Opinion Magazine
Number of visits: 9457172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

नरेन्द्र मोदी: तानाशाही से देवत्व की ओर

राम पुनियानी|Opinion - Opinion|1 June 2024

राम पुनियानी

समाज के संचालन की प्रजातान्त्रिक प्रणाली को मानव जाति ने एक लम्बे और कठिन संघर्ष के बाद हासिल किया.  प्रजातंत्र के आगाज़ के पूर्व के समाजों में राजशाही थी. राजशाही में राजा-सामंतों और पुरोहित वर्ग का गठबंधन हुआ करता था. पुरोहित वर्ग, धर्म की ताकत का प्रतिनिधित्व करता था. राजा को ईश्वर का प्रतिरूप बताया जाता था और उसकी कथनी-करनी को पुरोहित वर्ग हमेशा उचित, न्यायपूर्ण और सही ठहराता था. पुरोहित वर्ग ने बड़ी चतुराई से स्वर्ग (हैवन,जन्नत) और नर्क (हैल, जहन्नुम) के मिथक रचे. राजा-पुरोहित कॉम्बो के आदेशों को सिर-आँखों पर रखने वाला पुण्य (सबाब) करता है और इससे उसे पॉजिटिव पॉइंट मिलते हैं. दूसरी ओर, जो इनके आदेशों का उल्लंघन करता है वह पाप (गुनाह) करता है और उसे नेगेटिव पॉइंट मिलते हैं. व्यक्ति की मृत्यु के बाद नेगेटिव और पॉजिटिव पॉइंटों को जोड़ कर यह तय किया जाता है कि वह नर्क में सड़ेगा या स्वर्ग में आनंद करेगा.

प्रजातंत्र ने इस गणित को गड़बड़ा दिया. राजा का स्थान निर्वाचित नेता ने ले लिया जो कानूनों के एक पूर्ण-निर्धारित सेट (जिसे अक्सर संविधान कहा जाता है) की सीमा के भीतर रहते हुए ही काम कर सकता है. राजशाही से लोकशाही की ओर की यात्रा दुनिया के अलग-अलग देशों में अलग-अलग समय पर और अलग-अलग तरीकों से हुई.

मगर किसी देश में प्रजातंत्र की स्थापना हो जाने मात्र से यह नहीं माना जा सकता कि वहां हमेशा प्रजातंत्र रहेगा. दुनिया के कई देशों और विशेषकर दक्षिण एशिया में मुश्किल से हासिल किये गए प्रजातंत्र का स्थान धर्म की चाशनी में लिपटी तानाशाही ने ले लिया है. श्रीलंका, म्यामांर, पाकिस्तान और भारत इसके उदाहरण हैं. कई मामलों  में  सर्वोच्च नेता, सरकार के मुखिया के साथ-साथ देश का मुख्य पुरोहित भी बन जाता है, जैसा कि हाल में भारत में देखा जा रहा है.

सन 1971 में जब इंदिरा गाँधी के नेतृत्व में भारत ने पाकिस्तान के खिलाफ युद्ध में जीत हासिल की और नतीजे में बांग्लादेश का निर्माण हुआ तब उन्हें देवी दुर्गा बताया गया. मगर इंदिरा गाँधी ने कभी इस ‘सम्मान’ को स्वीकार नहीं किया. उन्होंने अपने भाषणों और अपने निर्णयों से कभी यह जाहिर नहीं होने दिया कि वे स्वयं को देवी समझती या मानती हैं.

मगर हमारे वर्तमान प्रधानमंत्री नरेन्द्र मोदी अलग हैं. वे हिन्दू राष्ट्रवादी हैं और हिन्दू राष्ट्र के निर्माण के घोषित लक्ष्य वाले आरएसएस के प्रशिक्षित प्रचारक हैं. सांप्रदायिक राष्ट्रवाद को नस्ल या धर्म का लबादा ओढ़े तानाशाही बहुत पसंद आती है. धार्मिक राष्ट्रवादी समूह अपने सर्वोच्च नेता की छवि एक महामानव की बनाने में कोई कसर बाकी नहीं रखते. इस तरह के राष्ट्रवादों को एक करिश्माई नेता की ज़रुरत होती है, जिसके आसपास एक प्रभामंडल निर्मित कर दिया जाता है. इस सर्वोच्च नेता से कोई प्रश्न नहीं पूछ सकता और ना ही उसके किसी निर्णय पर प्रश्नचिन्ह लगा सकता है. नरेन्द्र मोदी के गुजरात का मुख्यमंत्री बनने के बाद से ही उनकी एक करिश्माई नेता की छवि बनाने के प्रयास शुरू हो गए थे. एपीसीओ नामक एक फर्म को इसका ठेका दिया गया. मोदी के बचपन को भी महिमामंडित करने के प्रयास हुए. एक कॉमिक बुक ‘बाल नरेन्द्र’ प्रकाशित की गयी, जिसमें बताया गया कि बचपन में नरेन्द्र जब अपने दोस्तों के साथ खेल रहे थे तब गेंद पानी में गिर गई. वे तुरंत नदी में कूदे और गेंद के साथ-साथ मगरमच्छ का एक बच्चा भी नदी से निकाल लाए!

प्रधानमंत्री बनते ही मोदी ने कैबिनेट प्रणाली, जिसमें निर्णय सामूहिक होते हैं, को तिलांजलि दे दी. सारे निर्णय वे स्वयं लेने लगे और मंत्रियों के हाथों में कुछ न बचा. इस बीच, वे अपने-आप को ‘प्रधान सेवक’ भी बताते रहे. धीरे-धीरे वे धार्मिक कार्यक्रमों में अधिकाधिक भाग लेने लगे. धार्मिक स्थलों की उनकी यात्राओं में भी तेजी से वृद्धि हुई. इस बीच कॉर्पोरेट दुनिया के शहंशाहों ने मीडिया पर कब्ज़ा जमा लिया. ये शहंशाह मोदी के मित्र हैं और इनके नियंत्रण वाला मीडिया मोदी को एक महान शासक बताने लगा. फिर 2019 के चुनाव में उन्हें चौकीदार बताया गया. यह अलग बात है कि चौकीदार ने ही देश की संपत्ति उनके प्रिय उद्योपतियों को सौंपी दी. देश का धार्मिक नेता भी बनने की मोदी की इच्छा भगवान राम की मूर्तियों की प्राणप्रतिष्ठा समारोह में एकदम साफ़ नज़र आई.

वर्तमान में स्थिति यह है कि पूरी सत्ता उनके हाथों में केन्द्रित है. अब वे एक कदम और आगे बढ़ रहे हैं.

आमचुनाव के प्रचार के दौरान उन्होंने एक साक्षात्कार में कहा, “जब तक मेरी मां जीवित थीं, तब तक मुझे लगता था कि मैंने जैविक रूप से जन्म लिया है. उनके जाने के बाद, इन सारे अनुभवों को जोड़ कर देखने से, मैं इस नतीजे पर पहुंचा हूँ कि परमात्मा ने मुझे भेजा है. यह उर्जा मेरे जैविक शरीर की नहीं हो सकती. यह परमात्मा ने मुझे दी है. मैं मानता हूँ कि परमात्मा ने मुझे इसके लिए विधा भी दी है, प्रेरणा भी और नेक दिल भी….मैं कुछ भी नहीं केवल एक यन्त्र हूँ. इसलिए जब भी मैं कुछ करता हूँ तो मैं मानता हूँ कि परमात्मा मुझे रास्ता दिखा रहा है.” उन्होंने यह भी कहा कि जो लोग उन्हें वोट देंगे, उन्हें उनके (मोदी) के अच्छे कामों का पुण्य मिलगा. मोदी क्या अच्छे काम कर रहे हैं? वे प्रजातंत्र को कमज़ोर कर रहे हैं, अपने चमचों के फायदे के लिए नीतियां बना रहे हैं, मुसलमानों और ईसाईयों का हाशियाकरण कर रहे हैं और प्राचीन भारत में व्याप्त ऊंच-नीच के मूल्यों का महिमामंडन कर रहे हैं.

मोदी का ‘मुझे परमात्मा ने भेजा है’ वाला बयान गोदी मीडिया के एंकरों के इस पुराने प्रश्न का उत्तर भी है कि उन्हें इतनी उर्जा कहाँ से मिलती है. जो लोग उनके आसपास हैं, उनमें उनकी नीतियों और निर्णयों पर प्रश्न उठाने की हिम्मत तो है नहीं. वे सिर्फ उनकी छवि निर्माण में लगे रहते हैं. कंगना रनौत सहित उनके कई भक्तगण पहले ही कह चुके हैं कि मोदी जी ईश्वर के अवतार हैं. अब मोदी ने खुद भी यह साफ़ कर दिया है कि वे अपने भक्तों से सहमत हैं और उनका देवत्व ही उनकी असाधारण ऊर्जा का स्त्रोत है.

यह कहना मुश्किल है कि क्या अन्य सभी तानाशाह भी स्वयं को भगवान मानते थे. मगर कम से कम एक तानाशाह ऐसा था जो यह मानता था कि वह भगवान है. यह बात एक पुस्तक में कही गयी थी, जिसे उसने स्वयं  एक छद्म नाम से लिखा था. यह तानाशाह था एडोल्फ़ हिटलर और यह पुस्तक थी 1923 में प्रकाशित हिटलर की जीवनी ‘एडोल्फ हिटलर: हिज लाइफ एंड स्पीचेस’. इस पुस्तक में हिटलर की तुलना ईसा मसीह से की गयी थी. इस पुस्तक के लेखक के रूप में जर्मन सामंत और योद्धा विक्टर वोन केयरबेर का नाम प्रकाशित था. मगर एक अध्येता के अनुसार, इसे हिटलर ने स्वयं अपनी लोकप्रियता बढ़ाने के लिए लिखा था.

अब क्रोनोलॉजी समझिए. बचपन में नरेन्द्र मोदी मगरमच्छ पकड़ते थे. गुजरात के मुख्यमंत्री बतौर जब वहां दंगे हो रहे थे तब वे नीरो की तरह बांसुरी बजा रहे थे. फिर वे प्रधान सेवक बने. इसके बाद उन्होंने चौकीदार की भूमिका अख्तियार की. और अब वे हमें बता रहे हैं कि उन्हें तो परमात्मा ने एक विशेष मिशन पर भारतभूमि में भेजा है. उनके भक्तगण हमें पहले ही बता चुके हैं कि उनमें असाधारण ऊर्जा है. वे दिन में सिर्फ एक बार भोजन करते हैं और केवल तीन घंटे सोते हैं.

28/05/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं) 

Loading

મોદી, બાપુ  તેમ જ સાંપ્રત સામાન્ય ચૂંટણીઓ વિષે ‘રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનાલ’ સાથેની તુષાર ગાંધીની મુલાકાત

અનુવાદ : આશા બૂચ|Gandhiana|31 May 2024

તુષાર ગાંધી : “નરેન્દ્ર મોદીના શાસન હેઠળનું ભારત ગાંધીને વિસરી ગયું અને તેના હત્યારાને સન્માન આપવાનું પસંદ કરે છે.” 

રેડિયો ફ્રાન્સ ઈન્ટરનેશનાલે  (Radio France Internationale) પર તુષારભાઈ ગાંધીની મુલાકાત. તીર્થંકર ચંડા દ્વારા પ્રતિભાવનું થયેલ સંકલન 

(મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલ, ઇંગ્લિશમાં અનુવાદ મેળવીને ગુજરાતીમાં કરેલ અનુવાદ) 

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી લેખક, કર્મશીલ અને ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનના નિયામક છે. 

રેડિયો મુલાકાતનો અનુવાદ પ્રસ્તુત :

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર દિલગીરી સાથે જણાવે છે કે દિલ્હી સ્થિત હિન્દુ શાસન વ્યવસ્થાએ ગાંધીના અહિંસા અને બહુમતવાદ જેવાં મૂલ્યો ત્યજી દીધાં છે અને “ઇસ્લામ પ્રત્યે ખોટી ભીતિની આગ ભડકાવવા”નું કામ કરી રહી છે. ચૂંટણી ચોથા તબક્કામાં પ્રવેશી રહી છે તે સમયે ગાંધીનાં સ્વપ્નનું ભારત, કે જ્યાં બહુમતી અને લઘુમતી સમાજના સભ્યો જૂના પૂર્વગ્રહો અને કોમી હિંસાની પરંપરાને વિસરી જઈને હળીમળીને સહજીવન જીવતા હોય તેવા ભારતની કલ્પનાથી  હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષની છત્રછાયામાં જીવતું ભારત કઈ રીતે દૂર ફેંકાઈ રહ્યું છે, એ યાદ અપાવી રહ્યા છે.

રેડિયો ફ્રાન્સ ઇન્ટરનેશનાલે (RFI) : આપે આપના પ્રખ્યાત વડ દાદાને પ્રત્યક્ષ જોયા નથી, પરંતુ આપનો ઉછેર એક રીતે એ મહાન વ્યક્તિની છત્રછાયામાં થયો છે. આવા વિશેષ અધિકારો મળેલા એવા આપના બાળપણની કઈ યાદગાર બાબતો આપે જાળવી રાખી છે? 

તુષાર ગાંધી : ખરી વાત છે, બાપુ, કે જે મારા પ્રપિતામહ હતા, તેમની હત્યાના એક દાયકાથી વધુ સમય બાદ મારો જન્મ થયો. આમ છતાં હું નસીબદાર હતો કે મારો ઉછેર એવા ભારતમાં થયો કે જ્યાં એમની સ્મૃતિ લોકોના દિલ–દિમાગમાં સદાય વસતી હતી. મુંબઈના અમારા ઘરમાં મારા પ્રપિતામહના હમસફર લોકો નિયમિત રીતે આવીને રહેતા, જેઓ બા અને બાપુના સહજીવનની વાતો અમને કરતા. આ ‘ગાંધીયન’ કહેવાતાં બહેનો અને ભાઈઓને નિકટથી જાણવાનો મને લાભ મળેલો. એ લોકોને સાંભળતો ત્યારે મને પ્રતીત થતું કે બાપુ હજુ અમારી વચ્ચે હાજર છે. મને ક્યારેક મારા પિતાની ઈર્ષ્યા થતી કેમ કે તેમને કિશોરાવસ્થામાં બાપુ સાથે રહેવાની તક મળેલી. પણ મારી કુમારાવસ્થામાં પણ ગાંધીએ સંનિષ્ઠ પૂજ્યભાવનો આનંદ મેળવેલો, જ્યારે આજે મને એમ લાગે છે કે હું એવા ભારતમાં રહું છું, જે ગાંધીને ભૂલી ગયું છે અને તેના હત્યારા નથુરામ ગોડસેને વધુ માન આપે છે. 

RFI : આધુનિક યુગમાં ‘રાષ્ટ્રપિતા’નો ખ્યાલ કાલગ્રસ્ત થઇ ગયો છે અને વિવાદાસ્પદ બન્યો છે  એ શું સાચું નથી? 

તુષાર ગાંધી : એ ખરું છે કે ‘મહાત્મા’ અને ‘રાષ્ટ્રપિતા’ જેવા પારિભાષિક શબ્દો હવે આપણને આકર્ષતા નથી, પરંતુ આ વ્યક્તિએ જે નૈતિક અને સૈદ્ધાંતિક મૂલ્યોને પોતાના દૈનિક જીવનમાં વણી લેવાની સાથે બીજામાં વહેતાં કર્યા એ હજુ આજના યુગમાં પણ સુસંગત છે. મને ‘રાષ્ટ્રપિતા’ ગાંધીની જરા પણ પરવા નથી. પણ બીજી બાજુ હું ગાંધી – એક માનવી તરીકે સ્મરણમાં રાખવા ઈચ્છું છું.

RFI : આપ કયાં ગાંધી મૂલ્યો ભાવિ પેઢીને સોંપી જવા માંગો છો?  

તુષાર ગાંધી : સમાનતા, ન્યાય, શાંતિ, અહિંસા … આ બધાં મૂલ્યો ભારતના રાજ્યબંધારણનો પ્રાસ્તાવિક ખરડો તૈયાર થયો તે સમયથી તેમાં પ્રતિસ્થાપિત થયેલા જ છે. આ કોઈ અમૂર્ત મૂલ્યો નથી, પણ મોહનદાસ ગાંધી નામના માનવીના જીવનમાંથી પ્રેરણા મેળવેલાં મૂલ્યો છે. 

RFI : આપની એવી માન્યતા છે કે હિન્દુ વિચારધારા પર નભતી સરકારના શાસનનાં દસ વર્ષ બાદ દેશ સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને બહુમતવાદથી દૂર નીકળી ગયો છે, જેને ગાંધીએ પોતાના જીવન દરમિયાન મૂર્ત સ્વરૂપ આપેલું?

મહાત્મા ગાંધી, મીઠુબહેન પિટીટ અને સરોજિની નાયડુ, મીઠાના સત્યાગ્રહ માર્ચ 1930.

તુષાર ગાંધી : ગાંધીના ચારિત્ર્યની પવિત્રતાની સુવાસ દિલ્હીમાં સત્તા પર બેઠેલી હિન્દુ કટ્ટરવાદી સરકારના કબજામાં નથી. ગાંધીના જીવનકાળ દરમિયાન એ લોકો તેની સામે લડ્યા અને 2014માં જેવા સત્તા પર આવ્યા, કે તરત અહિંસા, ન્યાયીપણું અને બહુમતવાદ માટેના આદર જેવાં મૂલ્યો ફગાવી દીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર નફરત, વિભાજન અને ધ્રુવીકરણને પ્રોત્સાહન આપે છે, ભડકાવે છે. આ સરકારે સમાજમાં કોમવાદનો ફેલાવો અમલમાં મુક્યો છે, એ ગાંધી કરતાં હજારો માઈલ દૂર છે, જેમણે સમાજના દરેક સભ્ય સમાન ગરિમા સાથે જીવે અને હિન્દુ–મુસ્લિમ સુમેળથી રહે તે માટે લડત આપી. ગાંધી મૂલ્યોથી દેશ કેટલો દૂર નીકળી ગયો છે એ સમજવા માટે હાલના ચૂંટણીના માહોલને જાણવો પૂરતો થઈ રહેશે. હું આપની સાથે વાત કરી રહ્યો છું ત્યારે નરેન્દ્ર મોદી મુસ્લિમો પ્રત્યે ભયની લાગણી ફેલાવીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. નફરતથી ધેરાયેલા આ ઇન્ડિયામાં ગાંધીનું કોઈ સ્થાન નથી.  

RFI : જ્યારે આપ કહો છો કે મોદીના ભારતમાં ગાંધીનું કોઈ સ્થાન નથી ત્યારે ગાંધીના દૃષ્ટિકોણને અને આઝાદીના સંગ્રામમાં તેમની મહત્ત્વની ભૂમિકાને વિકૃત કરીને છપાયેલા ઇતિહાસનાં નવાં પુસ્તકોનો વિચાર કર્યા વિના કેમ ચાલે? 

તુષાર ગાંધી : પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં માત્ર ગાંધીનો જ સમાવેશ કરવામાં નથી આવ્યો એવું નથી. ભારતના ઇતિહાસ પર જેનો મહત્ત્વનો પ્રભાવ હતો એ મોગલ સામ્રાજ્યને પણ ઇતિહાસનાં પાના પરથી અદૃશ્ય કરી દેવામાં આવ્યા છે. ભારતની સરકારનું ધ્યેય નાની ઉંમરના બાળકોના મગજમાં ઇસ્લામ પ્રત્યે ભયની લાગણી ફેલાવવાનું છે. ગાંધીની હત્યાના સંદર્ભમાં આર.એસ.એસ. સંગઠનના હિન્દુ કટ્ટરવાદીઓની ભૂમિકા અને હિન્દુ રાષ્ટ્રવાદીઓનો વૈચારિક ઢાંચો એ તમામ હકીકતને સ્મૃતિમાંથી ભૂંસી નાખવામાં આવી છે. ભાવિ પેઢી મોગલ સામ્રાજ્ય દરમિયાન ભારત કેવો વૈભવ ભોગવતું હતું કે હાલના વડા પ્રધાન જેવી મુસ્લિમ વિરુદ્ધ વિચારધારા ધરાવતા નેતાઓના પ્યાદા બનેલા એક મનોવિકૃતિ ધરાવનાર માણસના હાથે જેમના અવાજને શાંત કરી દેવામાં આવ્યા એ ગાંધીની ભારતને સ્વતંત્ર કરવામાં શી ભૂમિકા હતી એ ક્યારે ય જાણવા નહીં મળે. 

RFI : આ હકીકત પણ આંતરરાષ્ટ્રીય તખ્તા પર ગાંધીને અંજલિ આપતા મોદીને રોકતી નથી.

તુષાર ગાંધી : વિદેશી સરકારના વડાઓ ભારતની મુલાકાતે આવે ત્યારે ગાંધી સાથે સંકળાયેલા પ્રખ્યાત સ્થળો બતાવવા માટે માર્ગદર્શક થતા પણ તેઓ અટકતા નથી. નરેન્દ્ર મોદીએ દુનિયાના ઘણા દેશોની રાજધાનીની સફર કરી, ત્યાં ભારતના રાષ્ટ્રપિતાને અંજલિ આપી કેમ કે તેઓ જાણે છે કે વિદેશમાં વસતા લોકોના મનમાં ભારત સાથે ગાંધી મૂલ્યો અભિન્નપણે જોડાયેલાં છે. મોદીની અંજલિ એટલે સારું ભાષણ અને ખાલી શબ્દો સિવાય કશું નથી, કેમ કે દેશમાં તો તેમની સરકાર ગાંધીની સ્મૃતિને નામશેષ કરવા અને ગાંધીના ધર્મ નિરપેક્ષતા અને અહિંસા જેવાં મૂલ્યોને પગ તળે કચડવાનું જ કામ કરી રહી છે. તો વળી તાજેતરનાં વર્ષોમાં ગાંધીની પ્રતિમા ફરી દેખા દેવા લાગી છે, જેમ કે ‘સ્વચ્છ ભારત’ જેવા જાહેર સ્વાસ્થ્યના અભિયાનમાં, જેમાં દરેક ઘરમાં શૌચાલય પૂરા પાડવાની જોગવાઈ છે જેથી જાહેરમાં મળત્યાગનો પ્રશ્ન ન રહે, કે જે ભારતમાં જાહેર સ્વાસ્થ્યને લગતી મોટી સમસ્યા છે. આ અભિયાન માટે ગાંધીના ગોળ ફ્રેમના ચશ્માં પહેરેલ ચહેરો માસ્કોટ તરીકે મુકવામાં આવ્યો હતો. જો કે મોદીના સામાજિક હિતમાં ઊભા કરેલા પ્રકલ્પોની મુશ્કેલી એ છે કે તેનો અમલ ક્યારે ય નથી થતો. જેને માટે વચન આપવામાં આવ્યું હતું અને જાહેરખબર અને વહીવટી પત્રવ્યવહાર પાછળ પુષ્કળ ખર્ચ કરવામાં આવ્યું હતું એ વાપરી શકાય તેવા જાજરૂ, અથવા માત્ર જાજરૂની ભારતમાં લાખો ઘર હજુ પણ રાહ જુએ છે. 

RFI : ગાંધી અને મોદીમાં એક સામ્ય છે, તે છે તેમની ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા. ગાંધીના અંતેવાસીઓના કહેવા પ્રમાણે તેઓ દિવસની શરૂઆત રામનું ભજન ગાઈને કરતા. ભારતના વડા પ્રધાને તાજેતરમાં ભારે ભભકા સાથે આ દેવનું ભારે વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. જેના વિષે ઘણો વિવાદ ઊભો થયો છે એવા આ મંદિરને ગાંધીએ પોતાની અનુમતિ આપી હોત? 

તુષાર ગાંધી : ના, રામ ઉપર શ્રદ્ધા હોવા છતાં ગાંધીએ આ મંદિરના નિર્માણ માટે કદી અનુમતિ ન આપી હોત. ભારતીય પુરાણોમાં રામની ન્યાયપ્રિયતા ને કરુણા જેવા માનવીય ગુણો દર્શાવવામાં આવ્યા છે તેના માટે ગાંધીને શ્રદ્ધા હતી. એ ભૂલવું ન જોઈએ કે બહુ થોડાં વર્ષો પહેલાં આ સ્થળે આપણા મુસ્લિમ ભાઈઓ માટે અતિ મહત્ત્વની ગણાય તેવી મસ્જિદ હતી, તે સ્થળે આ મંદિર બંધાયું છે. હિન્દુ ધર્માંધ અને ઝનૂની લોકોએ પોતાના હાથે એ મસ્જિદને તોડી પાડી અને તેના પર રામનું મંદિર રચ્યું. બધા રાજકારણીઓ એ જોવા માટે ઉમટી પડ્યા, ગાંધીએ કદી આવી મેલી રમતમાં ભાગ ન લીધો હોત, કેમ કે આ તો નફરત અને ઝનૂનીપણાને પોષે છે, તેમાં અધ્યાત્મ જરા પણ નથી. 

RFI : જો પોલ પર વિશ્વાસ મૂકીએ તો 19મી એપ્રિલથી શરૂ થયેલી ચૂંટણી હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ જીત તરફ કૂચ કરી રહ્યો છે. મોદીની નવી સરકાર સામે ગાંધીનાં ધર્મનિરપેક્ષતા, ન્યાય, સમાનતા જેવાં મૂલ્યો, કે જેને હજુ ઘણા ભારતવાસીઓ વળગી રહ્યા છે એની સુરક્ષા આપ કઈ રીતે કરશો? 

તુષાર ગાંધી : બીજા ગાંધીવાદીઓની માફક મારા અંતિમ શ્વાસ સુધી હું બહુસાંસ્કૃતિક, અહિંસક અને સર્વ સમાવેશી ભારત, કે જેનું મારા પ્રપિતામહ અને તેમના સાથીદારોને સ્વપ્ન જોયેલું તેની રક્ષા કરીશ એવી પ્રતિજ્ઞા લઉં છું. જો હિન્દુરાષ્ટ્રવાદી પક્ષ આ ચૂંટણી જીતશે તો અમે નેક લોકો આ જંગ હારી જશું, પણ લડાઈ નહીં હારીએ. એ લડાઈ નફરત પર સહકાર અને વિભાજન પર ઐક્યનો વિજય થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

e.mail : 71abuch@gmail.com

Tushar Gandhi’s interview in RFI France on Modi, Bapu and current election. For those who can read French :-

https://www.rfi.fr/fr/asie-pacifique/20240513-tushar-gandhi-l-inde-sous-narendra-modi-a-oubli%C3%A9-gandhi-et-pr%C3%A9f%C3%A8re-honorer-son-meurtrier

https://www.rfi.fr/fr/asie-pacifique/20240513-tushar-gandhi-l-inde-sous-narendra-modi-a-oubli%C3%A9-gandhi-et-pr%C3%A9f%C3%A8re-honorer-son-meurtrier

Loading

ઓગણીસમી સદીની એક બહુરૂપી પ્રતિભા

દીપક મહેતા|Opinion - Literature|31 May 2024

જૂની મૂડી  

એ બહુરૂપી પ્રતિભાનું નામ : કેખુશરો નવરોજજી કાબરાજી. ગામ : મુંબઈ. કામ : પત્રકારત્વ. પણ મનનું ધામ તો નાટક અને રંગભૂમિ. ૧૮૪૨ના ઓગસ્ટની ૨૧મી તારીખે મુંબઈમાં જન્મ. મૂળ વતન સુરત. અણધારી રીતે કુટુંબ પર આવી પડેલી આર્થિક મુશ્કેલીને કારણે અભ્યાસ છોડીને મહિને ચાર રૂપિયાના પગારની નોકરી ‘પારસી મિત્ર’માં લેવી પડી. ત્યારથી જીવનના અંત સુધી કેખુશરો વ્યવસાયે પત્રકાર જ રહ્યા. પણ ‘પારસી મિત્ર’ની નોકરી ઝાઝો વખત કરી શક્યા નહિ. થોડા વખત પછી મહિને વીસ રૂપિયાના પગારે ‘જામે જમશેદ’ અખબારમાં રિપોર્ટર તરીકે જોડાયા. પછી તેના મદદનીશ તંત્રી બન્યા. માલિકો સાથેના મતભેદને કારણે તંત્રી સોરાબજી મંચેરજી છૂટા થતાં કેખુશરોને તંત્રીની જવાબદારી માલિકોએ સોંપી. એ વખતે તેમની ઉંમર ૧૭ વરસની!

એક વખત મુંબઈની ‘જ્ઞાન વર્ધક સભા’એ કાબરાજીનું જાહેર ભાષણ ગોઠવ્યું. વિષય હતો ‘સ્ત્રી જાતિ.’ શ્રોતાઓમાંના એક હતા પ્રખ્યાત સમાજ સુધારક કરસનદાસ મૂળજી. કેખુશરોના વક્તવ્ય અને વિચારોથી પ્રભાવિત થયા. થોડા વખતમાં બન્ને નજીક આવ્યા. કરસનદાસે રાસ્ત ગોફતાર સામયિકમાં જોડાવા આમંત્રણ આપ્યું. કેટલાક પારસીઓએ ૧૮૫૭ની પહેલી જાન્યુઆરીથી સ્ત્રીબોધ નામનું માસિક શરૂ કરેલું. આપણા આખા દેશનું એ સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું સામયિક. એવું ઠરાવાયું કે કેખુશરો રાસ્ત ગોફ્તારના મદદનીશ તંત્રી તરીકે કામ કરે. પગાર ૫૦ રૂપિયા. સાથોસાથ સ્ત્રીબોધના તંત્રી તરીકે પણ કામ કરે. પગાર રૂપિયા ત્રીસ. ૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે કરસનદાસ વિલાયતની મુસાફરીએ જતાં કાબરાજી રાસ્ત ગોફતારના તંત્રી બન્યા અને ૪૦ વરસ સુધી એ જવાબદારી સંભાળી. તેવી જ રીતે ૧૯૦૪ના એપ્રિલની ૨૫મીએ બેહસ્તનશીન થયા ત્યાં સુધી કાબરાજી સ્ત્રીબોધના તંત્રીપદે રહ્યા. કાબરાજી પછી તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ ૧૯૧૨થી ૧૯૪૨ સુધી સ્ત્રીબોધનાં તંત્રી રહ્યાં.

પણ કાબરાજી પત્રકાર ઉપરાંત ઉમદા લેખક પણ હતા. રંગભૂમિ પર ભજવવા માટે કાબરાજીએ મોટી સંખ્યામાં નાટકો લખ્યાં, જેમાંનાં કેટલાંક રૂપાંતરો હતાં. તખ્તાલાયકી એ તેમનાં નાટકોનો સૌથી મોટો ગુણ. કાબરાજીનું પહેલું નાટક શેરના સવાશેર ૧૮૬૩માં સ્ત્રીબોધમાં પ્રગટ થયું અને છેલ્લું નાટક ધીરજનું ધન ૧૮૭૧માં. તેમનાં બીજાં કેટલાંક નાટકો : જમશેદ, નિંદાખાનું, ભોલી જાન, વિનાશ કાલે વિપરિત બુદ્ધિ, બેજન અને મનીજેહ, નંદબત્રીસી.

પણ ઐતિહાસિક દૃષ્ટિએ તેમનાં છપાયેલાં નાટકો કરતાં પણ તેમની નવલકથાઓ વધુ મહત્ત્વ ધરાવે છે. કારણ એ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતીમાં ધારાવાહિક નવલકથા છાપવાની પહેલ કરી. તેમની પહેલી નવલકથા ભોલો દોલો (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન સ્ત્રીબોધમાં પ્રગટ થઈ હતી. છેલ્લી નવલકથા સોલી શેઠની સુનાઈ ૧૯૦૪માં. આમ, ૧૮૭૧થી ૧૯૦૪ સુધી સતત ૩૩ વર્ષ સ્ત્રીબોધ ધારાવાહિક નવલકથા પ્રગટ કરતું રહ્યું.

આમ જોઈએ તો કસરતશાળા અને નાટકશાળા વચ્ચે કોઈ સંબંધ હોવાનો વહેમ પણ ભાગ્યે જ જાય. પણ કાબરાજીની બાબતમાં કસરતશાળા જ તેમને નાટકશાળા તરફ ખેંચી ગઈ. પારસી યુવાનોની શરીર સંપત્તિ વધારવા માટે બીજા કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૬૭માં તેમણે ‘કસરતશાળા સ્થાપક મંડળી’ બનાવીને કસરતશાળા શરૂ કરી. પણ થોડા વખત પછી પૈસાને અભાવે તે બંધ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ. ત્યારે નાટક ભજવીને તેની આવક દ્વારા કસરત શાળા જીવતી રાખવાનો વિચાર કાબરાજીને આવ્યો. મિત્ર ફરામજી ગુસ્તાદજી દલાલની બંધ પડેલી નાટક મંડળીનો સરંજામ મેળવ્યો. પારસી છોકરાઓને ભેગા કર્યા. શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સનું પોતે જ રૂપાંતર કર્યું. પોતાના ‘રાસ્ત ગોફતાર’ દ્વારા મોટે પાયે આગોતરી જાહેરાત કરી. અને નાટક ભજવીને ભેગી થયેલી ૧,૪૦૦ રૂપિયાની રકમ કસરતશાળાને, ખર્ચ બાદ કર્યા વિના, આપી દીધી.

ખરું જોતાં હાથમાં લીધેલું કામ તો પૂરું થયું હતું. ભેગાં કરેલાં બધાં ફદિયાં તો આપી દીધાં, પણ નાટક ભજવવા માટે ભેગા કરેલા પોરિયાઓનું હવે કરવું શું? ફરી ફરામજીની મદદ લઈને એક નવી નાટક મંડળી ઊભી કરવાનો વિચાર આવ્યો. પણ અગાઉ કરતાં કૈંક જૂદું કરવાની ધગશ. અગાઉની પારસી નાટક મંડળીઓમાં તેના બધા નટ ભાગીદાર પણ રહેતા. કાબરાજીએ ત્રણ-ચાર માલિક અને બીજા બધા પગારદાર નોકરો એવું માળખું રાખ્યું. વળી આ મંડળીને સલાહ-સૂચન આપવા માટે જાણીતા વિદ્વાનો અને શ્રીમંતોની એક કમિટી બનાવી. નાટક કંપનીના નિયમો ઘડ્યા તેમાં એક નિયમ એવો રાખ્યો કે કોઈ પણ નવું નાટક સૌથી પહેલાં માત્ર આ કમિટીના સભ્યોને જ બતાવવું. અને તેમની મંજૂરી મળે તો જ તેના જાહેર પ્રયોગ કરવા. એ જમાનાના અગ્રણી લેખક, પત્રકાર, સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ નામ પાડ્યું વિક્ટોરિયા નાટક મંડળી.

પણ આ નાટક મંડળી સાથેનો કાબરાજીનો સંબંધ ઝાઝો ટક્યો નહિ. માલિકો સાથેના મતભેદને કારણે તેઓ છૂટા થયા અને ‘નાટક ઉત્તેજક મંડળી’ સ્થાપી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. રણછોડભાઈ ઉદયરામ, કવિ નર્મદ, અને બીજાઓનાં નાટકો ખૂબ જ સફળતાથી ભજવ્યાં.

કાબરાજીના અવસાન પછી ૧૯૦૪માં ‘સ્ત્રીબોધ’ તરફથી ‘કાબરાજી સ્મારક ગ્રંથ’ પ્રગટ થયો. કાબરાજીના નિકટના સંપર્કમાં આવેલી વ્યક્તિઓએ આ પુસ્તકમાં તેમના જીવન અને કાર્ય વિષે લખ્યું છે. કાબરાજી ગુજરાતી રંગભૂમિના પ્રારંભકોમાંના એક હતા તેથી આ પુસ્તક ગુજરાતી રંગભૂમિના ઇતિહાસની દૃષ્ટિએ પણ મહત્ત્વનું બની રહે છે.  

કાબરાજીના અવસાન પછી કવિ અરદેશર ફરામજી ખબરદારે લખ્યું :

લેખકનો સરદાર ગયો, નિજ લેખણની તલવાર ચલાવી;

કોણ હવે સરદારી ધરી રણમાંહે રહે અતિ શૌર્ય મચાવી!

બંધ થયો મધુ વાણીપ્રવાહ, ગયો કહિ અમૃતપાન કરાવી? 

કેખુશરો! લઇ તેજ ગયો, અમ માટ રહી અહિ વાટ અંધારી.

પ્રગટ: “બુદ્ધિપ્રકાશ”; મે 2024
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...553554555556...560570580...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved