Opinion Magazine
Number of visits: 9553026
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરબો : ગુજરાતી પ્રજાની સંસ્કૃતિનું સૌભાગ્ય

દીપક મહેતા|Opinion - Literature|26 September 2025

ગ્રંથયાત્રા – 15

સાતેક વર્ષની એક બાલિકા. ત્યારે થયો એને ગરબાનો પહેલો પરિચય, મુંબઈમાં, નરસિંહરાવ દીવેટિયાના બંગલાના કમ્પાઉન્ડમાં. પછી નવ-દસની ઉંમરે અમદાવાદમાં આકાશેઠ કૂવાની પોળમાં થયો વધુ પરિચય. ક્યારે રાત પડે એની એ બાલિકા રાહ જોયા કરતી. રાતે પચાસેક બહેનો ગરબો ગાય : ‘કાળી કાળી વાદળીમાં વિજળી ઝબૂકે, મેઘ કરે ઘનઘોર, ડુંગરોમાં બોલે છે મોર.’ પછી મોટપણે એ જ વ્યક્તિ લખે છે : “તે વખતે તો એ ગમી ગયેલો, આજે પણ એટલો જ ગમે છે. તે વખતે ગમે એ જ પૂરતું હતું. પણ આજે પૃથ્થક્કરણ કરું છું ત્યારે મને સમજાય છે કે શબ્દો અને એના ઢાળને કારણે હું મંત્રમુગ્ધ થઈ હતી.” પણ આટલું લખીને અટકી નથી ગઈ એ વ્યક્તિ. ગરબાનો – કાવ્યગુણો ધરાવતા ગરબાનો એક સુંદર સંચય પણ એ આપે છે. 

કલ્લોલિની હઝરત

સાતેક વર્ષની ઉંમરે જેને ગરબાનો પરિચય થયેલો, પછી ગરબાનો આ સંચય આપ્યો, એ વ્યક્તિ તે કલ્લોલિની હઝરત. અને એ સંગ્રહ તે ‘મારો ગરબો ગૂમ્યો.’ જિંદગીનાં ઘણાં વર્ષો ગરબા સાથે સંકળાવાનું થયું. માત્ર આયોજન જ નહિ, અભ્યાસ પણ કર્યો. પણ મુંબઈની ગરબા પ્રવૃત્તિ સાથે વર્ષો સુધી જોડાયેલાં રહ્યાં એટલે એમની ગરબાની પરખ પાકી થઈ. પરિણામે કુલ ૧૦૬ કવિના ગરબા આ પુસ્તકમાં એકઠા કર્યા. તેમાં નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના મધ્યકાલીન કવિઓના ગરબા છે, લોકગીતો છે, અને નર્મદથી માંડીને ઉદયન ઠક્કર સુધીના અર્વાચીન કવિઓના ગરબા છે. તેમાં ગરબાના રચયિતા તરીકે વધુ જાણીતાં હોય તેવાં નામ – અવિનાશ વ્યાસ, નિનુ મઝુમદાર, જિતુભાઈ મહેતા, વગેરે — તો છે જ, પણ જેમણે ગરબા લખ્યા હોય એવું ઝટ યાદ ન આવે તેવા કવિઓની કૃતિઓ પણ શોધી શોધીને અહીં મૂકી છે. જેમ કે, ગોવર્ધનરામ ત્રિપાઠી, અરદેશર ખબરદાર, રમણલાલ દેસાઈ, હરિશ્ચન્દ્ર ભટ્ટ, મુકુન્દરાય પારાશર્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી, ઉશનસ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, વગેરે. 

અલબત્ત, અહીં સંગ્રહાયેલી દરેક કૃતિ ગરબા તરીકે એક સરખી સફળતાથી રજૂ થઈ શકે તેમ છે એવું માનવું મુશ્કેલ છે. પરંપરાની સાથોસાથ સંપાદકની નજર પ્રયોગશીલતા તરફ પણ રહી છે. નિવેદનમાં નિખાલસતાથી કહ્યું જ છે : “આ સંગ્રહમાં કેટલીક કૃતિઓ પ્રયોગ લેખે સામેલ કરી છે, જેમાં છંદોબદ્ધ કૃતિ, ગઝલ ઈત્યાદિ પણ છે … અહીં એવી કેટલીક વિવાદાસ્પદ કૃતિઓ પસંદ કરી છે કે જેને એના રચયિતાએ સ્વપ્ને પણ ગરબા તરીકે કલ્પી ન હોય.”  ઉદાહરણ તરીકે ત્રણ કૃતિઓ લઈને તેમાં ગરબા તરીકે પ્રયોજાવાની ક્ષમતા કઈ રીતે છે તે પણ સમજાવ્યું છે. જો કે તેમની વાત ધ્યાનમાં રાખ્યા પછી પણ કેટલીક કૃતિઓની પસંદગી સાથે સહમત થવાનું થોડું મુશ્કેલ બને તેમ છે. પણ પછી વિચાર આવે છે કે આજે પશ્ચિમી સંગીતની નકલ જેવાં ફિલ્મી ગીતોને ગરબા તરીકે ખપાવવામાં આવે છે તેના કરતાં તો આવા થોડા પ્રયોગો થાય તો ખોટું નહિ.

સંપાદકે મુખ્ય અભિગમ કર્તાલક્ષી રાખ્યો છે. કોઈ પણ કવિની પાંચ કરતાં વધુ કૃતિ ન  સમાવવી એવી મર્યાદા સ્વેચ્છાએ સ્વીકારી છે. કૃતિઓને તેના કર્તાના કાલક્રમે ગોઠવી છે. પણ આટલું કર્યા પછી પસંદ કરેલી કૃતિઓમાં વિષય, ભાવ, સ્વરૂપ, સંગીત વગેરેની દૃષ્ટિએ વૈવિધ્ય જળવાય એવો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિતાની તો તાસીર જ ભક્તિપ્રધાન, એટલે તેમાં વિષય વૈવિધ્યને અવકાશ ઓછો. પણ તે પછીની કૃતિઓમાં નારીના મનોભાવો, આશા-આકાંક્ષા, મૂંઝવણ, વગેરેનું વૈવિધ્ય જોવા મળે છે. પ્રકૃતિ અને પ્રેમને કેન્દ્રમાં રાખીને રચાયેલી કૃતિઓ પણ ઠીક ઠીક પ્રમાણમાં અહીં જોવા મળે છે. સાધારણ રીતે જેના પર નજર ન પડે તેવી કેટલીક ગરબાને લાયક કૃતિઓ પણ અહીં જોવા મળે છે. જેમ કે :

વિશ્વ મેળામાં એક આ ગમેલો,

કે માનવીનો મેળો, સખી! (ઉશનસ)

ઊંડા પાતાળની હું માછલી રે લોલ,

આવી ચડી કો’ક દી’ કિનાર,

રંગ માલમજી લોલ,

હવે નઈં આવું તારા હાથમાં રે લોલ. (મકરંદ દવે)

પણ આ સંપાદન તેમાંની કાવ્ય કૃતિઓને કારણે જેટલું મહત્ત્વનું બન્યું છે તેટલું જ મહત્ત્વનું સંપાદકની વિસ્તૃત, વિશદ, અભ્યાસપૂર્ણ, પ્રસ્તાવનાને કારણે પણ બન્યું છે. આજ સુધીમાં ગરબાનાં ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જે કાંઈ ધ્યાનપાત્ર લખાયું છે તે બધાનો સંપાદકને પરિચય છે અને એ લખાણોમાંથી ઉચિત અવતરણો પણ તેમણે આપ્યાં છે. છતાં ગરબા અંગેની વિચારણામાં તેઓ બીજા કોઈને અનુસરવા કરતાં પોતાની કેડી પાડવાનું પસંદ કરે છે. ગરબો શબ્દની વ્યુત્પત્તિ શોધવાના આપણે ત્યાં જે જે પ્રયત્નો થયા છે તે બધાની અહીં નોંધ લીધી છે, પણ અંતે ડો. હરિવલ્લભ ભાયાણીના મત સાથે સંપાદક સહમત થાય છે કે આ અંગેના આજ સુધીમાં થયેલા પ્રયત્નોમાંથી કોઈ પ્રયત્ન સ્વીકાર્ય બને તેમ નથી. તો પ્રસ્તાવના ઉપરાંત બીજો એક લેખ પણ સંપાદકે અહીં મૂક્યો છે, ‘થોડુંક અંગત-બિનંગત.’ તેમાં ગરબા સાથે નાનપણથી થયેલા ઘનિષ્ઠ પરિચયનો ખ્યાલ આપ્યો છે. આ લખાણ આત્મકથન રૂપે તો મહત્ત્વનું છે જ, પણ સાથોસાથ ગરબાની વિકાસકથાના એક નકશા તરીકે પણ મહત્ત્વનું છે, કારણ ઘણા લાંબા સમયગાળા સુધી સંપાદક ગરબાની પ્રસ્તુતિ સાથે સંકળાયેલાં રહ્યાં છે. આપણે ત્યાં મહત્ત્વની સાંસ્કૃતિક બાબતો અંગેની આવી માહિતી ભાગ્યે જ સચવાયેલી જોવા મળે છે. આ લેખમાં તેમણે વાત પોતાના અનુભવોની કરી છે, પણ પોતાના ‘હું’ને બને તેટલો દૂર રાખ્યો છે, અને ગરબાને જ આગળ કર્યો છે. સંપાદન અંગેની કેટલીક ચોખવટો પણ તેમણે આ લખાણમાં કરી લીધી છે. કલ્લોલિનીબહેનનું ગરબા સાથેનું તાદાત્મ્ય અસાધારણ. વર્ષો સુધી પ્રયત્નો કરીને તેમણે ગરબાની પરંપરાને જતનપૂર્વક જાળવી, તો સાથોસાથ તેમાં નવા પ્રયોગો પણ કર્યા. પરંપરા હોય કે પ્રયોગ, તેમને મન મહત્ત્વ હંમેશાં ગરબાનું જ રહ્યું છે. સંપાદકના શબ્દો સાથે જ આ અત્યંત ઉપયોગી પુસ્તક અંગેની વાત પૂરી કરીએ : “તમે ગઈ કાલની કે આજની નારીનું ચિત્ર જરાક કલ્પી જુઓ. ચાર દીવાલની વચ્ચે એ અનેક જવાબદારીઓથી ઘેરાયેલી હોય છે, પણ એ ઘર છોડીને સમૂહમાં ગરબો ગાવા જાય છે ત્યારે અચાનક એને ગરબાની એ ક્ષણોમાં મુક્તિનો કોઈક અનોખો પ્રદેશ મળી રહે છે. એ તન્મય થઈને ગરબે ઘૂમતી હોય છે ત્યારે એ કોઈની પત્ની કે માતા હોવા છતાંયે એ કશું જ નથી. તમામ સંબંધોથી પર, એ તો છે કેવળ સ્ત્રી – પોતાના મુક્તિધામમાં મહાલતી.”

XXXXXX

26 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

राहुल गांधी से मत पूछो !

कुमार प्रशांत|Opinion - Opinion|26 September 2025

कुमार प्रशांत

राहुल गांधी ने एक अजीब-सी हवा पकड़ ली है. वे बोलते जा रहे हैं लगातार, बिना इस फिक्र के कि उन्हें कौन सुन व समझ रहा है. सत्ता की राजनीति की मुश्किल ही यह है कि यहां लोग अपनी ही प्रतिध्वनि सुनते हैं और खुश होते रहते हैं कि जमाना सुन रहा है. लेकिन राहुल गांधी के मामले में बात कुछ अलग-सी भी है. राहुल गांधी राजनीतिज्ञ हैं, तो राजनीति तो कर ही रहे हैं – वह भी सत्ता की राजनीति ! – लेकिन वे जो कह रहे हैं वह सत्ता की संकीर्ण राजनीति से अलग है. वे बोल भर नहीं रहे हैं, लोगों के बीच घुस-घुस कर बोल रहे हैं, चलते-चलते बोल रहे हैं, उनका चलना ही बोलने में बदल गया है. 

राहुल गांधी जो कह रहे हैं, हम उसे अपने आग्रहों-पूर्वाग्रहों से ऊपर उठ कर सुनें तो हम समझ पाएंगे कि वे जो कह रहे हैं, वह बात नहीं, आवाज है जिसकी प्रतिध्वनि हमारे भीतर उठनी चाहिए. यदि नहीं उठती है तो राहुल गांधी तो निश्चित ही विफल हो जाएंगे लेकिन उससे कहीं बड़ी व भयंकर बात यह होगी कि हमारा लोकतंत्र विफल हो जाएगा; संविधान व्यर्थ हो जाएगा और आजादी का वह सारा संघर्ष, जो गांधी की अंगुली पकड़ कर लड़ा गया था, अपनी अर्थवत्ता खो देगा. इसलिए मैं कह रहा हूं कि राहुल गांधी से सवाल मत पूछो. राहुल गांधी को सुनो और ख़ुद से पूछो भी और खुद को जवाब भी दो कि तुम क्या करोगे; क्या कर सकोगे और  क्या करना जरूरी है.

भारतीय राजनीति में आज राहुल गांधी यदि हमारे पुराणकालिक किसी पात्र की भूमिका से मिलती-जुलती भूमिका में दिखाई देते हैं तो वह अभिमन्यु की भूमिका है.

महाभारत की कथा बताती है कि कौरव सेनापति गुरु द्रोण ने महाभारत के 13वें दिन चक्रव्यूह की रचना की थी ताकि धर्मराज युधिष्ठिर को बंदी बना कर, युद्ध समाप्त किया जा सके. वे जानते थे कि पांडवों में केवल अर्जुन ही हैं जिन्हें चक्रव्यूह को बिखेरने की कला आती है. इसलिए उस दिन युद्ध-स्थल की संरचना ऐसी की गई थी कि अर्जुन को चक्रव्यूह से कहीं दूर, दूसरे किसी युद्ध में उलझा कर रखा जाए और इधर युधिष्ठिर को चक्रव्यूह में फंसाया जाए. खबर पांडवों तक पहुंची तो उनके खेमे में सन्नाटा छा गया : अर्जुन तो हैं नहीं लेकिन तो चक्रव्यूह सामने है ! इस चुनौती से कैसे निबटें ?  जवाब अभिमन्यु ने दिया : मैं चक्रव्यूह तोड़ कर भीतर प्रवेश करना जानता हूं. वह मैं करूंगा लेकिन मुझे उससे बाहर निकलना नहीं आता है. पांडव-महारथियों ने उसे आश्वासन दिया कि तुम चक्रव्यूह तोड़ कर भीतर प्रवेश करोगे तो हम तुम्हारे पीठ से लगे-लगे ही भीतर घुस आएंगे, और एक बार हम सब भीतर आ गए तो फिर क्या द्रोणाचार्य और क्या चक्रव्यूह, सब छिन्न-भिन्न कर देंगे.

लेकिन ऐसा हो न सका. अभिमन्यु ने चक्रव्यूह तोड़ कर भीतर प्रवेश तो कर लिया लेकिन उसके महारथी लाख कोशिश कर के भी, उसकी पीठ से लगे-लगे चक्रव्यूह के भीतर न जा सके और कौरव महारथियों ने घेर कर, निहत्थे अभिमन्यु का वध कर डाला. आज ही की तरह तब भी युद्ध में सबसे पहला बलिदान नैतिकता व शील का होता था.

राहुल संघ परिवार मार्का चक्रव्यूह में प्रवेश कर चुके हैं. अब लोकतंत्र के दूसरे महारथी नहीं आ गए तो संभव है कि महाभारत की कथा दुहराई जाए.

लोकतंत्र की शतरंज में वोट पासा होता है. यह पासा जनता के हाथ में होता है और जनता किसी के हाथ में नहीं होती है. इसलिए जनता को धर्म या जाति या रिश्ते-नाते के नाम पर या अब सीधे ही रेवड़ियां बांट कर अपनी तरफ़ करने का खेल सभी खेलते आए हैं. यह लोकतांत्रिक प्रक्रिया की आंतरिक कमजोरी है जिसका कोई रास्ता खोजना है. लेकिन राहुल गांधी जो नई बात सामने ले कर आए हैं वह लोकतांत्रिक प्रक्रिया की आंतरिक कमजोरी की बात नहीं है, लोकतांत्रिक प्रक्रिया को ‘हाइजैक’ करने की बात है; यह येनकेन प्रकारेण जनता को अपनी तरफ करने की बात नहीं है, जनता को अपने रास्ते से ही हटाने की बात है. राहुल जिसे वोट-चोरी कह रहे हैं, वह दरअसल लोकतंत्र का गला घोंटने का षड्यंत्र है. राहुल गांधी ने यह पूरा मामला जितनी खोज व तैयारी के साथ सामने लाया है उसके बाद इसकी तरफ़ से आंख मूंदना सारे देश के लिए शर्मनाक ही नहीं होगा, हमारे मुर्दा होने का भी प्रमाण होगा. एक राजनीतिक लड़ाई को उन्होंने लोकतंत्र की लड़ाई में बदल दिया है और इसलिए यह लड़ाई उन सबकी हो गई है जो लोकतंत्र को अपने जीने के एक अविभाज्य मूल्य की तरह देखते व जीते हैं.

एक बड़े पत्रकार ने उस रोज़ बड़ी तल्खी से पूछा था : बम फोड़ा तो राहुलजी ने, क्या हुआ ? फुस्स ! अब हाइड्रोजन बम की बात कर रहे हैं !!

मैं हैरान रह गया ! राहुल गांधी के पास वह बम तो है नहीं कि जिससे लाशें गिरती हैं. वे जिस बम की बात कर रहे हैं वह लोकतांत्रिक नैतिकता से जुड़ा है. अगर वह आपको छूता नहीं है तो आपको लोकतंत्र छूता नहीं है. लोकतंत्र में एक नागरिक इससे अधिक क्या कर सकता है कि वह सबको आगाह कर दिखा दे कि देखो, यहां इस तरह लोकतंत्र को विफल किया जा रहा है. इसके आगे का काम उन सबको करना चाहिए जिन्हें संविधान ने अलग-अलग भूमिकाएं सौंप रखी हैं. विधायिका है, कार्यपालिका है. न्यायपालिका और मीडिया है जिसे संविधान ने लोकतंत्र की पहरेदारी का काम दे रखा है. ये सब जब अपना काम न करें तो एक नागरिक क्या करे?

1974 की बात है. जयप्रकाश नारायण लोकतंत्र का क्षितिज बड़ा करने का संपूर्ण क्रांति का अपना आंदोलन बढ़ाते चले जा रहे थे. मांग थी कि बिहार की विधान सभा भंग की जाए व मंत्रिमंडल इस्तीफा दे. तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी ने आक्षेप उठाया कि क्या सड़क से उठ कर कोई कह दे कि विधान सभा भंग करो तो हम कर दें ? फिर लोकतांत्रिक परंपराओं का क्या होगा ? जयप्रकाश ने इंदिराजी की बात का यह सिरा पकड़ लिया और आंदोलन ने अगले कई महीने इस आक्षेप का खोखलापन उजागर करने में लगाए.

जयप्रकाश के मन में कहीं यह धुंधली-सी आशा थी कि यदि वे बड़े पैमाने आंदोलन की इस मांग के पीछे का जन-समर्थन स्थापित कर देंगे तो किसी सरकार के लिए उसकी उपेक्षा करना कठिन हो जाएगा. इसलिए हर स्तर पर उन्होंने जन-समर्थन उजागर करने वाले कार्यक्रमों का तांता लगा दिया. भारतीय लोकतंत्र में जनता की सहमति व सक्रियता का वैसा प्रदर्शन न कभी हुआ था, न फिर कभी हुआ. यहां तक हुआ कि 3 दिनों तक पूरा बिहार प्रांत बंद रहा. 3-5 अक्तूबर 1974 के दौरान हुआ बिहार बंद अकल्पनीय था. कोई नहीं था कि जिसे भरोसा था कि बग़ैर जबरदस्ती व हिंसा के ऐसा व इतना लंबा बंद करवाया जा सकता है. लेकिन वह बंद हुआ. सड़कें, दूकानें, स्कूल-कॉलेज आदि तो बंद हुए ही, रेलें भी बंद हुईं. सब हुआ और पूरी तरह लोकतांत्रिक व शांतिमय तरीकों से हुआ. देश-दुनिया का मीडिया ऐसे अभूतपूर्व बंद का गवाह बना.

लेकिन जयप्रकाश का यह बम भी उसी तरह फुस्स करार दिया गया जिस तरह राहुल का बम फुस्स करार दिया जा रहा है. 18 नवंबर 1974 को पटना के गांधी मैदान की अभूतपूर्व सभा में जयप्रकाश ने इस प्रश्न को इस तरह उठाया : “ कदम-दर-कदम कैसे चला है यह आंदोलन यह देखिए. इन सबका कोई असर नहीं. अब कौन-सी बात का असर होगा, मेरी समझ में नहीं आता है.” लोकतंत्र जिनके लिए सौदा करने की व्यवस्था नहीं, आस्था है, उनके लिए बम का मतलब कुछ अलग ही होता है. लोकतांत्रिक व्यवहार से थोड़ा भी विचलन उन्हें विचलित करता है. चुनावी हार नहीं, चुनाव की ही हार किसी लोकतांत्रिक आस्था वाले को कैसे पचे ? खेल ही बदल दिया जाए तो खेल कैसे खेला जाए ? इसलिए जनमत का हर तरह से प्रदर्शन करने के बाद भी जब सत्ता न सुनने-न देखने को तैयार हुई, तब झुंझला कर जयप्रकाश ने कहा था  कि अब इतना ही बचा है न कि मैं बच्चों से कहूं कि जाओ, और हाथ पकड़ कर इन लोगों को कुर्सी से उतार दो !

राहुल गांधी ने बात जहां पहुंचा दी है उसके आगे वे,या कोई भी नागरिक क्या कर सकता है ? विनोबा स्वयं ऐसे ही मुकाम पर 1982 में तब पहुंचे थे जब गो-हत्याबंदी की उनकी मांग पर इंदिराजी कान धरने को भी तैयारी नहीं थीं. मुंबई से ले कर दिल्ली तक हर दरवाजे पर सालों तक दस्तक देने के बाद भी जब कोई दरवाजा नहीं खुला तो विनोबा ने झुंझला कर कहा था कि इंदिरा गांधी का हाथ पकड़ कर, उन्हें कुर्सी से उतार देना चाहिए.

हाथ पकड़ कर कुर्सी से उतारने जैसी बात राहुल गांधी नहीं कह रहे हैं लेकिन आप कह रहे हैं कि बम तो फुस्स हो गया ! जब हमारी लोकतांत्रिक चेतना इतनी संवेदना शून्य हो गई हो कि उस पर किसी बात का असर ही नहीं होता है, तो कोई क्या करे ? पत्रकार राहुल गांधी से पूछते हैं कि अब आपका अगला कदम क्या होगा ? पूछना तो उनसे चाहिए न, और बताना तो उनको चाहिए न कि कल सुबह आपके अखबार का चेहरा कैसा होगा ? यह खबर कहां व कैसे प्रकाशित होगी ? चैनलों को बताना चाहिए न कि कल से इस खबर को कैसे प्रसारित किया जाएगा ? क्या कंधों पर अपना कैमरा उठाए चैनलों के लोग उन जगहों पर उतर पड़ेंगे जिनकी बात राहुल कह रहे हैं ताकि जाना व बताया जा सके कि सच क्या है ? हर अखबार व चैनल को जा कर घेरना तो चुनाव आयोग को चाहिए न कि जब आपके बारे में ऐसी गंभीर शंका पैदा हो गई है तब आप क्या करने जा रहे हैं ? हम सबको पूछना तो सर्वोच्च न्यायालय से चाहिए न कि जब राहुल गांधी इतने सारे प्रमाण के साथ वोट चोरी की बात सामने ला रहे हैं तब क्या आपको अपनी पहल से ही इस मामले की सुनवाई नहीं करनी चाहिए ?

सवाल राहुल गांधी का नहीं, सवाल उस संविधान का है जिसकी बनाई कुर्सियों पर ये सभी विराजते हैं. संविधान की रक्षा की शपथ ले कर सारे सांसद संसद के भीतर प्रवेश करते हैं. चुनाव आयोग उसी संविधान की शपथ लेता है और न्यायाधीश उसी संविधान के प्रति अपनी प्रतिबद्धता जाहिर करते हैं. तो यह असामान्य घड़ी है कि हम सबके अस्तित्व का आधार संविधान ही धुंधलके में घिर रहा है. यह अकेले राहुल गांधी की जिम्मेवारी कैसे हो सकती है कि वे संविधान की रक्षा करें अौर बाकी सब संविधान पर चोट करें; याकि इसका उल्टा हो रहा हो, तो भी अदालत को या संसद को या चुनाव आयोग को आगे आना तो होगा.

कोई पूछ रहा है कि जब हालत इतनी खराब हो गई तब आप बोल रहे हैं, पहले क्यों नहीं बोले ? कोई कह रहा है को वोट चोरी की बात अब कमजोर पड़ती जा रही है. पहले नहीं बोले तो क्या अब भी नहीं बोलें ? यह कोई तर्क हुआ ? क्या पत्रकारों को और एंकरों को कभी पता चला था कि इस तरह वोट चोरी हो रही है? किसी को नहीं पता था की सरकार वि आयोग की मिलीभगत से ऐसा हो सकता है. अब राहुल को भी पता चला है और सबको पता चल चुका है. अब जाकर यदि वोट चोरी की बात कमजोर पड़ती जा रही है तो इससे हमें खुश होना चाहिए या दुखी ? यह बात गलत साबित हो तो हम राहत की सांस लें या फिर इसकी जड़ तक पहुंचने का आज का सिलसिला बना रहे, इसकी सावधानी हमें रखनी चाहिए. यह कांग्रेस का सवाल नहीं है, यह भाजपा की चिंता का विषय भी होना चाहिए. लेकिन भाजपा ने चोर-चोर मौसेरे भाई जैसा रवैया रखा है.

लोकतंत्र एक मूल्य है जिसमें से हमारे नागरिक होने याकि आदमी होने के अनेक मूल्य निकलते हैं. हम किसी भी पार्टी के हों या किसी के भी भक्त या अंधभक्त हों, अंधे तो न हों ! 

(26.09.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ઝુબીન જુબાન હતો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 September 2025

રવીન્દ્ર પારેખ

દુનિયાનો આ ચોથો બનાવ હતો, જેમાં લોકો તેની ગમતી વ્યક્તિને આટલી મોટી સંખ્યામાં આખરી વિદાય આપવા આંસુ સારતી આંખે આસામમાં એકઠા થયા હોય ! ‘યા અલી’થી હિન્દી ફિલ્મ ગાયકીમાં વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવનાર ઝુબીન ગર્ગ હવે લોકો વચ્ચે નથી. એક અકસ્માતે આ પોપ ગાયક અને વધારે તો લોકગાયકને ભારતની વચ્ચેથી છીનવી લીધો છે. કંજૂસ જિંદગીએ ઝુબીનને 52 વર્ષ જ આપ્યાં, પણ એટલામાં ઝુબીને 40 જેટલી ભાષાઓમાં 40,000થી વધુ ગીતો ગાયાં, ફિલ્મોમાં અભિનય કર્યો, સંગીત આપ્યું ને અનેક સ્ટેજ શો કરી ગીતોને લોકોનાં બનાવ્યાં. ઝુબીન જુબાન હતો લોકોની અને લોકો તેની જુબાન બોલતા હતા. આવું કોઈ લોકપ્રિય ન હોય તો શક્ય જ નથી !

ઝુબીનનું જ્ન્મ નામ ઝુબીન બોરઠાકુર. જન્મ મેઘાલયના તુરામાં, 18 નવેમ્બર, 1972ને રોજ, આસામી બ્રાહ્મણ પરિવારમાં. પિતા મોહિની મોહન મેજિસ્ટ્રેટ હતા અને કપિલ ઠાકુરને નામે કવિ તરીકે જાણીતા હતા. માતા ઇલી બોરઠાકુર ગાયિકા હતી. સિવિલ સર્વિસ ઓફિસર તરીકે પિતાની વારંવાર બદલીઓ થતી રહેતી, એટલે ઝુબીનનું બાળપણ ઘણુંખરું પરિવાર સાથે વીત્યું ને ત્રણેક ભાષાઓમાં તેમનું પ્રારંભિક શિક્ષણ થયું. તામુલપુર ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી બોર્ડની પરીક્ષા પાસ કરી અને 1990થી 1992 દરમિયાન જે.બી. કોલેજ અને કરીમગંજ કોલેજમાં વિજ્ઞાનના વિદ્યાર્થી રહ્યા, પણ સંગીત તરફના ઝુકાવને કારણે અભ્યાસમાં ધ્યાન પહોંચ્યું નહીં.

માતા ગાયિકા હતી એટલે ઝુબીને ત્રણ વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધેલું. વર્ષો સુધી પંડિત રોબીન બેનરજી પાસે તબલાં શીખ્યાં. રમણી રાયે તેમને લોકસંગીતનો પરિચય કરાવ્યો. એ જ કારણ છે કે પોપગાયક હોવા છતાં તેઓ લોકગાયક પણ રહ્યા. 1992માં યોજાયેલા યુવા મહોત્સવમાં સોલો પરફોર્મન્સ માટે ગર્ગને સુવર્ણ ચંદ્રક મળ્યો, તે પછી તેમણે ગાયકીને વ્યાવસાયિક પ્રવૃત્તિ તરીકે વિકસાવી. આસામી ‘અનામિકા’ તેમનું પહેલું આલબમ 1992નાં નવેમ્બરમાં આવ્યું. તે પછી તો ‘ક્ષોપુનુર ઝુર’, ‘માયા’, ‘આશા’ જેવાં ઘણાં આલબમ આવ્યાં. ગર્ગે પહેલો બિહુ આલબમ પણ ‘ઉજન પિરીતી’ 1995માં રજૂ કર્યો. તે પછી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો. સંગીતનું સબળ પાસું હોવાને કારણે બહુ સ્ટ્રગલ કરવાની ન આવી ને મુંબઈથી પહેલું ઈન્ડી પોપ સોલો આલબમ ‘ચાંદની રાત’થી શરૂઆત કરી. તે પછી હિન્દી આલબમ અને રિમિક્સ ‘ચંદા’, શ્રદ્ધાંજલિ’ 1-2-૩, ‘જલવા’, ‘જાદુ’, ‘સ્પર્શ’ વગેરે રેકોર્ડ કર્યાં. રેકોર્ડિંગ સંદર્ભે પણ ભાવ અને ભાવનાનો મહિમા એમણે કર્યો છે. દર વર્ષે 800થી વધુ ગીતો એમણે રેકોર્ડ કર્યાં છે, એટલું જ નહીં, એક રાતે તો 36 ગીતો રેકોર્ડ કર્યાં છે. સંગીતને સમર્પિત આવા કલાકારને 55માં રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ, 2009માં નોન-ફીચર ફિલ્મ ‘ઇકોઝ ઓફ સાઇલન્સ’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો પુરસ્કાર મળે તેમાં નવાઈ નથી. વિજ્ઞાન શાખામાં તો ગર્ગ ભણી ન શક્યા, પણ મેઘાલયની વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીએ તેમને ડોક્ટર ઓફ લિટરેચર(ડિ.લિટ.)ની પદવી એનાયત કરી.

ઝુબીન ગર્ગ

એ ઉપરાંત ‘ગદ્દાર’, ‘દિલ સે’, ‘ડોલી સજા કે રખના’, ‘ફિઝા’, ‘કાંટે’ જેવી હિન્દી ફિલ્મોમાં ગાયું હતું. ‘ગેંગસ્ટર’ ફિલ્મ ઝુબીનને ઘણી ફળી. તેમાંના ‘યા અલી’ ગીત માટે તેમને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ (GIFA) મળ્યો. અસમિયા ફિલ્મો ઉપરાંત બંગાળી ફિલ્મોમાં તેમણે ગાયું અને સંગીત નિર્દેશન પણ કર્યું. ‘પ્રેમી’ નામક ફિલ્મમાં ‘ઓ બોંધુ રે’, ‘લગેના ભાલો’ ગીતો ઠીક ઠીક લોકપ્રિય પણ થયાં. ગર્ગની કારકિર્દી ગાયન પૂરતી જ સીમિત ન હતી. 2000માં ‘તુમી મોર માથો મોર’, ‘કાંચનજંઘા’ જેવી અસમિયા ફિલ્મમાં દિગ્દર્શનની જવાબદારી પણ તેમણે સંભાળી હતી.

ઝુબીન ગર્ગ ફિલ્મમાં ગાયન પૂરતાં જ સક્રિય હોત, તો તેમની લોકપ્રિયતા આટલી ન હોત. માઈકલ જેક્સન કરતાં પણ વધુ લોકો (15 લાખથી વધુ) ઝુબીનની અંતિમ વિધિમાં ઊમટી પડ્યા ને તે પણ કોઈના કહ્યા વગર ! આસામ આખું આંસુ થઇ ગયું કે લોકોએ કલાકારના માનમાં સ્વૈચ્છિક બંધ પાળ્યો તેમાં ગર્ગે કરેલા ‘બિહુ’ કાર્યક્રમો કે ઉત્સવોમાં આપેલા બેબાક જાહેર કાર્યક્રમોએ વધુ ભાગ ભજવ્યો છે. તેમને અસમિયા, બંગાળી, હિન્દી તેમ જ અન્ય ભાષામાં ગાયેલાં ગીતોએ લોકપ્રિય કર્યાં છે. ગાયન માટેનો તેમનો સમર્પિત ભાવ પૂજાની કક્ષાનો હતો. આર્થિક ઉપાર્જનનો હેતુ અલબત્ત ! હતો જ, પણ લોકલાગણી, તેમને લોકો માટેની લાગણીને કારણે પણ મળી છે. 2002માં ગરિમા સૈકિયા સાથે લગ્ન તો કર્યાં, પણ એ બન્નેએ જવાબદારી અન્યનાં સંતાનોની ઉપાડી છે.

ગર્ગ સખાવતી કાર્યોમાં સક્રિય રહ્યા છે, તો બ્રાહ્મણી ને ધાર્મિક વિવાદોમાં પણ ફસાયા છે. આસામમાં CAA વિરોધ સંદર્ભે ગર્ગ બિન રાજકીય પ્રદર્શનમાં કેન્દ્રમાં રહ્યા. ગર્ગ રાજકારણમાં સક્રિય ન હતા, પણ તેમને રાજકારણ સંદર્ભે સ્પષ્ટ અને તીવ્ર મત હતા. તેઓ ચૂંટણીનાં ગીતો લખી આપે તો મંત્રીઓની મજાક કરવાનું પણ ન ચૂકે. જાતિ, ધર્મ અંગે તેમને પોતીકો મત હતો ને તે પણ સ્પષ્ટ ! સાધારણ રીતે ખુશામત આજે સહજ છે, એ સમયમાં ‘યા અલી’ની વૈશ્વિક સફળતા પછી પણ, કોઈ પરવા કર્યા વગર ઝુબીન વર્તે છે. મુંબઈમાં સફળ રહ્યા પછી નથી ફાવતું તો મુંબઈ છોડીને પરત ફરે છે. કલાકારો કામને માટે નગર છોડીને મુંબઈ દોડતા હોય છે, ત્યારે ઝુબીન જામેલો ધંધો છોડીને આસામ આવી રહે છે. ગર્ગ વેચાઉ નથી ને તેમને માટે સ્વમાન કરતાં કોઈ મોટું માન નથી.

આવો એક સ્પષ્ટ સંગીત સારસ્વત, સિંગાપોર નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલમાં 19 સપ્ટેમ્બરે પરફોર્મ કરવા પહોંચે છે ને પરફોર્મ કરે એ પહેલાં એ જ દિવસે સ્કૂબા ડાઈવિંગ દરમિયાન શ્વાસની તકલીફ અનુભવે છે. સિંગાપોર પોલીસ દરિયામાંથી તો તેમને બચાવે છે, પણ ડોકટરો બચાવી શકતા નથી.

 ઝુબીન ગર્ગ મૃત્યુ પામે છે.

 આ સમાચારે સાવ અણધારી રીતે આખું વિશ્વ આઘાતમાં સરી પડે છે. તેમની એક ફિલ્મ ‘રોઈ રોઈ બિન લે’ 31 ઓક્ટોબરે હજી તો રિલીઝ થવાની હતી ને ગર્ગ હવે નથી. આસામી ફિલ્મ ઉદ્યોગને સજીવ રાખવા તેમણે ઘણી ફિલ્મો બનાવવાનું નક્કી કરેલું. હવે એ કામ અધૂરું રહેવાનું. અનેક ક્ષેત્રોમાંથી વિશ્વભરની અંજલિઓ વરસે છે …

આસામના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને સિંચાઈ મંત્રી અશોક સિંઘલ ગર્ગના નિધન પર શોક વ્યક્ત કરે છે – તેમનાં નિધનથી એવો ખાલીપો પડ્યો છે કે તે ક્યારે ય ભરાશે નહીં. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, પ્રધાન મંત્રીના પ્રતિનિધિ તરીકે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ જેવા ઘણાં મંત્રીઓ અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા ને દિવંગતને ભાવભરી અંજલિઓ અર્પી.

રાષ્ટ્રીય સન્માન સાથે ઝુબીન ગર્ગનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ને આસામના મુખ્ય મંત્રીએ ગર્ગની સ્મૃતિઓ સચવાઈ રહે એવાં સ્મારક રચવાની જાહેરાત પણ કરી. ચાર દિવસનો શોક સરકારે જાહેર કર્યો. ગર્ગનાં અંતિમ દર્શન માટે લોકો 10-15 કિલોમીટર ચાલીને આવતા હતા. ગર્ગનું એક ગીત ‘માયાવિની’ જાણીતું અને ગર્ગનું પોતાનું માનીતું હતું, તેમણે ચાહકોને કહ્યું હતું કે પોતે જગતથી વિદાય લે ત્યારે એ ગીત ગાય ને સૌ ભીની આંખે એ ગીત ગાતાં પણ હતાં. અંત્યેષ્ટિ પહેલાં ઝુબીનના પદચિહ્નો કલાકાર દિગંતા ભારતીએ લીધાં. આ પગલું ભવિષ્યની કલાકાર પેઢીને ક્યાંક જોડી રાખે એમ બને.

એ સાથે જ ઝુબીનનાં આકસ્મિક મૃત્યુએ વિવાદ પણ ખડો કર્યો છે. ઝુબીનના અંતિમ વીડિયોમાં એવું કશું શંકાસ્પદ જણાતું નથી, પણ તેનું બબ્બે વખત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એ મુદ્દે ચર્ચા છે. સિંગાપોરમાં થયેલાં પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ પાણીમાં ડૂબવાથી બતાવ્યું છે, તો સવાલ એ છે કે આસામમાં ફરી પોસ્ટમોર્ટમ કેમ કરવામાં આવ્યું? ઝુબીને લાઈફ સેવિંગ જેકેટ પહેર્યું હતું, તો એવું શું થયું કે તેમણે એ જેકેટ ઉતારી દીધું? એ તો સમજ્યા, પણ ઝુબીનના નજીકના મિત્ર સિદ્ધાર્થ અને અન્યો સામે ફરિયાદ થતાં ઝુબીનની પત્ની ગરિમાએ વિનંતીઓ કરવી પડી કે ફરિયાદો પાછી ખેંચીને સિદ્ધાર્થને અંતિમ વિધિમાં જોડાવા દો. તપાસ સી.આઈ.ડી., સી.બી.આઈ.ને સોંપવાના ચક્રો પણ ગતિમાન થયાં છે. આસામના મુખ્ય મંત્રીએ સીટની રચનાની પણ જાહેરાત કરી છે. વિસેરાના નમૂના તપાસ માટે કેન્દ્રીય ફોરેન્સિક લેબ, દિલ્હી મોકલવાના આદેશ પણ અપાઈ ચૂક્યા છે.

આ બધાં પછી પણ ઝુબીન પરત આવે એમ નથી. તેઓ જે રીતે ગયા છે, એ રીતે કયો કલાકાર જતો હશે, નથી ખબર ! છેલ્લે, ઝુબીનની જ આ પંક્તિઓ વધારે પ્રસ્તુત લાગે છે:

સોચા નહીં થા તકદીર યહાં લાયેગી,

મંઝીલ પે આતે હી જાન ચલી જાયેગી …

કોણે વિચારેલું કે તકદીર સિંગાપોર લઇ જશે ને ‘મંઝીલ પર આતે હી ….’

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 સપ્ટેમ્બર 2025

Loading

...102030...81828384...90100110...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved