Opinion Magazine
Number of visits: 9557258
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૬)

સુમન શાહ|Opinion - Opinion|15 November 2024

સુમન શાહ

આપણે જોયું કે કલ્પિત વાર્તાઓથી, ભગવાનો, ચલણી નાણાં કે રાષ્ટ્રો જેવી ઇન્ટરસબ્જેક્ટિવ વસ્તુઓથી અને તે માટે રચાયેલાં નેટવર્ક્સથી લોકો પ્રભાવિત થઈ જતા હોય છે, અને નિરન્તર દોરવાતા રહે છે. 

એથી એવા કોઈપણ નેટવર્કને બે ગર્ભિત લાભ થાય છે, હરારી ઉમેરે છે, પણ સત્યને વેઠવું પડે છે. કેમ કે સત્ય સંકુલ હોય છે કેમ કે એ જે વાસ્તવિકતા રજૂ કરે છે તે સંકુલ હોય છે. 

નેટવર્ક ઘડનારાઓને પહેલો લાભ એ થાય કે એની વાર્તા સરળ બનાવી શકાય, જેથી લોકને સમજવામાં તકલીફ ન પડે. બીજો લાભ એ કે સત્યને મધમીઠું બનાવી લેવાય, જેથી એ ગમે તેટલું કડવું હોય તો પણ લોકને ગળે ઊતરી જાય. કેમ કે કેટલાં ય સત્ય કડવાં જ હોય છે. 

બહુ-સ્વીકાર અને ખુશામત વિસ્તરતાં રહે એ માટેનાં એ નેટવર્ક્સને પરિણામે, સત્ય સત્ય જ નથી રહેતું. હરારી સરસ કહે છે, સત્ય કરતાં તો વાર્તા વધુ સ્થિતિસ્થાપક કે નમનીય હોય છે. મને એમના મનમાં એ ખયાલ રહેલો વરતાય છે કે સત્ય પ્રખર અને અટળ હોય છે.

તેઓ જણાવે છે કે દરેક રાષ્ટ્રના ઇતિહાસમાં કેટલાક ડાર્ક ઍપિસોડ્ઝ હોય છે, એટલે કે, નક્કારભરી કે શરમજનક ઘટનાઓ, જેનો સ્વીકાર કે સ્મરણ પ્રજાજનો માટે સરળ કે શક્ય નથી હોતાં. પોતાના દેશનું દૃષ્ટાન્ત જોડીને તેઓ કહે છે કે ઇઝરાઇલી રાજકારણી પોતાની ઇલેક્શન સ્પીચમાં વીગતે જો એમ કહે કે પૅલેસ્ટાઇન પરના ઇઝરાઇલ ઑક્યુપેશનને કારણે ત્યાંના નાગરિકોને આટઆટલી યાતનાઓ ભોગવવી પડી છે, તો એને ઝાઝા મત નહીં મળે. એને બદલે જે રાજકારણી અસુખકર હકીકતોને બાજુએ મૂકીને, યહૂદી-ભૂતકાળની ઝગમગતી ક્ષણો ગૂંથીને, રાષ્ટ્રીય ગાથા – નેશનલ મિથ – ઘડી કાઢશે, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે વાસ્તવિકતાને અલંકૃત કરશે, તો સત્તા સરળતાથી પામશે. 

સ્મૂધી

એવી ગાથાને, મિથને, હું સાચ-જૂઠ-કલ્પનાની ‘સ્મૂધી’ કહું છું. સ્મૂધી જાણીતું પીણું છે, જે સ્ટ્રૉબેરી કે બ્લૂબૅરી જેવાં ફળ, કંઇક ગ્રીક યોગર્ટ અને બરફ નાખીને બનાવાયેલું લોકપ્રિય પીણું છે. 

હરારી કહે છે, આવો કેસ માત્ર ઇઝરાઇલમાં જ નહીં પણ બધા જ દેશોમાં જોવા મળે છે. હરારી પૂછે છે : કેટલા ઇટાલિયનો કે ઇન્ડિયનો પોતાના રાષ્ટ્રના લાંછનરહિત સત્યને સુણવા ઇચ્છશે? 

હરારીએ અહીં એવા લાંછનરહિત સત્યનો ઉલ્લેખ કર્યો હોત તો સારું કહેવાત. પણ એક ઇન્ડિયન તરીકે હું કહું કે અસ્પૃશ્યતા મારા રાષ્ટ્રનું ઘોર પાતક છે, બલકે માનવતાને કપાળે મહા કલંક છે.

ગાથાઓ રચીને જૂઠને ચલણી બનાવાય છે. એ સંદર્ભમાં પ્લેટોના “Republic”-નો ઉલ્લેખ કરી હરારી જણાવે છે કે એમના ‘યુટોપીયન’ રાજ્યનું કલ્પિત રાજ્યબંધારણ કેવું તો ઉમદા જૂઠ છે, noble lie.

સામાજિક વ્યવસ્થા અથવા સુગ્રથિત સમાજના મૂળ વિશે કાલ્પનિક વાર્તા રજૂ કરીને પ્લેટો દર્શાવે છે કે એ બંધારણથી નગરજનોની વફાદારી સુદૃઢ થાય છે, સાથોસાથ, રાજ્યબંધારણ વિશે તેઓએ કશા પ્રશ્નો પણ નહીં કરવા પડે. પ્લેટોએ લખ્યું કે નગરજનોએ જાણવું જોઈશે કે તેઓ પૃથ્વીનાં સન્તાન છે, ધરતી તેમની માતા છે, અને તેને વફાદાર રહેવું તે તેમનું કર્તવ્ય છે. નગરજનોએ એ પણ સમજવું જોઈશે કે તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે દેવોએ તેમાં સોનું રૂપું કાંસુ લોહ મિશ્રિત કરી દીધેલાં, અને તેને પ્રતાપે, સુવર્ણ રાજાઓ અને કાંસ્ય સેવકો વચ્ચે જે ઉચ્ચાવચતા છે તેને પ્રાકૃતિક સમજવી. 

પ્લૂટો

હરારી કહે છે કે પ્લેટોનું એ યુટોપીયન રાજ્ય વાસ્તવમાં કદી આકારિત થયેલું જ નહીં, પણ સદીઓ દરમ્યાન રાજકારણીઓએ પોતાના રહેવાસીઓને આ ઉમદા જૂઠ જુદા જુદા શબ્દોમાં કહ્યે રાખેલું.  

કાલ્પનિક કે દેવોથી સમર્થિત ‘ડિવાઇન ઓરિજિન’ ધરાવતા રાજ્યબંધારણમાં નહીં, પણ હરારીને જેનો મૂળાધાર માણસ હોય એવા ‘હ્યુમન ઓરિજિન’ રાજ્યબંધારણમાં શ્રદ્ધા છે. એટલા માટે કે હ્યુમન ઓરિજિન ધરાવતા રાજ્યબંધારણમાં સુધારા-વધારાની – ઍમેન્ડમૅન્ટ્સની – શક્યતા ખુલ્લી રહે છે. એમણે યુ.ઍસ.એ.-નો દાખલો ટાંકીને કહ્યું છે કે એ હ્યુમન ઓરિજિન છે, એનો પ્રારમ્ભ જ ‘We the people’ -થી થાય છે. જ્યારે, ‘ટેન કમાન્ડમૅન્ટ્સ’-નો પ્રારમ્ભ ‘I am the Lord your God’ -થી થાય છે. માનવ વડે થનારા સુધારા-વધારાને એ રોકે છે. 

૨૦૨૪-ના સપ્ટેમ્બર સુધીમાં ભારતના રાજ્યબંધારણમાં ૧૦૬ સુધારા-વધારા થયા છે. એમાં પ્રારમ્ભે શબ્દો છે, ‘We the people of India’.  

+  +

હરારીનાં મન્તવ્યો પરથી મને એક પ્રશ્ન થાય છે કે સ્ટોરી તો હિસ્ટરીના પેટમાં વસી હોય છે અથવા સ્ટોરી હતી તો હિસ્ટરી છે; તેથી, હિસ્ટોરિકલ ફૅક્ટ્સને સ્થાને એ વાર્તાઓ પણ હરતીફરતી થઈને પ્રભાવક બની જાય કે કેમ. આમે ય, ટ્રુથ, અન્ટ્રુથ, મૅમરી, ઇમેજિનેશન, હિસ્ટરી, સ્ટોરી અને મિથની પ્રજાજીવનમાં ભેળસેળ થતી જ હોય છે. 

નાનપણમાં આપણે સૌએ રાજાઓની વાર્તાઓ બહુ સાંભળી હોય છે, માનીતી-અણમાનીતીની કે એક રાજાને સોળ રાણીઓ હતી, વગેરે. ઉપરાન્ત, ભારતવાસીના જીવનમાં, નાના રાજવીઓ ઠાકોરો રાજાઓ મહારાજાઓ સમ્રાટો પ્રકારે વાસ્તવિક રાજાશાહીનો પહેલેથી પ્રભાવ રહ્યો છે. રાજા માટે, રાજ્ય માટે, માણસને અહોભાવ હોય છે, પોતે ત્યાંનો રહેવાસી હોય તો એ અહોભાવ વિભૂતિપૂજામાં પરિણમતો હોય છે. 

ગાયકવાડી રાજ્યના વડોદરા-ડભોઇમાં જનમેલા અને ઊછરેલા એવા મને રાજાઓ વિશે સ્વાભાવિકપણે ચાહતભર્યો સદ્ભાવ હતો. પિતાજી કહેતા કે દશેરાએ વડોદરામાં એમની સવારી નીકળે છે, આપણા રાજા હાથી પર સોનાની અંબાડીમાં બેઠા હોય છે, સેવકો સિક્કા ઉછાળતા હોય છે, લોક ઝીલી લે છે કે વીણી લે છે … મને એ સવારી જોવાની ઘણી ઇચ્છા હતી પણ શક્ય નહીં બનેલું. જો કે, 1964-માં, ઍમ. ઍસ.યુનિવર્સિટી વડોદરામાં, ઍમ.એ.-ના મારા કૉન્વોકેશન વખતે, મેં સાક્ષાત્ ફત્તેસિંહરાવને જોયા, એમના હાથે સ-નમસ્કાર સર્ટિફિકેટ સ્વીકાર્યું, ત્યારે મને એવું લાગેલું કે એમના રાજ્યનો હું એક ઉપયોગી આશાસ્પદ યુવાન છું.

હું માધ્યમિકમાં ભણતો’તો ત્યાંલગી એમ જ માનતો હતો કે અકબર તો એકદમ સારો મુઘલ સમ્રાટ હતો. કેમ કે મેં ‘દિને-ઇલાહી’, હાસ્યકાર બિરબલ સહિતનો એનો ‘નવરત્ન દરબાર’, ‘અકબર ધ ગ્રેટ’ જેવો બઝવર્ડ, વગેરે રસિક સ્ટોરીઝ સાંભળેલી. પણ જ્યારે જાણ્યું કે એક રાજા તરીકે અકબરે જાતે કેટલીયે હત્યાઓ કરેલી અને કેટલીયે કરાવેલી — ઇતિહાસકારો લખે છે કે 1568-માં ચિત્તોડગઢ કબજે કર્યા પછી એણે ૩૦ હજાર રાજપૂતોના general massacre-નો, કત્લેઆમનો, હુકમ કરેલો, મારું મન દુ:ખી થઇ ગયેલું. મારા માટે એ પ્રશ્ન વિચારણીય બની ગયેલો કે એ હત્યાઓ સામ્રાજ્યના વિકાસ માટે હતી કે પ્રજાના કલ્યાણ માટે.

એમ ધીમે ધીમે હું નિર્ભાન્ત થવા લાગેલો. હિસ્ટરી મારા માટે સ્ટોરીને સ્થાને હિંસ્ર ઘટનાઓના આઘાતક સમાચારો બનવા લાગેલી. અને હિંસાના કરનારા સત્તાધીશો જ હતા જેઓ પ્રજાકલ્યાણ અને ન્યાયસંગત શાસનનાં બણગાં ફૂંકતા’તા! ક્રમે ક્રમે હું કાન્ટ, સાર્ત્ર અને કામૂનાં દર્શનોમાં તેમ જ આધુનિક સંવેદનાનાં સાહિત્યસર્જનોમાં પ્રવેશ્યો હતો, ને ઊડો ઊતરેલો.

ઍમ.એ.ના અભ્યાસ પછી અને આધુનિક સાહિત્યના અધ્યયન દરમ્યાન મેં બન્ને વિશ્વયુદ્ધો વિશે વાંચ્યું. અનેક કત્લેઆમ વિશે પણ વાંચ્યું. 1919-ની ‘જલિયાનવાલા બાગ’-ની કત્લેઆમ; 1915-થી 1917 દરમ્યાન ઓટોમન ઍમ્પાયરે લાખથી પણ વધુ અમેરિકનોને વધેરી નાખેલા એ ‘ધ અમેરિકન જેનોસાઇડ’; બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી જર્મનીએ ૬૦ લાખ યહૂદીઓને ખતમ કરી નાખેલા એ ‘ધ હોલોકાસ્ટ’; 1994 -નો હુટુ અન્તિમવાદીઓ દ્વારા થયેલી આશરે ૮ લાખ લોકોની હત્યાનો ‘ર્-વાન્ડાન્ જેનોસાઇડ’; વગેરે જાણ્યું ત્યારે મનુષ્યજીવનના નેતૃત્વ વિશેનું મારું દૃષ્ટિબિન્દુ બદલાઇ ગયેલું.

એ જુદી વાત છે કે હિંસાને હું રાજશાસનના જરૂરી સત્ય તરીકે આજે પણ નથી સ્વીકારી શકતો. પરન્તુ એટલે મને મન:સમાધાન રહે છે કે લોકશાસનમાં ભલા એ તો નથી થતું! 

સત્યની ઉપર ઓછામાં ઓછું એક સત્ય હમેશાં હોય છે. ઇતિહાસ પૂર્વગ્રહદૂષિત, ખોટા અને અવિશ્સનીય હોય છે. ખાસ તો, ઘણા પાછળથી લખાયેલા અથવા અમુક સ્થાને અટકી જતા ઇતિહાસો અધૂરા હોય છે. 

એટલે, હરારી ‘સ્ટોન એજ’-નાં દૃષ્ટાન્તો આપે ત્યારે મને એમની વિદ્વત્તા વિશે કશો જ પ્રશ્ન થતો નથી, પણ એવાં દૂરવર્તી દૃષ્ટાન્તો મને બહુ અસરકારક નથી લાગતાં. એથી એમની દલીલ મને પૂરેપૂરી વસતી નથી. 

અફકોર્સ, આઈ નીડ ટુ લિસન ટુ હિમ ક્લૉઝલિ ઍન્ડ પે ઍટેન્શન ટુ ઍવરીથિન્ગ હી સેઝ. 

ક્રમશ:
(14Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

व्हाट्सएप इतिहास: सच या राजनैतिक एजेंडा

राम पुनियानी|Opinion - Opinion|15 November 2024

राम पुनियानी

पिछले कुछ समय से समाज की सामूहिक समझ को आकार देने में व्हाट्सएप यूनिवर्सिटी की भूमिका बहुत महत्वपूर्ण बन गई है.  कड़ी मेहनत से और तार्किक व वैज्ञानिक आधारों पर हमारे अतीत के बारे में खोज करने वाले इतिहासविदों का मखौल बनाया जा रहा है और वर्चस्वशाली राजनैतिक ताकतें उनके लेखन को दरकिनार कर रही हैं. यह सचमुच चिंता का विषय है कि व्हाट्सएप यूनिवर्सिटी द्वारा जिस सामाजिक सोच को आकार दिया जा रहा है, वह हिंदुत्व या हिन्दू राष्ट्रवाद के प्रतिगामी राजनैतिक एजेंडा  को लागू करने वालों का औजार बन गई है.

यह मुद्दा अभी हाल में एक बार फिर तब उठा जब इतिहासकार विलियम डालरेम्पिल, जिनकी कई पुस्तकें हाल में लोकप्रिय हुईं हैं, ने पत्रकारों के साथ बातचीत में कहा: ”….इसका नतीजा है व्हाट्सएप इतिहास और व्हाट्सएप यूनिवर्सिटी. यह भारतीय अध्येताओं की असफलता है कि वे सामान्य लोगों तक नहीं पहुँच सके हैं.” (इंडियन एक्सप्रेस, अड्डा, 11 नवम्बर 2024)

डालरेम्पिल के अनुसार इस कारण समाज में गलत धारणाएं घर कर गईं हैं जैसे, आर्य इस देश के मूल निवासी थे, प्राचीन भारत में संपूर्ण वैज्ञानिक ज्ञान उपलब्ध था, ‘हमारे पास’ पुष्पक विमान था, प्लास्टिक सर्जरी थी, जेनेटिक इंजीनियरिंग थी और न जाने क्या-क्या था. व्हाट्सएप यूनिवर्सिटी ही इस सामान्य सामाजिक समझ का स्त्रोत है कि इस्लाम और ईसाईयत विदेशी धर्म  हैं, मुस्लिम शासकों ने हिन्दू मंदिर गिराए और हिन्दुओं पर घोर अत्याचार किये और यह भी कि इस्लाम तलवार के बल पर भारत में फैला. यह धारणा भी है कि महात्मा गाँधी हिन्दू विरोधी थे और देश को आज़ादी, गांधीजी के नेतृत्व में चलाये गए राष्ट्रीय आन्दोलन के कारण नहीं मिली. ये गलत धारणाएं बहुसंख्यक लोगों के दिमाग में बैठा दी गईं हैं.

व्हाट्सएप यूनिवर्सिटी ने इस नैरेटिव को भले की अधिक व्यापकता दी हो, मगर इसे पहले से ही हिन्दू सांप्रदायिक धारा फैला रही थी. इस धारा का मुख्य प्रतिनिधि था आरएसएस और आगे चलकर उसके परिवार के विभिन्न सदस्य. आज़ादी के आन्दोलन के दौरान सबसे वर्चस्वशाली नैरेटिव थी राष्ट्रीय आन्दोलन से उपजी समावेशी सोच. यह नैरेटिव कहता था कि भारत एक निर्मित होता, आकर लेता राष्ट्र है. इसके विपरीत, हिन्दू राष्ट्रवादी नैरेटिव, जो उस समय हाशिये पर था, कहता था कि भारत हमेशा से एक हिन्दू राष्ट्र रहा है. दूसरी ओर, मुस्लिम राष्ट्रवादियों का कहना था कि आठवीं सदी में सिंध में मुहम्मद-बिन-कासिम का शासन स्थापित होने के बाद से ही भारत एक मुस्लिम राष्ट्र है.

सांप्रदायिक इतिहास लेखन ब्रिटिश शासनकाल में शुरू हुआ. अंग्रेज़ शासकों ने ऐसी पुस्तकों को प्रोत्साहित किया जो भारत के अतीत को तीन कालों में विभाजित करती थीं – हिन्दू, मुस्लिम और ब्रिटिश. ऐसी ही एक पुस्तक थी जेम्स मिल की ‘हिस्ट्री ऑफ़ इंडिया”. इलियट एवं डाउसन का बहु-खंडीय ग्रन्थ “हिस्ट्री ऑफ़ इंडिया एज़ टोल्ड बाय हर हिस्टोरियंस” भी इसी तर्ज पर लिखी गई थी. ये दोनों पुस्तकें इस धारणा पर आधारित थीं कि राजा और बादशाह, अपने-अपने धर्मों का प्रतिनिधित्व करते थे. हिन्दू सांप्रदायिक इतिहास लेखन की शुरुआत आरएसएस की शाखाओं में होने वाले बौद्धिकों से हुई. उसे विभिन्न चैनलों द्वारा फैलाया गया. इनमें शामिल थे सरवती शिशु मंदिर, एकल विद्यालय और संघ के गैर-आधिकारिक मुखपत्र आर्गेनाइजर एवं पाञ्चजन्य. लालकृष्ण अडवाणी के जनता पार्टी सरकार में केन्द्रीय सूचना एवं प्रसारण मंत्री बनने के बाद इस नैरेटिव ने सरकारी तंत्र में घुसपैठ कर ली और इसके प्रसार के लिए सरकारी मशीनरी का उपयोग किया जाने लगा. अब तो ऐसा लग रहा है कि आरएसएस हमारी पूरी शिक्षा व्यवस्था को ही बदल देना चाहता है. इतिहास, सामाजिक विज्ञानों और अन्य विषयों की पुस्तकों को नए सिरे से लिखा जा रहा है.

आरएसएस से जुड़ी एक संस्था ‘शिक्षा बचाओ आन्दोलन’ के दीनानाथ बत्रा द्वारा लिखित नौ पुस्तकों का गुजरती में अनुवाद कर उन्हें गुजरात के 42,000 स्कूलों में लागू कर दिया गया है.  भाजपा के साथी कॉर्पोरेट घरानों (अदानी, अंबानी) ने मीडिया पर लगभग पूरा कब्ज़ा कर लिया है और नतीजे में मीडिया का अधिकांश हिस्सा भाजपा की गोदी में बैठा नज़र आ रहा है. भाजपा अपने आईटी सेल को मजबूत कर रही है और व्हाट्सएप के ज़रिये अपने नैरेटिव को प्रसारित कर रही है. इस सबका बढ़िया विश्लेषण स्वाति चतुर्वेदी ने अपनी पुस्तक “आई वाज़ ए ट्रोल” में किया है.

गंभीर और निष्पक्ष इतिहासकारों ने सामान्य पाठकों के साथ-साथ, स्कूली पाठ्यपुस्तकों के लिए भी लेखन किया है. इनमें प्राचीन भारतीय इतिहास पर रोमिला थापर की पुस्तकें सबसे लोकप्रिय हैं. इरफ़ान हबीब ने मध्यकालीन इतिहास पर महत्वपूर्ण काम किया है और बिपिन चन्द्र की “भारत का स्वाधीनता संग्राम” के कई संस्करण प्रकाशित हो चुके हैं. सन 1980 के दशक तक इन इतिहासकारों द्वारा लिखित पुस्तकें, एनसीईआरटी के पाठ्यक्रम का हिस्सा थीं. भाजपा ने 1998 में सत्ता में आने के बाद से शिक्षा के भगवाकरण का अभियान शुरू किया. सन 2014 में पार्टी अपने बल पर केंद्र में सत्ता में आ गई, जिसके बाद इस अभियान ने और जोर पकड़ लिया. अब इस छद्म इतिहास और पौराणिक कथाओं को ‘इतिहास’ का दर्जा देने की कवायद जोर-शोर से चल रही है.

आम लोगों की धारणाओं और सोच को आकार देने में इतिहासविदों की सीमित भूमिका होती है. सत्ताधारी या वर्चस्वशाली राजनैतिक ताकतों की सोच, सामाजिक धारणाओं के निर्माण में सबसे महती भूमिका निभाती है. भाषाविद और मानवाधिकार कार्यकर्ता नोएम चोमोस्की ने “सहमति के निर्माण” की अवधारणा प्रस्तावित की है. इस अवधारणा के अनुसार, सरकारें जो करना चाहतीं हैं – जैसे वियतनाम या इराक पर हमला – उसके लिए वे जनता में ‘सहमति का निर्माण’ करती हैं. लोगों को यह समझाया जाता है कि यह करना समाज और उनके हित में है. इतिहासविद चाहे जो भी कहते रहे, सच छिप जाता है और राज्य या वर्चस्वशाली राजनैतिक विचारधारा अपनी ज़रुरत के हिसाब से सामान्य समझ को आकार देती है.

व्हाट्सएप के जरिये समाज में फैलाई जा रही अतार्किक बातों पर विलियम डालरेम्पिल की चिंता स्वाभाविक है. मगर असली मुद्दा यह है कि दक्षिणपंथी राजनीति का बोलबाला बढ़ने के साथ ही, उसने बहुत चतुराई से अपना राजनैतिक एजेंडा लागू करना शुरू कर दिया है. वे एक ऐसे इतिहास का निर्माण कर रहे हैं जो न तार्किक हैं और न तथ्यात्मक. भारत में इतिहासविदों को निशाना बनाया जा रहा है. एक समय भाजपाई रह चुके अरुण शौरी ने एक पुस्तक लिखी थी जिसका शीर्षक था “द एमिनेंट हिस्टोरियंस”. इसमें ऐसे इतिहासविदों को निशाना बनाया गया था जिनकी अंतर्राष्ट्रीय प्रतिष्ठा है और जिन्हें उनके साथी सम्मान की निगाहों से देखते हैं. आज भी ऐसे कई लोग हैं जो इतिहास के तोड़े-मरोड़े गए संस्करण का प्रचार करते हैं और हिन्दू राष्ट्रवादी विचारधारा से असहमत व्यक्तियों पर कटु हमले करते हैं.

हिन्दू राष्ट्रवाद के प्रचार के लिए जो तंत्र पहले से मौजूद था, उसमें अब व्हाट्सएप भी जुड़ गया है. तार्किक और वैज्ञानिक इतिहास लेखन करने वालों और आम जनता के बीच सेतु का काम करने के लिए सामाजिक और राजनैतिक समूहों को आगे आना होगा. तभी हम यह सुनिश्चित कर सकेंगे कि आम जनों की समझ और धारणाएं, समावेशिता, वैज्ञानिक सोच और भारतीय राष्ट्रवाद के मूल्यों पर आधारित हो. अगर अपने पेशे के प्रति प्रतिबद्ध इतिहासविद, स्कूलों के लिए या आम पाठकों के लिए पुस्तकें लिखते हैं, तो हमें उनका आभारी होना चाहिए. व्हाट्सएप यूनिवर्सिटी की सफलता के पीछे सांप्रदायिक राजनीति है. यह इतिहासकारों के असफलता नहीं है.

13 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

‘ધ વેજિટેરિયન’: એક માફકસરની સ્ત્રીમાં વસતો વિદ્રોહ

સોનલ પરીખ|Opinion - Opinion|15 November 2024

જ્યાં જીવવું હોય એમ જિવાતું નથી, ખાવું હોય એમ ખવાતું નથી, વર્તવું હોય એમ વર્તી શકાતું નથી, અસ્તિત્વ માગે તે આપી શકાતું નથી ને મરવું હોય તો મરી પણ શકાતું નથી એ કેવા પ્રકારની સ્થિતિ છે? આવી સ્થિતિમાં માણસ ડહાપણની સીમામાં ક્યાં સુધી રહી શકે?

—     હાન કાંગ

હાન કાંગ

વર્ષ ૨૦૨૪નું નોબેલ લિટરેચર પ્રાઇઝ દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને મળ્યું. દક્ષિણ કોરિયામાં સાહિત્ય માટે ગયેલું આ પહેલું નોબેલ પ્રાઇઝ છે. નોબેલ આપનાર રોયલ સ્વીડિશ એકેડમીએ આ સન્માનની જાહેરાત કરતાં કહ્યું, ‘આ સન્માન હાન કાંગને તેમના તીક્ષ્ણ અને કાવ્યાત્મક ગદ્ય માટે મળે છે, જેમાં અતીતના આઘાતો સાથે મૂઠભેડ અને માનવજીવનની કોમળતા બંનેનાં દર્શન થાય છે.’

હાન કાંગ કોરિયન ભાષામાં લખે છે અને દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં વસે છે. આ સિઓલને પશ્ચાદભૂમિકામાં રાખી લખાયેલી એમની નવલકથા ‘ધ વેજિટેરિયન’ને 2016નું બૂકર પ્રાઇઝ મળ્યું છે ને તે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થયેલી એમની પહેલી નવલકથા છે. આ નવલકથા વાંચવા મળી નથી પણ એના વિષે ઈન્ટરનેટ પર ઘણું બધું ઉપલબ્ધ છે. જિજ્ઞાસા સાથે થોડું વાંચ્યું. એક સ્ત્રી અચાનક એક સ્વપ્ન જોઈને શાકાહારી બનવાનું નક્કી કરે અને એને લીધે એ એના કુટુંબથી વિખૂટી પડી જાય એવું વાંચીને કુતૂહલ વધ્યું. જેમ વધારે જાણતી ગઈ તેમ વધારે અંદર ઊતરતી ગઈ. પાત્રની સાથે મારી પરતો પણ ખૂલતી ગઈ. એવું તો શું હતું એમાં?

માંડ 200 જેટલાં પાનાંની આ નવલકથાની ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગનું નામ છે ‘ધ વેજિટેરિયન’ કથક છે નાયિકા યાંગ-હાઈનો પતિ. પતિપત્ની બંને સામાન્ય માણસો છે. પતિ ઓફિસમાં કામ કરે છે, પત્ની સાધારણ ને કામગરી છે. એ કહે છે, ‘મારી પત્નીમાં આકર્ષણ થાય એવું કશું નથી, પણ એ કદરૂપી પણ નથી. બહુ ઊંચી નથી, બહુ નીચી નથી. મને તે ફાવી ગઈ હતી. મારા મધ્યમ દેખાવ અને કઢંગી ટેવો એની સાથે ચાલી જતા હતા. તે ફરિયાદ કરતી નહોતી, કશું માગતી નહોતી. તેને જીતવા મારે કોઈ બૌદ્ધિક કસરત કરવાની જરૂર પડતી નહોતી. હું ઘેર હોઉં ને ટી.વી.માં ડૂબી ગયો હોઉં તો એ પોતાના કમરામાં જતી રહેતી. અમારી વચ્ચે બહુ પ્રેમ હતો એમ તો ન કહેવાય, પણ ખાસ વાંધો ય નહોતો.’

આગળ કહે છે, ‘પણ એ બ્રા પહેરતી નથી.’ અને આપણને એક ઇંગિત મળે છે, જો આપણે સાવધ અને સંવેદનશીલ હોઈએ તો. એનું બ્રા ન પહેરવું કોઈ વિદ્રોહ છે? આ મામલામાં એ કોઈ દલીલ નથી કરતી, પણ કોઈને ગણકારતી પણ નથી.

સીધી દિશામાં ચાલ્યું જતું તેમનું લગ્નજીવન પહેલી વાર ખળભળી ઊઠે છે જ્યારે યાંગ-હાઈને કતલ થતાં પ્રાણીઓનાં સ્વપ્ન આવે છે અને એ માંસ ખાવાનું બંધ કરી દે છે. ‘વૃક્ષ જેવા’ જીવનની ઝંખનામાં એનું ખાવાનું ઓછું થતું જાય છે, વજન ઘટતું જાય છે. ઘરના કોઇની સમજાવટ એના પર અસર કરતી નથી. જ્યાં શાકાહારનું બિલકુલ પ્રચલન નથી અને સામાજિક નિયમોને ઉવેખી શકાતા નથી એવા દક્ષિણ કોરિયન સમાજમાં યાંગ-હાઈનો વેજિટેરિયન થવાનો અત્યંત આઘાતજનક અને વિદ્રોહી નિર્ણય પતિને પચતો નથી અને તેને સીધી કરવા એ જાતીય આક્રમણ સહિતના અનેક કઠોર ઉપાયો અજમાવે છે. પરિવારમાં રાખેલા એક જમણમાં પતિ અને ભાઈ એના હાથ પકડી રાખે છે અને પિતા તેના મોંમાં પોર્ક ઠાંસે છે. યાંગ-હાઈ પોર્ક થૂંકી નાખે છે અને પોતાના કાંડા પર બ્લેડ ફેરવી દે છે અને તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. પહેલા ભાગના અંતે હોસ્પિટલમાંથી ભાગી નીકળેલી યાંગ-હાઈ મળે છે ત્યારે તેના હાથમાં એક ઘાયલ પક્ષી હોય છે. તેને ઉડાડી મૂકતાં તે કહે છે, ‘મેં કઈં ખોટું કર્યું છે?’

બીજા ભાગનું નામ છે ‘મોંગોલિયન માર્ક’. આ બધું બન્યાના બે વર્ષ બાદ યાંગ-હાઈનો બનેવી એક પ્રસંગ યાદ કરે છે. એ વીડિયો આર્ટિસ્ટ હતો. એને શરીર પર ફૂલો ચીતરાવેલાં સ્ત્રીપુરુષનો સંભોગ શૂટ કરવો હતો. યાંગ-હાઇના શરીર પર જન્મથી ફૂલો આકારનાં નિશાન છે તેથી તે તેને મૉડેલિંગ કરવાનું કહે છે. યાંગ-હાઈ સંમત થાય છે. બનેવી તેના શરીર પર રંગીન ફૂલો આકારે છે. સંભોગની વાત થતાં પુરુષ મોડેલ ચાલ્યો જાય છે. યાંગ-હાઈ કહે છે કે એ પુરુષના શરીર પર ચીતરેલાં ફૂલોએ તેનામાં ઉત્તેજના જગાડી છે. બનેવી પોતાના શરીર પર રંગીન ફૂલો ચીતરાવી યાંગ-હાઈ પાસે જાય છે અને તેની સાથે શરીરસંબંધ બાંધે છે. દરમ્યાન યંગ-હાઈનો પતિ તેના પર છૂટાછેડાની નોટિસ મોકલી ચૂક્યો છે. યાંગ-હાઈની બહેન આખી વાત જાણે છે ત્યારે પોતાના પતિને અને બહેનને માનસિક બીમાર કહે છે. બનેવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં બાલ્કનીમાંથી પડતું મૂકે છે પણ બચી જાય છે.

ત્રીજા ભાગ ‘ફ્લેમિંગ ટ્રીઝ’ની કથક છે યાંગ-હાઈની બહેન ઇન-હાઈ. એ હવે પતિથી અલગ છે. દીકરાને મોટો કરવા સાથે મેન્ટલ હોસ્પિટલમાં રહેતી યાંગ-હાઈની સંભાળ પણ લે છે. તેને સ્ક્રિઝોફેનિયા અને અનોરેક્સિયા નર્વોસાની સારવાર આપવામાં આવે છે. અનોરેક્સિયા નર્વોસા એક ઇટિંગ ડિસઑર્ડરનું નામ છે. તેમાં વ્યક્તિ શરીરનો આકાર બદલવાની ઘેલછામાં ખાવામાં ખૂબ આત્યંતિક કક્ષાના ફેરફાર કરે છે. યાંગ-હાઈ હવે પોતે વૃક્ષ હોય એમ વર્તવા લાગી છે. એક વાર હોસ્પિટલમાંથી ભાગીને તે વૃક્ષ શાંત ઊભું રહીને ભીંજાતું હોય તેમ વરસાદને ઝીલે છે. ઇન-હાઈ પોતે ડિપ્રેશન અને માનસિક અસ્વસ્થતાની શિકાર છે છતાં વારંવાર બહેનને મળવા હોસ્પિટલ જાય છે અને તેને ખાવા માટે સમજાવતી રહે છે. એક વાર એ યાંગ-હાઈને જબરદસ્તી ખવડાવતાં ડૉક્ટર-નર્સ અને છૂટવા મથતી યાંગ-હાઈને જુએ છે. તેનાથી આ કરુણ દૃશ્ય જોઈ શકતું નથી. અંતે બીજી બંને હોસ્પિટલમાં જતી બંને બહેનો રસ્તા પર પસાર થતાં વૃક્ષોને જુએ છે. ઇન-હાઈને થાય છે કે યાંગ-હાઈ વૃક્ષ બની ચૂકી છે અને પોતે યાંગ-હાઈ બનવાની તૈયારીમાં છે.

આમ શીર્ષક ‘ધ વેજિટેરિયન’ હોવા છતાં તેમાં સિદ્ધાંત તરીકે શાકાહારની કોઈ વાત નથી. એનાં સ્તરો ખૂલતાં આવે છે તેમ હિંસા, નિર્દોષતાની સંભાવના, પાગલપણું, બીજાને સમજવાની અશક્તિ, અભિવ્યક્તિના માધ્યમ તરીકે શરીરની અનિવાર્યતા અને મર્યાદા, પિતૃસત્તાકતા આ બધું ઊઘડતું આવે છે. હાન કાંગ હે છે, ‘ભૂલભૂલમણીમાં માર્ગ શોધતી હોઉં તેમ મેં લખ્યું છે. જ્યાં જીવવું હોય એમ જિવાતું નથી, ખાવું હોય એમ ખવાતું નથી, વર્તવું હોય એમ વર્તી શકાતું નથી, અસ્તિત્વ માગે તે આપી શકાતું નથી ને મરવું હોય તો મરી પણ શકાતું નથી એ કેવા પ્રકારની સ્થિતિ છે? આવી સ્થિતિમાં માણસ ડહાપણની સીમામાં ક્યાં સુધી રહી શકે?’

વિવેચકો શું કહે છે? ‘જુદી હોવાના કારણે, પોતાની ઓળખ સ્થાપિત કરવાના પ્રયત્નોને કારણે થતો યાંગ-હાઈનો સર્વનાશ એ માત્ર એક સ્ત્રીની વાત નથી. કોરિયાની સભ્યતા સ્ત્રીઓ પર કચડી નાખતું દબાણ લાદે છે.’ ‘આ એવી સ્ત્રીની વાત છે જે પોતાના જીવનમાં પોતાને શોધી રહી છે. આ સફરમાં તેને સમજાય છે કે પરિવારજનો અને સંબંધો લાગે છે તેટલા નિર્દોષ નથી.’ એવું નથી લાગતું કે આ આપણી પણ વાત છે? ‘કશું જ ન બચે અને કશું જ ન થઈ શકે ત્યારે જે ખાલીપણું અને આક્રોશ જન્મે, આદિમ સૌંદર્ય અને ખળભળાવી મૂકતો છટાદાર સંયમ – હાન કાંગ તેની માસ્ટર છે.’ ‘જુદી જુદી સંસ્કૃતિના લોકો જુદી જુદી રીતે જોઈ શકે એવી મોકળાશ અહીં છે.’

તમિલ અને નેપાળી સહિત ૨૭ ભાષામાં તેનો અનુવાદ થયો છે. પહેલો અનુવાદ અંગ્રેજીમાં કરનાર ડેબોનેર સ્મિથ કહે છે, ‘મારે જેટલો ડિકશનરીનો તેટલો ડિકશનરીની બહાર જવાનો પ્રયત્ન કરવો પડ્યો હતો.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 ઑક્ટોબર  2024

Loading

...102030...444445446447...450460470...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved