શૂન્ય છું હું સાવ એકલું-અટૂલું
મને બસ શૂન્ય જ રહેવા દે,
થઈ જા તું કોઈ અંક લાખેણો
મને બસ શૂન્ય જ રહેવા દે,
વહેતું થઈશ જો હું નયનથી
તો નીતરી જઈશ તું યે પછી,
થઈ જા તું નૈનનું કાજલ ઘેરું
મને બસ ખારું અશ્રુ જ રહેવા દે,
શું થયું જો સુગંધ નથી મારી
પમરાટ તારો પણ ક્યાં રહેશે સદા,
થઈ જા તું કોઈ ફૂલ મઘમઘતું,
મને તો બસ કંકુ-ચોખા જ રહેવા દે
સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com
![]()





ગોડસેએ કોર્ટ સમક્ષ જે નિવેદન આપેલ તે આધારે નાટક ભજવાયું છે. ફિલ્મ બની છે. પણ તેમાં સત્ય નથી. ગોડસેનું નિવેદન કેટલું ખોટું અને ભ્રમ ફેલાવનારું હતું તે અંગે વિખ્યાત ઇતિહાસકાર અશોકકુમાર પાંડેયએ પુસ્તક લખ્યું છે :
ગાંધીજીની હત્યા કોઈ એક વ્યક્તિએ નહીં પરંતુ નફરત અને હિંસામાં માનનાર ‘વિકૃત વિચારધારા’ના વાહકોએ કરી હતી. ગાંધી હત્યાની તપાસ માટે 22 માર્ચ 1965ના રોજ કપૂર કમિશનની રચના થઈ હતી. આ કમિશને 30 સપ્ટેમ્બર 1969ના રોજ 770 પેજનો રિપોર્ટ આપ્યો હતો. તેમાં જણાવેલ છે કે હત્યારાઓ સાવરકરના અંધભક્તો હતા. આ રિપોર્ટ આવ્યો તેના ત્રણ વરસ પહેલા સાવરકરનું અવસાન થયેલ. ગાંધી હત્યા પાછળ હિન્દુ મહાસભા / સાવરકરની ભૂમિકા હતી. કટ્ટરપંથીઓ ‘હિન્દુ રાષ્ટ્રના સ્વપ્ન’માં ગાંધીજીને બાધારૂપ માનતા હતા. ગાંધીજીની હત્યા લાંબા સમયથી વ્યવસ્થિત બ્રેઈનવોશિંગનું પરિણામ હતી. ગાંધીજી કટ્ટરપંથીઓના રસ્તામાં કાંટો બની ગયા હતા.
વાયરલ મેસેજમાં ગાંધીજીની હત્યા માટે ‘થેંક્યું, મિસ્ટર ગોડસે‘ કહીને ડો. આંબેડકરને ટાંકીને ભ્રમ ફેલાવ્યો છે કે “કાનૂન મંત્રી ડૉ. આંબેડકરે ગોડસેના વકીલ મારફતે ગોડસેને સંદેશ મોકલેલ કે જો ગોડસે સંમત થાય તો હું ગાંધીજીની અહિંસાનાં નામે ગોડસેની ફાંસીની સજા જન્મટીપમાં ફેરવી દઈ શકું છું.” ત્યારે જેલમાંથી ગોડસેએ ડૉ. આંબેડકરને સંદેશ મોકલેલ કે, “ના હો. મહેરબાની કરીને મારી ઉપર કોઈ દયા કરવામાં ન આવે. હું એ સાબિત કરવા માંગુ છું કે, ગાંધીની અહિંસાને ફાંસી પર લટકાવવામાં આવે છે.” ડો. આંબેડકરના નામે સાવ ઉપજાવી કાઢેલી વાત ફેલાવવી તે ડો. આંબેડકરનું અપમાન છે. દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલે 23 સપ્ટેમ્બર 2025ના રોજ કહ્યું છે : “આવા જૂઠાણાથી ડૉ. આંબેડકરની પ્રતિષ્ઠાને મોટી હાનિ પહોચાડી છે. બધા જ આંબેડકરવાદીઓની લાગણી દુભાવી છે. શું આપણે માત્ર જોઈ જ રહીશું?”