Opinion Magazine
Number of visits: 9666867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાન્તિના સિપાહી

વિપુલ કલ્યાણી|Mukaam London|3 November 2023

‘મુકામ લંડન’ −

હવે આ સાપ્તાહિક કર્મને ય પાંચ દાયકા થવામાં. રૉબિન ડેના વારાથી, નિયમિતપણે દર રવિવારે, સવારે નવને ટકોરે, સાંપ્રત પ્રવાહોને આવરી લેતો રાજકીય વિશ્લેષક કાર્યક્રમ બી.બી.સી. ટેલિવિઝન પરે દાયકાથી માણતો રહેતો હોઉં છું. રૉબિન ડે નિવૃત્ત થયા પછી, સંચાલનપદે ડેવિડ ફ્રૉસ્ટ આવ્યા. એમના પછી, નીક રૉબિન્સન આવ્યા, અને એમના પછી આવ્યા એન્ડ્રુ માર. હવે સંચાલકપદે છે, લૉરા કુન્સબર્ગ. સામાન્યપણે બી.બી.સી.ના રાજકીય બાબતો માટેનાં તંત્રી આ કાર્યક્રમના સંચાલકપદે રહેતાં આવ્યાં છે.

લયલા મોરૅન, ‘હાઉસ ઑવ્‌ કૉમન્સ’માં, યુનાઈટેડ કિંગ્ડમના લિબરલ ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે. ગયા રવિવારે, બી.બી.સી.ના ‘સન્નડે વીથ લૉરા કુન્સબર્ગ’ નામક આ કાર્યક્રમમાં, ઉદ્દઘોષક વિક્ટોરિયા ડાર્બીશરને કહેતાં હતાં : હવે લોકો એમ કહેતાં નથી, અમે ક્યાં સલામત હોઈશું ? એ લોકો હવે સવાલ કરે છે, આપણે જ્યાં મરવાનું છે, તે જગ્યા આપણને મળશે જ કે ?” (“No longer are people saying, where do we go to be safe? The question they are now asking is, where do we want to be when we die?”)

આ સાંસદની માતા ફિલિસ્તાની ઈસાઈ છે અને પિતા બ્રિટિશ. લયલા મોરૅનનાં માવતર ગાઝા નગરના એકાદ ફિલિસ્તાની દેવળમાં અત્યારે શરણાર્થી છે.

આ આઘાતજનક ખુલાસો સાંભળી, ઊંડી હમદર્દી વ્યકત કરતાં કરતાં વિક્ટોરિયા ડાર્બીશર શ્રોતાઓને બસ્સામ આરામીન અને રામી એલહનાનની વાતમાં લઈ ગયાં.

રામી એલહનાન  – વિક્ટોરિયા ડાર્બીશર – બસ્સામ આરામીન 

પૂર્વ જેરુસલામના કોઈક ઉપનગરમાં આ બન્નેનો વસવાટ. બસ્સામ ફિલિસ્તાની આરબ અને રામી ફિલિસ્તાની યહૂદી. બન્નેની અકેકી દીકરી આરબ-યહૂદી હિંસક ઘમસાણમાં જ હણાયેલી. અબીર આરામીનનું દશની વયે 1997માં ખૂન થયું. સ્મેદર એલહનાનનું પણ એ જ સાલે ચૌદની વયે ખૂન થયેલું.

ફિલિસ્તાની લડતમાં કિશોરાવસ્થાથી બસ્સામ સામેલ હતા. એ દિવસોમાં પ્રાચીન નગર હેબ્રૉનમાં એ રહેતા હતા. એમનું વય હશે માંડ સત્તરનું ને ઇઝરાયલી સેના ઉપર પથ્થરમારો કરવાના કોઈક આરોપસર તે ઝડપાયેલા અને તે પછી ઈઝરાયેલી કેદમાં સાત વરસ ગાળવાના તેને આવે છે. બસ્સામ કહેતા હતા, એ દિવસો દરમિયાન, ફિલિસ્તાની પરચમ હાથમાં ફરકાવતા રહી તે ઇઝરાયલી કબજા સામે હુંકાર કરતા રહેતા. બાકી બીજા કેદીઓ અમને વીરલા લેખતા. પરંતુ જેલરો અમને એકાબીજાને ધીક્કારવાનું તેમ જ પ્રતિકાર જ કરવાનું કહેતા હતા. એવામાં એક દહાડે સૈનિકોનું ધાડું આવી પૂગ્યું. અમને દરેકને નિ:વસ્ત્ર થઈ જવાનું કહેવામાં આવ્યું અને પછી અકેકને પકડીને કોરડે કોરડે વીંઝવા લાગ્યા.

મેં જોયું, બસ્સમ કહેતા હતા, સૈનિકોના મોં પર સ્મિત હતું અને કોઈ પણ જાતના ધીક્કાર વિના અમને ફટકારતા હતા. એમને માટે તો એ કદાચ તાલીમ હતી; અને અમે એ તાલીમ સારુ જીવતાં જાગતાં ઓજાર ! અને લાગલા મને વરસો પહેલાં હોલોકોસ્ટ બાબતની જે ફિલ્મ જોયેલી તેનું સ્મરણ થઈ આવ્યું. એ ફિલ્મ જોતાં જોતાં હું ડૂસકે ચડેલો. યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલવામાં આવી રહ્યાં હતાં તે મારાથી દેખી શકાતું જ નહોતું. અને હું તાદાત્મ્ય અનુભવતો રહ્યો.

આમાંથી જ તો સંવાદ પેદા થયો. એકદા હું કેદખાનાના એક રખેવાળ જોડે વાતે વળગ્યો. મારે તો યહૂદીઓને સમજવા હતા, પામવા હતા. એ રખેવાળ મને પૂછી બેઠો, ‘તારા જેવો માણસ આમ આતંકવાદી કેમ બની શકે ?’ મેં લાગલા કહ્યું, ‘ના, હું નથી; આતંકવાદી તો તું છો. હું તો આઝાદી માટે લડતો સૈનિક છું.’ અમે ફિલિસ્તાનીઓ અહીં વસવાટી જ માત્ર છે તેમ એ માનતો હતો. મેં તેને પડકાર્યો અને અમે વસવાટી જ છીએ તે પુરવાર કરવા કહ્યું. અને આમ અમારો સંવાદ વિકસતો રહ્યો. એ રખેવાળને ય પરિણામે સમજાયું કે ખરા વસવાટી તો એ લોકો છે ! અને પછી અમે એકબીજાને સમજતા ગયા. સંવાદ જોડાજોડ અમે ભાઈબંધી બાંધી. ફિલિસ્તાની આંદોલનનો તે ટેકેદાર પણ બની બેઠો. આ સંવાદ, આ સજદારીમાંથી અમને દેખાતું ગયું કે અહિંસક માર્ગે અને શાંતિના પથ પર રહીને જ આ જટિલ કોયડો ઉકલવો જોઈએ. બીજો કોઈ જ ચારો નથી. જોયું ને, એક વારનો સંવાદ અને સામા પક્ષે હૃદયની ખરાઈ તેમ જ પાક્કી લગની મજબૂત બનતી રહી.

અને પછી ‘ઓસલો સમજૂતિ’ થઈ અને દ્વિ-રાષ્ટૃની વાત કેન્દ્રસ્થ બની. સન 2005 પછી તો અમે આવી માન્યતા ધરાવતા લોકો ખાનગીમાં ભૂતપૂર્વ યહૂદી સૈનિકો જોડે સંવાદ પણ કરતા ગયા. અમે ઉભય પક્ષની જવાબદારીઓ જેમ જેમ સમજતા ગયા, તેમ તેમ અમારો સલુકાઈવાળો વહેવાર પણ કરતા રહ્યા. અને પછી 2007ની ઘટના ઘટી. વેળાએ મારી દીકરી અબીરને બંદૂકની ગોળીએ વીંધી નંખાઈ. એ બીચારી દુકાને કેન્ડી લેવા નીકળેલી અને તેમાં તે હણાઈ. હું હતપ્રભ થઈ ગયો; સાડાચાર વરસ સુધી એક પછી એક અદાલતે લડતો રહ્યો. અબીર હમાસમાં સામેલ નહોતી; વળી તે અલ ફતહમાં ય નહોતી. ફિલિસ્તાની આરબ અને ફિલિસ્તાની યહૂદીઓ વચ્ચે જો ભાઈચારો કેળવવો હોય તો સુલેહ આધારિત સમજૂતિ બનવી જ રહી. ઈઝરાયલ આવા ગુનાઓનો સ્વીકાર કરે તેમાંથી ક્ષમાપનાનો ભાવ જાગશે ને. છેવટ, વેરથી વેર સમતું નથી.

વેર વસૂલવાને પંથે હું જઈ શક્યો હોત; એ સરળ માર્ગ હતો. પણ સંવાદિતામાંથી પાછા ફરવાને કોઈ જ કારણ નહોતું. એક સૈનિકે મારી દીકરીને હણી નાંખી, ત્યારે આશરે સોએક પૂર્વ ઇઝરાયલી સૈનિકોએ જ અબીર જે જગ્યાએ હણાઈ તે નિશાળના પટાંગણમાં અબીરની સ્મૃતિમાં એક બાગની રચના કરી.

સન 2005માં બસ્સામે ‘Combatants of Peace’ (શાંતિના સિપાહી) નામક રચનામાં એક સ્થાપક સભ્ય નાતે જોડાવાનું રાખ્યું. ભૂતપૂર્વ ફિલિસ્તાની યહૂદી સૈનિકો તેમ જ ભૂતપૂર્વ ફિલિસ્તાની આરબ સ્વાતંત્ર્ય સૈનિકો આ સંસ્થામાં અહિંસાનો માર્ગ તેમ જ સંવાદ એક માત્ર નીતિ રહેવા પામી છે.

બીજી પાસ, રામી એલહનાન ઇઝરાયલી ગ્રાફિક ડિઝાઇનર છે અને જોડાજોડ શાન્તિ માટે કામ કરનાર એક કર્મઠ કર્મશીલ પણ. એમના પિતા હોલોકોસ્ટમાંથી બચનાર યહૂદી હતા અને 1946 વેળા ઇઝરાયલ આવી વસવાટી બન્યા હતા. જુવાનીમાં રામી ઇઝરાયલી સેનામાં દાખલ થયા હતા અને 1973ના યોમ કિપુર યુદ્ધમાં સૈનિક પણ રહ્યા હતા.

જેરુસલામની એક શેરીમાં ચોપડીઓની એક દુકાનમાં તેમની દીકરી સ્મેદર પુસ્તક ખરીદીએ ગયેલી તે સમયે, સન 1997 દરમિયાન, ત્યાં કોઈક આત્મવિલોપન કરતા બોંબ ધડાકામાં મારી ગઈ. ઉભય પક્ષે ઇઝરાયલી – ફિલિસ્તાની સંઘર્ષમાં માર્યાં ગયેલાં બાળકોનાં સમવિચારી માતાપિતા જોડે ‘Parents’ Circle – Families Forum’ રચના કરાઈ. રામી તેમાં સક્રિય રહ્યા. વળી, ‘Combatants of Peace’માં ય જોડાયા અને સક્રિયપણે ભાગ લેતા રહ્યા. અહીં આ જૂથોમાં રામી અને બસ્સામ નજીક આવ્યા અને ભાઈબંધ બની ગયા. આ બન્નેની ભાઈબંધી તેમ જ સક્રિયતાને કારણે 2012માં ‘વિધિન ધ આઇ ઑવ્ ધ સ્ટોર્મ’ નામક એક દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરાઈ છે. શેલી હેરમોને તેનું નિયમન (ડિરેકશન) કર્યું છે.  વળી, અલહનાન અને આરામીનની ભાઈબંધીને પરિણામે એક આયરીશ લેખક, કોલમ મેકકાને 2020માં, ‘અપિરોગાન’ (Apeirogon) નામે એક મજેદાર નવલકથા ય આપી છે. આ નવલકથાને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.

વારુ, વિક્ટોરિયા ડાર્બીશર સાથેની વાતચીતમાં, ગયા રવિવારે, આ બન્ને ભાઈબંધો કહેતા હતા, અમે ફિલિસ્તાનીઓ બન્ને ભાઈઓ છીએ અને અમારા આંદોલનમાં સાતસો ઉપરાંત માતાપિતાનું સક્રિય યોગદાન રહ્યું છે. જગતના વિવિધ ભાગોમાં અમને બોલાવવામાં આવે છે ત્યાં પરિસંવાદોમાં, સભાઓમાં જોડિયા ભાગીદાર પણ બનીએ છીએ. ફિલિસ્તાનીઓમાં સુમેળનું વાતાવરણ ગોઠવી શકાય અને આ બે કોમોનો આ મુલક બને તેવી અમારી ખ્વાયેશ છે.

રામી કહેતા હતા, એક બાજુ આરબોના મૃતદેહો અને બીજી પાસ યહૂદીઓના મૃતદેહોના ઢેર જોઈએ છીએ અને અરેરાટી થાય છે કે શું આ મુલક માત્ર મોટું કબ્રસ્તાન તો નહીં થઈ બેસે ને ? અમને શાન્તિ અને અહિંસાને મારગે એખલાસ ભર્યા બે કોમોના મુલકો થાય તેવી શ્રદ્ધા છે. આ સિવાય અમને બીજો કોઈ રસ્તો સૂજતો જ નથી. કોઈ જ ચારો નથી.

આ સંદેશ લઈને અમે સાથે ઘૂમીએ છીએ. બાળકોને, કિશોરોને, યુવકોને ય વાત કરીએ છીએ. અમારી વાત બહૂધા કાને પડે છે. એકાદને પણ તેની અસર પહોંચે તો અમને સંતોષ વળે છે.

બસ્સામ તો માનતા હતા કે એમના જીવનકાળમાં આ શક્ય થાય તેમ છે, કેમ કે તેમનાં સંતાનો અને સંતાનોનાં સંતાનો પહેલાં એ અને એમની ખુદ પેઢી જ આવા આશાવાદના જોરમાં સલુકાઈએ જીવન ગુજારે તેવા એ સૌને ઓરતા છે.

પાનબીડું :

કચ્છના આદિપુરના વસવાટી સિંધી સાહિત્યકાર હૂંદરાજ દુખયાલ [16 જાન્યુઆરી 1910 – 21 નવેમ્બર 2003] આચાર્ય વિનોબાજીની પદયાત્રામાં લાંબા અરસા સુધી સામલે હતા.. પદયાત્રા સારુ એ  કૂચગીતો લખતાં અને પછી પદયાત્રીઓને ય ગવડાવતાં. એમની આ રચના ખૂબ પ્રસિદ્ધિ પામી છે. અને અહીં લેખને અનુરૂપ પણ છે.

शांति के सिपाही चले ….

शांति के सिपाही चले, क्रांति के सिपाही चले

लेके खैरख्वाही चले, रोकने तबाही चले

बैर भाव तोड़ने, दिल को दिल से जोड़ने

कौम को संवारने जान अपनी वारने। रोकने तबाही….

विश्व के ये पासवां, लेके सेवा का निसां

भिरुता से सावधान, चल पड़े हैं बेगुमां। रोकने तबाही…

सत्य की संभाल ढाल, अहिंसा की ले मशाल

धरती मां के नौनिहाल, निकल पड़े सुचाल। रोकने तबाही…

जय जगत पुकार के, बढ़ रहे बिना रुके

लेके दिल के वलवले, अपने ध्येय को चले। रोकने तबाही…

                                                                                  − हूंदराज दुखायाल जी

[1,260 શબ્દો]
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ, 01 નવેમ્બર 2023
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
બે વીડિયો લિંક :
https://www.bbc.co.uk/news/av/uk-politics-67254147
 https://www.youtube.com/watch?v=ppGSDVKO2iM

[પ્રગટ : “અખંડ આનંદ”; મે 2024; પૃ. 67-70]

Loading

હા, કેન્સર એટલે કેન્સલ નહીં પણ મહિલાઓ માટે તે સાચું નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 November 2023

ચંદુ મહેરિયા

મુખપોથી મિત્ર ડો. ઈરફાન સાથિયાએ થોડા સમય પહેલાં તેમની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “દુનિયા આખીમાં કેન્સર સામાન્ય બીમારી બની રહ્યું છે, ત્યારે મુસ્લિમ કમ્યુનિટીમાં તે દિવસે ને દિવસે જીવલેણ બનતું જઈ રહ્યું છે. મુસ્લિમોમાં કેન્સરથી થતા મોતનો આંક ચોંકાવે તે રીતે વધી રહ્યો છે.” આ વાંચીને કોઈ રોગને પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ, દેશ, પ્રદેશ સાથે સંબંધ હોઈ શકે એ વાતનું આશ્ચર્ય થયું હતું. જો કે ડોકટરરસાહેબે તેમના નિરીક્ષણના સમર્થનમાં કમ્યુનિટી મેડિસિનના અભ્યાસનો હવાલો આપ્યો હતો.

અમેરિકામાં ગોરી મહિલાઓ કરતાં કાળી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરમાં સૌથી ઘાતક ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર(ટી.એન.બી.સી.)નું પ્રમાણ વધારે હોય છે અને શ્વેત કરતાં શ્યામવર્ણની આફ્રો-અમેરિકન મહિલાઓમાં આ કેન્સરને કારણે ત્રીસેક ટકા વધુ મોત થતા હોવાનો અભ્યાસ પણ વાંચવામાં આવ્યો હતો.

તાજેતરમાં વિજ્ઞાન સંશોધન સામયિક ‘લાન્સેટ’માં પ્રગટ અધ્યયન જણાવે છે કે કેન્સર થવાનો ખતરો પુરુષોમાં વધુ હોય છે, પરંતુ કેન્સરને કારણે મહિલાઓ વધુ મરે છે. ભારત માટે તો આ અધ્યયન એવી ચિંતાજનક બાબત નોંધે છે કે ભારતીય મહિલાઓના કેન્સરને કારણે થતાં મોતમાં ૩૭ ટકા મોત સમયસર નિદાન અને સારવારના અભાવે થાય છે. ૬૭ ટકા મહિલાઓને જો સમયસર કેન્સરની તપાસ અને ઈલાજ મળ્યાં હોત તો તેમનો રોગ આગળ વધતો અટકાવી શકાયો હોત.

માનવ શરીરના કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ એટલે કેન્સર. આજે પણ અસમય મોતનાં ત્રણ કારણો પૈકીનું એક કારણ કેન્સર છે. એટલે કેન્સર એટલે કેન્સલ એમ કહેવાય છે. પરંતુ હવે સાવ એવું નથી. કેન્સરની સારવાર મોંઘી અને લાંબી છે એ ખરું પણ ઈલાજ શક્ય છે.

‘વિમેન, પાવર એન્ડ  કેન્સર’ શીર્ષક હેઠળનું ‘લાન્સેટ’નું અધ્યયન વિશ્વના ૧૮૫ દેશોના ૩૦ ‘થી ૬૯ વર્ષના લોકોના અસમય મોતના કારણો પર આધારિત છે. અભ્યાસમાં જણાવાયા પ્રમાણે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કારણોથી મહિલાઓમાં કેન્સરથી થતા મોતનું પ્રમાણ પુરુષોના મુકાબલે ઘણું વધારે છે. જો ‘લાન્સેટ’ રિપોર્ટમાં દર્શાવાયેલાં આ કારણો દૂર કરી શકાય તો ભારતમાં ૬૯ લાખ મહિલાઓના કેન્સરથી થતાં મોત રોકી શકાયાં હોત અને ૪૦.૩ લાખનો ઈલાજ થઈ શક્યો હોત.

મહિલાઓમાં સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર સવિશેષ જોવા મળે છે. કેન્સરના દર સોએ વીસ કેસ સ્તન કે બ્રેસ્ટ કેન્સરના હોય છે. તેમાંથી અડધોઅડધના મોત થાય છે. ભારતમાં દર ત્રીજી મિનિટે બ્રેસ્ટ કેન્સરનો એક કેસ નોંધાય છે અને દર છઠ્ઠી મિનિટે એક મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ૨૩ લાખ બ્રેસ્ટ કેન્સરના કેસો બન્યા હતા અને તેમાંથી ૬.૮૫ લાખના મોત થયા હતા. કેટલાક કેન્સર સાઈલન્ટ હોય છે અને છેલ્લા તબક્કામાં જ તેની જાણ થાય છે. જ્યારે બીજા કેટલાકને મટાડી શકાય છે.

ના માત્ર ભારતમાં લગભગ આખા વિશ્વમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ અને તેમની વચ્ચેની સત્તા કે શક્તિની અસમાનતા જોવા મળે છે. રોગના ઈલાજમાં પણ તે દેખાય છે.આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કારણો મહિલાઓના કેન્સરના ઈલાજની આડે આવે છે. સમાજના સત્તા સમીકરણો અને કેન્સરની તપાસ, નિદાન અને ઈલાજ સુધી મહિલાઓની પહોંચ વચ્ચે સીધો સંબંધ છે. નિર્ણય પ્રક્રિયા અને આર્થિક સત્તામાં મહિલાઓની ભાગીદારીનો અભાવ તેમને કેન્સરની સમયસર તપાસથી દૂર રાખે છે. તેને કારણે તે કેન્સરની આશંકા વર્તાય કે તરત જ તપાસ કરાવી શકતી નથી. ઘરના કામનો બોજ અને સામાજિક જવાબદારી પણ કારણભૂત છે.

કેન્સર જેવા રોગની ગંભીરતા અને ઘાતકતાની જાણકારીનો અભાવ અને ઘરના પુરુષ સભ્યોનું કે પિતૃસત્તાક સમાજનું મહિલાઓના આરોગ્ય પ્રત્યેનું ઉદાસીન વલણ પણ મહિલાઓના મોતમાં વધારા માટે જવાબદાર છે. મહિલા પોતાના રોગની સારવારનો નિર્ણય જાતે લઈ શકતી નથી અને ઘરના પુરુષ સભ્યો તેની બીમારીની ઉપેક્ષા કરે છે. નાણાંકીય સગવડનો અભાવ કે મહિલા માટે વધુ નાણાં નહીં ખર્ચવાનું વલણ પણ મહિલાઓને મોતના મુખમાં ધકેલે છે.

જેમ સ્ત્રી-પુરુષ તેમ શહેર અને ગ્રામ, અમીર ને ગરીબ, શિક્ષિત અને અશિક્ષિત જેવા ભેદ પણ કેન્સરના ઈલાજમાં જોવા મળે છે. ઘરની દીકરી માટે સરકારી શાળામાં ભણતર તેમ ઘરની મહિલાની સારવાર માટે સરકારી દવાખાનાની પસંદગી કે સારવાર બાબતે જ કુટુંબનું નિમ્ન પ્રાથમિકતાનું વલણ સાવ સહજ મનાય છે. કેન્સરની બીમારીના ઈલાજ માટે પણ મહિલાઓને સરકારી દવાખાના પર નિર્ભર રહેવું પડે છે. વળી આ સેવાઓની સ્થિતિ બદતર છે તેથી પણ મહિલાની યોગ્ય સારવાર થતી નથી. ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓમાં આરોગ્ય સંભાળની ઓછી જાણકારી હોય છે. મહિલાઓ પુરુષ ડોકટરો પાસે શરીરની તપાસ કરાવતાં સંકોચાય છે કે ગભરાય છે અને મહિલા ડોકટરોની સંખ્યા ખૂબ ઓછી છે તે પણ જવાબદાર પરિબળ છે. ઘરકામ આટોપીને કે તેને પડતું મૂકીને મહિલાઓ નજીકના નગરો કે મહાનગરોમાં સારવાર માટે જઈ શકતી નથી તેથી પણ તેમનો ઈલાજ યોગ્ય રીતે થતો નથી.

મહિલાઓમાં થતા કેન્સર અંગે વધુ સંશોધનોની પણ આવશ્યકતા છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં કેન્સરની આરંભિક અટકાવની શક્યતા ઓછી છે. તે દિશામાં સંશોધન થવું જરૂરી છે. બ્રેસ્ટ કેન્સર થવાનાં કારણો (જેનેટિક અને રિપ્રોડક્ટિવ ફેકટર) વિશે વધુ ઉંડાણપૂર્વકના અભ્યાસ-સંશોધનની જરૂરિયાત વર્તાય છે. સરકારી આરોગ્ય યોજનાઓ ગર્ભવતી અને ધાત્રી માતાઓ માટે સવિશેષ છે તેની સાથે મહિલા આરોગ્યના અન્ય પાસાં વિષે પણ યોજનાઓ ઘડાવી જોઈએ. કેન્સર જાગ્રતિના કાર્યક્રમો તથા બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી-સોનોગ્રાફીની તપાસ ગ્રામીણ વિસ્તારોમાં સુલભ બનવી જોઈએ. લિંગ ભેદ જો કેન્સરની સારવારનું મહત્ત્વનું પરિબળ હોય તો જેન્ડર એન્ડ સેક્સ ઈન્કલુઝિવ પોલિસીસ એન્ડ ગાઈડલાઈન્સ સત્વરે ઘડાવી જોઈએ.

યુનાઈટેડ કિંગડમનો ૨૦૧૯નો એક અભ્યાસ દર્શાવે છે કે દારુ બ્રેસ્ટ કેન્સરનું મુખ્ય જોખમી કારક છે, તેવી જાણ કેન્સરની તપાસ કરાવનારી ૭૯ ટકા મહિલાઓને નહોતી ! શહેરીકરણ પણ કેન્સરના કેસો વધવાનું અગત્યનું કારણ છે. પરંતુ શું આ કારણ દૂર કરવું શક્ય છે ? મેદસ્વીતા, બેઠાડું જીવન, મોડા લગ્ન, બાળકોને સ્તનપાન ના કરાવવું, ધૂમ્રપાન, દારુનું વ્યસન જેવાં કારણો પણ મહિલાઓના કેન્સરમાં મહત્ત્વના છે તે કઈ રીતે દૂર કરી શકાય તે માટો પ્રશ્ન છે.

અમેરિકામાં મહિલાઓના ઘણા કેન્સર પહેલા કે બીજા તબક્કામાં જ ઓળખી શકાય છે જ્યારે ભારતમાં એમ થઈ શકતું નથી. સરકારી કાર્યક્રમો હેઠળ માંડ ત્રીસ ટકા મહિલાઓની કેન્સરની તપાસ થઈ શકતી હોય તો તેનું પ્રમાણ વધારવાથી અને મહિલા તબીબોની કમી દૂર કરવાથી કદાચ કેન્સરની સરવારમાં રહેલો લિંગભેદ ઘટાડી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

आरएसएसः ‘भावनात्मक एकता’ के बहाने यथास्थिति कायम रखने की कोशिश

राम पुनियानी|Opinion - Opinion|3 November 2023

राम पुनियानी

वर्तमान सत्ताधारी दल सहित हिन्दू राष्ट्र की कायमी के लक्ष्य को लेकर काम करने वाली कई अन्य संस्थाओं से मिलकर बने संघ परिवार के मुखिया हैं मोहन भागवत. ये संस्थाएं शिक्षा, राजनीति, सामाजिक गतिविधियों आदि में संलग्न हैं. भागवत संघ परिवार को विजयादशमी (दशहरा) के दिन मार्गदर्शन देते हैं. विजयादशमी का यह भाषण उस बहुसंख्यकवादी हिन्दू राष्ट्रवादी राजनीति की विचारधारा और राजनैतिक एजेंडा को प्रतिबिंबित करता है, जिसका नेतृत्व संघ परिवार के हाथों में है.

इस वर्ष (2023) के 24 अक्टूबर को उन्होंने अपने भाषण में केवल शब्दों के कुछ हेरफेर के साथ ऐसी कई बातें कहीं जिन्हें द्वितीय सरसंघचालक एमएस गोलवलकर ने अपनी पुस्तक ‘बंच ऑफ थाट्स’ में निरूपित किया था. इस पुस्तक में गोलवलकर लिखते हैं, “मुस्लिम, ईसाई और कम्युनिस्ट हिन्दू राष्ट्र के लिए आंतरिक खतरा हैं”. छलपूर्ण भाषा में भागवत ने कहा कि “सांस्कृतिक मार्क्सवाद एक खुदगर्ज और धोखेबाज ताकत है जो मीडिया और शिक्षण के क्षेत्र पर नियंत्रण स्थापित कर देश को विभाजित करना चाहती है.”

उन्होंने आगे कहा, “ये शक्तियां कुछ उत्कृष्ट लक्ष्यों की प्राप्ति के लिए कार्य करने का दावा करती हैं लेकिन उनका वास्तविक लक्ष्य दुनिया की व्यवस्था एवं नैतिकता, परोपकार, संस्कृति, गरिमा और संयम को अस्त-व्यस्त करना है.” उन्होंने यह भी कहा कि, “ये विध्वंसक शक्तियां अपने आप को ‘वोक’ या मार्क्सवादी बताते हैं…विश्व की सभी सुव्यवस्था, मांगल्य, संस्कार, तथा संयम से उनका विरोध है….माध्यमों तथा अकादमियों को हाथ में लेकर देशों की शिक्षा, संस्कार, राजनीति और सामाजिक वातावरण को भ्रम एवं भ्रष्टता का शिकार बनाना उनकी कार्यशैली है.”

‘वोक’ शब्द मौजूदा दौर में सांस्कृतिक चर्चाओं के केन्द्र में रहा है. इसकी जड़ अफ्रीकी-अमेरिकियों की स्वयं को नस्लवाद के चंगुल से निकालकर समानता हासिल करने की ललक में है. यह शब्द लोकतंत्र के आगाज़ के पूर्व के तानाशाही के दौर की पितृसत्तात्मकता, नस्लवाद और वर्णों से संबंधित ऊंच-नीच द्वारा खड़ी की गई रुकावटों पर विजय हासिल करने का प्रतीक भी है.

यह कहा जा सकता है कि यह शब्द अब सारी दुनिया में प्रचलित हो गया है. यूरोप और आस्ट्रेलिया में रूढ़िवादी राजनीतिज्ञ ‘वोक’ के समावेशिता के विचार का उपहास करते हैं और इसके आधार पर लैंगिक समानता और पर्यावरण संरक्षण का विरोध करते हैं. बीबीसी की डाक्यूमेन्ट्री ‘इंडियाः द मोदी क्वेश्चन’ (मोदी के मुख्यमंत्रित्वकाल में गुजरात में हुई हिंसा पर बनी डाक्यूमेन्ट्री जिस पर भारत में पाबंदी लगा दी गई है) के बारे में टिप्पणी करते हुए आरएसएस नेता राम माधव ने ‘द इंडियन एक्सप्रेस’ में लिखा कि बीबीसी का यह ‘पतन’ ब्रिटेन के संभ्रात वर्ग में ‘वोक संस्कृति’ के उदय के कारण हुआ है. जो राम माधव यह मानते हैं कि ‘द मोदी क्वेश्चन’ का प्रसारण करने से बीबीसी का ‘पतन’ हुआ है वे ही राम माधव सरसंघचालक के ‘जड़ों’ की ओर लौटने (संक्षेप में मनुस्मृति के मूल्यों के इर्दगिर्द जाने) के आव्हान का समर्थन करते हैं और सांस्कृतिक मार्क्सवादियों पर हमारे शिक्षण संस्थानों और मीडिया पर कब्जा करने का आरोप लगाते हैं. उनके अनुसार सांस्कृतिक मार्क्सवादियों ने ऐसा आख्यान विकसित किया है जिसमें हिन्दू धर्म को उच्च जातियों की प्रभुता के रूप में परिभाषित कर हिंदुत्व और जाति या जाति प्रथा को दमनकारी और शोषक निरूपित किया गया है. माधव के अनुसार जातिगत जनगणना विभाजनकारी है.

सच यह है कि स्वाधीनता संग्राम के दिनों से ही मार्क्सवाद से प्रभावित लोग समानता के लिए सामाजिक परिवर्तन के हामी रहे हैं. भगतसिंह और उनके साथियों ने समानता की बात थी. औद्योगीकरण और शिक्षा के प्रसार के साथ प्रगतिशील ताकतों ने उस विचारधारा को उखाड़ फेंकने की वकालत की जो सामंती समाज से हमें विरासत में मिली थी और जो वर्गीय, जातिगत और लैंगिक उंचनीच पर आधारित थी. कम्युनिस्टों के अलावा, जोतीराव फुले और आंबेडकर के नेतृत्व वाली धारा ने भी उस दमनकारी व्यवस्था को चुनौती दी, जिसमें ऊंची जातियों के पुरुष दलितों और महिलाओं पर अपना प्रभुत्व जमाते थे और जिसमें पितृसत्तात्मक मूल्यों की प्रधानता थी. गांधीजी के नेतृत्व वाले स्वाधीनता आन्दोलन ने भी इन मुद्दों को उठाया और दमनकारी सामाजिक प्रथाओं के खिलाफ विद्रोह को व्यापक स्वरुप देने का प्रयास किया और उसे स्वाधीनता आन्दोलन का अभिन्न बनाया.

अभिव्यक्ति की आज़ादी के लिए संघर्ष भी स्वाधीनता आन्दोलन का अभिन्न अंग था और लोकमान्य तिलक से लेकर गाँधीजी और उनसे लेकर नेहरु तक सभी ने इसका समर्थन किया. प्रगतिशील वर्गों ने विश्वविद्यालयों में शिक्षण और लेखन व भाषणों के ज़रिए अपने विचारों को आम लोगों तक पहुँचाया.

इन लोगों ने अपनी बौद्धिक आज़ादी का उपयोग कर हमारी शिक्षा प्रणाली को प्रजातान्त्रिक नींव दी और वे जवाहरलाल नेहरु विश्वविद्यालय जैसे बौद्धिक उत्कृष्टता के केन्द्रों की स्थापना में सहायक बने. इस संस्थान ने जबरदस्त प्रतिष्ठा अर्जित की और देश को अनेक लेखक, नौकरशाह और पुलिस अधिकारी दिए. निश्चित रूप से भागवत और माधव का यह दावा सही नहीं है कि शिक्षा के केन्द्रों में घुसपैठ करने का कोई योजनाबद्ध प्रयास किया गया, जिसके चलते हम ‘अपनी जड़ों’ से दूर चले गए. उनके लिए तो पूरा स्वाधीनता संग्राम ही ‘हमारी जड़ों से दूर जाना था.”

हिन्दू राष्ट्रवादियों के इस दावे में भी कोई दम नहीं है कि मार्क्सवादियों की दृष्टि में हिन्दू धर्म का अर्थ था उच्च जातियों की प्रभुता. यह हिन्दू राष्ट्रवादियों की हमारे अतीत की सतही समझ को दर्शाता है. वे भूल जाते हैं कि आंबेडकर (चुनाव में लाभ प्राप्त करने के लिए जिनकी शान में हिन्दू राष्ट्रवादी कसीदे काढ रहे हैं) ने कहा था कि हिन्दू धर्म में ब्राह्मणवादी मूल्यों का बोलबाला है. दलितों को समानता का अधिकार न देने के प्रति कटिबद्ध कट्टरपंथी हिन्दू धर्म के सिद्धांतों से आंबेडकर इतने आहत थे कि उन्होंने न केवल सार्वजनिक रूप से मनुस्मृति का दहन किया बल्कि यह घोषणा भी की कि, “मैं हिन्दू के रूप में पैदा हुआ था. वह मेरे हाथ में नहीं था. परन्तु मैं हिन्दू के रूप में मरूंगा नहीं.” इसी कारण आंबेडकर उन ‘जड़ों’ से दूर चले गए थे, जिनका गुणगान भागवत और माधव कर रहे हैं.

वोक, जो कि सामाजिक ऊंचनीच की बेड़ियों को तोड़ देना चाहता हैं, को भागवत एंड कंपनी नीची निगाहों से देखते हैं. उदारवादी भारतीय संविधान के मूल्यों के प्रति प्रतिबद्ध रहना चाहते हैं और वे संयुक्त राष्ट्रसंघ के मानवाधिकार घोषणापत्र के मूल्यों का सम्मान करते हैं. इसके विपरीत, आरएसएस ने अत्यंत योजनाबद्ध तरीके से सरस्वती शिशु मंदिरों की श्रृंखला की स्थापना की है, जिनका पाठ्यक्रम जातिगत और लैंगिक पदक्रम का समर्थन करता है. संघ के ‘शिक्षा संस्कृति उत्थान न्यास’ ने वेंडी डोनिगर के तार्किक और विद्वतापूर्ण लेखन का विरोध किया. एक अन्य संघी संगठन ने एके रामानुजन के लेख “थ्री हंड्रेड रामायाणास’ को पाठ्यक्रम से बाहर करवाया. यह लेख हमारी विविधवर्णी संस्कृति को समझने में हमारी मदद करता है. और ये तो केवल चंद उदाहरण हैं.

उदारवादी मूल्य देश को नहीं बाँट रहे थे. वे तो पितृसत्तात्मकता और जाति प्रथा से मुक्ति की बात करते हैं. देश को जो बाँट रहा है वह है आरएसएस शाखाओं, उसके लाखों स्वयंसेवकों और हजारों प्रचारकों द्वारा किया जा रहा अल्पसंख्यक-विरोधी दुष्प्रचार. जहाँ तक मीडिया पर नियंत्रण का सवाल है, उसके बारे में जितना कहा जाए, वह कम है. सन 1977 में जनता पार्टी की सरकार में लालकृष्ण अडवाणी के सूचना और प्रसारण मंत्री बनने के बाद से आरएसएस के स्वयंसेवकों का मीडिया संस्थानों में घुसपैठ करने का जो सिलसिला शुरू हुआ था, वह अब भी जारी है. मोदी के गुजरात का मुख्यमंत्री बनने के बाद से कॉर्पोरेट घरानों ने मीडिया के एक बड़े हिस्से पर अपना नियंत्रण कायम कर लिया है और यह हिस्सा अब संघ और भाजपा का भौंपू बन गया है.

ये सभी संगठन और उनके नेता, जाति जनगणना को देश को बांटने वाला बता रहे हैं. सच यह है कि जाति जनगणना, सामाजिक न्याय की स्थापना के दिशा में कदम है. कहने की ज़रुरत नहीं कि आरएसएस, सामाजिक न्याय का घोर विरोधी है.

01/11/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/rss-is-a-staunch-opponent-of-social-justice-wants-to-maintain-discrimination-in-the-name-of-emotional-unity-article-by-ram-puniyani

Loading

...102030...913914915916...920930940...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved