Opinion Magazine
Number of visits: 9457084
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવલકથા ‘ભૂમિસૂક્ત’ એટલે activist-સૂક્ત

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 July 2024

સંજય ભાવે

હિમાંશી શેલતની નવી નવલકથા ‘ભૂમિસૂક્ત’ દેશકાળના સાંપ્રત માટે નિસબત ધરાવતા વાચક પર છવાઈ જાય તેવી સાહિત્યકૃતિ છે.

કર્મશીલ અને કર્મશીલતા – activist and activism વિષય પરની આ સંભવત: પહેલી ગુજરાતી નવલકથા છે. જનમાનસમાં એકંદરે ઓછા જાણીતા, ઉપેક્ષિત એવા મૂલ્યવાન ક્ષેત્ર activismના સાંગોપાંગ દર્શન હિમાંશીબહેન પ્રવાહી શૈલીમાં વેધક દૃષ્ટિ અને સંવેદનાથી કરાવે છે.

લેખિકાનો વ્યાપ, તેમની લાક્ષણિક ઉત્કટતા અને દેશમાં માનવઅધિકારભંગના બનતા સંખ્યાબંધ બનાવોની તેમની સતત સભાનતાનો અહીં સમન્વય છે.

નર્મદા વિસ્થાપિતોની દુર્દશા, પૂર્વાંચલનાં આસામ અને છત્તીસગઢનાં બસ્તર જેવી જગ્યાએ રાજ્યના અત્યાચાર, જે.એન.યુ.માં વિદ્યાર્થીઓ પર દમન, જસ્ટીસ લોયની હત્યા, કઠુઆ અને હાથરસમાં બળાત્કાર, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ જેવી અનેક ઘટનાઓ(જેમને બહુ ઓછા ગુજરાતી સાહિત્યકારો સ્પર્શ્યા છે)નો નવલકથામાં સીધો કે આડકતરો સંદર્ભ છે.

આ બધાંની વચ્ચે કાર્યરત એવી કર્મશીલ નામની મોંઘેરી જણસને હિમાંશીબહેન પુસ્તકમાં ચોટદાર ગદ્યાંશો થકી વારંવાર ઉપસાવે છે. આ દોહ્યલાં કુળનાં મૂળ, તેમની પ્રેરણા, તેમનાં આધાર અને ઊર્જા, તેમની વિમાસણો અને વેદના, તેમને મદદ કરનારા પત્રકારો, કાનૂનવિદો અને ક્વચિત સંપન્ન નાગરિકો એવી અનેક બાબતો આપણી સામે આવતી રહે છે.

આ એવાં સ્ત્રી-પુરુષ કાર્યકર્તાઓ છે કે જે ઘણું કરીને દેશના દુર્ગમ ખૂણામાં અથવા શહેરોના વખોડાયેલા વિસ્તારોમાં ન્યાય અને સમાનતાભર્યા સમાજ માટે અહિંસક તેમ જ રચનાત્મક માર્ગે સંઘર્ષમાં જાત આખી ખરચી કાઢે છે. તેમાં લોકઆંદોલનો, અદાલતી લડત, ટૉર્ચર, જેલ અને ક્યારેક મોત પણ આવી જાય.

આ કુળના ઘણાં તેજસ્વી બુદ્ધિવાળાં હોય છે. દેશની ઉત્તમોત્તમ સંસ્થામાં ભણતરને પગલે મળવાપાત્ર તગડા પગાર અને સુખી જીવનને જતાં કરીને સમાજકાર્યમાં લાગે છે. સેવાબેવાનું નામ આપ્યા વિના, અધ્યાત્મિકતાના લેશમાત્ર સ્પર્શ વિના, રાજકીય સભાનતા સાથે અદમ્ય પૅશનથી નક્કર કામ કરતાં હોય છે. પગ ખોડીને આ ભૂમિમાં ઊભાં તે લેખે લાગે એવું કશુંક કરતાં રહેતાં હોય છે.

આ ભૂમિપ્રેમીઓના સમાંતરે હિમાંશીબહેન વિદેશ જતાં અને ત્યાં કાયમી વસવાટ કરતાં હજારો પરિવારોને મૂકે છે. આ બિનનિવાસી ગુજરાતી / ભારતીય NRG / NRI બનવાની પ્રક્રિયાના અનેક પાસાં લેખિકા આલેખે છે.

આખાં ને આખાં કુટુંબો વડવાઓની મિલકતો વેચીને, પેઢીઓના ઇતિહાસને ભૂલીને પરદેશ ચાલ્યાં જાય છે. ઘણા પરિવારોમાં યુવક-યુવતીઓ વિદેશમાં સંપન્ન બને છે. તેમના વડીલોની પેઢી ભારતમાં સંપત્તિ અને સગવડો વચ્ચે સંતાનવછોયાં હોવાની પીડા સાથે દા’ડા ટૂંકાવે છે.

દેશ છોડી ચૂકેલા ભારતીયો દ્વારા દેશના માવતરની મોબાઇલી ચિંતા, વિદેશમાં દેશભક્તિ અને સંસ્કૃતિસંવર્ધન, વાર્ષિક વતનમુલાકાતો જેવી બાબતો લેખિકાના અચૂક યથાર્થ અણગમા સાથે વ્યક્ત થઈ છે.

નવલકથાનું દરેક મુખ્ય પાત્ર હાડોહાડ કર્મશીલ છે. નાયિકા લતિકા સાપને પોતાનાં સગાંવહાલાં ગણીને બચાવે છે. એક પર્યાવરણ કેન્દ્ર વતી કામ કરવામાં તે પ્રદૂષણ કરતી ફૅક્ટરીઓ સામે સર્વેક્ષણ અહેવાલો લખે છે.

શાહીનબાગ અને ખેડૂત આંદોલનમાં જઈને ફોટા અને લેખો અખબારોને મોકલે છે. નર્મદા બંધના વિસ્થાપિતો સાથે કામ કરે છે. લતિકાના પિતા પણ ધરણાં-દેખાવોમાં જોડાતા રહેનારામાં છે.

દેવાંગના સર્વેક્ષણ અને દસ્તાવેજીકરણમાં માહેર છે. તે મહિલા સંગઠન છોડીને હોનહાર યુવાન અમોલ સાથે જોડાય છે. અમોલ આસામમાં સુરક્ષાદળોના અત્યાચારોના ભોગ બનેલાના પરિવારોને ન્યાય મળે તે માટે દૂરદૂરના વિસ્તારોમાં મોટાં જોખમો ખેડે છે. મનોરમાની હત્યા અને બીજા બનાવો સાથે પૂર્વાંચલની ઝાંકી મળે છે.

મદન ક્રાન્તિનો સંદેશો ફેલાવતા શેરી નાટકો કરે છે. સુજૉય તીર્થસ્થાનોની ભીડને કારણે તેના ‘બાપ’ હિમાલયના થતા નાશને રોકવા માટે ફોટો પ્રદર્શનો દ્વારા જાગૃતિ ઝુંબેશ ચલાવે છે.

ચાલીસની આસપાસની વયના આ ચારેય છત્તીસગઢના બસ્તરના જંગલોમાંનાં દુર્લભ પતંગિયાં અને ક્લાયમેટ ચેન્જની તેમની પર થઈ રહેલી અસરના અભ્યાસ માટે ભેગાં થાય છે.

આ બધાંએ વ્યક્તિગત જીવનામાં વેઠ્યું છે, ગુમાવ્યું છે, પરિવાર સાથે ઝગડીને, તેને છોડીને, કારકિર્દીને તરછોડીને માણસાઈ માટેના માર્ગે ચાલ્યાં છે, પણ પરિવારના સ્નેહબંધનો મનમાંથી નીકળતાં નથી, ટોટલ કમિટમેન્ટ અને આજિવિકા વચ્ચેની અવઢવ છે.

તેમની આજુબાજુના હિંસક, ધર્મઝનૂની, સ્વકેન્દ્રી,ઐયાષ સમાજનું, અને આપખુદ, બેપરવા, બેરહેમ, મૂલ્યહીન શાસક વર્ગનું ચિત્ર પણ આલેખાતું રહે છે.

બસ્તરમાં પ્રભાસ ધૂણી ધખાવીને બેઠો છે. પાંત્રીસની આસપાસનો આ પાણીદાર કર્મશીલ, બીજાં જ્યાં માંડ પહોંચી શકે તેવી અઘરી જગ્યાએ બાળકો માટેની શાળા અને સ્વાસ્થ્યકેન્દ્ર ચલાવે છે.

તેની સાથે કારર્કિર્દીની ઉત્તમ તકો જતી કરનાર યુવાઓનું જૂથ છે. નિર્ધાર, સ્પષ્ટતા અને આશાવાદ સાથે કામ કરનાર પ્રભાસને ‘અર્બન નક્સલ’ ઠરવવાની કોશિશો ચાલુ હોય છે.

પ્રભાસ જેવા, બે પેઢી પહેલાંના, એંશીએક વર્ષના દુર્ગાપ્રસાદ અનેક કાર્યકર્તાઓના રોલ મૉડેલ છે. ગાંધી-વિનોબાને પગલે ચાલનારા દુર્ગાપ્રસાદના જીવનના આ છેડે કંઈક એવું બને છે કે તેમને હતાશા અને તેને પગલે શારીરિક નાદુરસ્તી ઘેરી વળે છે.

ગાંધી-વિનોબા ઉપરાંત અહીં અનેકના ઉલ્લેખો છે : ભગતસિંહ અને ખુદીરામ બોઝ, રવિશંકર મહારાજ અને સ્વામી આનંદ, સુંદરલાલ બહુગુણા, પંજાબી કવિ પાશ, નરેન્દ્ર દાભોલકર અને ગૌરી લંકેશ, અત્યારનાં અરુણા રૉય.

એક્ટિવિઝમમાં રસ ધરાવનારને કેટલાંક પાત્રોમાં ગુજરાત અને દેશના એક કે વધુ સમકાલીન કર્મશીલોની રેખાઓ દેખાવાની.

એકસો સાઠ પાનાંના પુસ્તકમાં હિમાંશીબહેન કેટલું ય આવરી લે છે : વહાલ વરસાવતાં વૃક્ષો અને તેમનો વિનાશ, બુલેટ ટ્રેન અને તેના માટે આપી દીધેલી જમીનને કારણે આવેલી કુંટુંબો-ગામો ભાંગનારી સમૃદ્ધિ, માટીનો નાશ, પરદેશ જવા માટે છળકપટ અને ગુનાખોરી,

માઓવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેનો સંઘર્ષ, હિમાલયનાં ભૂસ્ખલનો, એન.આર.આઈ. વર્ગનો ભારત માટે અણગમો અને વિદેશમાં તેમની ફરજપરસ્તી, વૃદ્ધાશ્રમના નિવાસીઓ માટે અ‍ૅનિમલ થેરાપી, લવ જેહાદ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એક્ટિવિઝમના વિરોધમાં અને પરદેશ-વસવાટની તરફેણના વ્યવહારુ દૃષ્ટિબિંદુઓ, કર્મશીલનો કલાકાર સમકક્ષ (પણ પીડ પરાઈ માટેનો) ઉન્માદ, સામાજિક નિસબત અને કલા, જ્યુડિશિયલ અ‍ૅક્ટિવિઝમ, વિકાસયાત્રાનું મૃગજળ, લોકશિક્ષણની ભાંગી રહેલી સંસ્થાઓ, શેરીનાટકનો પ્રભાવ, ટુરિઝમની મધલાળે સર્જેલું દોજખ, કર્મશીલ અને બુદ્ધિજીવી વચ્ચેનો તફાવત … આ યાદી ઘણી લાંબી થઈ શકે.

હિમાંશીબહેનની શૈલીના સૌંદર્યસ્થાનો અને કૃતિના ઉજળાં પાસાં અનેક છે. અલબત્ત, વિવેચકોને આ નવલકથામાં વસ્તુસંકલના, કથનપદ્ધતિ, પ્રચારપરસ્તી જેવા પ્રશ્નો નડી શકે.

પણ દેશકાળ સાથેની નિસબત ધરાવતાં વાચકને આ નવલકથા અત્યારના સમયમાં ખૂબ અસરકારક અને પ્રસ્તુત લાગવાની. પુસ્તકનું બહુ સૂચક મુખપૃષ્ઠ અરુણોદય પ્રકાશનનાં અનામી કલાકારે તૈયાર કર્યું છે.

નવલકથામાંથી થોડાંક હૃદયસ્પર્શી અંશો જોઈએ :

*ફાયર વિધીન, અંદરની આગ, પોતાના સમાજ માટે, ચોક્કસ ધ્યેય માટે, દેશને બહેતર બનાવવા માટે, ન્યાય માટે, પ્રકૃતિ માટે, આખી પૃથ્વી માટે. પણ બળવું જોઈએ હૃદય. અંગત મહત્ત્વાકાંક્ષા માટે નહીં, બીજાં માટે, જાતમાંથી નીકળી જઈને, પોતે શું મેળવવું તેની પરવા રાખ્યા વગર.

*પોતાને માટે કે બીજાંઓને માટે ન્યાય ક્યારે ય સહેલાઈથી મળી નથી જતો. જાતને સાચવી રાખવાની દાનત હોય તેમણે આવા સંઘર્ષમાં પડવું જ નહીં, અને જો પડવાનું કબૂલ કરવું હોય તો ગભરાવું નહીં.

*એમને [કર્મશીલોને] પોતાની ભૂમિ જોઈએ. ઑન સૉઇલ ફૉર રૂટ્સ ટુ ગ્રો અ‍ૅન્ડ બ્રાન્ચ આઉટ. એ ખાસ જાતનું વૃક્ષ, જે પોતાની માટીમાં પાંગરે, વિકસે ઘટાદાર થાય.

*ભાગને સે કુછ નહીં બદલતા, થોડી બહોત કોશિશ કરની પડેગી, ઔર માનોં કુછ નહીં બદલા, તો ભી કમ સે કમ હાથ પૈર તો મારે ! ડૂબના તય હો તો વો ભી સહી, બટ ડ્રીમ વી મસ્ટ, ફૉર અ જસ્ટ અ‍ૅન્ડ કાઇન્ડ સોસાયટી. હર કોઈ ગાંધી નહીં બન સકતા, ના હી ભગતસિંહ, મગર અપને હાથમેં જીતના હો ઉતના તો કરના હી ચાહિયે, લાઇફ ઇઝ મેન્ટ ફૉર ધૅટ …

પુસ્તકનું અર્પણ છે :

‘પોતાની ભોંયમાં પગ રોપીને
અંકુરની પ્રતીક્ષાને
આખું આયખું સોંપી દેતાં ઉમદા ચરિત્રોને ‘

વિરલ નવલકથાના સર્જક હિમાંશીબહેનને વંદન !

——————————————————-

અરુણોદય પ્રકાશન, અમદાવાદ – 079- 22114108 – પાનાં160, રૂ.225/-

પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર 9898762263 – ફોટો કોલાજ : પાર્થ ત્રિવેદી

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

‘અ લેટર ટુ અ હિન્દુ’ – મહાત્મા ગાંધી અને ટોલ્સટોય

સોનલ પરીખ|Gandhiana|5 July 2024

એક વ્યાપારી કંપની ત્રીસ કરોડ લોકોના બનેલા રાષ્ટ્રને ગુલામ બનાવે છે તે શાના જોરે ? ભારતવાસીઆે, યાદ રાખો કે તમારા પર રાજ્ય કરતા થોડાક હજાર અંગ્રેજો તમારા જેવા જ સબળનિર્બળ માનવીઆે છે. બહારથી આવીને તેઆે તમને આટલા બધાને ગુલામ બનાવી જાય છે – તમે બહાદુર, બુદ્ધિશાળી, સમર્થ અને સ્વાતંત્ર્યપ્રેમી છો, તે છતાં. એવું નથી લાગતું કે અંગ્રેજોએ તમને ગુલામ બનાવ્યા છે તેમ કહેવા કરતાં તમે પોતાને તેમના ગુલામ બનવા દીધા છે તેમ કહેવું જોઈએ ?

— મહાત્મા ગાંધી

આપણામાંના મોટા ભાગનાએ મહાત્મા ગાંધી વિષે સાંભળ્યું છે ઘણું, વાંચ્યું છે એનાથી ઓછું, જાણ્યું છે એનાથી પણ ઓછું, સમજ્યા છે નહીં જેવું ને આચરણના નામે તો શૂન્ય જ છે. આજે સ્થિતિ એ છે કે તમામ પ્રકારના લેભાગુઓ ગાંધીજીના નામને વટાવી ખાવા સજ્જ છે અને ગણ્યાગાંઠયા સાચા ગાંધીજનો અડફેટે ચડે છે. આવું એટલા માટે થાય છે કે ગાંધીવિચાર અફાટ દરિયો છે. સામાન્ય માણસ ક્યારેક એના કિનારે જઈ થોડું ફરી લે છે, થોડાં છબછબિયાં કરી લે છે અને પછી પોતાની દુનિયામાં પાછો આવી જાય છે. એમાં ઊંડા ઊતરવાનો કે રોજિંદી જિંદગી સાથે એનો મેળ પાડવાનો વિચાર એ કરતો નથી.

માણસ તો દરેક કાળમાં માણસ જ છે: મર્યાદાઓથી બદ્ધ, નબળાઈઓથી ભરેલો, સંકુચિતતાઓથી ઘેરાયેલો ને નાના નાના સ્વાર્થથી પ્રેરાયેલો. ગાંધીજીના સમયમાં, એમના એકંદર પ્રભાવને લીધે લોકોમાં રહેલાં સારાં તત્ત્વોને બહાર આવવામાં વધુ અનુકૂળતા મળી. ગાંધીજી ગયા અને એ અસર ચાલી ગઈ. પણ એમનું જીવન, કાર્યો અને વિચારો અવગણી શકાય તેવાં નહોતાં એટલે એમની અસર ભૂંસવી પણ સહેલી ન બની. એનો એક ભાર, એક ગિલ્ટ પણ રહ્યાં અને એમાંથી એમના ટીકાકારોની એક જમાત ઊભી થઈ.

એવું નથી કે એમની ટીકા ન થાય. એમની દરેક વાતમાં આપણે સહમત ન પણ હોઈએ. પણ એથી એમની સમગ્રતાનો છેદ ઉડાડી દેવો એ યોગ્ય પણ નથી અને આપણા હિતમાં પણ નથી. વિવેકી ટીકા તંદુરસ્ત બૌદ્ધિક વિકાસની નિશાની છે. પણ ઉર્વીશ કોઠારીએ જે ત્રણ પ્રકારના ગાંધીજીના ટીકાકારો જણાવ્યા છે એમાંના એકેમાં આ વિવેક નથી. કેટલાકના વાંધા વાજબી હોય, પણ ઝનૂની અતિઉત્સાહ એમને સાવ અંતિમે પહોંચાડી દે. બીજા પ્રકારમાં ગોડસેપ્રેમીઓ, મુસ્લિમ-દ્વેષીઓ ને હિંદુ ધર્મની વિશાળતાને સમજ્યા વિના એને રાજકીય રંગ આપનારાઓ આવે. ત્રીજો પ્રકાર જ્યાંથી પણ – જે પણ અસત્ય, અર્ધસત્ય કે અધૂરું સત્ય મળે તેને ગટગટાવી જનારાઓનો છે.

આવા વાતાવરણમાં ને આવા લોકોની વચ્ચે ગાંધીજીની વાત કરવી એ પણ એક મુશ્કેલી છે. ગાંધીજી જબરા નીરક્ષીરવિવેકી હતા. જે ત્રણ મહાનુહાવોને ગાંધીજી પોતાના માર્ગદર્શક માનતા એમાંના એક શ્રીમદ્દ રાજચંદ્ર એમને મુંબઈની ઝવેરીબજારમાં મળી ગયા. બીજા રસ્કિન યુરોપના હતા અને ત્રીજા ટોલ્સટોય રશિયાના હતા. આજે વાત કરીએ ગાંધી-ટોલ્સટોય અનુબંધની. ગાંધીજીને અહિંસા અને શ્રમનિષ્ઠા મુખ્યત્વે એમની પાસેથી મળ્યાં. ‘હું કોઈના ખભા પર ચડી બેઠો છું, તેનું ગળું રૂંધી નાખું છું, તેને મારો ભાર ઉપાડવા મજબૂર કરું છું અને છતાં પોતાને અને બીજાઓને ખાતરી આપું છું કે હું તેની દુર્દશા માટે બહુ દુઃખી છું અને તેને આરામ મળે તે માટે તેના ખભા પરથી ઊતરવા સિવાયનું બધું કરી છૂટવા તૈયાર છું.’ શોષકોની વિચારસરણીને આબાદ વ્યક્ત કરતા આ શબ્દો ટોલ્સટોયના છે.

પણ ગાંધીજી અને ટોલ્સટોયનો સંપર્ક કેવી રીતે થયો? વાત રસ પડે એવી છે. ક્રાંતિકારી અને સ્કોલર તારકનાથ દાસે ટોલ્સટોયને બે પત્રો લખી ભારતની સ્વતંત્રતા માટે સમર્થન માગ્યું હતું. ૧૯૦૮ના અંતમાં ટોલ્સટોયે એનો જવાબ આપ્યો, જે ભારતના ‘ફ્રી પ્રેસ હિન્દુસ્તાન’માં ‘અ લેટર ટુ અ હિન્દુ’ શીર્ષકથી પ્રગટ થયો. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ એ પત્ર વાંચ્યો અને ટોલ્સટોયની પરવાનગી લઇ એનો ગુજરાતી અનુવાદ પોતાના ‘ઇન્ડિયન ઓપિનીયન’માં પ્રગટ કર્યો.

‘અ લેટર ટુ અ હિન્દુ’માં ટોલ્સટોયે લખ્યું હતું કે ભારતીયોને બ્રિટિશ સામ્રાજ્યમાંથી મુક્ત કરવાની ચાવી માત્ર પ્રેમના સિદ્ધાંતમાં છે. જગતના તમામ ધર્મોના પાયામાં આ પ્રેમનો સિદ્ધાંત રહેલો છે. જો વ્યક્તિ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અહિંસાત્મક પ્રતિકાર એટલે કે વિરોધ, હડતાળ, અસહકાર કરે તો તે હિંસક ક્રાંતિનો વિકલ્પ બની શકે.

આ પરે પહેલા ગાંધીજી લગભગ 750 શબ્દોની પ્રસ્તાવના લખી હતી જે ગાંધીજીને સજવામાં ખૂબ ઉપયોગી છે. તેમણે લખેલું, ‘જો આપણે ભારતમાં અંગ્રેજો ન જોઈતા હોય તો તેને માટે મૂલ્ય ચૂકવવું પડશે. ટૉલ્સ્ટૉય કહે છે, દુષ્ટ તત્ત્વોનો પ્રતિકાર ન કરો, પણ તેમનામાં સામેલ પણ ન થાઓ – ક્રૂર નીતિઓ, અન્યાય, જુલમી કરવેરા, શોષક અદાલત અને તેમના સૈન્યમાં આપણે સામેલ ન થયાં હોત તો તેઓ આપણને ગુલામ બનાવી શક્ત નહીં.’ અને ‘એક વ્યાપારી કંપની ત્રીસ કરોડ લોકોના નેળ રાષ્ટ્રને ગુલામ બનાવે છે તે શાના જોરે? ભારતવાસીઓ, યાદ રાખો કે તમારાં પર રાજ્ય કરતા થોડાક હજાર અંગ્રેજો તમારા જેવા જ સબળનિર્બળ માનવીઓ છે. બહારથી આવીને તેઓ તમને આટલા બધાને ગુલામ બનાવ્યા છે તેમ કહેવા કરતાં તમે પોતાને તેમના ગુલામ બનવા દીધા છે તેમ કહેવું જોઈએ’. ‘એ સ્વીકારવું પડશે કે આવું થયું છે. આપણે ગુલામ બન્યા છીએ કારણ કે પ્રેમનો સાચો મહિમા, આત્માની અસીમ શક્તિ ભુલાઈ ગઈ છે. પ્રેમ, જે આત્માનો ગુણ છે, તે શરીરના હિંસાના બાલ સામે ઢંકાઈ જાય છે ત્યારે મન દુષ્ટતાથી ઘેરાય છે, દુષ્ટતાથી દોરવાય છે અને દુષ્ટતાથી ભય પામે છે. ટૉલ્સ્ટૉયના વિચારોમાં નવું કઈં નથી. પણ તેમણે તે વિચારોને આજના સંદર્ભમાં એક નવી ઊર્જા રૂપે મૂકી આપ્યા છે. તેમનો તર્ક અકાટ્ય છે અને તેમણે જે કહ્યું છે તે જ આચર્યું છે તેથી તેમના વિચારોને હૃદય સ્વીકારે છે.’ ગાંધીજીના મનમાં ઊઠેલા આ વિચારો ટૉલ્સ્ટૉયના જ પુસ્તક ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધીન યુ’ના વાંચન પછી દૃઢ બન્યા અને તેના પાયા પર ગાંધીજી પોતાની આગવી રીતે ચલાવેલી લડત 1947માં સફળ થઈ.

‘હિન્દ સ્વરાજ’ની પ્રસ્તાવનમાં ગાંધીજી નોંધ્યું છે કે તેમણે રસ્કિનની ત્રણ અને ટૉલ્સ્ટૉયની છ ચોપડીઓ વાંચી હતી. ગાંધીજીને પશ્ચિમના વિરોધી માનનારાઓએ જાણવા જેવું છે કે એન્ટની પરલના ‘ગાંધી એન્ડ ટૉલ્સ્ટૉય’ પુસ્તકમાં ગાંધી-ટૉલ્સ્ટૉયના સંબંધને સાંસ્કૃતિક, ભૌગોલિક અને રાજકીય સીમાડાઓને ઓળંગી ગયેલો વર્ણવ્યો છે અને કહ્યું છે, ‘ધેર ઈઝ અ વોર્નિંગ હિયર ટુ ઑલ ધોઝ હું થિંક ધેટ ધેર કેન બી નો સિગ્નિફિકન્ટ મિટિંગ ઑફ માઈન્ડસ બિટવિન ઇન્ડિયા એન્ડ ધ વેસ્ટ.’

શ્રીમદ્દ, રસ્કિન, ગાંધીજી અને ટૉલ્સ્ટૉયમાં એક બાબત સમાન હતી. ઝવેરાતનો ધંધો હોવા છતાં શ્રીમદ્દ સંપત્તિ વિષે અનાસક્ત હતા. રસ્કિને વડવાઓની સંપત્તિનો મોટો હિસ્સો પોતે સ્થાપેલી ‘ગિલ્ડ’માં આપેલો. ગાંધીજી પણ પોતાના આદર્શ પાછળ સંપત્તિનું વિસર્જન કર્યું હતું. ગાંધીજી અને ટૉલ્સ્ટૉય બંનેએ પોતાના આદર્શો પ્રમાણેનું જીવન પોતાની પત્ની પણ જીવે એવો આગ્રહ રાખ્યો હતો. સાઠ વર્ષના સહવાસ પછી ટૉલ્સ્ટૉયનું લગ્નજીવન ભાંગી પડ્યું હતું. કદાચ તેનાથી ત્રાસીને જ તેમણે જૈફ વયે ગૃહત્યાગ કર્યો હતો અને એકલવાઈ અવસ્થામાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ગાંધીજીના કિસ્સામાં કસ્તૂરબાએ ગાંધી સાથેના જેલવાસ દરમ્યાન તેમના ખોળામાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. શ્રીમદ્દ પત્ની હોવા છતાં અનાસક્તિમુક્ત હતા અને રસ્કિનનું લગ્નજીવન સુખી ન હતું.

1910માં ટૉલ્સ્ટૉયનું મૃત્યુ થયું. છેવટ સુધી ગંધીજી સાથે તેમનો પત્રવ્યવહાર અને તે દ્વારા વિચારવિનિમય ચાલુ જ હતો. ગાંધીજી ટોલ્સ્ટોયનાં લખાણોમાંથી પોતાના વિચારોને પુષ્ટ કરે તેવી સામગ્રી મેળવતા એ ટૉલ્સ્ટૉય દૂર રહ્યા રહ્યા પોતાના નૉન-વાયોલન્સ અને નૉન-રેઝિસ્ટન્સના વિચારોને આ તરવરિયા હિન્દુ યુવાન દ્વારા અમલમાં મુકાતા આનંદપૂર્વક જોતા. ‘હિન્દ સ્વરાજ’ની નકલ ગાંધીજીએ ટૉલ્સ્ટૉયને મોકલી હતી. તે વાંચીને તેમણે લખ્યું હતું, ‘તમે ચર્ચએલો સત્યાગ્રહ ભારતને માટે જ નહીં, તમામ માનવજાતને મતે અગત્યનો છે. સત્યાગ્રહ એ શુદ્ધ પ્રેમ સિવાય કશું નથી. મૌસહીઓના આત્માને એકત્ર કરી જોડવાનો પ્રયાસ તે જ પ્રેમ. તે પ્રેમ જ માનવજીવનને દોરવાનો એકમાત્ર કાયદો છે. જૂઠા શિક્ષણમાં ન ફસાયેલો હોય તેઓ દરેક માણસ પોતાના અંતરમાં આ પ્રતીતિ પામે છે.

ટૉલ્સ્ટૉય પાસેથી ગાંધીજીએ શરીરશ્રમના વિચારને પણ ઝીલ્યો હતો. બંને માનતા કે જીવનનો સમગ્ર અર્થ માનવજાતની સેવા છે, પ્રસન્નતા સાચી ત્યારે જ બને જ્યારે જીવન સેવા માટે સમર્પિત થાય અને જીવનનો હેતુ માણસ પોતાની જાતની બહાર અને પોતાના અંગત સુખોને પાર શોધે.

ટૉલ્સટૉય પાસેથી ગાંધીજીએ શરીરશ્રમના વિચારને પણ ઝીલ્યો હતો. બંને માનતા કે જીવનનો સમગ્ર અર્થ માનવજાતની સેવા છે, પ્રસન્ન્તા સાચી ત્યારે જ બને જ્યારે જીવન સેવા માટે સમર્પિત થાય અને જીવનનો હેતુ માણસ પોતાની જાતની બહાર અને પોતાના અંગત સુખોને પાર શોધે. ગાંધીજી કહેતા, “સાદગી, સારપ ને સત્ય વિના મહાનતા સંભવતી નથી.”

ગાંધીનિર્વાણ દિને તેમના આ સાદા સૂત્રને તેના મહાન અર્થમાં સમજીએ તો ?

As the Bible says ‘that sometimes good cometh out of evil,’ so also I think that good will come out of the death of Mr Gandhi. It will release people from bondage to a superman. It will make them think for themselves and it will compel them to stand on their own merits.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 જાન્યુઆરી  2024

Loading

आपातकाल: घोषित बनाम अघोषित

राम पुनियानी|Opinion - Opinion|5 July 2024

राम पुनियानी

लोकसभा अध्यक्ष ओम बिरला तरह-तरह के विवादों के घेरे में रहे हैं. हाल में लोकसभा अध्यक्ष बतौर अपने दूसरे कार्यकाल में पदभार ग्रहण करने के तुरंत बाद उन्होंने आपातकाल के विरुद्ध एक प्रस्ताव प्रस्तुत किया. आपातकाल तत्कालीन प्रधानमंत्री इंदिरा गाँधी द्वारा 1975 में लगाया गया था. इसकी पृष्ठभूमि में था जयप्रकाश नारायण (जेपी) के नेतृत्व में चल रहा संपूर्ण क्रांति आन्दोलन.

गुजरात में कुछ विद्यार्थियों ने अपनी हॉस्टल के मेस के बिल में बढ़ोत्तरी के खिलाफ आन्दोलन शुरू किया. जल्दी ही बिहार के विद्यार्थी भी इसमें शामिल हो गए. आन्दोलन गति पकड़ता गया और विद्यार्थियों ने जेपी से राष्ट्रीय स्तर पर आन्दोलन का नेतृत्व सम्हलने का अनुरोध किया. जेपी ने विधानसभाओं और संसद के घेराव का आव्हान किया. दिल्ली के रामलीला मैदान में 15 जून 1975 को आयोजित एक विशाल रैली में जेपी ने पुलिस और सेना का आव्हान किया कि वो सरकार के आदेश न माने. इंदिरा गाँधी के निर्वाचन को चुनौती दी गयी और इलाहाबाद उच्च न्यायलय ने बहुत मामूली आधारों पर उसे रद्द कर दिया. उच्चतम न्यायालय ने 24 जून 1975 को इस आदेश पर रोक लगा दी.

देश के बिगड़ते हालात हो देखते हुए इंदिरा गाँधी ने 25 जून 1975 को संविधान के अनुच्छेद 352 के अंतर्गत देश में आपातकाल लगा दिया. आपातकाल 21 महीने तक लागू रहा और श्रीमती गाँधी ने स्वयं उसे ख़त्म किया. यवतमाल में 24 जनवरी 1978 को एक सभा में बोलते हुए इंदिरा गाँधी ने आपातकाल में हुई ज्यादतियों के लिए खेद व्यक्त किया. राहुल गाँधी भी उस दौरान हुई ज्यादतियों के लिए माफ़ी मांग चुके हैं. आपातकाल के दौरान विपक्षी नेताओं को गिरफ्तार किया गया था. लालू प्रसाद यादव आपातकाल की संपूर्ण अवधि में जेल में थे. एक पत्रकार के साथ लिखे गया उनका एक लेख द इंडियन एक्सप्रेस में 29 जून 2024 को प्रकाशित हुआ है. “द संघ साइलेंस ऑन इमरजेंसी” शीर्षक इस लेख में उन्होंने कहा कि यद्यपि विपक्षी नेताओं को गिरफ्तार किया गया था मगर इंदिरा गाँधी ने उनके साथ गरिमापूर्ण व्यवहार किया. भाजपा कई सालों से 25 जून को काले दिवस के रूप में मनाती आ रही है.

आपातकाल के दौरान एक महत्वपूर्ण परिवर्तन यह आया कि स्वाधीनता संग्राम के एक शीर्ष सेनानी जयप्रकाश नारायण ने आरएसएस को अपने आन्दोलन का हिस्सा बना लिया. आरएसएस के नानाजी देशमुख, जिन्हें भाजपा सरकार ने हाल में भारत रत्न से नवाज़ा है, आन्दोलन के केन्द्रीय संगठक बन गए. इससे आरएसएस, जिसका सूरज संघ के पूर्व प्रचारक गोडसे के हाथों राष्ट्रपिता की हत्या के बाद से अस्त हो गया था, को सम्मान मिला. कुछ लोगों ने जब जेपी से कहा कि आरएसएस एक फ़ासिस्ट संगठन है तो शायद अपने भोलेपन के चलते या किसी अन्य कारण से उन्होंने जवाब दिया कि अगर आरएसएस फ़ासिस्ट है तो मैं भी फ़ासिस्ट हूँ.

जेपी का पुलिस व सेना से सरकार के आदेश न मानने का आव्हान बहुत खतरनाक था. इसके बाद आन्दोलन ने और जोर पकड़ लिया और संसद व विधानसभाओं के घेराव होने लगे. आरएसएस ने संपूर्ण क्रांति आन्दोलन में महत्वपूर्ण भूमिका अदा की जिसके कारण जनता में उसकी स्वीकार्यता बढ़ी. मगर जब आपातकाल लगने के बाद उसके सदस्यों की गिरफ्तारियों शुरू हुईं तो वे सरकार के सामने झुकने लगे. कई ने माफीनामों पर दस्तखत कर जेल से रिहाई हासिल की.

भाजपा अपने आप को आपातकाल के प्रतिरोध का नायक सिद्ध करना चाहती हैं. इस मामले में सच क्या है यह जानेमाने पत्रकार प्रभाष जोशी ने ‘तहलका’ पत्रिका में प्रकाशित अपने लेख में बताया था. उन्होंने लिखा था, “उस समय के आरएसएस मुखिया बालासाहेब देवरस ने इंदिरा गाँधी को पत्र लिखकर संजय गाँधी के कुख्यात 20 सूत्रीय कार्यक्रम के कार्यान्वयन में सहायता करने का आश्वासन दिया था. यह है आरएसएस का असली चरित्र. आप उसके व्यवहार में एक पैटर्न देख सकते हैं. आरएसएस और जनसंघ के कई कार्यकर्ता माफ़ीनामा देकर जेलों से बाहर आये. केवल उनके कुछ नेता जेलों में बने रहे – अटल बिहारी वाजपेयी (जो अधिकांश समय अस्पताल में रहे), एलके अडवाणी और अरुण जेटली. आरएसएस ने आपातकाल के खिलाफ कोई लड़ाई लड़ी हो, ऐसा बिलकुल नहीं है. ऐसे में भाजपा आपातकाल के प्रतिरोध के केंद्र में खुद को क्यों रखना चाहती है, यह समझना मुश्किल है.” देवरस के इंदिरा गाँधी को लिखे पत्र एक पुस्तक “हिन्दू संगठन और सत्तावादी राजनीति” में प्रकाशित हैं. यह पुस्तक उन्होंने स्वयं लिखी थी और इसे जागृति प्रकाशन, नॉएडा ने प्रकाशित किया था. उस समय आईबी के उप प्रमुख वी. राजेश्वर ने भी पत्र लिखे जाने की पुष्टि की थी.

प्रेस सेंसरशिप, जबरिया नसबंदी और झुग्गियों का ढहाना जाना उस अवधि का दर्दनाक घटनाक्रम था.

पिछले दस सालों से हम क्या देख रहे हैं? सार्वजनिक सरोकार रखने वाले बुद्धिजीवियों की गिरफ्तारियां हो रही हैं, पत्रकारों और शांतिपूर्ण प्रदर्शनों में भाग लेने वालों को जेलों में डाला जा रहा है, मुख्यधारा का मीडिया सत्ताधारी सरकार के आगे नतमस्तक है और सरकार की नीतियों के विरोधियों को राष्ट्रद्रोही बताया जा रहा है. हमने यह भी देखा कि 146 सांसदों को लोकसभा से निलंबित कर दिया गया. पिछले दस सालों में जो कुछ हुआ है, उसमें सत्ताधारी दल और उसके पितामह आरएसएस के प्यादों के भूमिका रही है. पिछला एक दशक घोषित आपातकाल से भी बुरा था. यही कारण है कि 1975 के आपातकाल की कट्टर आलोचक नयनतारा सहगल ने पिछले एक दशक को “अघोषित आपातकाल” बताया है. वे लिखती हैं, “इसमें कोई संदेह नहीं कि यहाँ अघोषित आपातकाल लागू है. हमने अभिव्यक्ति की आज़ादी पर बड़े पैमाने पर हमले देखे हैं. हमने देखा है निर्दोष और असहाय भारतीयों को मरते हुए केवल इसलिए क्योंकि वे आरएसएस के भारत में फिट नहीं बैठते….कुल मिलकर यह भयावह स्थिति है, यह एक दुस्वप्न है, जो आपातकाल से भी बुरा है….हालात इतने भयावह हैं कि उनकी तुलना किसी और दौर से नहीं की जा सकती.”

यहाँ तक कि भाजपा के वरिष्ठ नेता लालकृष्णा अडवाणी ने भी पिछले एक दशक को अघोषित आपातकाल बताया था. “आज देश में अघोषित आपातकाल है, वरिष्ठ भाजपा नेता लालकृष्ण अडवाणी ने सरकार के गठन के बाद ऐसा इशारा किया था. मगर फिर आरएसएस के दबाव में उन्होंने चुप्पी साध ली…”. जब हम 1975 के आपातकाल की बात करते हैं तो हमें उस अघोषित आपातकाल पर भी आत्मचिंतन करना चाहिए जो भारत में पिछले दस सालों से लागू है.

दया याचिकाएं और माफीनामे पेश करना हिन्दू दक्षिणपंथियों की पुरानी आदत है. सावरकर ने अंडमान जेल में रहते हुए पांच दया याचिकाएं प्रस्तुत की थीं. अटलबिहारी वाजपेयी ने सन 1942 में अपनी गिरफ़्तारी के बाद, इसी तरह का पत्र लिख कर रिहाई हासिल की थी. उन्होंने लिखा था कि उनका भारत छोडो आन्दोलन से कोई लेनादेना नहीं है. इसी तरह, आपातकाल में बालासाहेब देवरस ने इंदिरा गाँधी को दो पत्र लिखकर समर्थन की पेशकश की थी. उन्होंने विनोबा भावे से कहा था कि वे इंदिरा गाँधी से कह कर आरएसएस पर प्रतिबन्ध समाप्त करवाएं. अरुण जेटली ने आपातकाल की तुलना हिटलर के शासन से की थी. यह सच है कि फ़ासिस्ट ताकतें सडकों पर लड़ने वाले अपने प्यादों की फ़ौज खड़ी करते हैं. पिछले एक दशक में, जर्मनी में ब्राउन शर्ट्स की तरह, भारत में भी लड़ाकों के कई समूह खड़े हुए हैं.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...513514515516...520530540...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved