Opinion Magazine
Number of visits: 9457120
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), સંવિધાન દિવસ (26 નવેમ્બર) : આવા સકારાત્મક અભિગમને બદલે આમ નકારાત્મક ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 July 2024

સંવિધાન હત્યા દિવસ 

ઘડિયાં લગન પેઠે આવી પડેલી ગેઝેટબદ્ધ જાહેરાતમાં એક પક્ષને નિશાન બનાવવાની, ગણતરી સાફ દેખાય છે; જો કે તે અંગે સત્તાપક્ષ ખુદનો દસ વરસનો રેકર્ડ લગારે વિશ્વાસપાત્ર નથી.

પ્રકાશ ન. શાહ

એન.ડી.એ. સરકારનો ત્રીજો કાર્યકાળ એક પા જો એની સ્વીકૃતિ પરત્વે સવાલિયા નિશાન સાથે શરૂ થયો છે તો બીજી પા એણે ઘડિયાં લગન પેઠે ગેઝેટેડ પેચપવિત્રાનુંયે રાજકારણ શરૂ કર્યું છે.

દેશે પ્રજાસત્તાક સ્વરાજ લગી પહોંચવાનો મુકામ હાંસલ કીધો તે નિમિત્તે 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક અગર તો ગણરાજ્ય દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય લડતમાં પૂર્ણ સ્વરાજ (મુકમ્મલ આઝાદી)નો દિવસ 26 જાન્યુઆરી 1930નો હતો. 26મી જાન્યુઆરી તો માનો કે રૂઢ થઈ ગયેલી ઉજવણી છે, એનાં મૂળિયાં એ લડતમાં પડેલાં છે જેને અંગે હાલના સત્તારૂઢ પક્ષપરિવારનું વલણ કંઈક અંતરનું રહેલું છે.

એથી હોય કે અન્યથા એન.ડી.એ. સરકારે 2014માં સત્તારૂઢ થયા પછી 2015થી 26મી નવેમ્બરે વળી બંધારણ દિવસની ઉજવણી શરૂ કરી છે. બંધારણના ઘડતરમાં અગ્રભૂમિકા ભજવનાર આંબેડકરના 125મા જયંતી વર્ષનો હવાલો આપી આ શરૂઆત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી છતાં અમારો એક આગવો દિવસ, એવી છૂપી માનસિકતા એની પૂંઠે કામ કરતી હશે?

ગમે તેમ પણ હાલના સત્તા-પ્રતિષ્ઠાનની ખરી મૂંઝવણ કદાચ જુદી હોઈ શકે. એ નહોતું રાષ્ટ્રીય લડત સાથે કે નહોતું બંધારણ ઘડતરની પ્રક્રીયા સાથે. ‘મનુસ્મૃતિ’નો વારસો છતાં આવું બંધારણ કેમ, એવી ફરિયાદની રીતે આ પક્ષપરિવારનાં તત્કાલીન પ્રકાશનો ત્યારે પેશ આવતાં હતાં.

માનો કે 26મી નવેમ્બરના બંધારણ દિવસની એની 2015થી શરૂ થયેલી પ્રણાલિકાનો આશય પોતાના મૂળ ઉછેર વારસામાં જે બધું નહોતું તેની સાથે અનુકૂલન સાધવાના સ્વાભાવિક મનોવૈજ્ઞાનિક ખેંચાણવશ હોય. વળી, એન.ડી.એ. શાસનની તાસીર ઇવેન્ટ પે ઇવેન્ટ તરેહની રહી છે એ રીતે પણ આ ચેષ્ટાને જોઈ શકાય.

હવે આપણી સામે બંધારણ અગર તો સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત એલાન આવે છે. દસ વરસના શાસનમાં બંધારણીય ધારાધોરણથી વિપરીત જે બધાં વલણો જોવા મળ્યાં એથી વિપક્ષે આ ચૂંટણીમાં બંધારણનો મહિમા મુખ્ય મુદ્દાની જેમ ઉઠાવ્યો એની સામેનો આ એક મનોવૈજ્ઞાનિક બેત છે તે સમજી શકાય એમ છે.

વાત પણ સાચી કે 25મી જૂન 1975ના રોજ જે બન્યું તે આપણી લોકશાહી તવારીખ પર એક બટ્ટો જરૂર હતો અને છે. તે માટે જવાબદાર પક્ષને માર્ચ 1977માં જનતાએ શિકસ્ત અને નસિયતનો પાઠ આપ્યો જ છે. જો કે જેની જોડે બંધારણ પરત્વે હત્યા દિવસની ઓળખ જોડવાનો ગેઝેટબદ્ધ અભિગમ છે તે મૂળ પ્રક્રિયા વિલક્ષણ રીતે બંધારણીય જોગવાઈ મુજબની હતી. પિતાએ 26મી જાન્યુઆરી આપી તો પુત્રીએ 26મી જૂન આપી, એવી બેબાક ટીકા ત્યારે આ લખનાર સહિત અનેકે કરી પણ છે. શાહ તપાસ પંચના હેવાલની વિગતો કોઈ પણ લોકશાસનને જેબ આપે એવી મુદ્દલ નથી. પણ તમે જુઓ, લોકસભાની વધારેલી મુદ્દત પૂરી થાય તે પૂર્વે ચૂંટણી આપી અને ચુકાદાની રૂખ પ્રમાણે કટોકટી ઉઠાવી પણ ખરી. નિર્ભીક પત્રકાર વર્ઘીઝે ત્યારે પ્રતિવર્ષ 23મી માર્ચને કટોકટી ઊઠ્યાના દિવસ તરીકે યાદ કરીએ એવી હિમાયત કરી હતી એ આ લખતા સાંભરે છે.

હવે જે સૂચન છે તે 26મી જાન્યુઆરી, 26મી નવેમ્બર કે 23મી માર્ચ જેવું સકારાત્મક નથી પણ હત્યા દિવસનું છે. એની પાછળનું મનોગણિત ઉઘાડું છે – કાઁગ્રેસને નિશાન પર લેવી. આ મુદ્દે વિપક્ષી જમાવડામાં પણ કંઈક મનોવૈજ્ઞાનિક તાણ ને ફાટફૂટને અવકાશ મળી રહે એવીયે ગણતરી ખરી.

જો કે, છેલ્લાં દસ વરસની ચોક્કસ વિગતો જોતાં હાલનો સત્તાપક્ષ બંધારણ વિશે બડકમદારીની નૈતિક પાત્રતા કેટલી ધરાવે છે એ સવાલ છે. વસ્તુતઃ સ્વરાજની પહેલી લડાઈ (1947) અને બીજી લડાઈ (1975-1977) એવો ભેદ અનુભવે કરીને બરાબર લાગતો નથી. 1977 પછી આવેલી હર સરકાર સાથે નાગરિક છેડેથી લોકશાહી સવાલો રહ્યા છે. આ સંજોગોમાં ખરો મુદ્દો લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયાની દૃષ્ટિએ સત્તાપક્ષ અને વિપક્ષ બેઉ પરત્વે નાગરિક છેડેથી સ્વરાજની ચાલુ લડાઈનો છે અને રહેશે. કથિત હત્યા દિવસ આ પાયાની વાતને પાટેથી ઉતારી દે, એવી શક્યતા સવિશેષ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (13)

દીપક મહેતા|Opinion - Opinion|19 July 2024

૧૩

“મારે સારે નસીબે મને કવીશ્વર દલપતરામનો પરિચય પ્રમાણમાં વહેલો થયો. અને ૧૮૪૮થી મેં તેમની સેવાનો લાભ લેવાનું શરૂ કર્યું ત્યારથી મારા આ સહકાર્યકર લગભગ સતત મારી સાથે રહ્યા છે. સ્થાનિક તવારીખો, રૂઢિઓ, હસ્તપ્રતો, અને લેખો મેળવવા માટે કે તેમની નકલ કરાવી લેવા માટે તેમણે ગુજરાતના ઘણા ભાગોનો પ્રવાસ કર્યો – અલબત્ત, તે માટેની સગવડો મેં તેમને કરી આપી હતી – તેને પરિણામે અમને ધીમે ધીમે સફળતા મળી.”

(અંગ્રેજી રાસમાળાની ૧૮૫૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનાના અંશનો અનુવાદ)

*

“છેલ્લે દિવસે રાસમાળાનાં અસલ દલપત લખ્યાં ગુજરાતી પ્રકરણોના બે ચોપડા, જાણે જગત ઉંબરે ઊભી દલપત ભણાવ્યું દલપતરામને પાછું સોંપતો હોય તેમ દલપતરામને પાછા આપીને ફાર્બસે કહ્યું કે આ પ્રકરણો ગોઠવીને યથાસ્થિત છપાવાય તો મારાં બધાં કામ પૂરાં થયાં હું લેખીશ.એ ચોપડા તે દલપત રાસમાળા, જેના ઉપરથી ફાર્બસ રાસમાળા લખાઈ ને છપાઈ.”

(કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ / નાનાલાલ દલપતરામ કવિ, પા. ૧૧૨-૧૧૩) (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

*

જો આપણે શબ્દો ગળી જનારા નહિ, પણ ચાવીને વાંચનારા હોઈએ તો સવાલ થયા વગર ન રહે કે ફાર્બસ અને નાનાલાલ, બેમાં કોણ સાચું? કોણ નહિ? ફાર્બસની રાસમાળા તેમની મૌલિક કૃતિ, કે દલપતરામની ગુજરાતી કૃતિનો અનુવાદ માત્ર? રાસમાળા એક કે બે? રાસમાળાના ફાર્બસ લેખક કે અનુવાદક? દલપતરામની મહેનતનો જશ ખાટી જવાનો પ્રયત્ન ફાર્બસે કર્યો? કે ફાર્બસની કૃતિ દલપતરામના ખાતામાં જમા કરાવવાની મહેનત નાનાલાલે કરી છે?

ફાર્બસે દલપતરામની સહાય વિષે જે લખ્યું તેનું મૂળ જાત-માહિતીમાં રહેલું છે. નાનાલાલે જે લખ્યું તેનો આધાર? ફાર્બસના અવસાન પછી ‘બુદ્ધિપ્રકાશ’ના ઓક્ટોબર ૧૮૬૫ના અંકથી દલપતરામે ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની પોતાની લેખમાળા છાપવાનું શરૂ કર્યું હતું. તેમાં ફાર્બસ સાથેની પોતાની છેલ્લી મુલાકાત વિષે લખતાં દલપતરામ કહે છે: “એક કામ ઘણી જરૂરનું બાકી છે. તે એ કે રાસમાળામાં હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું તે ગોઠવીને છપાય તો હું જાણીશ કે મારાં બધાં કામ પૂરાં થયાં … એમ કહીને કેટલાંક પ્રકરણો મને સોંપ્યાં. વળી કહ્યું કે અમદાવાદની ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના સાહેબને હું લખીશ, કે તેઓ આ પુસ્તક તમારી મારફતે રચાવીને છાપે.” પણ પછી આગળ જતાં આ જ લેખમાળામાં દલપતરામ આખી વાતને જૂદો જ વળાંક આપે છે : “ફારબસસાહેબના ફરમાવ્યા પ્રમાણે રાસમાળાનાં કેટલાંક અશલ પ્રકરણો ગોઠવીને તેનું પુસ્તક કાવ્યદોહનના બીજા પુસ્તક જેવડું બે ભાગમાં તૈયાર કરીને મેં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના શેક્રેટરી સાહેબને આપ્યું, તથા તે છાપવા સારૂ આશરે રૂ. ૨૦૦)ના કાગળો ફારબસસાહેબે મોકલેલા તે પણ સાહેબ મોસુફને મેં સોંપ્યા. અને એ પુસ્તક રચતાં જે ખરચ થયું તે સોસાયટીએ આપ્યું. તે પુસ્તક સોસાયટીએ મુંબઈની ફારબસ ગુજરાતી સભામાં મોકલ્યું છે.”

દલપતરામે ઉપરોક્ત લેખમાં જે લખ્યું કે ‘હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું’ તેનાથી નાનાલાલ કાં ગેરમાર્ગે દોરવાયા છે, અથવા તેમની પિતૃભક્તિ તેમને દલપતરામના શબ્દોનું જૂદું (અને ખોટું) અર્થઘટન કરવા પ્રેરે છે, અથવા તો એક પિતૃશોકમાં ડૂબેલા કવિની આ અહોભાવપ્રેરિત કલ્પના છે. તેને હકીકતો સાથે ભાગ્યે જ કશી લેવાદેવા છે. ‘અસલ પ્રકરણો’ એટલે જે ગુજરાતી હસ્તપ્રતોમાંથી દલપતરામે ઉતારા કરેલા તે, ‘રાસમાળા’નાં અસલ ગુજરાતી પ્રકરણો નહિ. આ બે ચોપડા ૧૮૬૮માં સોસાયટીએ મુંબઈની ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલ્યા, પણ તેમાંનો ફક્ત કેટલોક જ ભાગ એ સભાએ છેક ૧૯૩૩માં પ્રગટ કર્યો. પોતાના આ ‘પુસ્તક’ની પ્રસ્તાવના પણ દલપતરામે લખી રાખી હતી અને તેમાં તેને ‘ગુજરાતી રાસમાળા’ તરીકે ઓળખાવ્યું હતું. પણ ‘ફાર્બસ ગુજરાતી સભા’એ એ નામે નહિ, પણ ‘ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ એવા નામે એમાંનો કેટલોક ભાગ પ્રગટ કર્યો. એટલે કે, ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું ત્યાં સુધી આ ચોપડા છપાયા નહોતા. જે બે ચોપડાનો ઉલ્લેખ દલપતરામ, નાનાલાલ, અને અંબાલાલ કરે છે તે બે ચોપડા (ક્રમાંક ૪૮-૩-૬ અને ૪૮-૧૧) સારે નસીબે આજ સુધી ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાયા છે, પણ અત્યારે તે અત્યંત જીર્ણ અવસ્થામાં છે. એ જોતાં સ્પષ્ટ જણાય છે કે આ ચોપડામાં જે છે તે રાસમાળા માટે એકઠી કરેલી કાચી સામગ્રી છે. એને કોઈ રીતે ગુજરાતી કે અસલ રાસમાળા તરીકે ઓળખાવી શકાય તેમ નથી.

કવીશ્વર દલપતરામના હસ્તાક્ષરમાં તેમના ચોપડાનું એક પાનું

આ બંને ચોપડા ૧૮૫૬ અને ૧૮૬૫ની વચમાં ક્યારેક, એટલે કે અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ તે પછી, અને ૧૮૬૫માં ફાર્બસનું અવસાન થયું તે પહેલાં લખાયા છે. કારણ, તેમાં અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં પ્રગટ થઈ તેનો ઉલ્લેખ છે. તો બીજી બાજુ મૂળ લખાણ શરૂ કરતાં પહેલાં “સાહેબને પૂછવાનું” એવા મથાળા નીચે ૧૦ મુદ્દા નોંધ્યા છે. તેમાંનો પહેલો મુદ્દો આ છે : “ગુજરાતી ગ્રંથ બને તેનું નામ સું પાડવું?” એટલે કે, આ ચોપડો લખાયો ત્યાં સુધી ‘ગુજરાતી રાસમાળા’ નામ નક્કી થયું નહોતું. વળી, ‘રાસમાળા’નો ઉલ્લેખ કરીને દલપતરામ કહે છે : “તેમાં જે અસલ પુસ્તકો પરથી પ્રકર્ણાદિ દાખલ કરેલાં છે તેમાના કેટલાએક પ્રકર્ણો મને સોંપીને કહ્યું જે આટલા પ્રકરણોનું એક પુસ્તક ગુજરાતીમાં છપાવીને પ્રગટ કર્યું હોય તો ગુજરાતી વાચનારાઓને ઘણું ઉપયોગી થઈ પડે.” એટલે કે, આ ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ કરવા અંગેની વાત એ મરણપથારીએ પડેલા ફાર્બસની ‘છેલ્લી ઈચ્છા’ નહોતી, એ અંગે અગાઉ પણ તેમણે દલપતરામ સાથે વાત કરી હતી. આ ઉપરાંત, ‘ગુજરાતી રાસમાળા’ની બીજી એક હસ્તપ્રત (ક્રમાંક ૭૩૮) પણ ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાઈ છે. તે હસ્તપ્રત ૪૮-૧૧ની ૧૯૩૦માં કરાવેલી નકલ છે. ફાઉન્ટન પેનથી, ઝીણા, પણ અત્યંત સુવાચ્ય અક્ષરે આ નકલ લખાયેલી છે. તેનું લેખન ૧૯૩૦ના નવેમ્બરની ૩૦મી તારીખે વિલેપાર્લેમાં પૂરું થયું છે. મૂળ હસ્તપ્રત આજે અડતાં પણ બીક લાગે એવી દશામાં છે ત્યારે આ નકલ ઘણી મહત્ત્વની બની જાય છે. વળી એને સ્કેન કરીને પણ સાચવી લીધી છે.  

પોતાના અનુવાદના પહેલા ભાગની પ્રસ્તાવનામાં રણછોડભાઈએ નોંધ્યું છે કે રાસમાળાનો ગુજરાતી અનુવાદ પ્રગટ થાય એવી ફાર્બસની પોતાની જ ઇચ્છા હતી અને તેમણે યોગ્ય અનુવાદકનું નામ સૂચવવા સર ટી.સી. હોપને વિનંતી કરી હતી. એ વખતે તેમણે રણછોડભાઈનું નામ સૂચવ્યું હતું, પણ તે માટે મુંબઈ જઈ ફાર્બસને મળવું જરૂરી હતું, જે એ વખતે રણછોડભાઈ માટે શક્ય નહોતું. એટલે અનુવાદ થઈ શક્યો નહિ. ફાર્બસના અવસાન પછી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ અનુવાદનું કામ માથે લીધું અને તે માટે એ વખતની રીત પ્રમાણે અનુવાદના નમૂના મોકલવા જાહેર અપીલ કરી. આ રીતે આવેલા નમૂના ચકાસવા માટે એક સમિતિની નિમણૂક કરી. તેણે રણછોડભાઈનો નમૂનો પસંદ કર્યો અને તેથી અનુવાદનું કામ તેમને સોંપાયું.  

એ પણ નોંધવું જોઈએ કે આ ‘ગુજરાતી રાસમાળા’ની વાત ફાર્બસના અવસાન પછી જ વહેતી થઈ. ૧૮૫૬માં અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ ત્યારથી ૧૮૬૫ સુધી આવો દાવો કોઈએ કર્યો નથી. અગાઉ જે બે ચોપડાનો ઉલ્લેખ કર્યો છે તેમાં પણ ક્યાં ય આવો દાવો દલપતરામે કર્યો નથી. 

પણ દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’ના પ્રકાશન અંગેની સૌથી વધુ ચોંકાવનારી માહિતી તો ‘બુદ્ધિપ્રકાશ’ની જૂની ફાઈલો ફંફોસતાં અણધારી રીતે મળી આવી છે. દલપતરામ, ફાર્બસ અને ‘રાસમાળા’ અંગે આજ સુધીમાં ઘણાંએ લખ્યું છે, ઘણું લખ્યું છે, પણ નવાઈની વાત એ છે કે આજ સુધી કોઈનું એ તરફ ધ્યાન જ ગયું નથી. ફાર્બસની અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં લંડનથી પ્રગટ થઈ. આ પુસ્તક લખવા માટે ફાર્બસ લાંબી રજા લઈને સ્વદેશ ગયા હતા. પુસ્તક પ્રગટ થયું તે પછી તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની બેવડી જવાબદારી સંભાળી. અને ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૮ના માર્ચ અંક(પાનું ૪૦)થી દલપતરામ ‘રાસમાળાની વાત’ હપ્તાવાર પ્રગટ કરવાનું શરૂ કરે છે. એ વખતે બીજાં ઘણાં સામયિકોની જેમ ‘બુદ્ધિપ્રકાશ’માં પણ આખા વરસના અંકોના સળંગ પાના નંબર અપાતા. ૧૮૫૮ના પાંચમા વર્ષમાં પાના નંબર ૪૦, ૬૩, ૮૦, ૯૮, ૧૧૩, ૧૨૯, ૧૫૨, ૧૬૭, અને ૨૦૯ ઉપર ‘રાસમાળા’ કે રાશમાળા’ શીર્ષક સાથે દલપતરામનું લખાણ પ્રગટ થયું છે. ૧૮૫૯માં પણ પાના નંબર ૩૦ અને ૪૪ ઉપર તે ચાલુ રહે છે. છેલ્લા હપ્તાને અંતે ‘અધૂરું’ લખ્યું છે, પણ તે પછી કોઈ હપ્તો છપાયો નથી. કશી ચોખવટ કર્યા વગર પ્રકાશન આ રીતે અધવચ્ચે કેમ અટકાવી દેવું પડ્યું હશે એ એક કોયડો છે. દલપતરામ ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી હતા અને પોતાનું દરેક લખાણ પહેલાં ‘બુદ્ધિપ્રકાશ’માં છાપતા. ફાર્બસ સાથેનો તેમનો સંબંધ જોતાં ફાર્બસે એ પ્રકાશન અટકાવવા કહ્યું હોય એમ માનવું મુશ્કેલ. એક અનુમાન સૂઝે છે : ૧૮૫૩થી ૧૫ વરસ સુધી ટી.બી. કર્ટિસ સોસાયટીના સેક્રેટરી હતા. ફાર્બસના અવસાન પછી તેમણે દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’નું પ્રકાશન એ છાપવા માટે ફાર્બસે ૨૦૦ રૂપિયાના કાગળ મોકલ્યા હોવા છતાં સોસાયટી દ્વારા ન કરતાં દલપતરામના બે હસ્તલિખિત ચોપડા મુંબઈ ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલી દીધા હતા. તો ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થતી લેખમાળાનું પ્રકાશન તેમણે અટકાવ્યું હોય? નહીંતર દલપતરામ પોતાની લેખમાળાનું પ્રકાશન અધવચ્ચે પડતું શા માટે મૂકે?

‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘જયસીખરી ચાવડાની વાત’

એવી જ રીતે આ લેખમાળાની શરૂઆત પણ ગૂંચવણ ભરેલી છે. પાંચમા પુસ્તકના ૪૦મા પાના પર પહેલી વાર ‘રાસમાળાની વાત’ મથાળાથી લખાણ છપાયું છે. પણ તેને મથાળે લખ્યું છે : ‘ગયા ચોપાનિયાના પૃષ્ટ ૧૬મેથી સાંધણ. ભાગ ત્રીજો.’ પણ ૧૮૫૮ના પહેલા અંકમાં પાના ૧૩-૧૬ ઉપર ‘રાસમાળા’ મથાળા નીચે નહિ, પણ સ્વતંત્ર રીતે ‘જયશિખરી ચાવડાની વાત’ લખાણ છપાયું છે. અને તેને મથાળે છાપ્યું છે ‘ગયા પુસ્તકમાંના પૃષ્ટ ૧૬૪મેથી સાંધણ.’ ‘ગયું પુસ્તક’ એટલે ૧૮૫૭નું (ચોથું) પુસ્તક. એ વરસના ૧૫૫થી ૧૬૪મા પાના સુધી ‘જયસિખરી ચાવડાની વાત’ છપાઈ છે. એ પહેલાંના કોઈ અંકમાં તેનું પુરોસંધાન જોવા મળતું નથી. એના પરથી અનુમાન કરવું રહ્યું કે ‘જયસિખરીની વાતના’ બે હપ્તાને પછીથી દલપતરામે ‘રાસમાળા’ના પહેલા બે હપ્તા ગણીને નામ બદલીને ‘રાસમાળાની વાત’ કર્યું હશે. એટલે કે, અંગ્રેજી ‘રાસમાળા’ના પ્રકાશન પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા તે જ વરસે દલપતરામે તેની કાચી સામગ્રી ફાર્બસનો, કે તેની રાસમાળાનો ઉલ્લેખ સુધ્ધાં કર્યા વગર ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું! 

એટલે, ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ થાય એવી ખુદ ફાર્બસની જ ‘છેલ્લી ઇચ્છા’ હતી, એ ઇચ્છા પૂરી કરવા દલપતરામ આતુર હતા, પણ તેમની હયાતિમાં એ પૂરી થઇ નહિ, એવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી. વળી એવો સવાલ પણ કરી શકાય કે જો આ બે ચોપડા ૧૮૫૭-૫૮-૫૯માં દલપતરામ/સોસાયટી પાસે હતા (એ વગર હપ્તાવાર પ્રકાશન શક્ય ન બન્યું હોય) તો તે પાછા ફાર્બસ પાસે ક્યારે અને શા માટે ગયા? કારણ દલપતરામ કહે છે કે ફાર્બસના અવસાનના થોડા દિવસ પહેલાં મુંબઈમાં થયેલી છેલ્લી મુલાકાત વખતે ફાર્બસે તે પોતાને આપ્યા હતા.     

જેમ દલપતરામના ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’માં સચવાયા છે તેમ ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા ચાર મોટા, લેજર સાઈઝના ચોપડા પણ સચવાયા છે. તેમાંથી બે નંબરના ચોપડામાં ‘પ્રબંધચિંતામણી’નો ફાર્બસે કરેલો અંગ્રેજી અનુવાદ છે, જે આજ સુધી અપ્રગટ રહ્યો છે. પાંચ નંબરના ચોપડામાં શત્રુંજયવર્ણન (સંસ્કૃત), દશેરા બનાવ (ગુજરાતી), જેવી કેટલીક પ્રકીર્ણ કૃતિઓ તથા મૌખિક પરંપરામાંથી ભેગી કરેલી કથાઓ છે. છ નંબરના ચોપડામાં પૃથુરાજરાસો (ગુજરાતી) અને દ્વયાશ્રય (સંસ્કૃત) જેવી કૃતિઓના વિગતવાર સારાંશ અંગ્રેજીમાં લખ્યા છે. આઠ નંબરના ચોપડામાંની સામગ્રી પ્રકીર્ણ પ્રકારની છે. તેમાં કેટલાંક કથા, કિસ્સા, વંશાવળી, શિલાલેખો અને તામ્રલેખોના અનુવાદ જોવા મળે છે. આ સામગ્રી જોતાં લાગે છે કે મોટે ભાગે આ છેલ્લો ચોપડો હશે. એક, ત્રણ, ચાર, અને સાત નંબરના ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’ના સંગ્રહમાં જોવા મળતા નથી. દેશના કે વિદેશના બીજા કોઈ પુસ્તકાલય પાસે એ હોય એવી માહિતી હજી સુધી મળી નથી, પણ શોધ ચાલુ છે. 

એટલે, ‘રાસમાળા’ ફાર્બસની જ કૃતિ. તેને માટેની કેટલીક કાચી સામગ્રી દલપતરામે ભેગી જરૂર કરી આપેલી. અને એ અર્થમાં તેઓ ફાર્બસના સહાયક પણ ખરા. પણ ‘રાસમાળા’ એ મૂળ દલપતરામની કૃતિ, અને ફાર્બસ તો તેના માત્ર અનુવાદક, કે મહેનત બધી દલપતરામની અને જશ મળ્યો ફાર્બસને તેવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

असुरक्षा का भाव चमका रहा है बाबाओं का धंधा

राम पुनियानी|Opinion - Opinion|19 July 2024

राम पुनियानी

उत्तरप्रदेश के हाथरस जिले में भगदड़ में कम से कम 121 लोग मारे गए. इनमें से अधिकांश निर्धन दलित परिवारों की महिलाएं थीं. भगदड़ भोले बाबा उर्फ़ नारायण साकार हरी के सत्संग में मची. भोले बाबा पहले पुलिस में नौकरी करता था. बताया जाता है कि उस पर बलात्कार का आरोप भी था. करीब 28 साल पहले उसने पुलिस से स्वैच्छिक सेवानिवृत्ति ले ली और बाबा बन गया. कुछ साल पहले उसने यह दावा किया कि वह कैंसर से मृत एक लड़की को फिर से जिंदा कर सकता है. जाहिर है कि ऐसा कुछ नहीं हो सका. बाद में बाबा के घर से लाश के सड़ने की बदबू आने पर पड़ोसियों ने पुलिस से शिकायत की. इस सबके बाद भी वह एक सफल बाबा बन गया, उसके अनुयायियों और आश्रमों की संख्या बढ़ने लगी और साथ ही उसकी संपत्ति भी.

हालिया घटना के बाद बाबा के कुछ चेले-चपाटों को पुलिस द्वारा आरोपी बनाया गया है. मगर बाबा का नाम एफआईआर में नहीं है. भगदड़ इसलिए मची क्योंकि यह प्रचार किया गया था कि जिस मिट्टी पर बाबा चलता है, वह बहुत से रोगों को ठीक कर सकती है. सत्संग ख़त्म होने के बाद बाबा जब वापस जा रहा था तब जिस मिट्टी पर उसके कदम पड़े थे, उसे उठाने के लिए भक्तगण लपके जिससे भगदड़ मच गयी और बड़ी संख्या में लोग अपनी जान से हाथ खो बैठे. यह बाबा कितना लोकप्रिय हैं यह इससे जाहिर है कि सत्संग में 80,000 लोगों के इकठ्ठा होने की अनुमति दी गयी थी मगर वहां करीब डेढ लाख लोग पहुँच गए.

भारत में बाबा कोई नई चीज़ नहीं हैं. और ऐसा भी नहीं है कि बाबा केवल भारत में पाए जाते हैं. हाँ यह ज़रूर है कि पिछले कुछ सालों से उनकी लोकप्रियता तेजी से बढ़ी है. भारत में सैकड़ों बाबा हैं और वे देश के हर हिस्से में पाए जाते हैं. कुछ बाबाओं की ख्याति विशिष्ट क्षेत्रों में है. आसाराम बापू और गुरमीत राम रहीम इंसान जैसे कुछ बाबा बलात्कार और हत्या करने के कारण जेलों की हवा खा रहे हैं. एक अन्य सफल बाबा हैं बाबा रामदेव, जिन्हें आधुनिक चिकित्सा विज्ञान का मज़ाक उड़ाने के लिए सुप्रीम कोर्ट ने जम कर फटकार लगाई थी. श्री श्री रविशंकर पर यमुना नदी को प्रदूषित करने का आरोप है. जग्गी वासुदेव के कई आश्रमों में आपराधिक गतिविधियाँ होने के चर्चा है. बाबा अलग-अलग प्रकार के हैं मगर कुछ बातें सभी बाबाओं में समान हैं. सभी बाबाओं के पास ढेर सारी संपत्ति और धन है, सभी बाबा अंधश्रद्धा को बढ़ावा देते हैं और सभी का आत्मविश्वास अचंभित करने वाला है.

यद्यपि इस बारे में कोई पक्की जानकारी तो उपलब्ध नहीं है मगर मोटे तौर पर यह कहा जा सकता है कि बाबाओं की संख्या और उनके प्रभाव में पिछले कुछ दशकों में तेजी से वृद्धि हुई है. इस वृद्धि का धर्म की राजनीति के बढ़ते बोलबाले से अंतर्संबंध स्थापित करना भी आसान नहीं है. यह सही है कि दूसरे देशों में भी बाबाओं की तरह के लोग हैं. अमरीका में केरिसमेटिक ईसाई आन्दोलन है तो कुछ मुस्लिम देशों में भी चमत्कार करने वाले फ़क़ीर हैं. मगर भारत में बाबाओं का जितना प्रभाव है, उतना किसी और देश में नहीं है. सारे बाबा धर्म का चोला ओढ़े रहते हैं. वे संस्थागत हिन्दू धर्म के पुरोहित वर्ग से नहीं होते. उनमें से अधिकांश अपने बल पर सफलता हासिल करते हैं. वे लोगों का दिमाग पढने और अपने अनुयायियों की कमजोरियों का फायदा उठाने में सिद्धहस्त होते हैं.

मगर एक महत्वपूर्ण प्रश्न यह है कि लोग आखिर बाबाओं की ओर आकर्षित क्यों होते हैं? निसंदेह, बाबा अपनी मार्केटिंग बहुत बढ़िया ढंग से करते हैं मगर यह भी सही है कि उनके भक्तों की अपनी कमजोरियां होती हैं जिनके चलते वे इन धोखेबाजों के चंगुल में फँस जाते हैं. इनमें से कई ऐसे होते हैं जो गंभीर समस्याओं से जूझ रहे होते हैं. उनकी समस्यायों का कोई हल उनके पास नहीं होता. उन्हें दरकार होती है सांत्वना के कुछ शब्दों की, किसी ऐसे व्यक्ति की जो उन्हें यह भरोसा दिला दे कि बाबा की चरणरज माथे से लगाने से, उनके प्रति पूर्ण समर्पण से या उनके बताए उपाय करने से उसकी समस्या हल हो जाएगी. बाबाओं के आसपास जो भीड़ जुटती है, उनमें बहुसंख्या ऐसे लोगों की होती है जो असुरक्षित महसूस कर रहे होते हैं. राजनेताओं से सांठगाँठ भी उनकी सफलता में योगदान देती है. गुरमीत राम रहीम महीनों पर पैरोल पर रहता है, विशेषकर चुनावों के समय. हरियाणा के तत्कालीन मुख्यमंत्री मनोहरलाल खट्टर अपनी पूरी मंत्रीपरिषद के साथ गुरमीत का आशीर्वाद लेने पहुंचे थे.

परन्तु मुख्यतः अनुयायियों में असुरक्षा का भाव उन्हें बाबाओं की ओर आकर्षित करता है. जितनी ज्यादा असुरक्षा, बाबाओं के प्रति उतनी ज्यादा श्रद्धा. और जितनी ज्यादा श्रद्धा, विवेक और तार्किकता से उतनी ही दूरी. असुरक्षा का कारक कितना महत्वपूर्ण है यह हम इससे भी समझ सकते हैं कि जिन देशों में आर्थिक और सामाजिक असुरक्षा कम है, वहां धर्म का प्रभाव भी कम होता जा रहा है. वैश्विक शोध संस्थान पीईडब्ल्यू का निष्कर्ष है: “इस मामले में संयुक्त राज्य अमरीका अकेला नहीं है. पश्चिमी यूरोप के देशों के नागरिक सामान्यतः अमरीकियों से भी कम धार्मिक हैं क्योंकि वे उस राह पर अमरीका से कई दशक पहले चल पड़े थे. धर्म का घटता प्रभाव आर्थिक दृष्टि से उन्नत अन्य देशों जैसे ऑस्ट्रेलिया और न्यूजीलैंड में भी देखा जा सकता है.”

मिशिगन विश्वविद्यालय के सेंटर फॉर पोलिटिकल स्टडीज के प्रोफेसर रोनाल्ड इंगोहार्ट अपनी पुस्तक ‘गिविंग अप ऑन गॉड’ (पृष्ठ 110-111) में लिखते हैं, “सन 2007 से लेकर 2019 तक जिन 49 देशों का हमनें अध्ययन किया, उनमें से 43 में उस अवधि में लोगों में धार्मिकता घटी है. धार्मिक आस्था में कमी केवल उच्च आय वाले देशों तक सीमित नहीं है. ऐसा पूरी दुनिया में हुआ है. ऐसे लोगों की संख्या बढती जा रही है जिन्हें नहीं लगता  कि उनके जीवन को अर्थपूर्ण बनाने और उन्हें सहारा और संबल देने के लिए धर्म ज़रूरी है. लम्बे समय से यह कहा जाता रहा है कि अमरीका इस बात का प्रमाण है कि आर्थिक रूप से उन्नत देश भी अत्यंत धार्मिक हो सकता है. मगर अन्य धनी देशों की तरह, अमरीका भी अब धर्म से दूर जा रहा है.”

बाबाओं के साम्राज्य से निपटना आसान नहीं है. हमारे संविधान के भाग चार के अनुच्छेद 51क (मौलिक कर्त्तव्य) में यह शामिल है कि “भारत के प्रत्येक नागरिक का यह कर्तव्य होगा कि वह वैज्ञानिक दृष्टिकोण से मानववाद, और ज्ञानार्जन तथा सुधार की भावना का विकास करे.” बाबा और उनके संरक्षक इस प्रावधान का खुलेआम उल्लंघन करते हैं.

देश में कई ऐसे सामाजिक समूह हैं जो बाबाओं का पर्दाफाश कर उनका विरोध करते रहे हैं. इनमें हवा से राख पैदा करने और आग पर चलने जैसे ‘चमत्कारों’ की असलियत लोगों के सामने रखना शामिल हैं. महाराष्ट्र में अंधश्रद्धा निर्मूलन समिति ऐसी ही संस्था है. उससे जुड़े डॉ नरेन्द्र दाभोलकर को सनातन संस्था की तरह के दकियानूसी समूहों के कार्यकर्ताओं ने क्रूरतापूर्वक मौत के घाट उतार दिया था. इसी तरह की ताकतों ने कामरेड गोविन्द पंसारे, गौरी लंकेश और प्रोफेसर कलबुर्गी की हत्या की. डॉ दाभोलकर की हत्या के बाद, महाराष्ट्र विधानसभा ने अंधश्रद्धा और चमत्कारिक इलाज के खिलाफ एक कानून पारित किया.

पूरे देश में ऐसे कानूनों की ज़रुरत है. हमें वैज्ञानिक सोच को बढ़ावा देना होगा. साथ में हमें यह भी सुनिश्चित करना होगा कि सभी नागरिकों को सामाजिक और आर्थिक सुरक्षा हासिल हो. वर्तमान व्यवस्था, जिसमें अमीर और अमीर होते जा रहे हैं और गरीब और गरीब को हमें बदलना होगा. हमें महात्मा गाँधी के दिखाए रास्ते पर चलते हुए यह सुनिश्चित करना होगा कि सभी नीतियां अंतिम पंक्ति के अंतिम व्यक्ति को ध्यान में रखकर बनाई जाएँ. तभी हम समाज में सुरक्षा का भाव स्थापित कर सकेंगे.

16 जुलाई 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...494495496497...500510520...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved