આંબે આવ્યા મૉર … ને વાર્તા કહીશું પૉર …!
દાદીએ વાર્તા પૂરી કરી
ને ચકો ચકી … પૂરી વાળો કાગડો … સૂપડકનો રાજા …. બોબડી રાણી …
બધાં ટીનીની ઘેરાતી આંખના પોપચાં હળવેથી ઉંચકીને
ધીમાં પગલે અંદર પ્રવેશ્યાં,
ટીનીની સ્વપ્ન નગરીને સજાવવા ….એની ઊંઘને મીઠી કરવાં ….
અને ….
ૐ નમઃ શિવાયના મંત્રજાપમાં મન પરોવવા મથતાં
દાદીની આંખમાં પ્રવેશ્યું
નિર્ભયા .. પ્રિયંકા અને એવી અનેક નામી અનામી સ્ત્રીઓનું ટોળું ….
એમની રહી સહી ઊંઘને ય ઉડાડવા…..!!!
સૌજન્ય : રેણુકાબહેન દવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



વ્યક્તિમત્-ની કવિતા સાથેનું આ લાક્ષણિક પુન:સન્ધાન ઉમાશંકરની કાવ્યસૃષ્ટિમાં, નૉંખું છે, અધિકૃત છે, સ્વકીય છે. એ દૃષ્ટિએ, એને નવપ્રસ્થાન ગણવું જોઈશે. ૧૯૫૬-માં આ કાવ્ય પ્રકાશિત થયું ત્યારે યુદ્ધોત્તર વિશ્વ વકરી રહ્યું’તું. તે પૂર્વે દેશ આઝાદ થઈ ચૂક્યો’તો — જો કે એને ગાંધી-હત્યા જેવી મૉંઘી કિમ્મતેય ચૂકવવી પડેલી. ત્યારે કવિના જાણીતા કાવ્ય, ‘એક ચૂસાયેલા ગોટલાને’-માં જેની કલ્પના થયેલી એ સ્વાતન્ત્ર્યનું મહાવૃક્ષ ઝૂલતું હતું. તેમછતાં, ‘મને મુરદાંની વાસ આવે’ (૫૩૦) જેવી સંવેદના જનમાવનારા ‘જીર્ણ જગત’-નો કવિ ઉદ્ધાર પણ ઝંખતા હતા. એ એમની એવી સંમિશ્ર અને સ્થિર ન થઈ શકતી દોલાયમાન ભાવાવસ્થા હતી. પણ જુઓ કે એમની કવિતા, એ લાગલો સમસામયિક સંદર્ભ પડતો મૂકે છે, અને આ કાવ્ય પ્રગટે છે. કવિદૃષ્ટિ સમસામયિક અને રાષ્ટ્રસીમિત વાતાવરણની જડતાને વીંધીને વિસ્તરે છે અને છેલ્લે પોતાની સત્તામાં પાછી ફરે છે. સ્થૂળથી સૂક્ષ્મ તરફની એક પ્રકારની એને પછડાટ પણ કહેવાય. અને ત્યારે જે થયું તે છિન્નભિન્નતાની અનુભૂતિ હતી.
માનવસ્વભાવની વાત થાય ત્યારે વર્જિનિયા વુલ્ફની નવલકથા ‘ટુ ધ લાઈટહાઉસ’ યાદ આવ્યા વિના ન રહે. યોગાનુયોગ એ છે કે એમાં પણ એક જર્જરિત થતા જતા સમરહાઉસની વાત છે. બીજો યોગાનુયોગ એ છે કે આ નવલકથા 1927ની પાંચમી મેએ પ્રગટ થઈ હતી. એ વાતને આજે 97 વર્ષ થયાં, લગભગ એક સદી જેટલો સમય. પણ શૈલી, વિષયવસ્તુ અને ટેકનિકની રીતે આજે પણ એ આધુનિક લાગે એવી છે.