ભોંયતળિયે તેનું ઘર મોટું થતું. તેના બંને દીકરાઓને ઉછરતા જોયા છે. મીનાભાભી દીકરાઓ તો ઉછેરતી જ, પણ નયનને ય મોટો કરતી જતી હતી. ભગવતીભાઈએ તેનો 14 વર્ષ ચાલેલો હીરા વ્યવસાય છોડાવીને 1980માં ‘ગુજરાતમિત્ર’માં જોડ્યો. નયન પત્રકાર બન્યો. એ તો પછી સોનીફળિયે ફ્લેટમાં રહેવા આવ્યો, પણ નયનનું નસીબ બે ડગલાં પાછળ જ રહ્યું. મીના ભાભીને હૃદયના વાલ્વની બીમારી વધી ને તે ગુજરી ગયાં. દરમિયાન નયનનું ગઝલ સર્જન તો અવિરત ચાલ્યા જ કરતું હતું. તે એક પ્રાથમિક શિક્ષિકા શશિ વ્યાસ સાથે ફરી પરણ્યો. શશિને કવિતામાં રસ એટલો કે નયન ભૂલે તે પંક્તિઓ એ યાદ કરાવે, પણ, શશિ વ્યાસ હવે પંક્તિ યાદ કરાવી શકે એમ નથી, કારણ નયન જ પોતાને ભૂલી ગયો છે. આ ભૂમિની કવિતા લખનાર નયન આ ભૂમિથી જ અલગ થઈ ગયો છે. 12 ઓકટોબર, 2023 ને રોજ થોડી માંદગી ભોગવીને 77 વર્ષની ઉંમરે તેની કવિતાને તેણે અનંત વૈધવ્ય આપ્યું છે.

નયન દેસાઈ

સુરતના કઠોદરામાં 22 ફેબ્રુઆરી, 1946 ને રોજ જન્મેલ નયન વાલોડના વતની તરીકે ભલે ઓળખાયો હોય, પણ તે જ્યાં જતો ત્યાં ગઝલથી સગપણ ઊભું કરી શકતો. તેનો પહેલો સંગ્રહ ‘માણસ ઊર્ફે રેતી ઊર્ફે દરિયો’ 1979માં પ્રગટ થયો. એનો બીજો સંગ્રહ ’મુકામ પોસ્ટ માણસ’ ત્રણ વર્ષે પ્રગટ થયો. તેને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પારિતોષિક મળ્યું. એ પછી તો ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’, ‘અનુષ્ઠાન’, ‘સમંદરબાજ માણસ’, ‘દરિયાનો આકાર માછલી’, ‘કેર ઓફ નયન દેસાઈ’, જેવા ગીત-ગઝલના સંગ્રહો થયા. 2005માં ‘નયનનાં મોતી’ નામક સમગ્ર કવિતાનો સંગ્રહ પ્રગટ થયો. નયનને ઉર્દૂમાં પણ ફાવટ હતી. ‘ધૂપ કા સાયા’ તેનો ઉર્દૂ સંગ્રહ છે ને તેને ઉર્દૂ સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું છે. 2013માં તેને ગુજરાતી ગઝલમાં નોંધપાત્ર પ્રદાન બદલ આઈ.એન.ટી., મુંબઇનો કલાપી એવોર્ડ મળ્યો. ગુજરાતી કવિતામાં યોગદાન બદલ 2016માં કવીશ્વર દલપતરામ એવોર્ડ પણ મળ્યો. આ ઉપરાંત ‘મેઘાણી એવોર્ડ’, ‘જયંત પાઠક સુવર્ણ ચંદ્રક’ જેવાં સન્માનો પણ તેને નામે બોલે છે.

નયને છપ્પામાં ગઝલ લખી છે.

સાંજ વગરની સાંજ ઢળે ને દિવસ વગરનો તડકો થાય,

આમ કશું પણ કારણ નૈં ને આમ સમયનો ભડકો થાય.

જિંદગી તો હોય, પણ જીવન જેવું જ કૈં લાગતું ન હોય એવી સ્થિતિનું ચિંતન આ શે’રમાં જણાશે.

જગતમાં ક્યાંય ‘ઘેરિયા’ પર શે’ર નહીં થયો હોય, નયને કર્યો છે:

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરિયાળો કે સામળેક મોરચા,

બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ !

આ પંક્તિઓમાં ઘેરૈયાના સાંગીતિક ઠેકા સંભળાશે.

આજનો સમય સત્યવક્તાનો નથી. કોઈ સાચું કહે તો તેની દશા આવી છે:

જ્યારે જ્યારે હું દુનિયામાં સાચો પડ્યો,

ત્યારે ત્યારે મને એક તમાચો પડ્યો.

એ જ ગઝલનો ઈશ્વર વિશેનો શે’ર પણ નયનનું મોતી જ છે:

સ્વર્ગ બાંધ્યું હશે એણે કોઈ ના નથી,

પણ જગત બાંધવામાં એ કાચો પડ્યો.

એનાં ‘ચકલી કાવ્ય’, ’મંજુકાવ્ય’, ‘મગનમુક્તકો’ ‘પેથાભાઈ’ જેવામાં વિષય વૈવિધ્યની પડછે, હળવો વિરહ પણ પાંપણે બંધાય છે. ‘શ્રુતિસાગર’ નામનો એનો લઘુકાવ્યનો સંગ્રહ છે. એકાદ ઉદાહરણ જોતાં સમજાશે કે બહુ નાની જગ્યામાં એ કેવું વામન પગલું ભરે છે:

હું કવિતા લખતી વખતે

એમાં શિવ મૂકું છું

પછી મઠારતી વખતે

જીવ.

કવિતા મઠારવાની બહુ જરૂર જ આજે જણાતી નથી, ત્યાં નયન મઠારતી વખતે એમાં જીવ મૂકવાની વાત કરે છે. એની ‘પિયર ગયેલી ભરવાડણની ગઝલ’માં આખો સૌરાષ્ટ્રી પરિવેશ સજીવ થાય છે. આમ તો એ વાતાવરણની ગઝલ પણ છે. કવિએ કાફિયા પણ ‘સહિયર’, પાધર’, ‘દિયર’ ‘મહિયર’ જેવા ગામઠી પસંદ કરીને વાતાવરણ સર્જ્યુ છે. કોઈ નાયિકાને પિયર ક્યારે ય અકારું લાગતું નથી, પણ તાણ ‘ભાભુજી’એ કરી એટલે પિયર આવવું પડ્યું, પણ હવે પિયર ગમતું નથી. કેમ? કારણ છે, પતિ:

મા, મને ગમતું નથી આ ગામમાં,

હાલ્ય, બચકું બાંધ, આયર સાંભરે !

ચડ્ડી-બનિયનધારી તો લૂંટવા આવે, પણ એ બધું લૂંટે તેમ ન હોય તો વિકલ્પ આ જ બચે છે:

ક્યાંકથી કોઈ ચડ્ડી-બનિયન ધારીઓનું ટોળું આવે,

તોય નથી પીડા લૂંટવાનું, ચાલ નયન એક ચા મંગાવ !

નયને પોતાનું ઠેકાણું આમ પણ આપ્યું છે:

રહે છે આમ તો તાપી તટે, સૂરતમાં એ કિન્તુ,

મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.

સૂરજ સાત અશ્વોના રથમાં નીકળે છે, પણ આઠમા અશ્વની સવાર આમ પડે છે:

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,

આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો !

‘હું મારામાં ગુમ થયો છું’ કહેતો નયન આમ પણ કહે છે:

ગામનું ઘર ને ખેતર વેચ્યા,

કોઈ ભાડાની રૂમ થયો છું.

ને કેવા શહેરમાં આવ્યો છે:

હર ગલી નાગનો રાફડો છે અહીં,

કેમ કરતાં આ માણસ બચી જાય છે.

તેણે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,

શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

જેવી ભૌમિતિક ગઝલ લખી, પણ એટલાથી એ અટક્યો નથી, તેણે ભૂમિતિનો પ્રમેય પણ ગઝલમાં સિદ્ધ કર્યો.

નયનનાં કેટલાંક ગીતોનો ઉલ્લેખ પણ કરવો જ રહ્યો.

‘સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને…’ આખું ગીત રચના રીતિની રીતે પણ નોખું છે. આ બંધ જુઓ:

કાગળ ઉપર હાથનો પંજો ચીતર્યો છાનોમાનો જોને,

નામ અમારું એવું પાડ્યું: નહીં માતર કે કાનો જોને !

સડી ગયેલા શ્વાસો વચ્ચે આવે જાય અભરખા જોને !

લાશ બળે કે લાઇટર સળગે: બંને દૃશ્યો સરખાં જોને !

ફૂટી ગયેલા કાચનું ક્યાંથી થાય નયનભાઈ ઝારણ જોને !

અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને !

આ ગીત જ નથી, નયનની આત્મકથા પણ છે ને એ રીતે એ ઘણા નયનની ગીતકથા પણ છે. ‘જોને !’ જેવું વારંવાર કહીને તેણે, લાશ કે લાઇટર સળગવાની ઘટના સરખી લાગવા માંડે એ હદે મનુષ્યની વિકસતી સંવેદન બધિરતા તરફ અંગુલિ નિર્દેશ કર્યો છે.

નયન ભરવાડણનો પરિવેશ જે સહજતાથી સર્જી શકતો હતો, એ જ સહજતાથી તે મગદલ્લા બંદરની છોકરી પણ સર્જી શકે છે:

નાળિયેરી ઝૂંડનો પડછાયો ઓઢી

ગીત ગાય હઈસો ને હોફા

નામ એનું કાંઇ નહીં

મિલકતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા…

બગલાની પાંખ જેવો પાથરી પવન

ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…

મગદલ્લા બંદરની છોકરી…

વરસાદ તો વરસાદ જ છે, પણ એને એ સુરતનો બનાવી શકે છે:

પતરે ટપાક્ક ટપ છાંટા પડે ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે

સૂરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ

કાળા આકાશ ભણી જુએ

સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન

પછી જાણે પીંજાય રૂંએ રૂંએ

વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે

સટાક્ક સટ્ટ છૂટે… સૂરતનો…

નયને એક વિરહ ગીત આવું લખ્યું છે:

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ-મેડિયું ફરશે,

તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે…

નયન નથી ને એ ગીત આપણે ગાવાનું આવ્યું છે. એમ લાગે છે જાણે ગઝલનું ઘર ઢગલો થઈને ઉંબર પર આવી પડ્યું છે …

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ઑક્ટોબર 2023

Loading

...102030...941942943944...950960970...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved