Opinion Magazine
Number of visits: 9557324
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Tricolor: The spirit of India-Essence from the Past: Hope for Future

Ram Puniyani|English Bazaar Patrika - OPED|23 August 2024

Ram Puniyani

On the occasion of this Independence Day (2024) NDA Government gave a call for the third edition of Har Ghar Tiranga (Tricolor in every house). This event first began in 2022 by the BJP government. It was a great surprise; as BJP’s ideological parent RSS has been opposed to the tricolor as the national flag all through, till  26th January 2001, when “According to the case, three activists Baba Mendhe, Ramesh Kalambe and Dilip Chatwani — along with others allegedly entered the RSS premises in Reshimbagh on 26 January in 2001 and hoisted the national flag there amid patriotic slogans.”

A police case was registered against them and they were jailed (Case no 176), Nagpur 2001. They were acquitted and the 51 years of RSS not hoisting tricolor came to an end. Tricolor (that time with Charkha in the middle) had emerged as an inspiring flag during the freedom movement. When Jawaharlal Nehru became the President of INC 1929 Lahore session, he called upon the Nation to celebrate 26th January as Independence Day by hoisting the tricolor. IN contrast K. B. Hedgewar issued a circular on 21 January 1930 to hoist Bhagva Jhenda (Saffron Flag). Circular instructed the members of RSS to assemble at 6 PM at the places where shakhas met for “salutation to the National Flag, i.e., the Bhagwa Dhawaj.”

Their argument was that the saffron flag represents the Hindu nation from times past so no need for a new flag. Anyway all those participating in the freedom movement adopted the tricolor flag except those who kept aloof from anti colonial freedom struggle, Muslim League (green flag) and RSS (Saffron flag). Savarkar of Hindu Mahasabha also stood for the saffron flag.

M.S Golwalkar, the Second RSS Chief put forward the ideology of RSS vis a vis flag, he stated “It was the saffron flag which in totality represented Bhartiya [Indian] culture. It was the embodiment of God. We firmly believe that in the end the whole nation will bow before this saffron flag.”

At every stage the RSS’s unofficial mouthpiece used to come out with editorials opposing tricolor and upholding the saffron flag. The flag committee was chaired by Dr. Rajendra Prasad, and had C. Rajagopalachari, Maulana Azad, K. M. Munshi and Dr. Ambedkar as its members. They considered all the other proposals and came to finalize Congress’s flag, the tricolor with the difference that the Charkha in the flag was replaced by Ashok Chakra with 24 spokes in the flag. While moving the resolution for the flag in the Constituent Assembly, Nehru with full appreciation of India’s history and culture saw the flag as a continuation of the glorious tradition of the past and hope for the future. His remarkably touching speech referred to the great sacrifices of Indian people to throw away the shackles of slavery. He also related it to Asoka and his international fame and message of peace and saw in it a bridge to the global community.

As per Nehru, “We thought of a Flag which in its combination and in its separate parts would somehow represent the spirit of the nation, the tradition of the nation, that mixed spirit and tradition which has grown up through thousands of years in India… we have associated with this Flag of ours not only this emblem but in a sense the name of Asoka, one of the most magnificent names not only in India’s history but in world history “

Despite this the RSS, Sangh Parivar, continued with glorifying of Hindu nationalist ideology. Golwalkar further wrote in “Bunch of Thoughts“. Even after Independence, it was the RSS which refused to accept the Tricolor as the National Flag. Golwalkar, while denouncing the choice of the Tricolor as the National Flag, in an essay entitled ‘Drifting and Drifting’ in the book, ‘Bunch of Thoughts’ (collection of writings/speeches of Golwalkar), wrote: “Our leaders have set up a new flag for our country. Why did they do so? It is just a case of drifting and imitating….Ours is an ancient and great nation with a glorious past. Then, had we no flag of our own? Had we no national emblem in all these thousands of years? Undoubtedly we had. Then why this utter void, this utter vacuum in our minds?”

Savarkar too refused to accept the Tricolor as the national flag. Demanding its boycott, declared in a statement on September 22, 1941: “So far as the flag question is concerned, the Hindus know no flag representing Hindudom as a whole than the ‘Kundalini Kripanankit’ Mahasabha flag with the ‘Om and the Swastik’ the most ancient symbols of the Hindu race and policy coming down from age to age and honored throughout Hindusthan… Therefore, any place or function where this Pan-Hindu flag is not honored should be boycotted by the Hindusanghatanists [members of the Hindu Mahasabha]…”

In a way this Har Ghar tirnaga is a clever move by the BJP Government. As per the changing times, it keeps its core agenda of Hindu nationalism unchanged and is adept to symbolic changes. It has a twin policy about symbols. On one hand to adopt some symbols which are very deeply rooted in the peoples’ psyche. On the other it has also tried to introduce celebrations of some days to promote divisive agenda. It has also floated the celebration of days (14th August) as ‘Partition Horrors remembrance day’ with the aim to propagate that partition led to the tragedy for Hindus, while keeping mum on the loss of Muslim community. The 25th December has been declared as ‘Good Governance day’ and has been promoted to mark Atal Bihari Vajpayee’s birthday. It is a deliberate attempt to undermine the celebration of Christmas.

The same Tiranga has also been used as an instrument of intimidation, when hoards of youth on the pretext of religious celebrations take out their rallies waving tricolor through the Muslim majority areas or climb up mosques to hoist tricolor particularly on Ram Navami days! The deeper intent of BJP in Har Ghar Tiranga is merely for optics, bereft of the deeper commitment to the message inherent in this flag, sacrifice, peace and unity in diversity.

—

Loading

એક તરફ સરકાર શિક્ષકો રાખવા રાજી નથી ને બીજી તરફ છે તે શિક્ષકો ફરજ પર હાજર રહેતા નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 August 2024

રવીન્દ્ર પારેખ

2017થી ગુજરાત સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં અખાડા કરે છે ને આજે 42 હજાર શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષણનો કારભાર ચાલે છે. શિક્ષણને મામલે સરકાર એટલી ગરીબ છે કે તે જ્ઞાન સહાયકોને ફિક્સ પગારે રાખીને આંગળા ચાટીને પેટ ભરે છે ને આ દારિદ્રય અનેક સ્તરે સક્રિય છે. સરકાર પાસે નથી પૂરતી સ્કૂલો કે નથી પૂરતા વર્ગો કે નથી જરૂરી શૈક્ષણિક સામગ્રી. આ ગરીબી નથી, નકરી કંજૂસાઈ છે. ગુજરાતનો શિક્ષણ વિભાગ પૂરતા શિક્ષકો નથી ધરાવતો, પણ શિક્ષણ મંત્રીઓ એકથી વધારે ધરાવે છે ને તે કૈં કોન્ટ્રાક્ટ પર કે ફિક્સ પગારે નથી. આખો શિક્ષણ વિભાગ પગાર અને અન્ય લાભો પેટ ભરીને લે છે. તેઓ રિટાયર થશે તો નિવૃત્તિના પેન્શન વગેરે લાભો પણ ધરાઈને લેશે, પણ એ લાભો ન આપવા પડે એટલે સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરતી નથી. 21 ઓગસ્ટે જૂની પેન્શન યોજના સંદર્ભે શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું છે ને તેનો ઠરાવ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહે એમ લાગે છે. એ નથી સમજાતું કે સરકારને કોઈ ટોકે એવી સ્થિતિ ગુજરાતમાં કેમ નથી? કેન્દ્ર સરકારને એ ખબર છે ખરી કે ગુજરાત શિક્ષણને મામલે મરી પરવાર્યું છે?

આખા દેશના શિક્ષણ બોર્ડની વાત કરીએ તો ગયે વર્ષે ધોરણ 10 અને 12માં 65 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 3 નેશનલ બોર્ડ અને 56 રાજ્ય બોર્ડની આ સ્થિતિ છે, તેમાં પણ રાજ્ય બોર્ડનાં પરિણામો વધુ નિરાશ કરનારા છે. સેન્ટ્રલ બોર્ડમાં ધોરણ 10માં 6 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, તો રાજ્ય બોર્ડમાં એ ટકાવારી 16ની છે. એ જ રીતે ધોરણ 12માં સેન્ટ્રલ બોર્ડમાં 12 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જ્યારે રાજ્ય બોર્ડમાં એ ટકાવારી 18ની છે. આ હાલત હોય ત્યારે શિક્ષકો વગર ચલાવવાની સરકારની દાનત બધી રીતે ધિક્કારને પાત્ર છે. કરુણતા એ છે કે આ પરિણામો નવી શિક્ષણ નીતિ લાગુ થઈ એ પછીનાં છે. નવી શિક્ષણ નીતિનો અર્થ શિક્ષણનો હ્રાસ એવો તો ન હોયને !

આટલું ઓછું હોય તેમ નોકરીમાં છે તેમાંના ઘણા શિક્ષકો હરામખોરી પર ઊતરી આવ્યાં છે અને એ અત્યંત શરમજનક છે. 9 ઓગસ્ટે એવા સમાચાર આવ્યા કે દાંતા તાલુકાની પાન્છાની પ્રાથમિક શાળાની ભાવનાબહેન કે. પટેલ નામની એક શિક્ષિકા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી છે ને તે અંબાજી નજીકની આ શાળામાં શિક્ષિકા તરીકે હાજર બતાવાય છે. તેનો રજાનો કોઈ રિપોર્ટ નથી કે નથી તેનું કોઈ રાજીનામું. તે દર વર્ષે દિવાળી વેકેશનમાં સ્કૂલે આવે છે ને દિવાળીની રજાઓ સહિતનો ત્રણેક મહિનાનો પગાર પણ લે છે. વાત તો એવી પણ છે કે તેનો આઠ વર્ષથી નિયમિત પગાર થાય છે. સાચું ખોટું તો સ્કૂલ જાણે, પણ દિવાળી વખતનો પગાર તો લેવાય જ છે એમાં કોઈ શંકા નથી. શિક્ષણ અધિકારી પગલાં ભરવાની વાત તો કરે છે, જોઈએ શું તોડ પડે છે તે ! શિક્ષણ મંત્રી ડિંડોરે તો કહ્યું છે કે એ બહેનને બરતરફ કર્યાં છે, પણ બનાસકાંઠાના બરતરફ થયેલ 32 શિક્ષકોની યાદીમાં ભાવનાબહેનનું નામ નથી. વાત બનાસકાંઠાની જ નથી, ખેડા, મહેસાણા, કડી, વડનગર, સૂરત એમ ઘણાં નગરોમાંથી શિક્ષકોની લાંબી ગેરહાજરીના અને વિદેશગમનના કિસ્સાઓ બહાર આવ્યા છે ને સરકાર મોડી મોડી પણ એ મામલે પગલાં ભરવા જાગી છે ખરી.

10 ઓગસ્ટે બાયડના મુખ્ય શિક્ષક આશિષ પટેલ એટલે છાપે ચડ્યા કે તેમનો વ્યવસાય બીજો જ છે ને નોકરી સ્કૂલમાં છે. સ્કૂલે ન પહોંચી વળતાં, સાહેબે તેમની જગ્યાએ એક ભાડૂતી માણસ રાખ્યો, જેથી ધંધાને વાંધો ન આવે ને શિક્ષણનું પણ પડીકું ન વળી જાય. પ્રાથમિક શાળામાં બે શિક્ષકોનું મહેકમ છે ને બંને એક જ ગામના છે એટલે એક ઘરમાં ને એક સ્કૂલમાં એમ ગાડું ગબડે છે. આશિષ સર ભલા બહુ. બાળકોનો અભ્યાસ ન બગડે એટલે એમણે ભાડૂતી માણસ રાખ્યો. કાલ ઊઠીને સરકાર જ આવા ધંધાદારી આચાર્ય માટે એક એક ભાડૂતી માણસ પ્રોવાઈડ કરે તો નવાઈ નહીં ! આમ પણ સ્કૂલોમાં ભણાવવાનું તો ખાસ રહ્યું નથી, એટલે શિક્ષકોને બદલે કારકૂનો રખાય તો ય બહુ વાંધો આવે એમ નથી. શિક્ષક હોય તો તેણે પણ કામ તો કારકૂનનું જ કરવાનું છે. પરિપત્રોના જવાબો આપવા કે ડેટા મોકલવા કે પ્રવેશોત્સવ, શિક્ષા સપ્તાહ, નારી વંદના કાર્યક્રમ જેવા એટલા કાર્યક્રમો થાય છે કે શિક્ષકોએ તેનો વીડિયો ઉતારીને કે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરવાના હોય છે. એમાં બાળકો, શિક્ષકો, આચાર્યો એમ બધાં જ જોડાય છે. હવે આવી ભાંજગડમાં ભણાવવાની જગ્યા જ ક્યાં રહે? એટલે જ શિક્ષકો સ્કૂલોમાં ઓછા ને બીજે વધારે જણાય છે. એ જ કારણે કેટલાક શિક્ષકો વિદેશ રહીને કે લાંબી રજા પર ઊતરીને પણ સ્કૂલમાં હાજરી પુરાવી શકે છે.

જો કે, અન્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શાળામાં લાંબી ગેરહાજરી ભોગવતા શિક્ષકોની તપાસના હુકમો આપ્યા છે ને કોઈ જવાબદાર હશે તો તેની સામે આકરાં પગલાં ભરવાની જાહેરાત પણ કરી છે. સુરતની શિક્ષણ સમિતિમાં પણ 3 શિક્ષકો 6 મહિનાથી ચાલુ પગારે વિદેશમાં છે. એ પણ નોટિસ પ્રક્રિયા પૂર્ણ થતાં ટર્મિનેટ થાય એમ બને. એક તરફ હજાર શિક્ષકોની ઘટ બોલે છે ને બીજી તરફ સમિતિના 100 શિક્ષકો કોઈને કોઈ બહાને વર્ગમાં ક્લાસ લેવાનું ટાળે છે. કેટલાક શિક્ષકો તો સમિતિની ઓફિસમાં જ પડ્યા પાથર્યા રહે છે. એમને શું લાભ છે તે તો તેઓ જાણે, પણ અધિકારીઓ કયા લોભે એમને સમિતિમાં પડી રહેવા દે છે તે નથી સમજાતું. બને છે એવું કે જે શિક્ષકો સ્કૂલમાં રહીને ફરજ બજાવે છે, એમને વધારાના વર્ગો લેવાનો બોજ વધે જ છે. એટલું સારું છે કે આમાં ક્યાં ય વિદ્યાર્થીઓનો વિચાર કરવાનો આવતો નથી, કારણ બીજું બખડજંતર જ એટલું હોય છે કે બાળકોનો પહેલાં તો ઠીક, છેલ્લે પણ વિચાર થતો નથી. આગળ જતાં ગેરહાજર રહેનારા ને હાજર રહેનારા શિક્ષકોની ભરતીની જુદી જુદી જાહેરાતો આવે એમ બને. એમાં પણ ભણાવનારા શિક્ષકોની ભરતી જ ન થાય એમ બને, કારણ ભણાવવાનું તો ખાસ રહ્યું જ નથીને !

દાહોદના ભીખા પટેલ કરીને એક શિક્ષકે 19 વર્ષથી નોકરી જ નથી કરી અને પગાર-ભથ્થાં લેવાનું ક્યારે ય ચૂક્યા નથી. જો કે, સુરતના શાસનાધિકારી મેહુલ પટેલે દોઢ વર્ષથી ગેરહાજર સમિતિની એક શિક્ષિકાને તમામ કાર્યવાહીને અંતે બરતરફ કરવાનો નિર્ણય લઈ લીધો છે, તો ઓગણીસ વર્ષથી નોકરી ન કરતાં દાહોદના એ શિક્ષકશ્રી સામે કોઈ પગલાં લેવાશે કે ભીનું જ સંકેલાતું રહેશે તે નથી ખબર. ગેરહાજર શિક્ષકોનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો ને ત્યાં શિક્ષણ મંત્રીએ એવો ખુલાસો કર્યો કે 2019થી 2022 સુધી અનધિકૃત રીતે ગેરહાજર રહેનાર 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ એવી માહિતી પણ આપી કે 60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે અને 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે. એમાંથી દસેકને તો સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. મીડિયા ઘણા વખતથી એ મામલે ગર્જી રહ્યું છે કે વિદેશ વસતા ને અહીં હાજરી પુરાવતા શિક્ષકો ચાલુ પગારે આવી સગવડ ભોગવી રહ્યા છે, એની સામે શિક્ષણ મંત્રીએ એવી સ્પષ્ટતા કરી છે કે એક પણ ગેરહાજર શિક્ષકને પગાર ચૂકવાયો નથી. એ વાત જુદી છે કે દાહોદના 19 વર્ષથી નોકરી ન કરતાં શિક્ષકને પગાર-ભથ્થાં ચૂકવાયાં છે.

– તો, આ પરિસ્થિતિ છે. શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષકો સરખી નોકરી કરતાં નથી. કોઈ પગાર સ્કૂલમાંથી લે છે ને ધંધો ઘરેથી કરે છે. કોઈ વર્ષો સુધી પગાર ખાઈને સ્કૂલમાં હાજર જ થતાં નથી, કોઈ લાંબી રજા પર વિદેશ ફરે છે ને અહીં શિક્ષકની હાજરી પુરાતી હોવાથી, બદલીમાં બીજો શિક્ષક પણ મુકાતો નથી ને જે હાજર છે તેની પોતાની જવાબદારી ઉપરાંત બીજાની જવાબદારી પણ તેને માથે મરાય છે. અત્યારે શિક્ષકનાં સસ્પેન્શન અને ટર્મિનેશનનો પવન ફૂંકાયો છે, એમાં ઘણાની નોકરી જાય એમ બને. શિક્ષક જાય પછી એની જગ્યાએ નવા શિક્ષક આવશે એવું લાગે છે? ઘણુંખરું નહીં આવે. ખરેખર ઘટ છે ત્યાં ભરતી થતી નથી, તો આમ એકલદોકલની વિદાય પછી નવા શિક્ષક મુકાય એ વાતમાં દમ નથી. આમ પણ શિક્ષકની પરિપત્રોએ જવાબદારી એટલી વધારી મૂકી છે કે તે ટીચર કમ અને કલાર્ક જ્યાદા થઈ ગયો છે. આ બધું જો શિક્ષણને માટે જ થતું હોય તો, ધૂળ નાખી, પણ આ બધું શિક્ષણને ભોગે થાય છે. એમાં વિદ્યાર્થીનું તો કેવળ અહિત જ થાય છે. સુરતમાં જ 100 જેટલા શિક્ષકો વર્ગમાં ભણાવવા જતા ન હોય તો તેઓ છે શેને માટે એવો સાદો સવાલ પણ કોઈ અધિકારી કે મંત્રીને થતો નથી. આ બધું પાછું પ્રાથમિક શિક્ષણમાં થાય છે એટલે પાયાનું શિક્ષણ આપવામાં જ આટલા પ્રશ્નો છે. વિદ્યાર્થીઓને શિક્ષક ન ઓળખે એ તો સમજી શકાય, પણ શિક્ષકને પણ વિદ્યાર્થીઓ ન ઓળખે એવું શક્ય છે. વર્ગમાં ભણાવે તો બાળકો શિક્ષકને ઓળખેને !

જગતના કોઈ ખૂણામાં શિક્ષણ ગુજરાત જેટલું ગૌણ નહીં થયું હોય !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑગસ્ટ 2024

Loading

ગાંધી વિરોધીઓને સાદર

હરેશ ધોળકિયા|Gandhiana, Opinion - Opinion|23 August 2024

હરેશ ધોળકિયા

અત્યારે હાલત એવી છે કે જે કંઈ થાય છે તે બધું જ સોશિયલ મીડિયા પર જ થાય છે. ભલે બહારથી ગાંધી નિર્વાણ તિથિના કાર્યક્રમો થતા હોય છે અને અંજલિઓ અપાય છે, પણ જો સોશિયલ મીડિયા પર નજર કરાય તો ગાંધી પ્રત્યેનો ધિક્કાર સતત વ્યક્ત થાય છે. અને ગોડસે તરફ સહાનુભૂતિ પણ સતત વ્યક્ત થાય છે. માત્ર ગોડસે નહીં, પણ ગાંધીની હત્યામાં જેમણે પણ ભાગ લીધો હતો તે બધાને મહાન ગણાય છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઇતિહાસનું અજબ શીર્ષાસન થઈ રહ્યું છે. જેમણે કામ કર્યું છે તેમને હલકા ચીતરવાનો સિલસિલો થાય છે અને બિનજરૂરી વ્યક્તિત્વોને વ્યર્થ મહત્ત્વ અપાય છે. આ બંને ક્રિયા સમજ્યા વિના થાય છે એ કરુણતા છે. ટીકા કે પ્રશંસા અભ્યાસપૂર્વક થાય તો વ્યક્તિને સમજવામાં મદદરૂપ થાય છે, પણ કેવળ ને કેવળ આવેશ અને ધિક્કારથી થાય તો તે વ્યક્તિને તો કશું નુકસાન નથી થતું. ધિક્કાર પ્રસરાવવાથી ગાંધી કે નહેરુને કોઈ નુકસાન નથી, પણ કરનારને ચોક્કસ થાય છે. તે એક મહાન વ્યક્તિત્વને સમજવાનો લાભ ગુમાવી બેસે છે. વ્યર્થ વ્યક્તિઓને મહત્ત્વ આપવાથી મહત્ત્વ આપનારનું મગજ પણ વ્યર્થ બની જાય છે. ગાંધીજીના સંદર્ભમાં પણ અત્યારે આવું જ થઈ રહ્યું છે.

પણ ધિક્કાર પ્રસરાવનારને ખબર નથી કે એક તો તેના અભિપ્રાયનું કોઈ જ મહત્ત્વ નથી. સોશિયલ મીડિયાના અભિપ્રાયોનું આમ પણ કોઈ મહત્ત્વ હોતું નથી. હા, કેટલાંક કાચાં ભેજાઓમાં ઝેર પ્રસરે છે તે ખોટ છે. બાકી કોઈ જ મહત્ત્વ નથી. અને ધિક્કાર પ્રસરાવનારને એ પણ ખબર નથી કે ગાંધીજી પ્રત્યે વિશ્વમાં દિન પ્રતિદિન આદર વધતો જાય છે. જેમ જેમ હિંસા વધે છે – અને તે તો દરરોજ કૂદકે અને ભૂસકે વધે છે – તેમ તેમ ગાંધી વિચારોનું મહત્ત્વ વધતું જાય છે. વિશ્વની દેવોસ જેવી આંતરરાષ્ટ્રીય મિટિંગોમાં મહત્તમ ચર્ચા ગાંધી વિચારની ઉપયોગિતા વિશે થાય છે. યુનો જેવી સંસ્થાઓ પણ ગાંધી વિશે પુષ્કળ ચર્ચાઓ કરે છે અને તેમના ઉપાયોની વ્યવહારુતાને ચકાસે છે. આ ધિક્કારવાદીઓ ક્યારેક પણ આ બધું વાંચે તો તેમને ખ્યાલ આવે કે તેઓ કેટલો સમય અને શક્તિ બગાડે છે. સોશિયલ મીડિયાને મહત્ત્વ આપનારાઓએ તેને મહત્ત્વ આપવાને બદલે વિશ્વમાં થઈ રહેલ આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. તો તેમનું મગજ વધારે ઝેરી થતાં અટકશે અને ડહાપણનો ઉદય થશે.

યુનો કે દેવોસ જેવી મોટી વાતો છોડી દઈએ. વિશ્વના કહેવાતા નાના લોકોમાં પણ ગાંધીજીનો કેવો પ્રભાવ છે તે જોઈએ. હમણાં પરંધામ આશ્રમ, પવનારથી હિંદીમાં પ્રકાશિત થતા સામયિક ‘મૈત્રી’માં એક આવો દાખલો નોંધાયો છે જે વિશ્વનો ગાંધી પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. એક ડોક્ટરે નોંધેલ જેનો સીધો અનુવાદ અહીં આપેલ છે.

થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં જોસેફ ઈર્વીન નામનો એક ટેક્સી ડ્રાઈવર હતો. પત્ની અને બે બાળકો, એ તેનો પરિવાર હતો. તે રોજ પંદર કલાક ટેક્સી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. બંને બાળકો ડૉક્ટર બને તેવાં સ્વપ્ન જોતો હતો. ૧૯૯૫માં અચાનક એક દિવસ તેના હૃદયમાં દુ:ખાવો થયો. તપાસ કરાવી તો બાયપાસ કરાવવાની સલાહ આપવામાં આવી. ખર્ચ કહ્યો, બે લાખ ડોલર. જોસેફની તે તાકાત ન હતી. હવે શું કરવું ?

તેના સદ્દનસીબે એક દિવસ તેની ટેક્સીમાં એક ભારતીય મહિલા બેઠી. નામ શ્રીદેવી સચદેવ. વાતચીતમાં તેને આ તકલીફની ખબર પડી. આ મહિલા પોતે ક્ધઝર્વેટીવ કાર્ડિયોલોજીસ્ટ હતી. એટલે કે કેવળ દવાઓથી હૃદયરોગને કાબૂમાં રાખનાર. તેણે જોસેફને બીજા દિવસે પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. તેની દવા શરૂ કરી. સદ્દનસીબે તે લાગુ પણ પડી ગઈ. જોસેફ સાજો થવા લાગ્યો. આ મહિલા ગાંધી વિચારમાં શ્રદ્ધા રાખતી હતી. જ્યારે પણ જોસેફ સારવાર માટે આવતો, ત્યારે તે તેને ગાંધીજીનું એકાદ પુસ્તક વાંચવા આપતી હતી. આ વાચનથી જોસેફ પર ગાંધી પ્રભાવ વધતો ગયો. પરિણામે દારુ, માંસ, સિગરેટ વગેરે છૂટતાં ગયાં. તે નિયમિત પ્રાર્થના કરવા લાગ્યો. તેનું જીવન હવે સાત્ત્વિક બનવા લાગ્યું. તે ફરી સોળ સત્તર કલાક ટેક્સી ચલાવવા સજ્જ થઈ ગયો. બંને સંતાનોને મેડિકલમાં પણ પ્રવેશ અપાવી શક્યો.

થોડાં વર્ષો પછી એક બીજા ભારતીય ડૉક્ટર કાકડિયા – જેમણે આ નોંધ લખી છે – અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી.માં આવ્યા. અકસ્માતે તેમને પણ આ જોસેફની જ ટેક્સી મળી. ભારતીય વ્યક્તિને જોઈ જોસેફે તેમને પૂછ્યું કે તે ભારતના કયા પ્રાંતમાંથી આવ્યા છો ? ડૉક્ટરે જવાબ આપ્યો – “ગુજરાતમાંથી.”

“ઓહ ! ગાંધીના ગુજરાતમાંથી ?” જોસેફ ગળગળો થઈને બોલ્યો, “તમે ગાંધી વિશે કંઈ જાણો છો ?”

ડૉક્ટર પણ ગાંધીપ્રેમી હતા. તે બોલ્યા, “હા, હા, ગાંધીએ તો મારી અને મારા સમગ્ર પરિવારની જિંદગી બચાવી અને બનાવી પણ છે. ગાંધી કોઈ મનુષ્ય નથી. તે તો ફરિશ્તા છે. પયગંબર છે. તે મનુષ્ય નથી, અવતાર છે.” બંનેની દોસ્તી થઈ ગઈ.

ડૉક્ટર છ વર્ષ સુધી અમેરિકામાં રહ્યા. તેમને ક્યાં ય જવું હોય તો જોસેફ ટેક્સી લઈ હાજર થઈ જતો હતો. તેમના છેલ્લા દિવસે પણ તેમને એરપોર્ટ પર મૂકવા જોસેફ જ ગયો. ડૉક્ટરે ભાડારૂપે તેના હાથમાં સો ડોલરની નોટ મૂકી. જોસેફે કહ્યું, “મને આ ડોલરની નોટ નથી જોતી. તમારી પાસે હોય તો મને ગાંધીની છબીવાળી સો રૂપિયાની નોટ આપો. હું તો ક્યારે ય ભારત નહીં આવી શકું. તમે આ ડોલરનો ઉપયોગ મને યાદ કરીને ગાંધીની જન્મભૂમિ પોરબંદર અને સાબરમતીની યાત્રા કરજો.” ડૉક્ટર પણ ગળગળા થઈ ગયા.

ભારતમાં આવી ડૉક્ટરે જોસેફને ગાંધીજીનાં અંગ્રેજી પુસ્તકો, એક ખાદીની સાડી અને ત્રણ વાનરોની પ્રતિકૃતિ મોકલી.

સમય જતાં બંને વચ્ચે સંપર્ક ઓછો થતો ગયો. બાર વર્ષ નીકળી ગયાં.

બાર વર્ષ પછી ડૉક્ટરને ફરી એક વાર અમેરિકા જવાનો પ્રસંગ ઊભો થયો. અમેરિકા પહોંચતાં જ તેમણે જોસેફનો સંપર્ક કર્યો. જોસેફ તો મળવા ન આવ્યો, પણ તેનો પુત્ર માર્થિન ડૉક્ટરને મળવા આવ્યો. તેણે કહ્યું કે જોસેફનું મૃત્યુ થઈ ગયું હતું. પણ તેણે ડૉક્ટરને આગ્રહપૂર્વક પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. બીજા દિવસે ડૉક્ટર જોસેફના ઘેર ગયા. ઘરમાં ફરતા હતા તો તેમણે એક દૃશ્ય જોયું. જોસેફના પૂજાઘરમાં ઈશુની મૂર્તિ સાથે ગાંધીજીની છબીવાળી સો રૂપિયાની નોટ કાચની ફ્રેમમાં જાળવી રાખી હતી. તેની પાસે ક્રોસ હતું અને સાથે ત્રણ વાનરની પ્રતિકૃતિ રાખી હતી. પછી તેણે જોસેફની અંતિમ વિધિના ફોટાનું આલ્બમ બતાવ્યું તો તેમાં તેના શરીર પર ખાદીની સાડી ઓઢાડી હતી. ડૉક્ટર તો જોઈને ચકિત થઈ ગયા.

તે તેની કબર પર અંજલિ આપવા ગયા તો બીજું આશ્ચર્ય જોયું. જોયું તો કબર પર કૂચ કરતા ગાંધીજીની છબી અને કબરના પથ્થર પર ગાંધીના ચરખાનું ચિત્ર હતું.

વિદેશનો એક સામાન્ય કહેવાતો ટેક્સી ડ્રાઈવર જે સમજી શક્યો હતો તે આપણા ધિક્કાર-પ્રેમીઓ નથી સમજી શકતા. ભારતની કમનસીબી જ એ રહી છે કે તે પોતાના મહાન લોકોને ક્યારે પણ ઓળખી શક્યું નથી. આપણે મહાનોની પૂજા કે ધિક્કાર કરી શકીએ છીએ, પણ તેમને સમજવાનો ક્યારે ય પ્રયાસ નથી કરતા. વેદાંતથી ગાંધી સુધીનો બધાનો સાચો લાભ આ દુષ્ટ કહેવાતા ભૌતિકવાદી પશ્ચિમના લોકોએ લીધો છે અને આજે પણ લે છે.

વિશ્વગુરુઓ કરતાં તો આ ટેક્સી ડ્રાઈવર ચડિયાતો ન ગણી શકાય ?

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 09 તેમ જ 15

Loading

...102030...549550551552...560570580...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved