Opinion Magazine
Number of visits: 9664934
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાત ગીરવે મુકવી પડી છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|25 October 2024

લખાણ પાકું કર્યા પછી રાત ગીરવે મુકવી પડી છે,

કરજ બધું ચૂકતે કરી જાત ઉકરડે ભુખવી પડી છે.

હું પ્રેમને ભીખવા અક્ષય પાત્ર લઈ જગતમાં ફરી વળ્યો છું,

પરાગ રસની રતાશ માટે વસંતને ભૂલવી પડી છે.

બનાવટી હાસ્ય જોઈને શોકમગ્ન મન આફરે ચડ્યું છે,

સમાજની રીત-ભાતને ટાળવા સફર લુણવી પડી છે.

નથી મળ્યો કોઈનો પ્રણય તો’ય દબદબો સાચવી રહ્યો છું,

કશા’જ અડબોથના ઉધારા કર્યા વગર ગુણવી પડી છે. 

અહીં છણાવટ વિના બધી પોલને ઉધાડી કરી રહ્યો છું,

લક્ષ્યાંકને સિદ્ધ-હસ્ત કરવાં દમામથી ગૂંથવી પડી છે.

e.mail : addave68@gmail.com

 

Loading

ઠગાઈથી સગાઈ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 October 2024

રવીન્દ્ર પારેખ

આજની પરિસ્થિતિ એવી છે કે ભારત મારો દેશ છે – એ પ્રતિજ્ઞા ઠગારી લાગે ને પ્રજાને કહેવું પડે કે ભારત મારો નહીં, પણ ભાર તમારો દેશ છે. ભ્રષ્ટાચાર, ઠગાઈ, દુષ્કર્મ, ડ્રગ્સ … વગેરે આખા દેશમાં રાજરોગની જેમ વકરેલાં છે. રાજકીય પક્ષો પ્રજાનું મૂલ્ય મતથી વિશેષ આંકતા નથી ને પ્રજા, સરકાર કોઈ પણ હોય, પોતાની હોજરી ફાટફાટ કઈ રીતે થાય એ સિવાય બીજું કૈં વિચારતી નથી. સરકાર વિકાસમાં રકાસ કરી રહી છે ને પ્રજા સામેનાનો રકાસ કરીને પોતાનો વિકાસ કરી રહી છે. સરકાર કરતાં પ્રજા વધુ ભ્રષ્ટ છે તેનાં અનેક ઉદાહરણો મળે તેમ છે. એમાં વચેટિયાઓ પ્રજાની અને સરકારની ઘોર ખોદવામાં મોખરે છે. એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને સરકારે અને સંસ્થાઓએ કારભાર સોંપી દેતાં તમામ સ્તરે ભ્રષ્ટાચાર, નષ્ટાચાર થઈને રહ્યો છે. સડકો તૂટવા માટે જ બંધાય છે. વરસાદ રસ્તે રસ્તે વહી શકે એ માટે પ્રિ-મોન્સૂન કામગીરી થાય છે. આખી ગાડી ભૂવામાં ઊતરી ન જાય ત્યાં સુધી એ કામગીરી પૂરી થતી નથી.  

બહેરામપુરા-અમદાવાદના જર્જરિત આવાસના કેસમાં હાઇકોર્ટે સોંસરો સવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એ પૂછ્યો કે સરકારી આવાસ યોજના હેઠળ બંધાયેલા આવાસો દસ-પંદર વર્ષમાં જ જર્જરિત થઈ જાય અને રહેવા લાયક ન રહે તો તમે તપાસ કેમ ના કરી? તળિયા ઝાટક તપાસ તો આખા દેશની કરવા જેવી છે. કેટલી ય ઇમારતો, પુલો વગેરે બને, બને ત્યાં તો જર્જરિત થવાં લાગે છે. કેટલા પુલો તૂટી પડ્યા ને કેટલા તૂટવા પર છે એની તપાસ થાય તો દેહ પર ચામડી ન રહે એટલો ભ્રષ્ટાચાર થયાનું બહાર આવે એમ છે.

બધું જ ખતમ થઈ રહ્યું હોય એવું વાતાવરણ છે. નકલ એટલા સ્તરે વ્યાપી છે કે નકલ જ અસલ લાગે. ઠેર ઠેર નકલી ચીજ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે જાણે ! તહેવાર આવે છે ત્યારે જ મીઠાઈની તપાસ ચાલે છે. તહેવારોમાં જ રેડ પડે છે. એ સિવાય કોઈને કોઈ પ્રશ્નો નડતા નથી. એકાદ દિવસમાં જ દિવાળી ટાણે કડીમાં 2,500 કિલો નકલી ઘી, ડીસામાં 2,368 કિલો શંકાસ્પદ તેલ અને મહેસાણામાં 834 કિલો બનાવટી પનીર પકડાતું હોય તો આડે દિવસે બધું શુદ્ધ જ વેચાય છે એવું કઈ રીતે માનવું? પણ, ફૂડ વિભાગ તહેવારો વખતે જ જાગે છે. નકલીનું તો સામ્રાજ્ય ફેલાયું છે. નકલી ઘી-તેલનો એકલ દોકલ પ્રયત્ન નથી થતો, આખેઆખી ફેક્ટરીઓ પકડાય છે. 10 દિવસમાં જ કડીમાંથી નકલી ઘીની બે ફેક્ટરીઓ પકડાઈ, તો ટંકારાના લજાઈ પાસે SMCએ નકલી તેલની ફેક્ટરી પકડી ને 21,488 લિટર ઓઇલની સાથે 23.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ડ્રગ્સમાં પણ એમ જ થયું છેને ! અંકલેશ્વર, પલસાણા, ઉમરગામમાંથી ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ છે, એટલું ઓછું હોય તેમ અંકલેશ્વરથી જ ડ્રગ્સ બનાવતી બીજી ફેક્ટરી પણ ઝડપાઈ છે. આ પાપ તો પ્રજા કરે છે ને? એટલે બધાંમાં જ સરકાર જવાબદાર છે એવું નથી.

નકલી ઘી, તેલ, દૂધ, માવો, તો પ્રજાને કરમે ચોંટયાં જ છે, પણ આ નકલ, ખાદ્ય સામગ્રીઓ પૂરતી જ સીમિત નથી, તે અનેક બાબતોમાં વિકસી છે. સરકાર અને અન્ય તંત્રો કદાચ પહોંચી નહીં વળતાં હોય એટલે નકલો વધુ થવા માંડી છે. આમ તો સરકાર બીજાને માટે, કરકસરના ભાગ રૂપે પૂરતો સ્ટાફ રાખતી નથી, એટલે સ્ટાફ સાથે જ ઠગો નકલી સરકારી ઓફિસ ઊભી કરી દે છે. છોટા ઉદેપુરની એ ઓફિસ તો સરકાર પાસેથી ગ્રાન્ટ પણ મંજૂર કરાવી લાવી હતી ને સરકારને એની ખબર પણ પડી ન હતી. દેખીતું છે કે નકલી ઓફિસ ચલાવવા અસલી અધિકારી તો ન ચાલે, એટલે નકલી અધિકારી કે નકલી પોલીસ પણ આપોઆપ જ ઊભાં થઈ જાય છે. નકલી CBIની ખોટ પણ ઠગોએ પ્રજાને સાલવા દીધી નથી. થોડા વખત પર નકલી ટોલ નાકું પણ પકડાયેલું ને તેણે ઘણાંને ટાલ પાડી દીધેલી એવો ખ્યાલ છે. આટલું બધું નકલી હોય ત્યાં નકલી કોર્ટ ને નકલી જજ પણ શું કામ બાકી રહી જાય?

ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની 100 એકરથી વધુ સરકારી જમીન, નકલી જજે પોતાને નામે કરી લીધી છે. તાજેતરમાં જ નકલી આર્બિટ્રેશન જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગરના આદરેજમાં રહેતા ક્રિશ્ચયન પાસે વિદેશી ડિગ્રી હોવાનું કહેવાતું હતું, પણ તેની સામે પણ હવે શંકાઓ થઈ રહી છે. તેણે ટ્રિબ્યુનલ જેવી કોર્ટ ઊભી કરી ને તેમાં નકલી સ્ટાફ પણ રાખ્યો. પાલડીમાં આવેલી સરકારી જમીન હડપવા મોરિસે ખોટો એવોર્ડ હુકમ કર્યો ને અત્યાર સુધી તે પોતાની તરફેણના હુકમો જ કરતો રહ્યો. તેની સામે ફરિયાદો થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો. આર્બિટ્રેટર જજ ન હોવા છતાં ખોટા હુકમો કરીને મોરિસે ગુનાહિત કાવતરું કર્યું. એ વાત કોર્ટના ધ્યાનમાં આવતાં નકલી આર્બિટ્રેટર જજનો ભાંડો ફૂટ્યો ને સરકારી વકીલે મોરિસ સેમ્યુઅલ સામે ફોજદારી પગલાં લેવાની માંગણી પણ કરી.

નકલી જજ સામે નવ વર્ષ પહેલાં પણ અરજી થઈ હતી, પણ કૌભાંડ ચાલતું રહ્યું હતું ને ઓર્ડર પણ પાસ થતા રહ્યા હતા. વકીલની અરજી પણ 2007માં ફગાવાઈ હતી, પણ જજની પ્રેક્ટિસ કોઈ રોકી શક્યું ન હતું. આ નકલી જજ પાસે અલગ અલગ નામના નવ પાસપોર્ટ હતા એ મુદ્દે તે મુંબઇમાં પકડાયો પણ હતો ને પછી જામીન પર છૂટી ગયો હતો. વકીલાતની સનદ ન હતી, છતાં 17 વર્ષથી તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. કોર્ટમાં રજૂ કરાતા તેનું એક જ રટણ ચાલતું હતું કે તે જ અસલી લવાદ જજ છે ને તેના પુરાવા પણ છે. આ માણસે ભોળા ને નિર્દોષ લોકોને છેતર્યા છે, એટલું જ નહીં, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આ આરોપી નકલી વકીલ પણ બન્યો હતો. હવે તે જજ નથી, આમ તો ક્યારે ય ન હતો, પણ તેને કોઈ આરોપી તરીકે સંબોધે તે મંજૂર નથી.

વ્યક્તિગત ધોરણે એકબીજાને છેતરવાના તો અનેક કિસ્સાઓ મીડિયામાં આવતા રહે છે ને હવે તો  છેતરપિંડી પણ કરોડોમાં થાય છે. સમજાતું નથી કે કરોડો રૂપિયા, છેતરાવા માટે, લોકો પાસે આવે છે ક્યાંથી? દેશમાં જાણે કોઈ ગરીબ જ રહ્યું નથી ! કોઈને મોંઘવારી લાગતી જ નથી. કરોડોમાં લૂંટાવું કે છેતરાવું હવે સામાન્ય થઈ પડ્યું છે. એટલાં બધાં ક્ષેત્રોમાં છેતરપિંડી અને નકલખોરી ચાલે છે કે સામાન્ય માણસ માટે છેતરાવું અનિવાર્ય થઈ ગયું છે.

ખોરાકમાં નકલી વસ્તુઓથી છેતરનારાઓની ભીડ છે. તહેવારો આવે છે કે બધાંને લૂંટવાનો, છેતરવાનો પરવાનો મળી જાય છે. નકલી ખાદ્યસામગ્રીથી છેતરાયા, તો હવે નકલી ઓફિસ, અધિકારીથી છેતરાવ ! એ રીતે છેતરપિંડીનો ભોગ બનો ને મન થાય કે પોલીસ ફરિયાદ કરવી છે, તો નકલી પોલીસ, નકલી સી.બી.આઈ.થી બચવાનું મુશ્કેલ. એ બધાં પછી ધારો કે અસલી પોલીસ મળ્યો ને અસલી ફરિયાદ પણ થઈ તો ન્યાય મળે જ એની કશી ખાતરી નથી, કારણ કોર્ટ અસલી છે કે જજ અસલી છે એ માપવાનું કોઈ સાધન નથી. અસલી કોર્ટમાં જ જ્યાં ન્યાયના ફાંફાં છે, ત્યાં નકલી કોર્ટમાં ન્યાયની તો કલ્પના જ શી કરવાની? સામાન્ય માણસે ક્યાંક ને ક્યાંક તો નકલખોરીથી ઠગાવાનું જ છે. હવે ઠગાઈથી જ સગાઈ હોય, તો બીજું થાય પણ શું? એવું બને કે કોઈને બદલે કોઈ નકલી જ, જિંદગી જીવી જાય ને પેલો મૂરખની જેમ ખૂણો પાળતો રહી જાય કે કોઈ મરવાનું વિચારે ને કોઇ નકલી જ મરી જાય ને પેલાની મરવાની ઈચ્છા અધૂરી રહે એમ બને. આમ તો અશક્ય લાગતી વાત છે આ, પણ નકલી કોર્ટ સુધી તો આવ્યા જ છીએ, તો કાલ ઊઠીને કોઈ નકલી સરકાર સામે આવે કે કોઈ આખું રાજ્ય કે દેશ જ નકલી નીકળે તો આઘાત ન લાગે એ હદે નકલખોરી વ્યાપક થઈ રહી છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑક્ટોબર 2024

Loading

हिंदू राष्ट्र का राग फिर गाया आरएसएस प्रमुख ने, बताई भाजपा राजनैतिक दिशा

राम पुनियानी|Opinion - Opinion|25 October 2024

राम पुनियानी

गत 12 अक्टूबर को विजयादशमी (दशहरा) का त्यौहार था. इस दिन आरएसएस का स्थापना दिवस मनाया जाता है. परंपरा है कि इस दिन आरएसएस प्रमुख (सरसंघचालक) का संबोधन होता है. परंपरा के अनुरूप, डॉ मोहन भागवत ने भाषण दिया. यह भाषण उनके उस महत्वपूर्ण भाषण के कुछ दिन बाद हुआ जो उन्होंने 2024 के आमचुनाव में भाजपा के निराशाजनक प्रदर्शन के बाद दिया था. उस भाषण में उन्होंने नरेन्द्र मोदी को निशाना बनाया था. चुनाव प्रचार के दौरान मोदी ने यह दावा किया था कि वे ‘नॉन बायोलॉजिकल’ हैं और उन्हें लगता है कि उन्हें ईश्वर ने धरती पर भेजा है. चुनाव में भाजपा की सीटें 303 से घटकर 240 हो जाने की पृष्ठभूमि में भागवत ने कहा “एक आदमी पहले सुपरमैन बनना चाहता है, फिर देव, और फिर ईश्वर.”

शायद यह पहला चुनाव था जिसमें भाजपा ने यह दावा किया था कि पहले वह आरएसएस से मदद मांगती थी क्योंकि उसकी अपनी ताकत कम थी. लेकिन अब वह अब पहले से ज्यादा शक्तिशाली हो गई है.

इस भाषण में भागवत ने मोदी के बढ़ते दंभ पर चोट की और तत्पश्चात संघ परिवार ने हरियाणा के चुनाव में पूरी ताकत झोंक दी. चुनाव आयोग की मदद से की गई जोड़तोड़ से भाजपा ने चुनाव जीत लिया, जबकि आम धारणा यह थी कि राज्य में कांग्रेस की जीत निश्चित है.

दशहरे के अपने भाषण में भागवत ने भाजपा की अधिकांश नीतियों का एक बार फिर जिक्र किया, गैर-भाजपा शासित राज्यों की सरकारों की आलोचना की और आरएसएस के असली लक्ष्यों की रूपरेखा प्रस्तुत करते हुए हिंदुत्व की राजनीति के केन्द्रीय तत्वों की चर्चा की. मोहन भागवत ने कहा, “‘डीप स्टेट’, ‘वोकिज्म’, ‘कल्चरल मार्क्सिस्ट’ शब्द इस समय चर्चा में हैं और ये सभी सांस्कृतिक परंपराओं के घोषित दुश्मन हैं. समाज (का) मन बनाने वाले तंत्र व संस्थाओं – उदाहरण के लिए शिक्षा तंत्र व शिक्षा संस्थान, संवाद माध्यम, बौद्धिक संवाद आदि – को अपने प्रभाव में लाना, उनके द्वारा समाज के विचार, संस्कार, आस्था आदि को नष्ट करना, यह इस कार्यप्रणाली का प्रथम चरण होता है. एक साथ रहने वाले समाज में किसी घटक को उसकी कोई वास्तविक या कृत्रिम रीति से उत्पन्न की गई….समस्या के आधार पर अलगाव के लिए प्रेरित किया जाता है. असंतोष को हवा देकर उस घटक को शेष समाज से अलग, व्यवस्था के विरुद्ध उग्र बनाया जाता है…व्यवस्था, शासन, प्रशासन आदि के प्रति अश्रद्धा व द्वेष को उग्र बना कर अराजकता  व भय का वातावरण खड़ा किया जाता है. इससे (उनके लिए) उस देश पर अपना वर्चस्व स्थापित करना सरल हो जाता है.”

एक अपेक्षाकृत कम प्रचलित शब्द ‘वोकिज्म’ का इस्तेमाल अधिकांशतः दक्षिणपंथियों द्वारा “सामाजिक और राजनैतिक अन्यायों के प्रति संवेदनशील रवैया रखने वाले लोगों को अपमानित करने के लिए किया जाता है”. यह भागवत के भाषण का केन्द्रीय मुद्दा था. इस समय हिंदू दक्षिणपंथी देश के सामाजिक-राजनैतिक परिदृश्य पर हावी हैं और संघ परिवार ने शाखाओं, सरस्वती शिशु मंदिरों और एकल विद्यालयों जैसे स्कूलों के विशाल नेटवर्क और समाज में होने वाली चर्चाओं व बातचीत के जरिए समाज में जाति व लैंगिक भेदभाव के प्रति समर्थन का माहौल बना दिया है. हाल के वर्षों में संघ परिवार के प्रति सहानुभूति रखने वाले बड़े कारोबारी घरानों द्वारा नियंत्रित मीडिया और भाजपा के आईटी सेल के सहारे समाज के बड़े हिस्से का नजरिया हिंदू राष्ट्रवाद के पक्ष में कर दिया है.

आखिर वोकिज्म क्या करता है? वह एक न्यायपूर्ण समाज स्थापित करना चाहता है. वह जाति, धर्म, रंग, भाषा आदि के आधार पर भेदभाव के खिलाफ होता है और एलजीबीटी के अधिकारों का समर्थन करता है. सभी के एकसमान अधिकारों की यह बात ब्राम्हणवादी मूल्यों के समर्थकों को चुभती है क्योंकि ये मूल्य ही हिंदू राष्ट्रवादी राजनीति के केन्द्र में हैं. मोटे तौर पर यह बात धर्म का चोला ओढ़े तालिबान, मुस्लिम ब्रदरहुड और बौद्ध धर्म के नाम पर श्रीलंका और म्यांमार में की जा रही राजनीति और ईसाई कट्टरपंथियों पर भी लागू होती है. स्थानीय परिस्थितियों के मुताबिक यह विभिन्न स्वरूपों में सामने आती है.

इसी सोच के चलते हिंदू राष्ट्रवादी विचारधारा के संस्थापक मनुस्मृति के प्रशंसक थे, क्योंकि उसमें दलितों और महिलाओं को निम्न दर्जा दिया गया है. आरएसएस मुसलमानों और ईसाईयों को विदेशी मानता है और उसने 1984 में हुए सिक्खों के नरसंहार का दबे-छुपे ढंग से समर्थन किया था. दक्षिणपंथी राजनीति वोकिज्म को इसलिए बुरा मानती है क्योंकि वह समानता के मूल्यों की पक्ष्धर है, जो किसी भी सामाजिक आंदोलन का अंतिम लक्ष्य माना जाता है. यही वजह है कि वंचितों के ज्यादातर आंदोलन लोकतंत्र का पूरे जोशोखरोश से समर्थन करते हैं. जहां एक ओर दलितों, महिलाओं औैर एलजीबीटी समुदाय के आंदोलनों को भारत के हिंदू राष्ट्रवादी हेय दृष्टि से देखते हैं, वहीं मुस्लिम-बहुल देशों में, जहां कट्टरपंथियों का राज है, महिलाएं निशाने पर होती हैं. संघ परिवार चाहता है कि समानता के मूल्यों का स्थान असमानता के पैरोकार ‘प्राचीन स्वर्णकाल के मूल्य’ ले लें और यही कारण है कि संघी विचारक बार-बार वोकिज्म जैसे शब्दों का इस्तेमाल कर रहे हैं. उनके लिए यह वंचितों के अधिकारों का समर्थन करने वाले मूल्यों और आंदोलनों का पर्याय है.

आरएसएस और भाजपा के परस्पर संबंध संघ परिवार का आंतरिक मसला है, मगर दोनों के मूलभूत मूल्य एक समान हैं. यह इसके बावजूद कि दोनों के बीच अहं का टकराव होता रहता है. अन्य मसलों पर भाजपा उसी राह पर चल रही है जिन्हें भागवत ने अपने भाषण में दुहराया. उन्होंने गैर-भाजपा शासित राज्यों की सरकारों की आलोचना की. उन्होंने कहा, “इसके चलते आज देश की वायव्य सीमा से लगे पंजाब,जम्मू-कश्मीर, लद्दाख; समुद्री सीमा पर स्थित केरल, तमिलनाडु तथा बिहार  से मणिपुर तक का संपूर्ण पूर्वांचल अस्वस्थ है”. जब वे लद्दाख और मणिपुर को एक ही श्रेणी में रखते हैं, तब उनकी पोल खुल जाती है.

मणिपुर में कुकी समुदाय, विशेषकर उसकी महिलाओं के विरूद्ध भयानक हिंसा हुई है. इस पर भाजपा शासन का उदासीनतापूर्ण और निष्ठुर रवैया वाकई चिंताजनक है. जहां तक लद्दाख का सवाल है, हमने देखा है कि वहां पर्यावरण संरक्षण और समान नागरिकता अधिकारों की मांग जैसे मुद्दों पर आंदोलन हो रहे हैं और ये ऐसे मुद्दे हैं जिन पर केन्द्रित आंदोलन होना स्वागतयोग्य एवं प्रशंसनीय है. लद्दाख का आंदोलन पूर्णतः शांतिपूर्ण रहा है. इस आन्दोलन का सोनम वांगचुक का विलक्षण नेतृत्व इतिहास में स्वर्णाक्षरों से लिखा जाएगा. आरएसएस की संतान भाजपा ने लद्दाख के आंदोलन को जिस तरह नजरअंदाज किया, वह समकालीन भारतीय इतिहास का एक काला पृष्ठ है.

आर. जी. कर मेडिकल कालेज में हुई त्रासदी का जिक्र कर और महिला पहलवानों और दलित लड़कियां पर अत्याचारों के मामलों पर चुप्पी साधकर संघ प्रमुख ने पक्षपातपूर्ण रवैया प्रदर्शित किया है. एक बार इन्हीं सज्जन ने दावा किया था कि दुष्कर्म इंडिया (शहरी क्षेत्रों) में होते हैं और ‘भारत’ में नहीं. सच्चाई यह है कि भाजपा शासित राज्यों में ऐसी ज्यादातर घटनाएं ग्रामीण इलाकों या छोटे शहरों में हुई हैं. सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय द्वारा जारी की गई एक रपट के अनुसार, “दलितों पर होने वाले अत्यचारों के मामले में स्थिति चिंताजनक है…उत्तरप्रदेश में ऐसे सर्वाधिक 12,287 प्रकरण दर्ज किए गए, उसके बाद 8,651 प्रकरणों के साथ राजस्थान एवं 7,732 प्रकरणों के साथ मध्यप्रदेश का स्थान रहा”.

उनके भाषण का सबसे मजेदार हिस्सा वह था जिसमें उन्होंने हिंदुओं से एकताबद्ध और सशक्त बनने का आव्हान किया क्योंकि कमजोर अपनी रक्षा स्वयं नहीं कर पाते. क्या हम भारतीय होने के नाते एक नहीं हैं? यदि हम संविधान के अनुसार भारतीयों के रूप में एकताबद्ध बनें तो इसमें क्या दिक्कत है? लेकिन भागवत से कुछ और अपेक्षा करना तर्कसंगत नहीं होगा क्योंकि भारतीय संविधान के प्रति उनकी आस्था भी मात्र चुनावी लाभ के लिए संघ परिवार द्वारा किये जा रहे नाटक के सिवाय कुछ नहीं है.

22 अक्टूबर  2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...510511512513...520530540...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved