Opinion Magazine
Number of visits: 9741579
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીનો સૌથી મજબૂત સ્તંભ એવી જનતા ક્યારે જાગૃત થશે?

હિતેશ રાઠોડ|Opinion - Opinion|17 May 2024

આપણે ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે જનતા એટલે કે મતદારો હવે જાગૃત થઈ ચૂક્યા છે, પરંતુ આપણા મત થકી જે સરકારો ચૂંટાઈને આવે છે (અથવા કહો કે આપણે એમને ચૂંટીએ છીએ) અને ચૂંટાયા પછી એ સરકારો જે રીતે કામ કરે છે અને ચૂંટાયા પછી જે રીતે પ્રજાને પીડે છે એ જોતા સહેજે પ્રશ્ન થાય કે શું ‘જાગૃત મતદારો’એ એવી સરકારોને ચૂંટી છે જેને હૈયે પ્રજાનું હિત જરા ય નથી? જો જનતા કે મતદારો પ્રજાહિતને નજરઅંદાજ કરતી સરકારોને ચૂંટીને મોકલતા હોય તો મતદારોની જાગૃતતા પર સવાલ થઈ શકે છે. જો જાગૃત મતદારોએ સરકારને ચૂંટીને મોકલી છે તો ચૂંટણી પહેલા જનતાને પીડતા પ્રશ્નોને ભૂલી જઈ બીજી આડી-અવળી બાબતો પર જૂઠા-લોભામણા વચનો, વાયદાઓ, અને આંબા-આંબલી દેખાડી, ભ્રમિત વિધાનો અને આંકડાની માયાજાળામાં મતદારોને ફસાવી મતદારોના મત અંકે કરી લેતી સરકારો ચૂંટાયા પછી શા માટે પ્રજાના હિતમાં કામ કરતી નથી. પ્રજાનો ઉપયોગ તો ફક્ત મત મેળવવા માટે જ કરવામાં આવી રહ્યો હોય એવા દૃશ્યો ચૂંટણી પછી સામાન્ય બનતા જઈ રહ્યા છે.

તો પ્રશ્ન તો ઠેરનો ઠેર જ છે કે જનતા હજી ખરા અર્થમાં જાગૃત થઈ નથી. જો જાગૃત જનતા દ્વારા સરકારો ચૂંટાઈ આવતી હોય તો પ્રજા સરકારો અને તેમના નેતાઓથી એટલી બધી પરેશાન ના હોત. જનતા કોને ચૂંટે છે માત્ર એટલું જ મહત્ત્વનું નથી ક્યા પક્ષને ચૂંટે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. પણ લાગે છે કે પક્ષીય લોકશાહીની બાબતમાં જનતા હજી જાગૃત નથી. જનતા લોકશાહી અને પક્ષીય લોકશાહી વચ્ચેનો ભેદ સમજતી નથી. રાજકીય પક્ષો શું કરે છે, તેઓ તેમના પક્ષની અંદર લોકશાહીનાં મૂલ્યોને કેટલું માન આપે છે, તેમના ઉદ્દેશો શું છે, તેમની દેખીતી અને ગર્ભિત પ્રવૃત્તિઓ શું છે, કેવા અને ક્યા લોકો તેની અંદર સભ્યો છે, સત્તા મેળવવા પાછળના તેમના દેખીતા અને ગુપ્ત હેતુઓ શું છે, ખરેખર તેઓ કોના હિત માટે કામ કરે છે, તેમના નાણાંકીય સ્રોત શું છે વગેરે જેવી મહત્ત્વપૂર્ણ બાબતોથી જનતા સાવ અજાણ છે અથવા તો ઈરાદાપૂર્વક જનતાને અજાણ રાખવામાં આવતી હોય છે, અન્યથા રાજકીય પક્ષોને અમુક મહત્ત્વપૂર્ણ કાયદાઓ ઈરાદાપૂર્વક લાગુ ન પડવા દેવા માટે કોઈ કારણ હોઈ શકે નહીં.

આવું એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને પ્રજા પક્ષીય નેતાઓના જૂઠા વચનો અને વાયદાઓ પર આસાનીથી વિશ્વાસ મૂકી ચૂંટણીમાં એમને મત આપે. ભારતના રાજકીય પક્ષોના બંધારણ, સભ્યો, ઉદ્દેશો અને કામગીરી વિશે કેટલા લોકો જાણે છે એ એક બહુ મોટો પ્રશ્ન છે. મતદારોને ફ્કત ઉમેદવાર વિશે જ નહિ, પરંતુ ઉમેદવાર જે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એ પક્ષ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવવાનો અધિકાર હોવો જોઈએ.

દેખીતી રીતે જાગૃત જણાતી જનતાએ હજી બીજી ઘણી બધી બાબતોમાં જાગૃત થવાનું બાકી છે. સામૂહિક હિતની વાત આવે ત્યારે જનતામાં હજી જોઈએ એટલી જાગૃતિ દેખાતી નથી. પાયાની બાબતો પ્રત્યે મતદારોમાં વ્યાપક જાગરૂકતા અને રાજનીતિક પરિપકવતા હજી પણ ચિંતાનો વિષય છે. મતદારો માત્ર પોતાના વ્યક્તિગત હિતો કે સંકુચિત સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ મત આપતા હોય છે જેનો પૂરેપૂરો ફાયદો રાજકીય પક્ષો ઉઠાવતા હોય છે. મત મત આપતી વખતે જનતા આગળ-પાછળનો બહુ વિચાર કરતી નથી. મોટા ભાગે તો ક્ષણિક ઉન્માદમાં આવી જઈ લોભામણા કે જુઠ્ઠા વચનો અને વાયદાઓની ભરમાર તથા ટૂંકા-ગાળાના ક્ષુલ્લક ફાયદાને ધ્યાનમાં રાખી કોઈ એક પક્ષના ઉમેદવારનું બટન દબાવવાનું જનતાનું વલણ રહેતું હોય છે. વળી, સત્તાધીશોની મહેરબાનીથી જનતા પાસે સારી વ્યક્તિને ચૂંટી કાઢવા માટેના વિકલ્પો પણ બહુ મર્યાદિત હોય છે. ચૂંટણીમાં ઊભા રહેતા મોટા ભાગના ઉમેદવારો જ્યારે મેલી મથરાવટી ધરાવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ઓછી ખરાબ વ્યક્તિને ચૂંટવા સિવાય જનતા પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જો કે આવી પરિસ્થિતિ ઊભી થવા માટે પણ છેવટે તો જનતા જ જવાબદાર છે. રાજકીય પક્ષો શું કરે છે, તેમના ઉદ્દેશો શું છે, તેમની દેખીતી અને ગર્ભિત પ્રવૃત્તિઓ શું છે, કેવા અને ક્યા લોકો તેના સભ્યો છે, સત્તા મેળવવા પાછળના તેમના ગુપ્ત હેતુઓ શું છે, ખરેખર તેઓ કોના હિત માટે કામ કરે છે વગેરે જેવી બાબતોથી જનતા સહેજે ય જાગૃત નથી.

મતદારોએ હવે એ વિચારવું જોઈએ કે મતો મેળવી લીધા પછી શા માટે આમ જનતાના હિતમાં ન હોય એવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે, મત લઈ લીધા પછી શા માટે આમ જનતાના ખિસ્સા ખાલી થાય (અને નેતાઓના ખિસ્સા ભરાય) એવા નીતિ-નિયમો અને કાયદાઓ સરકાર દ્વારા ઘડવામાં આવે છે (કોના લાભ માટે), શા માટે ચૂંટણી પહેલા ભાવમાં નજીવો ઘટાડો અને ચૂંટણી પરિણામો પછી તરત જ ભાવોમાં ધરખમ વધારો થવા લાગે છે (કોના લાભ માટે?), ચૂંટાઈને આવતા નેતાઓના પોતાના વ્યક્તિગત લાભની વાત હોય ત્યારે રાતોરાત બધું પાસ થઈ જાય છે અને પ્રજા-હિતની કે પ્રજાને લાભ આપવાની વાત હોય ત્યારે શા માટે વર્ષોનાં વર્ષો લાગે છે, ચૂંટણી ટાણે આપેલ વચનો કેટલા પાળી બતાવ્યા, આ બધી એવી બાબતો છે જેના વિશે જનતા ક્યારે ય વિચારતી જ નથી, જેનો ભરપૂર ફાયદો ચૂંટાઈને આવતા નેતાઓ લેતા હોય છે. માત્ર નજીવો વ્યક્તિગત ફાયદો લઈને ખોટા ઉમેદવારને મત આપી દેતી જનતા પછીનાં પાંચ વર્ષ બાપડી-બિચારી બની જતી હોય છે અને જાણે-અજાને બીજાઓનું પણ અહિત કરતી હોય છે. નેતાઓ અને રાજકીય પક્ષોના પાપે અને અણઆવડતને લીધે પ્રજાએ શા માટે ભોગવવું જોઈએ એવો વિચાર જનતાને ક્યારે ય આવતો નથી.

મત આપતી વખતે ઉપરમાંથી એકેય બાબતનો જનતા ભાગ્યે જ વિચાર કરતી હોય છે. પરિણામે એવા ઉમેદવારો ચૂંટાઈ આવે છે જેઓ ચૂંટાયા પછી જનતાને નહિ પણ પોતાના પક્ષને વધુ વફાદાર રહેતા હોય છે. યાદ રહે કે આમ જનતા માટે તેમણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિનું મહત્ત્વ વધારે હોય છે નહિ કે એ પ્રતિનિધિના રાજકીય પક્ષનું. જનતાનો અવાજ તેમણે ચૂંટેલ પ્રતિનિધિ રજૂ કરતો હોય છે, નહિ કે કોઈ રાજકીય પક્ષ. રાજ્યની વિધાનસભાઓમાં જનતાએ ચૂંટીને મોકલેલ જનપ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો કેવા અને  કેટલા સચોટ રીતે વિધાનસભામાં રજૂ કરે છે તેમ જ એ પ્રશ્નો પ્રત્યે સરકાર કેટલી ગંભીર છે એ જોવાની તસ્દી જનતા ક્યારે ય લેતી નથી. વિધાનસભાની કાર્યવાહી જનતાને જાણવાનો અધિકાર નથી એ રીતે વર્તતા જનપ્રતિનિધિઓને જનતાએ શા માટે વિધાનસભામાં મોકલવા જોઈએ. રાજકીય પક્ષ કે એમાં રહેલા નેતાઓ ગમે તેટલા મહાન હોય તો પણ તેઓ આમ જનતાથી ઉપર નથી એટલી સાદી સમજણ જનતામાં નથી તો પછી એ જનતાને જાગૃત કહેવી કે કેમ એ અંગે વિચારવું રહ્યું.

ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

ત્રણ જ અઠવાડિયાંને અંતરે કોમી મુદ્દે જુદી જુદી વાતઃ ઘોડો ક્યાં ને તબેલો ક્યાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|17 May 2024

ભલે આ ‘ડેમેજ ક્ન્ટ્રોલ‘ની કોશિશ ને કારવાઈ હોય, કે પછી પાછલા દોરમાં મતદાનની રુખ પોતાની તરફેણમાં સુધરી રહ્યાની ગણતરીએ ડાહ્યા દેખાવાનો ખયાલ હોય; પણ કોમી પેચપવિત્રાને રુખસદ અપાય એથી રૂડું શું.

પ્રકાશ ન. શાહ

બે રીતે જોઈ શકો તમે એને. કાં તો એ ઘોડાને ધરાર ભાગી છૂટવાની સોઈ આપ્યા પછી તબેલે તાળું દેવાની નકો નકો ડેમેજ કન્ટ્રોલ કોશિશ છે કે પછી ઘટતા શોર ને વળી ગાજાવાજા સાથે એક ઓર પ્રતિમાનિખાર પેરવી છે.

પહેલાં પેલા જે ઘોડાને ધરાર છૂટા મેલાયા હતા એની વાત. એ 21મી એપ્રિલ હતી ને ભા.જ.પ.ના સ્ટાર પ્રચારક વડા પ્રધાન મોદી એ દિવસે બાંસવાડામાં પ્રચારભાષણ કરતે કરતે રણરંગમાં તો ઠીક પણ રંગમાં જરૂર આવી ગયા હતા. એમણે સુજ્ઞ શ્રોતાજનોને અજબ જેવી માસુમિયતથી ચેતવ્યા હતા કે કાઁગ્રેસ તમારી વારસાગત સંપત્તિ લઈ લેશે અને વહેંચી મારશે. ‘કોને’ એવું પુછાય તે પહેલાં એમણે ખુલાસો કર્યો હતો કે ‘પેલાઓ’ને, જે વધારે છોકરા પેદા કરે છે, ઘૂસપેઠિયા છે, એમને – એટલે કે મુસલમાનોને. સ્ત્રીવર્ગને ચેતવી હતી કે તમારાં મંગલસૂત્ર જઈ રહ્યાં છે. (આગળ ચાલતાં, અન્ય કોઈ સ્થળે કિસાનોને એમની ‘ભેંસ’ લઈ વહેંચી દેવાશે તે વિશે પણ સાવચેત કર્યા હતા.)

કેમ કે સીધા પ્રસારણનો જમાનો છે, દેશ આખો આ ધન્ય ઉદ્દગારો જોતો સાંભળતો હતોઃ ચૂંટણીપંચ ચાહે તો આચારસંહિતાને ધોરણે (કોમી ઉશ્કેરણીના મુદ્દે) તત્કાળ સુઓમોટો કારવાઈ લાયક કેસ બનતો હતો. પણ આપણી આ સ્થિરમતિ સંસ્થા ખાસા ચારપાંચ દિવસે હાલી – અને હાલી ત્યારે વળી એવી હાલી કે એણે વડા પ્રધાનને નહીં પણ પક્ષપ્રમુખને ખુલાસો પૂછ્યો!

બાંસવાડા ભાષણને ખાસાં ત્રણ અઠવાડિયાં (અને લટકામાં એક-બે દહાડા) વીતી ગયાં પછી મંગળવાર (14મી મે) એ વારાણસીમાં ઉમેદવારી પત્ર ભરવાનું હતું એની સાથે જુગલબંધી સરખી બે ઘટના બનીઃ પક્ષપ્રમુખ નડ્ડાએ ચૂંટણીપંચને લાંઆંઆંબી તપાસ પછી જણાવ્યું કે વડા પ્રધાને કોઈ કોમી ઉશ્કેરણીની તકરીર કરી જ નથી .. ઊલટાનું, કાઁગ્રેસે પોતાના ઢંઢેરામાં મુસ્લિમ લીગવાળી કરી છે. તે સાથે મંગળવારે જ ન્યૂસ 18એ વડા પ્રધાન સાથેની મુલાકાત પ્રસારિત કરી જેમાં એમણે કહ્યું કે હું કદી રાજકારણમાં હિન્દુ-મુસ્લિમવાળી કરતો નથી. એવું કરું તો હું જાહેર જીવન સારુ ગેરલાયક ગણાઉં. એવું ન કરવું એ જ મારો સંકલ્પ છે.

ખબર નથી, આ સમાચારમાંથી પસાર થતાં કોઈ કોઈ વાચકોને ગુજરાતના મુખ્ય મંત્રીના સપ્ટેમ્બર 2002ના બહુચર્ચિત ઉદ્દગારો યાદ આવ્યા હશે કે કેમ. ત્યારે એમણે ગૌરવયાત્રા કાઢી હતી. કોનું ને શેનું ગૌરવ તે જિજ્ઞાસુઓને સમજાયું નહોતું પણ એમાં નેતૃત્વનો વાંક નહીં કાઢી શકાય. સવાલ આપણી સમજની પહોંચ કે મર્યાદાનો, ખરેખર તો પહોંચની મર્યાદાનો છે. ખેર, સપ્ટેમ્બર 2002ના ત્રીજા અઠવાડિયામાં ગૌરવ યાત્રા બેચરાજી પહોંચી ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી રાહત છાવણીઓ પર અક્ષરશઃ ઉડ્યા હતા – અમારે શેને માટે આવા કેમ્પ ચલાવવા? ‘અમે પાંચ અને અમારા પચીસ’ માટે? ગોધરા-અનુગોધરા એ નિઃશાસન અને દુઃશાસનનો દુર્દૈવ દોર હતો. જેમણે આશરો લેવો પડ્યો એમને અંગે આ પ્રકારના ઉદ્દગાર તત્કાલીન વડા પ્રધાન વાજપેયીની ‘રાજધર્મ-શીખ’થી વિપરીત હતા. જો કે, પછી જાહેર ખુલાસો આવી પડ્યો હતો કે મુખ્ય મંત્રી કુટુંબનિયોજનની જરૂરત પર ભાર મૂકવા માગતા હતા.

બાંસવાડા ભાષણ વખતે એવું લાગતું તું કે મતદાન સત્તાપક્ષ તરફે થાય તે માટે પ્રચારઝુંબેશને કોમી મરોડ આપવો અનિવાર્ય લાગ્યું હશે. હવે એવી આશા રાખી શકાય અગર કલ્પના કરી શકાય કે કદાચ જે દોર પસાર થઈ ગયા એનું આકલન સુધરી સત્તાપક્ષે આશા જગવતું હોય એ સંજોગોમાં કોમી મરોડથી પરહેજ કરવું સલામત ને શોભીતું રહેશે. જો એમ હોય તો ભલે એમ હોય, નાગરિક છેડેથી આપણે કોમી પ્રચાર અટકવા બાબતે રાહતનો દમ અનુભવીશું અને બાકી દોરમાં મુક્ત ને પુખ્ત મતદાનની આશા સેવીશું. જો કે આ આશાને કારણે ન તો આપણને કે ને તો એમને કોઈ વાતે ઘેનગાફેલ રહેવાનો પરવાનો મળે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 16 મે 2024

Loading

प्रबीर, आपका स्वागत है ! 

कुमार प्रशांत|Opinion - Opinion|17 May 2024

कुमार प्रशांत

जब भारतीय लोकतंत्र अपने नये सारथी चुनने की कगार पर पहुंच रहा है, तब लगता है कि लोकतंत्र का तीसरा स्तंभ- न्यायापालिका – आने वालों के लिए एक-एक कर हिदायतें जारी कर रहा है. मेरे जैसा कोई कहेगा कि “बड़ी देर कर दी मेहरबां आते-आते” या यह भी कि लोकतांत्रिक स्वतंत्रता की कीमत सतत जागरूकता से ही अदा की जा सकती है. जो जागरूक नहीं है वह आजाद भी नहीं रह सकता है. हमारी न्यायपालिका को इसका अब भी अहसास हो तो हम स्वस्थ लोकतंत्र की दिशा में चल सकते हैं. हमारी न्यायपालिका ही एकमात्र संवैधानिक व्यवस्था है जो व्यक्ति व संस्थानों को लोकतांत्रिक अनुशासन में बांध कर रखने का संवैधानिक अधिकार रखती है. इसलिए ही तो संविधान में इसे सत्ता की होड़ से अलग रखा गया है. यह अलग बात है कि इसके भीतर से भी गुलाम मानसिकता वाले पैदा होते हैं और पहले मौके पे सत्ता की तरफ दौड़ लगा लेते हैं. सत्ता चरित्रत: स्वतंत्रता विरोधी होती है. वह कायर व यथास्थितिवादी भी होती है.

मैं इतना सब लिख पा रहा हूं क्योंकि सर्वोच्च न्यायालय की जस्टिस बी.आर.गवई-संदीप मेहता की बेंच ने ‘न्यूजक्लिक’ के संस्थापक प्रबीर पुरकायस्थ की कोई 300 दिन पहले यूएपीए में की गई गिरप्तारी को ‘अवैध’ घोषित कर दिया है अौर वे जेल से बाहर आ गए हैं. हम प्रबीर से क्या कह सकते हैं सिवा इसके कि आइए, प्रबीर, आपका स्वागत है ! हमें अफसोस है कि हम उस भारत में आपका स्वागत  नहीं कर पा रहे हैं जो आपके जेल जाने वाले दिन से बेहतर भारत है. लेकिन क्या कीजिएगा, जो भी है, जैसा भी है हमारा-आपका भारत है जिसे हमें लगातार ज्यादा लोकतांत्रिक व न्यायपूर्ण बनाते जाना है.

हम प्रबीर से इतना ही कहेंगे लेकिन हमें न्यायपालिका से बहुत कुछ कहना है. हम उससे कहना चाहते हैं कि श्रीमान, हम हर तरफ से लोकतांत्रिक परंपरा व संवैधानिक व्यवस्था से दूर होते जा रहे हैं. जो भी सरकार में पहुंच जाता है वह समझता है कि वह यहां पहुंच कर हर मर्यादा व बंधन से ऊपर हो गया है जबकि हमारे संविधान ने राष्ट्रपति से ले कर नागरिक तक सबकी मर्यादा लिख कर सामने धर दी है. उसने उन बंधनों का भी स्पष्ट उल्लेख कर रखा है जिसका पालन सबको करना चाहिए. राष्ट्रपति वह नहीं है जो प्रधानमंत्री की कृपा के नीचे दबा हुआ, सहमति में गर्दन झुकाए पड़ा है. वह किस समुदाय का है, स्त्री है कि पुरुष संविधान इसका विचार नहीं करता है. वह कहता है कि राष्ट्रपति वह है जो विधायिका-कार्यपालिका-न्यायपालिका पर आखिरी अंकुश है. वह संविधान का आखिरी संरक्षक है. डॉ. राजेंद्र प्रसाद हमारे पहले राष्ट्रपति ही नहीं थे, संविधान की इस परिकल्पना पर खरे उतरने का रास्ता बनाने व बताने वाले भी थे. उनका काम सबसे कठिन था क्योंकि सामने जो सरकार थी वह वर्षों लंबे आजादी के संघर्ष में उनके साथ काम करने वाले बला के समृद्ध जनों की सरकार थी. इतना ही नहीं, राजेंद्र बाबू के सामने यह नजीर भी नहीं थी कि एक राष्ट्रपति को अपनी संवैधानिक भूमिका कैसे निभानी चाहिए. उन्होंने जो किया वही नजीर बन गई.

हम राजेंद्र बाबू के निजी व्यवहार व मान्यताअों से असहमत हो सकते हैं लेकिन इसमें शायद ही किसी की असहमति हो कि नवजात लोकतंत्र व रक्तस्नान से गुजरी आजादी के प्रथम राष्ट्रपति के रूप में उन्होंने पर्याप्त संयम व दृढ़ता से काम किया. ऐसा हम अब तक के राष्ट्रपतियों में से इक्का-दुक्का के लिए ही कह सकते हैं. ऐसा ही हाल लोकसभा के अध्यक्ष की भूमिका का है. उसका पहला व अंतिम दायित्व सांसदों की प्रतिष्ठा व संरक्षण है. वह पार्टी का होता तो है लेकिन संविधान उससे पार्टी से ऊपर उठ कर काम करने की मांग करता है. मुझे यदि संविधान में कोई संशोधन करना हो तो उसमें एक संशोधन यह होगा कि लोकसभा का अध्यक्ष सार्वजनिक जीवन की कोई हस्ती होगा न कि बहुमत से जीती पार्टी का कोई ऐरा-गैरा ! आज लोकसभा व राज्यसभा का अध्यक्ष सबसे व्यक्तित्वहीन व्यक्ति को बनाते हैं जिसकी रीढ़ की हड्डी जन्मजात ही गायब हो. आज वह विपक्ष के सांसदों को बोलने का मौका व समय नहीं देता है; वह उनका माइक बंद करवा देता है, वह इस बात का गर्व करता है कि उसने कितने सांसदों को निलंबित किया; कितनों की सदस्यता छीन ली. कहीं किसी सांसद की गिरफ्तारी होती है तो आज लोकसभा में जूं तक नहीं रेंगती. किसी सांसद की गिरफ्तारी इसलिए बहुत बड़ी बात नहीं है कि उसे कोई विशेषाधिकार प्राप्त है बल्कि इसलिए है कि वह अपनी जनता का नुमाइंदा है. उसकी गिरफ्तारी, निलंबन, सदस्यता से वंचित करना उसके मतदाताअों का अपमान है. कोई लोकतंत्र यह कैसे सह सकता है ? सांसद की चूक भी तो भी वह संसद में विमर्श में सामने आनी चाहिए. लोकसभा का अध्यक्ष यदि अपने सदस्यों का संरक्षण भी नहीं कर सकता है तो वह उस कुर्सी का अधिकारी हो ही नहीं सकता है.

ऐसा ही न्यायपालिका के साथ भी है. मैं बराबर लिखता रहा हूं कि न्यायपालिका को संविधान ने इसी भूमिका में गढ़ा है कि वह विधायिका-कार्यपालिका-मीडिया के संदर्भ में सतत विपक्ष की भूमिका में रहे – विरोध के लिए नहीं, संविधान से बाहर जाने की हर कोशिश को अप्रभावी बनाने व संविधान के दायरे मे खींच लाने के लिए. उसे 24 घंटे सतर्क रहना चाहिए कि देश में कहीं भी, किसी की भी गिरफ्तारी विधायिका-कार्यपािलका द्वारा उसे दी गई सीधी चुनौती है. गिरफ्तारी किसी भी नागरिक से उसका बुनियादी संवैधानिक अधिकार छीनती है. इसलिए प्रबीर हों कि उमर खालिद कि दूसरे कई, हर गिरफ्तारी से न्यायपालिका को चौकन्ना हो जाना चाहिए कि उसके संवैधानिक अस्तित्व को चुनौती दी गई है. उसे बगैर किसी का इंतजार किए हर गिरफ्तारी की जांच करनी चाहिए अौर अपने नतीजे पर पहुंचना चाहिए तथा देश को तुरंत बताना चाहिए.

कोई व्यक्ति, पत्रकार हो कि व्यापारी कि राजनीतिक या सामाजिक कार्यकर्ता, वह जितने दिन जेल में होता है उतने दिन उसके लिए संविधान व न्यायपालिका का अस्तित्व संशय में होता है. प्रबीर की गिरफ्तारी अवैध थी यह बात सर्वोच्च न्यायालय 300 दिनों के बाद बता रहा है तो यह कहना गलत तो नहीं होगा कि 300 दिनों तक प्रबीर के लिए संविधान स्थगित था तथा न्यायपालिका अस्तित्वहीन ? कौन सी न्यायपालिका, संविधान की किस धारा से निरपराध प्रबीर के 300 दिन लौटा सकती है ? इसलिए तो वह पुरानी कहावत हमेशा नई होती रहती है कि न्याय में देरी न्याय को धता बताना है. इसलिए न्यायपालिका को दूसरा सब कुछ छोड़ कर हर गिरफ्तारी का तुरंत संज्ञान लेना चाहिए.

हम देख रहे हैं कि 7 दशकों के संसदीय लोकतंत्र में सरकारें कानून को मनमाने खेल का खिलौना बना रही हैं. प्रबीर पर आरोप है कि उन्होंने चीन से पैसा लिया है. लिया है कि नहीं, यह तो प्रबीर ही बताएंगे लेकिन मैं पूछना यह चाहता हूं कि क्या सरकारी खजाने में, पीएम रिलीफ फंड में, दूसरे संस्थानों में चीनी पैसा नहीं है ? चीन से तो हमारा खुला व्यापार-संबंध है. तो चीनी पैसा अपराध कैसे हो गया ? अौर चीनी क्यों, कोई भी मुद्रा अपराध कैसे हो सकती है यदि वह कानूनी रास्तों से देश में पहुंच रही है ? ऐसा तो नहीं हुआ होगा कि प्रबीर चीन गए होंगे अौर टेंपो में भर-भर कर चीनी पैसा भारत ले आए होंगे ? अगर ‘न्यूजक्लिक’ के पास कोई चीनी डोनेशन कानूनसम्मत रास्तों से आया है, अौर विधिसम्मत तरीकों से ‘न्यूजक्लिक’ ने उसका इस्तेमाल किया है तो प्रबीर यूएपीए के अपराधी कैसे हो गये ? क्या अपराध की कसौटी यह है कि अपराधी सत्ताधारी का चापलूस है या नहीं ? अगर ऐसा है तो यह न्यायपालिका के मुंह पर तमाचा है. विधायिका व कार्यपालिका जब अपनी संवैधानिक अौकात भूल जाती है, अौर मीडिया चूहे से ज्यादा अपनी हैसियत नहीं मानती है तब नागरिक अनाथ हो जाता है. तानाशाही या फासिज्म ऐसी ही परिस्थिति बनाती है अौर ऐसी ही परिस्थिति में फूलती-फलती है. हमारा संविधान इस बारे में पर्याप्त सजग है. उसने न्यायपालिका को शक्ति दे रखी है कि वह तानाशाही या फासिज्म को फलने-फूलने से रोक सके. लेकिन शक्ति काफी नहीं होती है; शक्ति का अहसास व उसके इस्तेमाल की प्रेरणा जरूरी होती है. हनुमान को भी उनकी शक्ति का अहसास कराना पड़ा था न !

इसलिए गवई-मेहता बेंच ने न्यायपालिका की उस भूमिका को फिर से उजगर किया है जिसका सिरा पकड़ कर संजीव खन्ना-दीपांकर दत्ता खंडपीठ ने केजरीवाल को अंतरिम जमानत दी. गवई-मेहता बेंच को प्रबीर की अवैध गिरफ्तारी के दायरे में उमर खालिद व अन्य सबको भी समेट लेना चाहिए था. ये अलग-अलग मामले नहीं हैं, विधायिका-कार्यपालिका द्वारा न्यायपालिका को दी जा रही चुनौती है. भारत सरकार के गृहमंत्रालय व दिल्ली पुलिस को तत्क्षण सर्वोच्च न्यायालय के कठघरे में खड़ा करना चाहिए अौर सारी गिरफ्तारियों का संवैधानिक अौचित्य जांचना चाहिए.

4 जून को जो भी, जैसे भी सत्ता की तरफ बढ़े वह जान ले कि अब न्यायपालिका उसे संविधान व कानून से खेलने का कोई भी मौका नहीं देगी तो हम कहेंगे कि भाई प्रबीर, हम आपके 300 दिन तो लौटा नहीं सकते लेकिन दूसरे प्रबीरों के 300 दिन पर आंच नहीं आने देंगे. आखिर तो हमारा लोकतंत्र प्रौढ़ हो रहा है ! 

(16.05.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...730731732733...740750760...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved