Opinion Magazine
Number of visits: 9456145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવતી કાલની આશા છે !

રમેશ સવાણી|Opinion - Opinion|21 July 2025

મારી કેનેડાથી અમેરિકા (શિકાગો) યાત્રા દરમ્યાન (4-5 જુલાઈ 2025) મારા યજમાન ડો. દિનેશ ધાનાણીએ (હ્રદય અને ફેફસાં બદલવા(heart transplant)ના સર્જન) મને અને રમેશ સવાણીને ધણા ઐતિહાસિક / પ્રાકૃતિક સ્થળોની મુલાકાત કરાવી. જે દરમ્યાન એમણે અમને અનેક પ્રશ્નો પૂછ્યા. અમે ત્રણે વિજ્ઞાનવાદી છીએ. એટલે જિજ્ઞાસા / સંશય / સંવાદ / પ્રશ્નો કરવા અમારી આદત છે. ત્રણ દિવસના અમારા સહવાસ દરમ્યાન અનેક પ્રશ્નોની ચર્ચા થઇ. સવાણી સાહેબ અને મેં અમારાં વ્યક્તિગત મંતવ્યો, સમજણ અને અનુભવને આધારે જવાબો આપ્યા. આ પ્રશ્નોત્તરી / ચર્ચાનું કોઇ રેકોર્ડીંગ થયું નથી. પણ અમારા ફેસબુક મિત્રોની જાણકારી માટે કેટલાક મહત્ત્વના મુદ્દાની ચર્ચા, યાદ આવશે તેમ આ ફલક (platform) ઉપર મૂકવાનો આશય છે.

ડૉ. દિનેશનો પ્રશ્ન હતો કે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી એ બંનેમાં આપ કોને મહાન ગણો છો? આમ તો અમારી ચર્ચાઓમાં રાજકારણ ખૂબ ઓછું અને સમાજકારણ / વિજ્ઞાન / ઇતિહાસ / પ્રકૃતિ અને પર્યાવરણ વિશેષ હતાં. પણ આ પ્રશ્ન હતો એટલે અમારો બંનેનો જવાબ હતો : “અલબત્ત, રાહુલ ગાંધી અનેક ગણા વધુ મહાન છે.” 

અમારે ત્રણેને ભારતના રાજકારણ સાથે કશો સબંધ કે સ્વાર્થ નથી. અમે કોઈ રાજકીય પક્ષમાં નહિ, માત્ર સત્યના પક્ષમાં છીએ. અમે રાહુલને કદી મળ્યા નથી. પણ એમના વિષે જે જાણીએ છીએ તેના આધારે એમનું મૂલ્યાંકન કર્યું છે :

[1] મહાત્મા ગાંધી એમનાં અનેક સદ્દગુણો અને કાર્યોના કારણે મહાન હતા. પણ એક કારણ એ પણ હતું કે એમના પિતા કરમચંદ (કબા) ગાંધી અને દાદા ઉત્તમચંદ (ઓતા) ગાંધી પણ સચ્ચાઈ અને પ્રમાણિકતાના પૂજારી હતા. બંને એમના જમાનામાં રાજ્યના દિવાન (મુખ્ય મંત્રી) હતા, પણ રાજાને સાચું કહેતાં કદી અચકાતા નહિ અને ખોટું કરવાના બદલે હોદ્દાના રાજીનામાં આપેલા. આ ગુણો ગાંધીજીને વારસામાં મળેલા. એવું જ રાહુલ ગાંધી માટે પણ છે. પરપિતા  જવાહરલાલ નહેરુ, દાદી ઇંદિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની સચ્ચાઈ, પ્રમાણિકતા, દેશભક્તિ, અને શહીદીના ગુણો એમને વારસામાં મળ્યા છે.

[2] એમણે હાર્વર્ડ યુનિવર્સિટી (અમેરિકા) અને કેમ્બ્રિજ યુનિવર્સિટી(ઇંગ્લેન્ડ)માં ઉચ્ચ શિક્ષણ લીધું છે. એમની શિક્ષણની ડિગ્રીઓ કદી શંકાના ઘેરામાં રહી નથી.

[3] 2019ની સંસદની ચૂંટણીમાં કાઁગ્રેસ પક્ષની હાર થતાં એમણે નૈતિક જવાબદારી સ્વીકારી પક્ષ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. એક આદર્શ દાખલો બેસાડ્યો અને પોતે સત્તા કે હોદ્દાના મોહમાં નથી એ પુરવાર કર્યું. 

[4] મનમોહનસિંહજીની સરકાર (2004 – 2014) વખતે કોઇ મંત્રીપદ સ્વીકાર્યુ નથી. એ સમયે એમનાં માતા કે તેઓ પોતે વડા પ્રધાન પણ બની શક્યાં હોત. પણ બંનેએ પદનો મોહ કદી રાખ્યો નથી. 

[5] પરિવારવાદના આક્ષેપો એમના વિરોધીઓ કરે છે. પણ આ લોકશાહી દેશ છે, રાજાશાહી નથી. એ માણસ પોતાની લાયકાતથી છેલ્લા ચાર ટર્મથી (20 વર્ષ) લોકસભામાં ચૂંટાઇને આવે છે. લોકો એમને ચૂંટીને મોકલે છે. જો એમની લાયકાત કે ક્ષમતા ના હોત તો ફરી ફરી ચૂંટાયા ના હોત.

[6] એમને જાનનો ખતરો છે માટે અમેરિકામાં બીજા નામથી અભ્યાસ કરવો પડેલો અને વારંવાર અભ્યાસનાં સ્થળ અને કોલેજો બદલવી પડેલી. પણ ભયના માર્યા વિદેશ ભાગી ગયા કે જાહેર જીવનથી દૂર થયા નથી. પોતાના જાનના જોખમે પણ લોકોની સેવા કરે છે.

[7] પત્રકારોને હિંમતથી જવાબો આપે છે. દેશ વિદેશમાં પત્રકાર પરિષદથી ડરીને ભાગતા નથી.

[8] રાજકીય કારકિર્દી પ્રાથમિક સ્તરથી શરૂ કરી. પ્રથમ કાઁગ્રેસની વિદ્યાર્થી પાંખ (NSUI) અને પછી યૂથ કાઁગ્રેસ, પછી કાઁગ્રેસના જનરલ સેક્રેટરી, ઉપપ્રમુખ અને પ્રમુખ બન્યા. કોઇના હકને ડુબાડી કે ટૂંકા રસ્તે સત્તા મેળવવા કદી પ્રયત્ન કર્યો નથી.

[9] અંગ્રેજી ભાષા ઉપર ખૂબ સારું પ્રભુત્વ છે. અંગ્રેજીમાં મુક્તપણે વાતચીત કરી શકે છે અને વિદેશની યુનિવર્સિટીમાં વ્યાખ્યાન પણ આપે છે. ઉપરાંત હિન્દી અને ઈટાલી ભાષા ઉપર સારી પકડ છે. જે વિદેશોમાં એમની પ્રતિભાને નીખારે છે.

[10] એમના વિરોધીઓએ એમને પપ્પુ (મંદબુદ્ધિ) સાબિત કરવા કરોડો રૂપિયા ખર્ચ કર્યો, પણ એ તો વધુ જ્ઞાની અને સ્પષ્ટ વક્તા સાબિત થયા. એમને પપ્પુ કહેનારા પપ્પુ સાબિત થયા.

[11] મહાત્મા ગાંધીના વિચારોને અનુસરે છે. સત્ય, અહિંસા, માનવતા, છેવાડાના માનવી માટેની ચિંતા અને મદદ એમના વિશિષ્ટ ગુણો છે. રાજકારણમાં રહીને પણ નીતિ અને પ્રમાણિકતા જણાવવાનું કઠિન કામ તેઓ કરી રહ્યા છે. 

[12] એમની છાપ એક ફેંકુ તરીકે નહિ, પણ સાચા બોલા નીડર વ્યક્તિની છે.

[13] ખોટાં વચનો આપતા નથી. જુમલાબાજી કરતા નથી. બોલેલું પાળે છે.

[14] સગાં કે પરિવારને દૂર રાખવાનો દંભ કે દેખાડો કરતા નથી. પણ માતા, બહેન, ભાણેજ તથા મિત્રોને હરખથી મળે છે, વહાલ કરે છે અને કાળજી લે છે. જે તેમના સૌમ્ય અને નિરાભિમાની વ્યક્તિત્વની સાબિતિ છે.

[15] એમનાં દાદી ઇંદિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા થઈ છે, અને પોતે સાચા બોલા તથા સ્પષ્ટ વક્તા છે. જેના કારણે એમના જાનનો ખતરો છે. છતાં હિંમતથી લોકોને મળે છે અને સાચી વાત કહે છે. છતાં કદી 56ની છાતીનું ગુમાન રાખ્યુ નથી. દેશને લૂંટતા ધનપતિઓના ગોરખધંધા કોઈ ડર વિના ખૂલીને બહાર પાડે છે. એટલે જ દેશને લુંટતા આ ઘનપતિઓ પોતાની માલિકીની ટી.વી. ચેનલો ઉપર એમને બદનામ કરવાની કોઈ તક છોડતા નથી.

[16] પોતાના પરિવારના સભ્યોની શહીદીનાં ગાણાં ગાઇ કદી રાજકીય લાભ ખાટવા પ્રયત્ન કર્યો નથી કે લોકો મને ગાળો દે છે, પપ્પુ કહે છે એવું કહી સસ્તી સહાનુભૂતિ મેળવવા પ્રયત્ન કરતા નથી.

[17] એમને સંસદ સભ્ય તરીકે દૂર કર્યા, મકાન પણ તરત જ ખાલી કરાવ્યુ જે હસતે મુખે કરી આપ્યું. પોતાનું કોઇ મકાન ન હોવાથી એમની માતાને સંસદસભ્ય તરીકે મળેલા સરકારી મકાનમાં રહેવા ગયા. આમ સાચા અર્થમાં એમની કોઇ માલ મિલ્કત નથી. છતાં પોતે ફકીર છે એવી ખોટી શેખી મારતા નથી.

[18] પોતે 55 વરસના થયા. અવિવાહિત છે. છતાં એમના ચારિત્ર્ય વિષે કદી આંગળી ઊઠી નથી. કોઈ યુવાન છોકરીની જાસૂસી કર્યાના કે કોઈની પત્ની ઉપાડી ગયાના આક્ષેપ એમના ઉપર થયા નથી !

[19] રાજકારણમાં હોવા છતાં નીતિ, પ્રમાણિકતા, સચ્ચાઈને કોઇ ડાઘ પડવા દીધો નથી. છળકપટના કોઇ આક્ષેપ થતા જાણ્યા નથી. વિરોધીઓને અપમાનિત કરવા, ચરિત્રહનન કરવું, કે ખૂન કરાવવાના કોઇ આક્ષેપ એમના ઉપર થયા નથી.

[20] સત્તા પક્ષે બધી જ રીતરસમો અપનાવી, ડરાવી, ધમકાવી, સત્તાનો દુરુપયોગ કરી, કાઁગ્રેસને તોડવા, ખતમ કરાવામાં કોઇ કચાશ છોડી નથી. તેમ છતાં ડર્યા કે હાર્યા વિના એકલે હાથે કાઁગ્રેસને ફરી બેઠી કરવા ઝઝૂમી રહ્યા છે. અને સબળ વિરોધપક્ષ ઊભો કરવામાં અને વિરોધપક્ષના નેતા બનવામાં સફળ થયા છે. જે એમની ઊંચી નિષ્ઠા, સમજણ અને શક્તિનો પુરાવો છે.

[21] ધર્મ, જાતિ તથા નફરત અને વૈમનસ્યના ભેદભાવ ઊભા કરી દેશને તોડવાના સત્તાપક્ષના નાપાક પ્રયત્નો સામે પ્રેમ, મૈત્રી અને સર્વધર્મ સમભાવનો સંદેશ લઇ દેશ આખાની પદયાત્રાઓ કરી દેશની એકતા ટકાવી રાખવાનું સાહસિક અને અભૂતપૂર્વ કામ કરી લોકોના દિલમાં સ્થાન જમાવ્યું છે.

[22] એમના પરિવાર પાસે કરોડોની સંપત્તિ છે એવા તથા એમના બનેવી રોબર્ટ વાડ્રાએ કોંગ્રેસ શાસન વખતે અનેક કૌભાંડો કર્યાના આક્ષેપ કરી એમને બદનામ કરવાના પ્રયત્નો થયા. પણ એક પણ આક્ષેપ સત્તાપક્ષ પુરવાર કરી શક્યો નથી. જે તેમની સચ્ચાઈ અને પ્રમાણિકતાનો પુરાવો છે.

આમ રાહુલ ગાંધીના અનેક સદ્દગુણો એમને મહાન બનાવે છે. તેઓ યુવાન છે, નીડર છે,  સાહસિક છે, પરિપક્વ છે, પ્રમાણિક છે, ચારિત્ર્યવાન છે, નિરાભિમાની છે, આવતી કાલની આશા છે !

[સૌજન્ય : જગદીશ બારોટ, કેનેડા] 
18 જુલાઈ 2015 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મૂરખ બનીને પણ પ્રજા મૂરખ બનાવી શકે છે ….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 July 2025

રવીન્દ્ર પારેખ

રાજકીય પક્ષોનું લક્ષ્ય હવે ચૂંટણી જીતીને સત્તા મેળવવાનું અને સત્તામાં ટકી રહેવાનું હોય છે ને એને માટે જે  કરવું પડે તે સંકોચ વગર કરતા હોય છે. કારણ કે પ્રજાના મતો પક્ષોને સત્તામાં લાવે છે અથવા સત્તામાંથી દૂર કરે છે, એટલે પ્રજા ચૂંટણી વખતે યાદ આવતી હોય છે ને પછી પ્રજા યાદ કરે છે અથવા તો યાદ અપાવે છે. એ ઉપરાંત પક્ષોની અંદરોઅંદર સ્પર્ધા ચાલતી રહે છે ને અમુકને પછાડીને આગળ કેવી રીતે અવાય કે વિપક્ષો સાથે પરસ્પર વિરોધી વિધાનો દ્વારા સર્વોપરિતા કેવી રીતે સિદ્ધ થઇ શકે, એમાં જ સમય જતો હોય છે ને વચ્ચે વચ્ચે પ્રજાનું સ્મરણ થાય કે મરણ થાય તો થોડાં કામો વિકાસને નામે થતાં હોય છે.

પ્રજા પણ ચૂંટણી આવે ત્યારે હરખાતી કે હડકાતી રહે છે ને કયો પક્ષ કેવી કેવી લહાણીઓ કરે છે, તે  લાળ ટપકાવતી જોઈ રહે છે. પક્ષો પણ જાણે છે કે પ્રજાને ટુકડા ફેંકીશું તો જ એ મત ઢીલા કરશે. આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણી છે એટલે લાલુપ્રસાદ, શરદ યાદવ અને નીતીશકુમાર ચૂંટણી મામલે જે પાણીએ મગ ચડે તે ચડાવવામાં વ્યસ્ત છે. તેમાં નીતીશકુમારે સત્તામાં ટકી રહેવા અને ફરી મુખ્ય મંત્રી બનવા કમર કસી છે. ચૂંટણીમાં વીજળી મફત-નો કીમિયો કામ કરી જાય છે, તેવું નીતીશકુમારે અન્ય રાજ્યોની ચૂંટણીમાં જોયું છે, એટલે તેમણે 125 યુનિટ વીજળી મફત આપવાનું એલાન કર્યું છે. નીતીશકુમારનું એવું છે કે એ વાયદામાં નહીં, પણ તરત દાન મહાપુણ્યમાં માને છે, એટલે 1 ઓગસ્ટ, 2025થી જ 125 યુનિટ મફત વીજળીની લહાણી તેમણે કરી છે.

આ નુસખો દિલ્હીની ચૂંટણી જીતવામાં આપ પાર્ટીના સર્વેસર્વાં અરવિંદ કેજરીવાલને કામ લાગ્યો, તે પછી ઘણાં રાજ્યોમાં મફત વીજળીનો નુસખો સફળ રહ્યો છે. પાવર આપીને પાવર હાંસલ કરવામાં કેજરીવાલને દિલ્હીની ગાદી 2015 અને 2020માં મળી. વીજળીના એ જ ટુકડા આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડ, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાં પણ ફેંક્યા. પંજાબમાં તો એ જ વીજળીએ આપને સત્તાનું મોઢું દેખાડ્યું છે. એ જ વેપલો કાઁગ્રેસે કર્ણાટકમાં કર્યો ને સત્તા મેળવી. ગમ્મતની વાત એ છે કે એક તરફ વીજળીની તીવ્ર અછત છે ને બીજી તરફ રાજ્યોને મફત વીજળીની લહાણી કરવાનું પરવડે છે. મફત વીજળીએ અનેક પ્રશ્નો સર્જ્યા છે, પણ કોઈ પક્ષ મફત વીજળી સિવાયનું વિચારવા બહુ તૈયાર નથી. તે એટલે કે સત્તા મેળવી આપવામાં તે મદદરૂપ થાય છે.

દેખીતું છે કે નીતીશકુમાર એનો લાભ લેવાનું ન ચૂકે. એમણે પહેલી વખત બધી શ્રેણીના ઘરેલું વીજ ઉપભોક્તાઓ માટે મફત વીજળી આપવાનો નિર્ણય લીધો છે. આનો લાભ 1.67 કરોડ પરિવારોને મળશે. એમની સંમતિથી એમની છતો પર કે સાર્વજનિક સ્થળો પર સૌર ઊર્જા તંત્ર ઊભું કરી તેનો લાભ આપવાની વાત પણ છે. આ વ્યવસ્થાનો ખર્ચ નિર્ધન પરિવારો માટે સરકાર ઉઠાવશે, એટલું જ નહીં, અન્ય વર્ગોને પણ સરકાર સહાય કરવાની કોશિશ કરશે. એ પણ છે કે એક તરફ મફત વીજળી આપવાની યોજના આવી છે, તો બીજી તરફ બિહારમાં સબસીડીનો ખર્ચ વધી રહ્યો છે. વિત્તીય વર્ષ 2025-‘26નો સબસીડીનો ખર્ચ 32,718.31 કરોડથી વધીને 35,819.11 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.  કમાલ એ છે કે આજ નીતીશકુમારે મફત વીજળી આપવાનો ભરસક વિરોધ કરેલો ને એમણે જ એ યોજના લાગુ કરી છે. આમે ય જીભને હાડકું હોતું નથી એટલે લવારા કરવાની યોજના કોઈ પણ લાગુ કરી શકે છે. આ જ 10 જુલાઈએ બિહારી મુખ્ય મંત્રીએ સામાજિક સુરક્ષા પેન્શન વધારવાની વાત પણ કરી છે. કેવળ રાજ્યની મહિલાઓને જ સરકારી નોકરીમાં અનામત આપવાના નિર્ણયની અસર પણ વોટ બેંક પર પડશે એવું લાગે છે.

બિહાર સરકારે નક્કી કર્યું છે કે 2025થી 2030 સુધીમાં એક કરોડ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. એમ થતાં રાજ્યના યુવાનોને આર્થિક સદ્ધરતા મળશે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને રાજ્યમાં રોકાણની તકો વધશે. ચૂંટણી વર્ષમાં બિહાર સરકાર 8 હજારથી વધુ પંચાયતોમાં લગ્ન મંડપ બનાવશે. એને માટે સરકારે 40 અબજથી વધુ રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત બિહારના યુવાનો માટે 686 કરોડ ખર્ચવાની વાત પણ છે. 18થી 28 વર્ષના લાખેક યુવાનોને ઇન્ટર્નશિપ માટે 4થી 6 હજાર આપવાનું બિહાર સરકારનું કમિટમેન્ટ છે. વળી ‘દીદી કી રસોઈ’ યોજનામાં થાળી 40ને બદલે હવે 20 રૂપિયામાં આપવાની વાત છે. નવી એ.સી. બસ ખરીદવા સરકાર ૨૦ લાખ આપવાની વાત કરે છે ને તેને માટે સરકારે 150 બસો ખરીદવા માટે 30.60 કરોડ જુદા ફાળવ્યા છે. નીતીશ કેબિનેટે લોકકલાઓને બચાવવા ગુરુને માસિક 15,000, સંગીતકારને 7.500 અને શિષ્યને 3.000 આપવાનું ઠરાવ્યું છે. દિવ્યાંગો માટે સિવિલ સર્વિસ પ્રોત્સાહન યોજના નામની નવી યોજના શરૂ કરાઈ છે, જેમાં BPSC અથવા UPSCની મુખ્ય પરીક્ષાની તૈયારી માટે 50 હજાર અને ઈન્ટરવ્યૂની તૈયારી માટે 1 લાખ આપવાનું ઠરાવાયું છે.

લગભગ 15 વર્ષ સુધી મુખ્ય મંત્રી રહી ચૂકેલા નીતીશકુમાર જીતવા માટે કોઈ પણ ખેલ ખેલવામાં ઉસ્તાદ છે, તે સાથે જ પ્રજાની નાડ પારખવામાં પણ માહેર છે. એ ગઠબંધન કરી શકે તો ઠગબંધન કરવામાં પણ સંકોચ ન રાખે. રંગ બદલવાનું કાચિંડો એમની પાસેથી શીખતો હોય તો નવાઈ નહીં ! નીતીશકુમારે મહિલા મતોનો મહિમા એવે વખતે કર્યો છે, જયારે મહિલાઓના મતનું ઝાઝું મૂલ્ય ન હતું. તેમાં ઉમેરો એ થયો છે કે બિહારની મૂળ મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત લાગુ કરાઈ છે. આમ તો બિહારમાં મહિલાઓ માટે અનામત છે જ, પણ જે નોકરી મહિલાને અપાતી તે બિહારની જ હોય એ નક્કી ન હતું, એટલે વધારાની બીજી 35 ટકા અનામત માત્ર બિહારની જ મહિલાઓને નોકરી મળે એ માટે લાગુ કરાઈ છે. દેખીતું છે કે બિહારની મહિલા મતદાતાઓ આવો લાભ આપનારને મત આપવાનું વિચારે જ ! આ જોઇને રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવે કહ્યું કે પોતે સત્તા પર આવશે તો 100 ટકા ડોમિસાઈલ લાગુ કરશે. કોઈ 200 ટકા જાહેર કરે તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ. આ રાજકારણ છે ને પાછું ચૂંટણીનું છે, એટલે એમાં કંઇ પણ થઇ શકે.

મહિલાઓને સરકારી નોકરી બિહારમાં જ આપવાની વાત ભલે થાય, પણ એવું બીજા રાજ્યો પણ ઠરાવે તો બિહારીઓને કામ ન મળે એમ બને. એ અંગે નીતીશકુમારે કે તેજસ્વી યાદવે કોઈ યોજના બનાવી છે કે આ ખાલી ચૂંટણી જીતવાનો સ્ટંટ માત્ર છે? નીતીશકુમાર પોતે વાતે વાતે U-TURN લેવા માટે પંકાયેલા છે. તેમણે જ વિજ્ઞાનના યોગ્ય શિક્ષકો ન મળતા અગાઉ ડોમિસાઈલ સ્કિમ રદ પણ કરી હતી.

સાચું તો એ છે કે બંધારણ ડોમિસાઈલ પોલિસીનું સમર્થન નથી કરતું. બંધારણ દરેકને જાતિ, લિંગભેદ, ધર્મ, સંપ્રદાય વગર ભારતમાં ગમે ત્યાં રોજગાર મેળવવાનો અધિકાર આપતું હોય, તો ડોમિસાઈલ પોલિસી એ અધિકારને સીમિત કરે છે, એવું નહીં? ડોમિસાઈલ એક મર્યાદા સુધી ઠીક છે, પણ તે આડેધડ કોઈ રાજ્ય લાગુ કરે ને તેવું બધાં રાજ્યો કરવા માંડે તો કોઈ નાગરિક અન્ય રાજ્યમાં બંધારણીય અધિકાર ગુમાવે એમ બને, તો એ ઈચ્છવા જેવું ખરું? ભવિષ્યમાં આસામમાં આસામી, મહારાષ્ટ્રમાં મરાઠી, ગુજરાતમાં ગુજરાતી, બંગાળમાં બંગાળી જ નોકરી કરે એ સ્થિતિ દેશહિતમાં હોય એવું લાગે છે?

વારુ, આ બધું ખરેખર અમલમાં આવે તો રાજ્યનું ને દેશનું કલ્યાણ થઇ જાય, પણ એવું કલ્યાણ આજ સુધી તો થયું નથી. ચૂંટણીમાં નીતીશકુમાર હારી જાય તો કંઇ નહાવા નીચોવવાનું ન રહે, પણ જીતી જાય, જેના ચાન્સ વધારે છે, તો મતદારો આ બધી યોજનાઓના અમલ અંગે ક્યારે ય પૂછશે ખરા? આમાંની ઘણી યોજના રદ્દ થાય કે નામ પૂરતી અમલમાં આવે તો નીતીશકુમારને પડકારવાનું ભાગ્યે જ બને. અગાઉ મહિલાઓને દર મહિને સ્પર્ધામાં 1,000થી 2,500 ફાળવવાની જાહેરાતો રાજ્ય સરકારોએ ચૂંટણી પહેલાં કરેલી, પણ ચૂંટણી જીત્યા પછી દિલ્હી, મહારાષ્ટ્ર સરકારે લાચારી વ્યક્ત કરતાં સહાયની રકમમાં કાપ મૂકેલો. એવું નીતીશ સરકાર ચૂંટણી જીતે તો ન જ કરે એમ માનવાને કોઈ કારણ નથી.

વધારે આઘાતજનક તો એ છે કે પ્રજાને સ્વમાન કે ગૌરવ જેવું ન હોય તેમ તે સહાયની ભીખ લઈને મતદાન કરે છે. કમ સે કમ રાજકીય પક્ષો તો એમ જ માને છે કે થોડા ટુકડા ફેંકો તો પ્રજા પૂંછડી પટપટાવતી મત પોતાની તરફેણમાં નાખી જશે. એવું ન હોય તો આ રાજકીય પક્ષો ચૂંટણી વખતે જ લહાણી કરવા કેમ નીકળે છે? એ તો નીકળે, પણ પ્રજા તેમના ઈરાદાઓ ન પારખવા જેવી મૂરખ ન થઇ શકે. આ એ જ પ્રજા છે, જેણે દાયકાઓનાં શાસનો બદલ્યાં છે. તે મૂરખ બનતી હોય એવું લાગે તો પણ તે સત્તાને મૂરખ બનાવી શકે છે, એ કોઈ પણ રાજકીય પક્ષોએ ભૂલવા જેવું નથી –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જુલાઈ 2025

Loading

‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ વિસ્ફોટ થાય ત્યારે પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠે છે !

રમેશ સવાણી|Diaspora - Features|20 July 2025

19 જુલાઈ 2025ના રોજ સવારે 7 વાગ્યે ફરી યલોસ્ટોન નેશનલ પાર્કમાં ‘Old Faithful Geyser’ને નિહાળવા રવાના થયા. 

અમે 8.25 વાગ્યે ‘Old Faithful Geyser’  પહોંચ્યા ત્યારે તે સાવ સુષુપ્ત હતો. લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ એક પ્રખ્યાત ગીઝર એટલા માટે છે કે તે નિયમિત વિસ્ફોટો માટે જાણીતો છે, સામાન્ય રીતે દર 90 મિનિટે થાય છે. આ વિસ્ફોટો હવામાં 100 ફૂટથી વધુ ઊંચાઈએ પાણી અને વરાળ ઉડાડે છે અને ઘણી મિનિટો સુધી ટકી શકે છે.

8.30 કલાકે આ સુષુપ્ત ગીઝરમાંથી વરાળ નિકળવાની શરૂઆત થઈ. જોતજોતામાં પ્રચંડ ગતિએ વરાળ અને પાણી સુસવાટા સાથે બહાર નીકળવા લાગ્યું. એક મિનિટથી વધુ સમય સુધી વિસ્ફોટનું અદ્દભુત દૃશ્ય જોવા મળ્યું. 

આ વિસ્ફોટ દરમિયાન 14,000થી 32,000 લિટર ઉકળતાં પાણીને 106થી 185 ફૂટની   ઊંચાઈ સુધી ફેંકી શકે છે. જે અડધી મિનિટથી 5 મિનિટ સુધી ચાલે છે. બે વિસ્ફોટ વચ્ચેનો સમયગાળો 34 થી 125 મિનિટનું રહ્યો છે, જે 1939માં સરેરાશ 66½ મિનિટનું અંતર હતું. 2000 થી ધીમે ધીમે વધીને સરેરાશ 90 મિનિટનું અંતર ધરાવે છે, જે ભૂગર્ભ જળ સ્તરને અસર કરતા ભૂકંપનું પરિણામ હોઈ શકે છે. ઓલ્ડ ફેથફુલ ગીઝર હજારો વર્ષ જૂનો છે.

‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ – આવું જુદા જ પ્રકારનું નામ કેમ આપવામાં આવ્યું હશે? આ પ્રશ્ન થયો. 

1870માં Washburn expedition – વોશબર્ન એક્સપિડિશન દ્વારા ‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ નામ આપવામાં આવ્યું હતું. કેમ કે તે સતત અને અનુમાનિત વિસ્ફોટો કરતું હતું. આ expedition – અભિયાનના સભ્યોએ નોંધ્યું હતું કે તેમાં અન્ય ઘણા ગીઝરથી વિપરીત નિયમિત અંતરાલે વિસ્ફોટ થતાં હતાં. તેના કારણે US નેશનલ પાર્ક સર્વિસ દ્વારા તેને ‘ઓલ્ડ ફેથફુલ’ નામ આપ્યું હતું. આ નિયમિતતા, જેના કારણે તેના વિસ્ફોટોમાં કેટલીક આગાહી થઈ શકતી હતી, તે એક મુખ્ય લાક્ષણિકતા હતી જે તેને અન્ય ગીઝરથી અલગ પાડે છે.

‘ઓલ્ડ ફેથફુલ ગીઝર’ વિસ્ફોટ થાય ત્યારે પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠે છે ! દર વરસે લગભગ 45 લાખ લોકો કુદરતની આ કમાલ નિહાળે છે !

20 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...71727374...8090100...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved